________________
મૂળશુદ્ધિ ભાગ-૧ સંપ્રતિ કથા
૧૦૧ ખીર દ્રવ્યથી ભરેલ થાળ રાખ્યો. કહ્યું કે હે પુત્રી ! તારી ખાતર મેં મંત્રથી ખેંચી આ ચંદ્ર લાવ્યો છે. તેથી તું તેને પી તે પણ હર્ષપૂર્વક ચંદ્ર છે, એમ માનતી જેટલું જેટલું પીએ તેટલું ઉપર રહેલો પુરુષ વસનાં છિદ્રને ઢાંકે છે. જ્યારે અડધી ખીર પીધી ત્યારે ગર્ભ પરિપૂર્ણ લક્ષણવાળો થશે કે કેમ? તેની પરીક્ષા કરવા (તે સંશયને દૂર કરવા) ચાણક્ય કહ્યું બેટી આટલી રહેવા દે, બીજા લોકોને આપી દઈએ, પણ તે સ્ત્રીની ઇચ્છા ન હોવાથી કહ્યું કે, બેટી તું પી લે. લોકો માટે બીજો લાવીશ ! એ પ્રમાણે દોહલો પૂરો કરાવીને દ્રવ્ય - ધન મેળવવા ધાતુવિવર (ખાણ) માં ગયો.
ત્યાં અનેક જાતનાં ધાતુવાદનાં પ્રયોગ કરી ઘણું ધન પ્રાપ્ત કર્યું. થોડા સમય પછી તે ગર્ભની હકીકત જાણવા ત્યાં આવ્યો. ત્યારે ગામ પાદરે સર્વ લક્ષણવાળો રાજનીતિ રમતો બાલક જોયો. અને વળી ધૂળમાં દોરેલાં ઘણાં દેશ નગર ગામોની મળે ખાઈ ઝરોખાં, કિલ્લા અને ભવનોથી રચેલાં નગરમાં ધૂળનાં સિંહાસન ઉપર બેઠેલો મંત્રી, સામંત, નગર આરક્ષક, બલવાન, દ્વારપાલ, પુરોહિત, સુભટોનો સમૂહ, ભાંડાગારિક – કોશાધ્યક્ષ, રાજાથી સન્માનિત મારવાડી કોટવાલ, સેનાપતિ, પટાવાળો, ઈત્યાદિથી પરિવરેલો, તેઓને ગામ, આકર, ખાણ દેશ વિ. આપતો, સાર્થવાહ, મહાજન, શેઠ તથા પ્રજાથી વિનવણી કરાતો શ્રેષ્ઠ રાજનીતિ યુક્ત તેને દેખીને ચાણક્ય ઘણો જ સંતુષ્ટ થયો. એની સામે આવીને પરીક્ષા નિમિત્તે એ પ્રમાણે બોલતો પ્રાર્થના કરવા લાગ્યો હે રાજન્ ! મારી ઉપર મહેરબાની કરીને મને પણ કાંઈક આપો. તે બ્રાહ્મણ ! તમને ગોકુલ આપ્યા જઈને ગ્રહણ કર. હે રાજન્ ! ગોકુલ લેવાં જતાં મને માર પડશે તો. તેણે કહ્યું “વીર ભોગ્યા વસુંધરા” તેનાથી ચાણક્યને ખબર પડી એમાં વિજ્ઞાન અને શૌર્ય પણ છે. તેથી મારા મનોરથ પૂરવા માટે આ યોગ્ય છે. તેથી એક છોકરાને પૂછ્યું આ કોનો છોકરો છો?
આનું નામ શું છે? પેલા છોકરાએ કહ્યું મુખિયાની પુત્રીનો પુત્ર છે. પરિવ્રાજકને સોંપાયેલો છે. આનું નામ ચંદ્રગુપ્ત છે. જયારે ચાણક્ય ચંદ્રગુપ્તને કહ્યું પોતેજ તે પરિવ્રાજક છે. તેથી તે પુત્ર ! તું મારી સાથે આવ, તને સાચો રાજા બનાવું, ત્યારે “આર્ય જે આજ્ઞા કરે, તે મને પ્રમાણ છે.” એમ બોલતો ચંદ્રગુપ્ત તેની પાછળ ગયો. બાળકોને તે વૃતાંત કહી ચંદ્રગુપ્તને લઈ નીકળી ગયો. ચાર પ્રકારનાં અંગવાળું સૈન્ય ભેગું કરી ચંદ્રગુપ્તને રાજા બનાવ્યો અને પોતે મંત્રીપદે રહ્યો. એવી રીતે મોટી
મૌર્ય ને ચંદ્રગુપ્ત વિગેરે ૧૦૦ પુત્રો હતા. અસૂયાથી ભૂમિગૃહમાં મંત્રણા બહાને લઈ જઈ મૌર્યને પુત્રો સાથે નવ નંદરાજાએ હણ્યો. બચેલા ચંદ્રગુપ્તને મારવા પ્રયત્ન કરવા છતાં બચી જાય છે.
દાનશાળામાં રહેલ ચંદ્રગુપ્ત નંદોને ઉખેડવા વિચારે છે, ત્યારે એક બ્રાહ્મણને જોયો. જે દંડનીતિ. વિગેરે માં હોંશીયાર હતો. નીતિશાસ્ત્ર પ્રણેતા ચણકનો પુત્ર હોવાથી ચાણક્ય તરીકે પ્રખ્યાત થયો. (નામ તો વિષ્ણુગુપ્ત હતું.) તેણે ચંદ્રગુપ્ત ઉપર પ્રેમ જાગ્યો. ચંદ્રગુપ્ત નંદ દ્વારા થયેલી પોતાની હેરાનગતિ કહી. ચાણક્ય “નંદરાજ્ય તને અપાવીશ” એમ પ્રતિજ્ઞા કરી. ભૂખ્યો ચાણક્ય નંદોના ભોજન ગૃહમાં પેઠો અને અગ્રઆસને બેઠો. નાનો છોકરો જાણી ત્યાંથી નંદીએ ઉઠાવ્યો, બધા નંદ ધિક્કારવા લાગ્યા. તે ગુસ્સે થયો. ભોજનશાળામાં જ ચોટી બાંધી નંદનો નાશ કરવાની પ્રતિજ્ઞા કરી. ચંદ્રગુપ્ત પણ તેની સાથે ચાલ્યો. .