Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text ________________
૬૦૮
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ
૯૮. બાર પ્રકારનાં તપ
શ્રી ઉવવાઈ સૂત્રનાં આધારે
તપ બાર પ્રકારનાં છે. તેમાં ૬ બાહ્ય તપના નામ ૧. અનશન, ૨. ઉણોદ૨ી, ૩. વૃત્તિસંક્ષેપ, ૪. ૨સપરિત્યાગ, પ. કાયકલેશ, ૬. પ્રતિસંલીનતા. ૬ આત્યંતર તપના નામ. ૧. પ્રાયશ્ચિત, ૨. વિનય, ૩. વૈયાવચ્ચ, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન, ૬. કાઉસ્સગ્ગ. બાહ્ય તપનો વિસ્તાર
૧. અનશન ૧૫
અનશનના બે ભેદ છે.
અ. ઇત્વરિક – તે મર્યાદિત સમય માટે આહાર ત્યાગ. બ. અવકાલિક – તે જાવજીવ આહારનો ત્યાગ.
–
અ. ઇત્વરિક અનશન તપ – તેના ૧૪ ભેદ છે. (૧) એક ઉપવાસ, (૨) બે ઉપવાસ, (૩) ત્રણ ઉપવાસ, (૪) ચાર ઉપવાસ, (૫) પાંચ ઉપવાસ, (૬) છ ઉપવાસ, (૭) સાત ઉપવાસ, (૮) પંદ૨ ઉપવાસ, (૯) એક માસના ઉપવાસ, (૧૦) બે માસના ઉપવાસ, (૧૧) ત્રણ માસના ઉપવાસ, (૧૨) ચાર માસના ઉપવાસ, (૧૩) પાંચ માસના ઉપવાસ, (૧૪) છ માસના ઉપવાસ. પ્રથમ તીર્થંકરના શાસનમાં બાર માસના ઉપવાસ થઈ શકે. વચ્ચેના ૨૨ તીર્થંકરના શાસનમાં ૮ માસ અને અંતિમ તીર્થંકરના શાસનમાં છ માસ ઉપવાસ ક૨વાનું સામર્થ્ય હોય.
બ. અવકાલિક અનશન તપના ત્રણ ભેદ છે. ૧. પાદોપગમન પ્રત્યાખ્યાન, ૨. ભક્ત પ્રત્યાખ્યાન. અને 3. ઇંગિત મરણ,
૧. પાદોપગમન પ્રત્યાખ્યાન :– વૃક્ષની કાપેલી ડાળી જેમ
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670