Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કન્નડ સાહિત્યનો આરંભકાળ
આવ્યું હોય, પરંતુ ધીરે ધીરે ઉત્તમ સાહિત્યનો પ્રભાવ છવાઈ જવાથી દેશીભાષાની કવિતાનું અસ્તિત્વ લુપ્ત થઈ ગયું હોય. આ માત્ર કન્નડની જ વાત નથી, અન્ય કેટલીય ભાષાઓનાં આદિમ રૂપની પણ આ જ સ્થિતિ દેખાઈ રહી છે. કન્નડમાં આરંભમાં લઘુ રચનાઓ જ બની હશે અને પદ્ય-શૈલીમાં જ તેમનું નિર્માણ થયું હશે. કન્નડ ક્ષેત્રમાં ઉખાણાં, લણણી, મદ્યપાન, વિવાહ અને મૃત્યુ વગેરે વિષયો પર અનેક લોકગીતો આજે પણ ઉપલબ્ધ છે.
લોકગીતોમાં યુદ્ધનું અને કલહનું પણ વર્ણન થતું હતું. તેમાં રોચક તથા પ્રસંગોચિત લઘુકથાઓ પણ રહી છે. તેમાંથી જ આ યુગની કવિતા માટે સામગ્રી સુલભ થઈ હશે. આજે સમાજમાં પ્રચલિત લોકગીતો પ્રાચીન લોકગીતોના માર્ગ પર ચાલી નીકળ્યા હશે. સ્ત્રીઓ ધાન્ય કૂટતી વખતે આ ગીતો ગાયા કરતી હતી. હા, આ ગીતોના રચયિતા કાવ્યના લક્ષણોથી જરૂર અપરિચિત હતા. આવા લોકોને શાસ્ત્રીય પરંપરાના અનુયાયીઓ દુષ્કવિ કહેતા હતા અને તેમની ઉપેક્ષા જ કરતા હતા. અહંમન્ય કવિઓના હાસ-પરિહાસના પરિણામ સ્વરૂપ આ લોકગીતો ઉપેક્ષિત થઈ ગયા અને તેમનું અસ્તિત્વ ન રહી શક્યું. હા, તેમના અસ્તિત્વનાં પ્રમાણ ચોક્કસ રહી ગયા. કવિઓ સંસ્કૃત અને પ્રાકૃતમાં જ નહિ, દ્રવિડ દેશીભાષાઓમાં પણ કાવ્ય-નિર્માણ કર્યા કરતા હતાં. તેમના રૂપ, ભાવ અને બંધ સ્વતંત્ર રહેતા હતા.
શિક્ષિત સમાજમાં તે સમયે ધર્મ સાથે સંબંધ રાખનાર ગ્રંથ, આખ્યાન વગેરે જ પ્રચલિત હતા. પરંતુ જનતામાં, વિશેષ કરીને સ્ત્રીઓમાં, દેશી-ભાષાઓના છંદોમાં ઉપલબ્ધ રચનાઓ જ લોકપ્રિય હતી. ધીરે-ધીરે લોકભાષાઓના આ નમૂના શિષ્ટ સાહિત્યના લક્ષણ ગ્રંથોમાં પણ સ્વીકૃત થતા ગયા. લક્ષણકારો અનુસાર દેશી, માર્ગીના ભેદનો આ જ આધાર પ્રતીત થાય છે. જૈન સાહિત્યની અપેક્ષાએ જ્યારે વીરશૈવ સાહિત્યનો પ્રચાર વધવા લાગ્યો ત્યારે આ વીરશૈવ કવિઓએ આ જ દેશી છંદોનો પ્રયોગ કર્યો અને તેમને સાહિત્યિક ગૌરવ પ્રાપ્ત થયું.
નાગવર્મરચિત છંદોમ્બુધિમાં આ છંદો સંસ્કૃતના છંદો દ્વારા વર્ણવાયેલા મળે છે. બ્રહ્મ, વિષ્ણુ અને રુદ્ર આ ત્રણ અક્ષરો વડે તેમનું નિર્માણ થયું છે. આમાં પ્રાસનો નિર્વાહ તો થયો છે, પરંતુ યતિનો કોઈ નિયમ નથી રહ્યો. દ્વિપદી, ત્રિપદી, ચૌપદી, અક્કરગીતિકા (અક્ષરગીતિકા), એળે, ષટ્સદી', વગેરે આ જ કોટિના
૧.
૫
કન્નડના છંદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org