Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી પાંચ જ્ઞાન
૨૩૧
બુદ્ધિ પરિણમે તથા બહુસૂત્રી, સ્થવિર, પ્રત્યેકબુદ્ધ આદિ પ્રમુખને આલોચના કરતાં બુદ્ધિમાં વૃદ્ધિ થાય, તેને પારિણામિકા બુદ્ધિ કહીએ. શ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના ચાર ભેદ :
૧. અવગ્રહ (ગ્રહણ કરવું), ૨ ઇહા (વિચારવું), ૩ અવાય (નિર્ણય ક૨વો), ૪ ધા૨ણા (જ્ઞાનને ધારણ કરવું). ૧. અવગ્રહના બે ભેદ :
(૧) વ્યંજનાવગ્રહ, અને (૨) અર્થાવગ્રહ.
(૧) વ્યંજનાવગ્રહ -- તે પુદ્ગલો ઇન્દ્રિયોને વિષે સામાં આવી પડે, ને ઇન્દ્રિયો તે પુદ્ગલોને ચહે. સરાવલાને દૃષ્ટાંતે, તેને વ્યંજનાવગ્રહ કહીએ.
ચક્ષુ ઇન્દ્રિય ને મન તે રૂપાદિ પુદ્ગલની સામાં જઈને તેમને ગ્રહે છે માટે ચક્ષુઇન્દ્રિય અને મન એ બેને વ્યંજનાવગ્રહ નથી ને શેષ ચાર ઇન્દ્રિયોને વ્યંજનાવગ્રહ છે. માટે વ્યંજનાવગ્રહના ચાર ભેદ છે. ૧. શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ - કાને કરી શબ્દના પુદ્ગલને ગ્રહે. ૨. ઘાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ – નાસિકાથી ગંધના પુદ્ગલને ગ્રહે. ૩. ૨સેન્દ્રિય વ્યંજનાવગ્રહ – જીભથી ૨સ સ્વાદના પુદ્ગલને ચહે. ૪. સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ – શરીરે કરી સ્પર્શના પુદ્ગલને ચહે. વ્યંજનાવગ્રહને સમજવાને – ૧ પડિબોહગદિશ્ચંતેણં, ૨ મલ્લગદિôતેણં, આ બે દૃષ્ટાંત આપે છે.
૧ પડિબોહગદિöતેણું – પ્રતિબોધક (જગાડવાનું) દૃષ્ટાંત. જેમ કોઈ પુરૂષ સૂતો છે તેને બીજા કોઈ પુરૂષે બોલાવ્યો, 'હે દેવદત્ત' ત્યારે તેણે સાંભળીને જાગીને 'હું' ઉત્તર આપ્યો. ત્યારે શિષ્ય સમજવાને શંકાથી પૂછે છે; 'હે સ્વામિન્ ! તે પુરૂષે હુંકારો આપ્યો તે શું તેણે એક સમયના કે બે સમયના કે ત્રણ સમયના કે ચાર સમયના
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org