Book Title: Jain Ramayan Part 01
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 308
________________ જૈિન રામાયણઃ . $: : રજોહરણની ખાણ ૨૬૬ 'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧ જવું જોઈએકારણકે આત્માના ઉદય માટે એ જ એક કલ્યાણને કરનારો ધોરી માર્ગ છે પણ જો એ માર્ગનું અવલંબન કરવા જેવી મનોદશા ન જ હોય, તો તેણે સુભાયં બનવું જોઈએ, પણ કુભાર્યા તો ન જ બનવું જોઈએ. કુભાર્યાપણું એ આત્માને ઘણી જ અધોગતિએ પહોચાડનાર છે. એ જ રીતે છોકરાઓ પણ જો સંયમધર થવાને બદલે ઘરમાં રહેવા જ ઈચ્છતા હોય, તો તેઓએ માતા-પિતાદિ હિતેષી વડીલોની કરડામાં કરડી પણ સેવા ઉઠાવવી જોઈએ. આથી સ્પષ્ટ જ છે કે જે દીકરાઓ સ્ત્રીઓ માટે માતાપિતાની અવગણના કરનારા છે, તે દીકરાઓ કુળદીપકો નથી જ ગણાતા. જેમ સ્ત્રીઓએ સુભાર્યા થવા માટે પતિની એકેએક યોગ્ય આજ્ઞાને ઉઠાવવી જોઈએ અને તેના તરફથી ગમે તેટલી કષ્ટમય દશા ભોગવવી પડે તે છતાં, સુભાર્યાપણું ન તજવું જોઈએ, તેમજ દીકરાઓએ પણ માતા-પિતાદિની એકેએક યોગ્ય આજ્ઞાને ઉઠાવવી જોઈએ અને ગમે તેવી વિષમદશામાં પણ સુપુત્રપણું જ તજવું જોઈએ. આ સ્થિતિને કેળવવામાં જ ઉભય લોકની શુદ્ધિ છે, પણ આથી વિરૂદ્ધ વર્તવામાં નથી જ. હવે વિચારો કે ‘શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માટે મા-બાપનો ત્યાગ કરનારને ઠપકો હોય કે સ્ત્રી માટે મા-બાપને લાત મારનારને ઠપકો હોય?” એવી રીતે એ મા-બાપોને લાત મારનારા કુપુત્રોને પકડ્યા? એવાઓને ઠપકો આપ્યો ? નહિ જ. આ તો જયાં શ્રી ક્લેિશ્વરદેવનો હુક્યું છે, ત્યાં દીવાલ ખડી કરવામાં આવે છે અને જયાં નિષેધ છે, ત્યાં પુલ બંધાય છે. આવા આત્માઓ તો જૈનત્વના લીલામની સાથે, ખરેખર, મનુષ્યપણાનું પણ લીલામ જ કરે છે ! પણ મોહનો પ્રભાવ જ કોઈ અજબ જ છે કે એવા દીકરાઓને મા-બાપ 'હારો મારો' કરે છે ! અને સુભાયંપણું ત્યજી દેતી સ્ત્રીઓને પતિઓ હારી મહારી' કરે છે !

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374