________________
જૈન રામાયણ ૧૪૪
- રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જ રહરણની ખાણ "अथोवाच मरुतोऽपि, यनोऽयं ब्राह्मणोदितः । अन्तर्वेदीहहोतव्याः पशवो देवतृप्तये ११११॥" "अयं खलु महाधर्मः कीर्तितः स्वर्गहेतवे । यक्ष्यामि पशुभिर्यंज, तदेभिरहमद्य भोः ॥२॥"
‘હે નારદજી ! બ્રાહ્મણોએ કહેલો આ યજ્ઞ છે. દેવની તૃપ્તિ માટે આ વેદીની અંદર પશુઓ હોમવા યોગ્ય છે ખરેખર, આ મહાધર્મ સ્વર્ગના હેતુ તરીકે કીર્તન કરાયેલો છે, તે કારણથી આજે હું આ પશુઓથી યજ્ઞ કરીશ.'
વેદોક્ત યજ્ઞનું સ્વરૂપ આવા પાપમય યજ્ઞથી બચાવવા માટે મેં તે રાજાને કહાં કે : તતસ્તસ્યામિત્કારä, વજુર્વેઢિરતા ? आत्मा यष्टा तपो वनि, र्यखं सर्पिः प्रकीर्तितम् ॥१॥ कर्माणि समिधः क्रोधा-दयस्तु पशवो मताः । सत्यं यूपं सर्वप्राणि-रक्षणं दक्षिणा पुनः ॥२॥ त्रिरत्नी तु त्रिवेदीय - मिति वेदोदितः क्रतुः । कृतो योगविशेषेण, मुत्तेर्भवति साधनम् ॥३॥
‘શરીરને વેદી કહેલી છે : આત્મા યજ્ઞનો કર્તા છે : તપ અગ્નિ છે : જ્ઞાનને ઘી કહેલું છે કર્મો એ સમિધો - કાષ્ટો છે : ક્રોધાદિકને પશુઓ માનેલાં છે : સત્ય એ યજ્ઞસ્તંભ છે : સર્વ પ્રાણીઓનું રક્ષણ એ દક્ષિણા છે : અને ‘૧. સમ્યગદર્શન ૨. સમ્યગ્રજ્ઞાન અને ૩. સમ્યફચારિત્ર.' આ રત્નત્રયી એ ત્રિવેદી છે. આ વેદમાં કહેલો યજ્ઞ જો યોગવિશેષ કરીને કરવામાં આવે, તો મુક્તિનું સાધન થાય છે ' અર્થા-દુષ્ટ બ્રાહ્મણોના અયોગ્ય ઉપદેશથી ઉભાર્ગમાં પડેલા મરુત રાજાને શ્રી નારદ' નામના દેવર્ષિએ કહ્યું કે આ તે આરંભેલો યજ્ઞ વેદ કહેલો યજ્ઞ નથી. વેદ કહેલો યજ્ઞ તો જુદો જ છે. વેદ કહેલ યજ્ઞમાં આવી પાપ-ક્રિયાઓને અવકાશ જ નથી. વેદની આજ્ઞા પ્રમાણે તો. ‘૧. સમ્યગદર્શન, ૨. સમ્યગ્રજ્ઞાન અને ૩. સમ્યક્રચારિત્ર' આ રત્નત્રયીરૂપ ત્રિવેદીમાં સ્થિર થયેલો આત્મા પોતે જ યજ્ઞનો કર્તા છે અને