Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી દશ દ્વા૨ના જીવસ્થાનક પ્રત્યાખ્યાન તથા એક જીવને હણવાનાં પ્રત્યાખ્યાન ઉત્કૃષ્ટ ૧૧ શ્રાવકોની પ્રતિમા આદરે તેને દેશવતી જીવસ્થાનક કહિએ.
૬. પ્રમત્ત સંયતિ જીવસ્થાનકનું લક્ષણ, જે સમકિત સહિત સર્વ વ્રત આદરે, પ્રમત્તનો અર્થ છે (અપ્રમત્ત જીવસ્થાનકે સંજ્વલનના ચાર કષાય છે તે થકી) પ કહેતાં વિશેષ, મત્ત કહેતા માતો, છે. સંજ્વલનનો ક્રોધ, માન, માયા, લોભ તેને પ્રમત્ત સંયતિ જીવસ્થાનક કહીએ પણ પ્રમાદી ન કહીએ.
૭. અપ્રમત્ત સંયતિ જીવસ્થાનકનું લક્ષણ, જે અ કહેતાં નથી, પ કહેતાં વિશેષ, મત્ત કહેતાં માતો, સંજ્વલનનો ક્રોધ, માન, માયા, લોભ એટલે છઠ્ઠાથી કાંઈક પાતળો છે, તેને અપ્રમત્ત સંયતિ જીવસ્થાનક કહિએ.
૮. નિવર્તિ બાદર જીવસ્થાનકનું લક્ષણ, જે નિવર્તિ કહેતાં નિવર્યો છે, સંજ્વલનના ક્રોધ અને માન થકી તેને નિવર્તિ બાદર જીવસ્થાનક કહિએ.
૯. અનિવર્તિ બાદર જીવસ્થાનકનું લક્ષણ, જે અનિવર્તિ કહેતાં, નથી નિવર્યો, સંજ્વલનના લોભ થકી તેને અનિવર્તિ બાદર જીવસ્થાનક કહિએ.
૧૦. સૂક્ષ્મ સંપ રાય જીવસ્થાનકનું લક્ષણ, જે થોડોક સંજ્વલનના લોભનો ઉદય છે, તેને સૂક્ષ્મ સંપરાય જીવસ્થાનક કહિએ.
૧૧. ઉપશાંત મોહનીય જીવસ્થાનકનું લક્ષણ, જે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ ઉપશમાવી છે તેને ઉપશાંત મોહનીય જીવ.કહિએ.
૧૨. ક્ષીણ મોહનીય જીવસ્થાનનું લક્ષણ, જે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ ક્ષય કરી છે તેને ક્ષીણ મોહનીય જીવસ્થાનક કહિએ.
૧૩. સયોગી કેવળી જીવસ્થાનકનું લક્ષણ, જે મન, વચન, કાયાના શુભ યોગ સહિત, કેવળજ્ઞાન, કેવળદર્શનપણે પ્રવર્તે તને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org