Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી દશ દ્વારના જીવસ્થાનક 0િ૧૭૩ છે તેણે કરીને ઇરિયાવહિયા ક્રિયા લાગે.
તેરમે જીવસ્થાનકે, ચાર ઘાતી કર્મ ખપાવ્યાં છે, તેણે કરીને ૨૪ સંપરાય ક્રિયા ન લાગે પણ ચાર અઘાતી કર્મના ઉદયે કરી ઇરિયાવહિયા ક્રિયા લાગે. - ચૌદમે જીવસ્થાનકે, ચાર ઘાતી કર્મ ખપાવ્યાં છે. ચારનો ઉદય તેમાં પણ વેદનીય કર્મનું બળ હતું. તે ભાંગ્યું તે ભણી ત્યાં એક પણ ક્રિયા ન લાગે.
ઇતિ ચોથો ક્રિયા દ્વાર ૫. કર્મની સત્તાનો દ્વાર : પહેલેથી માંડીને નિરંતર ૧૧ મા વસ્થાનક પયંત આઠે કર્મની સત્તા. બારમે જીવસ્થાનકે સાત કર્મની સત્તા, મોહનીય ન હોય. તેરમે ને ચૌદમે જીવસ્થાનકે ચાર અઘાતી કર્મની સત્તા તે વેદનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ અને ગોત્ર કર્મ
ઈતિ પાંચમો કર્મની સત્તાનો દ્વાર ૬. કર્મના બંધનો દ્વાર: પહેલાથી સાતમા જીવસ્થાનકે ત્રીજું જીવસ્થાનક વજીને સાત તથા આઠ કર્મ બાંધે, સાત બાંધે તો આયુષ્ય કર્મ વર્જીને સાત બાંધે. ત્રીજા આઠમ, નવમા વસ્થાનકે સાત કર્મ બાંધે આયુષ્ય કર્મ વજીને. દશમે જીવસ્થાનકે છ કર્મ બાંધે તે આયુષ્ય અને મોહનીય એ બે વર્જીને. અગિયારમે, બારમે, તેરમે જીવસ્થાનકે એક કર્મ બાંધે તે શાતા વેદનીય. ચૌદમે જીવસ્થાનકે એકપણ કર્મ ન બાંધે.
ઇતિ છઠ્ઠો કર્મના બંધનો દ્વાર ૭. કર્મની ઉદીરણાનો દ્વાર : પહેલે, બીજે, ચોથે, પાંચમ અને છેકે જીવસ્થાનકે ૬ અથવા ૭ અથવા ૮ કર્મની ઉદીરણા કરે, સાતની કરે તો આયુષ્ય વર્જીને, છ ની કરેતે આયુષ્ય, વેદનીય વર્જીને. ત્રીજા જીવસ્થાનકે આઠ અથવા સાત કર્મની ઉદીરણા, સાતની કરે તે આયુષ્ય વજીને. સાતમે, આઠમે અને નવમે જીવસ્થાનકે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org