Book Title: Jain Ramayan Part 01
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 306
________________ જૈન રામાયણઃ ૨૦૪ રજોહરણની ખાણ ૨૬૪ 'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧ ભાવના ? વિચારો કે આ કઈ ઉત્તમતા છે ! આવી ઉત્તમતાથી પરિમંડિત થયેલી સ્ત્રીઓ જે દેશમાં, જે જાતિમાં અને જે કુળમાં થઈ ગઈ છે, તે દેશમાં તે જાતિમાં અને તે કુળમાં પોતાને જન્મેલા ગણાવતા પુરુષો, પોતાની જાતને ભણેલી ગણેલી અને વિચારશીલ મનાવવાનો દંભ કરી, સ્ત્રીઓ માટે યથેચ્છ વિચારોનો પ્રચાર કરે અને તેવા વિચારો દ્વારા પોતાને દયાળુ દેવ તરીકે પ્રસિદ્ધ કરવા મથે, એ તે આત્માઓની કેટલી કમનસીબ પામર દશા છે, એ ખાસ વિચારવા જેવું છે. ઉત્તમકુળમાં જન્મેલા આત્માઓમાં અધમ વિચારોને ફેલાવવા પ્રયત્નો કરવા એના જેવું ભયંકર પાપ એક પણ નથી. આવા પ્રકારના ભયંકર પાપને આચરતા આત્માઓએ અવશ્ય ચેતવા જેવું છે નહિ તો કંઈ પણ અસર નીપજાવ્યા સિવાય નિરર્થક પાપકર્મ બાંધી આ અમૂલ્ય અને દુર્લભ એવા માનવજીવનને હારી જવા સિવાય બીજા કશા જ ફળની તેઓને પ્રાપ્તિ નથી એ સુનિશ્ચિત છે, કારણકે આવા ઉત્તમ સ્ત્રી જીવનના અભ્યાસી સમાજમાં પામર અને તુચ્છ તેમજ અધોગતિગામીઓના એવા વિચારોની ભાગ્યે જ અસર નીપજે છે. આપણે એ જાણીએ છીએ કે જે સમયે પ્રહસિત અને અંના વચ્ચે વાતચીત ચાલી રહી છે, તે સમયે પવનંજય દ્વાર આગળ ઉભેલ છે એટલું જ નહિ પણ તેનો રોષ હવે ચાલ્યો ગયો છે અને તે બાવીસબાવીસ વરસથી અવગણેલી પોતાની પત્નીને આશ્વાસન આપવા માટે જ આવેલ છે. એટલે સ્વાભાવિક જ છે કે જે ઉદ્ગારો એક અન્ય આત્માને પણ દુ:ખી કરે, તે ઉદ્ગારો પવનંજયને પણ દુઃખી ર્યા વિના રહે જ નહિ ! અને થયું પણ તેમ જ, કારણકે શ્રીમતી અંજનાસુંદરીના અંતરમાં ભરાઈ ગયેલો દુ:ખનો સમૂહ બધો જ પવનંજયમાં સંક્રમણ પામી ગયો અને એથી એ એકદમ અંદર પેસીને, આંસુથી ગદ્ગ વાણીવાળો થયો થકે, એ પ્રમાણે બોલવા લાગ્યો કે "निर्दोषां ढोषमारोप्य, त्वामुढाहात्प्रभृत्यपि । अवनातास्यविजेन, मयका विजमानिना ॥१॥"

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374