Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૨૫૪
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૧ સેનાપતિ રત્ન, ૨ ગાથાપતિ રત્ન, ૩ વાર્ષિક રત્ન, ૪ પુરોહિત રત્ન, એ ચાર ચક્રવર્તીના નગરમાં ઉત્પન્ન થાય.
૧ સ્ત્રી રત્ન વિધાધરની શ્રેણીમાં ઉત્પન્ન થાય.
૧ ગજ રત્ન, ૨ અશ્વ રત્ન, એ બે વૈતાય પર્વતના મૂળમાં ઉત્પન્ન થાય.
ચૌદ રત્નની અવગાહનાનું પ્રમાણ : ૧ ચક્ર રત્ન, ૨ છત્ર રત્ન, ૩ દંડ રત્ન, એ ત્રણ રત્ન એક ધનુષ્ય પ્રમાણે હોય. ચર્મ રત્ન બે હાથનું હોય. ખગ રત્ન પચાસ આંગુલ લાંબું, સોળ આંગુલ પહોળું, અર્ધ આંગુલ જાડું હોય ને ચાર આંગુલની મુષ્ટિ હોય. મણિ રત્ન ચાર આંગુળ લાંબુ, બે આંગુલ પહોળું ને તેને ત્રણ ખૂણા હોય. કાકણ્ય રત્ન છે એ બાજુથી ચાર આંગુલ લાંબું, ચાર આંગુલ પહોળું, ચાર આંગુલ ઊંચું, તેને છ તલ (તળીયા), આઠ ખૂણા, બાર હસ્યો, સોનીની એરણને આકારે ' હોય. આઠ સોનૈયા જેટલું ભારે હોય છે.
સાત પંચેન્દ્રિય રત્નનું પ્રમાણ ૧ સેનાપતિ, ૨ ગાથાપતિ, ૩ વાર્ષિક,૪પુરોહિત એ ચાર રત્ન ચક્રવર્તીની અવગાહના પ્રમાણે હોય. સ્ત્રી રત્ન ચક્રવર્તીથી ચાર આંગુલ નીચી હોય. ગજ રત્ન ચક્રવર્તીથી બમણો ઊંચો હોય. અશ્વ રત્ન કાનથી પૂછ લગી એકસો આઠ આંગુલ લાંબો હોય, તેને નવ્વાણું આંગુલની પરિધિ (ઘેરાવો) છે, તે જમીનથી એસી આંગુલ ઊંચો, સોળ આંગુલની જંઘા, ૨૦ આંગુલની ભુજા, ૪ આંગુલના ઢીંચણ, ચાર આંગુલની ખરી, ચાર આંગુલના કાન, બત્રીસ આંગુલનું મુખ હોય છે. '
એ ત્રેવીસ પદવીના નામ તથા ચક્રવતીના ચૌદ રત્નનું વિવેચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org