Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી ગુણસ્થાન દ્વાર લેશ્યામાં રહે છે. તેથી જ્યાં પ્રમાદરૂપ કષાય નથી તેને અપ્રમત્તસંજતિ ગુણસ્થાન કહેવાય છે.
આઠમા નિયદિબાકર ગુણઠાણાનાં લક્ષણ – ગૌતમ સ્વામીએ વંદના કરીને શ્રી ભગવંતને પૂછ્યું કે સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો? ત્યારે શ્રી ભગવંતે કહ્યું, ગૌતમ ! તે જીવ પરિણામધારા, અપૂર્વકરણ જે કોઈ કાળે જીવને, કોઈ દિને આવ્યું નથી, તે શ્રેણી જુગત (સાથે) જીવાદિ નવ તત્ત્વ દ્રવ્યથકી, ક્ષેત્રથકી, કાળથકી, ભાવથકી, નૌકારશી આદિ છમાસી તપ જાણે, સર્દહ, પ્રરૂપે, સ્પર્શે. તે જીવ જઘન્ય તે જ ભવે, ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય. અહીંથી શ્રેણી બે કરે. ૧. ઉપશમ શ્રેણી ને ૨. ક્ષપક શ્રેણી. ૧. ઉપશમ શ્રેણીવાળો જીવ તે મોહનીય કર્મની પ્રકૃતિના દલને ઉપશમાવતો ૧૧મા ગુણસ્થાનક સુધી જાય. પછી ત્યાંથી પડિવાઈ જ થાય. હિયમાન (ઊતરતા) પરિણામ પરિણમે અને ૨. ક્ષપક શ્રેણીવાળો જીવ મોહનીય કર્મની પ્રકૃતિના દળને ખપાવતો શુદ્ધ મૂળ માંથી નિર્જરા કરતો નવમે, દશમે ગુણઠાણે થઈને બારમે ગુણઠાણે જાય. અપડિવાઈ જ હોય. વર્ધમાન પરિણામ જ પરિણમે. "
નિયષ્ટિ બાદરનો અર્થ તે નિવર્યો છે બોદરે કષાયથી, બાદર સંપરાય (કષાય) ક્રિયાથી. આત્યંતર પરિણામમાં અધ્યવસાય સ્થિર થવાથી, શ્રેણી કરી, બાદર ચપળતાથી નિવર્તે છે માટે નિયષ્ટિ બાદર ગુણઠાણું કહીએ તથા બીજું નામઅપૂર્વકરણ ગુણઠાણું કહીએ. જે કોઈ કાળે જીવે પૂર્વે એ શ્રેણી કરી ન હતી અને આ ગુણઠાણે પહેલું જ કરણ તે પંડિતવીર્યના આવરણને ક્ષય કરવા રૂપ કરણપરિણામ
* જે ભવમાં જીવને ઉપશમ શ્રેણી હોય છે તે ભવમાં તે ક્ષપક શ્રેણી નથી કરતા. (ભગવતી સૂત્ર શ. ૯, ૧. ૩૧) કર્મગ્રંથની માન્યતા અલગ છે. -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org