Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ તથા મણિ પ્રમુખ કોઈપણ સ્થાન પ્રતિ મૂક્યું હોય તે સ્થાન પ્રતિ ચૌતરફ દેખે પણ અન્યત્ર ન દેખે તેને અનાનુગામિક અવધિજ્ઞાન જાણવું.
(૩) વર્ધમાનક અવધિજ્ઞાન - તે પ્રશસ્ત લશ્યાના અધ્યવસાયે કરી તથા વિશુદ્ધ ચારિત્રના પરિણામે કરી, સર્વ પ્રકારે અવધિજ્ઞાનની વૃદ્ધિ થાય તેને વર્ધમાનક અવધિજ્ઞાન કહીએ. તે જઘન્યથી સૂક્ષ્મ નિગોદિઆ જીવે ત્રણ સમય ઉત્પન્ન થયામાં શરીરની જે અવગાહના બાંધી હોય તેટલું ક્ષેત્ર જાણે, ઉત્કૃષ્ટથી સર્વ અગ્નિના જીવ, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત એ ચાર જાતિના તે પણ જે સમયે ઉત્કૃષ્ટ હોય તે અગ્નિના જીવ, એકેક આકાશ પ્રદેશ અંતરરહિત મૂકતાં જેટલા અલોકમાં લોક જેવડાં અસંખ્યાતા ખંડ (ભાગ, વિકલ્પ) ભરાય તેટલું ક્ષેત્ર સર્વ દિશી વિદિશીએ દેખે. અવધિજ્ઞાન રૂપી પદાર્થ દેખે એ રહસ્ય છે. મધ્યમ અનેક ભેદે છે તે કહે છે. વૃદ્ધિ ચાર પ્રકારે થાય. ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, 3. કાળથી, ૪ ભાવથી. તે આ પ્રમાણે : * ૧. કાળથી જાણપણું વધે ત્યારે શેષ ત્રણ બોલનું જાણપણું વધે.
૨. ક્ષેત્રથી જાણપણું વધે ત્યારે કાળની ભજના તથા દ્રવ્ય, ભાવના જાણપણાની વૃદ્ધિ થાય.
૩. દ્રવ્યથી જાણપણું વધે ત્યારે કાળની તથા ક્ષેત્રની ભજના, ભાવની વૃદ્ધિ. - ૪. ભાવથી જાણપણું વધે ત્યારે શેષ ત્રણ બોલની ભજના.
તે વિસ્તારથી સમજાવે છે. સર્વ વસ્તુમાં કાળનું જાણપણું સૂક્ષ્મ છે. જેમ કોઈ ચોથા આરાનો જભ્યો, નિરોગી બલિષ્ટ શરીર ને વજઋષભનારાચ સંહનનવાળો ઓગણપચાસ પાનની બીડી લઈને તે ઉપર સારા લોહની સોઈ હોય તેણે કરીને વિંધે, એ વિંધતાં એક પાનથી બીજા પાનમાં સોઈ પહોંચતાં અસંખ્યાતા સમય થઈ જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org