________________
જીવના અધ્યવસાય
લેખક મુનિ શ્રી યશોવિજયજી મહારાજ
નોંધ-જીવના બંધ કે મોક્ષ તેના ભાવ, પરિણામ અથવા અધ્યવસાય ઉપર આધાર રાખે છે. ગુણસ્થાન એ જીવના અધ્યવસાયની તરતમતાવાળી વ્યવસ્થા છે. તેથી સૈથી પહેલાં અધ્યવસાયનું સ્વરૂપ સમજવા માટે મુનિશ્રી યશોવિજયજીને આ લેખ અહીં ઉધત કરેલ છે.
–ન, ગિ. શેઠ
જીવને જુદી જુદી ગતિમાં ઉત્પન્ન થવામાં, જધન્ય. મધ્યમ અને ઉત્કૃષ્ટ ઋદ્ધિની ભિન્ન ભિન્ન જાતિની વૈભવ-સંપત્તિ થવામાં, અલ્પ આયુષ્ય, દીર્ઘ આયુષ્યની તરતમતામાં વગેરે વસ્તુનો વિપર્યાય થવામાં જીવના માનસિક ભાવ. પરિણામ અથવા અધવસાયે જ કારણભૂત છે.
અધ્યવસાય અધ્યવસાય એટલે માનસિક પરિણમ-વ્યાપાર વિશેષ.
સામાન્ય રીતે માનસિક વિચાર એ અધ્યવસ.થરૂ૫ વસ્તુ છે. આ માનસિક પરિણામ (વિચાર) બે વિભાગમાં વિભકત થાય છે–(૧) શુહ, શુભ અને (૨) અશુદ્ધ, અશુભ. આ બન્ને પ્રકારના પરિણામને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com