Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
--
-
-
--
પુદ્ગલ પરાવર્ત ૩િ૨૧] વાલાગે એક લીંખ. ૧૩. આઠ લખે એક જૂ. ૧૪. આઠ જૂ એ એક અર્ધજવ. ૧૫. આઠ અર્ધજવે એક ઉત્સધ આંગુલ. ૧૬. છ ઉત્સધ
ગુલે એક પગનું પહોળપણું. ૧૭. બે પગ પહોળપણે એક વેંત. ૧૮. બે વેંતે એક હાથ, બે હાથે એક કૃક્ષિ. ૧૯. બે કૃષિએ એક ધનુષ્ય. ૨૦. બે હજાર ધનુષ્ય એક ગાઉ. ૨૧. તે ચાર ગાઉએ એક યોજન. ૨૨. તે એક યોજનનો કૂવો લાંબો, પહોળો ને ઉડો જાણે કે હોય તેમ કલ્પીએ, ને તેમાં દેવકુરૂ, ઉત્તરકુરૂના જુગલીયા મનુષ્યના વાળ – એક એક વાળના અસંખ્ય ખંડ કરીએ, એ અસંખ્ય ખંડવાળા વાળોથી તળીએથી તે ઉપર સુધી સજડ – ગાઢ, ઠાંસીને તે કૂવો ભર્યો હોય, કે જેના પરથી ચક્રવર્તીનું લશ્કર ચાલ્યું જાય, પણ એક વાળ નમે નહિ. નદીનો પ્રવાહ ધોધમાર ચાલ્યો જાય પણ અંદર પાણી ઉતરી શકે નહિ. કદાચ અગ્નિ પણ તે ઉપર લાગે તો અંદર જઈ શકે નહિ. તેવા કૂવામાંથી સો સો વર્ષે એક એક વાળ ખંડ કાઢે ને સો સો વર્ષે એક ખંડ કાઢતાં જ્યારે તે કૂવો ખાલી થાય, તેટલામાં જેટલો વખત જાય તેને શાસ્ત્રકાર એક પલ્ય કહે છે. ને તેવા દશ ક્રોડાકોડ પત્યે એક સાગર થાય છે. વીસ ક્રોડાકોડ સાગર સમાય તેટલા વખતે એક કાળચક્ર થાય છે.
ઇતિ કાળ ઉપમા દ્વાર ૭. કાળ અલ્પ બહુત્વ દ્વાર : ૧. અનંત કાળચક્ર જાય ત્યારે એક કાર્પણ પુગલ પરાવર્ત થાય. ૨. અનંત કાર્મણ પુગલ પરાવર્ત જાય ત્યારે એક તૈજસ પુદ્ગલ પરાવર્ત થાય. ૩. અનંત તૈજસ પુદ્ગલ પરાવર્ત જાય ત્યારે એક ઔદારિક પુગલ પરાવર્ત થાય. ૪. અનંત
દારિક પુદ્ગલ પરાવર્ત જાય ત્યારે એક શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત થાય. ૫. અનંત શ્વાસોચ્છવાસ પુદગલ પરાવર્ત જાય ત્યારે એક મન પુલ પરાવર્ત થાય. ૬. અનંત મન પુદ્ગલ પરાવર્ત જાય -21
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org