Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૪૭૦ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ જીવ પણ રૂપી છે.
૧૯. પ્રદેશ દ્વાર : પાંચ દ્રવ્ય પ્રદેશ છે. કાળ દ્રવ્ય અપ્રદેશી છે. ધર્મ અધર્મ અસંખ્ય પ્રદેશ છે. આકાશ (લોકાલોક અપેક્ષા) અનંત પ્રદેશ છે. એકેક જીવ અસંખ્ય પ્રદેશ છે. અનંત જીવોના અનંત પ્રદેશ છે. પુદ્ગલ પરમાણુ એક પ્રદેશો છે. પરંતુ પુદ્ગલ દ્રવ્ય અનંત પ્રદેશ છે.
૨૦. એક દ્વાર : ધર્મ, અધર્મ, આકાશ એકેક દ્રવ્ય છે. શેષ ત્રણ દ્રવ્ય અનંત છે. + ૨૧. હૈત્રક્ષેત્રી દ્વાર : આકાશ ક્ષેત્ર છે. બાકીના પાંચ ક્ષેત્રી છે. એટલે કે પ્રત્યેક લોકાકાશ પ્રદેશ પર પાંચેય દ્રવ્ય પોતપોતાની ક્રિયા કરવા છતાં એકબીજામાં મળી જતાં નથી.
૨૨. ક્રિયા દ્વાર :- નિશ્ચયથી બધા દ્રવ્યો પોતપોતાની ક્રિયા કરે છે. વ્યવહારથી જીવ અને પુદ્ગલ ક્રિયા કરે છે. શેષ અક્રિય છે.
૨૩. નિત્ય દ્વાર : દ્રવ્યાસ્તિક નયથી બધા દ્રવ્ય નિત્ય છે. પર્યાયાસ્તિક નયથી બધા અનિત્ય છે. વ્યવહાર નથી જીવ, પુદ્ગલ અનિત્ય છે. શેષ ચાર દ્રવ્ય નિત્ય છે.
૨૪. કારણ દ્વાર : પાંચેય દ્રવ્ય જીવને કારણ છે પણ જીવ કોઈ કારણ નથી. જેમ જીવ કર્તા અને ધર્માસ્તિકાય કારણ મળવાથી જીવન ચલન કાર્યની પ્રાપ્તિ થઈ. એમ જ બીજા દ્રવ્યો સમજવા.
૨૫. કર્તા દ્વાર :- નિશ્ચયથી બધા દ્રવ્ય પોતપોતાના સ્વભાવ કાર્યના કર્તા છે, વ્યવહારથી જીવ અને પુદ્ગલ કર્તા છે. શેષ અકર્તા છે.
૨૬. ગતિ દ્વાર :- આકાશની ગતિ (વ્યાપકતા) લોકાલોકમાં છે. શેપ લાકમાં છે.
* જગ્યા આપે તે ક્ષત્ર. તેનો ઉપયોગ કરે તે ક્ષેત્રી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org