Book Title: Jain Ramayan Part 01
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 339
________________ થાય ? દયાળુઓએ આવા આત્માઓને સુધારવા અને તેઓ ન સુધરે તો તેવા આત્માઓથી યોગ્ય આત્માઓને અલગ કરવાના પ્રયત્નો, વગર કહો પણ આચરવા જોઈએ કે નહિ ? સભા :- અવશ્ય આચરવા જ જોઈએ. શ્રીમતી અંજનાસુંદરીને તો પોતાના કરેલા પાપકર્મનો ગણિનીના ઉપદેશથી તે જ ભવમાં અને તે જ વખતે પશ્ચાત્તાપ પણ થયો હતો તથા તે જ સમયે પોતાના પાપને સુધારી લીધું હતું, છતાંય તે પાપનો વિપાક વર્ષો સુધી ભોગવવો પડ્યો, તો જે બિચારાઓના અંતરમાં સુધરવાની સહજ પણ ઈચ્છા નથી, એટલું જ નહિ પણ ઉલ્ટા પોતાના પાપકર્મને પણ પુણ્યકર્મ માનીને જોર-શોરથી અને રાજી ખુશીથી રાચી-માચીને પાપકર્મ આચરી રહ્યા છે, તથા આચર્યા પછી પણ તેની પ્રશંસા કરી-કરીને તે પાપકર્મને સુદઢ બનાવી રહી છે, તે બિચારાઓની દશા કેવી અને કેટલી શોચનીય છે? સભા :- ઘણી જ. ખરેખર, પરમોપકારી શાસ્ત્રકાર મહર્ષિઓ એવા પ્રત્યનિક આત્માઓને માટે ઘણા જ ભયને ઉત્પન્ન કરનારું વર્ણન કરે છે અને સૂચવે છે કે કલ્યાણના અર્થી આત્માઓએ પ્રત્યનિકપણાથી અવશ્ય બચવું જ જોઈએ.' પણ આવાઓની સામે શાસ્ત્રો ધરવા, એ પણ એવાઓનો આત્મનાશ કરવા બરાબર છે, કારણ કે શાસ્ત્રોની વાતથી તેઓનો એ રોગ વધતો જ જાય તેમ છે, અને જયારે-જયારે એમને શાસ્ત્રોની વાતો કહેવામાં આવી છે, ત્યારે-ત્યારે પરિણામે તે આત્માઓ એ પરમ કલ્યાણના પંથનો ઉપદેશ કરનારા શાસ્ત્રો અને તે શાસ્ત્રોના રચયિતા તે-તે પરમતારક મહર્ષિ પ્રત્યે પણ યદ્વા-તદ્દા બોલ્યા છે અને બોલે છે તથા એમ બોલી બોલીને તેઓ પોતાનું ભાવમરણ પેદા કરે છે. સભા :- સાહેબ ! ખરેખર એવો જ અનુભવ થયો છે અને ૨ થાય છે. શ્રી હનુમાનનું અવતરણ...૮ ૨૯૭ રાક્ષશવંશ અને વાનરવંશ ?

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374