Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રોતા અધિકાર દૃષ્ટાંત જાણવું.
જેમ કાળી ભૂમિને વિષે મેઘ વરસે તો તે ઘણી ભીંજે તથા પાણી પણ ૨ાખે તથા ગોમાદિક (ઘઉં પ્રમુખ) ની ઘણી નિષ્પત્તિ ક૨ે તેમ વિનીત સુશિષ્ય પણ ગુરૂની ઉપદેશરૂપ વાણી સાંભળી હૃદયમાં ધારી રાખે, વૈરાગ્યે ક૨ી ભીંજાય અને અનેક બીજા ભવ્ય જીવને વિનય ધર્મ વિષે પ્રવર્તાવે માટે તે શ્રોતા આદ૨વા યોગ્ય છે.
૩૦૧
૨. કુંડગ : કુંભનું દૃષ્ટાંત. તે કુંભના આઠ ભેદ છે. તેમાં ૧. પ્રથમ ઘડો સંપૂર્ણ ઘડાના ગુણે ક૨ી વ્યાપ્ત છે તેના ત્રણ ગુણ. ૧. તે મધ્યે પાણી ભર્યા થકા કિંચિત્ બહા૨ જાય નહિ, ૨. પોતે શીતળ છે માટે બીજાની પણ તૃષા ઉપશમાવે – શીતલ કરે, ૩. ૫૨ની મલિનતા પણ પાણીથી દૂર કરે. તેમ એકેક શ્રોતા વિનયાદિ ગુણે ક૨ી સંપૂર્ણ ભર્યા છે તે ત્રણ ગુણ કરે. ૧ ગુર્વાદિકનો ઉપદેશ સર્વ ધારી રાખે – કિંચિત વિસ૨ે નહિ. ૨. પોતે જ્ઞાન પામી શીતલ દશા પામ્યા છે અને ભવ્ય જીવને ત્રિવિધ તાપ શમાવી શીતળ કરે. ૩ ભવ્ય જીવની સંદેહરૂપી મલિનતા ટાળે. એ શ્રોતા આદરવા યોગ્ય છે.
૨. એક ઘડો પડખે કાણો છે તેમાં પાણી ભરે તો અડધું પાણી રહે ને અડધું પાણી વહી જાય. તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સાંભળે તો અડધું ધારી રાખે – અડધું વિસરી જાય.
૩. એક ઘડો હેઠે કાણો છે તેમાં પાણી ભરે તો સર્વ પાણી વહી જાય પણ રહે નહિ તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સાંભળે તો સર્વ વિસારે પણ ધારે નહિ.
૪. એક ઘડો નવો છે તેમાં પાણી ભરે તો થોડે થોડે ઝમીને ખાલી થાય, તેમ એકેક શ્રોતા જ્ઞાનાદિ અભ્યાસ કરે પણ થોડે થોડે જ્ઞાન વિસારે.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org