Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી આરાના ભાવ 0િ૧૫૫ પછી સવા નવ મારો જન્મ થયો. માતાએ પ્રથમ ઋષભનું સ્વપ્ન દીઠું માટે ઋષભદેવ નામ પાડયું. તે ઋષભદેવ સ્વામીએ જુગલીયા ધર્મ નિવારીને (કાઢી નાખી) ૧ અસિ, ૨ મસિ, ૩ કૃષિ આદિ ૭૨ કળા પુરુષને શીખવી. સ્ત્રીઓને ૬૪ કળા શીખવી. અનુકંપા નિમિત્તે વીસ લાખ પૂર્વ સુધી કુંવરપણે રહ્યા અને ૬૩ લાખ પૂર્વ રાજ્ય પાળ્યું. પછી પોતાના પુત્ર ભરતને રાજ્ય સોંપી પોતે ૪OOO પુરુષ સાથે દીક્ષા લીધી. સંયમ લીધા પછી એક હજાર વર્ષે કેવળજ્ઞાન ઉપર્યું. એમ છબસ્થપણું તથા કેવળપણું મળીને એક લાખ પૂર્વનો સંયમ પાળીને, અષ્ટાપદ પર્વત ઉપર, પદ્માસને બેસીને દશ હજાર સાધુ સહિત, ભગવત મોક્ષ પધાર્યા. તે સ્વામીજીના પાંચ કલ્યાણીક, ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયા.( તે ૧ પહેલે કલ્યાણીકે ઉત્તરાષાઢા નક્ષત્રમાં સર્વાર્થસિદ્ધ વિમાનથી ચવીને મરૂદેવી રાણીની કૂક્ષમાં ઉપજ્યા. ર બીજે કલ્યાણીકે ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ થયો. ૩ ત્રીજે કલ્યાણીકે ઉત્તરાષાઢા નક્ષત્રમાં રાજ્યાસને બિરાજ્યા. ૪ ચોથે કલ્યાણીકે ઉત્તરાષાઢા નક્ષત્રમાં દીક્ષા લીધી. ૫ પાંચમે કલ્યાણીકે ઉત્તરાષાઢા નક્ષત્રમાં કેવળજ્ઞાન પામ્યા અને અભિજિત નક્ષત્રમાં પ્રભુજી મોક્ષ પધાર્યા. જુગલીયા ધર્મ નિવાર્યા પછી ગતિ પાંચ જાણવી.
ત્રીજા આરાના ભાવ સંપૂર્ણ
ચોથો આરો ત્રીજો આરો ઊતરીને ચોથો આરો બેસે ત્યારે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યવ અનંત અનંત હણા થાય. ચોથો આરો એક કોંડાક્રોડી સાગરોપમમાં ૪૨,૦૦૦ વર્ષ ઓછો. એ આરોં દુઃષમ 'સુષમ નામ એટલે વિષમતા ઘણી અને સુંદરતા થોડી. એ આરાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org