________________
૪૦
મૂળશુદ્ધિ ભાગ-૧ પલિતનાં (ધોળાવાળ)નાં બહાને કાનની નજીક રહેલો દૂત કહી રહ્યો છે કે હે રાજન ઘડપણ આવી રહ્યું છે. તેથી જે કરવાનું હોય તે જલ્દી કરી લો. તે સાંભળી પુત્ર સમરમૃગાંકને રાજયે સ્થાપી રાણી સાથે દીક્ષા લીધી ૬૬ સમરમૃગાંક પણ ચોતરફ પ્રસરેલા પ્રતાપવાળો અશોકદેવી સાથે ભોગ ભોગવતો રહે છે. એ અરસામાં સમરમૃગાંકને પૂર્વે નિર્દોષ જીવોઘાતથી બાંધેલું ઘણાં જ માઠા પરિણામવાળું કર્મ ઉદયમાં આવ્યું. જેથી બંભાનગરના રાજા શ્રીબલે નિર્નિમિત્તે યુદ્ધ છેડ્યું અને સમરમૃગાંકના પ્રધાન યોદ્ધાઓ તેમાં ભળી ગયા છતાં યુદ્ધ કરવા તૈયાર થયો, ઘમસાણ યુદ્ધથી પોતાનું શેષ સૈન્ય નાશ પામતા શ્રી બળે સમરમૃગાંકને હણ્યો, તેથી પોતે યુદ્ધમાં જ મર્યો. અને રૌદ્રધ્યાનથી રૌદ્ર નરકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળો નારકપણે ઉપન્યો. તે સાંભળી અશોકદેવી પણ વિરહશોકથી પીડાયેલી ચક્કર આવવાથી ધબ દઈને નીચે પટકાણી, આશ્વાસન આપતા રૌદ્રધ્યાનથી અત્યંત મોહથી મુગ્ધ બનેલી રાણીએ એવા પ્રકારનું ઘોર પાપકારી નિયાણું કર્યું કે અભાગિણી હું પણ જ્યાં રાજા ઉપન્યો છે ત્યાંજ જાઉ. ૭૫ . ત્યારે સંક્લિષ્ટ ચિત્તવાળી પોતાના શરીરને અગ્નિમાં બાળે છે. અને જ્યાં રાજા હતો ત્યાં જ ઉપજી. સદા ઉદ્વિગ્ન, ભારે દુઃખી, કરુણા ઉપજાવે તેવાં શબ્દો બોલનારા, હંમેશને માટે ભયભીત એવા તેઓએ જેમ તેમ કરી (કમ પણ કરીને) સત્તર સાગરોપમ ગાળ્યા. ત્યાંથી નીકળી રાજા પુષ્કરાઈભરતનાં બેનાપ્રદેશમાં દારિદ્ર કુલમાં ગાથાપતિ પુત્ર થયો. દેવી પણ ત્યાં જ સમાનજાતિમાં દરિદ્રપુત્રી થઈ. અનુક્રમે તે બન્ને ઉદામ-જોરદાર યૌવનને પામ્યા, ભાગ્યયોગે તે બન્નેના લગ્ન થયા. પૂર્વભવનાં અભ્યાસના કારણે પરસ્પર અનુરાગવાળા બને દારિદ્રને ભૂલી સુખેથી રહે છે. (૮૧)
એક વખત ગુણના ભંડાર ગોચરી જતાં સાધ્વીગણને ઘરઆંગણે દેખી પ્રાસુક અન્નપાણી હર્ષથી વિકસિત રોમરાજીવાળા બન્ને જણાએ વહોરાવ્યા, “તમે ક્યાં રોકાયેલા છો ?” એ પ્રમાણે પૂછતા સાધ્વીજીએ કહ્યું અમે વસુશેઠના ઘરની પાસે તેનાં જ બનાવેલા ઉપાશ્રયમાં રોકાયેલા છીએ. અને મધ્યાન્હે વધતી જતી શ્રદ્ધાવાળા બન્ને તેમના ઉપાશ્રયમાં ગયા. (૮૫) બંને જણાએ ત્યાં સામે રહેલી પુસ્તકમાં નજરવાળી જાણે કમળની વેલ ન હોય તેની જેમ જેની તનુનાલ નમી પડેલી છે, નયનરૂપી ભ્રમરને ધારણ કરનારી તેમજ નીચે નમેલા મુખકમલવાળી, વિસ્તૃત મહાઅર્થવાળા અગ્યારે અંગ જેની કમળના પાંદડા સરખી કોમળ જીભની ટોચે રહેલા છે, એવી સુવ્રતા નામની મહત્તરાને દેખી. વિસ્મયથી વિકસિત નયણવાળા, ભક્તિસમૂહથી પૂર્ણ અંગવાળા, રોમાંચિત ગાત્રવાળા, તે બન્ને જણા તેમને વાંદીને બેઠા, મહત્તરાએ પણ શ્વેત વસ્ત્રની અંદર રહેલા એક હાથને નીકાળી અર્ધ નમેલાં મુખથી ધર્મલાભ આપ્યા. બાકીની સાધ્વીજીઓને વાંદી, ફરી ગણિની પાસે બેઠા ૯૦ જેના દાંતમાંથી નિર્મલકિરણો નીકળી રહ્યા છે એવી ગણિનીએ પૂછયું, ક્યાં રહો છો, તેઓએ કહ્યું અહીં જ રહીએ છીએ. ત્યારે ગોચરી ગયેલી જે સાધ્વીજીએ એમને જોયા હતા તેમણે કહ્યું આજે જ અમને વહોરવા ગયા ત્યારે એઓએ વસતિનું પૂછેલું, આ ઘણા જ શ્રદ્ધાળું છે. તમને વાંદવા આવ્યા છે. ગણીનીએ કહ્યું તમે સારું કર્યું, કે ધર્મમાં મનપરોવી અહિ આવ્યા, ભવ્ય પ્રાણીઓનું આ જ કર્તવ્ય છે. કારણ કે શારીરિક અને માનસિક દુ:ખથી પીડિત પ્રાણીઓને આ સંસારમાં ધર્મને મૂકી બીજું કોઈ શરણ નથી. સ્વપ્ન-માયા અને ઇન્દ્રજાલ સમાન ચલ અને અસાર સંસારમાં મનુષ્યપણું મૂકી અન્યત્ર રહેલો જીવ બરાબર ધર્મ કરી ન શકે, તેવો