Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
નિરિ૨૭)
શ્રી તેત્રીસ બોલ ૩૧. પ્રાયશ્ચિત્તકરણ –- પ્રાયશ્ચિત્ત લીધું હોય તે કરવાનો સંગ્રહ કરવો. ૩૨. મારણાંતિક આરાધના – આરાધક પંડિત મૃત્યુ થાય તેમ આરાધના કરવાનો સંગ્રહ કરવો.
૩૩. તેત્રીસ પ્રકારે આશાતના: ૧. શિષ્ય રત્નાધિક (વડા, ગુરુ) ની આગળ અવિનયપણે ચાલે તે આશાતના. ૨. શિષ્ય વડાની બરાબર (સાથે) અવિનયપણે ચાલે તો આશાતના. ૩. શિષ્ય વડાની પાછળ, શરીર ઘસાય, અડે તેમ ચાલે તો આશાતના. ૪, ૫, ૬. એ પ્રમાણે વડાની આગળ, બરાબર અને પાછળ અવિનયપણે ઊભો રહે તો આશાતના. ૭, ૮, ૯. એ પ્રમાણે વડાની આગળ, બરાબર અને પાછળ અવિનયપણે બેસે તો આશાતના. ૧૦. શિષ્ય વડાની સાથે બહિર ભૂમિ જાય ને વડા પહેલા શુચિ કરી આગળ આવે તે. ૧૧. વડા સાથે વિહાર ભૂમિ જઈ આવી ઈરિયાવહિયા પહેલા પ્રતિક્રમે તે. ૧૨. કોઈ પુરૂષ આવે તે વડાને બોલાવવા યોગ્ય છે તેવું જાણીને પહેલા પોતે બોલે અને પછી વડાને બોલાવે. ૧૩. રાત્રિએ વડા બોલાવે કે અહો આર્ય ! કોણ નિદ્રામાં છે અને કોણ જાગૃત છે? તેવું બોલતાં સાંભળીને જાગતો હોવા છતાં ઉત્તર ન આપે તે. ૧૪. અશનાદિ વહોરી લાવીને પ્રથમ અન્ય શિષ્યાદિની આગળ આલોચના કરે પછી વડા પાસે કરે તે. ૧૫. અશનાદિ વહોરી લાવીને પ્રથમ અન્ય શિષ્યાદિને બતાવે પછી વડાને બતાવે. ૧૬. અશનાદિ વહોરી લાવીને પ્રથમ અન્ય શિષ્યાદિને આમંત્રણ કરે પછી વડાને આમંત્રણ કરે તે. ૧૭. વડા સાથે અથવા અન્ય સાધુ સાથે અન્નાદિ વહોરી લાવી વડાને કે વૃદ્ધ સાધુને પૂછયા વિના પોતાનો જેના ઉપર પ્રેમ છે તેઓને થોડું થોડું વહેંચી આપે છે. ૧૮. વડા સાથે જમતાં ત્યાં સાદું - પત્ર, શાક, રસરહિત, મનોજ્ઞ ઉતાવળથી જમે તો આશાતના. ૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org