Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
બાર પ્રકારનાં તપ
૬૧૫
૨. અનાશાતના વિનય. તેના ૪૫ ભેદ છે. અરિહંત ભગવાન, અરિહંત પ્રરૂપિત ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, કુલ, ગણ, સંઘ, ક્રિયાવાન, સાંભોગિક, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, કેવળજ્ઞાન એ ૧૫ ની આશાતના ન ક૨વી. (૧૫) એ ૧૫ ની ભક્તિ-બહુમાન કરવા. (૩૦) એ ૧૫ નાં ગુણોની સ્તુતિ કરવી. (આમ કુલ ૪૫ થયા).
૩) ચારિત્ર વિનય -- તેના પાંચ ભેદ છે. ૧. સામાયિક ચારિત્ર, ૨. છેદોપસ્થાપનીય ચારિત્ર, ૩. પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ૪. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, અને ૫. યથાખ્યાત ચારિત્ર એ પાંચ ચારિત્ર અને તે પાંચ ચારિત્રવાનનો વિનય કરવો.
તેના બે ભેદ અ. પ્રશસ્ત મન વિનય,
૪) મન વિનય બ. અપ્રશસ્ત મન વિનય.
1
અ. પ્રશસ્ત મન વિનય તેના ૧૨ ભેદ છે. અસાવધ, નિષ્ક્રિય, અકર્કશ, મધુર, કોમળ, કરુણામય, અનાશ્રવી, અછેદકા૨ી, અભેદકારી, અપરિતાપકારી, દયાળુ, જીવો પ્રત્યે શાતાકા૨ી (અહિંસક ભાવ) મન પ્રવર્તન કરવું.
બ. અપ્રશસ્ત મન વિનય. ઉપ૨ોક્ત ૧૨ બોલથી વિરૂદ્ધ સાવદ્ય, કર્કશ, કટુ, કઠોર વિ. આચરણ કરવું તે અપ્રશસ્ત મન વિનય છે. આમ કુલ ૨૪ ભેદ મન વિનયના થયા.
૫) વચન વિનય – તેના બે ભેદ અ. પ્રશસ્ત વચન વિનય, બ. અપ્રશસ્ત વચન વિનય. મન વિનયની જેમ ૨૪ ભેદ વચન વિનયના
સમજવા.
૬) કાય વિનય – તેના બે ભેદ. અ. પ્રશસ્ત કાંય વિનય, બ. અપ્રશસ્ત કાય વિનય.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670