Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૬િ૪૪)
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૩૪. ચાર જાતની અક્કલ – ૧. જાગે તો ચોર નાસે. ૨. ક્ષમા કરે તો કલેશ નાસે. ૩. ઉદ્યમ કરે તો દારિદ્ર નાસે. ૪. ભગવાનની વાત સાંભળે તો પાપ નાશે.
૩૫. ચાર પ્રકારના જીવ – ૧. એક સુખદુઃખ જાણે ને વેદે તે ચાર ગતિના જીવ જાણવા. ૨. એક જાણે પણ વેદે નહીં, તે સિદ્ધના જીવ. ૩. એક વેદે પણ જાણે નહીં, તે અસંજ્ઞીના જીવ. ૪. એક જાણે પણ નહીં અને વેદે પણ નહીં, તે બેશુદ્ધ અથવા અજીવ.
૩૬. ચાર પ્રકારના પુરૂષ – ૧. એક પોતાના કર્મનો અંત કરે અને બીજાના કર્મનો પણ અંત કરાવે, તે તીર્થકર આદિ. ૨. એક પોતાનાં કર્મનો અંત કરે પણ બીજાનાં કર્મનો અંત કરાવે નહિ, તે પ્રત્યેક બુદ્ધ આદિ. ૩. એક પોતાનાં કર્મનો અંત ન કરે પણ બીજાનાં કર્મનો અંત કરાવે, તે અચરમ શરીરી આચાર્ય આદિ. ૪. એક પોતાનાં કર્મનો અંત ન કરે અને બીજાનાં કર્મનો પણ અંત ન કરાવે તે કાલિકાચાર્ય આદિ.
૩૭. ચાર પ્રકારના આચાર્ય – ૧. એક અંદરનો પરિષહ જીતે અને બહારનો પરિષહ પણ જીતે તે દેશથી અને સર્વથી આરાધક. ૨. એક અંદરનો પરિષહ જીતે અને બહારનો પરિષહ ન જીતે તે દેશથકી વિરાધક અને સર્વથકી આરાધક. ૩. એક બહારનો પરિષહ જીતે અને અંદરનો પરિષહ ન જીતે તે દેશથકી આરાધક અને સર્વથકી વિરાધક. ૪. એક અંદરનો પરિષહ જીતે નહીં અને બહારનો પરિષહ પણ જીતે નહીં તે દેશથકી અને સર્વથકી વિરાધક.
૩૮. ચાર પ્રકારના ચપળ – ૧. સ્થાનક ચપળ, તે જ્યાં ત્યાં બેસતો ફરે. ૨. ગતિ ચપળ, તે ઊંટની માફક ચાલતો ફરે. 3. ભાષા ચપળ, તે જેમ તેમ બોલ બોલ કરે. ૪. ભાવ ચપળ, તે એક કામ કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org