________________
પ્રત્યેકબુદ્ધ શી જયવર્મ (દ્વિમુખ)નું ચરિત્ર, એવા સાત પુત્ર થયા છે. પછી “મને એક કન્યા થાઓ” એ મને રથ ધારણ કરતી એવી વનમાલાએ પિતે મદન નામના યક્ષની આરાધના કરી. પછી રાણી વન-. માલાએ કલ્પવૃક્ષની કલીના સુસ્વપ્ન સૂચિત એક સેભાગ્યથી મને હર એવી પુત્રીને . જન્મ આપ્યું. ત્યારપછી તેણીએ યક્ષને ઈષ્ટવસ્તુ આપીને સંતોષ પમાડી મહોત્સવ પૂર્વક પુત્રીનું મદનમંજરી નામ પાડયું. જેણએ બાલ્યાવસ્થામાં જ પૂર્ણ વિદ્યાભ્યાસ કર્યો છે એવી આ રાજપુત્રી હમણાં વનાવસ્થામાં કલાના સમૂહથી તેમજ રૂપ સં૫- . ત્તિએ કરીને સાક્ષાત્ લક્ષ્મીની પેઠે શોભે છે.” પહેરેદારના મુખથી આવી વાત સાંભળીને તથા તેણીનું રૂપ જોઈને કામાત્ત થએલે ચડપ્રદ્યોતન રાજા મનમાં વિચાર કરવા લાગ્યા. “અહો ! જ્યાં સુધી આ સ્ત્રી મલી નથી ત્યાં સુધી લમીએ પણ શું? આ શ્રેષ્ઠ રૂપવાળીની પ્રાપ્તિ થાય તો જ સારું, કારણ તેજ વિના મહાટાં નેત્ર પણ સા કામના નથી. જે અહિ આ સ્ત્રીની પ્રાપ્તિ થાય તે રાજ્યના ભ્રંશને પણ હું. શ્રેયકારી માનું છું. તેમજ તેણીને વિના સુખદાયી પણ રાજ્યની પ્રાપ્તિ ખરેખર દુઃખ રૂપ છે.” આ પ્રમાણે વિચાર કરતા એવા ચંડપ્રદ્યોતનને જાણ દ્વિમુખ ભૂપતિએ તુરત પહેરદારથી તેને પોતાની પાસે સભામાં બોલાવ્યો. ચંડપ્રદ્યોતન સભામાં આવ્યો એટલે દ્વિમુખે તેના સામાં જઈને પોતાના અર્ધસિંહાસન ઉપર બેસાર્યો. ચંડપ્રદ્યોતન પણ હાથ જોડીને કહેવા લાગ્યો. “હારા પ્રાણ તમારે વશ છે, સર્વ સંપત્તિ પણ તમારી સ્વાધિનમાં રહેલી છે તમે મહારા પ્રાણુના અને સંપત્તિના પ્રભુ છે. વધારે શું કહે. પરંતુ તમારે સ્વાધિન છે પ્રાણ અને સંપત્તિ જેની એવો હું તમારે સેવક છું. મહારે રાજ્યસંપત્તિને ખપ નથી તેમ નથી ખપ સર્વ સેનાને.” ચંડપ્રદ્યોતનનાં આવાં વચન સાંભલીને તેના ભાવને જણનારા દ્વિમુખે તે સર્વોત્કૃષ્ટ રાજાને પોતાની પુત્રી મદનમમંજરી આપી. જોશીએ આપેલાં સારા મુહૂર્તમાં અવંતિનાથની સાથે પુત્રીનાં લગ્ન કરીને તેને તુરત તેની નગરી તરફ વિદાય કર્યો. તે દિવસથી આરંભીને દ્વિમુખ રાજાને જમાઈ ચંડપ્રદ્યોતન,ઉત્તમ કીર્તિથી ઉજવલ હાલતા ચાલતા વિજયધ્વજ રૂપ થયે.
હવે કોઈ એક દિવસે દ્વિમુખ રાજાના પુરમાં નગર જનેએ મહા ઉત્સવથી અદ્ભુત એ ઇંદ્રધ્વજ બનાવીને પુરીના કલ્યાણ માટે પૂજા કરી. લોક જેમ ભક્તિથી રાજાને અને દેવતાને પૂજે તેમ દ્વિમુખ ભૂપતિએ પણ તે દેવને પૂ. મહોત્સવ પૂર્ણ થયા પછી કોઈ દિવસ પડી ગએલા અને આમતેમ અથડાવાથી ફાટી ગએલા તે ઈધ્વજને જોઈ દ્વિમુખ ભૂપાલ પિતાના મનમાં વિચાર કરવા લાગે કે “અહો ! જ
એ જેનું મણિ મુક્તાફલ અને પુષ્પમાલાદિ સુગંધિ પદાર્થો વડે ભાવથી પૂજન કર્યું હત તે ઇદ્રધ્વજ આજે વિનાશ પામ્યો. લેકમાં સ્વાર્થથી મહાટે આદર અને અસ્વાWથી અનાદર થાય છે. જેને સ્વાર્થ નથી તેને આદર પણ નથી. ભોગવવા યોગ્ય એવાં લક્ષ્મી, સ્ત્રી અને શરીરાદિ સર્વ પદાર્થો વૃથા છે માટે જ તત્વના જાણુ પુરૂષ તેને તત્વથી સ્વાર્થ માનતા નથી. ફક્ત જડ પુરૂષ નિરંતર સ્વાર્થમાં વ્યગ્ર બને છે.