Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
ધર્મધ્યાન
B૯૫) પરમ સુખ પામે. આ ધર્મધ્યાનનો ત્રીજો ભેદ કહ્યો.
ચોથો ભેદ : સંઠાણવિજએ સંઠાણ વિજએ કહેતાં ત્રણ લોકના આકારનો વિચાર ચિંતવવો. ત્રણ લોકના આકારનું સ્વરૂપ સુપઈડીક સાવલાના આકારે છે. લોક જીવ – અજીવથી સંપૂર્ણ ભર્યો છે. મધ્યભાગે અસંખ્યાતા યોજન પ્રમાણે તિલોક છે. તેમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે. અસંખ્યાતા વાણવ્યંતરના નગરો છે. અસંખ્યાતા જયોતિષીનાં વિમાનો છે. અસંખ્યાતી દેવતાની રાજધાનીઓ છે. તેને મધ્યભાગે અઢીદ્વિીપ છે. તેમાં જઘન્ય તીર્થકર ૨૦ અને ઉત્કૃષ્ટ હોય તો ૧૬૦ અથવા ૧૭૦, જઘન્ય બે ક્રોડ કેવલી અને ઉત્કૃષ્ટ હોય તો નવ ક્રોડ કેવલી, જઘન્ય બે હજાર ક્રોડ સાધુ સાધ્વીજી અને ઉત્કૃષ્ટ હોય તો નવ હજાર ક્રોડ સાધુ સાધ્વીજી હોય તેમને વંદામિ, નમસામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલ્લાણ, મંગલ, દેવયં, ચેઈયું, પવાસામિ. તેમ જ તિચ્છલોકમાં અસંખ્યાતા શ્રાવક શ્રાવિકાઓ છે તેમના ગુણગ્રામ કરવા.
તિજીંલોકથી અસંખ્યાત ગુણો અધિક (મોટો) ઉર્ધ્વલોક છે. તેમાં ૧૨ દેવલોક, ૯ રૈવેયક, અને ૫ અનુત્તર વિમાન છે. તે સર્વ મળીને કુલ ચોરાશી લાખ, સત્તાણું હજાર, ત્રેવશ (૮૪,૯૭,૦૨૩) વિમાનો છે. તે ઉપર સિદ્ધશિલા છે. તેની ઉપર (લોકા) સિદ્ધક્ષેત્ર છે. ત્યાં સિદ્ધ ભગવંતજી બિરાજી રહ્યાં છે તેમને વંદામિ, નમંસામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલ્લાણે, મંગલ, દેવય, ચેઈય, પપુવાસામિ.
તે ઉર્ધ્વલોકથી કાંઈક વિશેષ અધિક (મોટો) અપોલોક છે. તેમાં સાત નરકના ચોરાશી લાખ નારકાવાસા છે. સાત કરોડ બહોંતેર લાખ ભવનપતિના ભવનો છે.
એવા ત્રણે લોકના સર્વ સ્થાનો (પાંચ અનુત્તર વિમાનના દેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org