Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી પાંચ જ્ઞાન
રિ૩૫] અનેક પ્રકારની લિપિમાં અનેક પ્રકારના અક્ષરના ઘાટ છે તેનું જે જ્ઞાન તે સંજ્ઞા અક્ષર શ્રુતજ્ઞાન.
૨. વ્યંજન અક્ષર શ્રુત તે હ્રસ્વ, દીર્ઘ, કાનો, માત્રા, અનુસ્વાર પ્રમુખની યોજનાએ કરી બોલવું તે વ્યંજન અક્ષર શ્રત.
૩. લબ્ધિ અક્ષર શ્રુત - ઇઢિયાર્થના જાણ પણાની લબ્ધિથી અક્ષરનું જ્ઞાન થાય છે. તેના છ ભેદ.
૧. શ્રોત્રેન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રત તે કાને ભેરી પ્રમુખનો શબ્દ સાંભળી કહે, જે એ ભેરી પ્રમુખનો શબ્દ છે, તો ભેરી પ્રમુખ અક્ષરનું જ્ઞાન શ્રોત્રેન્દ્રિય લબ્ધિથી થયું તે માટે શ્રોત્રેન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રુત કહીએ.
૨. ચક્ષુઈન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રત તે આંખ આંબા પ્રમુખનું રૂપ દેખીને કહે છે આ આંબા પ્રમુખનું રૂપ છે, તો આંબા પ્રમુખ અક્ષરનું જ્ઞાન ચક્ષુ ઇન્દ્રિય લબ્ધિથી થયું, તે માટે ચક્ષુઈન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રુત કહીએ
૩. ઘાણેન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રત તે નાસિકાએ કેતકી પ્રમુખની ગંધ લઈને જાણે કે એ કેતકી પ્રમુખની ગંધ છે, તે ઘાણેન્દ્રિય લબ્ધિથી કેતકી પ્રમુખ અક્ષરનું જ્ઞાન થયું, માટે ઘાણેન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રત કહીએ.
૪. રસેન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રુત તે જીલ્લાએ કરી સાકર પ્રમુખનો સ્વાદ જાણીને એ સાકર પ્રમુખનો સ્વાદ છે, એ અક્ષરનું જ્ઞાન રસેન્દ્રિય લબ્ધિથી થયું, માટે રસેન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રુત કહીએ.
૫. સ્પર્શનિય લબ્ધિ અક્ષર શ્રુત તે શીત, ઉષ્ણ આદિ સ્પર્શ થવાથી જાણે જે એ શીત કે ઉષ્ણ છે, માટે તે અક્ષરનું જ્ઞાન સ્પર્શેન્દ્રિય લબ્ધિથી થયું, માટે સ્પર્શેન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રત કહીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org