________________
મૂળશુદ્ધિ ભાગ-૧
૭૯ ગાથાર્થ - મહાપુણ્ય ફળવાળું, પૂર્વે પ્રાપ્ત નહિ થયેલુ, સ્વભાવશુદ્ધિથી આને પ્રાપ્ત કરીને જિનેશ્વરની આજ્ઞામાં પ્રવર્તવું જોઈએ. વિશેષ કરી સાત સ્થાનમાં.
જેમ કે - ઘણાં કરોડો ભવમાં નિર્માણ કરેલાં કર્મ ડુંગરાનો નાશ કરવામાં વજ સમાન એવું સમકિત પુણ્ય સમૂહનો ઉદય થયે છતે પ્રાપ્ત થાય છે.
મોક્ષ મહાવૃક્ષનું નિરુપત - જેની શક્તિ નાશ નથી પામી એવું બીજભૂત વિશુદ્ધ સમકિત જીવો વડે પ્રાપ્ત કરાય છે. તે વિવિધ પુણ્યનું માહાત્ય છે.
સ્વભાવશુદ્ધિ એટલે અકામ નિર્જરાદિથી કર્મનો ક્ષય થવાથી પંદર અંગની અનુક્રમે પ્રાપ્તિ થવી, તેના દ્વારા... કહ્યું છે કે....
ભૂતોમાં (પ્રાણીઓમાં) ત્રસપણું, તેમાં પંચેન્દ્રિયપણું તેથી પણ મનુષ્યત્વ, મનુષ્યમાં પણ આદિશ, દેશમાં ઉત્તમકુલ, તેમાં પણ ઉત્કૃષ્ટ જાતિ, તેમાં પણ રૂપ સમૃદ્ધિ, રૂપમાં પણ બળ, બળમાં પણ જય, તેમાં પણ પ્રધાન વિજ્ઞાન, વિજ્ઞાનમાં પણ સમકિત, સમકિતમાં પણ શીલ, શીલમાં પણ સાયિકભાવ, તેમાં પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયે છતે પ્રધાન મોક્ષ પ્રાપ્ત થાય છે.
આઠ પ્રકારનાં કર્મરૂપી તાડવૃક્ષની ગર્ભસૂચી (=મધ્યમાં રહેલ તંતુ) સમાન (કારણ કે જેમ મધ્યમાં રહેલ તંતુ નાશ પામતા સંપૂર્ણ તાડ વૃક્ષ નાશ પામી જાય છે. તેમ મોહનીયનો ક્ષય થતા શેષ કર્મ સહજમાં નાશ પામી જાય છે. - ઈતિતત્ત્વાર્થ કારિકા) મોહનીય કર્મની ઓગણસિત્તેર કોડાકોડિ સાગરોપમ સ્થિત યથાપ્રવૃત્તકરણ વડે ઓછી થાય ત્યારે અપૂર્વકરણ કરીને જીવ સમતિ પ્રાપ્ત કરે છે. એટલે કોઈ નિજી સ્વાર્થના કારણે માત્ર બાહ્ય દેખાવ ન હોય, સ્વભાવ -કર્મનો ક્ષયોપશમ થાય ત્યારે “સમકિત - જિનધર્મ ગમે” એવો જીવનો સ્વભાવ છે. ૧દી જિણાણું એટલે મોહ મહારાજાને મૂળથી ઉખેડી જય મેળવનાર, આજ્ઞા – પરમાત્માએ ફરમાવેલ આદેશ, વિસેસ - બધાકરતા વિશેષ પ્રકારે સાત ક્ષેત્રમાં લાગી જાય.
હવે તે સાત ક્ષેત્ર બતાવે છે. बिंबाण चेईहर-पुत्थयाणं, जिणाण साहूण य संजईणं । आणारुईसावय सावियाणं, समायरेज्जा उचियं तमेयं ॥१७॥
ગાથાર્થ - જિનપ્રતિમા, જિનાલય, પુસ્તક, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનું જે ઉચિત હોય તે આચરે... I૧ણા.
બિમ્બ એટલે પ્રભુની પ્રતિમા, ચેઈઅ એટલે પ્રતિમાના આધારભૂત ભવન, પુસ્તક આગલનો ચકાર અહિં પણ અવધારણ માટે લેવાનો છે. તેથી આ ત્રણે જિનેશ્વર સંબંધી જ લેવાના, નહિ કે શાક્યાદિ સંબંધી, સાધુ-સક્રિયાદિ ગુણ સંયુક્ત મુનિ ભગવંતો.
કહ્યું છે કે - જે સત્ ક્રિયામાં પ્રવૃત્તિવાળો પ્રશસ્તજ્ઞાનવાળો, નિસ્પૃહી, ક્ષમાશીલ, ધર્મ ધ્યાનમાં સચિવાળો હોય, તેને સજ્જનો સાધુ કહે છે. તાદશ ગુણવાળી સાધ્વી, આજ્ઞારુચિ-શ્રદ્ધાવાળો શ્રાવક, તેમજ સદા યતિઓ પાસે સમાચારીને સાંભળે તે શ્રાવક.