Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૨૬
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
છે.' હિંદીમાં કૈલાસ છપ્પય નામક નાની એવી રચના પણ તેમણે લખી હતી. તેમણે પોતાનું નામ અજુનસુત લખ્યું છે. યમાસા
તેમણે પણ પોતાનું નામ અર્જુનસુત રૂપે લખ્યું છે, પરંતુ ઉપર્યુક્ત સોયરાની સાથે તેમનો શું સંબંધ છે, તે સ્પષ્ટ નથી. કારંજના ભટ્ટારક શાંતિસેનના તેઓ શિષ્ય હતા. વત્સગુલ્મ (વાસિમ) નગરમાં શક ૧૬૭૩ (સન્ ૧૭૫૧)માં વિવિધ વૃત્તોના ૩૨૬ પદ્યોની આદિત્યવ્રતકથા તેમણે લખી હતી. આ કથા પર રચવામાં આવેલી કૃતિઓમાં આ સહુથી વધુ અલંકૃત અને વિસ્તૃત છે. અર્જુનસુત રચિત કાષ્ઠાસંઘના ભટ્ટારક વિજયકીર્તિની એક આરતી ઉપલબ્ધ છે, પરંતુ તે સોયરાની રચના છે કે અમાસાની, તે સ્પષ્ટ નથી. યમાસાની ત્રણ આરતીઓ પણ ઉપલબ્ધ છે. પંચપરમેષ્ઠી આરતીમાં ૬, પાર્શ્વનાથ આરતીમાં ૬ અને સુપાર્શ્વનાથ આરતીમાં ૭ પદ્યો છે. તેમાં કારંજા અને કાંચનપુરના મંદિરોનો ઉલ્લેખ છે. હિન્દીમાં આદિનાથ-આરતી, પાર્શ્વનાથ-આરતી, પદ્માવતી-આરતી તથા કેટલાક છપ્પાની રચના પણ ધમાસાએ કરી હતી. તાન્ પંડિત
તેઓ કારંજાના ભટ્ટારક શાંતિસેનના શિષ્ય હતા. આથી તેમનો સમય સન્ ૧૭૫૧થી ૧૭૬૮ની આસપાસનો છે. તેમની પાંચ નાની રચનાઓ ઉપલબ્ધ છે. કચનેરના પાર્શ્વનાથની સ્તુતિમાં ૧૧ પદ્યો છે. પદ્માવતી આરતીમાં ૫, ક્ષેત્રપાલ આરતીમાં ૭, સમવસરણ આરતીમાં ૫ તથા પાર્શ્વનાથ આરતીમાં ૫ પદ્યો છે. હિંદીમાં ગુરુસ્તુતિના કેટલાક પદ્યો પણ તેમણે લખ્યા હતા.
૧. આ અમારા હસ્તલિખિત સંગ્રહમાં છે. ૨. પ્રા. મ., પૃષ્ઠ ૮૮. ૩. પહેલી આરતી જિનદાસચવડે, વર્ધા દ્વારા સન્ ૧૯૨૬માં પ્રકાશિત આરતી સંગ્રહમાં છપાઈ છે,
બાકી બે અમારા હસ્તલિખિત સંગ્રહમાં ઉપલબ્ધ છે. ૪. પ્રા. મે., પૃષ્ઠ ૮૮. પ્રથમ બે રચનાઓ અમારા હસ્તલિખિત સંગ્રહમાં છે. અંતિમ રચના
જિનદાસ ચવડે, વર્ધા દ્વારા સન્ ૧૯૦૪માં પ્રકાશિત આરતી સંગ્રહમાં છપાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org