________________
૮ ૨
મૂળશુદ્ધિ ભાગ-૧ માંડીને વૃદ્ધી પામતાં ગર્ભવાળી જિનપૂજા, જિનાભિષેક, ઈત્યાદિ દોહેલાં જેનાં પૂરાઈ રહ્યા છે એવી રાણીએ સમય થતાં પુત્રીને જન્મ આપ્યો. અને પોતાની પ્રભાકાલથી તે પ્રદેશને ઉદ્યોદિત કરતી પુત્રીને જોઈ રાજાને પુત્રી જન્મનું નિવેદન કર્યું. રાજાએ પણ યથોચિત રીતિ-રિવાજ કરીને શૂચિકર્મથી નિવૃત્ત થયેલી પુત્રીનું “રત્નપ્રભા' નામ પાડ્યું. અને તે નિર્વાત અને નિર્વાઘાતવાળી ગિરીગુફામાં રહેલી ચંપકલતાની જેમ દેહના વિકાસથી વૃદ્ધિ પામે છે.
અને શુકલપક્ષની ચંદ્રલેખાની જેમ કલા સમૂહથી વૃદ્ધિપામે છે. એ રીતે જ્યારે તે ચૌદ વર્ષની થઈ ત્યારે દાસ દાસીઓથી પરિવરેલી, કંચુકીથી યુક્ત સૈન્યવૃંદથી ચારેબાજુથી સુરક્ષા કરાયેલી, સોનાની પાલખીમાં આરુઢ થઈ દરરોજ આનંદ માણતી, ઉદ્યાન, વાવડી વિગેરેમાં ફરે છે.,
એક વખત પ્રિયંકરી દાસીએ કહ્યું કે આપણે હજી સુધી મહોદયા નદીના કાંઠે રહેલાં ઉદ્યાનોમાં ગયા નથી. જો આપને સારું લાગતું હોય તો ત્યાં જઈ ઉદ્યાનશોભા અને નદીને નીરખીએ. ત્યારે રાજકુમારી સહર્ષે ભલે ! ત્યાં જઈએ” એમ કહી ત્યાં ગયા. કાંઠા ઉપર ફરીને મહાનદી જોઈ અને કૌતુકથી નદી કાંઠે રહેલા ઉદ્યાનમાં પ્રવેશી. ત્યાં આસોપાલવ, સોપારીનું ઝાડ, નાગ, હિતાલ, તાડવૃક્ષ, દેવદાર વૃક્ષ, સાંદડ, સહકાર, આમ્ર, ચંપક, બકુલ, તલવૃક્ષ ઈત્યાદિ શ્રેષ્ઠ ઝાડોની વચાળે શરદ ઋતુનાં વાદળાની જેમ એકદમ ઉજજવલ જિનમંદિરને જુએ છે. તે દેખી હર્ષથી વિકસિત નયનવાળી અંદર જાય છે. અને અંતરત્નની ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા જુએ છે કે તરત જ “મેં આ પ્રતિમા અને જિનમંદિર ક્યાંક જોયેલું છે?” એવો ઈહા અપોહ કરતી, થરથર ધ્રૂજતા અંગોપાંગવાળી મૂછના કારણે બીડાતા નેત્રવાળી, સુકાતાં મુખવાળી, સાંધા ઢીલા પડી ગયા છે જેનાં એવી રત્નપ્રભા ધર્ દઈને નીચે પડી.
ત્યારે નજીક રહેલો પરિવાર સંભ્રાન્ત થઈ (ચમકી ગયો) અરે ! આ શું થયું? આમ હાહાકાર કરતો વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યો.
વળી કોઈ રત્નપ્રભાનાં અંગ મસળે છે. કોઈ શ્રેષ્ઠ તાલવૃતથી વીજે છે. કોઈ સરસ ગોશીર્ષ ચંદનથી શરીરે વિલેપન કરે છે. અને કોઈ (સેવક) જલ્દીથી રાજા પાસે જઈ નિવેદન કરવા લાગ્યો કે “રક્ષણ કરો બચાવો !” અમને કોઈ કારણ સમજાતું નથી, પણ કુમારીની દશા બહુ ભારે (ગંભીર) છે. તેવું સાંભળી અશ્રુભીની નેત્રવાળો, લોભના કારણે અટકતી વાણીથી ગદ્ગદસ્વરે વળવળતો “અરે જલ્દી વૈદ્યને બોલાવો” એમ બોલતો ઉત્તમ જાતિના ઘોડા પર ચડી રાજા જલ્દી જલ્દી જિનમંદિરે ગયો. રાજાની પાછળ પાછળ શ્રીકાંતા રાણી પ્રમુખ અંતઃપુર તથા સામંત મંત્રી તેમજ ઘણાં લોકો ગયા.,
એ અરસામાં પૂર્વજન્મ સ્મરણ કરીને ભાનમાં આવેલી કુમારી ઉઠી. રાજાએ ખોળામાં બેસાડીને પુછયું બેટી આ શું? કુમારીએ કહ્યું...
વનમાંથી પાંદડા લાવી, નદીમાંથી પાણી લાવી, છતાં તેણે હાથ ન લગાડ્યો, તેથી હે માતા હજી પણ તે કઠિયારો તેવી જ અવસ્થામાં છે.
બેટી ! અમને એમાં કશી સમજ પડતી નથી. પિતાશ્રી ! બધા લોકોને બેસાડો અને આ દોહાનો