Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
-
-
-
-
-
-
-
-
કપાકિસી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (૮) ગુણ ગ્રાહી હોય અને સ્વ આત્મશ્લાઘા ન કરે. (પોતે પોતાના 1 ગુણ બીજા તરફથી માન પામવા માટે ન કહે.) (૯) પ્રતિજ્ઞાનો પાલક હોય એટલે જે નિયમો કર્યા હોય તેને બરાબર
પાળે. (૧૦) દયાવાન હોય એટલે પરોપકારની બુદ્ધિ હોય. (૧૧) સત્ય ધર્મનો અર્થી હોય ને સત્યનો જ પક્ષ કરનાર હોય. (૧૨) જીતેન્દ્રિય હોય ને કષાયની મંદતા હોય. (૧૩) આત્મકલ્યાણની દ્રઢ ઇચ્છાવાળો હોય. (૧૪) તત્ત્વ વિચારમાં નિપુણ હોય ને તત્ત્વમાં જ રમણતા કરે. (૧૫) જેની પાસે ધર્મ પામ્યો હોય તેનો ઉપકાર કોઈ વખત ભૂલે નહિ અને વખત આવે પાછો ઉપકારી ઉપર સામો ઉપકાર કરનાર હોય.
ઇતિ ધર્મથી સન્મુખ થવાના ૧૫ કારણ.
૪૮. માર્ગાનુસારીના
૩૫ ગુણ (૧) ન્યાય સંપન્ન દ્રવ્ય મેળવે. (૨) સાત કુવ્યસનનો ત્યાગી. (૩) અભક્ષ્યનો ત્યાગી. (૪) ગુણપરીક્ષાથી લગ્ન સંબંધ જોડે. (૫) પાપભીરૂ. (૬) દેશહિતકર વર્તનવાળો. (૭) પરનિંદાનો ત્યાગી. (૮) અતિપ્રગટ, અતિગુપ્ત કે ઘણા ધારવાળા મકાનમાં ન. રહે. (૯) સદ્ગુણીની સોબત કરે. (૧૦) બુદ્ધિમાન. (૧૧) કદાચવી ન હોય (સરળ હોય). (૧૨) સેવાભાવી (પોષ્ય વર્ગનો પોષક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org