Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૧. કિલ્વિપીના ત્રણ ભેદ. ૧. પહેલાં કિલ્વિષી ત્રણ પત્યની સ્થિતિવાળા, પહેલા બીજા દેવલોકમાં નીચે રહે છે. ૨. બીજા કિલ્વિષી ત્રણ સાગરની સ્થિતિવાળા, ત્રીજા ચોથા દેવલોકમાં નીચે રહે છે. ૩. ત્રીજા કિલ્વિષી તેર સાગરની સ્થિતિવાળા છઠ્ઠા દેવલોકમાં નીચે રહે છે. જે દેવ, ગુરૂ, ધર્મની નિંદા કરનાર અને તપ, સંયમની ચોરી કરનારાં હોય તે મરીને કિલ્વિથી દેવ થાય છે. જેમ મનુષ્યમાં નીચ, ચાંડાલ જાતિ હોય છે તેમ દેવોમાં તેઓ કુરૂપ, અશુભ, મિથ્યાત્વી અને અજ્ઞાની હોય છે.
૨. બાર દેવલોક, ૧ સુધર્મા દેવલોક, ર ઇશાન દેવલોક, ૩ સનતકુમાર દેવલોક, ૪ માહેન્દ્ર દેવલોક, ૫ બ્રહ્મ દેવલોક, ૬ લાંતક દેવલોક, ૭મહાશુકદેવલોક, ૮ સહસ્ત્રાર દેવલોક, ૯ આણત દેવલોક, ૧૦ પ્રાણત દેવલોક, ૧૧ આરણ દેવલોક, ૧૨ અશ્રુત દેવલોક.
બાર દેવલોક કેટલા ઊંચા, કેવા આકારે ને કેટલાં વિમાન, તેનો વિસ્તાર જ્યોતિષ ચક્ર ઉપર અસંખ્યાતા જોજનની ક્રોડાક્રોડી પ્રમાણે ઊંચે જઈએ ત્યારે પહેલું સુધર્મા ને બીજું ઇશાન એ બે દેવલોક આવે. તે બે છાલકાના આકારે છે. એકેકે અર્ધ ચંદ્રમાને આકારે છે, બન્ને મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે. પહેલામાં બત્રીસ લાખ અને બીજામાં અઠ્ઠાવીસ લાખ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ક્રોડાકોડ ઊંચપણે ત્રીજું સનકુમાર અને ચોથું માહેન્દ્ર નામે દેવલોક છે, બે લગડાને આકારે છે, એકેકું અર્ધચંદ્રમાને આકારે છે, બન્ને મળીને પૂર્ણ ચંદ્રમાને આકારે છે, ત્રીજામાં બાર લાખ અને ચોથામાં આઠ લાખ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ક્રોડાકોડ ઊંચપણે પાંચમું બ્રહ્મલોક નામે દેવલોક છે, તે એકલું પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં ચાર લાખ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ક્રોડાકોડ ઊંચપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org