Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/001317/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો બૃહદ ઈતિહાસ ભાગ - – 00000 1 કન્નડ, તામિલ અને મરાઠી જૈન સાહિત્ય : પ્રકાશક : શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ પાલીતાણા-અમદાવાદ-મુંબઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ सुनायवाहनाच्वाकाडाहाकिंवाहविरमामालिनीजवनवासणसमा वाणा गयाामाकमा नमुनामनि यनिसनाव पलवneyवाशूमानस्मानाडासायाचनासानानानटनटनटीवावपाता। कामम्माननानानकादवनामवमानछामजाकारयामामाताधारमा मुझशकमवावाचासत्रुमद्वावनिमयीशक्तिमामेनिनामुक्क्रनवाया नविदनादावमहमनामनचाऊमासिवमघवनाशसलामीवकमामि জার্সিধার্মি। मदनालारुम नस्वमासिकमाझावातकानमामिसनमायक्षिामिवयपमनोज कचाबनसोसिसानाधिममनमोककरणावमशालिनी ऊलका वमिषदखिनासुरवासामनिलाइववाससेजमायसी न्यकल्याणमिडियायाननमममानविषमावाशनासरनेवा मक्षमडलायुजयाशिवाजस्वकारशारखापनाकिश्तव्यमम्म टावधानवान दाणागत यावनिकाला गावागाधान निधोनागार मावसाचटासधिया।क्षणनिजल्याडपञ्चासनिकै धनवधानामानायत साकसमासादवावपनदोगनाकोलाडावादायसिसवासावालयसपश्वमा यामाहामायानलनयनायिानकतावातावकरायाखाशादावमा निमशासारिखमावतारनच्छाकश्चितायाजापजिमानिसमापिविश्य महाजनपुरा दखानामाचा अयादवनपध्यक्षणासिवनामिकाशिकानपपनिषदिसामर्भिमायक मारवाययविस्मारवाविवमायामसमाविनाशमादिंडकायादव मामञ्चचामायातक्षमावास्यनावापिनातिगाडासायनामिन पिसाबाधेवानामसिमायाजावादाशवकनाशायामशा दाडपकायाननमायापिविज्ञानाचीवानाधिकारी यावयार विमानार्मनमि यमपनीयम गमामासघनंद विमा सिकभिवाम यानास्टदायर इयमालामणवालद्यादेवजमीनीमपिक्सविमानिया कारर्मचावलावालयबालासानायाभवामवाधादामवासननेय वेवानपिचडिमेदङालुधिडिलिसिस्नानमनपतिाका लालायवाजावपासामिधिमाधवनारडमावित बामाथिलमवार नाविवक्षवनमा सिन्नधामाध्यम सनामयेवामान निनिमायनाक गायनाननायनाधियानवमगमानविधात्याचार्यणनामसवर्मयानव विश्विद्यालयावालाइयामिरासदमावखानावविनावबलिदस्खयकमा मापिानामगन्यव्यतिवनिनावमामयामानानामावयाचमधाचनाण मानवामागनाजानवमापवायाधिजगारदिवायनोचतमसुकासि वडामानवाविषययामडीसारडोशागवकरणयन्नाधानिनवासस्वामान Page #3 -------------------------------------------------------------------------- ________________ दि अंग सिका संप्या वानर नाणिकरा पटाकर दिनाि तावका विनिवि कदेवाक लास कीमिया क्रमा ॥ मिःकलन मिि विमास्वायडियम सिनाव मालिक नानामिवाश्राकानिमानामित दिनेशा विलासिन्याशमा मा ज्यागामा निकटदाराच यापिका नकला मरा मायानगर नयानिशया ज्ञानाब किमान साधुनापुदिना क मैकल्पितमानानाम पावसाप सपनीय श्रम याममचंद वादिदमा विकिमि कालियानाच नानामिवादमा नवलानामयानान्निविष लिगनिमालयिष्य भ्यागिदिनाःधिका दीमकाय पडनिनिमाय Education International For Private & Personal Us ताय मायामका द्यावा कुल के ७ वाधू मानयमाना सम्मान र तिनकाव वीओ सिसिडमा नमामिकमा पाते कानमा भिमनि न्यकामिडियायनन मिकमंडलो उडायटिि माय मैवायमधिया। इ सा दादीनानिल मिनार ४यणामिव दामोदरमाच ये मामीमा म पिसाम्राज्ञानानइतिमान कापापि दा कर्मि बुलावाय गदि लालविरु कुमायनातनायमा निगम सामग मापिनान्यतिवनिनावमा मानवाका वंगमान ४विषययाम 20 Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ ગ્રંથશ્રેણી નં. ૨૩ જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ : ભાગ - ૭ : કન્નડ, તામિલ તથા મરાઠી જૈન સાહિત્ય પ્રેરણા સ્વ. પ. પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ સ્વ. પ. પૂ. આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રુતોપાસના પ. પૂ. આચાર્ય શ્રી વિજયસોમચંદ્રસૂરિજી મહારાજ સહયોગ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ, મુલુંડ(પૂર્વ), મુંબઈ. વિમલનાથ જૈન આરાધક સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ. પ્રકાશક શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ (શ્રી સમવસરણ મહામંદિર) પાલીતાણા-અમદાવાદ-મુંબઇ Page #6 -------------------------------------------------------------------------- ________________ - - -- સહયોગ દાતા શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ, મુલુંડ(પૂર્વ), મુંબઈ મુલુંડ(પૂર્વ)માં વિ.સં. ૨૦૪રમાં શ્રીમવિજય કીર્તિચંદ્રસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં જિનપ્રસાદ બિલ્ડીંગ, જી. વી. સ્કિમ રોડ નં. ૧ નાં ત્રીજે માળે ગૃહમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી. (મૂળનાયક શ્રી સુમતિનાથ પ્રભુ હતા.) ત્યારબાદ વિ.સં. ૨૦૫૯માં યુગદિવાકર આચાર્ય ભગવંત શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના આચાર્ય ભગવંત શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં સાંઈઓર્નેટ જૈન સોસાયટી, ઘાસલેટવાળા કમ્પાઉન્ડ, નવઘર રોડ, મુલુંડ(પૂર્વ) ખાતે મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ દેરાસરની પ્રભુ-પ્રતિમાને અત્રે બિરાજમાન કરેલ. શ્રી સંઘે આજ સ્થળે નાના એવા પણ આરાધના માટે ખૂબ જ ઉપયોગી એવા ઉપાશ્રયની સ્થાપના કરેલ. વિમલનાથ જૈન આરાધક સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ વાલકેશ્વરના એક ખૂણામાં આવેલ બાણગંગા સ્મશાનની સામે મધ્યમવર્ગના જૈનોની વિમલ સોસાયટી આવેલ છે. આ સોસાયટીના ગ્રાઉન્ડ ફલોરમાં વિમલનાથ પ્રભુનું સુંદર ગૃહમંદિર આવેલું છે. પ. પૂ. આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી ૨૨ વર્ષ પૂર્વે આ ગૃહમંદિરની સ્થાપના થયેલી. ત્યારથી આજસુધીમાં સંખ્યાબંધ પુણ્યાત્માઓ દર્શન, પૂજન, વંદન કરીને પોતાના આત્માને નિર્મળ કરી રહ્યા છે. શાસન સમ્રાટ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂર-ચંદ્રોદય-અશોકચંદ્રસૂરી મ.સા., ૫.પૂ. વિજયસોમચંદ્રસૂરીજી મ.સા.ની આજ્ઞાથી, જિનશાસન શણગાર ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય મહારાજા શ્રીમદ્ વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના અનંત ઉપકારની પુણ્યસ્મૃતિનિમિત્તે સં. ૨૦૬૧ની સાલના પર્યુષણ પર્વની આરાધના પ્રસંગે સંઘે આ પ્રકાશનમાં સહયોગ આપી લાભ લીધો છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ ૭ કન્નડ, તામિલ તથા મરાઠી જૈન સાહિત્ય લેખક ૫. કે. ભુજબલી શાસ્ત્રી શ્રી ટી. પી. મીનાક્ષી સુન્દરમ્ પિલ્લે ડૉ. વિદ્યાધર જોહરાપુરકર અનુવાદક ડૉ. રમણીક શાહ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ પાલીતાણા-અમદાવાદ-મુંબઈ Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસની ગુજરાતી આવૃત્તિના માનદ સંપાદકો ડો. નગીન શાહ ડૉ. રમણીક શાહ પ્રકાશક: શ્રી અનિલભાઈ ગાંધી, મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, ૧૧૦, મહાકાન્ત, વી.એસ.હોસ્પીટલ પાસે, અમદાવાદ-૬. પ્રકાશન વર્ષ : ગુજરાતી આવૃત્તિ : પ્રથમ સંસ્કરણ વિ. સં. ૨૦૬૩, ઈ.સ.૨૦૦૭ મૂલ્ય રૂ. ૨૫૦/ મુદ્રાંકનઃ મયંક શાહ, ઈગ્રેશન્સ ૨૧૫, ગોલ્ડ સૌક કોમ્લેક્ષ, સેફાયર બિલ્ડીંગની પાછળ, સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯. મુદ્રકઃ કે. ભીખાલાલ ભાવસાર માણિભદ્ર પ્રિન્ટર્સ ૧૨, શાયોના એસ્ટેટ, દૂધેશ્વર રોડ, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪. Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી. શખેશ્વર પાર્શ્વનાથ ભગવાન ઘનઘોર આ કલિકાલમાં, સાચા સહારા છો તમે, ' નિન-થનક ઉત્તમ-અથમ સૌને ઉગારો છો તમે, મુને ઉગારી લો, ડુબાડી દો કાણાનાં ઝરણામાં, 'હે ભીડભંજન પાર્શ્વપ્રભુ, રહેજો સદા મુજ સ્મરણમાં શાસન સમ્રાટ શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિભ્યો નમઃ શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂ8 તપાગચ્છ, ન સંથ, મુલુંડ પૂર્વ, મુંબઇ Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલનાથભગવાન શાસન સમ્રાટ શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિભ્યો નમઃ શ્રી વિમલનાથ જૈન આરાધક સંઘ, બાણગંગા, વિમલ સોસાયટી, વાલકેશ્વર, મુંબઈ Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલનાથભગવાના શસન સમ્રાટ શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિભ્યો નમઃ શ્રી વિમલનાથ જૈન આરાથક સંઘ, (બાણગંગા, વિમલ સોસાયટી, વાલકેશ્વર, મુંબઈ Page #14 -------------------------------------------------------------------------- ________________ Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ વાત્સલ્યવારિધિ પરમપૂજ્ય આચાર્યદેવ શાસનસમ્રા પરમપૂજ્ય આચાર્યદેવ ( શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ. સા. શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ. સા. પ્રાકૃતવિશારદ્ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.સા. ‘મના થકી જૈન ધર્મ અને સંઘ 'ઉત્તળ છે એવા ન નભોમંડળના = પ. પૂ. આચાર્ય તેજસ્વી તારલાઓ... પ.પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી ૧0 જેatતીર્થદશનો શિવાનન્દુay Page #16 -------------------------------------------------------------------------- ________________ Page #17 -------------------------------------------------------------------------- ________________ शुभाशिष जैन साहित्यमा सागमोस ग्रंथ मोडिन को यहा वहाँ विजयला कंवा भगवा सांलजपा प्रवेछ. याक्या सगलग 3८ वर्ष पहला टेसाई साक्षर विधानोयेते भोजित डॉन नौध रूप था मायामां गूंथा साझ समझ छ कुन साहित्यका जुल्छ इतिहासा नाम था १ थाउ मां हिंही लाया मां प्रकाशित यहत. गुरुराती पायी पास पाग या जधा भागद्वारी पहाँये तथा शुला राया थी श्री १०८ जैन तीर्थ दर्शन लवन ट्रस्टै हिंही अनि लागोनुं शुभराती श्री श्री नगीन लाध शतह तथा प्रा०रमाडिग कुलाई शाह पनि दरांची "जैन साहित्यनो जुल्छ इतिहास" mag थार प्रकाशित ईश्पा नर्णय य याम तमना यया प्रयासन अंतरथा सापारीय छायाँ सब है यथा शुभाशिष खायला भाग पाय छात्र के तरा या प्रयास ने शुक्राती साक्षरो, विज्ञां सुखी, पायो आजकाथा पधायशः कम साहित्यना खनड विष या की बात द्वारी मजपी अक्षरनी उपासना द्वारा अवश्य मनभर भेजी तधी शुल ( Mizzr सी-खशॉकपी चि-स 2050 महा-शु-१३ जुईपार गोपासाया मुंबंध Page #18 -------------------------------------------------------------------------- ________________ મુખપૃષ્ઠ પરના ચિત્રનો પરિચય મુખપૃષ્ઠ પરના ચિત્રમાં “ઉપાધ્યાયજી” તરીકે પ્રસિદ્ધ વિક્રમની ૧૮મી શતાબ્દીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા શ્રીમદ્દ યશોવિજયજીના જીવનના પ્રસંગોનું આલેખન છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં ૧૦૦ થી વધુ પુસ્તકોના રચનારા, “લઘુહરિભદ્ર”, “દ્વિતીય હેમચંદ્ર”, “કુર્યાલ સરસ્વતી જેવા બિરુદોથી શોભતા પરમ પ્રભાવક મહાન દાર્શનિકનવ્યન્યાયવિશારદ ઉપાધ્યાય યશોવિજયજી ગુજરાતના પનોતા પુત્ર હતા. પ૫ વર્ષના દીર્થ સંયમ જીવન પછી વિ. સં. ૧૭૪૩માં ડભોઈમાં અંતિમ ચાર્તુમાસ દરમ્યાન તેઓ સમાધિ મરણ પામેલા. પ્રસ્તુત ચિત્રમાં ૧. બાલવયે મળેલી અદ્ભુત સ્મૃતિ અને અધ્યયન ૨. સરસ્વતીનું વરદાન ૩. બનારસમાં બ્રાહ્મણ પંડિતો સાથે અધ્યયન અને ૪. મુસ્લીમ સુબા પાસે ૧૮ અવધાનનો પ્રયોગ કરતા ઉપાધ્યાયજીનું આલેખન થયેલ છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ વિવિધ ભાષાઓમાં જૈન લેખકોનું પ્રદાન ભારતીય વાત્મયને પૂર્વના પ્રાજ્ઞ જૈનાચાર્યોએ સમયે સમયે પોતાની પ્રતિભાના વૈભવથી સમૃદ્ધ બનાવવા અપૂર્વ યોગદાન આપેલ છે. જેમ જેમ જૈન ધર્મ ભારતના વિવિધ પ્રદેશોમાં પ્રસરતો ગયો તેમ તેમ તે તે પ્રદેશની ભાષાઓમાં જૈન સાહિત્યની રચના થવા લાગી. પ્રાકૃત અને સંસ્કૃતની સાથે સાથે અનેક પ્રાદેશિક ભારતીય ભાષાઓમાં આ રીતે જૈન ગ્રંથો રચાવા લાગ્યા. દક્ષિણ ભારતમાં મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક, તામિલનાડુ, કેરાલા વગેરે પ્રદેશોમાં પણ જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર થતાં તે તે પ્રદેશોની ભાષાઓમાં પણ અનેક ગ્રંથો રચાયા. જૈન સાહિત્યના બૃહદુ ઈતિહાસ ભાગ - ૧ થી ૬ દ્વારા આપણે આગમ ઇત્યાદિ સાહિત્યનો પરિચય કર્યો. આ ભાગ-૭માં દક્ષિણ ભારતીય ભાષાઓમાં રચાયેલા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. તેમાં ક્રમે ત્રણ વિભાગોમાં કન્નડ - (કર્ણાટકની ભાષા), તામિલ (તામિલનાડુની ભાષા) અને મરાઠી (મહારાષ્ટ્ર-વિદર્ભની ભાષા)ના જૈન સાહિત્યનો પરિચય છે. (૧) કન્નડ જૈન સાહિત્યમાં આરંભકાળ, કવિ પંપ આદિનો યુગ, ચંપૂ યુગ અને પપદીયુગના કવિઓ અને તેમની કૃતિઓનો પરિચય આપવામાં આવ્યો છે. (૨) તામિલભાષી પ્રદેશમાં જૈન ધર્મના ઈતિહાસની વિગતો આપી તામિલ જૈન સાહિત્ય-જેમાં શિલપ્પધિકારમ્, જીવકચિંતામણિ, ચૂડામણિ, શ્રીપુરાણ” જેવા મહાકાવ્યોનો સમાવેશ થાય છે –નો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. (૩) મહારાષ્ટ્ર પ્રદેશમાં જૈન ધર્મના ઉદ્ભવ-વિકાસનું સંક્ષિપ્ત અવલોકન કરી મરાઠી ભાષામાં લખાયેલ જૈન સાહિત્યનો પરિચય આપવામાં આવ્યો છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય મોટા મહારાજશ્રી (પ.પૂ.આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.) તથા પરમ પૂજય ગુરુદેવશ્રી (પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.) ની પાવન પ્રેરણાથી જૈન સાહિત્યના ઈતિહાસના સાત ભાગ ઉપરાંત પ્રમાણમીમાંસા અને જૈન ધર્મ-દર્શન મળી નવ ગ્રંથોનું ગુજરાતી ભાષાંતર કરવાનું નક્કી થયેલું તે પ્રમાણે શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પ્રેરણા કરી–મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીએ પ્રો. શ્રી રમણીકભાઈ શાહ તથા પ્રો. શ્રી નગીનભાઈ શાહ પાસે ગુજરાતી કરાવ્યું. જુદાજુદા શ્રી સંઘોએ પૂજયશ્રીની વાતને સ્વીકારી સંપૂર્ણ સહયોગ આપ્યો. તેની ફળશ્રુતિરૂપે આ નવે પુસ્તકો ગુજરાતીમાં પ્રકાશિત થઈ ગયા. બંને પૂજયશ્રીઓની હયાતી દરમ્યાન ભાગ ૧, ૨, ૪, ૬ તથા પ્રમાણમીમાંસા અને જૈન ધર્મ-દર્શન પ્રકાશિત થઈ ચૂક્યા હતા. આ દરમ્યાન બંને પૂ. ગુરુભગવંતો કાળધર્મ પામ્યા. બંને ગુરુભગવંતો આજ આપણી સામે સદેહે બિરાજમાન નથી પરંતુ તેમની પ્રેમાળ પ્રેરણા ભરી સ્મૃતિ આપણી પાસે છે અને તેના સહારે તેમણે સોંપેલું કાર્ય પૂર્ણ કરીને તેમને હૃદયપૂર્વકની અંજલિ આપું છું. એ જ વિ.સં. ૨૦૬૩, જેઠ સુ.૧૫, પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી ભાવનગર. મ. ના ગુરુબંધુ પૂ.ગુરુદેવ(પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)ના ચરણકિંકર સોમચંદ્ર વિ. Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય (ગુજરાતી આવૃત્તિ) શાસન સમ્રાશ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ આચાર્ય ભગવંતશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી સ્થપાયેલી પ્રસિદ્ધ જૈન સંસ્થા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ દ્વારા જૈન ધર્મ, સંસ્કૃતિ અને સાહિત્યના સંરક્ષણ અને સંવર્ધનની અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સંસ્થાએ આ પહેલાં ગ્લોરી ઓફ જૈનીઝમ, ૧૦૮ તીર્થદર્શનાવલિ, એસેન્સ ઓફ જૈનીઝમ જેવા વિવિધ મહત્ત્વપૂર્ણ ગ્રંથોનું પ્રકાશન કરેલ છે. સંસ્થાએ સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી જેવી મહત્ત્વની ભાષાઓમાં અનેક પ્રકારના જૈન સાહિત્યના જે ગ્રંથો પ્રકાશિત કરેલ છે તેની સૂચિ આ ગ્રંથના અંતે આપેલ છે. તે જોતાં જ સંસ્થાની પ્રકાશન પ્રવૃત્તિનું મહત્ત્વ જણાઈ આવશે. ભગવાન મહાવીરની ૨૬મી જન્મ-શતાબ્દી પ્રસંગે પૂજ્ય આચાર્ય ભગવંતોએ જૈન ધર્મના વિશ્વકોશ જેવા કોઈ અત્યંત મહત્ત્વપૂર્ણ સાહિત્યના પ્રકાશનની અભિલાષા વ્યક્ત કરી. તે સમયે જૈન વિશ્વકોશના પ્રકાશન અંગે ભારતમાં અને ભારત બહાર કેટલીક યોજનાઓ બની, અમે તેમાં સહકાર આપવા નિર્ણય કર્યો. પરંતુ વાત આગળ વધી નહીં. જૈન વિશ્વકોશની આવી જ એક મિટીંગ વખતે જાણીતા જૈન વિદ્વાન ડૉ. નગીનભાઈ શાહે સૂચન કર્યુ કે જૈન વિશ્વકોશ હાલ કરી શકાય કે નહીં પરંતુ એક મોટું કાર્ય– જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસનું–કરવા જેવું છે. શ્રી પાર્શ્વનાથ જૈન શોધ સંસ્થાન, વારાણસી દ્વારા ઇ.સ. ૧૯૬૬ થી ૧૯૮૧ દરમ્યાન હિન્દી ભાષામાં ૭ભાગમાં લખાયેલ “જૈન સાહિત્ય કાબૃહદ્ ઇતિહાસ” ના ગુજરાતી અનુવાદનું પ્રકાશન કરવાની તેમણે સૂચના કરી. મિટીંગમાં હાજર રહેલા શ્રી પાર્શ્વનાથ જૈન શોધ સંસ્થાનના પૂર્વનિયામક ડૉ. સાગરમલજી જૈને તરત જ આ કાર્ય કરવાની અનુમતિ આપી. પૂજય આચાર્ય ભગવંતો સાથે આ અંગે વાત કરતાં તેઓએ અત્યંત પ્રસન્નતાપૂર્વક આ કાર્યતત્કાળ હાથ ધરવા સૂચના કરી. સંસ્થાએ અનુવાદની યોજના બનાવી, ગુજરાતી Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૦) આવૃત્તિના સંપાદન-અનુવાદનનું કાર્ય દર્શનશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન અનેલા.દ.ભારતીય વિદ્યામંદિરના પૂર્વનિયામક ડૉ. નગીનભાઈ શાહ તથા પ્રાકૃત ભાષા-સાહિત્યના જાણીતા વિદ્વાન અને ગુજરાત યુનિવર્સિટીના પ્રાકૃત-પાલિ વિભાગના પૂર્વ-અધ્યક્ષ ડૉ. ૨મણીકભાઈ શાહને સોંપ્યુ. આ રીતે પૂજ્ય આચાર્ય ભગવંતોના આશીર્વાદથી જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસના ૭ ભાગોના અનુવાદનું કાર્ય ચાલુ થયું. ભાગ ૧, ૨, ૩, ૪, ૫અને ૬ના ગુજરાતી અનુવાદ-ગ્રંથો ઉપરાંત પ્રમાણમીમાંસા તથા જૈન ધર્મ-દર્શન પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. આ સાથે ભાગ-૭ “કન્નડ, તામિલ, મરાઠી સાહિત્ય’” પ્રકાશિત થઈ રહ્યો છે. પ્રસ્તુત ભાગ-૭ના અનુવાદ માટે અમે ડૉ. રમણીકભાઈ શાહનો આભાર માનીએ છીએ. આ બધા ભાગોનો અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત કરવાની અમારી ભાવના છે. અમને અત્યંત ખેદ છે કે આ પ્રકાશન કાર્ય પૂર્ણ થાય તે દરમ્યાન પ.પૂ. આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.કાળધર્મ પામ્યા. બંને આચાર્ય ભગવંતો આજ આપણી સામે સદેહે બિરાજમાન નથી પરંતુ તેમની પ્રેમાળ પ્રેરણા ભરી સ્મૃતિ આપણી પાસે છે અને તેના સહારે પ.પૂ. આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વર મ.સા.ની રાહબરી તળે તેમણે સોંપેલુ કાર્ય આપણે પૂરું કર્યું છે. બંને સ્વ. આચાર્ય ભગવંતોના અનંત ઉપકારનું સ્મરણ કરી આ નવ ગ્રંથો રૂપી ગ્રંથમાળા તેમને સમર્પણ કરતાં અમે ઊંડો આહ્લાદ અનુભવીએ છીએ. શ્રી પાર્શ્વનાથ શોધ સંસ્થાન, વારાણસી તથા તેના પૂર્વનિયામક ડૉ. સાગરમલજી જૈનનો અનુવાદનું પ્રકાશન કરવાની પરવાનગી આપવા માટે આભાર માનીએ છીએ. ભાગ-૭ના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપવા બદલ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ,મુલુંડ(પૂર્વ) મુંબઈ તથા વિમલનાથ જૈન આરાધક સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈનો આભાર માનીએ છીએ. ઉત્તમ છાપકામ માટે લેસર ઇમ્પ્રેશન્સવાળા શ્રી મયંક શાહ તથા માણિભદ્ર પ્રિન્ટર્સવાળા શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કીંગ ઇમેજ પ્રા. લી.ના ડાયરેક્ટર શ્રી જીવણભાઈ વડોદરિયાનો આભાર માનીએ છીએ. તા. ૧-૬-૨૦૦૭ અમદાવાદ —અનિલભાઈ ગાંધી, મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ Page #23 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય (ગુજરાતી આવૃત્તિ) ભગવાન મહાવી૨ની ૨૬મી જન્મ શતાબ્દીના ઉપલક્ષમાં શાસન સમ્રાટ્ શ્રીનેમિવિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર ૫.પૂ આચાર્ય ભગવંત શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્ય શ્રીવિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી સ્થપાયેલી પ્રસિદ્ધ જૈન સંસ્થા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ દ્વારા જૈન સાહિત્ય વિષયક કોઈ વિશિષ્ટ પ્રકાશન કાર્ય હાથ ધરવાની ઇચ્છા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીએ વ્યક્ત કરી ત્યારે અમે તેમને શ્રી પાર્શ્વનાથ જૈન શોધ સંસ્થાન, વારાણસી દ્વારા ઇ.સ. ૧૯૬૬ થી ૧૯૮૧ દરમ્યાન હિન્દી ભાષામાં ૭ ભાગમાં લખાયેલ “જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ’” ના ગુજરાતી અનુવાદનું પ્રકાશન કરવાની સૂચના કરી. તેમણે પૂજ્ય આચાર્યશ્રી સાથે મંત્રણા કરી અનુવાદની યોજના બનાવી, ગુજરાતી આવૃત્તિના સંપાદન-અનુવાદનનું કાર્ય અમને સોંપ્યુ. પાર્શ્વનાથ વિદ્યાશ્રમ ગ્રંથમાલા (ક્રમાંક ૬, ૭, ૧૧, ૧૨, ૧૪, ૨૦, ૨૪)માં સાત ભાગમાં પ્રકાશિત થયેલ “જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ”ના માનદ્ સંપાદકો પં. દલસુખભાઈ માલવાણિયા અને ડૉ. મોહન લાલ મેહતા હતા. તેની બીજી આવૃત્તિ ઇ. સ. ૧૯૮૯થી ૧૯૯૮ દરમ્યાન પ્રકાશિત થઈ હતી. તેના સંપાદક ડૉ. સાગરમલ જૈન હતા. ઉપરોક્ત ૭ ભાગોનો સંક્ષિપ્ત પરીચય અમે પ્રથમ ભાગમાં આપ્યો છે. ભાગ-૧,૨, ૩, ૪, ૫ અને ૬નો ગુજરાતી અનુવાદ પ્રકાશિત થઈ ચૂક્યો છે. આ ઉપરાંત આ જ શ્રેણીમાં પ્રમાણમીમાંસા તથા જૈન ધર્મ-દર્શન પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે. પ્રસ્તુત ભાગ ૭ ‘કન્નડ, તામિલ તથા મરાઠી સાહિત્ય’”નો અનુવાદ ડૉ. રમણીક શાહે કરેલ છે. આ ભાગના મૂળ લેખક પં. કે. ભુજબલી શાસ્ત્રી, શ્રી ટી.પી.મીનાક્ષી સુન્દરમ્ પિલ્લે તથા ડૉ. વિદ્યાધર જોહરાપુરકર હતા. આ મહાનુભાવોનું ઋણ સ્વીકારી તેમના પ્રત્યે સાદર કૃતજ્ઞતા જ્ઞાપિત કરીએ છીએ. આધુનિક ભારતીય સાહિત્યમાં સન્માનપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રસ્તુત Page #24 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથરાજનો ગુજરાતી અનુવાદ ગુજરાતના વિશાળ જૈન અને જૈનેતર સમાજને જૈન સાહિત્યનો સર્વાંગપૂર્ણ પરિચય આપવા સમર્થ છે. (૧૨) આવા મહત્ત્વપૂર્ણ અને બૃહત્કાય ગ્રંથનું પ્રકાશન હાથ ધરવા માટે પ્રેરક આચાર્ય ભગવંત શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. તથા ૫.પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.નો જૈન સમાજ સદાકાળ ઋણી રહેશે. બંને આચાર્ય ભગવંતો કાળધર્મ પામતાં ટૂંકા સમય માટે પ્રકાશન કાર્ય વિલંબમાં પડ્યુ હતુ પરંતુ ૫.પૂ. આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પાવક પ્રેરણા અને નિશ્રામાં બાકી રહેલ ગ્રંથોનું પ્રકાશન કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું. પ.પૂ.આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજીના અમે આ બદલ ઋણી છીએ. શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીગણનો અને પ્રકાશન કાર્ય અંગેની સઘળી વ્યવસ્થા કાળજીપૂર્વક ગોઠવી આપનાર મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અનિલભાઈ ગાંધીનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમદાવાદ તા. ૧-૬-૨૦૦૭ નગીન શાહ રમણીક શાહ (ગુજરાતી આવૃત્તિના માનદ સંપાદકો) Page #25 -------------------------------------------------------------------------- ________________ વિષય-સૂચી (અ) કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ અધ્યાય ૧ કન્નડ સાહિત્યનો આરંભકાળ શ્રીવર્ધદેવ ૮, દુર્વિનીત ૮, શ્રી વિજય ૮, નૃપતંગ ૯; અસગ ૧૦, ગુણનન્દિ ૧૦, ગુણવર્મ ૧૦, શિવકોટ્યાચાર્ય ૧૧ અધ્યાય ૨ પં૫ યુગ આદિકવિ પંપ ૧૪, પોન્ન ૧૯, પોન્ન ૧૯, રત્ન ૨૦, ચાઉન્ડરાય ૨૭, શ્રીધરાચાર્ય ૨૯, દિવાકરનન્દી ૩૦, શાંતિનાથ ૩૧, નાગચન્દ્ર ૩૨, કંતિ ૩૯, નયસેન ૪૧, રાજાદિત્ય ૪૬, કીર્તિવર્મ ૪૭, બ્રહ્મશિવ ૪૮, કર્ણપાર્ય ૫૦, સોમનાથ ૫૬, વૃત્તવિલાસ ૫૭, નાગવર્મ ૬૦ અધ્યાય ૩ ચંપૂ યુગ નેમિચન્દ્ર ૬૨, બોપ્પણ પંડિત ૬૫, અગ્ગલ ૬૬, બંધુવર્મ ૬૮, પાર્શ્વ પંડિત ૬૯, જન્ન ૭૦, ગુણવર્મ દ્વિતીય ૭૪, કમલભવ ૭૬, મહાબલ ૭૭, આંડય ૭૮, મલ્લિકાર્જુન ૭૯, કેશીરાજ ૭૯, નાગરાજ ૮૦, બાહુબલ અને મધુર ૮૧, મંગરાજ અથવા મંગરસ ૮૧ અધ્યાય ૪ ષટ્યદિ અને સાંગત્ય યુગ ભાસ્કર ૮૨, કલ્યાણકીર્તિ ૮૨, વિજયણ ૮૫, શિશુમાયણ ૮૫, મંગરસ ૮૭, અભિનવવાદિ વિદ્યાનન્દ ૮૮, સાલ્વ ૮૮, દોડ્ડય ૮૯, બાહુબલિ ૮૯, ગુણચન્દ્ર ૮૯, ભટ્ટાકલંક ૯૦, ધરણિ પંડિત ૯૧, દેવચન્દ્ર ૯૧ ઐતિહાસિક ગ્રંથોની સૂચી તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ (બ) અધ્યાય ૧ જૈન ધર્મ અને તામિલ દેશ જૈન નામોનાં તામિલ રૂપ ૯૯, જૈન ધર્મની પરંપરા ૯૯, ૧-૯૬ ૧-૧૨ ૧૩-૬૨ ૬૩-૮૧ ૮૨-૯૧ ૯૨૯૬ ૯૭-૧૯૮ ૯૯-૧૨૯ Page #26 -------------------------------------------------------------------------- ________________ (૧૪) દક્ષિણમાં જૈન ધર્મનો પ્રવેશ ૧૦૦, આદિકાળ ૧૦૧, કલબ્ર ૧૦૨, વજનન્દીનો સંઘ ૧૦૩, તમિલ ભાષી જૈનાચાર્ય ચોલોની પહેલાં ૧૦૪, ચોલોના કાળમાં ૧૦૫ તોલકાપ્પિયમ્ ૧૦૮, પચ્છત્તિ ૧૧૩, તામિલ વ્યાકરણનો વિકાસ ૧૨૫, તોલકાપ્પિયમ્ અને જૈન પ્રભાવ ૧૧૬, સંઘકાલીન ગ્રન્થ ૧૧૯, સંઘ ગ્રંથો પર જૈન પ્રભાવ ૧૨૦, સંઘકાલનો નિર્ણય ૧૨૧, તિરુÉરળ ૧૨૩, તિરુવલ્લુવર અને જૈન ધર્મ ૧૨૬, તિરુક્રનો ઉપદેશ ૧૨૭ અધ્યાય ૨ ધર્મગ્રન્થ ૧૩૦-૧૪૪ પદિનેણકીળુ કણકુ (અઢાર ધર્મગ્રન્થ) ૧૩૦, જૈન ધર્મના વિશિષ્ટ ગ્રંથ અર્કલ ચેપ્યું અને અરરિસારમ્ ૧૩૨, પતિનેણુકીળ કણના લક્ષણ, નલડિનાનુર અને પળમૉળિ નાનઃ ૧૩૫, ચિરુપંચમૂલમ્ અને એલાદિ ૧૩૮, પતિનેસ્ક્રીન કણકુની અન્ય વિશેષતાઓ ૧૪૦, ધાર્મિક અને નૈતિક લઘુકથાઓ ૧૪૨ અધ્યાય ૩ કાપ્પિયમ (મહાકાવ્ય) – ૧ ૧૪૫-૧૬ ૨ શિલપ્પધિકારના રચયિતા ૧૪૫, તેની કાવ્યકથા ૧૪૫, શિલપ્પધિકારમૂનું નામકરણ ૧૪૮, કવિનો સામ્પ્રદાયિકપક્ષ ૧૪૯, રચનાકાળ ૧૫૧, મણિમેખલે ૧૫૫, નીલકેશી ૧૫૭, વૌયાપતિ ૧૫૯, પેરું કર્થે ૧૬૦ અધ્યાય ૪ કાપ્પિયમ્ (મહાકાવ્ય) – ૨ ૧૬૩-૧૮૫ જીવક ચિંતામણિ ૧૬૩, તેની કાવ્યકથા ૧૬૩, વિશેષતાઓ ૧૬૫, રચનાકાળ ૧૬૬, ચૂળામણિ ૧૯૯, વિશેષતાઓ ૧૭૧, કથાવસ્તુ ૧૭૧, લઘુકાવ્ય-યશોધર કાવ્ય ૧૭૪, શાન્તિપુરાણમ્ અને નારદચરિતૈ ૧૭૬, મેરુમન્દર પુરાણમ્ ૧૭૬, જૈન સાધ્વી કવયિત્રીઓ ૧૭૭, કુવસ્તી ૧૭૭, અવ્વ ૧૭૮, અન્ય ૧૭૮, પ્રબન્ધકાવ્ય-કલિગg પરણિ ૧૭૯, ભક્તિ ગીતોની ધારા ૧૮૧, અન્ય જૈન ગ્રન્થ ૧૮૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ (૧૫) અધ્યાય ૫ ગદ્ય ગ્રંથ, ઇલક્કણમુનિઘંટુ વગેરે ૧૮૬-૨૦૦ ગદ્ય ગ્રંથ: શ્રીપુરાણમ્ ૧૮૬, નિઘંટુ ગ્રંથ : દિવાકરમ્ ૧૮૮, પિંડલન્દ ૧૮૯, ચૂડામણિ નિઘંટુ ૧૮૯, ઇલક્કણમ્ ૧૮૯, પાટ્ટિયલ ૧૯૦, યાપ્પરુંગલમ્ (અલંકારગ્રંથ) ૧૯૨, ઇનપૂરણર્ ૧૯૩, નેમિનાથર્ ૧૯૪, અડિયાવર્ક નલ્લાર ૧૯૪, નમૂલુ ૧૯૫, નમ્બિ અહપ્પોળ ૧૯૫, નશ્ચિનાયિરૂ ૧૯૬, અન્ય (અપ્રાપ્ય) જૈન ગ્રન્થ ૧૯૭, ઉપસંહાર ૧૯૭, આપણું દાયિત્વ ૧૯૮ (સ) મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ ૨૦૧-૨૪૮ અધ્યાય ૧ પ્રાસ્તાવિક ૨૦૧-૨૦૬ મહારાષ્ટ્રપ્રદેશ અને જૈન ધર્મ ૨૦૧, મરાઠી ભાષાનો ઉદ્દભવ ૨૦૧, મરાઠી જૈન સાહિત્યનું અધ્યયન ૨૦૩, મરાઠી જૈન સાહિત્યનું વર્ગીકરણ ૨૦૪, પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય ૨૦૪, આધુનિક મરાઠી જૈન સાહિત્ય ૨૦૫ ૨૦૭-૨૩૪ અધ્યાય ૨ પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્યકાર તથા તેમની રચનાઓ ગુણદાસ ૨૦૭, ગુણકીર્તિ ૨૦૮, જિનદાસ ૨૦૯, મેઘરાજ ૨૧૦, કામરાજ ૨૧૦, સૂરિજન ૨૧૧, નાગો આયા ૨૧૧, ગુણનદિ ૨૧૧, અભયકીર્તિ ૨૧૨, વીરદાસ (પાસકીર્તિ) ૨૧૨, દામાપંડિત ૨૧૩, ભાનુકીર્તિ ૨૧૪, દયાસાગર (દયાભૂષણ) ૨૧૪, ચિમનાપંડિત ૨૧૪, પુણ્યસાગર ૨૧૬, વિશાલકીર્તિ (પ્રથમ) ૨૧૬, પંતસાબાજી ૨૧૬, વિશાલકીર્તિ (દ્વિતીય) ૨૧૭, પદ્મકીર્તિ ૨૧૭, રાય ૨૧૭, રત્નાસા ૨૧૭, ગંગાદાસ ૨૧૮, હેમકીર્તિ ૨૧૮, મકરંદ ૨૧૯, મહીચન્દ્ર ૨૧૯, મહાકીર્તિ ૨૨૦, ચિંતામણિ ૨૨૦, રામકીર્તિ ૨૨૧, દેવેન્દ્રકીર્તિ ૨૨૧, પુસાગર (દ્વિતીય) ૨૨૧, Page #28 -------------------------------------------------------------------------- ________________ (૧૬) છત્રસેન ૨૨૧, સટવા ૨૨૨, નીબા ૨૨૨, યાદવસુત ૨૨૨, માણિકનંદિ ૨૨૩, જિનસાગર૨૨૩, લક્ષ્મીચન્દ્ર ૨૨૫, સયા ૨૨૫, સોયરા ૨૨૫, ધમાસા ૨૨૬, તા– પંડિત ૨૨૬, ન્યાહાલ ૨૨૭, રતન ૨૨૭, દિનાસા ૨૨૭, વૃષભ ૨૨૭, દેવેન્દ્રકીર્તિશિષ્ય ૨૨૭, અનંતકીર્તિ ૨૨૮, જનાર્દન ૨૨૮, ભીમચન્દ્ર ૨૨૮, રાઘવ ૨૨૮, કવીન્દ્રસેવક ૨૨૯, બોપ ૨૩૦, મહતિસાગર ૨૩૦, દયાસાગર (દ્વિતીય) ૨૩૧, રત્નકીર્તિ ૨૩૧, ચન્દ્રકીર્તિ ૨૩૨, નાગેન્દ્રકીર્તિ ૨૩૨, દિલસુખ ૨૩૨, માણિક ૨૩૩, જિનસેન ૨૩૩, લક્ષ્મીસેનશિષ્ય ૨૩૩, ઠકાપ્પા ૨૩૩, તુકુજી ૨૩૪, રાયા ૨૩૪, કેટલાક અજ્ઞાતકર્તક ગ્રંથ ૨૩૪, અધ્યાય ૩ વર્તમાનકાલીન મરાઠી જૈન સાહિત્યકારો તથા તેમની રચનાઓ ૨૩૫-૨૪૮ સેઠહિરાચંદ દોશી ૨૩૫, ચવડે બંધુ ૨૩૬, કુષ્માજી નારાયણ જોશી ૨૩૬, નાના રામચન્દ્રનાગ ૨૩૬, કલ્લાખા ભરમાપ્પા નિદવે ૨૩૭, તાત્યા નેમિનાથ પાંગળ ૨૩૭, જીવરાજ ગૌતમચન્દ્ર દોશી ૨૩૭, દત્તાત્રય ભિમાજી રણદિવે ૨૩૮, રાવજી નેમચન્દ શહા ૨૩૯, તાત્યા કેશવ ચોપડે ૨૩૯, રાવજી સખારામ દોશી ૨૩૯, જિનદાસ પાર્શ્વનાથ ફડકુલે ૨૪૦, કંકુબાઈ ૨૪૧, આચાર્ય શ્રી આનંદઋષિ જી ૨૪૧, મોતીચંદ હિરાચંદ ગાંધી ૨૪૧, આબગોંડા ભુજગૌંડા પાટીલ ૨૪૨, અપ્પાભાઈ મગદૂમ ૨૪૨, શાંતિનાથ યશવંત નાન્ડે ૨૪ર, સુમેર જૈન ૨૪૨, સુભાષ અક્કોળે ૨૪૩, અન્ય મહત્ત્વપૂર્ણ રચનાઓ ૨૪૩, પત્રિકાઓ ૨૪૭, ઉપસંહાર ૨૪૮ Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ કન્નડ સાહિત્યનો આરંભકાળ કન્નડમાં સાહિત્ય-નિર્માણનું કાર્ય ક્યારથી શરૂ થયું તે કહેવું મુશ્કેલ છે. કન્નડના શિલાલેખો ઈ.સ.ની છઠ્ઠી સદીથી જ મળે છે. આની પહેલાંના શિલાલેખો સંસ્કૃતપ્રાકૃતમાં ઉપલબ્ધ થયા છે. આ શિલાલેખો ગદ્યમાં છે અને આકારમાં નાના છે. એક-બે શિલાલેખ પદ્યમાં મળ્યા છે. ઈ.સ.ની ૯મી સદી અર્થાત પંડયુગના ઉત્તરકાળના કન્નડના શિલાલેખ ગદ્ય-પદ્યની કાવ્યશૈલીઓમાં ઉપલબ્ધ થયા છે જે આકારમાં પણ મોટા છે. રાષ્ટ્રકૂટનરેશ નૃપતુંગ ઈ.સ. ૮૧૭થી ૮૭૭ સુધી શાસન કરતા રહ્યા. તેમનો કવિરાજમાર્ગ જ કન્નડનો પ્રાચીનતમ ઉપલબ્ધ ગ્રંથ છે. આ ગ્રંથથી જાણ થાય છે કે કન્નડ ભાષામાં મધુરતા, કુંતલ દેશના કોપણ તથા પુલિગેરેની બોલીના સંપર્કથી આવી છે. તે સમયે કન્નડમાં બેડે, ચરાણ નામના કાવ્ય-ભેદ જ હતા અને કન્નડમાં ગદ્ય-પદ્યની શૈલીઓના રચનાકાર પણ હાજર હતા. કવિરાજમાર્ગમાં કેટલાક કવિઓનાં નામ મળે છે અને ઉદાહરણ રૂપે કેટલાંક ઉદ્ધરણો પણ. આનાથી જણાય છે કે ઈ.સ.ની ૯મી સદીની પહેલાં પણ કન્નડમાં ગ્રંથો અવશ્ય રચવામાં આવ્યા હતા. પંપ, પોસ, રત્ર વગેરે જૈન મહાકવિઓ ૧૦મી સદીમાં થયા છે. પરંતુ તેમની કૃતિઓની પૂર્વવર્તી રચનાઓ પર કોઈ પ્રકાશ નથી પડતો. તેઓ કોઈ પૂર્વવર્તી રચનાકારનો ઉલ્લેખ પણ નથી કરતા. માત્ર પોન્ન અસગ નામના કવિનો ઉલ્લેખ કરે છે. પંપે ખૂબ ગર્વથી ચોક્કસ કહ્યું છે કે મારી રચનાઓની તુલનામાં પૂર્વવર્તી કાવ્ય નીરસ છે. તેણે આત્મવિશ્વાસ સાથે તે પણ ઘોષિત કર્યું છે કે પહેલાંનો કોઈ કવિ મહાભારતનું ઉચિત વર્ણન કરવા સમર્થ થયો નથી. પંપ-પ્રણીત વિક્રમાર્જુનવિજયમાં મહાભારતનાં સમસ્ત ઉપાખ્યાનો વર્ણિત છે, જ્યારે રન્ન-રચિત ગદાયુદ્ધ એક ઉપાખ્યાન પર જ આધારિત કાવ્ય છે. આથી એમ અનુમાન કરી શકાય છે કે પંપ પૂર્વ-યુગના કન્નડમાં મહાભારતની કથા પર આધારિત કોઈ ઉલ્લેખનીય કાવ્ય નહોતું. પરંતુ નૂપતુંગના ઉદ્ધરણોથી એવો નિષ્કર્ષ નીકળે છે કે આરંભિક યુગમાં કોઈ રામ-કાવ્ય ચોક્કસ રહ્યું હશે. કન્નડમાં ઈસુની છઠ્ઠી શતાબ્દી પહેલાં ન કોઈ શિલાલેખ હતો, ન કોઈ રચના Page #30 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ હતી કે ન કોઈ અન્ય પ્રકારના લેખો પણ હતા. એમ કહેવું ય મુશ્કેલ જ છે કે નૃપતંગની રચનાઓમાં જે કવિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આનાથી પૂર્વકાળના હતા અને તે કાળમાં પોતાની કાવ્ય-રચના કર્યા કરતા હતા. તેમની રચનાઓ ઘણુંખરું પરિમાણ અથવા ગુણની દૃષ્ટિએ ઊંચા સ્તરની નહીં હોય. દંડીના અલંકારગ્રંથના આધારે નૃપતુંગે કવિરાજમાર્ગ લખ્યો હતો. તેમાં સંદેહ નથી કે પંપની રચનાઓ પરવર્તી કવિઓ માટે આદર્શ કૃતિઓ સિદ્ધ થઈ. આથી કન્નડના આદિકવિ હોવાનું સમ્માન પંપને મળેલ છે. ભાષાના વિકાસની દૃષ્ટિએ પણ આ જ સ્થિતિ છે. કહેવામાં આવે છે કે દ્રવિડ પરિવારથી તેલુગુ પહેલાં જ અલગ થઈ ગઈ. તમિલ, કન્નડ અને મલયાલમ આ ત્રણે ભાષાઓ કેટલાક સમય સુધી સાથે હતી. પછીથી તે પણ સ્વતંત્ર થઈ ગઈ અને પોતાની અલગ સત્તા બનાવવા લાગી. લગભગ ઈ.સ.ની પાંચમીછઠ્ઠી સદીમાં કન્નડ ભાષા સ્વતંત્ર થઈ હશે અને કન્નડ પ્રદેશના રાજાઓ તેને પ્રોત્સાહન આપવા લાગ્યા હશે. પરંતુ વિદ્વાનોનો મત છે કે ઈસુની પહેલાં જ વનવાસિમાં કન્નડનું કોઈ રૂપ અવશ્ય પ્રચલિત રહ્યું હશે. કહેવામાં આવે છે કે બીજી સદીના એક યૂનાની નાટકમાં કન્નડ વાક્યો ઉપલબ્ધ થાય છે. પરંતુ નૃપતંગ દ્વારા આપવામાં આવેલ ઉદ્ધરણોથી પણ સ્પષ્ટ છે કે તે યુગમાં કન્નડ ભાષા અણઘડ જ હતી. તેમાં સંદેહ નથી કે કન્નડ સાહિત્ય પ્રારંભથી જ સંસ્કૃત સાહિત્યમાંથી પ્રેરણા ગ્રહણ કરતું આવ્યું છે. કન્નડ પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ ભાષા તથા સાહિત્ય બંને દૃષ્ટિએ નિર્વિવાદ છે. હવે એ ધારણા પણ પુષ્ટ થતી જઈ રહી છે કે લગભગ છઠ્ઠી સદી પહેલાં કન્નડમાં ગ્રંથ-નિર્માણ નહિ થયું હોય. પતંગના શાસનકાળ સુધી આવતાં-આવતાં સંસ્કૃત-સાહિત્ય હાસોન્મુખી થઈ ગયું હતું. હા, તે સમયે મહાભારત, ભાગવત, હરિવંશ, રામાયણ અને વિભિન્ન પુરાણો વગેરે ગ્રંથો સુવિખ્યાત હતા. શિક્ષિત સમાજમાં કાલિદાસ, ભારવિ, માઘ, ભવભૂતિ, ભટ્ટનારાયણ, ભર્તુહરિ, બાણ અને સુબંધુ જેવા કવિઓ તથા ભરત, દંડી, વામન વગેરે આલંકારિકો સુપરિચિત થઈ ગયા હતા. તે યુગમાં સંસ્કૃતની પ્રેરણા અને પ્રોત્સાહનથી કન્નડ ભાષારૂપી બાલિકા ભાવભંગિમાઓ સાથે નાચવા લાગી હતી. પતંગ અને પંપની દેખરેખમાં તે બાલિકા ઉત્તરોત્તર વધી. તેમની રચનાઓમાં સંસ્કૃતની ભરમાર જ આનું પુષ્ટ પ્રમાણ છે. નપતંગ ગદ્ય શૈલી માટે ભાણ-વિરચિત હર્ષચરિત, કાદંબરી વગેરેને આદર્શ બતાવે છે. એ જ રીતે પદ્ય-શૈલી માટે તે નારાયણ, ભારવિ, કાલિદાસ Page #31 -------------------------------------------------------------------------- ________________ કન્નડ સાહિત્યનો આરંભકાળ અને માઘ વગેરે સંસ્કૃત કવિઓનાં નામોનો ગૌરવ સાથે ઉલ્લેખ કરે છે. સંસ્કૃત કવિઓનો ઉલ્લેખ પંપની રચનાઓમાં નથી મળતો. પરંતુ શ્રીહર્ષ, કાલિદાસ, ભારવિ, બાણ, ભટ્ટનારાયણ વગેરે સંસ્કૃત કવિઓના ભાવ તથા શિલ્પ પંપની કૃતિઓમાં દષ્ટિગોચર થાય છે. રચના-તંત્રમાં કાલિદાસથી પોતાને સો ગણો વધારીવધારીને કહેવામાં પોન્ન સંકોચ નથી કરતો. હા, રન્ને ખૂબ નમ્રતાથી રામાયણ, મહાભારતના કવિઓ અને પદ્ય-શૈલીમાં કાલિદાસ, ગદ્યવિધાનમાં બાણ વગેરે પ્રત્યે અભિનંદન સાથે આદર પણ વ્યક્ત કર્યો છે. આમાંથી એ જ નિષ્કર્ષ નીકળે છે કે આરંભિક કન્નડ કવિઓ સંસ્કૃતના વિખ્યાત રચનાકારોનું અવશ્ય અનુકરણ કરતા આવ્યા છે. ભાવ, રીતિ અને વસ્તુ ઉપરાંત કન્નડ કવિઓએ સંસ્કૃતના છંદ પણ અપનાવ્યા હતા. રામાયણ, મહાભારત, રઘુવંશ અને ઈતર નાટકો વગેરે સંસ્કૃતની શ્રેષ્ઠ રચનાઓમાં અનુરુપુ, ઈન્દ્રવજા, વંશસ્થ, માલિની અને આય ખૂબ લોકપ્રિય છંદ હતા. નૃપતુંગ, નાગવર્મ અને કેશિરાજે જે ઉદ્ધરણો આપ્યાં છે, તેના આધારે પૂર્વોક્ત નિષ્કર્ષ કાઢી શકાય છે. વર્ણવત્તોમાં અનેક પ્રયોગ કર્યા પછી તેમને કન્નડની પ્રકૃતિને અનુકૂળ ન જોતાં કવિઓએ તેમનો પરિત્યાગ કરી, કંદ,"ચંપક માલા,ષટ્રપદિ વગેરેનો પ્રયોગ શરૂ કર્યો હશે. કાળાંતરે જ્યારે સંસ્કૃતમાં ચંપૂશૈલી લોકપ્રિય થઈ તો કન્નડના જૈન કવિઓએ પણ તે કાવ્યપ્રકાર ખૂબ અપનાવ્યો. સંસ્કૃતની કાવ્યપરંપરાથી અનુપ્રાણિત થઈને કન્નડ કાળે સુનિશ્ચિત રૂપ ધારણ કરતાં પહેલાં કન્નડ પ્રદેશમાં સંસ્કૃત ભાષા દ્વારા પ્રચારિત સભ્યતા તથા સંસ્કૃતિનો પ્રભાવ ઓછો નહોતો. આ પ્રભાવ ઈસુ પહેલાંની ત્રીજી સદીથી જ જોવામાં આવે છે. ચિત્રદુર્ગની આસપાસ ઉપલબ્ધ અશોકકાલીન પ્રાકૃત અભિલેખો જ આનું સુદઢ પ્રમાણ છે. આરંભમાં સંસ્કૃત તથા પ્રાકૃત રાજ્યાશ્રિત ભાષાઓ હતી. ધીરે-ધીરે આ ગૌરવ દેશી-ભાષાઓને પ્રાપ્ત થયું. કન્નડને પણ કાવ્યોપયોગી માનવામાં આવી. અશોકના આ અભિલેખ બ્રાહ્મી-લિપિમાં છે. આ જ બ્રાહ્મીમાંથી કન્નડ લિપિનો વિકાસ થયો હશે. કન્નડમાં પ્રાકૃતની પદાવલિઓ યથેષ્ટ છે. વૈયાકરણોના કથનાનુસાર આ પદો સંસ્કૃતમાંથી અપભ્રંશની અવસ્થા પ્રાપ્ત કરતાં પહેલાંના છે. આ પદોનો વિકાસ ધર્મ, દર્શન, સભ્યતા અને ઈતિહાસ વગેરે સાથે સંબદ્ધ હતો. ૧. કન્નડનો પોતાનો છંદ. Page #32 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ કન્નડ પ્રદેશમાં બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ધર્મ મુખ્ય હતા. હા, શરૂઆતમાં બ્રાહ્મણોએ ધર્મ-પ્રચાર કરવા માટે દેશી ભાષાનો વ્યવહાર ન કર્યો. તેમનું કાર્ય સંસ્કૃતમાં જ ચાલતું રહ્યું. બૌદ્ધોએ દેશી ભાષાનો વ્યવહાર કર્યો હશે. પરંતુ તે યુગમાં પ્રાકૃતનો જ સર્વાધિક પ્રચાર હતો. કન્નડમાં બૌદ્ધોએ કંઈ લખ્યું હતું કે નહિ, તેનું કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી થતું. જો તેમણે કન્નડમાં કંઈ લખ્યું પણ હોય તો ૮મી-૯મી સદી સુધીમાં બૌદ્ધ ધર્મ દક્ષિણમાં લુપ્તપ્રાય થઈ જવાને કારણે, તેમના વિહારો સાથે આ રચનાઓ પણ કાલકવલિત થઈ હશે. આજે ઉપલબ્ધ સામગ્રીના આધારે આપણે એટલું નિસંદેહ કહી શકીએ કે જૈન ધર્મ-સંબંધી સાહિત્ય કન્નડમાં પ્રચુર પ્રમાણમાં ઉપલબ્ધ છે. આરંભમાં આ ગ્રંથોનું રૂપ વીરશૈવધર્મકાલીન વચનશૈલીમાં રહ્યું હશે જેમાં સિદ્ધાંત નિરૂપણ તથા દર્શન સંબંધી વ્યાખ્યાને મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું હતું. તે સમયે તીર્થકરોની કથાઓ અને પુરાણ પુરુષોનાં જીવનચરિત્રો ચરિતકાવ્યની શૈલીમાં રચવામાં આવ્યા હશે. કન્નડ જૈન કવિઓએ રામાયણ, મહાભારત અને હરિવંશનું વર્ણન જૈન સંપ્રદાય અનુસાર જ કર્યું છે. વિદ્વાનોનો મત છે કે પ્રથમથી આઠમી સદી સુધી જૈનાચાર્યોએ શાસ્ત્રાર્થમાં અન્ય ધર્માવલંબીઓને પરાજિત કરી રાજાઓ દ્વારા વિશેષ રૂપથી સમ્માન પ્રાપ્ત કર્યું હતું. સમંતભદ્ર, કવિ પરમેષ્ટિ, પૂજ્યપાદ, અકલંક વગેરે અનેક આચાર્યો એવા છે કે જેમનું ગુણગાન જૈન કવિઓએ મુક્તકંઠે કર્યું છે. દુઃખની વાત છે કે તેમની કોઈ રચના આજ સુધી કન્નડમાં જોવામાં નથી આવતી. સંક્ષેપમાં એટલું જ કહી શકાય કે ઈસુની છઠ્ઠી-સાતમી સદી સુધી કન્નડ પ્રદેશમાં સંસ્કૃતનો જ પ્રચાર હતો અને સંસ્કૃતમાં જ ધર્મના ઉપદેશનું કાર્ય થતું રહ્યું. ઈતિહાસ, પુરાણ, કથાવૃત્તમાં જ ઉપલબ્ધ હતા. આરંભમાં સંસ્કૃત અને પ્રાકૃતની પદાવલીઓથી દેશી-ભાષાને ચેતના-સંપન્ન બનાવવામાં આવી હતી. આ તૈયારી પૂરી થતાં જ કન્નડમાં કાવ્ય-નિર્માણનો આરંભ થયો. હવે તે પ્રશ્ન ઊઠી શકે કે સંસ્કૃત સાહિત્યના પ્રચારની પહેલાં દક્ષિણ ભારતમાં અર્થાતુ દક્ષિણના નિવાસીઓમાં શું કવિ-પ્રતિભા જ નહોતી? તે પ્રાચીનતમ કાળમાં ભલે ભાષા એક જ રહી હોય અથવા ચાર-પાંચ, પરંતુ જનતામાં સભ્યતાનો પ્રચાર ચોક્કસ થયો હતો. આના માટે ઈતિહાસકારો વિપુલ પ્રમાણો ઉપસ્થિત કરે છે. આ યુગમાં કન્નડ માત્ર લોકબોલી નહીં રહી હોય પરંતુ તેમાં કાવ્ય-રચના પણ થતી રહી હશે. હોઈ શકે કે તેનું મૌખિક સ્વરૂપ જ રહ્યું હોય, લેખિત રૂપે કંઈ પણ પ્રાપ્ત ન થતું હોય. શક્ય છે કે તે સ્મૃતિ-પરંપરામાં સુરક્ષિત પણ રહેતું Page #33 -------------------------------------------------------------------------- ________________ કન્નડ સાહિત્યનો આરંભકાળ આવ્યું હોય, પરંતુ ધીરે ધીરે ઉત્તમ સાહિત્યનો પ્રભાવ છવાઈ જવાથી દેશીભાષાની કવિતાનું અસ્તિત્વ લુપ્ત થઈ ગયું હોય. આ માત્ર કન્નડની જ વાત નથી, અન્ય કેટલીય ભાષાઓનાં આદિમ રૂપની પણ આ જ સ્થિતિ દેખાઈ રહી છે. કન્નડમાં આરંભમાં લઘુ રચનાઓ જ બની હશે અને પદ્ય-શૈલીમાં જ તેમનું નિર્માણ થયું હશે. કન્નડ ક્ષેત્રમાં ઉખાણાં, લણણી, મદ્યપાન, વિવાહ અને મૃત્યુ વગેરે વિષયો પર અનેક લોકગીતો આજે પણ ઉપલબ્ધ છે. લોકગીતોમાં યુદ્ધનું અને કલહનું પણ વર્ણન થતું હતું. તેમાં રોચક તથા પ્રસંગોચિત લઘુકથાઓ પણ રહી છે. તેમાંથી જ આ યુગની કવિતા માટે સામગ્રી સુલભ થઈ હશે. આજે સમાજમાં પ્રચલિત લોકગીતો પ્રાચીન લોકગીતોના માર્ગ પર ચાલી નીકળ્યા હશે. સ્ત્રીઓ ધાન્ય કૂટતી વખતે આ ગીતો ગાયા કરતી હતી. હા, આ ગીતોના રચયિતા કાવ્યના લક્ષણોથી જરૂર અપરિચિત હતા. આવા લોકોને શાસ્ત્રીય પરંપરાના અનુયાયીઓ દુષ્કવિ કહેતા હતા અને તેમની ઉપેક્ષા જ કરતા હતા. અહંમન્ય કવિઓના હાસ-પરિહાસના પરિણામ સ્વરૂપ આ લોકગીતો ઉપેક્ષિત થઈ ગયા અને તેમનું અસ્તિત્વ ન રહી શક્યું. હા, તેમના અસ્તિત્વનાં પ્રમાણ ચોક્કસ રહી ગયા. કવિઓ સંસ્કૃત અને પ્રાકૃતમાં જ નહિ, દ્રવિડ દેશીભાષાઓમાં પણ કાવ્ય-નિર્માણ કર્યા કરતા હતાં. તેમના રૂપ, ભાવ અને બંધ સ્વતંત્ર રહેતા હતા. શિક્ષિત સમાજમાં તે સમયે ધર્મ સાથે સંબંધ રાખનાર ગ્રંથ, આખ્યાન વગેરે જ પ્રચલિત હતા. પરંતુ જનતામાં, વિશેષ કરીને સ્ત્રીઓમાં, દેશી-ભાષાઓના છંદોમાં ઉપલબ્ધ રચનાઓ જ લોકપ્રિય હતી. ધીરે-ધીરે લોકભાષાઓના આ નમૂના શિષ્ટ સાહિત્યના લક્ષણ ગ્રંથોમાં પણ સ્વીકૃત થતા ગયા. લક્ષણકારો અનુસાર દેશી, માર્ગીના ભેદનો આ જ આધાર પ્રતીત થાય છે. જૈન સાહિત્યની અપેક્ષાએ જ્યારે વીરશૈવ સાહિત્યનો પ્રચાર વધવા લાગ્યો ત્યારે આ વીરશૈવ કવિઓએ આ જ દેશી છંદોનો પ્રયોગ કર્યો અને તેમને સાહિત્યિક ગૌરવ પ્રાપ્ત થયું. નાગવર્મરચિત છંદોમ્બુધિમાં આ છંદો સંસ્કૃતના છંદો દ્વારા વર્ણવાયેલા મળે છે. બ્રહ્મ, વિષ્ણુ અને રુદ્ર આ ત્રણ અક્ષરો વડે તેમનું નિર્માણ થયું છે. આમાં પ્રાસનો નિર્વાહ તો થયો છે, પરંતુ યતિનો કોઈ નિયમ નથી રહ્યો. દ્વિપદી, ત્રિપદી, ચૌપદી, અક્કરગીતિકા (અક્ષરગીતિકા), એળે, ષટ્સદી', વગેરે આ જ કોટિના ૧. ૫ કન્નડના છંદ. Page #34 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ છંદ છે. તાલ તથા લય અનુસાર તે ગાઈ શકાય છે. તેમના પ્રભાવથી પ્રાકૃતના છંદો દ્વારા પ્રાપ્ત કંદ, રગળે કન્નડની પ્રકૃતિને અનુકૂળ લાગ્યા. આ માત્રાગણવાળા અને ગેય છે. આથી સંસ્કૃત અને પ્રાકૃત પાસેથી વારસામાં મળેલ પદ્યવૃત્તો પર પણ તેમનો પર્યાપ્ત પ્રભાવ પડ્યો છે. પ્રાસનો નિર્વાહ તથા યતિભંગ તેમનાં સાધારણ લક્ષણ થઈ ગયા હતા. કેટલાય શિલાલેખ આ છંદમાં મળ્યા છે. લગભગ ૭૦૦ ઈ.સ.માં રચિત બાદામીના શિલાલેખ ત્રિપદીમાં છે. साधुगे साधु माधुर्यगे माधुर्य बाधिप्प कलिगे कलियुग विपरीतं माधवनीतन् पेरनल्ल ॥ (સાધુ માટે સાધુ, મધુર માટે મધુર, સતાવનાર કલિ માટે કલિયુગનો પરમ વિરોધી આ માધવ અસાધારણ છે.). कट्टिद सिंधमन् केट्टोदे, नेमगेन्दु बिट्टबोल् कलिगे विपरीतंगहितर्कळ केट्टर मेण सत्तरविचारं ॥ (બંધનમાં પડેલાં સિંહને કોઈ એવા વિચારથી બંધનમુક્ત કરી દે, કે પોતાનું તો આનાથી કોઈ નુકશાન નથી. હા, તેની ઉપેક્ષા કરો તો તેનાથી બીજાનું ખૂબ અહિત થવું નિશ્ચિત છે. બીજાને મૃત્યુમુખમાં જવું પડે છે.) શ્રવણબેલગોળમાં ઈ.સ.૯૪રમાં ઉત્કીર્ણ શિલાલેખ આ પ્રમાણે અક્કરછંદમાં ओलगं दक्षिणसुकरदुष्करमं पोरगण सुकरदुष्करभेदमं ओळगे वामदविषममनल्लिय विषमदुष्करमनिन्नदरपोरग । ग्गलिकेयेनिपति विषममनदरति विषमदुष्करमेवदुष्करं एळेयोळोने चारिसल् बल्लं नाल्कुप्रकरणमनिन्द्रराजं ॥ (મનની અંદર અનુકૂળ સરળ અને જટિલ છે, બહાર પણ સરળ અને જટિલનો ભેદ છે. અંદર પ્રતિકૂળ વિષમતા છે. તેની બહાર વિષમ જટિલતા પણ છે. તેમની ઉપર વિષમતર અને વિષમતમ જટિલતા છે. આ ચારે અવસ્થાઓને આદિમાં જ રોકનાર એકમાત્ર સમર્થ વ્યક્તિ છે ઈન્દ્રરાજ.). ૧. કન્નડના છંદ, Page #35 -------------------------------------------------------------------------- ________________ કન્નડ સાહિત્યનો આરંભકાળ નૃપતંગે અનુષ્ટુપ્નું જે ઉદ્ધરણ આપ્યું છે તેમાં પ્રાસનો નિર્વાહ છે तारा जानकियं पोगि तारा तरळनेत्रेयं । ताराधिपतितेजस्वी તારલિવિનોલ્યા | ૨.૧૮ ॥ पेरनावं धराचक क्रेयं केळेयप्पवं । नेरेयारेणेयेंबनं कुरितब्ध बन्नमं ॥ (જાનકીને સાથે બોલાવી લઈ જાવ. ચંચલ નેત્રવાળીને સાથે લઈ જાવ. ચન્દ્રમા સમાન તેજસ્વી વિજયનો સંદેશ લાવો. ધરિત્રી માટે બીજું કોણ મોટું છે ? કોણ સાથી છે ? કોણ સહારો છે ? કોણ બરાબર છે ?.....) - પંપના સમય સુધી અનુષ્ટુપ્ જેવા વૃત્તો લુપ્તપ્રાય થઈ ગયા હતા. તે સમયે વૃત્ત અને કંદ બંનેને મુખ્ય માનવામાં આવતા હતા. ચંપૂકાવ્યોમાં આ છંદો યોજાયેલા મળે છે, પરંતુ ભાગ્યે જ. ગીત, આખેટ, નગરવર્ણન, સ્ત્રીવર્ણન, વિવાહ અને ગીત વગેરે માટે ત્રિપદી, અક્કર અને રગળેનો જ પ્રયોગ થતો રહ્યો. ચંપૂ અને ચરિત વગેરે કાવ્યોમાં લોકગીતોની ધુનોનો સમાવેશ થયો, જેમને સંસ્કૃતના લક્ષણ ગ્રંથોમાં કોઈ સ્થાન મળ્યું નથી. આ વિસ્તૃત વિવેચનનો એ જ આશય છે કે લગભગ ઈ.સ. છઠ્ઠી-સાતમી સદી સુધી કન્નડ પ્રદેશમાં સંસ્કૃતમાં વર્ણિત ધર્મ, સભ્યતા તથા સાહિત્યનો પ્રચાર હતો. આનાથી કન્નડ ભાષા પરિપુષ્ટ થવા લાગી તથા તેમાં કવિતા રચાવા લાગી. આરંભમાં સંસ્કૃતનો પ્રભાવ વ્યાપક હતો. તે સમયે પણ લોક ભાષામાં દેશી છંદોમાં રચનાઓ અવશ્ય થઈ હશે, પરંતુ તે આજે ઉપલબ્ધ નથી. બની શકે કે તે યુગના ગ્રંથોમાં તે લોકગીતો છાયા રૂપે રહીને વીરશૈવ સાહિત્યકારોની કૃપાથી પુનરુજ્જીવિત થયાં હોય. લગભગ સાતમી સદીથી દસમી સદીની વચ્ચે ઉપલબ્ધ ગ્રંથો પર શિલાલેખોના આધારે કન્નડ સાહિત્યની ઐતિહાસિક રૂપરેખા નીચે પ્રમાણે આપી કાય – શિલાલેખો તથા ભટ્ટાકલંક અને દેવચન્દ્ર અનુસાર, શ્રીવર્ધદેવ અને નૃપતંગ અનુસાર, દુર્વિનીત, શ્રીવિજય, કેશિરાજ, મલ્લિકાર્જુન અને વિદ્યાનંદ અનુસાર; શ્રીવિજય, અસગ, ગુણનંદિ અને ગુણવર્મને આ યુગના મુખ્ય કવિઓ માનવામાં Page #36 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ આવે છે. આ બધા જૈન-ધર્માવલંબી હતા. તેમની કૃતિઓ બે રૂપે મળે છે – સિદ્ધાન્તપ્રતિપાદક તથા તીર્થકરવૃત્તાત્મક. તત્કાલીન રચનાઓનાં અવલોકનથી નપતંગને તેમાં જે ત્રુટિઓ દેખાઈ, તેમને દૂર કરી પરવર્તી કવિઓનું માર્ગદર્શન કરવા માટે તેણે “કવિરાજમાર્ગ' નામક લક્ષણગ્રંથ રચ્યો હશે. પ્રત્યેક જૈન કવિનો સંક્ષિપ્ત પરિચય નીચે આપવામાં આવી રહ્યો છે – શ્રીવર્ધદેવ (લગભગ ૬૫૦ ઈ.સ.) નૃપતુંગે આનો ઉલ્લેખ નથી કર્યો. પરંતુ ઈ.સ.૧૧૨૯માં ઉત્કીર્ણ શ્રવણબેલગોળના ૬૭મા શિલાલેખમાં ઉલ્લેખ છે કે તેમણે ચૂડામણિકાવ્ય રચ્યું હતું અને દંડીએ તેમનું ગુણગાન કર્યું હતું. કવિ દંડી સાતમી સદીમાં થયા હતા. આથી તેઓ પણ તે સમયના હોય તેમ જણાય છે. ભટ્ટારક અકલેકે (૧૯૦૪ ઈ.સ.) કન્નડના મહિમાનું વર્ણન કરતાં આ ગ્રન્થ સંબંધે કહ્યું છે કે “ચૂડામણિ' તત્ત્વાર્થ મહાશાસ્ત્રની વ્યાખ્યા છે અને તેના રચયિતા ૯૬ હજાર ગ્રંથોના નિર્માતા છે. દેવચન્દ્ર (૧૮૩૦ ઈ.સ.) લખે છે કે તુંબલૂર નામક આચાર્ય ૨૪ હજર ગ્રંથોના રચયિતા છે અને તેમણે કન્નડમાં ચૂડામણિની વ્યાખ્યા પણ લખી છે. ચામુંડરાયે (૯૭૮ ઈ.સ.) તંબુલૂરાચાર્ય નામક ગુરુનું સ્તવન કર્યું છે. હા, એ વાતનું નિશ્ચિત પ્રમાણ નથી કે ચૂડામણિ-કાવ્ય અને ચૂડામણિ-વ્યાખ્યા એક જ ગ્રંથ છે કે અલગ-અલગ. દુર્વિનીત, શ્રીવિજય નૃપતુંગ અનુસાર વિમલોદય, નાગાર્જુન, જયબંધુ, દુર્વિનીત, શ્રીવિજય અને કવીશ્વર વગેરે કન્નડના કેટલાક કવિ થયા છે. આ બધા જૈન જ હોવાનું જણાય છે. અભિલેખોથી વિદિત થાય છે કે દુવિર્તીત ગંગરાજ હતા. દુર્વિનીત સાતમી સદીના આરંભે જીવિત હતા અને તેમના દરબારમાં કેટલાક સમય સુધી કવિ ભારવિ રહ્યા હતા. ભારવિ-રચિત કિરાતાર્જુનીયના ૧૫મા સર્ગની વ્યાખ્યા દુર્વિનીતે જ કરી છે. શ્રીવિજયનો ઉલ્લેખ કેશિરાજે પણ કર્યો છે. દુર્ગસિંહે (૧૧૪૫ ઈ.સ.) શ્રીવિજયની કવિતાને કવિઓ માટે દર્પણ તથા દીપક બતાવી છે. મંગરસ (૧૫૦૮ ઈ.સ.) અને દોગ્ય (૧૫૫૦ ઈ.સ.લગભગ) આ બંનેનું કહેવું છે કે શ્રીવિજયે ચન્દ્રપ્રભપુરાણ” ચંપૂશૈલીમાં લખ્યું છે. કેટલાક વિદ્વાનોનું એમ પણ અનુમાન છે. કે શ્રીવિજયે જ નૃપતુંગના ઉપનામથી કવિરાજમાર્ગનું પ્રણયન કર્યું હતું. Page #37 -------------------------------------------------------------------------- ________________ કન્નડ સાહિત્યનો આરંભકાળ નૃપતંગ (૮૧૪-૮૭૭ ઈ.સ.) તે રાષ્ટ્રકૂટવંશના રાજા હતા. માન્યખેટ તેમની રાજધાની હતી. અમોઘવર્ષ અને અતિશયધવલ નૃપતંગની ઉપાધિઓ હતી. સંસ્કૃતના ‘આદિપુરાણ’ના રચિયતા જિનસેન તેમના પૂજ્ય ગુરુ હતા. ‘પ્રશ્નોત્તરરત્નમાલિકા'' નામક સંસ્કૃત ગ્રંથમાં તેમણે લખ્યું છે કે વિરક્ત થઈ, મેં સ્વયં રાજ્યનો પરિત્યાગ કર્યો છે. કવિરાજમાર્ગ તેમનો લક્ષણગ્રંથ છે. તેમાં દોષાદોષાનુવર્ણનનિર્ણય,શબ્દાલંકાર તથા અર્થાલંકાર નામના ત્રણ પરિચ્છેદ છે. પ્રત્યેક પરિચ્છેદમાં અંતે ‘નૃપતંગદેવાનુમત’ અંકિત છે. આશ્ચર્ય છે કે આમાં ‘કૃતમ્’ ન હોતાં ‘અનુમતમ્’ છે. પરિચ્છેદના અંતિમ પદ્યમાં ‘શ્રીવિજયપ્રભૂતમ્' લખેલું મળે છે. સાથે સાથે જ ગ્રંથના અંતે ‘નૃપતંગના સભાસદ દ્વારા કથિતકાવ્યમ્' કહ્યું છે. આ જ કારણોસર વિદ્વાનોએ અનુમાન કર્યું છે કે શ્રીવિજય નૃપતંગના સભાસદ હતા અને તેમણે જ નૃપતંગના નામે આ ગ્રંથ લખ્યો હશે. કેટલાક લોકોનો એમ પણ મત છે કે કવિરાજમાર્ગના રચયિતા શ્રીવિજય નહિ, પરંતુ કવીશ્વર છે. ૯ નાગવર્મ અને ભટ્ટારક અકલંક આ બંનેની માન્યતા છે કે નૃપતંગ જ કવિરાજમાર્ગના પ્રણેતા છે. જો ગ્રંથ શ્રીવિજય અથવા કવીશ્વર દ્વારા નિર્મિત હોત તો સ્પષ્ટ રૂપે પોતાના જ નામ ‘પરમ શ્રીવિજય' કે ‘કવીશ્વર' આપવામાં કોઈ આપત્તિ તો હતી નહિ. સંસ્કૃતમાં નૃપતંગ-પ્રણીત એક ગ્રંથ છે પણ. કવિરાજમાર્ગ મૌલિક ગ્રંથ નથી, દંડીના ગ્રંથનું કન્નડ રૂપાંતર છે. દંડીની માન્યતાઓ સાથે સહમત હોવાને નાતે ગ્રંથમાં ‘અનુમતમ્’ લખ્યું હશે. નહિ તો તેઓ ‘કૃતમ્’નો જ પ્રયોગ કરી શકત. આ જ કારણોસર કવિરાજમાર્ગના રચિયતા નૃપતંગ જ ગણાય છે, શ્રીવિજય કે કવીશ્વર નહિ. આ ગ્રંથમાં અલંકારશાસ્ત્રનું નિરૂપણ તો થયું જ છે, સાથે સાથે જ તે યુગની કન્નડના સંબંધમાં જે તથ્યો અહીં ઉપલબ્ધ થાય છે, તે સાહિત્યના ઈતિહાસકારની દૃષ્ટિએ ઓછાં મહત્ત્વપૂર્ણ નથી. આમાં કન્નડ ભાષાની ભૌગોલિક સીમા વિશે ઉલ્લેખ છે ‘કન્નડ પ્રદેશ કાવેરીથી ગોદાવરી સુધી ફેલાયેલો છે.' આનાથી સ્પષ્ટ ૧. વિશેષ જીજ્ઞાસુ ‘વીરવાણી’ વર્ષ ૨૨, અંક ૧૩-૧૪, (જયપુર)થી પ્રકાશિત મારો લેખ જુએ. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ છે કે તે યુગમાં મહારાષ્ટ્રીય ભાષાએ કન્નડને વધારે દક્ષિણ તરફ ધકેલી નહોતી. ઈ.સ.ની ૧૭મી સદીના કવિ નંજુઓ આ પદની વ્યાખ્યા આ મુજબ કરી છે – “કાવેરીથી ગોદાવરી સુધી વસુધાતલમાં ફેલાયેલ કન્નડ જનપદ (કર્ણાટક જનપદ) વર્ણનાતીત છે.' કવિરાજમાર્ગમાં કન્નડ જનપદનો મધ્યવર્તી ભાગ અર્થાત્ પટ્ટકલ્સ કોઘલ, લભેશ્વર વગેરેને શુદ્ધ કન્નડ પ્રદેશ માનવામાં આવ્યો છે. આ જ રીતે કન્નડ ભાષાભાષીઓને સૂક્ષ્મ બુદ્ધિસંપન્ન તથા કાવ્યગત દોષોને ઓળખવામાં તીણમતિ કહેવામાં આવ્યા છે. સાથે સાથે જ તેમાં કન્નડ ભાષાના ઉત્તર-દક્ષિણ બે ભેદ પણ બતાવવામાં આવ્યા છે. ઉદાહરણ સ્વરૂપ તેમાં અલગ-અલગ શબ્દભેદ પણ નિરૂપિત છે. બેદંડે તથા ચત્તાણ નામની દ્વિવિધ પદ્યશૈલીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કંદ, વૃત્ત કે એક-એક જાતિના નામ બદડે તથા કેટલાક કંદ, વૃત્ત, અક્ષર, ચૌપદી, ગીતિકા અને ત્રિપદી વગેરેનું નામ ચત્તાણ કહેવામાં આવ્યું છે. કવિરાજમાર્ગની ભાષા જૂની કન્નડ છે. કંદ જ આમાં પ્રયુક્ત મુખ્ય છંદ છે. આમાં ગીતિકા અને સંસ્કૃતના વર્ણવૃત્તોનો પ્રયોગ વિરલ છે અને પ્રત્યેક પરિચ્છેદના અંતે ગદ્યનો વ્યવહાર પરિલક્ષિત થાય છે. કન્નડનો આદ્ય ગ્રંથ કવિરાજમાર્ગ કન્નડ સાહિત્યના ઈતિહાસની નાંદી બનીને આગળની કન્નડ પરંપરાના ધેર્યોત્સાહ માટે આકર થયો. વસ્તુતઃ આ ગ્રંથ કન્નડ ભાષા-ભાષીઓ માટે ગૌરવની વસ્તુ છે. આમાં તત્કાલીન કન્નડ ભાષાભાષીઓનો પરિચય ખૂબ જ સુંદર રીતે આપવામાં આવ્યો છે. કોઈ પણ ભાષામાં એક લક્ષણ ગ્રંથ રચવામાં આવતાં પહેલાં તે ભાષામાં અચાન્ય ગ્રંથો રચવામાં આવ્યા હોવાનું પણ સર્વથા અનિવાર્ય છે. આ નિયમાનુસાર નૃપતુંગે પોતાની બહુમૂલ્ય કૃતિમાં પોતાનાથી પહેલાંના અનેક કવિઓનાં માત્ર નામ જ નથી આપ્યા, પરંતુ તે પૂર્વ કવિઓનાં પદ્ય પણ ઉદ્ધત કર્યા છે. અસગ, ગુણનંદિ અને ગુણવર્મ કેશિરાજના વ્યાકરણમાં આ કવિઓનો ઉલ્લેખ મળે છે. પોન્ન કવિનું કથન છે કે અસગ કન્નડ કવિઓમાં સો ગણા પ્રતિભાશાળી હતા. ગુણનંદિ અને ગુણવર્મનો કાળ ઈ.સ.૯૦૦ માનવામાં આવ્યો છે. નૃપતુંગે આ કવિઓનો ઉલ્લેખ નથી કર્યો, આથી તે પરવર્તીકાળના પ્રતીત થાય છે. મલ્લિકાર્જુને પોતાના “સૂક્તિસુધાર્ણવમાં કહ્યું છે કે ગુણનંદિનાં ઉદાહરણ મારા આ ગ્રંથમાં આપવામાં આવે છે. ગુણવર્મ નામના બે વ્યક્તિ માનવામાં આવ્યા છે. જન્ન કવિ (૧૨૦૯)એ એક ગુણવર્મનું Page #39 -------------------------------------------------------------------------- ________________ કન્નડ સાહિત્યનો આરંભકાળ તથા નયસેને (૧૨૧૨ ઈ.સ.) બીજ ગુણવર્મનું ગુણગાન કર્યું છે. અહીં ગુણવર્મ પ્રથમ (૯૦૦ ઈ.સ.)નું વર્ણન કરવામાં આવ્યું છે. કેશિરાજે ગુણવર્મને “હરિવંશ'ના રચયિતા માન્યા છે. આ જ ગ્રંથને પાર્થે નેમિનાથપુરાણ” કહેલ છે. “ભુવનકવીર' તેમનો બીજો ગ્રંથ છે. વિદ્યાનંદના કાવ્યસારમાં બતાવવામાં આવ્યું છે કે “શૂદ્રક' નામક ગ્રંથ પણ તેમનો જ છે. આમાં ગંગરાજ એરેયL (૮૮૬-૯૧૩ ઈ.સ.)ની તુલના શૂદ્રક સાથે કરવામાં આવી છે. ગંગરાજની મહેન્દ્રાંતક, કામદ વગેરે ઉપાધિઓ હતી. એ ઉલ્લેખનીય છે કે પોતાના આશ્રયદાતાના ગુણગાનમાં પ્રત્યેક જૈન કવિ એક લૌકિક કાવ્ય અને તીર્થકરોના જીવનચરિત્ર સાથે સંબદ્ધ બીજું ધાર્મિક કાવ્ય પ્રાય: લખતો આવ્યો છે. આ પરંપરાના પ્રવર્તક ગુણવર્મને માનવામાં આવે છે. પરવર્તી કવિ પંપ, પોન્ન અને રાત્રે આ જ પદ્ધતિ અપનાવી છે. પંપની પહેલાં જ કન્નડમાં ચંપૂ શૈલીમાં સફળ ગ્રંથ રચવાનું શ્રેય ગુણવર્મને મળે છે. શિવ કોટ્યાચાર્ય પંપની પહેલાં શિવકોટ્યાચાર્યનું નામ આવે છે. તેઓ “વારાધને'ના રચયિતા છે. કન્નડ સાહિત્યની આ અસાધારણ રચના માનવામાં આવી છે. કન્નડનું પ્રથમ ગદ્યકાવ્ય આ જ છે. આમાં ૨૯ મનોરંજક વાર્તાઓ છે. પ્રત્યેક વાર્તાના આરંભે એક પ્રાકૃત ગાહા (ગાથા) છે. પપદી કાવ્યોમાં સૂચક પદ્યની જેમ આ ગાહા વાર્તાનો સાર બતાવી દે છે. આ ગાહાઓનો કન્નડમાં અર્થ આપવા સાથે કવિ કાવ્ય શરૂ કરે છે. તેમની વર્ણન શૈલી ખૂબ રોચક અને મનને મોહી લેનારી છે. પદયોજના પણ અજોડ છે. સંવાદ-શૈલી ઘડાયેલી છે અને તે વાર્તાની ગતિ વધારવામાં સફળ છે. કાવ્યની સરસ, સત્ત્વપૂર્ણ દેશી શૈલી શિવકોટ્યાચાર્યની પ્રતિભાને પ્રતિબિંબિત કરે છે. પ્રાધ્યાપક ડી. એલ. નરસિંહાચાર્યજીનું કહેવું છે કે વડારાધનેનું બીજું નામ “ઉપસર્ગ કેવલિઓની કથા” રહ્યું છે. પ્રત્યેક વાર્તાનો નાયક કોઈને કોઈ ઉપસર્ગને કારણે દેહ ત્યજીને સ્વર્ગમાં પહોંચે છે. વાર્તામાં આ જ વૃત્ત હોવાથી આ નામ સાર્થક થયું છે. સંલ્લેખનાદ્રત દ્વારા સમાધિને પ્રાપ્ત કરનાર માટે આ કથાઓ વિરક્તિ જગાડવામાં પૂર્ણ સહાયક છે. એટલું જ નહિ, આ રચનામાં તે યુગની ભાષા Page #40 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ શૈલીના સુંદર નમૂના પણ મળી જાય છે. કન્નડ સાહિત્યનો આ મહત્ત્વપૂર્ણ ગ્રંથ પોતાના યુગનું સાંસ્કૃતિક જીવન ચિત્રિત કરવામાં પણ સફળ થયો છે. “કવિરાજમાર્ગમાં આ અનુપમ કૃતિનો ઉલ્લેખ નથી. આથી એમ અનુમાન કરવામાં આવે છે કે પપપૂર્વ યુગમાં અર્થાત્ સત્ ૯૨૦-૯૩૦ ઈ.સ.ની આસપાસ આનું પ્રણયન થયું હશે. આમાં જૂની કન્નડનો પ્રયોગ સહજ તથા સુંદર રીતે મોતીજેવાં પદો દ્વારા વ્યક્ત કરવામાં કરવામાં આવ્યો છે. સંક્ષેપમાં આ જ પંપૂર્વયુગના જૈન સાહિત્યનો ઈતિહાસ છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ પંપયુગ આ યુગના સાહિત્યમાં વર્ણિત જનજીવન ઉચ્ચ વર્ગ સુધી સીમિત હતું. રાજદરબાર અથવા ક્યાંક-ક્યાંક સૈનિકોનું જીવન પણ અહીં અંકિત મળે છે. આ યુગની રાજનૈતિક, સામાજિક તથા ધાર્મિક પરિસ્થિતિઓ પણ પ્રૌઢ રચનાઓના નિર્માણ માટે પ્રેરક સિદ્ધ થઈ. ઈસુની દસમી સદીના પૂર્વાદ્ધમાં રાષ્ટ્રકૂટ વંશના રાજાઓ શક્તિશાળી થયા. આ સદીના અંત સુધી તેઓ ઉત્કર્ષ પામતા ગયા. એકાએક તેમનો વૈભવ લુપ્ત થઈ ગયો. હા, વેલવાડના ચાલુક્ય તથા દક્ષિણના ગંગ વંશના રાજાઓ બરાબર રાષ્ટ્રકૂટ રાજઓની સહાય કરતા રહ્યા. ઈસુની અગીયારમી સદીમાં કલ્યાણીમાં ચાલુક્ય પ્રબળ થયા. ચોલ વંશ સાથે તેમનો સંઘર્ષ બરાબર ચાલુ રહ્યો. ચોલોના પ્રતાપને કારણે ગંગરાજ્યનું પતન થઈ ગયું. એકલા ચાલુક્ય રાજ્યકુળ પર કર્ણાટકની રક્ષાનો ભાર આવી પડ્યો. રાજકુળની આપસની ફૂટને કારણે આ વંશ કેટલાક સમય સુધી દુર્બલ અવશ્ય હતો, પરંતુ જ્યારે વિક્રમાદિત્ય છઠ્ઠો પોતાના ભાઈને કેદ કરી ઈ.સ.૧૦૭૬માં ગાદી પર વિરાજમાન થયો, ત્યારથી કર્ણાટકનું ભાગ્ય ફરી ચમકવા લાગ્યું. તે એક પછી એક કેટલાય યુદ્ધમાં વિજયી થયો. સાથે સાથે જ કર્ણાટકનું સામ્રાજ્ય વિસ્તૃત થવા લાગ્યું. ત્યાર પછી ચાલુક્ય વંશનો વૈભવ ઘટવા લાગ્યો અને બારમી સદીના અંત સુધી હોય્સલ સામ્રાજ્યનો પાયો નખાતાં જ ચાલુક્યો લુપ્ત થઈ ગયા. કર્ણાટકમાં રાજનૈતિક પરિસ્થિતિને અનુરૂપ શસ્ત્રાસ્ત્રોનો ઝંકાર પણ સંભળાવા લાગ્યો. યુદ્ધનું નામ સાંભળતાં જ સંભવતઃ જન જનની ભુજાઓ થનગની ઊઠતી હશે. તે સમયે નગર તથા ગામની રક્ષા માટે, સ્ત્રીઓની લાજ બચાવવા માટે, પ્રાણીઓની રક્ષા માટે પ્રાણ ત્યાગવાનો સંકલ્પ લોકો સાનંદ કરતા હતા. વીરોની અગણિત સ્મારક-શિલાઓ(પાળિયા) જ આનું જ્વલંત પ્રમાણ છે. આ શિલાઓ કર્ણાટકમાં સર્વત્ર મળે છે. વીરોની એવી ધારણા થઈ ગઈ હતી કે યુદ્ધમાં પ્રાણ ત્યાગવાથી સ્વર્ગ મળશે. આ ધારણા તે યુગના શૂરવીર શાસકોના પ્રોત્સાહનથી વધારે દૃઢ થઈ ગઈ હતી. તે યુગના કવિઓ કલમ ચલાવવામાં જ નહિ, તલવાર ચલાવવામાં પણ પ્રવીણ હતા. કવિઓ મહાકવિઓ જ નહોતા, મોટા રણકુશલ પણ હતા. નાગવર્મ, ચામુંડરાય વગેરે પણ ખૂબ પ્રતાપી હતા. એટલા માટે જ આ યુગ કન્નડ સાહિત્યનો “વીરયુગ' પણ કહેવાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ તે યુગની ધાર્મિક પરિસ્થિતિ પણ ખૂબ અવ્યવસ્થિત હતી. કર્ણાટકમાં તે સમયે વૈદિક અને જૈન આ બે જ સંપ્રદાયોનું પ્રભુત્વ હતું. આ યુગના કર્ણાટકના શાસકો અધિકાંશ વૈદિક સંપ્રદાયના અનુયાયી હતા, પરંતુ તેમણે જૈન-ધર્મને પણ પ્રોત્સાહિત કર્યો. ધર્મના નામે ક્યાંય પણ વેર-વિરોધ દેખાતો ન હતો. દક્ષિણમાં ગંગવંશનું વિશેષ પ્રભુત્વ હતું. તેના શાસકો જૈન-ધર્માવલંબી હતા અને તેઓ તેની પ્રગતિમાં વિશેષ રસ લેતા હતા. દસમી સદીના અંતે ચામુંડરાયે શ્રવણબેલગોલમાં ગોમ્મટેશ્વરની અજોડ પ્રતિમા પ્રતિષ્ઠાપિત કરી અને ધાર્મિક તથા કલા જગતમાં તેમણે અમરત્વ પ્રાપ્ત કર્યું. અગીયારમી સદીના આરંભ સાથે ધર્મ-સંપ્રદાયોની વચ્ચે કટુતા વધતી ગઈ. ચોલવંશના પ્રતાપની સામે ગંગવંશનું પ્રભુત્વ નિસ્તેજ થયું. જૈન-ધર્મનો ડ્રાસ પણ અનિવાર્ય જેવો થઈ ગયો. પરંતુ ચાલુક્યવંશના પૌરુષને કારણે ચોલ કંઈક દબાયેલા રહ્યા અને જૈન ધર્મ લુપ્ત થવાથી બચી ગયો. પરંતુ તેમાં પહેલાં જેવી કાંતિ ન રહી. ફળસ્વરૂપ બારમી સદીમાં જૈન સાહિત્ય પણ તર્ક-બહુલ અને શાસ્ત્રાર્થપ્રધાન થઈ ગયું. ૧૪ આ યુગના અધિકાંશ કવિઓ જૈન હતા. આમાં પરંપરાગત પ્રૌઢ શૈલીના પ્રબંધ મહાકાવ્યો જ લખવામાં આવ્યા. તેમને માર્ગ શૈલીનાં કાવ્ય પણ કહે છે. ચંપૂ આ યુગનું પ્રધાન કાવ્યસ્વરૂપ હોવાથી આ યુગનું નામ ‘ચંપૂ-યુગ’ પણ છે. ચંપૂ-કાવ્ય-યુગના ‘રત્નત્રય’ પંપ, પોન્ન તથા રન્નને માનવામાં આવે છે. ત્રણેય જૈન હતા. ત્રણેએ પોતાના આશ્રયદાતાઓની પ્રશંસામાં એક તરફ લૌકિક કાવ્ય અને ધર્મના પ્રચારાર્થ બીજી તરફ ધાર્મિક કાવ્યો લખ્યા હતા. આ રચનાઓમાં આ મહાપુરુષોનાં જીવનવૃત્ત પણ વીખરાયેલાં પડ્યાં છે. આ ત્રણેનું વિવેચન નીચે કરવામાં આવે છે. આદિકવિ પંપ ‘વિસ્તૃત ક્ષેત્રમાં ફેલાયેલી કન્નડ ભાષામાં એકમાત્ર સત્કવિ પંપ છે. ધરતી પર સમ્રાટ, સ્વર્ગમાં દેવરાજ, પાતાલમાં નાગરાજ, અને ગગનમાં રિવ સમાન પંપ જગતમાં વંદનીય છે. તેમની કૃપાથી મને વાગ્વિલાસ સુલભ હો.' આવી અભિલાષા વ્યક્ત કરનાર નિષ્પક્ષ કવિ નાગરાજ છે જે આજથી છસો વર્ષ પહેલાં થયો હતો. આ સ્તુતિથી આદિ કવિ પંપની અદ્ભુત પ્રતિભાનું અનુમાન સહજ જ લગાવી શકાય છે. અન્ય કવિઓએ પણ રસ, ભાવ, વ્યંજના, નાદસૌંદર્ય વગેરે ગુણોનું વરદાન પોતપોતાના કાવ્યમાં સહર્ષ માંગ્યું છે. અન્ય કોઈ કવિ પંપની બરાબરીનો નહિ હોવાથી ‘કન્નડનો એકમાત્ર કવિ પંપ છે' એવી લોકોક્તિ પ્રચલિત છે. ‘કવિતા ફરમાઈશ કે પૈસાના બદલે નહિ, સૃષ્ટિના સૌભાગ્યથી બની Page #43 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ ૧૫ જાય છે.” કવિ નાગચન્દ્રની આ ઉક્તિ પંપ પર જ ચરિતાર્થ થાય છે. પંપસંદેશ સરસ્વતીની સાધનામાં પ્રવૃત્ત કવિ વિરલ જ છે. કન્નડ સાહિત્યનો આદિ કવિ પંપ ઈસુની દસમી સદીનો પ્રતિભાવંત વિશિષ્ટ રચનાકાર છે. તેને નવયુગનો પ્રવર્તક પણ માનવામાં આવે છે. આ જ યુગમાં પ્રબંધશૈલીનો ઉત્કર્ષ થયો. આથી આ કાળને કન્નડ સાહિત્યનો સ્વર્ણ યુગ કહેવામાં આવે છે. લગભગ દસમી સદીના મધ્ય કાળથી લઈને બે સદીઓ સુધી મહાકવિ અને આદિકવિ પંપનો કન્નડ સાહિત્ય પર અમીટ પ્રભાવ હતો. આથી આ યુગનું નામ “પંપયુગ' પડી ગયું છે. બારમી સદીના અંતમાં કન્નડ સાહિત્યમાં કવિ હરિહરનો પ્રાદુર્ભાવ થાય છે અને તેની સાથે જ કન્નડ સાહિત્યનો “નવયુગ” શરૂ થાય છે. પંપના અસાધારણ કવિવ્યક્તિત્વનો પ્રભાવ આ યુગમાં પણ અવશ્ય રહ્યો છે, છતાં પણ આ બંનેની વચ્ચેનો કાળ જ કન્નડમાં પંપયુગના નામે વિખ્યાત છે. આનાથી જ આદિકવિ પંપના કૃતિત્વનો મહિમા જાણી શકાય છે. પંપની બે પ્રધાન રચનાઓ છે – આદિપુરાણ અને વિક્રમાર્જુનવિજય. આ બંને ક્રમશઃ ત્રણ તથા છ મહિનામાં પૂરી થઈ હતી. આદિપુરાણ તીર્થંકરના જીવન સાથે સંબંધ ધરાવે છે. આમાં આદિ તીર્થકરનું જીવનચરિત્ર વિસ્તારથી અંકિત છે. કેટલાય જન્મોમાં તેમણે જે ભોગનો અનુભવ કર્યો હતો, તેની સ્મૃતિથી તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે ભોગલાલસાનો કોઈ અંત નથી. ન સ્વર્ગમાં, કે ન મર્યલોકમાં તૃષ્ણાની પૂર્તિ થઈ શકે છે. આ તૃષ્ણા બુઝાય કેમ? આ બધી વાતોનો ઊંડો વિચાર કરતાં તેઓ કેવલ્ય પદની પ્રાપ્તિ માટે તપસ્યા કરવા વન તરફ નીકળી પડે છે. આમાં આદિનાથના સુપુત્ર ભરત અને બાહુબલીના પ્રસંગો પણ ખૂબ ભાવપૂર્ણ રીતે અંકિત કરવામાં આવ્યા છે. આદિનાથની દીક્ષા પછી ભારત સમ્રાટ થયો. પોતાના ચક્રરત્નના પ્રતાપથી તે છએ ખંડો પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવામાં સમર્થ થયો. પરંતુ તેને પોતાના ભાઈઓનો વિરોધ પણ સહેવો પડ્યો. ભરતે તેમને પોતાને અધીન કરવા ઈચ્છયું. પરંતુ તેઓ રાજ્યભોગથી પૂર્ણ વિરક્ત થઈ તપસાધનામાં લીન થઈ ગયા. ભાઈઓનો આ વૈરાગ્ય ભરતને વિસ્મયકારક પ્રતીત થયો. બાહુબલી સાથે લડતી વખતે ભરત દષ્ટિયુદ્ધ, જલયુદ્ધ તથા મલ્લયુદ્ધ ત્રણેમાં પરાસ્ત થયો. અંતે તેણે બાહુબલી પર ચક્રરત્નનો પ્રયોગ કર્યો. આનાથી બાહુબલીનું કોઈ અહિત ન થયું. પરંતુ મોટા ભાઈના આ વ્યવહારથી ખિન્ન થઈને Page #44 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ બાહુબલી પણ પોતાનું વિજિત સામ્રાજ્ય છોડી વનમાં તપસ્યા માટે ચાલી નીકળ્યા. મુક્તિયાત્રા પર નીકળેલ આ જીવ જન્મજન્માંતરના સંસ્કારથી પરિષ્કૃત થઈને ક્રમેક્રમે પોતાના લક્ષ્ય તરફ અગ્રેસર થાય છે. જીવની આ અલૌકિક યાત્રાનાં સોપાન આ કાવ્ય કે પુરાણમાં સુંદર રીતે વર્ણિત છે. આ રચનામાં કવિએ કાવ્યની સાથે સાથે ધર્મોપદેશ પણ આપ્યો છે. જૈન ધર્મના નિરૂપણમાં આ પુરાણ કાવ્ય સંપૂર્ણ સફળ થયું છે. ૧૬ મહાકવિ પંપની બીજી રચના વિક્રમાર્જુનવિજય' એક લૌકિક મહાકાવ્ય છે. આમાં કવિએ પોતાના આશ્રયદાતા ચાલુક્યનરેશ અરિકેસરીનું ગુણગાન કર્યું છે. અરિકેસરી રાષ્ટ્રકૂટોનો સામંત હતો. તેને સામંત ચૂડામણિ માનવામાં આવતો હતો. અરિકેસરીના સ્નેહની કૃપાથી પંપને વિપુલ વૈભવ, યશ તથા સમ્માન મળ્યું. પુરાણમાં પ્રતિપાદિત કર્ણ-દુર્યોધનની અને ઈતિહાસમાં પ્રતિપાદિત શ્રીહર્ષ-બાણ મિત્રતાનો જે આદર્શ હતો, તે જ પંપ-અરિકેસરીની મિત્રતાનો આદર્શ છે. અરકેસરી ગુણાર્ણવ કહેવાયા તો પંપ ‘કવિતાગુણાર્ણવ’ ઉપાધિથી વિભૂષિત થયા. પંપ કલમ તથા તલવાર બંને ચલાવવામાં નિપુણ હતા. વિક્રમાર્જુન જેવી મહાન કલાકૃતિ સંબંધે વિદ્વાનોનો મત છે કે કવિએ એવી કુશળતાથી કાવ્ય-રચના કરી છે કે આ કાવ્ય કન્નડ સાહિત્યમાં અદ્વિતીય સિદ્ધ થયું. આ પ્રકારનું કાવ્ય રચનાર કવિ વિરલ જ છે. મહાકવિ પંપની આ રચનામાં કથાની રોચકતા તથા વર્ણનની મનોહરતાનો પરિપાક થયો છે. આ કવિના આત્મવિશ્વાસનું ઘોતક છે. રચનાના આરંભે ખૂબ નમ્રતાથી કવિ કહે છે કે હું વ્યાસ મુનીન્દ્ર દ્વારા નિર્મિત વચનામૃતરૂપ અગાધ સમુદ્રને તરવા નીકળ્યો છું. હા, કવિ વ્યાસ હોવાનો મારો કોઈ દાવો નથી. અંતે પંપ વિશ્વાસ કરે છે કે હું અથાગ સાગર તરવામાં ચોક્કસ સફળ થયો છું. એટલા માટે કવિની ઘોષણા છે કે પૂર્વવર્તી સમસ્ત કાવ્ય પોતાના ભારત (વિક્રમાર્જુનવિજય) તથા આદિપુરાણની સામે ફિક્કા છે. આ મહાકાવ્યનો નાયક અરિકેસરી છે. કવિની માન્યતા છે કે અરિકેસરી મહાભારતના અર્જુન જેવો મહાપ્રતાપી છે અને પૂર્વકાલીન રાજાઓની અપેક્ષાએ તેનામાં કેટલાય અસાધારણ ગુણ રહેલા છે. આથી કવિએ આદિથી અંત સુધી અર્જુન માટે પ્રચિલત બધી ઉપાધિઓનો પ્રયોગ અરિકેસરી માટે કર્યો છે. અભેદરૂપકનો ૧. વિશેષ જિજ્ઞાસુ ‘કવિ પંપ કા વિક્રમાર્જુનવિજય' શીર્ષક મારો લેખ જુએ. જૈન દર્શન વર્ષ ૨,અંક ૧૩, ૧૯૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ ૧૭ નિર્વાહ આમાં અથથી ઈતિ સુધી અવિચ્છિન્ન રૂપે થયો છે. એટલા માટે કવિએ પોતાની રચનાને સમસ્ત ભારત કહ્યું છે. આ મહાકાવ્યથી અરિકેસરી પ્રસન્ન થયો અને તેણે કવિને અમિત વૈભવ જ નહિ, ધર્મપુર નામનું એક ગામ પણ સહર્ષ પ્રદાન કર્યું. કવિ આ મહાન ગ્રંથના મહિમાનું કારણ કંઈ બીજું બતાવે છે. તેમનું કહેવું છે કે છળમાં દુર્યોધન, સત્યગુણમાં સૂર્યપુત્ર કર્ણ, પરાક્રમમાં ભીમ, બળમાં શલ્ય, ઔત્યમાં ભીખ, ધનુર્વિદ્યામાં દ્રોણ, સાહસમાં અર્જુન અને ધર્મગુણમાં પરિશુદ્ધાત્મા ધર્મરાજ આ બધા મહાભારતના મહિમાના કારણો છે. એટલા માટે મારું આ “ભારત” લોકમાં સમાદિત છે. પંપ-ભારતમાં શ્રીકૃષ્ણનું કોઈ ઊંચુ સ્થાન નથી. આમાં અર્જુનનો આદર બધાથી વધીને છે. અર્જુન શ્રીકૃષ્ણ પાસે વીરોચિત આદર્શનું વર્ણન આ મુજબ કરે છે, “હે કૃષ્ણ ! જે આક્રમણકારી શત્રુ-રાજા રૂપી વિશાળ વૃક્ષની જડો ધરતીથી ઊખાડીને આકાશમાં ન ફેંકે, શરણાગતોની રક્ષા ન કરે, ત્યાગરૂપી ગુણની છાપ ન અંકિત કરે તો તે શું માનવ છે ? તે માનવ નથી કીડો છે.” અહીં અર્જુન શ્રીકૃષ્ણનો કપાકાંક્ષી નથી. દૃષ્ટિકોણની આ ભિન્નતા જ આને લૌકિક કાવ્ય ઘોષિત કરે છે. અન્ય પાત્રો સાથે દુર્યોધન અને કર્ણ જે મૂળ મહાભારતમાં દુષ્ટ-ચતુષ્ટયમાં ગણવામાં આવે છે, તે બંનેનું આમાં ખૂબ સમ્માન કરવામાં આવ્યું છે. દુર્યોધન કવિની દૃષ્ટિએ અભિમાનધન છે. તે પોતાની વાતનો પાકો છે તથા પોતાની જિદ પર અંત સુધી અડગ રહ્યો છે. દુર્યોધન પ્રણ પૂરું કરવા માટે એક જ પથ પર બરાબર આગેકદમ કરતો રહ્યો, ન ડર્યો, ન ગભરાયો. પ્રાણ ત્યાગવાના સમયે પણ તેનો પ્રતાપ ઓછો ન થયો. હવે પ્રતિનાયક કર્ણનું ચિત્રણ જુઓ. કવિ તેને પણ પ્રેમ, આદર તથા ગૌરવ પ્રદાન કરે છે. વિશ્વસાહિત્યમાં તેના જેવું કમભાગી બીજું પાત્ર નથી. સૂર્યનો પુત્ર, પૃથાની કુક્ષિમાં જન્મેલ આ વીરને પાંડવોનો અગ્રજ હોવા છતાં પણ પેદા થતાં જ ગંગાની ધારામાં વહાવી દેવામાં આવ્યો અને સૂતને ત્યાં પાળવા-પોષવામાં આવ્યો. પરંતુ તે પોતાના ધીરોદાત્ત ગુણથી વંચિત ન થયો. યૌવનમાં પદાર્પણ કરતાં જ તે કહેવા લાગ્યો કે “મારો કોઈ વિરોધ ન કરે, જે પણ સહાયતા ઈચ્છે મારી પાસેથી માગી લે.” તે એક વાર તીર પ્રત્યંચા પર ચઢાવી દે તો તેના ટંકારથી જ પ્રતાપી શત્રુ રાજાઓ પર વીજળી તૂટી પડતી અને તેઓ ભયભીત થઈને ધરાશાયી થઈ જતા. કર્ણ સોનું કાપી-કાપીને આપતો જતો તો સ્વર્ણરાશિનો સંચય 3ain Education International Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કિન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ કરનાર બંદી અને માગધ વગેરેનો અર્થોભાવ દૂર થઈ જતો હતો. બ્રાહ્મણવેષધારી દેવરાજને કવચ-કુંડલ આપવામાં પણ તેને કોઈ સંકોચ નહોતો થયો. કલ્પનાની સમાહાર શક્તિ અને ભાષાની સામાસિકતાને કર્ણ-પ્રસંગના ચિત્રણમાં કવિએ સમ્યફ અભિવ્યક્તિ પ્રદાન કરી છે. ગુરુ પરશુરામના ક્રોધથી શાપ-ગ્રસ્ત કર્ણ દુર્યોધનનો અંતરંગ સાથી બન્યો. કર્ણને દુર્યોધનથી અલગ પાડવા માટે શ્રીકૃષ્ણ ખૂબ ઊંડી ચાલ ચાલી. શ્રીકૃષ્ણ બોલ્યા, “પ્યારા કર્ણ ! દુર્યોધન જાણે છે કે તું પાંડવોનો સહુથી મોટો ભાઈ છે. તમે બંને શિકાર ખેલવા સાથે-સાથે ગયા હતા અને બંને તે સમયે સત્યપ ઋષિના આશ્રમે પહોંચ્યા હતા. તે સમયે ઋષિએ સહુથી પહેલાં તારો જ આદર સત્કાર કર્યો હતો. દુર્યોધનને આ વ્યવહાર ખૂબ ખરાબ લાગ્યો, તેણે તને કોઈ બહાને બહાર મોકલી ઋષિને પૂછ્યું કે મારા હોવા છતાં તમે પહેલાં સૂતપુત્રનું સમ્માન કેમ કર્યું અને તે ક્યાં સુધી યોગ્ય છે? આથી ઋષિએ તારા જન્મનું રહસ્ય તેને બતાવી દીધું. ત્યારે દુર્યોધન બોલ્યો કે “સારું થયું, કાંટાથી જ કાંટાને કાઢવો પડશે.” હા, કર્ણ શ્રીકૃષ્ણની વાતોમાં ન આવ્યો. દુર્યોધન સાથે દ્રોહ કરવા રાજી ન થયો. સેનાપતિનું પદ સુશોભિત કરતાં કર્ણ શરશય્યા પર સૂતેલા પિતામહ પાસે જાય છે અને તેમના ચરણોમાં પ્રણામ કરે છે. સાથે સાથે જ તેમની ક્ષમાયાચના કરે છે. કર્ણની સ્વામિભક્તિથી અભિભૂત આર્ય ભીખ કર્ણને પણ પોતાના પ્રપૌત્ર તરીકે સંબોધિત કરે છે. કવિએ કર્ણના પાત્ર-નિરૂપણમાં ખૂબ કૌશલ દેખાડ્યું છે. અહીં કવિ પોતાના નાયકને પણ ભૂલીને કહે છે કે ભારતમાં તમે કોઈનું સ્મરણ કરવા ચાહો તો અન્ય કોઈને યાદ ન કરો, એકનિષ્ઠ કર્ણનું જ સ્મરણ કરો. કર્ણની બરોબરી કોણ કરી શકે છે? તેની શૂરતા, સચ્ચાઈ અને સાહસ વગેરે જનતામાં વિખ્યાત છે. કર્ણ ત્યાગનું તો પ્રતિરૂપ જ છે. કર્ણ ગ્રીક દુઃખાંત નાટકોના નાયકની યાદ અપાવે છે. વનવાસમાં બાળપણ અને યૌવનનો સોનેરી સમય વીતાવનાર મહાકવિ પંપને જો કન્નડ સાહિત્યનો આદિ અને એકમાત્ર કવિ માનવામાં આવ્યો છે તો તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. કવિતાચાતુર્ય, વર્ણનસામર્થ્ય, પાત્રનિરૂપણ, રસપુષ્ટિ, હિતાહિતમૂદવચન રૂપી શૈલી, સુંદર તથા માર્મિક કહેવતો, દેશાભિમાન-ધોતક વાગુંફન આ બધું મહાકવિ પંપને કર્ણાટકનો સાર્વભૌમ કવિ ઘોષિત કરે છે. પંપની ગરિમાને પૂર્ણ રૂપે વ્યક્ત કરવી સંભવિત નથી. Page #47 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ ૧૯ પોન્ન આ મહાકવિ રાષ્ટ્રકૂટનરેશ કૃષ્ણ તૃતીય (ઈ.સ.૯૩૯-૯૬૮)ના દરબારી કવિ હતા. તેમની રચનાનો કાળ ઈ.સ.૯૫૦ આસપાસનો રહ્યો હશે. તે પણ વેગિમંડલાંતર્ગત પુંગનૂરના નિવાસી હતા. વેંગિમંડલના પુંગનૂરમાં નાગમધ્ય નામનો એક જૈન બ્રાહ્મણ હતો. મલ્લપ અને પુન્નમય તેના બે વીર પુત્ર હતા. વાણિયવાડિના જિનચન્દ્રદેવ તેમના ગુરુ હતા અને પોતાના ગુરુના ગૌરવાર્થ વિનયપૂર્વક આ બંને ભાઈઓએ ૧૬મા તીર્થંકર શાંતિનાથના જીવન પર આધારિત મહાકવિ પોત્ર દ્વારા “શાંતિપુરાણની રચના કરાવી. આનું બીજું નામ “પુરાણચૂડામણિ' છે. મલ્લપથ્યની એક પુત્રી હતી અતિ મળે.' દાનચિંતામણિ આ મહિલાની ઉપાધિ હતી કેમકે તેની દાનશીલતા સર્વત્ર વિખ્યાત હતી. આ દેવીએ મહાકવિ પોન્નના શાંતિપુરાણની એક હજાર મતો લખાવીને રત્ન તથા સુવર્ણની જિનપ્રતિમાઓ સાથે તેમનું સંપૂર્ણ કર્ણાટકમાં દાન કર્યું. અત્તિમબેનું નામ આજે પણ કર્ણાટકમાં ખૂબ ગૌરવ સાથે લેવામાં આવે છે. તેણે ગદગ તાલુકાના લઉંડિ નામક સ્થળમાં સેંકડો જિનાલય બનાવ્યા હતા. તે સુંદર જિનાલયોમાં હવે લÉડિમાં માત્ર ત્રણ જિનાલય બચ્યાં છે અને તે સર્વથા દર્શનીય છે. “ભુવનૈકરામાવ્યુદય પોન્નનું બીજું કાવ્ય છે. તે હજી સુધી ઉપલબ્ધ નથી. આ ગ્રંથ ઉપલબ્ધ હોત તો આપણને પોન્નના આશ્રયદાતા સંબંધે પ્રચુર સામગ્રી પ્રાપ્ત થઈ જાત. પોન્નનું કહેવું છે કે ભુવનૈકરામાભ્યદયમાં ૨૪ આશ્વાસ છે જે ૨૪ લોકના મૂલ્ય બરાબર છે. રાષ્ટ્રકૂટ કૃષ્ણ (ઈ.સ.૯૩૯-૬૮)ના સામંત શંકરગેડની ભુવનૈકરામ' પદવી હતી. એટલા માટે વિદ્વાનોનો મત છે કે આ ગ્રંથ ભુવનૈકરામ પદવીથી સમલંકૃત શંકરગંડના પ્રતાપને અથવા તક્કોલમાં ચોલ રાજદિત્યને પરાજિત કરનાર મુમ્બડિ કૃષ્ણના શૌર્યનું વર્ણન કરતું કાવ્ય હશે. “શબ્દમણિદર્પણ'માં કેશિરાજે . (ઈ.સ.૧૨૬૦) આ કાવ્યના કેટલાક અંશ ઉદ્ધત કર્યા છે જે એવાથી આ કાવ્ય નિઃસંદેહ ઉત્કૃષ્ટ તથા ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયુક્ત માલૂમ પડે છે. પરંતુ દુર્ભાગ્યથી આ કાવ્ય હજી સુધી સમગ્ર રૂપે ઉપલબ્ધ નથી થયું. પોન્ન રત્નત્રયમાં અન્યતમ છે અને મુખ્યડિ કૃષ્ણ દ્વારા આદરપૂર્વક “કવિચક્રવર્તી' ૧. અત્તિમબેના જીવનવૃત્ત માટે જુઓ, “ચન્દાબાઈ અભિનંદન ગ્રંથમાં પ્રકાશિત “દાનચિત્તામણિ અત્તિમબે' નામનો મારો લેખ. Page #48 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ પદવી પ્રાપ્ત કરનાર ભાગ્યશાળી મહાકવિ છે. આદિકવિ પંપને પણ અરિકેસરી દ્વારા આ પદવી નહોતી મળી. ‘કવિચક્રવર્તી'ની પદવી પ્રાપ્ત કરનાર બીજા પણ બે જૈન કવિ છે રન્ન અને જન્ન. પોન્ને આ ‘કવિચક્રવર્તી’ પદવીનો ઉલ્લેખ પોતાની કૃતિમાં સ્વયં કર્યો છે. પોન્નના પોન્નિગ, પોન્નમય્ય, સવણ વગેરે નામ પણ હતાં. પોત્ર પોતાના પૂર્વકાલીન પંપ વગેરે કોઈ પણ કવિનું નામ નથી લેતો. વિદ્વાનોનો અભિપ્રાય છે કે પોતાના કવિસામર્થ્યની પ્રશંસા કરતાં કવિ પોત્ર પ્રશંસાની મર્યાદા એકદમ ભૂલી ગયો છે. ૨૦ શાંતિપુરાણના પ્રારંભના ૯મા આશ્વાસ સુધી તીર્થંકર શાંતિનાથના ૧૧ પૂર્વભવોનું વર્ણન છે. માત્ર અંતિમ ત્રણ આશ્વાસોમાં શાંતિનાથનું ચરિત્ર પ્રતિપાદિત છે. પોત્રની આ શાંતિપુરાણ કથામાં અને કમલભવ (ઈ.સ.૧૨૩૫)ની શાંતિપુરાણ કથામાં અનેક સ્થળો પર અંતર દૃષ્ટિગોચર થાય છે. આનું શું કારણ છે ? તે સ્પષ્ટ રૂપે જ્ઞાત નથી. શાંતિપુરાણમાં લોકાકાર, દેશનિવેશન, ચતુર્ગતિસ્વરૂપ વગેરે જૈનપુરાણના આઠ લક્ષણોની સાથે સાથે મહાકાવ્યોના ૧૮ લક્ષણ પણ મોજૂદ છે. જ્યાં-ત્યાં વિવિધ રસોત્પત્તિને અનુરૂપ વર્ણનો પણ વર્તમાન છે, છતાં પણ કહેવું પડશે કે પંપ અને રક્ષની રચનાઓમાં ઉપલબ્ધ વર્ણન-સૌંદર્ય અને પાત્રરચનાકૌશલ પોક્ષની કૃતિઓમાં નથી. હા, પોન્નનો બંધ પ્રૌઢ છે. વસ્તુતઃ પારિભાષિક શબ્દ અને સંસ્કૃત ભાષાનો વ્યામોહ આ બંનેએ મહાવિ પોક્ષની કૃતિઓની શૈલીને ક્લિષ્ટ બનાવી દીધી છે. છતાં પણ કવિતામાં સ્વાભાવિકતા, નિરર્ગલતા અને પાંડિત્ય મોજૂદ છે. કવિએ આમાં ૧૯ છંદોનો ઉપયોગ કર્યો છે. કાવ્યમાં ચંપૂકાવ્યને અનુકૂળ સુપ્રસિદ્ધ અક્ષરવૃત્ત તથા કંદ અધિક છે. તેમાં પણ શાંતરસાભિવ્યક્તિ સહાયક કંદ અત્યધિક છે. આ પુરાણમાં કુલ ૧૬૩૬ પદ્ય, રગળે તથા ત્રિપદિઓ પણ છે. આમાં અહીં-તહીં સુંદર કહેવતો પણ મોજૂદ છે. ‘જિનાક્ષરમાલા' પોન્નની બીજી રચના છે. આ એક જિનસ્તુતિ છે. ‘ગતપ્રત્યાગત’ નામક પોન્નનો એક બીજો ગ્રંથ હોવાનું કહેવાય છે. પરંતુ આ ગ્રંથ હજી સુધી ઉપલબ્ધ નથી થયો. જ્ઞ મહાકવિ ૨ન્ન મુઘોળના નિવાસી હતા. તેમનો જન્મ સૌમ્ય સંવત્સર (ઈ.સ.૯૪૯)માં થયો હતો. રન્નની માતાનું નામ અબ્બલબ્બે તથા પિતાનું નામ Page #49 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ જિનવલ્લભેન્દ્ર હતું. કવિના સહોદર દઢબાહુ રેચણ અને મારશ્ય હતા. જવિક તથા શાંતિ તેમની પત્નીઓ હતી. પુત્રનું નામ રાય અને પુત્રીનું નામ અમિળે હતું. રન્નના પૂજ્ય ગુરુ આચાર્ય અજિતસેન હતા. તેમનો આ પરિચય સ્વરચિત અજિતપુરાણના ૧૨મા આશ્વાસમાં મળે છે. મહાકવિ રત્રની પ્રતિભાનો વિકાસ અત્તિમબું અને ચાઉડરાય જેવા સામંત તથા માંડલિકોના આશ્રયમાં થયો. અંતે તૈલપ ચક્રવર્તી (ઈ.સ.૯૭૩-૯૯૭) અને યુવરાજ સત્યાશ્રયના આશ્રમમાં રહેતાં તેમના પ્રભુત્વનો સિક્કો જામી ગયો. આ વાત કવિ રમે સ્વયં કહી છે. માલુમ થાય છે કે મહાકવિ રસને કવિરત્ન, કવિચક્રવર્તી, કવિકુંજરાંકુશ, ઉભયકવિ, કવિતિલક વગેરે પદવી પ્રાપ્ત હતી. તેમણે પોતાનાથી પહેલાંના કન્નડ કવિઓમાં મહાકવિ પંપ અને પોત્રનું સ્મરણ કર્યું છે. રન્નનું કહેવું છે કે કવિઓમાં જૈનધર્મને દીપ્ત કરનાર પંપ, પોન્ન અને રન્ન આ ત્રણ જ “રત્નત્રય'ના નામથી વિખ્યાત છે. આ આત્મશ્લાઘા માત્ર નથી, કવિની કવિકર્મ કુશલતાનું પણ પરિચાયક છે. અન્યત્ર કવિ કહે છે કે “પોતાને રત્નનો પારખી માનનાર શેષનાગની ફેણમાં વિદ્યમાન અનર્થ રત્નને અને કાવ્યસમીક્ષકના નાતે રન્નના બહુમૂલ્ય કાવ્ય-રત્નને પરખવાનું દુસ્સાહસ ન કરે.' કવિનો દાવો છે કે “આની પહેલાં કોઈ કવિ વાગ્યેવીના ભંડારની મહોર તોડી નથી શક્યું. ર જ પોતાની સરસ રચનાઓ દ્વારા વાઝેવીના ભંડારની મહોર તોડી નાખી, અર્થાત સરસ્વતીની સંપદાનો સ્વામી બન્યો.” કવિનો આ કોઈ પ્રલાપ નથી. પરંતુ તેની અદ્ભુત કાવ્યસાધનાનું ફળ છે. મહાકવિ રત્રની પ્રારંભિક શિક્ષા-દીક્ષા લોકાદિત્યની પ્રાચીન રાજધાની, વર્તમાન ધારવાર જિલ્લા અંતર્ગત બંકાપુરમાં આચાર્ય અજિતસેનની દેખરેખમાં થઈ હતી. કન્નડ અને સંસ્કૃત બંનેમાં તે સમયે ઉપલબ્ધ બધા ગ્રંથ રત્રને ઉપલબ્ધ હતા. દાનચિંતામણિ અત્તિ મળે અને ચાષ્ઠિરાય – આ બંનેની કૃપાથી રન્નને પર્યાપ્ત વૈભવ તથા યશ પ્રાપ્ત થયો. અંતે પૂર્વોક્ત ચાલુક્ય નરેશ તૈલપ તથા તેમના સુપુત્ર સત્યાશ્રયની સભામાં તેઓ વિશેષ સમ્માનિત થયા. જૈનોના પ્રસિદ્ધ તીર્થ શ્રવણબેલગોળના નાના પર્વત પર એક શિલા છે, જેની પર “શ્રીકવિ રન્ન' આ પાંચ અક્ષર ખોદાયેલા મળે છે. એવી કિવદંતી છે કે રાત્રે જ આ અક્ષરો કોતરાવ્યા ૧. આ વિષયમાં વધુ જાણવા માટે “ચંદાબાઈ અભિનંદન ગ્રંથ'માં પ્રકાશિત “દાનચિન્તામણિ અત્તિમબે' શીર્ષકમારો લેખ જુઓ. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ છે. તેવો અધિક સંભવ છે કેમકે મહાકવિ રત્ર શ્રવણબેલગોળ બરાબર જતો હતો. ચક્રવર્તીને યોગ્ય કોશ, કંઠિકા, શ્વેતપત્ર, સિંહાસન વગેરે કવિચક્રવર્તી રત્રને પોતાના આશ્રયદાતા સત્યાશ્રય પાસેથી સાનંદ પ્રાપ્ત હતાં. નાગચન્દ્ર (ઈ.સ.૧૧૦), નયસેન (ઈ.સ.૧૧૧૨), પાર્થ (ઈ.સ.૧૨૦૫), મધુર (ઈ.સ.૧૩૮૫) અને મંગરસ – આ કવિઓએ રન્નની ખૂબ પ્રશંસા કરી છે. રત્રની બે મુખ્ય રચનાઓ છે. એક “અજિતપુરાણ' (ઈ.સ.૯૯૩) તથા બીજી સાહસભીમવિજય” અથવા “ગદાયુદ્ધ'. અજિતપુરાણ દ્વિતીય તીર્થકર અજિતનાથની પુનીત ગાથા છે. આ ૨૨ આશ્વાસનું ચંપૂકાવ્ય છે. આમાં વ્યર્થ વૃત્ત નથી આવ્યા. આની રચના મહાકવિ રન્ને અત્તિમબેની પ્રેરણાથી કરી. ગ્રંથમાં અત્તિમબેનું ઇતિવૃત્ત વિસ્તારથી આપતાં તેની દાનશીલતાનું ગુણગાન કરવામાં આવ્યું છે. તેને કાવ્યરત્ન' કે “પુરાણતિલક” પણ કહેવામાં આવેલ છે. આમાં ભવાવલિયોની જટિલતા નથી. આ એક જૈન પુરાણ કાવ્ય છે, તેથી લૌકિક કાવ્ય ગદાયુદ્ધની જેમ પાત્રનિરૂપણ, સન્નિવેશરચના વગેરેમાં કવિ સ્વતંત્ર નથી. છતાં પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના પાવન ચિત્રણ દ્વારા રન્ને પોતાના અભુત કવિતા-સામર્થ્યને સુંદર રીતે વ્યક્ત કર્યું છે. શૈલીમાં સૌંદર્ય છે. કવિ બંને ભાષાઓમાં પંડિત હોવા સાથે સંગીત તથા નાટ્યશાસ્ત્રમાં પણ પ્રવીણ જણાય છે. આ માટે જિનશિશુનો જન્માભિષેક વગેરે પ્રસંગ સર્વથા પઠનીય છે. અજિતપુરાણના તિલકપ્રાય સન્નિવેશના દ્વિતીયાશ્વાસમાં સુસીમાનગરના રાજ વિમલવાહનનું વૈરાગ્ય પ્રકરણ વગેરે કેટલાય મર્મસ્પર્શી એવાં સ્થળ છે જે સહૃદય પાઠકને મોહી લેવા માટે પર્યાપ્ત છે. અયોધ્યાનગરીથી અજિતનાથ તપસ્યા માટે ચાલી નીકળે છે ત્યારે રાણીવાસમાં ઘેરો વિષાદ છવાઈ જાય છે અને રાણીવાસની રાણીઓ ગુણનિધિ, ભુવનપૂજિત અજિતનાથનું નામ રટતાં-રટતાં મહેલની બહાર આવી જાય છે. આ મોટો કરુણાપ્રધાન પ્રસંગ છે. આ ઉપરાંત તીર્થકરના સમકાલીન સગરચક્રવર્તીનું પ્રકરણ પણ ઘણું તલસ્પર્શી છે. સગરના સાઠ હજાર પુત્ર હતા. સંતાનમોહ સગરની સહુથી મોટી દુર્બળતા હતી. સગરનો આ મોહ દૂર કરી સંસારની અસારતાનો તેને બોધ થાય તે ઉદેશથી રન્ન કવિએ એક નવી ઉદ્દભાવના કરી છે. એક વાર પિતા પાસે છોકરાઓ આવ્યા અને કામ કરવાની ઈચ્છા પ્રકટ કરી. પિતા બોલ્યા–જાઓ, ખાઓ-પીઓ અને મોજ કરો. છોકરાઓને પુરુષાર્થહીન આ જીવન પસંદ ન આવ્યું. સગર સમ્રાટે Page #51 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ - ૨૩ તે જાણીને આદેશ આપ્યો કે કૈલાસ પર્વત પર ભરત સમ્રાટે રત્નનિર્મિત પ્રતિમાઓ બનાવીને રાખી છે. તે લોકના માનવોની દૃષ્ટિમાં ન આવે, એવો કોઈ ઉપાય વિચારો. સગરને સચેત કરનાર તેનો મિત્ર ચેતન મણિકેતુ નામક દૃષ્ટિવિષસર્પનું રૂપ ધારણ કરીને આવ્યો અને ભગીરથને છોડી બાકી બધાને મારી નાખ્યા. પછી તે બ્રાહ્મણવેશમાં રાજમહેલની નજીક આવ્યો અને રડારોળ કરવા લાગ્યો. જ્યારે તેની રડારોળનું કારણ પૂછવામાં આવ્યું તો જવાબમાં તેણે કહ્યું કે કેટલીય માનતાઓ માનવાના ફળસ્વરૂપે પેદા થયેલો તેનો એકમાત્ર દીકરો યમલોક સિધાવી ગયો છે. આથી હું તમારા પગે પડવા આવ્યો છું. મારા માટે મૃત્યુ કે આશ્રય તમે જ પ્રદાન કરી શકો છો. સગર તે બ્રાહ્મણને સાંત્વના આપતાં બોલ્યો, ભાઈ ! તું એવા ઘરમાંથી તણખલું અને આગ લઈ આવ જ્યાં મૃત્યુની છાયા સુદ્ધાં ન પડી હોય. હું તારા દીકરાને બચાવી લઈશ.” કપટી બ્રાહ્મણ ગયો અને પાછો આવીને બોલ્યો કે એવું એક પણ ઘર ના મળ્યું. આના પર સગરે તે બ્રાહ્મણને મૃત્યુની અનિવાર્યતાની વાત આ રીતે સમજાવી, “યમરાજના પંજાથી કોણ બચ્યું છે? દેવતા, માનવ, રાક્ષસ, પશુ આ બધાનો સર્વનાથ તેનો ખેલ છે. શબયાત્રાના પ્રસંગે જે વાજું વાગે છે, તે યમનો વિજયઘોષ છે. ચિતાનો ધૂમાડો તેની વિજયપતાકા છે. પરિજનોનો વિલાપ તેની સફળતાનું પ્રતીક છે. યમની રાજસત્તાના આ જ સંકેતો છે.” આ બધી વાતો સાંભળ્યા પછી બ્રાહ્મણ બોલ્યો, “આ ધર્મચર્ચા માત્ર મારા માટે છે કે આપના જીવનમાં પણ આનું કોઈ મહત્ત્વ છે?” સગરે તરત ઉત્તર આપ્યો, “આનું આચરણ હું પહેલાં કરીશ.” તરત બ્રાહ્મણના મોંથી વાત નીકળી, “તમારા ૬૦ હજાર પુત્ર જીવિત નથી રહ્યા.” ભગીરથે પણ આ વાતની પુષ્ટિ કરી. આ શોકવાર્તા સાંભળીને પરિજનો અને રાણીવાસમાં રોકકળ મચી ગઈ. માતાઓએ પુત્રોની પ્રાણભિક્ષા માગી અને વધૂઓએ પતિભિક્ષા માગી. જોકે સગર શોકસાગરમાં ડૂબવા-તરવા લાગ્યા, પરંતુ સહેજ પણ વિચલિત ન થયા. તે જ ક્ષણે તેમણે સંસારથી વિરક્ત થઈને ભગીરથને રાજ્યના ઉત્તરાધિકારી બનાવ્યો અને તપસ્યા માટે ચાલી નીકળ્યા. નિર્વેદની ખૂબ જ ગંભીર વ્યંજના આની વિશેષતા છે. વિદ્વાનોનું કથન છે કે અજિતપુરાણમાં કાવ્યસૌંદર્યનો અભાવ નથી. છતાં પણ પંપરચિત આદિપુરાણની ભવ્યતા અહીં દષ્ટિગોચર નથી થતી. રન્નના લૌકિક કાવ્ય ગદાયુદ્ધ કે સાહસભીમવિજયને કન્નડનું અપૂર્વ “કૃતિરત્ન' માનવામાં આવ્યું છે. કવિએ આમાં આશ્રયદાતા સત્યાશ્રય નરેશનું ગુણગાન કર્યું Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ છે. પંપભારતના ૨૩મા આશ્વાસમાં વર્ણિત “ગદાસૌપ્તિક પર્વની કથા આનું વિષયવસ્તુ છે. કવિએ આ રચનામાં સમગ્ર મહાભારતની મુખ્ય ઘટનાઓનું સ્મરણ કરાવ્યું છે. નાટકીય શૈલીનો ઉત્કર્ષ આનું ઘણું મોટું આકર્ષણ છે. સંવાદયોજના, કાર્યવ્યાપારશૃંખલા અને વિદૂષક પાત્રના નિરૂપણની દૃષ્ટિએ ગદાયુદ્ધ અદ્ભુત રચના છે. આ પ્રકારની વિદૂષકની પાત્રયોજના અન્ય કોઈ પણ કાવ્યમાં નથી મળતી. આ રચનાનો નાયક ભીમ છે. દુર્યોધન પ્રતિનાયક છે. પંપભારતમાં કર્ણ પર જે સહાનુભૂતિ ઊમટી આવે છે, તે જ ગદાયુદ્ધના દુર્યોધન પર તરત ઉત્પન્ન થાય છે. મહાભારતના યુદ્ધનો અંતિમ દિવસ છે. દુર્યોધન રણક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. તેને પોતાના પક્ષના સમસ્ત વીરો ધરાશાયી થયેલા દેખાઈ રહ્યા છે. પ્રત્યેકને જોઈ-જોઈ તેનું કાળજું કોરાઈ જાય છે. કર્ણ અને દુઃશાસન આ બંનેને જોઈને તે નિષ્માણ થઈ જાય છે. અભિમન્યનું શબ જોતાં જ તેના નયનો સામે તે વીર બાળકની મૂર્તિ સજીવ થઈ ઊઠે છે. તેના મનમાં એ વિચાર આવતો જ નથી કે અભિમન્યુ શત્રુપક્ષનો છે. અનાયાસ તેમના મોંથી નીકળી પડે છે, “તને જન્મ આપનારી કોઈ સ્તન શોભિત સ્ત્રી નથી. વીરજનની નામ સાર્થક કરનારી સાધ્વી છે.” દુર્યોધન મૃત અભિમન્યુને અનુરોધ કરે છે, “અદ્વિતીય પરાક્રમી અભિમન્યુ ! એ સંભવ નથી કે તારી જેવો બીજો કોઈ પરાક્રમી હોય. મારો એ જ અનુરોધ છે કે મૃત્યરૂપે તારા પૌરુષનો થોડો એવો પણ હિસ્સો મને મળી જાય.” આ જ ઉદાત્ત ભાવ ઉપપાંડવોની હત્યાના સમાચાર મેળવ્યા પછી વ્યક્ત થયો છે. અંતિમ ક્ષણે દુર્યોધનને સંતુષ્ટ કરવા માટે અશ્વત્થામા ઉપપાંડવોનાં મસ્તક લાવે છે ત્યારે દુર્યોધન ખૂબ દુઃખી થાય છે અને અશ્વત્થામાને સ્પષ્ટ કહી દે છે કે શિશુહત્યાનું પાપ તારા માથે આવશે. દુર્યોધનના આ લોકોત્તર ગુણોને લક્ષ્ય બનાવી વિદ્વાન આલોચકો તેને “મહાનુભાવ' માનવા લાગ્યા છે. આલોચક તેને સાહસનો સ્વામી” અને “છલદંકમલ” પણ કહ્યા કરે છે. દુર્યોધન રણક્ષેત્ર તરફ આગળ વધી રહ્યો છે. રસ્તામાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બંને તેને મળવા આવી રહ્યાં છે. ધૃતરાષ્ટ્ર સુલેહ કરવા આગ્રહ કરે છે અને અડધું રાજ્ય ધર્મરાજને આપવા માટે આગ્રહ કરે છે. ગાંધારી લડાઈ બંધ કરવા માટે તેને ખૂબ સમજાવે છે. તે આટલાથી જ સાંત્વના પ્રાપ્ત કરી લે છે કે જે ગયા તે પાછાં નથી આવી શકતા. પરંતુ દુર્યોધન તો બચી ગયો, ચાલો સારું થયું. આ પ્રમાણે તે ભાગ્ય સાથે સમાધાન કરવા તૈયાર છે. પરંતુ દુર્યોધન પર માતા Page #53 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ ૨૫ પિતાની આર્તવાણીનો કોઈ પ્રભાવ ન પડ્યો. તેનો એક પણ ભાઈ જીવિત ન રહ્યો. આ બાજુ ધર્મરાજની એવી પ્રતિજ્ઞા છે કે મારો કોઈ ભાઈ મરાશે તો હું આગમાં કૂદી પડીશ. દુર્યોધનની ખૂબ દયનીય દશા છે. તે માતા-પિતાને કહે છે, “તમે મારા જીવિત રહેવાની વાત પર કોઈ ભરોસો ન રાખો. મારા ભાઈઓ પર જે વીત્યું છે તે જ મારા માટે પણ નિશ્ચિત માનો.” ક્યારેક-ક્યારેક તે ખૂબ ઉત્તેજિત થઈ જાય છે અને કહેવા લાગે છે – “પ્યારા ભાઈ કર્ણ ! અર્જુન પાસેથી હું તને છીનવી લઈશ. પ્યારા ભાઈ દુઃશાસન ! ભીમનું પેટ ચીરીને તને મેળવી લઈશ. આ બંનેનો શિકાર કરી લઉં તો પછી નિર્દોષ ધર્મરાજ સાથે જીવન વિતાવવાની સમસ્યા પોતાની જાતે ઉકેલાઈ જશે.” દુઃખની તીવ્રતા તેના મોંથી બોલાવી નાખે છે, “શું હું જ આપનો પુત્ર છું, ધર્મરાજ નથી ? તમે તેની સાથે જીવનયાપન કરો, મારી કોઈ ચિંતા ન કરો.” દુર્યોધનના મનની ઉદારતાનો આ સુંદર પ્રભાવ છે. ખૂબ ધૂમધામથી ચાલનાર દુર્યોધનને એકાકી અને ઉદાસ આવતો જોઈ ભીષ્મપિતામહ દ્રવિત થાય છે. પિતામહ આ અવસ્થામાં સમાધાનની ચર્ચા છેડે છે. દુર્યોધનને પ્રસ્તાવ ગમતો નથી. તે પિતામહ પાસેથી એ જાણવા માટે ઉત્સુક છે કે યુદ્ધમાં શત્રુને પરાસ્ત કેવી રીતે કરી શકાય. તે પિતામહને નિવેદન કરે છે, “હું રાજ્ય માટે લાલચુ નથી. હું પ્રણનું પાલન કરવા માટે અધીર છું. પાંડવો સાથે હું રાજ્યનો ઉપભોગ ના કરી શકે. આ રાજ્ય એ સ્થિતિમાં સ્મશાનથી જુદું નહિ હોય. કર્ણની હત્યા માટે ઉત્તરદાયી આ રાજ્ય ભોગવવા યોગ્ય નથી. હું કોના માટે રાજ્ય સંભાળું ? ન તમે છો, ન દ્રોણાચાર્ય રહ્યા, ન કર્ણ, ન દુ:શાસન પણ છે. કોણ મારો વૈભવ જોઈ પ્રસન્ન થશે ?' આટલું સાંભળી ભીષ્મ નિરુત્તર થઈ જાય છે. પિતામહ દુર્યોધનને સલાહ આપે છે કે વૈશંપાયન સરોવરમાં આખો દિવસ વીતાવી બીજા દિવસે બલરામ સાથે મળીને લડાઈ ચાલુ રાખવામાં આવે. દુર્યોધન તે સલાહ માનીને ચાલ્યો જાય છે. પરંતુ વારંવાર સમાધાનની ચર્ચા સાંભળી તે ખૂબ ખિન્ન થાય છે. તે વડીલોની સલાહ માની સરોવરમાં રહેવા તો જાય છે, પરંતુ ભીમનો લલકાર સાંભળતાં જ સર્પધ્વજ દુર્યોધન રોષનો માર્યો જળમાં હોવા છતાં પણ ઊકળવા લાગ્યો. પ્રલયકાલીન રુદ્રની જેમ તે ધરતીનું અંતર ભેદીને બહાર નીકળી પડ્યો અને ભીમ સાથે ભયંકર લડ્યો તથા સ્વર્ગે સિધાવ્યો. આ પ્રમાણે ગદાયુદ્ધ સત્યાશ્રયનું સ્તુતિગાન તો છે જ, દુર્યોધનના મહિમાનું પણ સુંદર Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ ચિત્રણ કરનાર મહાકાવ્ય છે. વસ્તુતઃ રત્નનો ધવલ યશ ગદાયુદ્ધ કાવ્યથી જ અમર થયો છે. તેમાં સંદેહ નથી કે રસિક-ધીર રન્ને આમાં વાગ્દવના ભંડારની મહોર ચોક્કસ તોડી છે. ચંપૂરૂપી આ કાવ્યમાં ૨૦ આશ્વાસ છે. મહાકવિ રમે પંપના શિષ્ય બનીને પંપ-ભારતના ૨૩મા આશ્વાસ અંતર્ગત ભીમ-દુર્યોધન સંબંધી ગદાયુદ્ધને જ કાવ્યનું વસ્તુ બનાવી એક સર્વશ્રેષ્ઠ કાવ્યની રચના કરી છે. કવિનું કહેવું છે કે સાહસભીમ, અકલંક્યરિત વગેરે પદવીઓના સ્વામી સત્યાશ્રયને કથાનાયક બનાવી ભીમ સાથે તેની તુલના કરતાં મેં આ કાવ્યની રચના કરી છે. યુદ્ધાંતે પંપ પોતાના કાવ્યમાં જ્યાં અર્જુન તથા સુભદ્રાનો પટ્ટાભિષેક કરે છે, ત્યાં રન્ન પોતાના રચનામાં ભીમ અને દ્રૌપદીનો પટ્ટાભિષેક કરે છે. રન્નના આ મહાકાવ્યમાં એક વૈશિસ્ય બીજું પણ છે. તે છે, સંપૂર્ણ કાવ્યમાં દષ્ટિગોચર થનારી નાટકીયતા. અહીં ભટ્ટનારાયણના વેણિસંહાર અને ભાસના ઊરુભંગ બંનેનો પ્રભાવ સ્પષ્ટ દૃષ્ટિગોચર થાય છે. છતાં પણ શ્રી બી. એ. શ્રીકંઠધ્યનું કહેવું છે કે ભટ્ટનારાયણ અને ભાસથી મહાકવિ રત્ર કોઈ પણ દૃષ્ટિએ ઓછા નથી. પરંતુ તેમનાથી પણ રન્ન ચડિયાતા છે. ગદાયુદ્ધનું એક વૈશિસ્ય એ છે કે આમાં સિંહાવલોકન-ક્રમથી ભારતાંતર્ગત કથાઓને પાત્રોના મુખે જ કહેવરાવવામાં આવી ભીમસેનની પ્રતિજ્ઞા, દુર્યોધનનો પ્રલાપ, ભીમ-દુર્યોધનની પારસ્પરિક કસૂક્તિ વગેરે સંદર્ભોમાં મહાભારતની કથાનો મુખ્યાંશ સુચારુ રૂપે નિરૂપિત છે. રન્નની શૈલી, પાત્રોનું ચરિત્રચિત્રણ, રસપુષ્ટિવિધાન, સન્નિવેશ નિર્માણ વગેરે વિશેષ ગુણોના જિજ્ઞાસુઓ એક વાર “રત્રકવિપ્રશસ્તિ” નામક વિદ્વાનોના વિમર્શાત્મક લેખ સંગ્રહને જરૂર વાંચે. રન્ન પ્રતિભાશાળી મહાકવિ છે. તેમના દ્વારા ચિત્રિત દુર્યોધન' નું પાત્ર કન્નડ સાહિત્યમાં અન્યત્ર મળવું દુર્લભ છે. પ્રતિનાયક દુર્યોધનનું પતન દુર્ભાગ્યવશ અનિવાર્ય જ હતું. છતાં પણ તેનામાં નિરૂપિત કેટલાક ઉદાત્ત ગુણો ઈન્દ્રજાળની જેમ આપણને દુર્યોધન પ્રત્યે સહૃદય બનાવી દે છે. અંતે કવિએ સમયોગાલંકારમાં નિબદ્ધ એક સુંદર ગીત દ્વારા આ ભાવ વ્યક્ત કર્યો છે, “અહીં મર્યલોકમાં કરકલાર્ક અસ્ત થયો તો ત્યાં આકાશમાં અર્ક પણ અસ્ત થયો.” ૧. વિશેષ જાણકારી માટે “પ્રેમી અભિનંદન ગ્રંથમાં પ્રકાશિત “મહાકવિ રત્ર કા દુર્યોધન' શીર્ષક મારો લેખ જુઓ. Page #55 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ આ યુગના અન્ય કવિઓમાં ચાણ્ડરાય, નાગવર્મ, શાંતિનાથ, નાગચન્દ્ર, નયસેન, બ્રહ્મશિવ, કર્ણપાર્ય, વૃત્તવિલાસ વગેરે ઉલ્લેખનીય છે. ચાઉÎરાય ચાઉડરાય બ્રહ્મક્ષત્રિયવંશોદ્ભવ છે. તેમના ગુરુ આચાર્ય અજિતસેન છે. તેઓ ગંગકુલચૂડામણિ રાચમલ્લ (ઈ.સ.૯૭૪-૯૮૪)ના મંત્રી અને સેનાની હતા. તે સર્વવિદિત છે કે શ્રવણબેળગોળમાં ગોમ્મટેશ્વરની પ્રતિમા પ્રતિષ્ઠાપિત કરવાનું શ્રેય ચાઉલ્ડરાયને જ છે. સમરપરશુરામ, વીરમાર્તંડ, પ્રતિપક્ષરક્ષક વગેરે અનેક પદવીઓથી વિભૂષિત ચાઉÎરાય મોટા ધર્મપ્રેમી અને ઉદાર હતા. રન્ન કવિના આશ્રયદાતા રૂપે પણ તેમનું ખૂબ માન હતું. તેમણે ‘ત્રિષષ્ટિલક્ષણ મહાપુરાણ' નામક ગદ્યકાવ્યની રચના કરી. ‘વારાધને’ની પ્રાપ્તિ પહેલાં આ જ ગ્રંથને કન્નડનું પ્રથમ ગદ્યકાવ્ય માનવામાં આવતું હતું. આ ગ્રંથ ‘ચાઉÎરાયપુરાણ'ના નામથી પણ વિખ્યાત છે. આમાં તીર્થંકર, ચક્રવર્તી વગેરે ૬૩ શલાકાપુરુષોની ગાથાઓનું સંકલન છે. તે ગુણભદ્રવિરચિત ઉત્તરપુરાણ પર આધારિત રચના છે. ૨૭ પ્રત્યેક ચરિત્રનાં આદિમંગલસ્વરૂપ એક-એક પદ્ય છોડીને ચાઉÎરાયપુરાણ એક શુદ્ધ ગદ્યગ્રંથ છે. આ પ્રાચીન કન્નડ ગદ્યરચનાની એક બહુમૂલ્ય કૃતિ છે. આમાં ચાઉšરાયે મૂળ કથાવસ્તુમાં કોઈ પણ પ્રકારનું અંતર આવવા દીધું નથી. આનું મુખ્ય કારણ કવિની ધાર્મિક દૃષ્ટિ જ માલૂમ પડે છે. આ પુરાણમાં કવિની સ્વપ્રતિભા અને કાવ્યશક્તિને પ્રદર્શિત કરવાની સ્વતંત્રતા નહિ હોવાથી વડ્ડારાધનેમાં જે વૈશિષ્ટ્ય છે, તે વૈશિષ્ટ્ય આમાં નથી આવવા પામ્યું. ચાઉRsરાયપુરાણમાં ધાર્મિકતા તો છે પરંતુ કાવ્યધર્મનો અભાવ છે. છતાં પણ આ પુરાણ તે સમયની ગદ્યશૈલીનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં સંદેહ નથી કે આના કેટલાય પદ્યો ખૂબ જ સરળ, લલિત અને ભક્તિપૂર્ણ છે. એવો સંભવ છે કે જૈન પુરાણકથાઓથી અપરિચિત વ્યક્તિને ચાઉRsરાયપુરાણ વિશેષ રુચિકર પ્રતીત ન થાય. જોકે આમાં ભવાવલિઓ, નિર્વેગ વગેરે પુરાણસહજ વાતોની અધિકતા છે, છતાં પણ વિશ્વનન્દિ-વિશાખનન્દિનું યુદ્ધ વગેરે કેટલાક પ્રકરણો વિશેષ ચિત્તાકર્ષક છે. આ પ્રકરણો ચાઉÎરાયના કથન કૌશલનાં સ્પષ્ટ સાક્ષી છે. ભાષાશાસ્રની દૃષ્ટિએ ચાઉÎરાયપુરાણનું ગદ્ય ઓછું મહત્ત્વપૂર્ણ નથી. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ ચાઉન્ડરાયે સંસ્કૃતમાં પણ એક ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથનું નામ “ચારિત્રસાર છે. આમાં અણુવ્રત, શિક્ષાવ્રત, સંયમ, ભાવના, પરીષહજય, ધ્યાન, અનુપ્રેક્ષા વગેરે આચાર ધર્મનું વર્ણન છે. ચાઉડરાય ખૂબ ઉદાર હતા. તેમના દ્વારા નિર્મિત અપરિમિત વ્યયસાધ્ય, સર્વાંગસુંદર પૂર્વોક્ત ગોભમૂર્તિ તથા ચન્દ્રગિરિમાં વિરાજમાન કલાપૂર્ણ જિનાલય તેમની ઉદારતાનાં જ્વલંત પ્રમાણ છે. ચન્દ્રગિરિમાં વિદ્યમાન આ જિનમંદિર તે પર્વત પર સ્થિત બધા મંદિરોમાં મનોજ્ઞ છે. ઉપર કહેવાઈ ચૂક્યું છે કે આ જ ચાઉડરાય મહાકવિ રન્નના આશ્રયદાતા હતા. સ્વબંધુ તથા સ્વજન્મભૂમિ ત્યાગીને વિદ્યાધ્યયનની પિપાસાથી આવેલ રત્રના વિદ્યાધ્યયનની સંપૂર્ણ વ્યવસ્થા ચાઉડરાયે જ કરી હતી. ચાઉડરાય કવિ જ નહિ પરંતુ એક યોદ્ધા પણ હતા. વિભિન્ન અવસરો પર તેમને પ્રાપ્ત સમરધુરંધર, વીરમાર્તડ, રણરંગ સિંહ, પ્રતિપક્ષરાક્ષસ, સુભટ ચૂડામણિ વગેરે પદવીઓ આ વાતની પુષ્ટિ કરે છે. આ વાતોનું વિશદ વર્ણન વિંધ્યગિરિના વર્તમાન ૧૦૯ (૨૮૧)મા શિલાલેખ તથા ચાઉડરાયપુરાણમાં ઉપલ ધ થાય છે. ચાઉડરાયને ઉપર્યુક્ત પદવીઓ ઉપરાંત સમ્યક્તરત્નાકર, શૌચાભરણ, સત્યયુધિષ્ઠિર, ગુણરત્નભૂષણ વગેરે ધાર્મિક ગુણોને વ્યક્ત કરનારી પદવીઓ પણ પ્રદાન કરવામાં આવી હતી. આ બધી પદવીઓ કવિના સદાચારપૂર્ણ ધાર્મિક જીવનનું દિગ્દર્શન કરાવે છે. ચાઉસ્ડરાયને રાય, અષ્ણ વગેરે ગૌરવપૂર્ણ નામોથી પણ બોલાવવામાં આવતા હતા. ચાઉસ્ડરાયનો આશ્રયદાતા ગંગકુલચૂડામણિ, જગદેકવીર વગેરે પદવીઓથી સમલંકૃત પૂર્વોક્ત રામલ્લ કે રાયમલ્લ (ચતુર્થ) ગંગવંશી નરેશ મારસિંહનો ઉત્તરાધિકારી હતો. મારસિંહના શાસનકાળમાં પણ ચાઉડરાય મંત્રી તથા સેનાપતિના પદ પર બીરાજતા હતા. મારસિંહ પણ જૈનધર્મ પ્રત્યે દઢ શ્રદ્ધાળુ હતા. તેમણે અનેક જિનમંદિરો તથા માનસ્તંભોનું નિર્માણ કરાવી અંતે બંકાપુરમાં આચાર્ય અજિતસેનના ૧. વિશેષ માટે “જૈન સંદેશ ૨૦શોધક (માં પ્રકાશિત) “મહાકવિ રન્ન કો ચાઉસ્ડરાયકા આશ્રયદાન' શીર્ષક મારો લેખ જુઓ. ૨. વિશેષ જિજ્ઞાસુ “જૈન સિદ્ધાન્ત-ભાસ્કર'માં પ્રકાશિત ‘વીર માર્તડ ચાઉન્ડરાય' શીર્ષક મારો લેખ જુએ. (ભાગ ૬ કિરણ ૪). Page #57 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ - ૨૯ પાદમૂલમાં સમાધિમરણપૂર્વક શરીરત્યાગ કર્યો હતો. પ્રારંભથી જ ગંગરાજ્યનો જૈનધર્મ સાથે ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. શ્રવણબેલગોલના શિલાલેખ નં. ૫૪ (૬૭) તથા ગંગવંશના અન્યાન્ય દાનપત્રોથી નિર્વિવાદરૂપે તે સિદ્ધ છે કે મુનિસિંહનન્દી જ ગંગવંશના સંસ્થાપક હતા. તેનો ગોમ્મસારવૃત્તિના રચયિતા અભયચન્દ્ર ઐવિદ્યચક્રવર્તી પણ સ્વીકાર કરે છે. શ્રીધરાચાર્ય તે બેઉવલ નાડ અંતર્ગત નરિગુંદના નિવાસી હતા. તેમણે પોતાને “વિપ્રકુલોત્તમ બતાવ્યા છે. હજી સુધી તો તેમનો “જાતકતિલક' નામક એક જ્યોતિષ ગ્રંથ જ ઉપલબ્ધ થઈ શક્યો છે, જે પ્રકાશિત થઈ ચૂક્યો છે. જોકે જાતકતિલકના અંતિમ પદ્યથી જાણી શકાય છે કે તેમણે “ચન્દ્રપ્રભચરિત’ પણ રચ્યું હતું. પરંતુ આ ગ્રંથ હજી સુધી પ્રાપ્ત નથી થયો. કવિનું કહેવું છે કે વિદ્વાનોએ મને કહ્યું કે “હજી સુધી કન્નડમાં કોઈએ જયોતિષ ગ્રંથ નથી લખ્યો, એટલા માટે તમે જાતકતિલક અવશ્ય લખો.” આ પ્રમાણે વિદ્વાનોની પ્રેરણાથી જ મેં જાતકતિલકની રચના કરી છે. આનાથી સાબિત થાય છે કે કન્નડમાં જ્યોતિષ સંબંધી ગ્રંથ લખનારમાં શ્રીધરાચાર્ય પ્રથમ છે. આ વાતની પુષ્ટિ બાહુબલિ (લગભગ ૧૨૬૦ ઈ.સ.)ની નાગકુમાર-કથા'થી પણ થાય છે. કન્નડકવિચરિતેના માન્ય લેખકના મતે શ્રીધરાચાર્યનો કાળ ઈ.સ.૧૦૪૯ અથવા શક સં. ૯૭૧ છે. શ્રીધરાચાર્યને ગદ્યપદ્યવિદ્યાધર અને બુધજનમિત્ર આ બે પદવીઓ મળી હતી. તેમણે પોતાને વિધવિશદયશોનિધિ, કાવ્યધર્મજિનધર્મગણિતધર્મમહાભોનિધિ, બુધમિત્ર, નિકુલાબુજા કરમિત્ર, રસભાવસમન્વિત, સુભગ, અખિલવેદી વગેરે અનેક વિશેષણોથી સંબોધિત કર્યા છે. ઉપર કહેવાઈ ચૂક્યું છે કે જાતકતિલક એક જ્યોતિષ ગ્રંથ છે. તે કંદ વૃત્તોમાં લખવામાં આવ્યો છે. આમાં ૨૪ અધિકાર છે. જોકે કવિએ પોતાના ગ્રંથની ઉત્કૃષ્ટતા કેટલાય પદ્યોમાં બતાવી છે તો પણ સ્થાન અભાવને કારણે તે પદ્યો અહીં ઉદ્ધત કરવા અપેક્ષિત નથી. શ્રીધરાચાર્યે જયોતિષનું પ્રયોજન આ મુજબ બતાવ્યું છે “ભવબદ્ધ શુભાશુભ કર્મવિપાકનું ફળ જાણવા માટે જ્યોતિર્લાન અંધારી કોટડીમાં રાખેલી વસ્તુઓ સ્પષ્ટ દેખાડનાર પ્રદીપ સમાન છે.' ૧. વિશેષ જિજ્ઞાસુ સન્મતિ સંદેશ (દિલ્લી), વર્ષ ૧૦, અંક૭, માં પ્રકાશિત “ગંગનરેશ મારસિંહકા સમાધિમરણ' શીર્ષક મારો લેખ જુએ. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ જાતકતિલક એક સુંદર કૃતિ છે. કવિએ વિવેચ્ય વિષયોની સરળ શૈલીમાં સુંદર છણાવટ કરી છે. તે મૈસૂર રાજકીય પુસ્તકાલય તરફથી પ્રકાશિત થયેલ છે. ગ્રંથ હિન્દીમાં અનુવાદ કરવા યોગ્ય છે.' દિવાકરનન્ટિ તેમણે ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્રની કન્નડવૃત્તિ લખી છે. આ વાતનો ઉલ્લેખ આપણને નગરના ૫૭મા અભિલેખમાં મળે છે. દિવાકરનદિના ગુરુ ભટ્ટારક ચન્દ્રકીર્તિ હતા. એમ જણાય છે કે દિવાકરનજિ “સિદ્ધાન્તરત્નાકર' નામક બહુમૂલ્ય ઉપાધિથી વિભૂષિત હતા. નગરના ૫૭મા તથા ૫૮મા અભિલેખોમાં તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. ઉપર્યુક્ત અભિલેખોના લેખક મલ્લિનાથ તેમના જ પ્રશિષ્ય હતા. દિવાકરનન્દિના શિષ્ય સકલચન્દ્ર અને સકલચન્દ્રના શિષ્ય મલ્લિનાથ હતા. મલ્લિનાથના પિતા પટ્ટણસ્વામી નોક્ક પણ દિવાકરનદિના જ શિષ્ય હતા. ઉક્ત શિલાલેખોમાં પટ્ટણસ્વામી નોક્ક દ્વારા પ્રદત્ત દાનનો વિસ્તૃત ઉલ્લેખ છે. ઉપર્યુક્ત શિલાલેખો ચાલુક્ય શાસક રૈલોક્યમલ્લના શાસનકાળમાં તથા વીર શાંતારના સમયમાં લખવામાં આવેલ હતા. ૫૮મા શિલાલેખમાં તેનો લેખનકાળ પણ અંકિત છે, તે શા. શક સંવત ૯૮૪ (ઈ.સ.૧૦૬૨)માં લખવામાં આવ્યો હતો. સ્વ. આર. નરસિંહાચાર્યે પોતાના “કવિચરિતે'માં દિવાકરનદિનો જે સમય નિર્ધારિત કર્યો છે, તે આ જ શિલાલેખના આધાર પર કર્યો હશે. તેમાં સંદેહ નથી કે દિવાકરનદિ એક સુયોગ્ય વિદ્વાન હતા. તેઓ માત્ર કન્નડના જ વિદ્વાન ન હતા, પરંતુ સંસ્કૃતના પણ વિદ્વાન હતા. તેમણે પોતાની તસ્વાર્થવૃત્તિનું મંગલાચરણ સંસ્કૃતમાં નીચે મુજબ કર્યું છે – _ 'नत्वा जिनेश्वरं वीरं वक्ष्ये कर्णाटभाषया । ___तत्त्वार्थसूत्रमूलार्थ मंदबुद्ध्यनुरोधनः॥ દિવાકરનદિની ઉક્ત તત્ત્વાર્થવૃત્તિના અંતે એક ગદ્ય છે, જેનાથી જાણ થાય છે કે તેમના ગુરુ માત્ર પૂર્વોક્ત ભટ્ટારક ચન્દ્રકીર્તિ જ નહોતા, પરંતુ પદ્મનન્દિ સિદ્ધાન્તદેવ પણ હતા. આ વૃત્તિમાં વૃત્તિકાર દિવાકરનક્તિએ પોતાની આ વૃત્તિનો લઘુવૃતિના નામ સાથે જ ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે જ આ ગદ્યમાં દિવાકરનક્તિએ પોતાને “આસાધિત સમસ્ત સિદ્ધાંતામૃતપારાવાર’ બતાવ્યા છે. ઉમાસ્વાતિકૃત ૧. વિશેષ જિજ્ઞાસુ “જતકતિલક' – “જૈન સંદેશ' (શોધાંક ૨૮), ભાગ-૨૭, સં. ૪૮, મથુરા ૧૯૬૪, માં પ્રકાશિત મારો લેખ જુએ. Page #59 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ ૩૧. તત્ત્વાર્થસૂત્રમાં દસ અધ્યાય છે એટલે વૃત્તિમાં પણ દસ જ પ્રકરણ રાખવામાં આવ્યા છે. વસ્તુતઃ દિવાકરનદિ વિશુદ્ધ ચરિત્ર તથા સદ્ગુણોના ધારક, યોગી શ્રેષ્ઠ, જૈનધર્મ પ્રત્યે દઢ શ્રદ્ધાળુ અને દેશીગણના ભૂષણરૂપ એક પ્રૌઢ વિદ્વાન પણ હતા. શાંતિનાથ તેમણે “સુકુમારચરિત' નામક ચંપૂકાવ્ય લખ્યું છે. આ વાત શિકારિપુરના ૧૩૬મા શિલાલેખમાં પણ અંકિત છે. શિલાલેખ શા. શક સં. ૯૯૦ (કીલક સંવત્સર)માં લખવામાં આવ્યો છે. કવિ શાંતિનાથ ભુવનૈકમલ્લ (ઈ.સ.૧૦૬૮૧૦૭૬)ના સામંત લક્ષ્મ નૃપના મંત્રી હતા. તેમના ગુરુ વ્રતિ વર્ધમાન, પિતા ગોવિંદરાજ, અગ્રજ કન્નપાર્થ, અનુજ વાભૂષણ અને રેવણ હતા. નૃપ લક્ષ્મ તેમના સ્વામી હતા. તેમણે પોતાને દંડનાથપ્રવર, પરમજિનપદામ્બોજિની રાજહંસ, સરસ્વતી મુખમુકર, સહજકવિ, ચતુરકવિ, નિસ્સહાયકવિ બતાવ્યા છે. આ તેમની પદવીઓ જણાય છે. શાંતિનાથ નૃપ લક્ષ્મના મંત્રી જ નહોતા, વનવાસીના અર્થાધિકારી, કાર્યધુરંધર અને તદ્રાજ્યસમુદ્ધારક પણ હતા. પૂર્વોક્ત શિલાલેખના આધારે કવિ શાન્તિનાથનો સમય ઈ.સ.૧૦૬૮ નિશ્ચિત માનવામા આવ્યો છે. શાન્તિનાથના આદેશથી નૃપ લક્ષ્મ બલિગ્રામના શાન્તિનાથ જિનાલયનો શિલાન્યાસ કર્યો હતો. પૂર્વોક્ત શિકારિપુરના શિલાલેખમાં કવિ શાંતિનાથની ઘણી સ્તુતિ કરવામાં આવી છે. સુકુમારચરિતેમાં ૧૨ આશ્વાસ છે. તિર્યગુપસર્ગોનું વર્ણન કરનારી ભવાવલિઓથી યુક્ત આ પૌરાણિક કથા મનોહર તથા માર્મિક છે. વિદ્વાનોની માન્યતા છે કે શાંતિનાથે કોઈ અનિર્દિષ્ટ પ્રાકૃત મૂળમાંથી વારાધનમાં આવેલ “સુકુમારસ્વામિકથા ઉપરથી જ આ ગ્રંથની કથાવસ્તુ લીધી હશે. સંસ્કૃત અને કન્નડમાં ઉપલબ્ધ અન્યાન્ય સુકુમારચરિત્રો શાંતિનાથના આ સુકુમારચરિત્રની પછીની રચનાઓ છે. આ કાવ્યમાં સૂરદત્ત તથા યશોભદ્રાના પુત્ર સુકુમારનું ચરિત્ર સુંદર રીતે વર્ણિત છે. સુકુમાર યશોભદ્રાચાર્યના ઉપદેશથી જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કરી વિરક્ત થઈ જાય છે તથા ઉક્ત આચાર્ય પાસેથી જ દીક્ષા ગ્રહણ કરી અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. વિદ્વાનોનો મત છે કે શાંતિનાથનું આ કાવ્ય મહાકાવ્ય રત્ર, પોન્ન વગેરેના કાવ્યોથી નિમ્ન સ્તરનું નથી. વસ્તુતઃ શાંતિનાથ એક પ્રૌઢ કવિ હતા. પોતાની પ્રતિજ્ઞાનુસાર તેઓ આ Page #60 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ કાવ્યરચનાથી કૃતકૃત્ય થયા છે. કવિએ પોતાની કૃતિમાં પારિભાષિક શબ્દોની અપેક્ષાએ સુલભ શબ્દોનો જ પ્રયોગ વધારે કર્યો છે. કાવ્યનું વર્ણન હૃદયંગમ તથા સજીવ છે. પાત્ર-રચનામાં કવિએ પોતાના કુશળતાનો સારો પરિચય આપ્યો છે. આ કાવ્યનું એક વધુ વૈશિષ્ટટ્ય છે તેનો કથાનિરૂપણક્રમ. એમાં સંદેહ નથી કે નયસેન જેવા કથાલેખકો માટે શાંતિનાથ માર્ગદર્શક છે. તેમ છતાં કવિ શાંતિનાથ પર વડારાધનેનો પ્રભાવ રહ્યો હોય તેવી ઘણી સંભાવના છે. “સુકુમારચરિતે'માં વાતાવરણનું નિરૂપણ ખૂબ જ સ્વાભાવિક છે. આ કાવ્ય શિવમોગ્ગના કર્ણાટકસંઘ તરફથી પ્રકાશિત થઈ ચૂક્યું છે. નાગચંદ તેમણે પોતાની રચનાઓમાં પોતાના દેશ, કાળ અને વંશ વગેરે સંબંધમાં કંઈ પણ ઉલ્લેખ નથી કર્યો. પરિણામે તેમના દેશ, કાળ અને વંશ વગેરે વિશે આ સમયે નિશ્ચિત રૂપે કંઈ પણ નથી કહી શકાતું. શ્રી. આર. નરસિંહાચાર્ય, શ્રી દત્તાત્રેય બેન્દ્ર વગેરે કેટલાક વિદ્વાનોનો મત છે કે વિજયપુર અર્થાત્ વર્તમાન બીજાપુર નાગચન્દ્રનું જન્મસ્થાન હોઈ શકે છે. તેનું કારણ એમ બતાવવામાં આવે છે કે કવિએ સ્વયં લખ્યું છે કે “વિજયપુરમાં શ્રી મલ્લિનાથ-જિનાલયનું નિર્માણ કરાવી મેં મલ્લિનાથ પુરાણની રચના કરી છે.' પરંતુ શ્રી ગોવિંદ ૫ નંજેશ્વર આની સાથે સહમત નથી. તેઓ નાગચન્દ્રની કૃતિઓ (પંપરામાયણ તથા મલ્લિનાથપુરાણ)નાં કેટલાંક પદ્યોના આધારે વનવાસી કે તેની પશ્ચિમ સીમા પર અવસ્થિત સમુદ્રતીરવર્તી કોઈ સ્થાનનું કવિના જન્મસ્થળ તરીકે અનુમાન કરે છે (જુઓ – અભિનવ પંપમાં પ્રકાશિત તેમનો લેખ). ગોવિંદ પૈનું કહેવું છે કે કોઈ પણ જનશ્રુતિ નિરાધાર નથી હોતી. જો એ વાત યથાર્થ હોય તો માનવું પડશે કે નાગચન્દ્ર પોતાની પૂર્વાવસ્થામાં ચાલુક્ય ચક્રવર્તીના મહામંડલેશ્વર હોસલ વિષ્ણુવર્ધનની રાજધાની દ્વારસમુદ્રમાં જઈને કેટલોક સમય સુધી રહ્યા અને ત્યાં તેમણે કવયિત્રી કંતિને સમસ્યાઓ આપી હતી. મલ્લિનાથપુરાણ (આશ્વાસ ૧, પદ્ય ૪૦)માં પ્રતિપાદિત જિનકથા નાગચન્દ્ર પ્રાય: વિષ્ણુવર્ધન (ઈ.સ.૧૧૧૦-૧૧૧૫)ની સભામાં જ રચી હશે. જે રીતે તેમના પૂર્વવર્તી મહાકવિ રન્ન પ્રથમ સાયન્નના, પછીથી મહામંડલેશ્વરના અને અંતે ચાલુક્ય ચક્રવર્તીની સભામાં પહોંચ્યા હતા, તે જ રીતે નાગચન્દ્ર પણ Page #61 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ ૩૩ વિષ્ણુવર્ધનની સભામાંથી બીજાપુર જઈને ત્યાંના ચાલુક્ય યુવરાજ મલ્લિકાર્જુનની સભામાં રહ્યા હશે અને લગભગ ૧૧૨૦ ઈ.માં બીજાપુરનો શિલાલેખ લખ્યો હશે. બિજાપુરના શિલાલેખના પદ્ય માં ઉલ્લેખિત મલ્લિકાર્જુનના પ્રોત્સાહન તથા સહાયથી જ કવિ નાગચન્દ્ર વિજયપુર (બીજાપુર)માં મલ્લિદેવના નામ મલ્લિજિનેન્દ્રનું મંદિર બનાવ્યું હશે અને ત્યાં જ “મલ્લિનાથપુરાણ'ની રચના કરી હશે. સંભવતઃ ગ્રંથ સમાપ્ત થતાં પહેલાં જ મલ્લિકાર્જુન સ્વર્ગવાસી થઈ ગયા હશે અને એટલા માટે પછીથી તેમના અનુજ તૃતીય સોમેશ્વરની સભામાં રહીને કવિ નાગચજે ઉપર્યુક્ત મલ્લિનાથપુરાણ પૂરું કર્યું હશે. મલ્લિનાથપુરાણના “નિનવિમવોઃાં સનાત' નામક પદ્યથી જાણ થાય છે કે કવિ નાગચન્દ્ર ઘણા સંપન્ન હતા. તેમના ગ્રંથોથી જાણ થાય છે કે કવિને ભારતીકપૂર, કવિતામનોહર, સાહિત્યવિદ્યાધર, ચતુરકવિ, નાસ્થાનરત્નપ્રદીપ, સાહિત્ય-સર્વજ્ઞ અને સૂક્તિમુક્તાવલંસ પદવીઓ મળી હતી. નાગચન્દ્રના ગુરુ મુનિ બાલચન્દ્ર હતા. પરંતુ બાલચન્દ્ર નામક ઘણી વ્યક્તિ થઈ છે. એટલા માટે તેમાંથી કવિ નાગચન્દ્રના ગુરુ મુનિ બાલચન્દ્ર કયા હતા, તે કહેવું મુશ્કેલ છે. શ્રી ગોવિન્દ પૈ નંજેશ્વરનો મત છે કે શ્રવણબેલગોળના ૧૫૮મા શિલાલેખમાં અંકિત બાલચન્દ્ર જ નાગચન્દ્રના ગુરુ હશે. પરંતુ આ શિલાલેખના ઘણા અક્ષરો જ્યાં-ત્યાં ઘસાઈ ગયા છે જેથી મુનિ બાલચન્દ્ર સંબંધમાં વિશેષ કંઈ પણ જાણી શકાતું નથી. દુર્ભાગ્યે શિલાલેખમાં લેખનકાળ પણ નથી આપવામાં આવ્યો. છતાં પણ શ્રી ગોવિન્દ પૈનો એવો સુનિશ્ચિત મત છે કે નાગચન્દ્ર દ્વારા પોતાના મલ્લિનાથપુરાણ (આશ્વાસ ૧, પદ્ય ૨૦) તથા પંપરામાયણ (આશ્વાસ ૧, પદ્ય ૧૯)માં સ્તુત સ્વગુરુ બાલચન્દ્ર ઉપર્યુક્ત બાલચન્દ્ર જ છે (જુઓ, “અભિનવ પંપમાં પ્રકાશિત ગોવિન્દ પૈનો લેખ). કર્ણપાર્ય (લગભગ ૧૧૪૦ ઈ.) દુર્ગસિંહ (લગભગ ૧૧૪૫ ઈ.), પાર્શ્વ (ઈ.સ.૧૨૦૫), જa (ઈ.સ.૧૨૦૯), મધુર (ઈ.સ. લગભગ ૧૩૮૫), મંગરસ (ઈ.સ.૧૫૦૮) વગેરે માન્ય કવિઓએ નાગચન્દ્રની સ્તુતિ કરી છે. નાગવર્મ કેશિરાજ વગેરે લક્ષણ ગ્રંથકારોએ પણ ઉદાહરણરૂપે નાગચન્દ્રના ગ્રંથોનાં પદ્યો ઉદ્ધત કર્યા છે. જન્મસ્થાન વગેરેની જેમ કવિ નાગચન્દ્રના કાળ સંબંધમાં પણ વિદ્વાનોમાં મતભેદ છે. “કર્ણાટકકવિચરિત'ના વિદ્વાનું લેખક શ્રી નરસિંહાચાર્યનું અનુમાન છે Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ કે નાગચન્દ્રનો સમય લગભગ ૧૧૦૦ ઈ. રહ્યો હશે (કર્ણાટકકવિચરિતે, પૃષ્ઠ ૨૯). શ્રી ગોવિન્દ પૈનું અનુમાન છે કે કવિ નાગચન્દ્રનો જન્મ ઈ.સ.૧૦૯૦માં થયો હશે. એમ પણ કહેવું છે કે મલ્લિનાથપુરાણની રચના સમયે કવિની વય ચાલીસની અને પંપરામાયણની રચના સમયે પચાસની રહી હશે. આ રીતે તેમનું અનુમાન છે કે મલ્લિનાથપુરાણનો રચનાકાળ ઈ.સ.૧૧૩૦ની પહેલાં અને પંપરામાયણનો રચનાકાળ ઈ.સ.૧૧૪૦ રહ્યો હશે (“અભિનવપંપ'માં પ્રકાશિત તેમનો લેખ જુઓ). આથી ઉપર્યુક્ત બંને વિદ્વાનોના મતે કવિ નાગચન્દ્રનો સમય નિસંદેહ અગિયારમી શતાબ્દીનો ઉત્તરાદ્ધ અથવા બારમી શતાબ્દીનો પૂર્વાદ્ધ રહ્યો હશે. નાગચન્દ્રના કાલનિર્ણય માટે પોતાના “કવિચરિતે'માં આર. નરસિહાચાર્ય જે પ્રમાણ ઉપસ્થિત કર્યા છે, તે પર કેટલાક અન્ય પ્રમાણો સાથે શ્રી ગોવિન્દ પૈએ પોતાના વિમર્શાત્મક લેખમાં વિસ્તારથી ચર્ચા કરી છે. તેમાં સંદેહ નથી કે આ મહત્ત્વપૂર્ણ લેખમાં આ સંબંધે ઘણો પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. તેમ દેવચન્દ્ર (ઈ.સ.૧૮૩૮)ના મતે “જિનમુનિતનય” અને “જિનાક્ષરમાલા' પણ નાગચન્દ્રની કૃતિઓ છે, પરંતુ જિનમુનિતનયના સાહિત્યિક પ્રસ્તુતીકરણને જોતાં તેને નાગચન્દ્રની કૃતિ માનવી યોગ્ય નથી, કેમકે નાગચન્દ્રની રચનાઓ સાથે તેનો બિલકુલ મેળ નથી બેસતો. એમ લાગે છે કે આ કૃતિ પરવર્તી કોઈ સામાન્ય કવિ દ્વારા રચવામાં આવી છે. આર. નરસિંહાચાર્યને મળેલી જિનમુનિતનયની તાડપત્રીય પ્રતના અંતિમ પદ્યમાં “મુનિનૂતનાગચન્દ્ર' શબ્દ અંકિત છે જેનાથી જાણી શકાય છે કે જિનમુનિતનયના રચયિતાએ પોતાનું નામ અભિનવ નાગચન્દ્ર રાખી લીધું હતું. પરંતુ જિનમુનિતનયની મુદ્રિત પ્રતમાં ઉપર્યુક્ત “કવિનૂતનાગચન્દ્રના સ્થાને “યતિવિનૂતનાગચન્દ્ર' છપાયેલું છે. એમ જણાય છે કે આનાથી જ આ કૃતિ નાગચન્દ્રરચિત સમજવામાં આવી છે. જ્યાં સુધી જિનાક્ષરમાલાનો સંબંધ છે, આ નામની એક લઘુકાય કૃતિ એ. એચ. શેષઅઠંગારે સંપાદિત કરી મદ્રાસથી પ્રકાશિત કરી છે. આના રચયિતા મહાકવિ પોન્ન છે. સંભવ છે કે આ જ નામની બીજી કૃતિ નાગચન્દ્ર દ્વારા રચવામાં આવી હોય. નાગચન્દ્રનું બીજું નામ અભિનવ પંપ હતું. તેમના ઉપલબ્ધ બે ગ્રંથોમાં પહેલો મલ્લિનાથપુરાણ અને બીજો પંપરામાયણ છે. પંપરામાયણનું અપરનામ રામચન્દ્રચરિતપુરાણ છે. શ્રી ગોવિન્દ ૨, દત્તાત્રેય બેન્દ્ર વગેરે વિદ્વાનોનો મત છે કે આમાંથી પહેલાં મલ્લિનાથપુરાણ અને પછીથી પંપ રામાયણની રચના Page #63 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ ૩૫ કરવામાં આવી હતી. પહેલા ગ્રંથનું ગ્રંથપ્રમાણ ગદ્ય-પદ્ય સાથે મળી ૨૦૩૧ છે જયારે બીજા ગ્રંથમાં માત્ર ૨૩૪૩ પદ્ય છે. બંનેનો બંધ બહુ જ લલિત તથા મનોહર છે. બંને ગ્રંથોના આશ્વાસોના અંતે નિમ્ન ગઘાંશ લખાયેલો મળે છે, "इदु (1) परमजिनसमयकुमुदनीशरच्चन्द्रबालचन्द्रमुनीन्द्रचरणनखकिरणचन्द्रिकाचकोरं भारतीकर्णपूरं श्रीमदभिनव-पंपविरचितमप्पः । મલ્લિનાથપુરાણની કથા નાની છે. માત્ર રસપુષ્ટિ તથા આનુષંગિક વર્ણનોને કારણે ગ્રંથનું પ્રમાણ વધી ગયું છે. તેમ છતાં આમાં કલ્પનાસ્વાતંત્ર્ય માટે પર્યાપ્ત શક્યતા હતી. મલ્લિનાથની અપેક્ષાએ પંપરામાયણ મોટું છે. આમાં પાત્રોનું ચરિત્રચિત્રણ બહુ જ સુંદર ઢંગથી થયું છે. ગ્રંથમાં લૌકિક અનુભવનો પુટ પણ યથેષ્ટ રૂપે મળે છે. નાગચન્ટ મલ્લિનાથપુરાણનાં એક-બે જ નહિ, પરંતુ અનેક મહત્ત્વપૂર્ણ સુંદર પદ્યો પંપરામાયણમાં લઈ લીધા છે. કવિ આગમ, અધ્યાત્મ, અર્થશાસ્ત્ર, સાહિત્ય વગેરે બધા વિષયોમાં નિષ્ણાત હતા. તેમના ગુર મુનિ બાલચન્દ્ર પણ સકલગુણસંપન્ન ઉચ્ચકોટિના વિદ્વાનોમાંના હતા. આથી શિષ્ય નાગચન્દ્રનું તદનુરૂપ હોવું સર્વથા સ્વાભાવિક છે. શાંતરસ કવિને અધિક પ્રિય હતો. આથી તેમની બંને કૃતિઓ શાંતરસપ્રધાન છે. આમાં નિઃશ્રેયસ પદપ્રાપ્તિની લાલસાની સાથોસાથ ગુરુનો પ્રભાવ પણ મુખ્ય હેતુ હોઈ શકે છે. પોતાના શ્રદ્ધેય ગુરુ વિશે નાગચન્દ્રની અસીમ ભક્તિ હતી. તેમાં સંદેહ નથી કે કવિનાં તન, મન અને ધન આ ત્રણેય જિનેન્દ્રદેવની સેવા માટે જ અર્પિત હતાં. એટલા માટે જિનાર્ચના અને જિનગુણવર્ણનની સાથે સાથે તેમણે વિજયપુરમાં મલ્લિનાથજિનાલયનું નિર્માણ કરાવી પોતાના વૈભવને સફળ બનાવ્યો હતો. પરમજિનભક્તિ, આચાર્યપાદપધ્રોપજીવી નાગચન્દ્ર પોતાના કાવ્ય તથા સદાચરણ માટે અમર રહેશે. બેન્દ્રજીનું અનુમાન છે કે મહાકવિ હોવાની પહેલાં નાગચન્દ્રને શિલાલેખોના કવિ હોવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત હતું કેમકે વિજયપુરના શિલાલેખોમાં જ નહિ પરંતુ શ્રવણબેલગોળના કેટલાય શિલાલેખોમાં તેમના ઘણાં પદ્ય વિદ્યમાન છે. તેમાં સહેજ પણ સંદેહ નથી કે જૈન કવિઓએ જ મુખ્યત્વે શાંતરસને અપનાવ્યો છે. કાવ્યાધ્યયનનો ઉદેશ્ય રાગદ્વેષ વધારવાનો નથી, પરંતુ અનંત સુખની આધારભૂત દર્શન વિશુદ્ધિની પ્રાપ્તિ છે. એક ધર્મનિષ્ઠ વ્યક્તિ કવિઓ પાસેથી ચક્રવર્તીના અસીમ વૈભવ કે દેવેન્દ્રના સ્વર્ગીય સુખનું વર્ણન સાંભળવા નથી માગતો, કેમકે તે બધું નશ્વર છે. તે ચાહે છે અક્ષય સુખને મેળવવાનો સુગમ તથા નિષ્કટક ઉપાય Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ બતાવનાર મહાપુરુષોનાં સફળ જીવનચરિત્ર જે તેના હૃદયને સકંપ તથા દ્રવીભૂત કરીને તેના જ ચરણોમાં તલ્લીન કરી શકે. પ્રતિભાપુંજ મહાકવિ નાગચન્દ્રમાં આ ગુણ મોજૂદ હતો. વર્ણનીય ચરિત્ર એકજ જન્મનું હોય કે અનેક જન્મોનું, જો કવિ તેમાં એક ક્રમ નિર્ધારિત કરવામાં સમર્થ હોય તો તેની પ્રતિભા પ્રશસ્ત છે. તેમાં સંદેહ નથી કે નાગચ મલ્લિનાથના બંને જન્મોનાં પાવન ચરિત્રને ખૂબ જ બુદ્ધિમત્તાથી એક મહાજન્મના પૂર્વાપર રૂપે ચિત્રિત કર્યા છે. તેમાં ઉત્તર જન્મ સંબંધી મધુર ફળોનાં મુખ્ય બીજ પૂર્વ જન્મનાં ચરિત્રમાં સ્પષ્ટ ઝળકે છે. કથાવસ્તુમાં અપૂર્વતા લાવવામાં કવિ સમર્થ થયા છે. તેમાં સંદેહ નથી કે કવિનું રચના-કૌશલ સર્વથા પ્રશંસનીય છે. નાગચન્દ્ર પોતાના મલ્લિનાથપુરાણમાં મહાકવિ પંપ દ્વારા પ્રતિપાદિત (૧) ભુવન (૨) દેશ (૩) પુર (૪) રાજવૃત્ત (પ) અવિભવ (૬) ચતુર્ગતિ (૭) તપોમાર્ગ અને (૮) ફળ આ આઠ કથાનકોને જ સહર્ષ અપનાવ્યાં છે. શ્રી બેન્દ્ર અનુસાર, મલ્લિનાથપુરાણના ૨૦૩૧ ગદ્ય-પદ્યોમાંથી લગભગ ૨૩પ૦ ગદ્ય-પદ્ય દેશ, પુર, રાજવૃત્ત વગેરેનાં વર્ણન માટે જ રચવામાં આવ્યા છે. જનસાધારણની જીવનશૈલીને કવિએ વિસ્તારપૂર્વક ખૂબ જ ચિત્તાકર્ષક રીતે પ્રસ્તુત કરી છે. તેમાં માનવસુખની ચરમ સ્થિતિ સાથે સાથે જ જૈનેન્દ્ર પદની સર્વોત્કૃષ્ટતાનું પણ વર્ણન છે. નાગચન્દ્ર અર્થાતરન્યાસના અધિક પ્રેમી હતા, ફળસ્વરૂપ મલ્લિનાથપુરાણમાં તેની બહુલતા છે. • પંપરામાયણ એક સરસ મહાકાવ્ય છે. તેનો આદર્શ ઈસુની સાતમી શતાબ્દીમાં આચાર્ય રવિણ દ્વારા સંસ્કૃતમાં રચિત પદ્મપુરાણ છે. સંસ્કૃત પદ્મપુરાણનો આદર્શ ઈ.સ. પ્રથમ શતાબ્દીમાં વિમલસૂરિ દ્વારા રચિત પ્રાકૃત “પઉમરિયમુ” છે. જૈન પરંપરાગત રામચરિત્ર જ આ પંપ-રામાયણનો પ્રતિપાદ્ય વિષય છે. તેમાં નાયક રામચન્દ્રના ચરિત્રના અંગસ્વરૂપ વાસુદેવ લક્ષ્મણ અને પ્રતિવાસુદેવ રાવણનું ચરિત્ર, ચક્રવર્તી, ગણધર તથા કુલકરોનાં ચરિત્ર તથા ચતુર્ગતિ, લોકસ્વરૂપ અને કાલસ્વરૂપ વગેરે વિષયોનું પણ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે (પંપરામાયણ, આશ્વાસ ૧, પદ્ય ૪૧). રામચન્દ્ર, લક્ષ્મણ, રાવણ, સીતા, નારદ, હનુમાન, વાલિ તથા સુગ્રીવ પંપરામાયણના પ્રધાન પાત્રો છે. જીવનું અંતિમ લક્ષ્ય મોક્ષની સાધના તપસ્યા છે. તપસ્યામાં પ્રવૃત્તિ વિરક્તિ દ્વારા જ થાય છે. આથી પાઠકોને આમાં તેમની Page #65 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ ૩૭ વિરક્તિનાં અપૂર્વ દશ્ય પણ જોવા મળશે. આ જ રીતે આમાં જન્માંતરની કથાઓનાં દશ્યો પણ વર્ણિત છે. વૈભવશાળી મોટા-મોટા રાજા-મહારાજા પણ સામાન્યમાં સામાન્ય નિમિત્ત મળતાં કઈ રીતે સંસારથી વિરક્ત થઈને આત્મ હિતાર્થ કઠિનથી કઠિન તપસ્યા કરવામાં પ્રવૃત્ત થઈ જાય છે, તેવી અદૂભુત ઘટનાઓ પણ પંપરામાયણમાં પ્રચુર પરિમાણમાં મળે છે. અહીં વાલ્મીકીય રામાયણ તથા પંપરામાયણમાં મળતા કેટલાક મુખ્ય ભેદનો પણ ઉલ્લેખ કરવો આવશ્યક છે. પંપરામાયણમાં રામની માતા અપરાજિતા અને શત્રુઘ્નની માતા સુપ્રભા દર્શાવવામાં આવી છે. સુમિત્રાનો લક્ષ્મણ એકમાત્ર પુત્ર હતો. જૈનપુરાણ અનુસાર રામ વિષ્ણુનો અવતાર નથી, પરંતુ બલદેવ છે અને લક્ષ્મણ શેષના અવતાર નથી, પરંતુ વાસુદેવ છે. આ જ રીતે રાવણ પ્રતિવાસુદેવ છે. રામ ધર્મનાયક, લક્ષ્મણ વીરનાયક અને રાવણ પ્રતિવાસુદેવ છે. રાવણનો વધ રામ નહિ પરંતુ લક્ષ્મણ કરે છે. સીતા ભૂમિજા નહિ, પરંતુ જનકની પુત્રી છે. સીતાને પ્રભામંડલ નામક ભાઈ પણ હતો. આમાં વિશ્વામિત્ર, પરશુરામ અને મંથરાની ચર્ચા જ નથી. સુગ્રીવ, વાલિ વગેરે વાનર નહિ પરંતુ વાનરવંશીય વિદ્યાધર હતા. તેમના ધ્વજો પર કપિનું ચિહ્ન રહેતું હતું. રાવણ સાથે તેમનો સંબંધ પણ હતો. વરુણના યુદ્ધમાં હનુમાને રાવણની મદદ પણ કરી હતી. અહીં રામ દ્વારા વાલિના વધનો ઉલ્લેખ જ નથી. આ જ રીતે પંપ-રામાયણમાં સેતુબંધનો ઉલ્લેખ નથી. કપિધ્વજ વિદ્યાધરો આકાશગામિની વિદ્યાના બળે સમુદ્ર પાર કરે છે. પંપરામાયણ અનુસાર રાક્ષસ અને વાનર બંને ય વિદ્યાધરવંશના હતા. હનુમાન રાવણની બહેનના જમાઈ હતા. રાવણના દુરાચારથી રિસાઈને હનુમાન અને વિભીષણ રામ સાથે આવી મળ્યા. રાવણ રાક્ષસ ન હતો, પરંતુ રાક્ષસવંશનો હતો. તેના દસ મસ્તક પણ ન હતાં. શંબુક રુદ્ર નહોતો, રાવણની બહેન ચન્દ્રનખાનો દીકરો હતો. “સૂર્યહાસ” ખગ માટે તપસ્યા કરતાં તેને લક્ષ્મણે ભ્રાંતિવશ માર્યો હતો, જે રાવણ દ્વારા સીતાપહરણનું એકમાત્ર કારણ બની ગયો. રામનો વર્ણ ગોરો અને લક્ષ્મણનો શ્યામ હતો અને લક્ષ્મણે જ રાવણને માર્યો હતો, રામે નહિ. રામ તે જ ભવમાં મોક્ષે ગયા છે. ૧. વિશેષ માટે “જૈન સંદેશ શોધાંક ૧૨માં પ્રકાશિત “જૈન રામાયણકે વિવિધ રૂપશીર્ષકમારો લેખ જુઓ. Page #66 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ પંપરામાયણમાં સીતા દ્વારા અગ્નિપ્રવેશની ઘટના રામ-રાવણ યુદ્ધ પછી તથા અયોધ્યા જતાં પહેલાં ઘટિત નથી થતી, પરંતુ તેથી ઉલટું લવ-કુશના જન્મ પછી ઘટિત થાય છે. વસ્તુતઃ અગ્નિપ્રવેશ પછી વિરક્ત થઈ, તે જિન-દીક્ષા જ લઈ લે છે. વિરક્તિનું કારણ એકમાત્ર તેની પર લગાવવામાં આવેલ મિથ્યા લાંછન જ હતું. લક્ષ્મણનો અદ્ભુત ભ્રાતૃપ્રેમ, સીતાનો અસીમ પતિપ્રેમ, વૈભવશાળી સુંદર અને શૂરવીર હોવા છતાં પણ પરદારાભિકાંક્ષી રાવણનો સીતા દ્વારા તિરસ્કાર, અહિંસાદિ વ્રતોનું માર્મિક વર્ણન, વાનર, હાથી વગેરે પશુઓનો ધર્મ પર અચલ પ્રેમ, મુનિ-આર્થિકા વગેરે ત્યાગી-તપસ્વીઓનાં આદર્શ ચરિત્રોનું સજીવ વર્ણન વગેરે પ્રસંગો સામાન્ય જનતા પર પણ ઊંડો પ્રભાવ પાડે છે. ૩૮ પંપરામાયણમાં વિશ પાઠક રાવણને માનવોચિત દયા, ક્ષમા, સૌજન્ય, ગાંભીર્ય તથા ઔદાર્ય વગેરે મહાન ગુણોથી યુક્ત જોશે. જૈન રામાયણમાં જ નહિ, પરંતુ વાલ્મીકિરામાયણમાં પણ કેટલાક સ્થાનો પર રાવણને ‘મહાત્મા’ શબ્દથી સંબોધિત કરવામાં આવ્યો છે (સુંદરકાંડ, સર્ગ ૫, ૧૦, ૧૧). એટલું જ નહિ, વાલ્મીકિ રામાયણથી એમ પણ સિદ્ધ થાય છે કે રાવણની રાજધાનીમાં ઘરે-ઘરે વેદપાઠી વિદ્વાન હતા અને પ્રત્યેક ઘરમાં હવનકુંડ હતો. ધર્માત્મા રાવણના મહેલોમાં ક્યારેય કોઈ પણ અશુભ કાર્ય નહોતું કરવામાં આવતું, પરંતુ પ્રતિપાદિત શુભ કર્મ જ કરવામાં આવતાં હતાં (સુંદરકાંડ, સર્ગ ૬ તથા ૧૮).૧ - પંપરામાયણના નિમ્નલિખિત પ્રકરણોનું વર્ણન વિશેષ ઉલ્લેખનીય છે – (૧) સ્વયંવર પછી સીતાને જોવા કુતૂહલથી નારદ મુનિ રૂપે આકાશ માર્ગે મિથિલા આવે છે અને મોકો મેળવીને અંતઃપુરમાં પ્રવેશ કરી જાય છે. છદ્મવેશી નારદને સીતા અચાનક જોઈ જાય છે અને તેમના વિચિત્ર રૂપથી ભયભીત થઈ, તે જોરથી ચીસ પાડી ઊઠે છે. તે દયનીય અવાજ સાંભળી અંતઃપુરની રક્ષિકાઓ દોડી આવે છે. ત્યાં સુધીમાં નારદ પોતાના અનુચિત વ્યવહાર માટે સ્વયં લજ્જિત થઈને, ત્યાંથી પાછા ચાલી નીકળે છે. આ વર્ણન સ્વાભાવિક સુંદર તથા ખૂબ જ હૃદયગ્રાહી છે. આનો અનુભવ એક ભુક્તભોગી જ કરી શકે છે. આ વર્ણનમાં સત્ય, સૌંદર્ય તથા ચાતુર્ય વગેરે બધું અન્તર્હિત છે (પંપરામાયણ, આશ્વાસ ૪, પદ્ય ૮૦-૮૮). ૧. ‘જૈન સિદ્ધાન્ત-ભાસ્કર', ભાગ ૬, કિરણ ૧માં પ્રકાશિત ‘જૈન રામાયણ કા રાવણ’શીર્ષક મારો લેખ જુએ. Page #67 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ ૩૯ (૨) એમ જણાય છે કે નાગચન્દ્ર ઉદંડ ઘોડાઓની ચાલથી સારી રીતે પરિચિત હતા. સાથે સાથે જ ઘોડા પર ચડવું તેઓ ખૂબ પસંદ કરતા હતા. એટલા માટે એતજન્ય કવિનો અનુભવ સર્વથા શ્લાઘનીય છે (પંપરામાયણ, આશ્વાસ ૪, પદ્ય ૧૦૫, ૨૦૬, ૨૦૮, ૧૧૧, ૧૧૨, ૧૧૪, ૧૧૮ અને ૧૨૦) (૩) સીતાનું પતિવિયોગજન્ય તથા રામનું પત્નીવિયોગજન્ય અસીમ દુઃખ પંપરામાયણમાં ખૂબ જ હૃદયવિદારક રીતે વર્ણિત છે. આ વર્ણન વાંચવાથી વસ્તુતઃ પાઠકોની આંખો ભરાઈ જાય છે અને મર્યાદાપુરુષોત્તમ રામચન્દ્ર તથા પતિવ્રતાશિરોમણિ સીતા પ્રત્યે સહાનુભૂતિ પેદા થાય છે (પંપરામાયણ, આશ્વાસ ૭, પદ્ય ૧૦૭, ૧૧૧, ૧૧૩, ૧૧૬, ૧૧૭ અને ૧૧૮). (૪) આ જ રીતે “મલ્લિનાથપુરાણ'માં વસંતોત્સવનું વર્ણન પણ સર્વથા પઠનીય છે. આ વર્ણનમાં ખાસ કરીને મામર – મલ્લિકાલતાઓનું વિવાહવર્ણન એક કુતૂહલોત્પાદક વસ્તુ છે (મલ્લિનાથપુરાણ, આશ્વાસ ૬, પદ્ય ૪૦, ૪૩, ૪૪, ૪૫ અને ૪૬). નાગચન્દ્ર એક રસિક કવિ હતા. સાથે સાથે જ તેમનામાં અગાધ પાંડિત્ય પણ હાજર હતું. આ કૃતિઓમાં સર્વત્ર કવિની અનુપ્રાસપ્રિયતા સ્પષ્ટ દૃષ્ટિગોચર થાય છે. યમકના પ્રયોગથી તેનું કાવ્યસૌંદર્ય વધી ગયું છે. સારાંશ રૂપે નાગચન્દ્રના ગ્રંથોમાં અનુનાસિક, દંત્ય અને અનુસ્વારના આધિક્યથી પ્રાપ્ત સૌંદર્ય વસ્તુતઃ દર્શનીય છે. બારમી શતાબ્દીમાં કન્નડની ભેરી વગાડનાર પ્રથમ કવિ અભિનવપંપના નામે વિખ્યાત નાગચન્દ્ર જ છે. મહાકવિ નાગચન્દ્ર એક ઉદામ કવિ છે. તેમના ગ્રંથોમાં ક્ષાત્રધર્મની અપેક્ષાએ ભક્તિ તથા વૈરાગ્યનો પ્રવાહ જ વિશેષ રૂપે દૃષ્ટિગોચર થાય છે. કવિની કૃતિઓ સર્વત્ર શાંતરસથી ઓતપ્રોત છે. આ જ રસને અનુરૂપ કવિની કાવ્યશૈલી પણ છે. મહાકવિ પંપ અને રન્નની અપેક્ષાએ નાગચન્દ્રની શૈલી લલિત અને સરળ છે. કંતિ હજી સુધી આ કવયિત્રીનો કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી મળ્યો. માત્ર “કંતિ હંપન સમસ્યગળ' નામથી તેના કેટલાક ફુટકળ પદ્ય ચોક્કસ મળ્યાં છે. દ્વારસમુદ્રના બલ્લાલરાયની સભામાં મહાકવિ અભિનવપંપ દ્વારા જે સમસ્યાઓ રાખવામાં આવી હતી, તે સમસ્યાઓની પૂર્તિ તેણે જ કરી હતી. ઉપર્યુક્ત સંગ્રહમાં પૂર્વોક્ત Page #68 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ સમસ્યાઓ તથા તેની પૂર્તિઓ સંગૃહીત છે. કવિ બાહુબલિએ (લગભગ ૧૫૬૦ ઈ.) પોતાના ‘નાગકુમારચરિત'માં દોર (બલ્લાલ)-સભાની મંગલલક્ષ્મી, શુભગુણચરિતા, અભિનવવાદેવી વગેરે સુંદર વિશેષણો દ્વારા સ્તુતિ કરી છે. આનાથી જ્ઞાત થાય છે કે કંતિ દ્વારસમુદ્રના બલ્લાલરાયની સભામાં પંડિતા રહી હશે. અભિનવવાદેવી તેની પદવી હતી. આ કવયિત્રી વિશે દેવચન્દ્રે પોતાની ‘રાજાવલી-કથે’માં આ મુજબ લખ્યું છે ૪૦ દોરાય દ્વા૨સમુદ્ર નામક એક વિશાળ જલાશયનું નિર્માણ કરાવી તથા ધર્મચન્દ્ર નામક એક બ્રાહ્મણને પોતાનો મંત્રી નિયુક્ત કરી સુચારુરૂપે ત્યાંનું રાજ્યકાર્ય કરતો હતો. મંત્રિપુત્ર સ્વયં અધ્યાપન-કાર્ય સંભાળતો તથા બાળકોને છંદ, અલંકાર, વ્યાકરણ અને કાવ્ય વગેરે બધા વિષયો ભણાવ્યા કરતો હતો. અધ્યાપક મંદબુદ્ધિવાળા બાળકોને મતિ-પ્રકાશનાર્થ ‘જ્યોતિષ્મતી’ નામક બુદ્ધિવર્ધક એક વિશિષ્ટ તેલ તૈયાર કરી તેમાંથી મંદબુદ્ધિવાળા બાળકોને અર્ધ બિંદુના પરિમાણથી આપ્યા કરતો હતો. તેલસેવનવિધિથી અનભિજ્ઞ કંતિએ પ્રાયઃ અધિક લાભના લોભે ગુરુજીની અનુપસ્થિતિમાં પાત્રસ્થ પૂરું તેલ એક જ વારમાં પી નાખ્યું. ફળરૂપે ઔષધજન્ય અસહ્ય ગરમી ન સહન થતાં તરત તે દોડીને કૂવામાં પડી ગઈ. ત્યાં કંઠપ્રમાણ પાણીમાં વધુ સમય સુધી રહેવાથી જ્યારે તેલની ગરમી ઓછી થઈ ત્યારે તે કૂવામાં ઊભી થઈને સુંદર કવિતાઓ બનાવવા લાગી. ત્યારે તે અપૂર્વ ઘટના જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા. તે વિચિત્ર સમાચાર તરત દોરાયના આસ્થાન (સભા મંડપ)માં પણ પહોંચી ગયા. આ વાતની વાસ્તવિકતાની ભાળ મેળવવા રાજા દોરે પોતાના આસ્થાનના ખ્યાતિપ્રાપ્ત મહાકવિ અભિનવપંપને મોકલ્યો. ઉભયભાષાકવિ પંપે ઘટનાસ્થળ પર પહોંચીને કંતિને એક બે નહિ, સેંકડો પ્રશ્નો કર્યા. કવયિત્રી કુંતિએ પણ બધા પ્રશ્નોના ઘટતા ઉત્તર આપીને સુયોગ્ય પરીક્ષક મહાકવિને ચકિત કરી દીધા. પછીથી મહાકવિ પંપે કંતિને રાજદરબારમાં પહોંચાડી. દરબારમાં દોરે તેની કવિતાથી પ્રસન્ન થઈને કંતિને પોતાના આસ્થાનની કવીશ્વરી ઘોષિત કરી અને કવિયત્રીને પોતાના આસ્થાનમાં જ રાખી. સંભવતઃ કંતિની ‘અભિનવ વાગ્યેવી'ની ઉપાધિ વલ્લભરાય દોર દ્વારા જ પ્રદાન કરવામાં આવી હતી. જો અભિનવપંપ દ્વારા કંતિને સમસ્યાઓ આપવાની Page #69 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ વાત યથાર્થ હોય તો કંતિ, પંપની સમસામયિક સિદ્ધ થાય છે. અભિનવપંપનો સમય લગભગ ૧૧૦૦ ઈ. છે. ઉપર્યુક્ત ગાળામાં પણ દ્વારસમુદ્રનો તત્કાલીન શાસક બલ્લાલ (ઈ.સ.૧૧૦૦-૧૧૦૬) જ હોવો જોઈએ. એમ જણાય છે કે તેની સભામાં પંપ, કંતિ વગેરે સુયોગ્ય કવિઓ અવશ્ય હતા. આજ સુધીના સંશોધન મુજબ કન્નડ કવિયિત્રિઓમાં કંતિ જ પ્રથમ કવયિત્રી છે. કેટલાક ફુટકળ ઉલ્લેખોથી જાણ થાય છે કે મહાકવિ પંપ અને કંતિ વચ્ચે બરાબર સંવાદ ચાલતો રહ્યો. સાથે સાથે જ એમ પણ કહેવામાં આવે છે કે કોઈ પ્રકરણમાં એક દિવસ પંપે કંતિ સમક્ષ એવું પણ લીધું કે ગમે તે થાય કોઈ દિવસ હું તારી પાસે ચોક્કસ મારી સ્તુતિ કરાવીશ. આ જટિલ સમસ્યા હલ કરવા માટે અભિનવપંપે એક દિવસ કંતિ પાસે પોતાના મૃત્યુના દુ:ખદ સમાચાર મોકલાવ્યા. આ ખબરથી કવિયત્રી કંતિ બહુ દુ:ખી થઈ અને દોડતી પંપના ઘરે પહોંચીને ‘કવિરાય, કવિપિતામહ, કવિકંઠાભરણ, કવિશિખા પંપ' વગેરે પદ્યો દ્વારા કંતિએ મહાકવિ પંપની મુક્તકંઠે પ્રશંસા કરી ત્યારે પંપ ઊઠીને બહાર આવ્યો અને પ્રસન્ન થઈને કંતિને કહ્યું કે ‘આજે મારું પૂર્વ પણ પૂરું થઈ ગયું.' કંતિ પણ મહાકવિને સામે જોઈને ખૂબ પ્રસન્ન થઈ. ‘કંતિહંપનસમસ્પેગળુ' નામનાં જે પદ્ય અત્યારે ઉપલબ્ધ થાય છે, તે સાહિત્યની દૃષ્ટિએ પણ સુંદર છે. કવયિત્રી કંતિના સંબંધમાં આનાથી અન્ય કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. નયસેન ૪૧ તેમણે ‘ધર્મામૃત’ની રચના કરી છે. નાગવર્મે (લગભગ ૧૧૪૫ ઈ.) પોતાના ‘ભાષાભૂષણ’ના ‘વીર્થોર્નિયસેનસ્ય' નામક સૂત્ર (૭૨)માં ઉપર્યુક્ત નયસેનના મતાનુસાર સંબોધનમાં દીર્થનો સ્વીકાર કર્યો છે. આનાથી સિદ્ધ થાય છે કે નયસેને એક કન્નડ વ્યાકરણ પણ રચ્યું હતું. પરંતુ હજી સુધી તેની પ્રતિ મળી નથી. કવિની કૃતિઓમાં એકમાત્ર ધર્મામૃત જ ઉપલબ્ધ છે. શ્રી નરસિંહાચાર્ય અનુસાર નયસેને આ ધર્મામૃત વર્તમાન ધારવાર જિલ્લા અંતર્ગત મુલુગુન્દમાં રચ્યું હતું. શ્રી આર. નરસિંહાચાર્યે પોતાના ‘કવિચરિતે’માં ‘િિશિધિવાયુમાર્પશશિસંશ્રે’ નામક ધર્મામૃતના આ અસમગ્ર પદ્યના આધારે આ ગ્રંથનો રચનાકાળ શક સંવત ૧૦૩૭ બતાવ્યો છે. પરંતુ તેમણે શંકા પ્રકટ કરી છે કે ઉક્ત પદ્યના ઉત્તરાર્ધ્વમાં Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ પ્રયુક્ત નંદન સંવત્સર ૧૦૩૭માં ન આવતાં ૧૦૩૪માં આવે છે. આનાથી તેઓ અનુમાન કરે છે કે “પ્રાયઃ જૈનમતાવલંબી ગિરિ શબ્દથી ૪નો અંક લે છે અને જો મારું આ અનુમાન યોગ્ય હોય તો ધર્મામૃત ઈ.સ. ૧૦૧૧માં રચવામાં આવ્યું હતું. પરંતુ મારી જાણકારીમાં ગિરિ શબ્દથી ૪નો અર્થ લેવો જૈનધર્મને પણ માન્ય નથી. એટલા માટે ઉપર્યુક્ત અંતરનું કારણ બીજું પણ કંઈક હોવું જોઈએ. આ કારણ શોધવું અત્યંત જરૂરી છે. આશ્વાસના આદ્યન્ત પદ્યોથી જાણ થાય છે કે નયસેનને “સુકવિનિકરપિકમાકંદ' અને “સુકવિજનમનઃપદ્મિનીરાજહંસની પદવીઓ મળી હતી. આ સિવાય આશ્વાસોના અંતના ગદ્યોમાં તેમણે પોતાને દિગંબરદાસ નૃત્નકવિતાવિલાસ પણ બતાવ્યા છે (કર્ણાટક કવિચરિતે, પ્રથમ ભાગ, પૃષ્ઠ ૨૨૮). સ્વ. ડૉ. શામશાસ્ત્રી અને જી. વેંકટસુબ્બથ્યના મતે “વાત્સલ્ય રત્નાકર' અને નૃત્નકવિતાવિલાસ પણ કવિની પદવીઓ હતી (નયસેન, પૃષ્ઠ ૬ અને ધર્મામૃતનો ઉત્તરાદ્ધ). વેંકસુમ્બથ્યનું એમ પણ કહેવું છે કે “નયસેને પોતાના વંશ, માતા-પિતા, આશ્રયદાતા વગેરે સંબંધમાં કંઈ પણ નથી લખ્યું. આ જ રીતે તેમણે પોતાના ગુરુનું સ્મરણ તો અવશ્ય કર્યું છે, પરંતુ સ્પષ્ટ નામ લઈને નહિ, પરંતુ ઐવિદ્યચૂડામણિ, ઐવિદ્યચક્રેશ્વર, ઐવિદ્યલક્ષ્મીપતિ અને ઐવિદ્યચક્રાધિપ વગેરે ઉપાધિસૂચક શબ્દો દ્વારા જ કર્યું છે (કવિચરિતે, પ્રથમ ભાગ, પૃષ્ઠ ૨૨૮). કવિએ ધર્મામૃતમાં પોતાના વંશ, માતા-પિતા, આશ્રયદાતા વગેરેનાં નામ એટલા માટે નહિ લખ્યાં હોય કે ધર્મામૃત રચનાકાળ વખતે તે મુનિ થઈ ગયા હતા. કેમકે તેમણે પોતાની કૃતિમાં નયસેનદેવ અને નયસનમુનીન્દ્ર વગેરે શબ્દો દ્વારા જ પોતાને સ્પષ્ટ મુનિ સૂચિત કર્યા છે. વસ્તુતઃ નયસેન મુનિઓનું નામ છે, નહિ કે ગૃહસ્થોનું. મુનિ અવસ્થામાં કવિ પોતાના પૂર્વવંશ, માતા-પિતા, આશ્રયદાતા વગેરે વિશે કંઈ પણ નહોતો લખી શકતો. જોકે પોતાની ગુરુપરંપરા વિષયે તે ઘણું બધુ લખી શકતો હતો. તેમના આ રીતે મૌન રહેવાનું કારણ અજ્ઞાત છે. છતાં પણ ધર્મામૃતના “ગુરુવિદ્યાબ્ધિનરેન્દ્રસેનગુરુપ' નામક પદ્ય દ્વારા “ઐવિદ્યચક્રેશ્વર મુનિ નરેન્દ્રસેનને કવિએ પોતાના ગુરુ સૂચિત કર્યા છે. નામના આધારે નરેન્દ્રસેન તથા નયસેન આ બંને ય ગુરુ-શિષ્ય દિગંબરાસ્નાયના તે જ સુપ્રસિદ્ધ સેનગણના મુનિઓ સિદ્ધ થાય છે, જેમાં પ્રાતઃ સ્મરણીય આચાર્ય વીરસેન, જિનસેન અને ગુણભદ્રાદિ મહાન આચાર્યો થઈ ચૂક્યા છે. આ બારામાં Page #71 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ ૪૩ એક બીજી વાત રહી જાય છે, તે એ છે કે જો સંયસેને “ધર્મામૃત” પોતાની મુનિ અવસ્થામાં મુળગુન્દમાં રચ્યું હોય, તો પછી મુળગુન્દને કવિનું જન્મસ્થળ માનવું ઉચિત નહિ ગણાય, કેમકે દિગંબર મુનિ કોઈ પણ સ્થાન પર દીર્ઘકાળ સુધી રોકાઈ શકતા નથી. તેઓ સદેવ વિહાર કરતા રહે છે. માત્ર ચાતુર્માસમાં શાસ્ત્રોક્ત રીતે ચાતુર્માસની સમાપ્તિ સુધી એક સ્થાન પર રોકાય છે. આવી સ્થિતિમાં મુનિ નયસેન મુળગુન્દના નિવાસી નહિ, પ્રવાસી જ રહ્યા હશે. ધર્મામૃતની રચના તેમણે મુળગુન્દમાં જ કરી હતી અર્થાત્ ઉપર્યુક્ત ગ્રંથના સમાપ્તિ કાળમાં નયસેન મુળગુન્દમાં ચોક્કસ રહ્યા હતા. નયસેનની પહેલાં જ કન્નડ સાહિત્યમાં કથા-સાહિત્યનો જન્મ થઈ ચૂક્યો હતો, વડારાધના આનું પ્રબળ પ્રમાણ છે. વડારાધના પછી નયસેનના કાળ સુધીનો બીજો કોઈ આ પ્રકારનો કથાગ્રંથ કન્નડ સાહિત્યમાં હજી સુધી ઉપલબ્ધ નથી થયો. આ જ દૃષ્ટિએ જી. વૅકસુમ્બથ્યનું એ કથન યોગ્ય છે કે જનસામાન્ય માટેની સાહિત્યરચનામાં નયસેન જ પથપ્રદર્શક રહ્યા. તેમાં સંદેહ નથી કે નયસેન આ વાત સારી રીતે જાણતા હતા કે ધર્મના પ્રસાર-પ્રચારમાં એવી કથાઓ અત્યધિક ઉપયોગી થાય છે, કેમકે પ્રત્યેક માનવ જન્મથી જ કથા સાંભળવા ટેવાયેલો હોય છે. વૃદ્ધ દાદીમાની વિચિત્ર કથાઓથી જ બાળકોનો વિદ્યાભ્યાસ શરૂ થાય છે. બાળકોને કથા સંભળાવવામાં દાદીને પણ ઓછો રસ નથી હોતો. આ રીતે જેમ-જેમ કથા સાંભળવા અને સંભળાવવાની અભિરુચિ વધતી જાય છે તેમ-તેમ જ કથા સાહિત્યનો ભંડાર ભરાતો જાય છે. કન્નડમાં કથા સાહિત્યનો જન્મ ક્યારે થયો તે કહેવું મુશ્કેલ છે. હા, એટલું ચોક્કસ કહી શકાય કે કન્નડના અન્યાન્ય અંગોની જેમ કથા સાહિત્યના જન્મદાતા પણ જૈન કવિઓ જ છે. કન્નડ કથા સાહિત્યના આજ સુધી ઉપલબ્ધ ગ્રંથોમાં જૈન ગ્રંથ વારાધના જ સહુથી પ્રાચીન છે. જી. વેંકટસુષ્મધ્યના આ અભિપ્રાયનો હું પણ સ્વીકાર કરું છું કે પ્રારંભમાં કન્નડ કવિઓએ પુરાણોમાં સંસ્કૃત મહાકાવ્યોની જ શૈલી અપનાવીને પોતાના ગ્રંથોને જનસાધારણની અપેક્ષાએ વિદ્ધભોગ્ય જ વધારે બનાવ્યા છે. દીર્ઘ-સમાસ, શ્લેષ વગેરે ક્લિષ્ટ અલંકારો, અષ્ટાદશ વર્ણન, કઠિન ભાષા અને ધર્મને પ્રતિપાદિત કરનારી પ્રૌઢ શૈલી વગેરેને કારણે આ પુરાણો સામાન્ય જનતાની જિજ્ઞાસાને તૃપ્ત ન કરી શક્યા. આ હકીકતનો સ્વીકાર કરવામાં કવિઓને ખાસ્સો સમય લાગ્યો. ઘણું કરીને કવિઓએ ૧૨મી શતાબ્દીના પૂર્વાર્ધમાં આ તરફ નજર કરી. આ જ Page #72 -------------------------------------------------------------------------- ________________ ४४ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ કારણ છે કે આનું બધું શ્રેય નયસેનને આપવામાં આવે છે. જોકે જી. વેંકટસુબ્બચ્ચની એ વાત સાથે હું સહમત નથી કે જૈનોનું બધું કથા સાહિત્ય વૈદિક અને બૌદ્ધ કથા સાહિત્યનું રૂપાંતર છે. આ સંબંધમાં તેમને એટલું જ નિવેદન કરવા માગુ છું કે નિષ્પક્ષ દૃષ્ટિએ સમગ્ર જૈન કથા સાહિત્યનું એક વાર બારીકીથી અધ્યયન કરી લે. કોઈ પણ વિષયના માત્ર ઉપરછલ્લા અધ્યયનના આધારે પોતાનો મત આપવો યોગ્ય નથી. | નયસેનને કન્નડમાં સંસ્કૃતના દીર્ઘ સમાસોવાળી જૂની પ્રૌઢ શૈલીનું અનુકરણ પસંદ ન હતું. એટલા માટે તેમણે પોતાના એક પદ્યમાં એવા જૂના કવિઓની ખુલ્લા શબ્દોમાં મજાક પણ કરી છે. કથન છે કે “સંસ્કૃતમાં લખો કે શુદ્ધ કન્નડમાં, પરંતુ કન્નડમાં સંસ્કૃતના દીર્ઘ સમાસો જોઈને, શૈલીને ગહન ન બનાવો. આનાથી તેલ અને ઘીની ભેળસેળની જેમ બંનેમાંથી કંઈ પણ ભોગયોગ્ય નથી રહેતું.” તેમ છતાં તેમનો અભિપ્રાય એવો નથી કે નયસેન કન્નડમાં સંસ્કૃત શબ્દો અપનાવવાનો નિષેધ કરે છે, ઉપર્યુક્ત પદ્યમાં જ તૈલ અને વૃત આ સંસ્કૃત શો પ્રયોગ પણ કર્યો છે. કહેવાનો અભિપ્રાય એટલો જ છે કે સંસ્કૃતના સુલભ શબ્દોને કન્નડમાં લેવામાં કોઈ હાનિ નથી. હા, કઠિન શબ્દોના પ્રયોગથી કવિનો આશય જાણવામાં જનસાધારણને ખૂબ તકલીફ પડે છે. તેમાં સંદેહ નથી કે કોઈ પણ ગ્રંથ સુલભ શૈલીમાં લખવાથી જ લોકમાન્ય થઈ શકે છે. નયસેન કૃત ધર્મામૃતમાં કુલ ૧૪ આશ્વાસ છે. આ આશ્વાસોમાં ક્રમશઃ સમ્યગ્દર્શન, તેનાં આઠ અંગ તથા અહિંસા વગેરે પાંચ અણુવ્રતોનું નિરતિચાર અનુષ્ઠાન કરી સગતિ પ્રાપ્ત કરનારા મહાત્માઓની પવિત્ર કથાઓ સુંદર ઢંગથી નિરૂપિત છે. ગ્રંથની શૈલી સરળ સ્વાભાવિક છે. કવિ સરળ શૈલીના જ પક્ષપાતી છે. આમાં પ્રસિદ્ધ વૃત્ત જ અધિક છે, અપ્રસિદ્ધ વૃત્ત ખૂબ ઓછાં છે. આ જ રીતે આમાં કંદો (છત્ત્વ વિશેષ)ની પણ અધિકતા છે. વિલક્ષણતા તેમના ગદ્યમાં આ જ દૃષ્ટિગોચર થાય છે. કન્નડ ચંપૂ ગ્રંથોમાં આવતું ગદ્ય અધિક માત્રામાં કાદંબરી, હર્ષચરિત વગેરેની શૈલીનું છે. પરંતુ આ શૈલીમાં અને નયસેનની શૈલીમાં ઘણું અંતર છે. નયસેનની શૈલીમાં શોધવા છતાં પણ પ્રાચીન કવિઓના પ્રિય પરિસંખ્યા, વિરોધાભાસ, શ્લેષ, અત્યુક્તિ વગેરે અલંકારો નથી મળતા. ક્યાંય પણ જુઓ, ૧. આ સંબંધમાં “ઉપાયન' વગેરે અભિનંદન ગ્રંથોમાં પ્રકાશિત “જૈન કથા સાહિત્ય શીર્ષક મારો લેખ જુઓ. Page #73 -------------------------------------------------------------------------- ________________ પપયુગ ૪૫ સર્વત્ર ઉપમા, માલોપમા, દૈનંદિન અનુભવના પ્રાસંગિક દૃશ્યોનું સાદગ્ય અને લોકોક્તિઓ વગેરે જ ઉપલબ્ધ થાય છે. એટલા માટે પંડિતોને આ ગ્રંથ ચમત્કારરહિત અને નીરસ પ્રતીત થઈ શકે છે, પરંતુ સામાન્ય જનતા આ જ રીતના ગ્રંથોને અધિક પસંદ કરે છે. તેને ચમત્કારિતા અને અલંકારવૈચિત્રય વગેરે પસંદ નથી હોતાં. કન્નડ શબ્દોના પ્રયોગમાં પણ નયસેને વ્યાકરણસમ્મત તથા પૂર્વકવિઓ દ્વારા પ્રયુક્ત શુદ્ધ પ્રાચીન કન્નડને ન અપનાવતાં પોતાના કાળની નવીન કન્નડમાં જ ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરી છે. હર્ષની વાત છે કે કવિએ પોતાની આ પ્રતિજ્ઞાને અંત સુધી નિભાવી છે. હા, પ્રતિજ્ઞાનુસાર ધર્મામૃતમાં તત્કાલીન કન્નડની સાથે સાથે જ ગદ્યકાલીન કન્નડ પણ ઉપલબ્ધ છે. જૈનોના અનુયોગ-ચતુષ્ટય અંતર્ગત પ્રથમાનુયોગ સંબંધી પુરાણ, કાવ્ય તથા ચરિત્ર વગેરે ગ્રંથોનો એકમાત્ર આશય માનવને દુરાચારથી હટાવી સદાચારમાં લગાડવાનો છે. એટલા માટે આ અનુયોગ સાથે સંબંધ રાખનાર પ્રત્યેક ગ્રંથમાં પાઠકોને હિંસા વગેરે દુરાચારથી થનારી હાનિ તથા અહિંસા વગેરે સદાચારથી થનારી ઉપલબ્ધિઓ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. જે પ્રકરણમાં જેની પ્રધાનતા હોય, તેમાં તેની જ પ્રશંસા કરવામાં આવી છે. “જેનાં લગ્ન તેનાં ગીત'ની લોકોક્તિ અહીં ચરિતાર્થ થઈ છે. - તેમાં સંદેહ નથી કે મહાપુરુષોના ચરિત્રશ્રવણથી થોડા પણ સમય માટે, મનમાં પાપભીતિ તથા સંસારથી વિરક્તિ ચોક્કસ થાય છે. વસ્તુતઃ મનની પવિત્રતા જ આત્મકલ્યાણનો પાયો છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે “મન પર્વ મનુષ્યનાં વારમાં વંધમોક્ષયોઃ'. સંપૂર્ણ રામાયણની કથા સાંભળ્યા પછી એક સામાન્ય વ્યક્તિ પણ એટલું ચોક્કસ જાણી જાય છે કે રાવણની જેમ ન ચાલતાં રામની જેમ ચાલવું જોઈએ. રામાયણ સાંભળવાનું એ જ ફળ છે. અસ્તુ, નયસેનનું ધર્મામૃત પણ પ્રથમાનુયોગ સંબંધી ગ્રંથ છે. આનો પણ ઉદેશ્ય તે જ છે જે પ્રથમાનુયોગસંબંધી બીજા ગ્રંથોનો હોય છે. શ્રી આર. નરસિંહાચાર્યના શબ્દોમાં નયસેનનો આ ગ્રંથ મૂદુમધુરપદગુંફિત, નીતિશ્લોકjજરંજિત લલિત કૃતિ છે. તેમાં સંદેહ નથી કે ધર્મામૃતના રચયિતા નયસેન એક પ્રૌઢ કવિ છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૬ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ રાજાદિત્ય : તેમણે વ્યવહારગણિત, ક્ષેત્રગણિત, વ્યવહારરત્ન, લીલાવતિ, ચિત્રહસુગે, જૈનગણિતસૂત્રટીકોદાહરણ વગેરે ગણિત ગ્રંથોની રચના કરી છે. તેમના ગ્રંથોથી જાણ થાય છે કે તેમના ભાસ્કર, વાચવાચઢે, વાચિરાજ વગેરે અનેક નામ હતાં. સાથે સાથે જ તેમને ગણિતવિલાસ, ઓજેબેડંગ, પદ્યવિદ્યાધર વગેરે પદવીઓ મળેલ હતી. કંડિમંડલાંતર્ગત પૂવિનબાગે તેમની જન્મભૂમિ હતી. રાજાદિત્યની પત્નીનું નામ કનકમાલા હતું. કવિએ પોતાને “કવીશ્વરનિકસભાયોગ્ય' કહ્યા છે. તેનાથી જાણ થાય છે કે તે દરબારી પંડિત રહ્યા હશે. કવિએ શુભચન્દ્રને પોતાના ગુરુ બતાવ્યા છે. રાજદિત્યે પોતાની રચનામાં વિષ્ણુનુપાલનો નામોલ્લેખ કર્યો છે. અન્યાન્ય આધારોથી એ સિદ્ધ થાય છે કે હોય્સલ રાજા વિષ્ણુવર્ધને લગભગ ઈ.સ.૧૧૧૧થી ૧૧૪૨ સુધી રાજ્ય કર્યું હતું. સંભવતઃ કવિ રાજદિત્ય આ જ વિષ્ણુવર્ધનના સમકાલીન હતા. શ્રવણબેલગોલના ૧૧૭મા અભિલેખથી જ્ઞાત થાય છે કે એક શુભચન્દ્ર ૧૧૨૩માં સ્વર્ગવાસી થયા હતા. એ જ કવિના ગુરુ હોવાનું જણાય છે. જો એ વાત બરાબર હોય તો રાજાદિત્ય વિષ્ણુવર્ધનના સભાપંડિત હોઈ લગભગ ૧૧૨૦માં જીવિત રહ્યા હશે. રાજાદિત્યે પોતાના પાંડિત્ય તથા ગુણોને સમસ્તવિદ્યાચતુરાનન, વિબુધાશ્રિતલ્પમહીલ, આશ્રિતકલ્પમહીજ, વિદ્યુતભુવનકીર્તિ, શિષ્ટષ્ટ-જમૈકાશ્રય, અમલચરિત્ર, અનુરૂપ, સત્યવાક્ય, પરહિતચરિત, સુસ્થિર, ભોગી, ગંભીર, ઉદાર, સચ્ચરિત્ર, અખિલવિદ્યાવિદ્દ, જનતાસંસ્તુત્ય, ઉર્વીશ્વર નિકરસભાસેવ્ય વગેરે શબ્દો દ્વારા વ્યક્ત કર્યા છે. તેમની રચનાઓમાં વ્યવહારગણિત એક ગદ્યપદ્યાત્મક કૃતિ છે. તેમાં સુત્રોને પદ્યરૂપે લખીને ટીકા તથા ઉદાહરણ આપવામાં આવ્યાં છે. ગ્રંથ આઠ અધિકારોમાં વિભક્ત છે. પ્રત્યેક અધિકારને હાર સંજ્ઞા આપવામાં આવી છે. આમાં કવિએ સ્વયં કહ્યું છે કે “આ ગ્રંથ મેં ફક્ત પાંચ દિવસમાં લખ્યો છે.” સાથે સાથે જ તેમણે પોતાના ગ્રંથની પર્યાપ્ત પ્રશંસા પણ કરી છે. રાજાદિત્યના વ્યવહારગણિતમાં સહજત્રરાશિ, વ્યસ્તત્રય રાશિ, સહજપંચરાશિ, વ્યસ્તપંચરાશિ, સહજસપ્તરાશિ, વ્યસ્તસપ્તરાશિ, સહજનવરાશિ, વ્યસ્તનવરાશિ વગેરે અનેક વિષય છે. શ્રી આર. નરસિંહાચાર્યના મતે કન્નડમાં ગણિતશાસ્ત્ર લખનાર કવિઓમાં રાજાદિત્ય જ પ્રથમ કવિ છે. તેમણે ગણિતશાસ્ત્ર સાથે સંબંધ રાખનાર પ્રાયઃ બધા વિષયોનો પોતાના ગ્રંથોમાં સંગ્રહ કર્યો છે. જનતાને સુલભતાથી Page #75 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ સમજાવવા માટે ગણિતશાસ્ત્ર પદ્યરૂપે લખવું બહુ કઠિન છે, છતાં પણ તેમણે સૂત્રો તથા ઉદાહરણો ખૂબ જ લલિત પદ્મોમાં અભિવ્યક્ત કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. આ પદ્યોથી એ વાત સ્પષ્ટ છે કે તે માત્ર ગણિતશાસ્ત્ર-મર્મજ્ઞ જ ન હતા, પરંતુ એક પ્રૌઢ કવિ પણ હતા. તે જ્ઞાત નથી કે રાજાદિત્યના આ ગ્રંથોનો આદર્શ ક્યો ગ્રંથ હતો. રાજાદિત્યનો બીજો ગ્રંથ ક્ષેત્રગણિત અને ત્રીજો વ્યવહારરત્ન છે. વ્યવહારરત્નમાં કુલ પાંચ અધિકાર છે. કવિનો ચોથો ગ્રંથ જૈનગણિતસૂત્રોદાહરણ છે. આમાં પ્રશ્ન આપીને ઉત્તર મેળવવાનું વિધાન બતાવ્યું છે. રાજાદિત્યનો પાંચમો ગ્રંથ ચિત્રહસુગે છે. આ સૂત્રટીકારૂપ છે. તેમનો છઠ્ઠો ગ્રંથ લીલાવતી છે, જે પદ્યરૂપ છે. તેમાં ગણિતીય સમસ્યાઓને ઉદાહરણ સહિત સમજાવવામાં આવી છે. તેમાં સંદેહ નથી કે રાજાદિત્ય એક સારા ગણિતજ્ઞ હતા. સંભવ છે કે વિદ્વાનોની દૃષ્ટિએ ઓઝલ તેમનો ગણિતશાસ્ત્ર સંબંધી અન્ય પણ કોઈ મહત્ત્વપૂર્ણ ગ્રંથ રહ્યો હોય. કીર્તિવર્મ ૪૭ તેમણે ‘ગોવૈદ્ય’ નામક ગ્રંથ લખ્યો છે. તેમના પિતા ત્રૈલોક્યમલ્લાધિપ, અગ્રજ વિક્રમાંક નરેન્દ્ર અને ગુરુ દેવચન્દ્ર મુનિ હતા. તેમના લગભગ સમકાલીન કવિ બ્રહ્મશિવે પણ પોતાની ‘સમયપરીક્ષા'માં ઉપર્યુક્ત વાતોનું સમર્થન કર્યું છે, એટલું જ નહિ બ્રહ્મશિવના કથનાનુસાર કવિના પિતા ત્રૈલોક્યમલ્લાધિપ ચાલુક્યવંશી હોવાનું સાબિત થાય છે. ચાલુક્ય વંશમાં ત્રૈલોક્યમલ્લે ઈ.સ. ૧૦૪૨થી ૧૦૬૮ સુધી તથા તેમના પુત્ર વિક્રમાદિત્યે ઈ.સ. ૧૦૭૬થી ૧૧૨૬ સુધી રાજ્ય કર્યું હતું. આ જ વિક્રમાદિત્ય કવિના મોટા ભાઈ હશે. આવી સ્થિતિમાં કીર્તિવર્ગનો સમય ઈ.સ.૧૧૨૫ માનવો અસંગત નથી. આ જ મત શ્રી આર. નરસિંહાચાર્યનો પણ છે. વિક્રમાદિત્યના બે ભાઈ હતા—એક જયસિંહ (તૃતીય) અને બીજા વિષ્ણુવર્ધનવિજયાદિત્ય. તે જ્ઞાત નથી કે કીર્તિવર્ષ આ બેમાંથી એક હતો કે જુદો. એમ જણાય છે કે ત્રૈલોક્યમલ્લની કેતલદેવી નામક એક જૈનધર્માનુયાયિની રાણી પણ હતી અને તેણે પોતાની તરફથી કેટલાંક જિનાલય પણ બનાવ્યાં હતાં. સંભવ છે કે કવિ તેના જ પુત્ર હોય. શ્રી આર. નરસિંહાચાર્યનું કહેવું છે કે શ્રવણબેલગોલસ્થ ૬૪મા અભિલેખ (૧૧૬૮ ઈ.)માં પ્રતિપાદિત ગુરુપરંપરામાં રાઘવપાંડવીયના 1. Antiquity, Vol.XIX, P. 268. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ રચયિતા શ્રુતકીર્તિના સમકાલીન કોઈ દેવચન્દ્રની પણ સ્તુતિ કરવામાં આવી છે. આ જ દેવચન્દ્ર કવિના ગુરુ રહ્યા હશે. કીર્તિવર્ગે પોતાના સંબંધમાં કવિકીર્તિચન્દ્ર, કન્દર્પમૂર્તિ, સમ્યક્તરત્નાકર, બુધભવ્યબાંધવ, વૈદ્યરત્ન, કવિતાબ્ધિચન્દ્રમ્, કીર્તિવિલાસ વગેરે વિશેષણોનો ઉલ્લેખ કર્યો છે. વસ્તુતઃ એ એક ઉલ્લેખનીય વાત છે કે જૈન કવિઓએ પ્રત્યેક વિષય પર પોતાની કલમ ચલાવી છે. આ કવિઓએ માત્ર માનવ હિત માટે જ નહિ, પશુપક્ષીઓના મંગલ માટે પણ ઘણું કર્યું છે. આમ અહિંસા-પ્રધાન જૈન ધર્મના અનુયાયી માટે આ કોઈ નવી વાત નથી. જૈન તીર્થકરોની સમવસરણસભામાં પણ કોઈ ભેદ-ભાવ વગર પ્રાણીમાત્રને પ્રવેશ કરવાનો તથા તેમના કલ્યાણકારી ઉપદેશને સાંભળવાનો પૂર્ણ અધિકાર પ્રાપ્ત હતો. વસ્તુતઃ જે ધર્મમાં આ પ્રકારની ઉદારતા નથી, તે વિશ્વધર્મ કહેવડાવવાનો દાવો ન કરી શકે. એટલા માટે કીર્તિવર્મનો આ પ્રયાસ વાસ્તવમાં સ્તુત્ય જ નહિ, અનુકરણીય પણ છે. સંસ્કૃતમાં “મૃગપક્ષિશાસ્ત્ર નામક એક બીજો જૈનગ્રંથ છે જે પોતાના વિષયની એક અમૂલ્ય કૃતિ છે. આ ગ્રંથની પ્રશંસા માત્ર પૌર્વાત્ય વિદ્વાનોએ જ નહિ, પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ મુક્તકંઠે કરી છે. હાલમાં આ ગ્રંથ અપ્રાપ્ય છે. કીર્તિવર્મના ગોવૈદ્યમાં ગોવ્યાધિઓનાં ઔષધ, મંત્ર અને યંત્ર વગેરે વિસ્તારથી બતાવવામાં આવ્યાં છે. આ ગ્રંથ પ્રશંસનીય છે. તેમાં સંદેહ નથી કે કીર્તિવર્મનો પ્રયાસ પ્રશંસનીય છે. બ્રહ્મશિવ તેમણે સમય પરીક્ષા તથા રૈલોક્યચૂડામણિસ્તોત્રની રચના કરી છે. તેમનું ગોત્ર વત્સ, જન્મસ્થળ પોટ્ટણગેરે અને પિતા સિંગરાજ છે. કવિએ પોતાને અન્ગલનો મિત્ર બતાવ્યો છે. પરંતુ તે જ્ઞાત નથી કે આ અગ્નલ કયા હતા? કમ સે કમ તે ચન્દ્રપ્રભપુરાણના રચયિતા અગ્નલદેવ (૧૧૮૯) તો નથી જ. બ્રહ્મશિવના ગુરુ મુનિ વીરનદિ છે. સમયપરીક્ષાના એક પદ્યથી કવિ સૌર, કૌલોત્તર વગેરે સંપ્રદાયો તથા વેદ અને સ્મૃતિ વગેરે ધર્મ ગ્રંથોના વિશેષજ્ઞ હોવાનું જણાય છે. તેમણે ઉપર્યુક્ત ધર્મગ્રંથોને સારહીન બતાવ્યા છે. તેના એક પદ્યથી એ પણ જાણ થાય છે કે પહેલાં તે શૈવ હતા. તેને સારહીન અનુભવી, પછીથી તેમણે જૈનધર્મનો સ્વીકાર કર્યો ૧. વિશેષ જીજ્ઞાસુ લોકોપયોગી જૈન કન્નડ ગ્રંથ' શીર્ષક મારો લેખ જુએ. Page #77 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ ૪૯ હતો. તેની પુષ્ટિ કવિના નામથી પણ થાય છે. રૈલોક્ય ચૂડામણિસ્તોત્રના અંતિમ પદ્યથી સિદ્ધ થાય છે કે રાજસમ્માન સાથે સાથે તેમને “કવિચક્રવર્તી'ની પદવી પણ મળી હતી. બ્રહ્મશિવે પોતાની સમયપરીક્ષાનો આરંભ ચાલુક્ય ત્રૈલોક્યમલ્લના પુત્ર કીર્તિવર્ગની સ્તુતિથી કર્યો છે. તેનાથી બ્રહ્મશિવ કીર્તિવર્મના સમકાલીન (ઈ.સ.૧૧૨૫) હોવાનું જણાય છે. તેમના ગુરુ મુનિ વીરનદિ ઈ.સ.૧૧૧પમાં સ્વર્ગસ્થ મેઘચન્દ્ર-સૈવિઘના શિષ્ય હોવાનું જણાય છે. આ વીરનદિ તે જ છે, જેમણે શક સંવત્ ૧૦૭૬ (ઈ.સ.૧૧૫૩)માં સ્વકૃત આચારસારની એક કન્નડ ટીકા લખી હતી (કન્નડ વિચરિતે, પૃષ્ઠ ૧૬૮). જોકે શ્રવણબેલગોલના ઉપર્યુક્ત શિલાલેખમાં આચાર્ય વીરનન્દિનો ઉલ્લેખ મેઘચન્દ્રના “આત્મજાત' રૂપે થયો છે, એટલે શ્રી આર. નરસિંહાચાર્યે પોતાના “કવિચરિતે'માં આત્મજાતનો અર્થ પુત્ર કર્યો છે, પરંતુ અહીં આત્મજાત શબ્દનો અર્થ પુત્ર ના કરતાં શિષ્ય કરવો જ સર્વથા ઉચિત છે, કેમકે મુનિ અવસ્થામાં કોઈની પણ સાથે પુત્ર, પૌત્રાદિ પહેલાંનો સંબંધ જોડવો સર્વથા આગમવિરુદ્ધ છે. જ્યારે તેઓ એક વાર બધું ત્યાગીને એકાત્તતઃ અકિંચન બની ગયા ત્યારે તેમની સાથે પુત્રાદિનો પૂર્વ સંબંધ કેમ જોડી શકાય ? વસ્તુતઃ શિષ્ય પુત્રતુલ્ય હોવાને કારણે આલંકારિક શબ્દોમાં તેને આત્મજાત, આત્મજ, તનુજ વગેરે કહેવામાં આવે છે. કેશિરાજે પોતાના “શબ્દમણિદર્પણ'ના ૭૫મા સૂત્ર નીચે બ્રહ્મશિવના એક પદ્યના અંતિમ ભાગને ઉદાહરણ રૂપે ઉદ્ધત કર્યો છે. કવિએ જૈસ્માર્ગનિશ્ચિતચિત્ત, જિનસમયસુધાર્ણવ-ધર્મચન્દ્ર, જિનધર્મામૃતવાર્ષિવર્ધન શશાંક, તીવ્રમિથ્યાત્વબંધચક્કાંશુ વગેરે શબ્દો દ્વારા પોતાના ગુણો પ્રકટ કર્યા છે. - સમયપરીક્ષામાં ધર્મને આમાંગમધર્મ અને અનાયાગમધર્મ આ બે ભાગોમાં વિભક્ત કરવામાં આવ્યો છે. કવિએ આમાં સૌર, શૈવ, વૈષ્ણવ વગેરે ધર્મોને અમાન્ય તથા સદોષ ઠરાવી જૈન ધર્મને સર્વોત્કૃષ્ટ બતાવ્યો છે. ગ્રંથ પ્રારંભથી અંત સુધી કંદ પદ્યોમાં જ રચવામાં આવ્યો છે. તે પંદર અધિકારોમાં વિભક્ત છે. ગ્રંથનો બંધ સરળ તથા લલિત છે. કન્નડ સાહિત્યના મર્મજ્ઞો આ પ્રકારના સમીક્ષાગ્રંથોને લખનાર કન્નડ કવિઓમાં બ્રહ્મશિવને પ્રથમ કવિ માને છે. પ્રત્યેક વિચારશીલ વ્યક્તિ એ વાતનો અવશ્ય સ્વીકાર કરશે કે દરેક લેખક પર દેશ કે તત્કાલીન વાતાવરણનો પ્રભાવ ચોક્કસ પડે છે, તેને કોઈ રોકી શકતું Page #78 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ નથી. એટલા માટે સર્વપ્રથમ બ્રહ્મશિવકાલીન વાતાવરણનું અધ્યયન કરવું ખૂબ જ આવશ્યક છે. વસ્તુતઃ આ યુગ ખંડન-મંડનનો યુગ હતો. કર્ણાટકમાં જ નહિ પરંતુ સંપૂર્ણ દેશમાં ખંડન-મંડનની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, આથી અન્ય મતોનું ખંડન કરીને બ્રહ્મશિવે કોઈ અનુચિત કામ નહોતું કર્યું. વળી કોઈ પણ ધર્મ પોતાની સત્તાને ત્યાં સુધી જ કાયમ રાખી શકે છે જ્યાં સુધી તે દેશના તત્કાલીન વાતાવરણને અનુકૂળ પોતાના બાહ્યરૂપમાં કંઈક ને કંઈક પરિવર્તન સ્વીકારી લે. તેનાં ધાર્મિક ઈતિહાસમાં એક-બે નહિ સેંકડો દૃષ્ટાન્ત જોવા મળે છે. આને જ લક્ષ્યમાં રાખીને આચાર્ય જિનસેને પોતાના કાળમાં જૈન ધર્મના બાહ્ય રૂપમાં ઘણું જ પરિવર્તન કરી નાખ્યું હતું. ૫૦ તેનું એકમાત્ર કારણ દેશનું ક્ષુબ્ધ વાતાવરણ જ હતું. વાસ્તવમાં જો તેઓ તે સમયે રૂઢિવાદી બની રહેત તો ખબર નહિ કર્ણાટકમાં જૈન ધર્મની શું સ્થિતિ હોત ? આચાર્ય જિનસેને તે સમયે ખૂબ જ દૂરદર્શિતાથી કામ લીધું, નહિતર મોટો અનર્થ થઈ જાત. જૈનાચાર્યોમાં પરસ્પર દેખાતા માન્યતા-ભેદનું મૂળ કારણ પણ દેશનું તત્કાલીન વાતાવરણ જ છે. નિષ્પક્ષ જૈનેતર વિદ્વાનોનો પણ મત છે કે સમયપરીક્ષાથી તત્કાલીન સમાજની પરિસ્થિતિનો બોધ થાય છે. બ્રહ્મશિવની બીજી કૃતિ ત્રૈલોક્યચૂડામણિસ્તોત્ર છે. તેમાં છવ્વીસ (૨૬) વૃત્ત છે. તેનું અપરનામ છવ્વીસરત્નમાલા પણ છે. પ્રત્યેક પદ્ય ત્રૈલોક્યચૂડામણિ શબ્દથી સમાપ્ત થાય છે. આમાં બ્રહ્મશિવે અન્ય મતોની માન્યતાઓનું ખુલ્લા શબ્દોમાં ખંડન કર્યું છે. એમ તો સમાલોચના કોઈ ખરાબ વસ્તુ નથી, છતાં પણ તેમાં કડક શબ્દોનો ઉપયોગ ન કરતાં સૌમ્ય શબ્દોનો પ્રયોગ આવશ્યક છે. કોઈ પણ વાતને કડવા શબ્દોની અપેક્ષાએ મીઠા શબ્દો દ્વારા સમજાવવી અધિક લાભદાયી થાય છે. ઉલટું કડવા શબ્દોના પ્રયોગથી ક્યારેક-ક્યારેક મોટો અનર્થ પણ થઈ જાય છે. સમાલોચનાનું પણ એક સ્તર હોવું જોઈએ. કર્ણપાર્ય તેમણે નેમિનાથપુરાણની રચના કરી છે. કર્ણીપ, કર્ણામય્ય વગેરે તેમના કેટલાંય નામ હતા. કર્ણપાર્યને ૫૨મજિનમતક્ષીરવારાશિચન્દ્ર, સમ્યક્ત્વરત્નાકર, ભુવનૈકભૂષણ, ગાંભીર્યરત્નાકર, ભવ્યવનજવનમાર્તંડ વગેરે અનેક પદવીઓ મળી હતી. તેમણે પોતાની રચનામાં ક્યાંય પણ પોતાનો સમય બતાવ્યો નથી. એથી કર્ણપાર્યના સમય સંબંધમાં વિદ્વાનોમાં મતભેદ છે. આર. નરસિંહાચાર્યના મતે Page #79 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ ૫૧ કર્ણપાયનો સમય ઈ.સ.૧૧૪૦, ડા. વેંકટસુષ્મધ્ય અને એમ. ગોવિન્દ ૨ અનુસાર ઈ.સ.૧૧૭૪ અને એચ. શેષાવૃંગારના મતે ઈ.સ.૧૧૩૦થી ૧૧૩૫ છે. ગમે તે હોય, એટલું સર્વસંમત છે કે કર્ણપાર્ય ૧૨મી શતાબ્દીના કવિ છે. નેમિનાથપુરાણના રચયિતા કર્ણપાર્યના શ્રદ્ધેય ગુરુ માલધારી દેવના શિષ્ય કલ્યાણકીર્તિ છે. શ્રી એચ. શેષઅઠંગારના મતે શ્રવણબેલગોલ0 શિલાલેખ અંક દ૯માં અંકિત મલધારી હેમચન્દ્રના અથવા તેમના સાધર્મિક માધનંદિના શિષ્ય કલ્યાણકીર્તિ જ કર્ણપાર્યના ગુરુ છે. ગુરુ કલ્યાણકીર્તિ પછી કર્ણપાર્ય દ્વારા સંસ્તુત બાલચન્દ્ર, શુભચન્દ્ર વગેરે કલ્યાણકીર્તિના જ સાધર્મિક જણાય પડે છે, કેમકે પૂર્વોક્ત અભિલેખમાં મૂલસંઘના દેશીયગણની વક્રગચ્છીય શાખા બાલચન્દ્રની સાથે સાથે શુભકીર્તિ વગેરે બીજા પણ અનેક જણને મલદેવના સાધર્મિક કહેવામાં આવ્યા છે. તેમ છતાં પૂર્વોક્ત શિલાલેખમાં તેના લેખનકાળ અને તેમાં વર્ણિત ગુરુપરંપરાનો સમય નથી આપવામાં આવ્યો. આર. નરસિહાચાર્યે ચન્નારાયપટ્ટણના ૧૬૮મા શિલાલેખના આધારે ગોપનંદિના શિષ્ય માલધારી દેવ અને તેમના સાધર્મિક કલ્યાણકીર્તિનો નામોલ્લેખ કરનાર શ્રવણબેલગોલના ઉપર્યુક્ત શિલાલેખનો કાળ ઈ.સ.૧૧૦૦ નિર્ધારિત કર્યો છે. તેમનું કહેવું છે કે શ્રવણબેલગોલના ઉક્ત શિલાલેખમાં પ્રતિપાદિત મલધારી દેવના ગુરુ ગોપનન્ટિને ઈ.સ.૧૦૯૪માં વિક્રમાદિત્યના પુત્ર યયંગ દ્વારા એક દાન આપવામાં આવ્યું હતું. એટલા માટે શિલાલેખાંતર્ગત ગોપનંદિ, તેમના શિષ્ય મલધારી દેવ અને તેમના સાધર્મિક કલ્યાણકીર્તિનો કાળ ઈ.સ.૧૧૦૦ હોવો જોઈએ. પરંતુ શ્રી એચ. શેષ અઠંગાર શ્રી આર. નરસિંહાચાર્યના આ મત સાથે સહમત નથી. તેમનું કહેવું છે કે વિક્રમાદિત્યના પુત્ર યરયંગ પાસેથી દાન ગ્રહણ કરનાર ગોપનંદિથી તેમના શિષ્ય મલધારી દેવાનો સમય પ્રબળ પુરાવા વગર માત્ર ૬ વર્ષ પાછળનો નિર્ધારિત કરવો યોગ્ય ન કહી શકાય. પરંતુ ચરાયપટ્ટણ તાલુકા તગડૂરના નં. ૧૯૮ (ઈ.સ.૧૧૩૦)ના શિલાલેખમાં પ્રતિપાદિત કલ્યાણકીર્તિ અને શ્રવણબેલગોલના શિલાલેખમાં અંકિત કર્ણપાર્યના ગુરુ કલ્યાણકીર્તિ આ બંને એક જ છે. આવી સ્થિતિમાં કલ્યાણકીર્તિનો કાળ ઈ.સ.૧૧૩૦ની પછી જ માનવો સમુચિત છે. વળી તગડૂરના ઉપર્યુક્ત શિલાલેખમાં ઈ.સ.૧૧૧૧થી ૧૧૪૧ સુધી રાજય કરનાર હોય્સલ વિષ્ણુવર્ધનના પાદપપ્રોપજીવી દંડનાયક મરિયાને તથા ભરતનો ઉલ્લેખ મળે છે. આથી તગડૂરનો આ શિલાલેખ ઈ.સ. ૧૧૧૧થી Page #80 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ · ૧૧૪૧ની વચ્ચે અર્થાત્ ૧૧૩૦માં લખવામાં આવેલ હતો, તેમ માનવું યોગ્ય જ છે. ૫૨ કવિ કર્ણપાર્યે પોતાના ગુરુ કલ્યાણકીર્તિની ખૂબ પ્રશંસા કરી છે. તેનાથી સાબિત થાય છે કે મુનિ કલ્યાણકીર્તિ ખરે જ એક અસાધારણ વ્યક્તિ હતા. તેઓ ચારિત્રથી જ નહિ, પરંતુ જ્ઞાન અને ગુણોથી પણ સંપન્ન હતા. એટલા માટે અખિલ વિદ્વત્સમાજ તેમની સમક્ષ નતમસ્તક હતો. ચારે તરફ તેમની નિર્મળ કીર્તિ ફેલાયેલી હતી. નિર્મળ, સ્વચ્છ તથા અનિન્દ વિશેષણ જ તેમની ઉજ્જવલતાને વ્યક્ત કરે છે. એ જ કારણ છે કે કર્ણપાર્યે મુનિ કલ્યાણકીર્તિનું નેમિનાથપુરાણના પ્રત્યેક આશ્વાસના અંતિમ પદ્યમાં ‘સાશ્ચર્યચારિત્રચક્રવર્તી’રૂપે સાદર સ્મરણ કર્યું છે. એટલા માટે તો તેઓને ‘સદ્ભવ્યસંસેવ્ય' માનવામાં આવ્યા છે. શ્રવણબેલગોલના શિલાલેખમાં પણ કલ્યાણકીર્તિની ખૂબ પ્રશંસા મળે છે. વાસ્તવમાં કર્ણપાર્ય જેવા રાજમાન્ય તથા લોકમાન્ય સુકવિના ગુરુ સામાન્ય વિદ્વાન કેવી રીતે હોઈ શકે ? હવે કવિ કર્ણપાર્યના આશ્રયદાતાને લો. રાજા વિક્રમાદિત્યનો મંત્રી લક્ષ્ય કે લક્ષ્મણ જ કર્ણપાર્યનો આશ્રયદાતા હોવાનું માનવામાં આવે છે. કર્ણપાર્યે પોતાના નેમિનાથપુરાણમાં પિતા ગંડરાદિત્ય, પુત્ર વિજયાદિત્ય તથા વિજયાદિત્યની રાણી પોન્નલદેવીની ખૂબ પ્રશંસા કરી છે. વળી કવિએ પોત્રદેવીને વિવિધ કલાઓની પ્રવીણતામાં સરસ્વતી, રૂપમાં રતિ, સૌંદર્યમાં હેમવતી, દર્શનવિશુદ્ધિમાં રેવતી અને પતિભક્તિમાં અરુંધતી બતાવી છે. આ જ રીતે કર્ણપાર્યે પોતાના આશ્રયદાતા લક્ષ્મણની પણ ખૂબ જ પ્રશંસા કરી છે. આ જ પ્રસંગમાં કવિ કર્ણપાર્યે લક્ષ્મણના અનુજ વર્ધમાન અને શાંત તથા શાંતના પિતા ગોવર્ધન કે ગોપણનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉલ્લેખમાં કવિએ વર્ધમાનનું અખિલાશાવર્તિતકીર્તિ, મકરધ્વજમૂર્તિ અને ઉર્વીનુતગુણવિધાન તથા શાંતનું અખિલવિદ્યાકાંત ઉર્વીજનસેવ્ય વગેરે વિશેષણો સાથે સ્મરણ કર્યું છે. શાંતના શ્રદ્ધેય પિતા ગોપણને કવિએ દર્શન પ્રતિભાથી લઈને પરિગ્રહત્યાગ સુધીની પ્રતિમાઓ પાળનાર શ્રાવકોત્તમ બતાવ્યા છે. આ જ રીતે ગ્રંથાંતમાં પોતાના આરાધ્ય દેવ નેમિનાથની સાથે સાથે તેમણે લક્ષ્મણના અનુજ વર્ધમાન અને શાંત અને શાંતના પૂજ્ય પિતા ગોપણની પણ પ્રશંસા કરી છે. જો કે ગ્રંથારંભે લક્ષ્મણની પત્ની વિશે કંઈ પણ નથી કહેવામાં આવ્યું પરંતુ અહીં તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. તેને જિન પૂજામાં શચી, ચતુર્વિધ દાનમાં અત્તિમબ્બે અને જિનભક્તિમાં શાંતલાદેવી બતાવવામાં આવી છે. તેને Page #81 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ ૫૩ શીલરત્નમડિતા, શિષ્ટજનકલ્પલતા વગેરે વિશેષણોથી વિભૂષિત કરવામાં આવી છે. શ્રી. આર. નરસિંહાચાર્યનું કહેવું છે કે રાજાને ગંડરાદિત્ય, લક્ષ્મણ, લક્ષ્મીધર, વર્ધમાન અને શાંત આ રીતે પાંચ પુત્રો હતા. કવિ કર્ણપાર્યનો આશ્રયદાતા લક્ષ્મ અથવા લક્ષ્મણ વિજયાદિત્યનો સહોદર લક્ષ્મણ જ છે. પરંતુ ડા. વેંકટસુષ્મધ્ય શ્રી નરસિંહાચાર્યના આ મત સાથે સહમત નથી. તેમનું કહેવું છે કે ગંડરાદિત્ય અને લક્ષ્મણના પિતા ગોવર્ધન (ગોપણ) ભિન્ન ભિન્ન વ્યક્તિ છે. ગંડરાદિત્યને વિજયાદિત્ય નામક એક જ દિકરો હતો. કર્ણપાર્યનો આશ્રયદાતા લક્ષ્મણ માત્ર તેનો મંત્રી હતો. તેના બે ભાઈ હતા વર્ધમાન અને શાંત. વેંકટસુષ્મધ્યનું આ કથન કર્ણપાર્કના નેમિપુરાણના કથન સાથે બિસ્કુલ મેળ ખાય છે. એટલા માટે મને પણ આ જ કથન યોગ્ય લાગે છે. વેંટસુબ્બચ્ચનો એવો મત કે વિજયાદિત્યનો કોઈ સહોદર ભાઈ ન હતો, ઈ.સ. ૧૧૬પના એફસાંબિના અભિલેખ સાથે મેળ ખાતો નથી, કેમકે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે વિજયાદિત્ય ગંડરાદિત્યનો જયેષ્ઠ પુત્ર હતો. સાથે સાથે જ કવિ કર્ણપાર્ય દ્વારા પ્રયુક્ત રૂપનારાયણ પદવીર થી પણ માનવું પડશે કે તેનો આશ્રયદાતા લક્ષ્મણ રાજવંશીય ચોક્કસ હતો, કેમકે કવિએ ગંડરાદિત્ય તથા વિજયાદિત્ય માટે પણ આ જ પદવીનો પ્રયોગ કર્યો છે. નેમિનાથપુરાણના સંપાદક એચ. શેષઅયંગારે તેની પ્રસ્તાવનામાં અન્યાન્ય સ્થળોના કેટલાય શિલાલેખોનો હવાલો આપી એ સાબિત કર્યું છે કે તે શિલાલેખોમાં પ્રતિપાદિત રાજા વિજયાદિત્ય અને કવિ કર્ણપાર્ય દ્વારા નેમિનાથપુરાણમાં ઉલિખિત વિજયાદિત્ય આ બંને અભિન્ન છે. આ વિજયાદિત્યનો સમય ઈ.સ.૧૧૪૩થી ૧૧૬૪ સુધી હોવો જોઈએ. અહીં સુધી આપણે કર્ણપાર્યના સમય સંબંધમાં વિચાર કર્યો. હવે જોવાનું એ છે કે કર્ણપાર્યનું જન્મસ્થળ કયું છે. આ પહેલાં જ કહેવામાં આવ્યું છે કે તેણે પોતાની કૃતિમાં ક્યાંય પણ પોતાના જન્મસ્થળ, વંશ અને માતાપિતા વગેરેનો ઉલ્લેખ નથી કર્યો. આવી સ્થિતિમાં કવિના જન્મસ્થળ, વંશ વગેરે સંબંધમાં નિશ્ચિત રૂપે કંઈ પણ નથી કહી શકાતું. નેમિનાથના સમવસરણના વર્ણનમાં તીર્થંકર નેમિનાથ દ્વારા ધર્મપ્રચારાર્થે ૧. મૈસુર આર્કીઓલોજિકલ રીપોર્ટ- ૧૯૧૬, પૃષ્ઠ૪૮-૫૦. ૨. નેમિનાથપુરાણ, આશ્વાસ ૧, પદ્ય ૩૦. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૪ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ વિહાર કરાયેલા દેશોમાં સર્વપ્રથમ કરહાટ (કોલ્હાપુર)નું નામ આવ્યું છે (આશ્વાસ ૧૩, પદ્ય ૧૦૩). કર્ણપાર્થને કરાટના શિલાહાર વંશી રાજા વિજયાદિત્યના મંત્રી : લક્ષ્મ અથવા લક્ષ્મણનું સંરક્ષણ પ્રાપ્ત હતું. એટલા માટે વિદ્વાનોનું અનુમાન છે કે કોલ્હાપુર જ કર્ણપાર્યનું જન્મસ્થળ હશે. પરંતુ બલિષ્ઠ પ્રમાણોના અભાવે એમ માનવું સમુચિત નથી કે કોલ્હાપુર જ કવિનું જન્મસ્થળ છે, કેમકે સમવસરણના વિવરણમાં કવિએ સહુ પ્રથમ કરવાટનું જે રીતે નામ લખ્યું છે, તેનું બીજું પણ કોઈ અદૃષ્ટ કારણ હોઈ શકે. આથી તેમના વંશ, માતા-પિતાદિ સંબંધે આ સમયે કંઈ પણ કહી નથી શકાતું. હવે કર્ણપાર્યના અમરકાવ્ય નેમિનાથ-પુરાણ વિશે પણ બે શબ્દ કહેવા જરૂરી છે. આ પુરાણમાં દેશનિવેશવર્ણન, પુંડરીકિણી નગરનું ઐશ્વર્યવર્ણન, રાજ્યવૈભવવર્ણન અને દેવગતિવર્ણન (આશ્વાસ ૧) ચિત્તાકર્ષક છે. આ જ રીતે ભગવાન નેમિનાથના ગર્ભવતરણ તથા જન્માભિષેક (આશ્વાસ ૮), વૈરાગ્ય, દાન, તપ, કેવલજ્ઞાનોત્પત્તિ તથા સમવસરણ વર્ણન (આશ્વાસ ૧૩) અને નિર્વાણનું વર્ણન પણ માર્મિક છે. સાથે જ પ્રદ્યુમ્નકુમાર, પાંડવો તથા બલદેવની તપસ્યાનું વર્ણન (આશ્વાસ ૧૪) પણ વિશેષ ચિત્તાકર્ષક છે. જ્યાં સુધી રસનો સંબંધ છે જૈન કાવ્ય તથા પુરાણોનો પ્રધાન રસ શાંત રસ છે. પરંતુ તે પણ એક સર્વમાન્ય તથ્ય છે કે આસ્વાદકોને એક જ રસથી સંતોષ નથી થઈ શકતો. એટલા માટે શાંતરસની સાથે સાથે જૈનપુરાણો તથા કાવ્યોમાં શૃંગારાદિ શેષ રસ પણ યથાસ્થાન પ્રકરણાનુકૂલ ઉચિત માત્રામાં નિબદ્ધ કરી દેવામાં આવ્યા છે. મહાકવિ નાગચન્દ્રનું કથન છે કે જે રીતે સિદ્ધરસથી લોહ સુવર્ણ બની જાય છે તે જ રીતે શાંતરસના સંપર્કથી પાપ પ્રવૃત્તિના જનક શૃંગારાદિ રસ પણ પુણ્યનું કારણ બની જાય છે. પ્રસ્તુત કાવ્યમાં પણ શાંતરસ તથા તેનો સ્થાયીભાવ નિર્વેદ વિશેષ રૂપે વર્ણિત છે. પ્રથમ આશ્વાસમાં નાગદત્ત ઇભકતું અને પ્રીતિમતિ-ચિંતાગતિના વૈરાગ્ય પ્રસંગોમાં તથા દ્વિતીય આશ્વાસમાં અર્વદાસ અમિતગામી અમિતતેજ અને સુપ્રતિષ્ઠના વૈરાગ્ય પ્રસંગોમાં શાંતરસ, તૃતીય આશ્વાસમાં શાન્તનું અને પાંડુ-કુંતિના પ્રસંગોમાં શૃંગારરસ, સુપ્રતિષ્ઠના ઉપસર્ગમાં કરુણ રસની અભિવ્યક્તિ થઈ છે. ચતુર્થ તથા પંચમ આશ્વાસમાં સ્મશાનના વર્ણનમાં બીભત્સરસ, વિવાહોના પ્રસંગોમાં શૃંગારરસ તથા ષષ્ઠ આશ્વાસમાં કંસના ચરિત્રમાં માત્સર્યાદિ ભાવોની સાથે સાથે વીરરસની Page #83 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ ૫૫ સૃષ્ટિ ઊભી કરવામાં આવી છે. સપ્તમ આશ્વાસમાં હાસ્ય, વીર અને શૃંગારની સાથે સાથે અદ્દભુતરસનો પ્રયોગ થયો છે. નેમિનાથના ગર્ભાવતરણ તથા જન્માભિષેક વગેરેમાં ભક્તિની સાથે અભુત રસ મળે છે. નવમ આશ્વાસથી લઈ દ્વાદશ આશ્વાસ સુધી કૌરવ તથા પાંડવોના ચરિત્રમાં માત્સર્યાદિ ભાવોની સાથે રૌદ્રરસની તથા બલદેવ, વાસુદેવ, જરાસંધ અને કૌરવ તથા પાંડવોના યુદ્ધ પ્રસંગમાં વીરરસની પ્રધાનતા છે. દ્વાદશ આશ્વાસના અંતે વીર તથા રૌદ્રરસ, ત્રયોદશ આશ્વાસના આરંભમાં શ્રૃંગારરસ અને અંતે શુદ્ધ શાંતરસ તથા ચતુર્દશ આશ્વાસના પ્રારંભમાં શાંત, બલદેવના પ્રલાપમાં કરુણ તથા અંતે સ્વચ્છ શાંત રસનું વર્ણન પ્રાપ્ત થાય છે. કર્ણપાર્ય “વાક્ય રસાત્મિજં વાવ્ય' એ પૂર્વ પરંપરાના પાકા અનુયાયી હતા. એટલા માટે કથાભાગ તથા રસ તરફ તેમનું જેટલું લક્ષ્ય હતું, તેટલું વર્ણન અને અલંકાર તરફ ન હતું. તેમના કાવ્યમાં વર્ણન અને અલંકાર ખૂબ ઓછાં છે. કવિના અધિકાંશ પદ્યોમાં નૃત્યનુપ્રાસ નામક શબ્દાલંકાર જ દૃષ્ટિગોચર થાય છે (આશ્વાસ ૬, પદ્ય ૩૪; આશ્વાસ ૭, પદ્ય ૧૩૧; આશ્વાસ ૮, પદ્ય ૧૩૦; આશ્વાસ ૧૧, પદ્ય ૯૯; આશ્વાસ ૧૨, પદ્ય ૧૧૮, ૧૨૭, ૧પ૬.). - આ પુરાણમાં ઉપમા, દૃષ્ટાંત, રૂપક, ઉલ્ટેક્ષા, અર્થાતરન્યાસ વગેરે અલંકારોના ઉદાહરણો સીમિત માત્રામાં જ મળે છે. અલંકારોમાં કર્ણપાર્યને ઉપમાલંકાર અધિક પ્રિય હતો. તે માટે આશ્વાસ ૧૦, ૧૧ અને ૧૨ વિશેષ ઉલ્લેખનીય છે. કર્ણપાર્યની શૈલીમાં વિશેષતઃ પાંચાલી તથા વૈદભી રીતિ જ દૃષ્ટિગોચર થાય છે, તેમ છતાં ક્યાંક-ક્યાંક વીર, બીભત્સ અને રૌદ્ર રસને અનુકૂળ ગૌડી રીતિ પણ મળે છે (આશ્વાસ ૧૨, પદ્ય ૨૭૩ વગેરે). સ્વતંત્ર રચનાકાર હોવા છતાં પણ કર્ણપાર્વે પ્રાચીન સંસ્કૃત તથા કન્નડ કવિઓના ભાવોને પણ યથાવસર ગ્રહણ કર્યા છે. પ્રતિપાદ્ય વિષયને સુરુચિપૂર્ણ બનાવવા માટે તેમણે સંસ્કૃતના વ્યાવહારિક વાક્યો તથા કહેવતો ઉમેરીને વિષયને સુંદર બનાવ્યો છે. કવિ કર્ણપાર્વે પ્રાચીન વ્યાકરણના નિયમોનું પાલન ચોક્કસ કર્યું છે, છતાં પણ અનેક સ્થાને તેમણે કન્નડના નૂતન રૂપો પણ અપનાવ્યાં છે. અન્યાય જૈન કવિઓની જેમ તેમણે પણ વૈદિક પુરાણોમાં વર્ણિત ત્રિમૂર્તિ, સમુદ્રમંથન, સમુદ્રમંથનથી લક્ષ્મીની ઉત્પત્તિ વગેરે વૈદિક વાતોને દૃષ્ટાન્ત રૂપે લઈ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૬ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ લીધી છે. નેમિનાથપુરાણની કથાવસ્તુમાં માત્ર નેમિનાથનું ચરિત્ર જૈન પરંપરા અનુસાર વર્ણિત છે, બાકીના બલદેવ-વાસુદેવનું ચરિત્ર વૈદિક ભાગવત કથામાંથી, કૌરવ-પાંડવોનું ચરિત્ર વૈદિક મહાભારતની કથામાંથી ચૂનાધિક મળે છે. અહીં ઉલ્લેખનીય છે કે જયાં વૈદિક પુરાણમાં દેવકીના વિવાહ પૂર્વે વસુદેવના ચરિત્ર સંબંધે કંઈ પણ જાણકારી નથી મળતી, ત્યાં નેમિનાથપુરાણમાં આ પ્રસંગે પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. વિસ્તાર ભયથી તે વિશે અહીં નથી લખવામાં આવ્યું. દોડુણ્ય (લગભગ ઈ.સ.૧૫૫૦), મંગરસ (ઈ.સ.૧૫૦૮) વગેરે કવિઓએ પોતાની કૃતિઓમાં કર્ણપાર્યની “વીરેશચરિત્ર' નામક બીજી એક કૃતિનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ આ કૃતિ હજી સુધી ઉપલબ્ધ નથી થઈ. સોમનાથ તેમણે કલ્યાણકારક નામક વૈદ્યક ગ્રંથ કન્નડમાં લખ્યો છે. જાણવા મળે છે કે તેમને વિચિત્રકવિ' નામક પદવી મળી હતી. સોમનાથે પોતાની રચનામાં લખ્યું છે કે મારા આ ગ્રંથનું સંશોધન સુમનોબાણ તથા અભયચન્દ્ર સિદ્ધાંતીએ કર્યું છે. આ ઉલ્લેખથી સ્પષ્ટ છે કે સોમનાથ સુમનોબાણના સમકાલીન હતા. સુમનોબાણનો સમય લગભગ ઈ.સ.૧૧૫૦ છે. સોમનાથના આ સમયની પુષ્ટિ શ્રવણબેલગોલના લગભગ ૧૧૨૫ ઈ.સ.ના શિલાલેખ નં. ૩૮૪થી પણ થાય છે. લેખમાં ગંગરાણના પુત્ર બોખના ગુરુ માધવચન્દ્રનો ઉલ્લેખ છે. આ જ માધવચન્દ્રની સ્તુતિ સોમનાથે પોતાના ગ્રંથમાં કરી છે. આથી શ્રી આર. નરસિંહાચાર્યના મતાનુસાર સોમનાથનો સમય લગભગ ૧૧૪૦ ઈ.સ. છે. સોમનાથનો કલ્યાણકારક વૈદ્યક ગ્રંથ આચાર્ય પૂજ્યપાદકૃત કલ્યાણકારક નામે સંસ્કૃત વૈદ્યક ગ્રંથનો જ કન્નડ અનુવાદ છે. સોમનાથે વાલ્મટ, ચરક વગેરેના વૈદ્યક ગ્રંથોથી પૂજ્યપાદના કલ્યાણકારકને શ્રેષ્ઠ બતાવ્યો છે. સાથે સાથે જ આમાં એમ પણ લખ્યું છે કે કલ્યાણકારકની ચિકિત્સા પદ્ધતિમાં મધ, માંસ તથા મધ નિષિદ્ધ છે. ગ્રંથના પ્રારંભે તીર્થંકર ચન્દ્રપ્રભ અને સરસ્વતીની સાથે માધવચન્દ્ર સિદ્ધાંતચક્રવર્તી, અભયચન્દ્ર, કનકચન્દ્ર પંડિતદેવની પણ સ્તુતિ કરવામાં આવી છે. કવિ સોમનાથ દ્વારા સંસ્તુત ઉપર્યુક્ત માધવચન્દ્ર, અભયચન્દ્ર અને કનકચન્દ્ર આ ત્રણે સમકાલીન હતા. આમાંથી માધવચન્દ્ર ત્રિલોકસારના ટીકાકાર, અભયચન્દ્ર ગોમ્મસારની મંદપ્રબોધિકા ટીકાના રચયિતા અને કનકનદિ ગોમ્મસારની રચનામાં સહાયક પ્રતીત થાય છે. જો મારું એ અનુમાન યોગ્ય હોય તો આ આચાર્યો સંબંધ Page #85 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ પ૭ નિમ્નલિખિત વાતો જાણવા યોગ્ય છે. ત્રિલોકસારના ટીકાકાર માધવચન્દ્ર આચાર્ય નેમિચન્દ્રના શિષ્ય હોવાનું જણાય છે. મૂળ ગ્રંથમાં પણ તેમની કેટલીય ગાથાઓ સમ્મિલિત છે. એટલું જ નહિ સંસ્કૃત ટીકાની ઉત્થાનિકાથી જ્ઞાત થાય છે કે ગોમ્મસારમાં પણ તેમની કેટલીય ગાથાઓ સમાવિષ્ટ કરવામાં આવી છે. સંસ્કૃત ગદ્યમય ક્ષપણસાર કે જે લબ્ધિસારમાં સામેલ છે, તે પણ આ માધવચન્દ્રની રચના છે. સિદ્ધાંતચક્રવર્તી નેમિચન્દ્રના ગોખ્ખટસારની રચનામાં માત્ર માધવચન્દ્રનો જ નહિ પરંતુ આચાર્ય કનકનન્દિનો પણ સહયોગ રહ્યો છે. સ્વ. નાથુરામજી પ્રેમીના મતાનુસાર ગંગનરેશ રાગમલના મહામંત્રી ચાષ્ઠિરાય, સિદ્ધાન્તચક્રવર્તી નેમિચન્દ્ર વીરનદિ, ઈન્દ્રનંદિ, કનકનંદિ અને માધવચન્દ્ર આ બધાનો સમય વિક્રમ સંવત ૧૨મી શતાબ્દીનો પૂર્વાદ્ધ છે. આવી સ્થિતિમાં નરસિહાચાર્ય દ્વારા અનુમિત સોમનાથના સમયમાં અને પ્રેમીજી દ્વારા અનુમિત કાળમાં થોડું-ઘણું અંતર ચોક્કસ પડશે. તેનું એ જ સમાધાન છે કે ઉપર્યુક્ત બંને સમય માત્ર અનુમાનિત છે. એટલા માટે સોમનાથનો સમય થોડો-ઘણો ઘટાડવાવધારવામાં કોઈ આપત્તિ ઉપસ્થિત નહિ થાય. કીર્તિવર્મ (ઈ.સ.૧૧૨૫)ના ગોવૈદ્યને છોડી આજ સુધીના ઉપલબ્ધ બધા કન્નડ વૈદ્યક ગ્રંથોમાં કન્નડ કલ્યાણકારક પ્રાચીન તથા પ્રકાશનીય છે. વૃત્તવિલાસ તેમણે ધર્મપરીક્ષા લખી છે. પ્રાક્કાવ્યમાલિકામાં પ્રકાશિત શાસ્ત્રસારના કેટલાક અંશોથી ખબર પડે છે કે તેમણે શાસ્ત્રસાર નામક એક અન્ય ગ્રંથ પણ રચ્યો છે. કવિએ પોતાની રચનામાં પોતાના સંબંધે કંઈ પણ નથી લખ્યું. આથી કવિના સમયનિર્ણયનો આધાર તેમના દ્વારા સ્તુત ગુરુપરંપરા જ છે. આ ગુરુપરંપરામાં તેમણે વતી શુભકીર્તિ, સિદ્ધાંતી માધવનંદિ, યતિ ભાનુકીર્તિ, ધર્મભૂષણ, અમરકીર્તિ, વાગીશ્વર અને અભયસૂરિનાં નામ ગણાવ્યાં છે. શ્રી આર. નરસિંહાચાર્યે ઉપર્યુક્ત આચાર્યોના સમયના આધારે વૃત્તવિલાસનો સમય ઈ.સ.૧૧૬૦ નિર્ધારિત કર્યો છે. કવિ સંબંધમાં વિશેષ કંઈ પણ જ્ઞાત નથી. વૃત્તવિલાસના શ્રદ્ધય ગુરુ અમરકીર્તિ છે. આચાર્ય અમિતગતિકૃત ધર્મપરીક્ષાને જ વૃત્તવિલાસે કન્નડ ભાષાભાષીઓના ૧. જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃષ્ઠ ૩૦૦. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ હિતાર્થે કન્નડમાં લખ્યું છે. આ વાતનો કવિએ પોતાની રચનામાં સ્વયં સ્વીકાર કર્યો છે. ધર્મપરીક્ષા ચંપૂ ગ્રંથ છે. તેમાં દસ આશ્વાસ છે. ગ્રંથની શૈલી સુગમ તથા લલિત છે. કથા કહેવાની રીત પણ ચિત્તાકર્ષક છે. છતાં પણ કેટલાક સમય પછી વૃત્તવિલાસની આ ધર્મપરીક્ષા નામક કૃતિ સામાન્ય જનતાને કઠિન લાગવા લાગી. એટલા માટે સ્થાનીય શ્રાવકોએ શ્રવણબેલગોલના તત્કાલીન મઠાધીશ ચારકીર્તિજીને આની કન્નડ વ્યાખ્યા તૈયાર કરવા માટે પ્રાર્થના કરી. આ કાર્ય માટે ચારકીર્તિજીએ ચંદ્રસાગરજીને આજ્ઞા આપી. તદનુસાર ચંદ્રસાગરજીએ શક સં. ૧૭૭૦માં સુલભ કન્નડ ગદ્યમાં ધર્મપરીક્ષાને રૂપાંતરિત કરી. ચંદ્રસાગરજીની આ ધર્મપરીક્ષામાં પણ દશ અધ્યાય છે. આ રીતે કન્નડમાં હજી સુધી ધર્મપરીક્ષા સંબંધી આ જ બે રચનાઓ ઉપલબ્ધ છે. પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃત ભાષાઓમાં આ જ વિષયને નિરૂપિત કરનાર ધર્મપરીક્ષા નામના કેટલાય ગ્રંથ ઉપલબ્ધ થાય છે. તેમાં નિમ્નલિખિત ગ્રંથો પ્રમુખ છે – જયરામ નામક કવિએ ગાથાપ્રબંધમાં એક “ધર્મપરીક્ષા”ની રચના કરી હતી. તે પ્રાયઃ પ્રાકૃત ભાષામાં રહી હશે. પરંતુ આ ધર્મપરીક્ષાની કોઈ પણ પ્રત હજી સુધી ઉપલબ્ધ થઈ નથી. આના જ આધારે હરિજેણે પણ અપભ્રંશ ભાષામાં ધર્મપરીક્ષા નામક ગ્રંથ લખ્યો હતો. આ હરિષણ મેવાડદેશવાસી ગોવર્ધન તથા તેમની ધર્મપત્ની ગુણવતીના પુત્ર હતા. હરિફેણ કાર્યવશ ચિત્રકૂટથી અચલપુર ગયા અને ત્યાં તેમણે છંદ, અલંકાર વગેરેનું અધ્યયન કરી વિ.સં. ૧૦૪૪માં અપભ્રંશ ધર્મપરીક્ષાની રચના કરી. હરિષણના ગુરુ સિદ્ધસેન હતા અને તેમની જ કૃપાથી આ ધર્મપરીક્ષા લખવામાં આવી હતી. તેમાં સંદેહ નથી કે જયરામ હરિષણની પહેલાં થયા છે. ત્યાર પછી માધવસેનના શિષ્ય આચાર્ય અમિતગતિએ વિ.સં.૧૦૭૦માં સંસ્કૃત ધર્મપરીક્ષાની રચના કરી. અમિતગતિની ધર્મપરીક્ષા હરિષણની ધર્મપરીક્ષાથી ૨૬ વર્ષ પછીની રચના છે. જયરામની ધર્મપરીક્ષાની કોઈ પ્રત નથી મળી. હરિષણની ધર્મપરીક્ષા પણ હજી હસ્તલિખિત સ્થિતિમાં જ છે. પરંતુ અમિતગતિની ધર્મપરીક્ષા મુદ્રિત થઈ ચૂકી છે, માત્ર એટલું જ નહિ, તેનો સાર હિંદી, મરાઠી વગેરે ભાષાઓમાં પણ પ્રકાશિત થઈ ચૂક્યો છે. અમિતગતિનું અનુકરણ કરતાં અને તેમના ગ્રંથના ઘણાં Page #87 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ - ૫૯ અંશોને હૂબહુ લઈને વિ.સં.૧૯૪પમાં કવિ પદ્મસાગરે પણ એક ધર્મપરીક્ષાની રચના કરી હતી, જે મુદ્રિત થઈ ચૂકી છે. વૃત્તવિલાસની ધર્મપરીક્ષાના અભ્યાસીઓને અમિતગતિની ધર્મપરીક્ષાનો પરિચય આપવો આવશ્યક છે, કેમકે વૃત્તવિલાસે અમિતગતિના ગ્રંથના આધારે જ પોતાના ગ્રંથની રચના કરી છે. અમિતગતિ એક પ્રૌઢ કવિ હતા. સંસ્કૃત ભાષા પર તેમનો પૂર્ણ અધિકાર હતો. તેઓ આશુકવિ પણ હતા. સંસ્કૃતમાં તેમણે કેટલાય ગ્રંથ રચ્યા છે. ડૉ. ઉપાધ્યનું અનુમાન છે કે જયરામના પ્રાકૃત ગ્રંથનું અનુકરણ કરીને જ અમિતગતિએ પોતાની સંસ્કૃત ધર્મપરીક્ષા રચી હશે. ધર્મપરીક્ષાની રચના-પ્રક્રિયાનું પૂર્ણરૂપેણ અનુકરણ કરનાર એક બીજો પણ ગ્રંથ છે. તેનું નામ ધૂર્તાવાન છે. આ ગ્રંથ મુદ્રિત થઈ ચૂક્યો છે. પૂર્યાખ્યાન પ્રાકૃત ભાષાનો એક લઘુકાય ગ્રંથ છે. તેના રચયિતા હરિભદ્ર છે. હરિભદ્ર એક મહાન કવિ છે. તેમનો સમય ૭મી શતાબ્દી છે. તેમણે સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાઓમાં અનેક મહત્ત્વપૂર્ણ ગ્રંથોની રચના કરી છે. હરિભદ્ર એક વિચક્ષણ કવિ જ ન હતા પરંતુ અપ્રતિમ તૈયાયિક તથા કુશળ કથાકાર પણ હતા. હરિભદ્ર એક જ જાતની વિવિધ કથાઓનો વૈદિક પુરાણોમાંથી સંગ્રહ કરી તે કથાઓની અસંબદ્ધતા સ્પષ્ટ કરી છે. અસંબદ્ધ કથાઓ તથા તેની પર વિશ્વાસ કરનારના અંધવિશ્વાસનું ઉપહાસાત્મક વિવરણ હરિભદ્ર પોતાની આ રચનામાં ખૂબ કુશળતાથી પ્રસ્તુત કર્યું છે. ભારતીય વાદ્ધયમાં પૂર્ણ રીતે ઉપહાસપરક કૃતિઓ દુર્લભ જ છે. નાટકો તથા ધર્મગ્રંથોમાં પણ ક્યાંક-ક્યાંક ઉપહાસાત્મક પ્રસંગો મળે છે, પરંતુ ધૂખ્યાન સમાન શુદ્ધ બૌદ્ધિક તથા ઉપહાસપરક ગ્રંથ પ્રાચીન ભારતીય વાયમાં બીજો નથી. ધર્માભિનિવેશને છોડી દઈએ તો પ્રાચીન વાદ્યયના અભ્યાસીઓ માટે આ એક દુર્લભ રત્ન છે. પૂર્વાખ્યાનની ભાષા સુગમ તથા પ્રાચીન છે. વૃત્તવિલાસની ધર્મપરીક્ષાની પૃષ્ઠભૂમિને સ્પષ્ટ રૂપે સમજાવવા માટે અમિતગતિની ધર્મપરીક્ષા તથા હરિભદ્રના ધૂર્તાખ્યાનનું પરિશીલન જરૂરી છે. વૃત્તવિલાસની ધર્મપરીક્ષાનો પ્રારંભ આ મુજબ થાય છે – મનોવેગ અને ૧. “પ્રબુદ્ધ કર્ણાટક રજતજયંતી અંકમાં પ્રકાશિત ડૉ. એ. એન. ઉપાધ્યનો ધર્મપરીક્ષા સમ્બન્ધી લેખ જુઓ. ૨. આ માટે “પ્રબુદ્ધ કર્ણાટક રજત જયંતી અંક જુઓ. Page #88 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ પવનવેગ નામના બે રાજકુમાર પાટલીપુર જઈ ત્યાંનું બ્રહ્માલયસ્થ નગારું વગાડી ત્યાં રાખેલા સિંહાસન પર બેસી જાય છે. ત્યાર પછી બ્રાહ્મણ વિદ્વાનો દ્વારા તેમને કહેવામાં આવે છે કે જે વિદ્વાન આ નગારું વગાડી શાસ્ત્રાર્થમાં વિજય પ્રાપ્ત કરે છે, તે જ આ સિંહાસન પર બેસવાનો અધિકારી થાય છે. આથી બતાવો કે તમે લોકો ક્યા વિષયના વિશેષજ્ઞ છો. આ વાત સાંભળી રાજકુમારોએ જવાબ આપ્યો કે અમે વિદ્વાન નથી. પરંતુ એમ જ આવીને આ સિંહાસન પર બેઠા છીએ. એટલું કહીને તેઓ સિંહાસન પરથી ઊઠી નીચે બેસી જાય છે' પછીથી તે રાજકુમારોએ બ્રાહ્મણ વિદ્વાનોને જૈન ધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને તેમના ધર્મનું અનેક પ્રકારે નિરાકરણ કરી જયપત્ર પ્રાપ્ત કર્યો. નાગવર્મ (પ્રથમ) $0 તેમણે છંદોમ્બધિ તથા કર્ણાટક કાદંબરીની રચના કરી છે. તેમને વીરમાર્તંડ ચાઉડરાયનું સંરક્ષણ પ્રાપ્ત હતું. તેઓ આચાર્ય અજિતસેનના શિષ્ય હતા. આર. નરસિંહાચાર્યના મતે તેમનો સમય લગભગ ઈ.સ.૯૯૦ છે. મહાકવિ પંપ તથા પોન્નની જેમ તેઓ પણ વેંગિવિષયના નિવાસી હતા. નાગવર્મના પિતા વૈષ્ણમધ્ય વૈદિક બ્રાહ્મણ હતા તેમ છતાં નાગવર્મ જૈનધર્મના અનુયાયી થઈ ગયા હતા. પંપ તથા પોન્નની જેમ તેમણે કોઈ ધાર્મિક ગ્રંથની રચના નથી કરી. તેમણે પોતાને યુદ્ધવીર અને સત્કવિ કહ્યા છે. કન્નડ સાહિત્યમાં કાદમ્બરીસદેશ ઉત્કટ રચના બીજી મળતી નથી. બાણભટ્ટની સંસ્કૃતમાં રચિત કાદંબરી કાવ્યમય ગદ્યમાં છે અને તે અનેક સ્થળે દુર્બોધ બનેલી છે. આવી મહાકૃતિને સંપૂરૂપે કન્નડમાં લખનાર નાગવર્મ વાસ્તવમાં અભિનંદનીય છે. નાગવર્મનો આ ગ્રંથ સંસ્કૃતમાં રચિત કાદંબરીનો માત્ર કન્નડ અનુવાદ નથી. તેમાં અનેક વર્ણન છોડી પણ દેવામાં આવ્યા છે. છતાં પણ મૂળના સૌંદર્યની રક્ષા કરતાં નાગવર્મે આને પોતાની જ રીતે એક સ્વતંત્ર કૃતિનું રૂપ પ્રદાન કર્યું છે. કવિની ભાષા સુગમ તથા સશક્ત અને કથાનિરૂપણ પ્રવાહમય છે. નાગવર્મની બીજી કૃતિ છંદોમ્બુધિ છંદશાસ્ત્ર સંબંધિત એક સુંદર કૃતિ છે. નાગવર્મ (દ્વિતીય) તેમણે કાવ્યાવલોકન, કર્ણાટકભાષાભૂષણ, વસ્તુકોશ અને અભિધાનરત્નમાલા નામક ગ્રંથોની રચના કરી છે. આ બધા ગ્રંથો વિદ્વત્તાપૂર્ણ તથા કન્નડ ભાષાના Page #89 -------------------------------------------------------------------------- ________________ પંપયુગ ૬૧ અધ્યેતાઓ માટે અત્યંત ઉપયોગી લક્ષણ ગ્રન્યો છે. વિદ્વાનોના મતે તેમનો સમય લગભગ ૧૧૪૫ ઈ.સ. છે. નાગવર્મનાં નાકિંગ અને નાકિ નામ પણ હતા.' તેઓ જૈન બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ દામોદર હતું. તેમને અભિનવ શર્વવર્મ કવિકર્ણપૂર કવિતાગુણોદય અને કવિકંઠાભરણ નામક ઉપાધિઓ મળી હતી.* આચણ, જન્ન, સાળવ અને દેવોત્તમ વગેરે કવિઓએ પણ તેમની સ્તુતિ કરી છે. મહાકવિ જન્ન (ઈ.સ. ૧૨૭૯)ના કથનાનુસાર તેમનો એક ગ્રંથ જિનપુરાણ પણ હતો. પરંતુ હજી સુધી તે ગ્રંથ ઉપલબ્ધ નથી થયો. કવિએ પોતાની રચનાઓમાં પોતાને એક અસાધારણ પંડિત તથા અનેક રાજભાષાઓમાં પ્રતિષ્ઠા અર્જિત કરનાર બતાવ્યા છે. નાગવર્મે પોતાના નિવાસસ્થાન તથા સમય વગેરે વિશે કંઈ પણ નથી લખ્યું. કન્નડ લક્ષણ ગ્રંથ રચનારાઓમાં નાગવર્મ (દ્વિતીય) નાયક મણિ તુલ્ય છે. તેમણે કન્નડ ભાષા સંબંધિત બધાં ક્ષેત્રોની અનુપમ સેવા કરી છે. કવિનો કાવ્યાવલોક નામક પ્રથમ ગ્રંથ અલંકારશાસ્ત્રનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. આ ગ્રંથ નૃપતુંગના કવિરાજમાર્ગથી અધિક પરિપૂર્ણ છે. આમાં સૂત્રોને કંદ પદ્યોમાં આપીને પૂર્વ કવિઓના ગ્રંથોમાંથી ઉદાહરણ આપવામાં આવ્યાં છે. આ ગ્રંથ નિમ્નલિખિત પાંચ અધિકરણોમાં વિભક્ત છે – (૧) શબ્દસૃતિ નામક પ્રથમ અધિકરણમાં સંધિપ્રકરણ, નામપ્રકરણ, સમાસ પ્રકરણ, તદ્ધિતપ્રકરણ અને આખ્યાનપ્રકરણ નામક પાંચ પ્રકરણોમાં કન્નડ ભાષાના વ્યાકરણનું શાસ્ત્રીય તથા લાલિત્યપૂર્ણ નિરૂપણ છે. કન્નડ વ્યાકરણ માટે શબ્દસૃતિ પ્રથમ રચના છે. (૨) કાવ્યમલ વ્યાવૃત્તિ નામક દ્વિતીય અધિકરણના પદપદાર્થસંધિદોષવિનિશ્ચય અને વાક્યવાક્યાર્થદોષાનુકીર્તન નામક બે પ્રકરણોમાં પદ અને વાક્યોની રચનામાં થનાર દોષો બતાવવામાં આવ્યા છે. (૩) ગુણવિવેકાધિકરણ નામક તૃતીય અધિકરણ તથા માર્ગવિભાગદર્શન, ૧. અભિધાનવસ્તુકોશ, પદ્ય ૩૬. ૨. કાવ્યાવલોકનની પ્રશસ્તિ. ૩. કર્ણાટકકવિચરિતે, ભાગ ૧, પૃષ્ઠ ૧૪. ૪. કાવ્યાવલોકન અને વસ્તુકોશ. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૬૨. કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ શબ્દાલંકારનિર્ણય અને અર્થાલંકારનિર્ણય નામક ત્રણ પ્રકરણોમાં સમસંશ્લિષ્ઠ વગેરે દસ ગુણો તથા શબ્દાલંકારોનું અનુક્રમે વિવેચન છે. (૪) રીતિક્રમણરસનિરૂપણાધિકરણ નામક ચતુર્થ અધિકરણમાં રીતિપ્રકરણ અને રસપ્રકરણ નામક બે પ્રકરણ છે. (૫) કવિસમયાધિકરણ નામક પંચમ અધિકરણમાં અસદાખ્યાતિ, સકીર્તન, નિયમ, અર્થ અને ઐક્ય નામક પાંચ પ્રકરણ છે. અહીં આ બધાનું વિસ્તૃત વર્ણન કરવું સંભવિત નથી. નાગવર્મના મતે કૃતિઓ ત્રણ પ્રકારની હોય છે – પદ્યમય, ગદ્યમય અને મિશ્રિત. કથા અથવા આખ્યાયિકા ગદ્યમય અને સર્ગબંધ કાવ્ય પદ્યમય તથા ચંપૂ ગદ્યપદ્યમિશ્રિત હોય છે. નાગવર્મે (દ્વિતીય) પોતાના કાવ્યાવલોકનની રચનામાં પ્રસિદ્ધ સંસ્કૃત લાક્ષણિકો વામન, રુદ્રટ, ભામહ અને દંડીનું અનુકરણ કર્યું છે. કવિનો બીજો ગ્રંથ કર્ણાટકભાષાભૂષણ છે. તે સંસ્કૃત ભાષામાં રચિત કન્નડ વ્યાકરણ ગ્રંથ છે. સંભવતઃ કન્નડથી અનભિજ્ઞ સંસ્કૃત વિદ્વાનોને કન્નડ ભાષાના સામર્થ્ય તથા સૌંદર્યનો પરિચય આપવા માટે નાગવર્મે આ પ્રયાસ કર્યો હશે. આગળ ચાલીને ભટ્ટારક અકલંકે (ઈ.સ. ૧૬૦૪) પણ શબ્દાનુશાસન નામક એક વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી. ભાષાભૂષણમાં સંજ્ઞા, સંધિ, વિભક્તિ, કારક, શબ્દરીતિ, સમાસ, તદ્ધિત, આખ્યાતનિયમ, અવ્યયનિરૂપણ અને નિપાતનિરૂપણ નામક દસ પરિચ્છેદ છે. નાગવર્મનો ત્રીજો ગ્રંથ અભિધાનવસ્તુકોશ છે. એ કંદ વૃત્તોમાં રચિત સંસ્કૃતકન્નડ કોશ છે. કન્નડમાં ઉપલબ્ધ બૃહદ્દ કોશોમાં આ પ્રથમ કોશ છે. એકાર્યકાંડ, નાનાર્થકાંડ અને સામાન્યકાંડ, આ રીતે આ કોશમાં ત્રણ વિભાગ છે. આમાં પ્રાચીન કન્નડ કવિઓ દ્વારા પ્રયુક્ત સંસ્કૃત પદોનો કન્નડમાં અર્થ આપવામાં આવ્યો છે. આમાં કવિએ વરરુચિ, હલાયુધ વગેરેની કૃતિઓમાંથી સહાયતા લીધી છે. તેમનો ચોથો ગ્રંથ અભિધાનરત્નમાલાટીકા છે. તેમાં હલાયુધકૃત અભિધાનરત્નમાલા નામક સંસ્કૃત કોશના સંસ્કૃત શબ્દોના સમાનાર્થક કન્નડ શબ્દો આપવામાં આવ્યા છે. આ ટીકામાં ટીકાકાર નાગવર્મે હલાયુધના વિભાગક્રમનું જ અનુસરણ કર્યું છે. કન્નડ કાવ્યોમાં પ્રયુક્ત સંસ્કૃત શબ્દોના અર્થને જાણવા માટે આ ટીકા વિશેષ ઉપયોગી છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ નેમિચન્દ્ર આ યુગમાં પરંપરાગત ચંપૂશૈલીનું અધિક અનુસરણ થવા લાગ્યું હતું. પરંતુ જ્યાં પંપયુગના ચંપૂકાવ્યમાં વીરરસની વ્યંજના પ્રધાન હતી, ત્યાં આ યુગની રચનાઓમાં શ્રૃંગારરસની અભિવ્યક્તિ અધિક થવા લાગી હતી. પંપયુગના મહાકાવ્યના આદર્શનું અનુકરણ કરનાર કવિઓમાં નેમિચન્દ્રનું નામ સૌથી પહેલું આવે છે. શ્રેષ્ઠ ચંપૂ મહાકવિઓની પંક્તિમાં નેમિચન્દ્ર પણ એક છે. કર્ણપાર્યનો આશ્રયદાતા સામંત રટ્ટ રાજા લક્ષ્મણદેવ જ નેમિચન્દ્રનો પણ આશ્રયદાતા છે. કવિનું કહેવું છે કે વીરબલ્લાલ (ઈ.સ.૧૧૭૩-૧૨૨૦)ના પ્રધાન પદ્મનાભે આ નેમિનાથપુરાણની રચના કરાવી છે. આ પ્રમાણના આધારે નેમિચન્દ્રનો સમય લગભગ ૧૧૭૦ ઈ.સ. છે. તેમણે કવિરાજકુંજર, સાહિત્યવિદ્યાધર, સુકવિકંઠાભરણ, ભારતીચિત્તચોર, ચતુર્ભાષાકવિ ચક્રવર્તી, વાગ્વલ્લકી વૈણિક વગેરે પદવીઓ મેળવી હતી. આશ્ચર્ય એ છે કે જ્યારે નેમિચન્દ્રે પોતાના પૂર્વ કવિઓનું સ્મરણ કરતાં કોઈ પણ કન્નડ કવિનો ઉલ્લેખ નથી કર્યો, ત્યારે જન્ન, પાર્શ્વ, મધુર, મંગરસ વગેરે કન્નડ કવિઓએ તેમની ખૂબ પ્રશંસા કરી છે. પ્રકરણ ૩ ચંપૂયુગ શ્રૃંગારરસના વર્ણનમાં નેમિચન્દ્ર સિદ્ધહસ્ત છે. વસ્તુતઃ તેમના કવિતા સામર્થ્યમાં સ્વાભાવિકતા છે. અસાધારણ શબ્દસંપત્તિ તથા પ્રવાહમય ગંભીર શૈલીએ તેમની રચનાઓને વિશેષ રૂપે હૃદયસ્પર્શી બનાવી દીધી છે. નેમિચન્દ્ર નેમિનાથપુરાણ નામક ધાર્મિક કાવ્યની અને લીલાવતી નામક લૌકિક કાવ્યની રચના કરી છે. લીલાવતી તેમની પહેલી રચના છે. આ કાવ્ય શ્રૃંગારરસપ્રધાન છે. નેમિનાથપુરાણ લીલાવતીની અપેક્ષાએ બૃહદ્કાય અને એક સફળ રચના છે. ૧૪મી શતાબ્દીના અંતે થનાર કવિ મધુરે નેમિચન્દ્રની કવિકર્મકુશળતા સંબંધે લખ્યું છે કે ‘આ કોઈ ગર્વોક્તિ નથી પરંતુ સર્વાનુમોદિત તથ્ય છે કે લૌકિક તથા ધાર્મિક રચનાઓ માટે કન્નડ કવિઓમાં નેમિચન્દ્ર તથા જન્ન ઉલ્લેખનીય છે. આ બંનેને કન્નડની કૃતિઓ માટે સીમાપુરુષ માની શકાય.” લીલાવતી કન્નડ સાહિત્યની પ્રથમ શ્રૃંગારિક રચના છે. તેની કથાવસ્તુ સુબંધુરચિત વાસવદત્તા પર આધારિત પ્રતીત થાય છે. વનવાસીનો રાજકુમાર કંદર્પદેવ સ્વપ્રમાં Page #92 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ કોઈ સુંદરીને જુએ છે અને તેની શોધમાં પોતાના સાથી મકરંદ સાથે નીકળી પડે છે. સ્વપ્રમાં ગોચર થયેલી તે સુંદરી કુસુમપુરના નરેશ શૃંગારશેખરની કન્યા લીલાવતી હતી. લીલાવતી પણ સ્વપ્ર જુએ છે અને પ્રિય કંદર્પદવની શોધમાં દૂત મોકલે છે. કેટલીય વિઘ્ન બાધાઓ પાર કર્યા પછી નાયક-નાયિકાનું મિલન થાય છે. શૃંગારનાં ચિત્રણમાં કવિએ કેટલીય નવી ઉદ્દભાવનાઓ કરી છે અને કથાપ્રવાહને રોચક બનાવ્યો છે. “સ્ત્રીરૂપ જ રૂપ છે, શૃંગાર જ રસ છે” તે નેમિચન્દ્રની માન્યતા હતી. આ રચના એક વર્ષમાં પૂરી થઈ હતી. બાહુબલિ (ઈ.સ.૧૫૦૦)ના નાગકુમારચરિત, દોડવ્ય (ઈ.સ.૧૫૫૦)ના ચન્દ્રપ્રભ ચરિત્ર અને દેવચન્દ્ર (ઈ.સ.૧૮૩૮)ની રાજાવલકથામાં લીલાવતીની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. જે રીતે કન્નડ સાહિત્યને નાગવર્મ દ્વારા કાદંબરી જેવી સુંદર કૃતિ મળી છે, તે જ રીતે નેમિચન્દ્ર દ્વારા લીલાવતી જેવી રચના પ્રાપ્ત થઈ. લીલાવતીની કથા નાની છે. તે શૃંગારરસપ્રધાન રચના છે. ઉદ્દીપન માટે કૃતિમાં સર્વત્ર ચિત્તાકર્ષક વર્ણન ભરેલાં પડ્યાં છે. આમાં કંદર્પ અને લીલાવતીનું પાત્રાલેખન ખૂબ જ સુંદર થયું છે. નેમિનાથપુરાણ નેમિચન્દ્રની પ્રસિદ્ધ રચના છે. તેમાં ૨૨મા તીર્થંકર નેમિનાથના ચરિત્રની સાથે-સાથે વસુદેવ, અશ્રુત, કંદર્પ વગેરેના ચરિત્રના સમાવેશનો સંકલ્પ તો કવિએ કર્યો હતો, પરંતુ કંસવધના પ્રકરણ પછી કાવ્ય સમાપ્ત થઈ ગયું છે. કાવ્ય અધૂરું હોવાને કારણે જ આનું નામ અનેમિપુરાણ પડી ગયું છે. કવિએ કૃષ્ણની કથાના ચિત્રણમાં કાવ્ય રસાયનની સૃષ્ટિ જ કરી દીધી છે. ત્રિવિક્રમ વેષધારી વામનનું વિરાટ રૂપચિત્રણ, ગોવર્ધનલીલાનો પ્રસંગ અને મલ્લયુદ્ધ જેવા પ્રસંગ ખૂબ સરસ બની ગયા છે. કવિની વર્ણનશૈલી અપૂર્વ છે. આ જ વિષયવસ્તુ લઈને આની પહેલાં કર્ણપાર્થે ચંપૂમાં અને ચાઉડરાયે ગદ્યમાં કાવ્યરચના કરી છે. નેમિચ આ બે પુરાણો ઉપરાંત ઉત્તરપુરાણનું પણ અનુસરણ કર્યું છે. કાવ્યદૃષ્ટિએ ઉપર્યુક્ત બે કન્નડ પુરાણોની અપેક્ષાએ નેમિનાથપુરાણ શ્રેષ્ઠ છે. આમાં નેમિચન્દ્રનું પાત્રરચનાકૌશલ નીખર્યું છે. કવિ નેમિચન્દ્ર સંસ્કૃતના પણ સારા વિદ્વાન હતા. તેમની ચતુર્ભાષા કવિ ચક્રવર્તીની પદવીથી જ્ઞાત થાય છે કે નેમિચન્દ્ર કન્નડના જ નહિ, પરંતુ સંસ્કૃત, પ્રાકૃત તથા અપભ્રંશ ભાષાના પણ જ્ઞાતા કવિ હતા. કવિએ સ્વયંને “તાર્કિકતિલક' Page #93 -------------------------------------------------------------------------- ________________ ચંપૂયુગ પણ કહ્યા છે. તેનાથી સાબિત થાય છે કે નેમિચન્દ્ર કાવ્ય, સિદ્ધાંત વગેરે સાથે ન્યાયશાસ્ત્રના પણ વિશેષજ્ઞ હતા. કવિના અન્ય કોઈ ગ્રંથની માહિતી મળી નથી. બોપ્પણ પંડિત તેમણે બાલચન્દ્રના સહયોગથી ૨૭ કન્નડ પદ્યોમાં શ્રવણબેલગોલસ્થ શ્રી ગોમ્મટેશ્વરની સ્તુતિ કરી છે. આ પઘો લગભગ ૧૧૮૦ ઈ.સ.ના શ્રવણબેલગોલના ૨૩૪મા શિલાલેખમાં ઉત્કીર્ણ છે. નિર્વાણલક્ષ્મીપતિનક્ષત્રમાલિકા નામક તેમની અન્ય એક લઘુકાય કૃતિ પણ મળે છે. ‘સુજનોનંસ' શબ્દથી પૂર્ણ થના૨ અનેક નીતિબોધક કંદ પઘો તેમનાં જ માલૂમ પડે છે, કેમકે કવિની પદવીઓમાં ‘સુજનોનંસ’ પણ એક પદવી છે. આના સિવાય તેમણે અન્ય કોઈ ગ્રંથની રચના કરી છે કે નહીં, તે જ્ઞાત નથી. શિલાલેખમાં ઉત્કીર્ણ પદ્યોને તેમણે અધ્યાત્મરસિક બાલચન્દ્રના સહયોગથી રચ્યાં છે. આથી તે તેમના સમકાલીન હોવા જોઈએ. બાલચન્દ્રનો સમય લગભગ ૧૧૭૦ ઈ.સ. છે. શ્રવણબેલગોલના જે શિલાલેખમાં બોપ્પણના આ પઘ ઉત્કીર્ણ છે, તે શિલાલેખનો સમય લગભગ ૧૧૮૦ ઈ.સ. છે. આથી કવિનો સમય પણ લગભગ આ જ હોવો જોઈએ. બોપ્પણના પ્રેરક અધ્યાત્મરસિક બાલચન્દ્ર જિનસ્તુતિના રચયિતા તથા પ્રાભૃતત્રય, પરમાત્મપ્રકાશ વગેરે સંસ્કૃત તથા પ્રાકૃતના અન્યાન્ય આચાર્યો દ્વારા પ્રણીત આધ્યાત્મિક ગ્રંથોના સફળ કન્નડ ટીકાકાર છે. આગમ ગ્રંથોના ટીકાકાર હોવાને કારણે જ તે અધ્યાત્મરસિક બાલચન્દ્રના નામથી પ્રસિદ્ધ થયા હશે. બાલચન્દ્ર મૂલસંઘના દેશીયગણના પુસ્તકગચ્છાંતર્ગત કુંદકુંદાન્વયના અનુયાયી હતા. તેઓ ઈ.સ.૧૧૭૬માં સ્વર્ગસ્થ નયકીર્તિના શિષ્ય હતા. દામનંદિ નામક તેમનો એક મોટો ભાઈ પણ હતો. આચણે પોતાના વર્ધમાનપુરાણમાં અને પાર્થે પોતાના પાર્શ્વનાથપુરાણમાં બોપ્પણની પ્રશંસા કરી છે. કેશિરાજે પણ પોતાના શબ્દમણિદર્પણમાં ઉદાહરણસ્વરૂપ તેમના કેટલાંય પઘો ઉદ્ધૃત કર્યાં છે. તેમની ગોમ્મટસ્તુતિ એક મનોહર ભાવગીત છે. આમાં કવિએ ખૂબ ભક્તિથી શ્રી બાહુબલીની સ્તુતિ કરી છે. સ્તુતિના આ સુંદર પઘો ચિત્તાકર્ષક છે. તેમની બીજી કૃતિ નિર્વાણલક્ષ્મીપતિનક્ષત્રમાલિકા ૨૭ ૧. જુઓ, શ્રવણબેલગોલનો શિલાલેખ નં. ૬૬. ૨. નાગમંગલ ૭૦ (૧૧૭૮). ૩. શબ્દમણિદર્પણ, પૃષ્ઠ ૧૦૭, ૧૧૨ અને ૧૬૪. ૬૫ 6 --- Page #94 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ વૃત્તોની એક લઘુકાય કૃતિ છે. પ્રત્યેક પદ્ય ‘નિર્વાણલક્ષ્મીપતિ’થી સમાપ્ત થાય છે. ગ્રંથારંભે આપવામાં આવેલ પદ્યથી જ્ઞાત થાય છે કે તેમની રચના ભવ્ય-જનોની પ્રેરણાથી ક૨વામાં આવી છે. અધિક સંભવ છે કે બોપ્પણે આ લઘુ કૃતિઓ સિવાય કોઈ મહત્ત્વપૂર્ણ બૃહત્ ગ્રંથ પણ રચ્યો હોય, કેમકે પાર્શ્વ વગેરે સમાજમાન્ય કવિઓએ તેમની ઘણી પ્રશંસા કરી છે. કેશિરાજે પણ પોતાની કૃતિમાં ઉદાહરણસ્વરૂપ તેમની કૃતિઓમાંથી પઘો લીધાં છે. સ્વયં કવિએ પણ પોતાને સ્પષ્ટ રૂપે ‘સુકવિસમાજનુત’ કહ્યાં છે. ૬૬ અગલ તેમણે ચન્દ્રપ્રભપુરાણની રચના કરી છે. તેઓ પણ મૂલસંઘદેશીયગણપુસ્તકગચ્છ-કુંદકુંદાન્વયના છે. તેમના પિતા શાંતીશ, માતા પોચામ્બિકા અને ગુરુ શ્રુતકીર્તિ વૈવિદ્ય હતા. કવિ ઇંગલેશ્વરનિવાસી છે. તેમણે ભારતીભાલનેત્ર, કાવ્યનૌકર્ણધાર, સાહિત્યવિદ્યાવિનોદ વગેરે કેટલીય ઉપાધિઓ મેળવી હતી. અગ્ગલ કોઈ સભાના પ્રમુખ કવિ પણ હતા. આ વાત તેમની કૃતિમાંથી જ સાબિત થાય છે. તેમણે ચન્દ્રપ્રભપુરાણની રચના ઈ.સ.૧૧૮૯માં કરી હતી. કવિએ પોતાના પૂર્વવર્તી કવિઓમાં પંપ, પોન્ન અને રક્ષનું સ્મરણ કર્યું છે. બીજી તરફ આચણ, દેવકવિ, અંડય્ય, કમલભવ, બાહુબલિ, પાર્શ્વ વગેરે કવિઓએ તેમની ખૂબ પ્રશંસા કરી છે. અગ્ગલનું ચન્દ્રપ્રભપુરાણ ૧૬ આશ્વાસોમાં વિભક્ત છે. એક શિલાલેખથી વિદિત થાય છે કે આ પુરાણ તેમણે પોતાના શ્રદ્ધેય ગુરુ શ્રુતકીર્તિની આજ્ઞાથી રચ્યું છે. કન્નડમાં ઉપલબ્ધ તીર્થંકર ચન્દ્રપ્રભ સંબંધી કથા ગ્રંથોમાં આ પ્રથમ રચના છે. કવિએ આ રચનાની ખૂબ પ્રશંસા કરી છે. ૧૨મી શતાબ્દીના અન્ય ચંપૂ ગ્રંથોની જેમ આ પણ સંસ્કૃતભૂયિષ્ઠ હોઈ, સુદૃઢ બંધથી અધિક પ્રૌઢ બન્યું છે. તેમાં સંદેહ નથી કે અગ્ગલ કવિહૃદય છે અને તેમના વર્ણનોમાં કલ્પનાવિલાસ છે. તેમણે પોતાના સમયના વીરતાપૂર્ણ જીવન પર પણ પ્રકાશ નાખ્યો છે, જોકે તેમની રચના શૈલી બહુ ક્લિષ્ટ છે. ચન્દ્રપ્રભપુરાણમાં ભવાવલિઓ નથી, એટલા માટે કથા સમજવામાં મુશ્કેલી નથી પડતી. આચણ તેમણે વર્ધમાનપુરાણ તથા શ્રીપદાશીતિની રચના કરી છે. તેઓ ભારદ્વાજ ૧. બિળિગિ શાસન (૧૫૯૨). Page #95 -------------------------------------------------------------------------- ________________ ચંપૂયુગ ગોત્રીય છે. તેમના પિતા કેશવરાજ, માતા મલ્લામ્બિકા અને ગુરુ નન્દ્રિયોગીશ્વર હતા. આચણ્ણ પુલિગેરેના નિવાસી હતા. ‘વસુધૈકબાંધવ’ ઉપાધિધારી ચમૂપતિ રેચણની સત્પ્રેરણાથી કવિના પિતા કેશવરાજ તથા તેમના મિત્ર તિક્કણ ચામણ, આ બંનેએ મળીને વર્ધમાનપુરાણ લખવાનું શરૂ કર્યું હતું. પરંતુ વચ્ચે જ કેશવરાજનું દેહાવસાન થઈ જવાને કારણે આ કાર્ય આગળ ન વધ્યું. પછીથી રેચણની પ્રેરણાથી આચણે તેને પૂર્ણ કર્યું. આચણને ‘વાણીવલ્લભ' નામક ઉપાધિ પ્રાપ્ત હતી. ઉપર્યુક્ત ચમૂપતિ રેચણ પહેલાં કલચુરિઓને ત્યાં અને પછીથી હોય્સલ શાસક વીર બલ્લાલ (ઈ.સ.૧૧૭૩૧૨૨૦)ને ત્યાં મંત્રી જેવા ઉત્તરદાયિત્વપૂર્ણ ઉચ્ચ પદ પર સમ્માનપૂર્વક બીરાજમાન હતા (અરસિકેરે શિલાલેખ ૭૭). મદ્રાસ પ્રાચ્ય ગ્રંથકોશાલયસ્થ એક અભિલેખથી જ્ઞાત થાય છે કે આચણના ગુરુ નન્દ્રિયોગીશ્વર ઈ.સ. ૧૧૮૯માં વિદ્યમાન હતા. વિદ્વાનોએ આચણનો સમય ઈ.સ.૧૧૯૫ નિર્ધારિત કર્યો છે. ૬૭ કવિએ પોતાની રચનામાં પૂર્વ કવિઓમાં શ્રીવિજય, ગાંકુશ, ગુણવર્મ, નાગવર્મ, અસગ, હંપ, પોન્ન, અગ્ગલ અને બોપ્પની સ્તુતિ કરી છે. કવિ પાર્શ્વ શ્રીગુણવર્ષ, કીર્તિકલાગર્ભ, જૈનાગમગર્ભ, જગદ્ગુરુ, પ્રસન્નગુણ, મૃદુહૃદય વગેરે વિશેષણો વડે આચણની ખૂબ પ્રશંસા કરી છે. તેમાં સંદેહ નથી કે તેઓ એક પ્રૌઢ કવિ છે. તેમની રચનામાં ૧૨મી શતાબ્દીના અન્ય ચંપૂ કાવ્યોની અપેક્ષાએ શબ્દાલંકાર અત્યધિક છે. આચણનું વર્ધમાનપુરાણ અંતિમ તીર્થંકર વર્ધમાન (મહાવીર સ્વામી)ના ચરિત્ર સાથે સંબંધિત છે. તે ૨૬ આશ્વાસોમાં વિભક્ત છે. તીર્થંકર વર્ધમાનના ચરિત્ર સંબંધે લખવામાં આવેલી કન્નડ કૃતિઓમાં આ ગ્રંથ પ્રથમ છે. આચણે પોતાની બીજી કૃતિ શ્રીપદાશીતિમાં પંચપરમેષ્ઠિઓનો મહિમા ગાયો છે. આમાં ૯૪ કંદ પદ્ય છે. તે ભક્તિરસથી પરિપૂર્ણ એક સુંદર રચના છે. ગ્રંથનો બંધ પ્રૌઢ છે. તેની પ્રશંસા કવિએ સ્વયં કરી છે. મહાવીરચરિત્રપ્રતિપાદક સ્વતંત્ર સંસ્કૃત કૃતિઓમાં મહાકવિ અસગ (વિક્રમ સંવત્ ૧૧મી શતાબ્દી)નું વર્ધમાનપુરાણ તથા આચાર્ય સકલકીર્તિ (વિક્રમ સંવત્ ૧૫મી શતાબ્દી)નું વર્ધમાનચરિત્ર આ બંને પર્યાપ્ત પ્રસિદ્ધ છે. વર્ધમાનપુરાણ સોલાપુરથી અને વર્ધમાનચરિત્રનો માત્ર હિંદી અનુવાદ મુંબઈથી પ્રકાશિત થયો છે. કન્નડ ગ્રંથોમાં આચણના આ વર્ધમાનપુરાણ સિવાય કવિ પદ્મ (વિક્રમીય ૧૧મી શતાબ્દી)નું એક અન્ય વર્ધમાનપુરાણ પણ ઉપલબ્ધ છે. સાહિત્યની દૃષ્ટિએ કવિ પદ્મનો ગ્રંથ પણ એક સુંદર રચના છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ દ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ બંધુવર્મ તેમણે ‘હરિવંશાભ્યુદય' તથા ‘જીવ સંબોધન'ની રચના કરી છે. તેઓ વૈશ્ય કવિ છે. કવિએ પોતાની રચનામાં પોતાના વર્ણ ઉપરાંત જન્મસ્થળ, માતાપિતા વગેરે અન્ય કોઈ પણ વાતનો ઉલ્લેખ નથી કર્યો. કવિ કમલભવે (લગભગ ૧૨૩૫ ઈ.સ.) પોતાની રચનામાં સ્વર્ગવાસી બંધુવર્મનું સ્મરણ કર્યું છે, તેનાથી જ્ઞાત થાય છે કે બંધુવર્મ કમલભવના પૂર્વવર્તી હતા. આર. નરસિંહાચાર્યના મતે તેમનો સમય ઈ.સ. બારમી શતાબ્દી છે. નાગરાજ, મંગરસ વગેરે કવિઓએ બંધુવર્મની ખૂબ પ્રશંસા કરી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે બંધુવર્ષે પોતાની રચનાઓમાં કોઈ પણ પૂર્વ કવિનું સ્મરણ નથી કર્યું. ઉલટું તેમણે પોતાના કવિ ચાતુર્યની પ્રશંસા સ્વયં કરી છે. હરિવંશાભ્યુદયમાં ૨૨મા તીર્થંકર નેમિનાથનું ચરિત્ર સુંદર રીતે વર્ણિત છે. આમાં ૨૪ આશ્વાસ છે. ગ્રંથની શૈલી સહજ તથા સુંદર છે. કવિનો બંધ લલિત અને કલ્પનાવિલાસ ચિત્તાકર્ષક છે. તેમાં સંદેહ નથી કે આ રચનામાં સૌંદર્ય અને લાલિત્ય બંને ય ઉપસ્થિત છે. બંધુવર્મનો બીજો ગ્રંથ જીવસંબોધન છે. તે નીતિવૈરાગ્યબોધક ગ્રંથ છે. તેમાં ૧૨ અધિકાર છે. જૈનસાધનામાં ૧૨ અનુપ્રેક્ષાઓનું સ્થાન ખૂબ ઊંચુ છે. વસ્તુતઃ તે જ માનવને વૈરાગ્યની પરાકાષ્ઠા પર પહોંચાડે છે. તીર્થંકર પણ તેમના જ દ્વારા પોતાની વૈરાગ્ય દશાને પુષ્ટ કરે છે. પાપભીરુ તથા સાચી ધર્મશ્રદ્ધાળુ વ્યક્તિ પ્રતિદિન નિયમપૂર્વક આ અનુપ્રેક્ષાઓનું સ્મરણ કરે છે. અનુપ્રેક્ષાનો અર્થ છે વસ્તુ સ્વભાવનું ગહન ચિંતન. જો વસ્તુસ્વભાવનું ચિંતન ગહન તથા તાત્ત્વિક હશે તો રાગદ્વેષ વગેરે વૃત્તિઓ ક્ષીણ થઈ જશે. જે વિષયોનું ચિંતન આપણી રાગદ્વેષની વૃત્તિઓ શોધવામાં વિશેષ ઉપયોગી થઈ શકે છે, એવા બાર વિષયો ચૂંટીને તેમના ચિંતનને જ બાર અનુપ્રેક્ષાઓ રૂપે ગણાવવામાં આવ્યા છે. અનુપ્રેક્ષાઓને ભાવનાઓ પણ કહે છે. બંધુવર્ષે જીવસંબોધનમાં આ અનુપ્રેક્ષાઓનું ખૂબ જ સરળ, સ્વાભાવિક તથા ચિત્તાકર્ષક ઢંગે વર્ણન કર્યું છે. તેમાં સંદેહ નથી કે કવિ પોતાના કાર્યમાં પૂર્ણ સફળ થયા છે. અધ્યાત્મપ્રેમી-જૈનેતર વિદ્વાન પણ આ ગ્રંથની મુક્તકંઠે પ્રશંસા કરે છે. તેમાં ધર્મની સાથે સાથે જ સોદાહરણ નીતિનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ગ્રંથની શૈલી લલિત તથા સુંદર છે. તમિલ ભાષામાં પણ આ જ નામનો એક ગ્રંથ છે. બંનેનો વિષય ઘણો મળતો છે. જીવસંબોધનનો હિંદી અનુવાદ થવો જોઈએ. Page #97 -------------------------------------------------------------------------- ________________ ચંપૂયુગ ૬૯ પાર્થપંડિત તેમણે પાર્શ્વનાથપુરાણની રચના કરી છે. તેમના પિતા લોકણનાયક, માતા કામિયક્ક, અગ્રજ નાગણ અને ગુરુ વાસુપૂજ્ય છે. કવિએ પાર્શ્વનાથપુરાણ ઈ.સ.૧૨૨૨માં રચ્યું છે. એમ જણાય છે કે પાર્શ્વ સૌંદત્તિના શાસક કાર્તવીર્ય ચતુર્થ (ઈ.સ.૧૨૦૨-૧૨૨૦)ની સભામાં સભાકવિ હતા કેમકે તેમણે પોતાની રચનામાં પોતાને સ્પષ્ટ રૂપે કાર્તવીર્યના સભાકવિ ઘોષિત કર્યા છે. કવિ પાર્થનો સમકાલીન હૃવંશીય શાસક કાર્તવીર્ય ચતુર્થ જ છે. કવિએ રાજા લક્ષ્મણને કાર્તવીર્યનો પુત્ર બતાવ્યો છે. અન્યોન્ય શિલાલેખોથી સિદ્ધ થાય છે કે રાજ લક્ષ્મણ ઈ.સ. ૧૨૨૯માં શાસનારૂઢ હતો. ઉપર્યુક્ત ઉલ્લેખો ઉપરાંત રોયલ એશિયાટિક સોસાઈટીની મુંબઈ શાખાના જર્નલ (ભાગ ૧૦, પૃષ્ઠ ૨૨૦)માં પ્રકાશિત એક શિલાલેખના અંતિમ પદ્યમાં આ શિલાલેખના લેખકનું નામ પાર્શ્વ બતાવવામાં આવ્યું છે. ઉક્ત શિલાલેખ ઈ.સ.૧૨૦૫માં લખવામાં આવ્યો હતો. તેમાં કંડિ મંડલાન્તર્ગત વેણુ ગ્રામના સ્ટાન્વય શાસક કાર્તવીર્ય તથા મલ્લિકાર્જુનનો ઉલ્લેખ છે. તેની સાથે જ કાર્તવીર્ય દ્વારા મંડલાચાર્ય શુભચન્દ્ર ભટ્ટારકને આપેલા દાનનો પણ ઉલ્લેખ છે. એવું પ્રતીત થાય છે કે ઉક્ત શિલાલેખ કવિ પાર્જ દ્વારા સ્તુત કાર્યવીર્યના શાસનકાળમાં જ લખવામાં આવ્યો હશે, કેમકે પાર્શ્વની રચનાઓમાં પોતાના માટે પ્રયુક્ત “કવિકુલતિલકની ઉપાધિ શિલાલેખના અંતિમ પદ્યમાં પણ મોજૂદ છે. પાર્થને સુકવિજનમનોહર્ષસસ્યમવર્ષ, વિવિધજનમનઃપધિનીપદ્મમિત્ર તથા કવિકુલતિલકની પદવીઓ મળી હતી. તેમણે પૂર્વ કવિઓમાં પંપ, પોન્ન, રન્ન, કર્ણપાર્ય, ગુણવર્મ વગેરે કન્નડ કવિઓનું તથા ધનંજય અને ભૂપાલ નામક સંસ્કૃત કવિઓનું સાદર સ્મરણ કર્યું છે. ધનંજય “દ્વિસંધાનકાવ્ય'ના તથા ભૂપાલ “જિનચતુર્વિશતિકા'ના રચયિતા હોવાનું જણાય છે. મહાકવિ ધનંજય પોતાના દ્વિસંધાનકાવ્યને કારણે વિખ્યાત છે. આ કાવ્યનું અપરનામ રાઘવપાંડવીય છે. આ કાવ્યમાં રામાયણ તથા મહાભારત બંનેની કથા એક સાથે વર્ણિત છે. - કવિ પાર્શ્વનું પાર્શ્વનાથપુરાણ ચંપૂ કાવ્ય છે. તેમાં ૧૬ આશ્વાસ છે. આ પુરાણમાં ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથના ચરિત્રનું ચિત્રણ કરવામાં આવ્યું છે. કવિએ પોતાના આ પુરાણની પ્રશંસા સ્વયં કરી છે. પાર્વે પોતાના ગ્રંથના આરંભે બધા પ્રસિદ્ધ કન્નડ તથા સંસ્કૃત-પ્રાકૃત જૈન કવિઓનું સ્મરણ કર્યું છે. કવિનો બંધ લલિત Page #98 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ અને મધુર છે. પાર્શ્વ સંગીત તથા નૃત્યના પણ વિશેષજ્ઞ હતા. પોતાની રચનામાં તેમણે આ કલાઓનો પણ ઉપયોગ કર્યો છે. પાર્શ્વનાથ પુરાણના ૧૨મા આશ્વાસના ૧૯માથી ૩૧મા પદ્ય સુધી સંગીત અને નૃત્યનું વર્ણન ખૂબ જ સુંદર છે. પાર્શ્વ કન્નડ તથા સંસ્કૃત બંને ભાષાઓના મર્મજ્ઞ કવિ હતા. તેમની રચનામાં સંદર્ભનુસાર અલંકાર, નીતિ તથા લોકોક્તિઓનો સુંદર રીતે પ્રયોગ થયો છે. કથાભાગ સરસ, શૈલી પ્રવાહમય અને વર્ણન સુંદર છે. કમઠનું ચરિત્ર-ચિત્રણ પણ ચિત્તાકર્ષક છે. જન્ન ૭૦ તેઓ યશોધરચરિત તથા અનંતનાથપુરાણના રચિયતા છે. ‘મોહાનુભવમુકુર’ (લગભગ ૧૪૦૦ ઈ.સ.) નામક ગ્રંથથી જાણ થાય છે કે તેમનો ‘સ્મરતંત્ર’ નામક એક બીજો પણ ગ્રંથ હતો. પરંતુ તે હજી સુધી ઉપલબ્ધ નથી થયો. જન્ન કાશ્યપગોત્રીય છે. તેમના પિતા શંકર અને માતા ગંગાદેવી છે. શંકર હોય્સલ રાજા નરસિંહ (ઈ.સ.૧૧૪૧-૧૧૭૩)નો કટકોપાધ્યાય (સેના-શિક્ષક) હતો. કવિને ‘સુમનોબાણ' નામક પદવી મળી હતી. કવિ જન્નનો જન્મ આષાઢ કૃષ્ણ ત્રયોદશીના શુભ દિવસે રેવતી નક્ષત્રમાં શિવયોગમાં થયો હતો (અનંતનાથ પુરાણ, આ. ૪, પદ્ય ૧૩૬-૧૩૭ તથા આ. ૧૪, પદ્ય ૭૫). તેમની ધર્મપત્ની દંડાધિપતિ રેચણની પુત્રી લકુમાદેવી હતી. કાનૂર્ગણીય માધવચન્દ્રના શિષ્ય ગંડવિમુક્ત મુનિ રામચન્દ્રદેવ તેમના ગુરુ હતા. જગદેકમલ્લ (ઈ.સ.૧૧૩૮-૧૧૫૦)ના કટકોપાધ્યાય (સેના-શિક્ષક) અભિનવશર્વવર્મ નામક ઉપાધિકારી દ્વિતીય નાગવર્મ જન્નના ઉપાધ્યાય (શિક્ષક) હતા (અનંતનાથપુરાણ, આ. ૨, પદ્ય ૩૪). ‘સૂક્તિસુધાર્ણવ’ના રચયિતા મલ્લિકાર્જુન (લગભગ ઈ.સ.૧૨૪૫) કવિના બનેવી હતા. ‘શબ્દમણિદર્પણ'ના રચયિતા કેશિરાજ (લગભગ ઈ.સ.૧૨૬૦) જન્નના ભાણેજ હતા. આ રીતે કવિ જન્ન ખૂબ ભાગ્યશાળી હતા, તેમના સંબંધો ઊંચા કુટુંબો સાથે હતા. જજ્ઞ તર્ક, વ્યાકરણ, સાહિત્ય, નાટ્ય વગેરે શાસ્ત્રોના જ પારગામી ન હતા (યશોધરચરિત, આ. ૧,‘પદ્ય ૧૮-૧૯) વધુમાં તે દઢકાય તથા સાહસી હતા તથા શસ્ત્રવિદ્યામાં પણ પારંગત હતા. આ રીતે શસ્ત્ર-શાસ્ત્ર બંનેમાં પ્રવીણ હોવાને કારણે તે તત્કાલીન શાસક વીરનરસિંહને ત્યાં મંત્રી તથા દંડાધીશ જેવા ગરિમામય બંને દો પર આસીન હતા (અનંતનાથપુરાણ, આશ્વાસ ૧, પદ્ય ૨૪). વસ્તુતઃ કવિના શસ્ત્ર-શાસ્ત્ર સંબંધી અદ્ભુત પાંડિત્યે જ ગુણગ્રાહી રાજા વીરનરસિંહને તેમની Page #99 -------------------------------------------------------------------------- ________________ ચંપૂયુગ તરફ આકર્ષિત કર્યો હતો. તેમાં સંદેહ નથી કે કવિનો પ્રભાવ પહેલાં જનતામાં અને પછીથી રાજસભામાં પહોંચ્યો હશે. જન્ન બધી કળાઓમાં પ્રવીણ હતા પરંતુ તેમને કાવ્યકલામાં વિશેષ રુચિ હતી. બાલ્યાવસ્થાથી જ સરસ્વતી તેમની પર પ્રસન્ન થઈ ગઈ હતી. તેનું સ્પષ્ટ પ્રમાણ કવિ દ્વારા રચિત ચેન્નરાયપટ્ટણ (શક સંવત્ ૧૧૧૨-ઈ.સ.૧૧૯૧-નં.૧૭૯) તથા તરીકેરે (શક સંવત્ ૧૧૧૯ ઈ.સ.૧૧૯૭, નં. ૪૫)ના શિલાલેખ છે. આ રીતે બાલ્યાવસ્થામાં જ અંકુરિત કવિની કવિત્વશક્તિ તેમના અવિરત પ્રયાસોથી યથાશીધ્ર લતા બની ગઈ, જેમાં યશોધરચરિત તથા અનંતનાથપુરાણ જેવાં બે મનોહર સુગંધિત પુષ્પ વિકસિત થયાં અને જેમની ગંધથી રસિક તથા ભાવુક સાહિત્યિકો આકર્ષિત થયા. માત્ર ભાવુક સાહિત્યિક જ નહિ, સ્વયં રાજા વીરબલ્લાલ પણ ઉપર્યુક્ત કાવ્યોની રસાનુભૂતિથી પોતાને વંચિત ન રાખી શક્યો. સહૃદય ગુણગ્રાહી રાજા વીરબલ્લાલે જન્નની કવિતાથી મુગ્ધ થઈને તેમને કવિચક્રવર્તીની પદવી પ્રદાન કરી (અનંતપુરાણ, આશ્વાસ ૧, પદ્ય ૨૫), કવિએ યશોધરચરિતની રચના વીરબલ્લાલ (ઈ.સ.૧૧૭૩-૧૨૨૦)ના શાસનકાળમાં શુક્લ સંવત્સર અર્થાતુ ઈ.સ.૧૨૦૯માં તથા અનંતનાથપુરાણની રચના વીરબલ્લાલના પુત્ર વીરનરસિંહ (ઈ.સ.૧૨૨૦-૧૨૩૫) ના રાજ્યકાળમાં વિકૃત સંવત્સર અર્થાત્ ઈ.સ. ૧૨૩૦માં કરી હતી (અનંતનાથપુરાણ, આશ્વાસ ૧૪, પદ્ય ૮૪). જન્ન સાહિત્યરત્નાકર, કવિભાલલોચન, કવિચક્રવર્તી, વિનેયજનમુખતિલક, રાજવિદ્ધસભાકલહંસ, કવિવૃન્દારક્તાસવ, કવિકલ્પલતામદાર વગેરે ઉચ્ચ પદવીઓથી વિભૂષિત હતા. કવિ જન્નને લૌકિક વિદ્યામાં જેટલી રૂચિ હતી, તેટલી જ અધ્યાત્મવિદ્યામાં પણ હતી. તેની પૂર્તિ માટે તેઓ તે સમયના પ્રસિદ્ધ વિદ્વાન માધવચન્દ્ર ઐવિદ્યના શિષ્ય ગંડવિમુક્ત મુનિ રામચન્દ્રના ચરણોમાં પહોંચ્યા. ત્યાં જૈન ધર્મના તત્ત્વોનું સારી રીતે અધ્યયન કરી તેમણે પોતાના અગાધ પાંડિત્યનો સદુપયોગ જૈનધર્મના પુનરુદ્ધાર માટે કર્યો. વસ્તુતઃ જન્નની ધન-સંપદા, બુદ્ધિ-કૌશલ તથા કવિત્વ-શક્તિ જૈન-ધર્મના પ્રચારાર્થે જ સમર્પિત હતી. - લોકમાં સામાન્ય રીતે લક્ષ્મી અને સરસ્વતીમાં પરસ્પર અસહિષ્ણુતા જોવામાં આવે છે, એટલા માટે વિદ્વાનો પ્રાયઃ નિધન હોય છે. પરંતુ કવિ જન્ન વૈભવ સંપન્ન હતા. તેમણે “સૌભાગ્યસંપન્ન' વગેરે શબ્દોનો પ્રયોગ કરી પોતાની રચનાઓમાં સ્વયં આ વાત વ્યક્ત કરી છે. જન્ન ખૂબ ઉદાર હતા તથા સદા ગરીબોની મદદ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૨ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ કરતા રહેતા હતા. કવિનું કથન છે કે “મેં પોતાના હાથને ક્યારેય બીજાની સામે ફેલાવ્યા નથી પરંતુ બીજાને ચોક્કસ આપ્યું છે” (અનંતનાથપુરાણ, આશ્વાસ ૧૪, પદ્ય ૮૦). જન્ને ગંડરાદિત્યના રાજયમાં અનંતનાથ તીર્થકરનું ભવ્ય મંદિર અને ધારસમુદ્રમાં વિજયપાર્થ જિનેશ્વરના જિનાલયનું દ્વાર બનાવડાવ્યું હતું. તેમાં સંદેહ નથી કે કવિ જન્નનું આખું જીવન સાહિત્ય તથા ધર્મસેવામાં વ્યતીત થયું છે. તેમના યશોધરચરિત અને અનંતનાથપુરાણ બંને ય જૈનધર્મના પ્રચારાર્થે રચવામાં આવેલ હતા. આ વાત કવિએ સ્વયં પોતાની રચનામાં સ્પષ્ટ કહી છે. જૈન કવિઓનો તે આદર્શ રહ્યો છે કે તે પોતાની બહુમૂલ્ય કાવ્ય પ્રતિભાને મહાપુરુષોના પવિત્ર જીવનચરિત્રોની રચના દ્વારા સાર્થક બનાવે. કવિ જન્ને પોતાના પૂર્વવર્તી કવિઓમાં ગુણવર્મ, પંપ, પોન્ન, રન્ન, નાગચન્દ્ર વગેરે પ્રસિદ્ધ બધા જૈન કવિઓનું સ્મરણ કર્યું છે. બીજી તરફ પરવર્તી અંડવ્ય, કમલભવ, મલ્લિકાર્જુન, કુમુદેન્દુ, મંગરસ વગેરે માન્ય કવિઓએ જન્નની સ્તુતિ કરી છે. જન્નના યશોધરચરિતમાં ગદ્ય નથી, માત્રવૃત્ત છે. બાકી બધા કંદ પદ્ય છે. આ સુંદર કાવ્ય ચાર અવતારોમાં વિભક્ત છે. તેમાં કુલ ૩૧૧ કંદ પદ્ય છે. પ્રસ્તુત કાવ્યમાં કવિએ પાંચ અણુવ્રતોમાં અન્યતમ તથા પ્રમુખ અહિંસાણુવ્રતના મહિમાને ખૂબ જ આકર્ષક ઢંગે સમજાવ્યો છે. રાજા મારિદત્ત દ્વારા પોતાના કુળદેવીની બલિ આપવા માટે લાવવામાં આવેલા મનુષ્ય યુગલ દ્વારા કહેવામાં આવેલી જન્માંતર કથાઓ સાંભળી રાજ સ્વયં હિંસાને સર્વથા ત્યાગી સંસારથી વિરક્ત થઈ જાય છે. આ જ આ કાવ્યનો કથાસાર છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ વગેરે ભાષાઓમાં એતવિષયક કેટલાય ગ્રંથ છે; જેમકે, યશસ્તિલકચંપૂ, યશોધરકાવ્ય, સહરચરિઉ વગેરે. તેમાં યશસ્તિલકચંપૂ એક બહુ જ મહત્ત્વપૂર્ણ મહાકાવ્ય છે. તેના રચયિતા રાજનીતિ શાસ્ત્રના મર્મજ્ઞ આચાર્ય સોમદેવસૂરિ છે. કવિએ કાવ્યારંભે કુંદકુંદ, સમતભદ્ર, પૂજયપાદ વગેરે આચાર્યોના સ્મરણની સાથે-સાથે સલ, વિનયાદિત્ય, યયંગ વગેરે હોસલ વંશની પરંપરાનું વિસ્તારથી વર્ણન કર્યું છે અને પોતાના આશ્રયદાતા વીરબલ્લાલની વિશેષ રૂપે પ્રશંસા કરી છે. આર. નરસિંહાચાર્યના શબ્દોમાં તેનો બંધ લલિત, મધુર, ગંભીર અને હૃદયગ્રાહી છે. કવિ મધુર દ્વારા જન્નને કર્ણાટકકવિતાના સીમાપુરુષ કહેવામાં આવ્યા Page #101 -------------------------------------------------------------------------- ________________ ચંપૂયુગ ૭૩ છે તે સર્વથા સમુચિત છે. નિરર્ગલ રૂપે પ્રવાહિત થનારી તેની કવિતાનો પ્રવાહ જોતાં ખૂબ આશ્ચર્ય થાય છે. પ્રો. ડી. એલ. નરસિંહાચાર્યે પોતાના એક લેખમાં વાદિરાજના સંસ્કૃત યશોધરકાવ્ય સાથે જન્નના આ યશોધરચરિતની તુલના કરી છે અને અનેક દૃષ્ટિએ યશોધરકાવ્યની અપેક્ષાએ યશોધરચરિતને ઉત્તમ સાબિત કર્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મહાકવિ જન્ન વસ્તુતઃ કન્નડ સાહિત્યના મહાન કવિઓમાંના એક છે. કવિનો બીજો ગ્રંથ અનંતનાથપુરાણ છે. આ એક ચંપૂ કાવ્ય છે. આમાં ૧૪મા તીર્થકર અનંતનાથનું પવિત્ર જીવન ચિત્રિત છે. સાથે-સાથે તેમાં આ જ વંશના બલદેવ સુપ્રભ, વાસુદેવ પુરુષોત્તમ અને પ્રતિવાસુદેવ મધુકૈટભનું ચરિત્ર પણ વર્ણિત છે. અનંતનાથપુરાણ ૧૪ આશ્વાસોમાં વિભક્ત છે. તેમાં કવિએ અલંકારોને વિશેષ સ્થાન નથી આપ્યું. આ પુરાણ દોરસમુદ્ર (હલેબી)ના શાંતીશ્વર જિનાલયમાં પૂર્ણ થયું હતું. તેમાં યશોધરચરિતનાં પણ અનેક પદ્ય ઉપલબ્ધ થાય છે. તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ ગ્રંથ યશોધરચરિતની પછીનો છે. આચાર્ય ગુણભદ્રરચિત ઉત્તરપુરાણ, ચાઉડરાયરચિત ચાઉન્ડરાયપુરાણ વગેરે પ્રાચીન કૃતિઓને આદર્શ માનીને કવિએ નવીન સન્નિવેશોની કલ્પના કરી છે. પંપ વગેરે પૂર્વ કવિઓના માર્ગનું અનુસરણ કરતાં મહાકવિ જન્ને આ સુરુચિપૂર્ણ તથા કાવ્યલક્ષણથી યુક્ત પુરાણની રચના કરીને પોતાના કવિત્વની પ્રૌઢતાનો પરિચય આપ્યો છે. વસ્તુતઃ આના પઠનથી જ્યાં રસિકોનું મનોરંજન થાય છે, ત્યાં ભાવુક ભવ્ય જીવોમાં જિનેન્દ્ર ભગવાનમાં અનન્ય તથા અવિચલ ભક્તિ ઉત્પન્ન થાય છે. આ ગ્રંથમાં મહાકવિ જન્ને દૈનંદિન અનુભવની ઘટનાઓને ચિત્તાકર્ષક શૈલીમાં પ્રસ્તુત કરી છે. આ કાવ્ય બધાને આકૃષ્ટ કરી લીધા હતા. આ પુરાણમાં જૈન સિદ્ધાંતોના માર્મિક ઉપદેશ તથા તપસ્યાના વિશદ વર્ણનની સાથે સાથે જ આમાં તીર્થકર અનંતનાથના પંચકલ્યાણકોનું વર્ણન છે. આમાં તેમની બાળલીલા, યૌવન-પ્રાપ્તિ પર માતા-પિતા દ્વારા કન્યાન્વેષણ તથા વિવાહનું આયોજન, સાંસારિક સુખ-ભોગ અને તેનાં ઉદ્દીપક વસંત ઋતુ, ચન્દ્રોદય વગેરેનું સજીવ પ્રસ્તુતીકરણ છે. પછીથી સંસારમાં વિરક્તિ, તપસ્યા, કેવલજ્ઞાન, નિર્વાણ પ્રાપ્તિ વગેરેનું સુંદર ચિત્રણ છે. શૃંગાર, વીર, કરુણ અને હાસ્યાદિ વિવિધ રસોની સૃષ્ટિ કરી જન્ને પ્રસ્તુત પુરાણને ખૂબ જ આકર્ષક બનાવ્યું છે. એક વાર આના આદ્યપાન્ત પઠનથી રસિક Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૪ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ પાઠકોનું હૃદય ચોક્કસ પ્રફુલ્લિત થઈ ઊઠશે. ખાસ કરીને સાધ્વી સુનંદા તથા ચંડશાસનનાં ઉપાખ્યાન મહાકવિ જન્નની અનુપમ કવિત્વ શક્તિનાં પરિચાયક છે. દુષ્ટ અને ક્રૂર ચંડશાસન દ્વારા પતિવ્રતા શિરોમણિ સુનંદાને કારાગારમાં રાખવામાં આવવી, ત્યાં તેને ખરાબ રીતે સતાવવામાં આવવી, તેના પૂજ્ય પતિ વસુષેણના મસ્તકને સામે લાવીને રાખવું, તેને જોઈને સુનંદાએ દેહત્યાગ કરવો વગેરે દશ્યો વસ્તુતઃ હૃદય-વિદારક છે. આ વર્ણનોમાં કરુણરસની નિર્મળ ગંગા નિબંધ રૂપે પ્રવાહિત થઈ છે. - જન્ને ગ્રંથારંભે બધા પ્રસિદ્ધ આચાર્યો તથા કવિઓનું સ્મરણ કર્યું છે અને ગ્રંથાંતે પોતાના આશ્રયદાતા રાજા વીરનરસિંહને હૃદયથી આશીર્વાદ આપ્યા છે. જન્નના ઉપર્યુક્ત સંક્ષિપ્ત પરિચયથી વિદ્વાન પાઠકોને તે મેધાવી મહાકવિના અગાધ પાંડિત્ય, ગહન લોકાનુભવ, વ્યાપક શાસ્ત્રાધ્યયન, અનુપમ વર્ણનવૈદુષ્યની ખબર પડી જાય છે. વસ્તુતઃ જન્ન એક મહાકવિ છે અને તેમની કાવ્યપ્રતિભા સ્પૃહણીય છે. વિદ્વાનોની દષ્ટિએ જન્ન હિતમિતભાષી અને ઉચિત પદપ્રયોગમાં સિદ્ધહસ્ત હતા. અનાવશ્યક કઠિન શબ્દોનો પ્રયોગ કવિએ ક્યાંય પણ નથી કર્યો. સમુચિત સુંદર શબ્દો જગ્નના કાવ્યમાં પ્રયુક્ત છે. લાલિત્ય, માધુર્યાદિ ગુણોથી પરિપૂર્ણ જગ્નનું કથા-કૌશલ્ય સર્વાંગસુંદર છે. ગુણવર્મ (દ્વિતીય) તેઓ પુષ્પદંતપુરાણ તથા ચન્દ્રનાથાષ્ટકના રચયિતા છે. તેમનો આશ્રયદાતા રાજા કાર્તવીર્યનો સામંત શાંતિવર્મ છે. કાર્તવીર્યના ગુરુ મુનિચન્દ્ર જ તેમના પણ ગુરુ છે. ગુણવર્મે પૂર્વ કવિઓની સ્તુતિમાં મહાકવિ જન્ન (ઈ.સ.૧૫૩૦)ની સ્તુતિ કરી છે. આથી એ નિર્વિવાદ સિદ્ધ છે કે કવિ ગુણવર્મ જન્ન પછી થયા. મલ્લિકાર્જુને (ઈ.સ.૧૨૪૫) તેમના પુષ્પદંત પુરાણના કેટલાંક પદ્યોનું અનુકરણ કર્યું છે. એથી તે પણ સિદ્ધ છે કે ગુણવર્મ મલ્લિકાર્જુન પહેલાંના છે. આ પ્રમાણોના આધારે આર. નરસિંહાચાર્યનો મત છે કે ગુણવર્મ લગભગ ૧૨૨૫ ઈ.સ.માં જીવિત રહ્યા હશે. - નરસિંહાચાર્યજીના મતાનુસાર ઈ.સ.૧૨૨૯માં ઉત્કીર્ણ સૌદત્તિના શિલાલેખમાં ઉલ્લિખિત કાર્તવીર્ય મુનિચન્દ્ર અને શાંતિનાથવર્મ જ, નિસંદેહ ગુણવર્મ દ્વારા મૃત કાર્તવીર્ય, મુનિચન્દ્ર તથા શાંતિવર્મ છે. શિલાલેખમાં શાંતિનાથને મુનિચન્દ્રના આત્મજ બતાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શિલાલેખમાં તેમને “ઇષ્ટશિષ્ટ ચિંતામણિ' પણ કહેવામાં આવ્યા છે. પુષ્પદંતપુરાણમાં કવિ ગુણવર્ષે પણ Page #103 -------------------------------------------------------------------------- ________________ ચંપૂયુગ ૭૫ “ઈષ્ટશિષ્ટકલ્પકુંજ' રૂપે શાંતિવર્ગની સ્તુતિ કરી છે. કાર્તવીર્ય ઈ.સ.૧૨૦૦થી ૧૨૨૦ સુધી શાસન કરતો રહ્યો હતો. તેની સભામાં જ શાંતિવર્ષે કવિ ગુણવર્મને પુષ્પદંતપુરાણની રચના માટે પ્રેરણા આપી હતી. આ વાત પુષ્પદંતપુરાણથી પણ સાબિત થાય છે. કાર્તવીર્ય કુંતલદેશસ્થ કુંડિમાં રાજ્ય કરતો હતો. આથી કવિનું જન્મસ્થળ પણ કંડિ જ રહ્યું હશે. ઉપર કહેવાઈ ચૂક્યું છે કે ગુણવર્મના પૂજ્ય ગુરુ મુનિચન્દ્રદેવ હતા. કવિએ સ્વયં પોતાની રચનામાં પણ સ્વીકાર કર્યો છે કે હું તેમની કૃપાથી જ કવિતા બનાવવા માટે સમર્થ થયો છું. ગુણવર્મને કવિતિલક, સરસ્વતીકર્ણપૂર, સહજકવિસરોવરહંસ, પ્રભુગુણાન્જિનીકલહંસ, ગુણરત્નભૂષણ, ભવ્યરત્નાકર, માનમેરુ તથા કાવ્યસત્કલાર્ણવમૃગલાંછન વગેરે અનેક પદવી મળી હતી. કવિ ગુણવર્મે પૂર્વ કવિઓમાં ગુણવર્મ (પ્રથમ), પંપ, પોત્ર, રન્ન, અગ્નલ, નાગવર્મ, નેમિચન્દ્ર, જન્ન તથા નાગચન્દ્રનું સાદર સ્મરણ કર્યું છે. વિવિધકલાભિજ્ઞ, કવિતાચતુર, સુવિવેકનિધાન, નૃપતિમતિ વગેરે વિશેષણો દ્વારા તેમણે સ્વયં પોતાના ગુણોનાં વખાણ કર્યા છે. આત્મપ્રશંસાની આ વાતોને એક તરફ રાખીએ તો પણ એટલું તો ચોક્કસ સ્વીકારવું પડશે કે ગુણવર્મ એક પ્રૌઢ કવિ હતા અને તેમની રચનાઓ પઠનીય છે. - પુષ્પદંતપુરાણ ચંપૂકાવ્ય છે. તેમાં ૧૪ આશ્વાસ છે. તેની કુલ પદ્ય સંખ્યા ૧૩૬૫ છે. તેમાં સ્મા તીર્થંકર પુષ્પદંતનું જીવનચરિત્ર વર્ણિત છે. ગ્રંથનો બંધ લલિત તથા સુંદર છે. તેમાં જ્યાં-ત્યાં કર્ણાટકમાં પ્રચલિત લોકોક્તિઓ પણ સમ્મિલિત કરી દેવામાં આવી છે. તેમની રચનાઓમાં કાવ્યના રસાસ્વાદનના બાધક અને પંપ વગેરે મહાકવિઓથી પરિત્યક્ત નૃત્યનુપ્રાસ, યમક વગેરે શબ્દાલંકારો પણ મળી આવે છે, જેમને અલંકારશાસ્ત્રીઓએ દૂષિત માન્યા છે. કવિએ એ વાતનો પૂરો ખ્યાલ રાખ્યો છે કે ધ્વનિ કાવ્યનો પ્રાણ હોય છે. શાસ્ત્રીય તથા સંસ્કૃત સાહિત્યમાં પ્રચુર પરિમાણમાં મળતા “કાકતાલીય' વગેરે અનેક ન્યાય પણ પુષ્પદંતપુરાણમાં મળી આવે છે. આ પુરાણની કથા ભાગ અન્ય પુરાણોના કથા ભાગની જેમ અનેક જન્માંતરની કથાઓને કારણે પાઠકમાં અરુચિ ઉત્પન્ન નથી કરતો. આનો મૂળ કથા ભાગ ખૂબ સંક્ષિપ્ત છે. આવી સંક્ષિપ્ત કથાને વધારીને ૧૪ આશ્વાસોમાં પરિવર્તિત કરી દેવી પણ એક અસાધારણ કાર્ય છે, આનાથી કવિની કવિત્વશક્તિની ખબર પડે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ આ વિસ્તારમાં કોઈ પણ અંશ અપ્રકૃત અથવા અસંબદ્ધ જણાતો નથી. જૈન પુરાણોનો પ્રધાન રસ શાંતરસ છે. શૃંગારાદિ અન્ય રસ આ પ્રધાન રસના સહાયક માત્ર છે. કવિનું કહેવું છે કે જેવી રીતે કટુ ઔષધિઓ પીવરાવવા માટે અબોધ બાળકોને શર્કરા વગેરે મધુર વસ્તુ આપવામાં આવે છે, તે જ રીતે મોક્ષ પ્રત્યે અરુચિ રાખનાર વ્યક્તિઓને તે તરફ આકર્ષિત કરવા માટે શ્રૃંગારાદિ રસોનો પ્રયોગ જૈન પુરાણોમાં કરવામાં આવે છે. આવી સ્થિતિમાં શાંતરસપ્રધાન કાવ્યોમાં શૃંગારાદિ રસોને અધિક મહત્ત્વ ન આપતાં તેના પ્રધાન રસની યથાવતુ રક્ષા કરનાર કવિનું પ્રતિભાચાતુર્ય વાસ્તવમાં પ્રશંસનીય છે. જૈન કવિઓમાં પુરાણનાં અંગોના પ્રશ્ન પર મતભેદ છે, કેટલાક લોકો પુરાણના આઠ અંગ માને છે તો કેટલાક પાંચ અંગ માને છે. પુષ્પદંતપુરાણમાં આઠે અંગ લેવામાં આવ્યા છે. વિદ્વાનોનું કહેવું છે કે ગુણવર્મનો બંધ પ્રૌઢ તથા અનુપ્રાસયુક્ત છે. ગ્રંથારંભે કવિએ તીર્થંકર પુષ્પદંત, સિદ્ધ, સરસ્વતી, યક્ષપક્ષી, કેવલી, શ્રુતકેવલી, દશપૂર્વધારી, એકાદશાંગધારી, આચારાંગધારી અને કુંદકુંદ વગેરે બા પ્રસિદ્ધ આચાર્યોની સાદર સ્તુતિ કરી છે. ગુણવર્મના ચન્દ્રનાથાષ્ટકમાં માત્ર ૮ પદ્ય છે. આ પદ્ય મહાગ્નગ્ધરા વૃત્તમાં રચવામાં આવ્યા છે. પ્રત્યેક પદ્ય “ચન્દ્રનાથ” શબ્દથી પ્રારંભ થાય છે. આ અષ્ટક કોલ્હાપુરના ત્રિભુવનતિલક જિનાલયના ચન્દ્રનાથપ્રભુની સ્તુતિરૂપે રચિત છે. આમાં ગંભીર શૈલીમાં તીર્થંકર ચન્દ્રનાથનું ગુણગાન કરવામાં આવ્યું છે. ગુણવર્મની આ બંને કૃતિઓ મદ્રાસ વિશ્વવિદ્યાલયથી પ્રકાશિત થઈ ચૂકી છે. કમલભવ તેમણે શાંતિનાથપુરાણ લખ્યું છે. તેમના ગુરુ દેશીયગણ, પુસ્તકગચ્છ અને કુંદકુંદાન્વયના યતિ માઘનન્દી છે. કમલભવે પૂર્વકવિઓમાં જન્નનું સ્મરણ કર્યું છે. આથી એટલું તો સ્પષ્ટ છે કે તે જન્ન પછી થયા છે. મલ્લિકાર્જુને પોતાના “સૂક્તિસુધાર્ણવ'માં કમલભવના ગ્રંથમાંથી અનેક પદ્યો ઉદ્ધત કર્યા છે. આથી કવિ કમલભવનું મલ્લિકાર્જુનની પહેલાં થવું સુનિશ્ચિત છે. આ પ્રમાણોના આધારે તેમનો સમય લગભગ ૧૨૩૫ ઈ.સ. નિર્ધારિત કરવામાં આવ્યો છે. ' “કુસુમાવલિ'ના રચયિતા દેવ કવિ કમલભવની ગ્રંથ-રચનાના પ્રેરક રહ્યા હશે. એ જ કારણ છે કે કુસુમાવલિના કતિરય પદ્યો કમલભવના ગ્રંથમાં ઉપલબ્ધ થાય Page #105 -------------------------------------------------------------------------- ________________ ચંપૂયુગ છે. એમ જણાય છે કે કમલભવને કવિકંજગર્ભ અને સૂક્તિસંદર્ભગર્ભની પદવીઓ મળી હતી. કમલભવે પૂર્વકવિઓમાં પંપ, પોન્ન, નાગચન્દ્ર, રત્ર, બંધુવર્મ તથા નેમિચન્દ્ર વગેરેનું સ્મરણ કર્યું છે. તેમણે પોતાની રચનામાં પોતાના ગુણ તથા કવિતા-ચાતુર્યની પ્રશંસા પણ સ્વયં કરી છે. કમલભવનું શાંતીશ્વરપુરાણ ૧૬ આશ્વાસોમાં વિભક્ત છે. ગ્રંથના પ્રારંભે કવિએ શાંતીશ્વર તથા સિદ્ધોની સ્તુતિ અનંતર પ્રાયઃ બધા પ્રસિદ્ધ આચાર્યો તથા કન્નડ કવિઓની સ્તુતિ કરી છે. આર. નરસિંહાચાર્યના મતે આ એક લાલિત્યપૂર્ણ કાવ્યરચના છે. આમાં કવિની કાવ્યધારા નિબંધ રૂપે પ્રવાહિત થઈ છે. તેમાં સંદેહ નથી કે કમલભવ એક પ્રતિભાશાળી કવિ છે. તેમનું શાંતીશ્વરપુરાણ મૈસૂર સરકાર તરફથી પ્રકાશિત થઈ ચૂક્યું છે. સંભવ છે કે કમલભવ દ્વારા અન્ય કોઈ ગ્રંથ પણ રચવામાં આવ્યો હોય. પરંતુ હજી સુધી માત્ર શાંતીશ્વરપુરાણ જ ઉપલબ્ધ થઈ શક્યું છે. મહાબલ તેમણે નેમિનાથપુરાણની રચના કરી છે. તેઓ ભારદ્વાજ ગોત્રના છે. તેમના પિતા રાયિદેવ, માતા રાજિય%, ગુરુ મેઘચન્દ્ર હતા. પ્રત્યેક આશ્વાસના અંતે ગદ્યમાં કવિએ “માધચન્દ્રઐવિદ્યચક્રવર્તિશ્રીપાદપ્રસાદાસાહિતસકલકલાકલાપ' એમ ઐવિદ્યચક્રવર્તી માધવચન્દ્રનું સાદર સ્મરણ કર્યું છે. સંભવતઃ માધવચન્દ્ર મહાબલના વિદ્યાગુરુ હતા. નેમિનાથપુરાણનો રચનાકાળ શક સંવત ૧૧૭૬ (ઈ.સ.૧૨૫૪) છે, તેનો ઉલ્લેખ કવિએ પોતે કર્યો છે. કેતયનાયક અથવા ક્ષેમંકરે મહાબલ દ્વારા નેમિનાથપુરાણની રચના કરાવી હતી. કેતયનાયક સ્વયં કવિ હતા. આ વાત ઉપર્યુક્ત પુરાણથી જ વિદિત થાય છે. કેતયની પત્ની શ્રીપતિની પુત્રી મરુદેવી હતી. મરુદેવીની એક પુત્રી હતી, જેનો વિવાહ કલિદેવ સાથે થયો હતો. કેતયનાયકે કોટિબાગે જિનાલયમાં વ્રત લીધું હતું. કવિ મહાબલ શ્રીપતિના પુત્ર લક્ષ્મના ગુરુ હતા. મહાબલે પોતાને “સચિવ' કહ્યા છે; સંભવતઃ તે કેતયનાયકના “સચિવ' રહ્યા હશે. કવિએ લખ્યું છે કે તેમણે પોતાનો ગ્રંથ નેમિનાથપુરાણ શ્રુતાચાર્ય વગેરેની ઉપસ્થિતિમાં સભામાં સંભળાવી પોતાના શિષ્ય (પૂર્વોક્ત) લક્ષ્મ પાસે લખાવ્યો છે. મહાબલને ‘સહજકવિમનોગેહમાણિક્યદીપ' અને વિશ્વવિદ્યાવિરંચિ' નામક પદવી પ્રાપ્ત હતી. તેમણે પોતાના પૂર્વવર્તી કવિઓનું સ્મરણ નથી કર્યું. મહાબલે Page #106 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ પોતાના કવિતા-ચાતુર્યની સ્વયં પ્રશંસા કરી છે. તેમનું નેમિનાથપુરાણ એક ચંપૂગ્રંથ છે. તે ૧૬ આશ્વાસોમાં પૂર્ણ થયું છે. આમાં હિરવંશ તથા કુરુવંશ બંનેની કથા વર્ણિત છે. ગ્રંથારંભે બધા કવિઓની જેમ સિદ્ધ, સરસ્વતી વગેરેની સ્તુતિ ઉપરાંત આચાર્ય તથા કવિઓની સ્તુતિ કરવામાં આવી છે. નેમિનાથપુરાણનો બંધ પ્રૌઢ છે. આ પુરાણ હજી અપ્રકાશિત છે. આંડચ્ય ૭૮ આંડય્યના કાવ્યનું નામ કબ્બિગરકાવ અર્થાત્ મદનવિજય છે. કન્નડ ભાષાભાષીઓના નિવેદનથી તેમણે આ કાવ્યની રચના કરી હતી. વસ્તુતઃ આ રચના કન્નડ ભાષાભાષીઓ માટે કવિની એક અપૂર્વ દેન છે. મદનવિજય કાવ્યમાં વૈદિક પુરાણોક્ત શિવ અને કામનું યુદ્ધ વર્ણિત છે. કોઈ પણ જૈન મૂળ ગ્રંથમાં અનુપલબ્ધ એક નવીન કથાને કવિએ સ્વપ્રતિભાચાતુર્ય દ્વારા સુંદર રીતે નિરૂપિત કરી છે. પોતાની પૂર્વ સ્થિતિ સંબંધે અજાણ બનેલ કામ રિત દ્વારા કામવિજય સંબંધી પોતાની જ કથા સાંભળીને શાપથી મુક્ત થઈ જાય છે. વસ્તુતઃ આ કવિની એક નવીન ઉદ્ભાવના છે. આંડય્ય કન્નડ સાહિત્યને એક નવીન કથાવસ્તુ પ્રદાન કરવા માટે જ નહિ, પરંતુ પોતાની કથન-શૈલી અને ભાષા-વૈશિષ્ટ્ય માટે પણ ચિરસ્મરણીય છે. પૂર્વના કવિઓની કૃતિઓમાં સંસ્કૃત સમાસપદોની ક્લિષ્ટતાને જોતાં કવિનું મન દુ:ખી થયું હશે અને એટલા માટે તેમણે દેશ્ય તથા તદ્ભવ શબ્દોને અપનાવવાનો પ્રયાસ કર્યો હશે. આંડય્યની ભાષા-શૈલી લલિત તથા મધુર અને વર્ણન ચિત્તાકર્ષક છે. તેના કાવ્યમાં પ્રયુક્ત ‘મુક્તપદગ્રાસ’ નામક શબ્દાલંકાર સ્વાભાવિક તથા લલિત છે. કવિએ પોતાના કાવ્યમાં જૈન ધર્મની શ્રેષ્ઠતાને બહુ જ સુંદર ઢબે ચિત્રિત કરી છે. એતદર્થ માત્ર એક ઉદાહરણ પર્યાપ્ત થશે. એક જ બાણથી શિવને અર્ધનારીશ્વર બનાવનાર મહાશૂર મન્મથ (કામદેવ) એક શ્રમણ (મુનિ)ને જોઈને થર-થર કાંપવા લાગ્યો અને તે શ્રમણની મહાન તપસ્યાથી પ્રભાવિત થઈને તે ભક્તિથી વિનમ્ર બની ગયો. જ્યારે એક શ્રમણમાં જ આટલું સામર્થ્ય હોય તો પછી તીર્થંકરના મહિમાનું તો શું કહેવું ? જૈન ધર્મનો મહિમા બતાવવા માટે કવિ આંડય્યનું આ કથા-ચાતુર્ય પ્રશંસનીય છે. વસ્તુતઃ આંડય્યના આ કાવ્યમાં લાલિત્ય તથા માધુર્ય બંને ઉપસ્થિત છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ચંપૂયુગ ૭૯ મલ્લિકાર્જુન તથા કેશિરાજ ૧૩મી શતાબ્દીના મધ્ય ભાગમાં થયેલ આ બંને પિતા-પુત્રનું કન્નડ સાહિત્યના ઈતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન છે. તેઓ બંને કવિ હતા. પરંતુ દુઃખની વાત એ છે કે હજી સુધી તેમનો કોઈ પણ સ્વરચિત કાવ્ય ગ્રંથ ઉપલબ્ધ નથી થયો. મલ્લિકાર્જુન મલ્લ અને મલ્લપ્પ નામે પણ પ્રસિદ્ધ છે. મલ્લિકાર્જુને પોતાની પૂર્વના કન્નડ સાહિત્યમાંથી “સૂક્તિસુધાર્ણવ' નામક એક પદ્ય સંકલન ચોક્કસ તૈયાર કર્યું છે. તેમાં ૧૯ આશ્વાસ છે. આ સંકલન ગ્રંથના પૂર્વપીઠિકા નામના પ્રથમ આશ્વાસમાં તેમના સ્વરચિત અનેક પદ્ય ઉપલબ્ધ થાય છે, માત્ર એટલું જ નહિ, આ આશ્વાસમાં તેમના દ્વારા રચિત ઘણા-બધા એવાં પદ્ય પણ મળે છે જે અભિલેખોમાં ઉત્કીર્ણ છે. કેશિરાજ તેમણે પોતાના ગ્રંથ શબ્દમણિદર્પણમાં ચોલપાલચરિત, સુભદ્રાહરણ, પ્રબોધચન્દ્ર અને કિરાત નામક પોતાની સ્વરચિત કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ હજી સુધી આમાંથી એક પણ ગ્રંથ પ્રાપ્ત થઈ શક્યો નથી. વિદ્વાનોના મતે પ્રબોધચન્દ્ર નાટક ગ્રંથ હશે. જો આ એક નાટક ગ્રંથ હોય તો કન્નડ સાહિત્યમાં તેનું ખૂબ મહત્ત્વ હશે, કેમકે પ્રાચીન કન્નડ સાહિત્યમાં નાટક ગ્રંથોનો સર્વથા અભાવ છે. તેમાં સંદેહ નથી કે કેશિરાજ એક શ્રેષ્ઠ કવિ છે. મલ્લિકાર્જુનના સૂક્તિસુધાર્ણવના પૂર્વપીઠિકા નામક પ્રથમ આશ્વાસ છોડી બાકીના ૧૮ આશ્વાસોમાં ૧૮ પ્રકારનાં વર્ણનો મળે છે. આ વર્ણનોનાં પદ્ય ખૂબ જ સરસ છે. આ સંકલનમાં કંદ અને વૃત્ત જ લખવામાં આવ્યા છે. સૂક્તિસુધાર્ણવ કન્નડ સાહિત્યના ઈતિહાસની દૃષ્ટિએ ખૂબ જ મૂલ્યવાન છે. હજી સુધી અનુપલબ્ધ તથા અપ્રાપ્ય અનેક કાવ્યરચનાઓના કેટલાક અંશ આ સંકલનમાં મળે છે. કવિઓના કાળનિર્ણય માટે પણ આ ગ્રંથ આધારભૂત છે. આ સંકલનમાં ઉદ્ભત પદ્યકાવ્યોના રચયિતા ઈ.સ. ૧૨૫૦ની પહેલાંના સાબિત થાય છે. જ્યારે આમાં અનુદ્ધત બધા કવિ પરવર્તી સાબિત થાય છે. સૂક્તિસુધાર્ણવના સંગ્રહકાર્યમાં પિતાની સાથે કેશિરાજનું પણ યોગદાન રહ્યું હશે. પૂર્વવર્તી બધા કાવ્ય ગ્રંથના અવલોકનથી કેશિરાજને પોતાના વ્યાકરણ ગ્રંથ શબ્દમણિદર્પણની રચનામાં પર્યાપ્ત સહાયતા મળી હશે. કેશિરાજે આ જ ગ્રંથોના આધારે વ્યાકરણ સંબંધી નિયમોનો સંગ્રહ કર્યો હશે. શબ્દમણિદર્પણ એક સુંદર વ્યાકરણ ગ્રંથ છે. તેનાં સૂત્ર કંદ પદ્યોમાં છે તથા વૃત્તિ ગદ્યમાં છે અને ઉદાહરણ Page #108 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ પૂર્વકવિઓનાં કાવ્યોનાં લેવામાં આવ્યા છે. વ્યાકરણના નિયમો સમજાવવા માટે કંદ પઘ જ સરળ હોય છે. તેનાં બધા ઉદાહરણ ખૂબ સરસ હોવાને કારણે આ વ્યાકરણ ગ્રંથ પણ કાવ્યની અનુભૂતિ કરાવે છે. કવિની પ્રામાણિકતા પ્રશંસનીય છે, તેના બધા કથ્ય સપ્રમાણ છે. ८० જૂની ભાષામાં વ્યવહૃત અશુદ્ધ પ્રયોગોને દૂર કરી, ભાષાને પરિશુદ્ધ બનાવવી જ કેશિરાજનું મુખ્ય લક્ષ્ય રહ્યું. કન્નડ ધાતુપાઠના નિર્માણનું શ્રેય કેશિરાજને જ છે. તેમના પિતા મલ્લિકાર્જુન સ્વયં વિદ્વાન અને કવિ હતા. તેમની માતા સુમનોબાણની સુપુત્રી હતી તથા મામા પ્રસિદ્ધ મહાકવિ જન્ન હતા. સુમનોબાણ પણ સ્વયં કવિ હતી. આથી બાલ્યકાળથી જ તેમને સાહિત્યિક વાતાવરણ મળ્યું હતું. કવિ મલ્લે પોતાના ‘મન્મથવિજય'માં તેમને લોકના એકમાત્ર શબ્દશ કહ્યા છે. તેમનું આ કથન ઓછામાં ઓછું કન્નડ ભાષાની દૃષ્ટિએ તો સર્વથા સત્ય છે. નિર્દોષ પાંડિત્ય પ્રાપ્ત કરવા માટે ‘શબ્દમણિદર્પણ'નો અભ્યાસ આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. નાગરાજ તેમનો સમય લગભગ ઈ.સ.૧૩૩૧ છે. કવિના પિતા વિઠ્ઠલદેવ અને માતા ભાગીરથી હતી. નાગરાજના સહોદર તિપ્પરસ તથા ગુરુ અનંતવીર્ય કેવલી હતા. ભારતીભાલનેત્ર અને સરસ્વતીમુખતિલક તેમની પદવીઓ હતી. તેમની રચના ‘પુણ્યાશ્રવકથા’ છે. કવિનું કહેવું છે કે પૂજ્ય ગુરુની આજ્ઞાથી સગરના નિવાસીઓ માટે મેં આ પુણ્યાશ્રવકથાની રચના કરી છે. આ રચનામાં દેવપૂજા, ગુરૂપાસ્તિ, સ્વાધ્યાય, સંયમ, દાન અને તપ આ બધાનું વર્ણન કરીને તેમના આચરણ દ્વારા સ્વર્ગાપવર્ગને પ્રાપ્ત કરનાર પુરાણપુરુષોની કથાઓ વર્ણિત છે. જોકે નાગરાજે નયસેનની જેમ પરધર્મનો સીધો ઉપહાસ નથી કર્યો, છતાં પણ તેમણે જૈન ધર્મની શ્રેષ્ઠતા સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત કરી છે. વડ્ડારાધનાની કેટલીક કથાઓ પુણ્યાશ્રવમાં પણ મળે છે. નાગરાજ કથાનિરૂપણમાં કુશળ છે. કાવ્ય દેશીય શૈલીમાં લખવામાં આવ્યા છે જે સરળ તથા લલિત છે. તેની સાથે સાથે જ વર્ણનમાં સ્વાભાવિકતા પણ છે. ‘પુણ્યાશ્રવકથા’ સામાન્ય જનતા માટે ઉપયોગી કથાગ્રંથ છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ચંયુગ બાહુબલિ અને મધુર ૧૪મી શતાબ્દીના પુરાણરચયિતાઓમાં બાહુબલિ અને મધુરને પણ સમ્મિલિત કરી શકાય. બાહુબલિનો સમય લગભગ ઈ.સ.૧૩પર અને મધુરનો સમય ઈ.સ.૧૩૮૫ છે. બંનેનાં કાવ્યનું વિષયવસ્તુ એક જ છે અને તે છે ૧૫મા તીર્થંકર ધર્મનાથનું ચરિત્ર. “ઉભયભાષાકવિચક્રવર્તી” ઉપાધિધારી બાહુબલિનો ગ્રંથ ધર્મનાથપુરાણ એક પ્રૌઢ ગ્રંથ છે. તેમાં ૧૬ આશ્વાસ છે. મધુરના ગ્રંથમાં હાલ માત્ર ચાર જ આશ્વાસ ઉપલબ્ધ છે. મધુરે પોતાની ખૂબ પ્રશંસા કરી છે. સંભવતઃ તે વિજયનગરના રાજ હરિહરની સભાના કવિ હતા. તેમના વર્ણનમાં સ્વાભાવિકતા છે. અભિનવ વિદ્યાનંદ અને ભટ્ટારક અકલકે પોતપોતાની કૃતિઓમાં મધુરના પદ્યો લીધા છે. મધુરની એક ગોમ્સસ્તુતિ પણ છે. જૈન ચંપુ કવિઓમાં મધુર અંતિમ કવિ છે. બાહુબલિ અને મધુર બંને જૈન પરંપરાના કવિ છે. તેમના કાવ્યોમાં પણ જૈન પુરાણોની સામાન્ય વિશેષતાઓ ઉપલબ્ધ થાય છે. મંગરાજ અથવા મંગરસ ચૌદમી શતાબ્દીના ચંપૂ રચયિતાઓમાં “ખગેન્દ્રમણિદર્પણ” નામક વૈદ્યક ગ્રંથના રચયિતા મંગરાજ (ઈ.સ.૧૩૬૦) એક વિશિષ્ટ કવિ છે. તેમણે પોતાને હોસલ દેશાંતર્ગત મુગુલિપુરના અધિપ અને પૂજ્યપાદના શિષ્ય બતાવ્યા છે. તેમની પત્નીનું નામ કામલતા હતું અને તેમના ત્રણ સંતાન હતા. આ બધી વાત તેમની કૃતિઓમાંથી જ્ઞાત થાય છે. કવિએ વિજયનગરના રાજા હરિહરની પ્રશંસા કરી છે. આથી મંગરસ તેમના સમકાલીન હતા. તેમને “સુલલિતકવિપિકવસંત', વિભુવંશલલામ' વગેરે કેટલીય પદવીઓ મળી હતી. મંગરાજનું કહેવું છે કે જનતાની વિનંતીથી મેં સર્વજનોપકારી આ વૈદ્યક ગ્રંથની રચના કરી છે. આમાં માત્ર ઔષધિઓ જ નથી, પરંતુ મંત્ર-યંત્ર પણ છે. કવિનો મત છે કે “ઔષધિઓથી આરોગ્ય, આરોગ્યથી દેહ, દેહથી જ્ઞાન, જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલા માટે હું ઔષધશાસ્ત્ર બતાવી રહ્યો છું.” મંગરસે સ્થાવર અને જંગમ બંને પ્રકારના વિષને ઔષધ બતાવ્યું છે. ખગેન્દ્રમણિદર્પણ એક શાસ્ત્રીય ગ્રંથ છે છતાં પણ તેમાં કાવ્યના ગુણ ઉપસ્થિત છે. તેની રચના લલિત અને શૈલી પણ સુંદર છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ ષદિ અને સાંગત્યયુગ ભાસ્કર કવિ ભાસ્કર ૧૫મી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયા. તેમણે ભામિની ષદિમાં ‘જીવંધરચરિતે’ લખ્યું છે. આ કાવ્ય ગ્રંથના આધારે તેઓ બસવાંક નામક જૈન બ્રાહ્મણના પુત્ર હોવાનું જણાય છે. ભાસ્કરે ઉક્ત કાવ્ય પેનગોંડેના શાંતીશ્વર જિનાલયમાં શાલિવાહન શક સંવત્ ૧૩૪૫ (ઈ.સ.૧૪૨૩)માં રચ્યું હતું. કાવ્યનો કથાભાગ મનોહર છે. સન્નિવેશ રચનામાં કવિએ પોતાના કૌશલને સુંદર ઢંગે અભિવ્યક્ત કર્યું છે. ભાસ્કરની શૈલી સરળ, લલિત તથા નાદમય છે. કવિનું કલ્પનાચાતુર્ય હૃદયગ્રાહી છે. મહાકવિ વાદીભસિંહ સૂરિના ક્ષેત્રચૂડામણિ કાવ્યનું જ આ કન્નડ રૂપાંતર છે. આ કાવ્ય પ્રકાશિત થઈ ગયું છે. કલ્યાણકીર્તિ તેઓ ૧૫મી શતાબ્દીના મધ્ય ભાગમાં થયેલ જણાય છે કેમકે તેમણે પોતાનું ‘જ્ઞાનચન્દ્રાભ્યુદય’ ઈ.સ.૧૪૩૯માં રચ્યું હતું. કવિ કલ્યાણકીર્તિએ જ્ઞાનચન્દ્રાભ્યુદય, કામનકથે, અનુપ્રેક્ષે, જિનસ્તુતિ અને તત્ત્વભેદાષ્ટક આ ગ્રંથોની રચના કરી છે. ‘જ્ઞાનચન્દ્રાભ્યુદય' નામક કથા ગ્રંથમાં એમ બતાવવામાં આવ્યું છે કે જ્ઞાનચન્દ્ર રાજાએ તપસ્યા દ્વારા કયા પ્રકારે પોતાનો આધ્યાત્મિક વિકાસ કર્યો. લગભગ ૯૦૦ પઘોનું આ કાવ્ય વાર્ષિક ભામિનિ અને પરિવર્ધિન ષદિ નામક છંદોમાં છે. બીજી રચના જૈનધર્મ સાથે સંબંધિત કામનકથે છે. તે સાંગત્ય છંદમાં છે. કવિએ તે તુલુ દેશના શાસક ભૈરવસુત પાંડ્યરાયની પ્રેરણાથી રચ્યું હતું. તેમાં લગભગ ૩૩૦ પદ્ય છે. તેની શૈલી સરસ છે. કલ્યાણકીર્તિના બાકીના ત્રણ ગ્રંથ પણ જૈનધર્મ સંબંધિત છે. કવિનું એક અન્ય કાવ્ય સિદ્ધરાશિ છે, પરંતુ તે હજી સુધી ઉપલબ્ધ નથી. જ્ઞાનચન્દ્રાભ્યુદયને છોડીને બાકીના ગ્રંથ અપ્રકાશિત છે. રત્નાકર વર્ણી રત્નાકર વર્ણીના રત્નાકરસિદ્ધ, રત્નાકરઅણ્ણ વગેરે કેટલાંય નામ હતા, પરંતુ કવિને રત્નાકરસિદ્ધ નામ જ વિશેષ પ્રિય હતું. રત્નાકરે પોતાને કર્ણાટકવાસી, ક્ષત્રિયવંશી અને શ્રી મંદરસ્વામીના પુત્ર બતાવ્યા છે તથા ચારુકીર્તિને દીક્ષાગુરુ અને હંસનાથને મોક્ષગુરુ કહ્યા છે. રત્નાકરે ૧૦ હજાર પદ્ય પરિમિત પોતાનું Page #111 -------------------------------------------------------------------------- ________________ ષટ્રપદિ અને સાંગત્યયુગ ૮૩ “ભરતેશવૈભવ' નામક મહાકાવ્ય માત્ર ૯ માસમાં પૂર્ણ કર્યું હતું. જોકે આ વાત થોડી અતિશયોક્તિપૂર્ણ માલૂમ પડે છે. પરંતુ મહાકવિ રત્નાકર માટે તે અશક્ય નથી. દેવચંદ્રના કથનાનુસાર રત્નાકરે ભરતેશવૈભવ ઉપરાંત અપરાજિતેશ્વરશતક, ત્રિલોકશતક તથા રત્નાકરાધીશ્વરશતક નામક શતકત્રયની તથા બે હજાર અધ્યાત્મગીતોની રચના કરી છે. કવિએ ત્રિલોકશતકમાં પોતાનું જન્મસ્થળ મૂડબિદ્રી બતાવ્યું છે. આ શતકનો રચનાકાળ ઈ.સ.૧૪૫૭ છે. સંભવ છે કે આ શતક કવિની પ્રથમ કૃતિ હોય છે. આ રીતે રત્નાકરે ૧૫મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં જ પોતાની કૃતિઓની રચના કરી છે. રત્નાકરના પ્રત્યેક શતકમાં ૧૨૮ પદ્ય છે. આ શતકોમાં લોકસ્વરૂપ બતાવનાર ત્રિલોકશતક કંદ પદ્યમાં છે. બાકી બે શતક વૃત્તમાં નિરૂપિત છે. તેમાં રત્નાકરશતક કવિની પ્રત્યુત્પન્નમતિને પ્રતિબિંબિત કરનાર એક સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. બાકી શતકોની જેમ નીતિનિરૂપણ કરવું જ તેનું લક્ષ્ય છે, છતાં પણ તેમાં ઓજ તથા તેજ છે. રત્નાકર એક સ્વતંત્રચેતા કવિ છે. તેમની વાણી સટીક તથા મર્મસ્પર્શી છે, જોકે કર્મ પ્રતિપાદન તથા તત્ત્વજિજ્ઞાસાના સંદર્ભમાં તેમનો દૃષ્ટિકોણ ઉદાર છે. જીવનની ક્ષણભંગુરતાનો સ્વીકાર કરવા છતાં પણ રત્નાકર ભોગથી વિમુખ થવાની વાત નથી કહેતા; પરંતુ તેઓ કહે છે કે ભોગને ભોગવતાં પણ શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકાય છે. આ જ કવિના ભરતેશવૈભવ મહાકાવ્યનો સાર છે. - ભરતેશવૈભવ ભરત ચક્રવર્તીના ચરિત્ર સાથે સંબંધિત એક મહાકાવ્ય છે. કથા ખૂબ જૂની છે. ભરત પ્રથમ તીર્થંકર ઋષભદેવના જયેષ્ઠ પુત્ર, સોળમા મનુ, પ્રથમ ચક્રી અને ચરમશરીરી છે. અન્ય બધા શલાકાપુરુષોનાં જીવનચરિત્રની જેમ ભરતનાં જીવનચરિત્રનો આધાર પણ આચાર્ય જિનસેનનું આદિપુરાણ જ છે. રત્નાકરે જિનસેન દ્વારા વર્ણિત ભારતની કથાના મૂળ રૂપનો સ્વીકાર કરવા છતાં પણ તેના વિવરણમાં પર્યાપ્ત પરિવર્તન કર્યું છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવની કથાના એક અંગ રૂપે વર્ણિત આ કથાના આધારે એક સ્વતંત્ર કૃતિની રચના કરવી તે રત્નાકરની વિશેષતા છે. તેમની પહેલાં કોઈ પણ કન્નડ કવિએ આવી રચના નહોતી કરી. રત્નાકરે જે કંઈ કથાવસ્તુ ઉપલબ્ધ હતી તેને પોતાની નવીન કલ્પનાઓથી સજાવી છે તથા પોતાના કથાનાયકના ચરિત્રને નવીન ઊંચાઈઓ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૪ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ સુધી પહોંચાડ્યું છે. પોતાના આ પ્રયત્નમાં તેઓ ચોક્કસ સફળ થયા છે. આ મહાકવિએ તીર્થકરોના પાંચ કલ્યાણકોની જેમ જ ભોગવિજય, દિગ્વિજય, યોગવિજય, અર્કકીર્તિવિજય અને મોક્ષવિજય નામની પાંચ સંધિઓમાં ભારતની કથાનો વિસ્તાર કર્યો છે. ભરતેશવૈભવના ભોગવિજય કથાભાગમાં ભરત દ્વારા અનુભૂત લૌકિક સુખ ભોગોનું તથા તેના ઐશ્વર્ય અને સમૃદ્ધિનું આકર્ષક ચિત્ર પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જે આપણને સહસા તીર્થંકરના ગર્ભવતરણ-કલ્યાણકનું સ્મરણ કરાવે છે. વસ્તુતઃ ભોગસંધિ શૃંગારરસનો એક મહાસાગર છે. ભરત ચક્રવર્તીના જીવનનું શૃંગારિક ચિત્રણ આચાર્ય જિનસેનના આદિપુરાણમાં પણ મળે છે. વાસ્તવમાં રત્નાકરે ભરતને એક અત્યંત વૈભવશાળી તથા સુખી વ્યક્તિરૂપે ચિત્રિત કર્યો છે. રત્નાકરે “ભોગવિજય” નામક આ સંધિ (અધ્યાય)માં પુરાણોક્ત ભરતની કથાવસ્તુમાં કોઈ વિશેષ પરિવર્તન નથી કર્યું, જોકે આનો વર્ણન ભાગ કવિનો પોતાનો છે. રત્નાકરે દિગ્વિજયની કથાવસ્તુમાં ચોક્કસ પરિવર્તન કર્યું છે. પુરાણનો ભરત નિર્દય તથા કઠોર છે, પરંતુ રત્નાકરનો ભરત દયાળુ તથા મૃદુહૃદયી છે. તેનો ભરત યુદ્ધને પસંદ નથી કરતો, પરંતુ વિરક્ત થઈને તપસ્યા માટે ગયેલા સહોદરો માટે ખૂબ દુઃખી થાય છે. રત્નાકર એક સ્વતંત્રચેતા કવિ છે, તેને જે પણ વાત ઠીક લાગે તેનો સ્વીકાર કરી લે છે. એ જ કારણ હતું કે મૂડબિદ્રીનો શ્રાવકવર્ગ રત્નાકર પ્રતિ અસંતુષ્ટ થઈ ગયો હતો, તેમ છતાં શ્રાવકવર્ગના અસંતોષ માટે તત્કાલીન સ્થાનીય ભટ્ટારક પણ એક કારણ હોવાનું માનવામાં આવે છે. રત્નાકરના બાકી ત્રણ કથા ભાગોમાં મૂલ કથાની દૃષ્ટિએ કોઈ વિશેષ પરિવર્તન નથી. “ભરતેશવૈભવ'ની મહત્તા કવિની કાવ્ય દૃષ્ટિને કારણે છે. મહાકવિને પોતાના કથાનાયક કર્મવીર ભરત પ્રત્યે અપાર ભક્તિ હતી. કવિ સાંસારિક ભોગ-વિલાસને આધ્યાત્મિક વિકાસના આત્યંતિક વિરોધી નથી માનતા, તે માને છે કે નિષ્કામ ભાવે સંસારમાં રહીને પણ આધ્યાત્મિક વિકાસ સંભવે છે. એટલા માટે તે પોતાની કથાનો પ્રારંભ ભરતના ભોગ-વિલાસના વર્ણનથી કરે છે. ભરત પખંડનો અધિપતિ તથા નવનિધિનો સ્વામી હતો. ભોગ-વિલાસના સાધનરૂપ સુંદર સ્ત્રીઓની પણ તેને કમી ન હતી, છતાં પણ ભરત ધર્મની ઉપેક્ષા નથી કરતો. રાજ્ય લક્ષ્મીનો સંચય તથા કામનું સેવન કરતાં કરતાં પણ તે ગૃહસ્થ Page #113 -------------------------------------------------------------------------- ________________ ષદિ અને સાંગત્યયુગ ધર્મના મૂલાધાર પંચાણુવ્રતોનું પાલન કરે છે. ભરત ધર્મની મર્યાદાની અંદર રહીને સાંસારિક સુખ-વૈભવ ભોગવનાર એક રાજર્ષિ છે. વસ્તુતઃ ભોગ અને ત્યાગમાં અવિરોધ પ્રદર્શિત કરી, ભોગ અને યોગની વચ્ચે સમન્વય કરવો એ જ મહાકવિ રત્નાકરના કાવ્યનું એકમાત્ર લક્ષ્ય છે. કવિ કુવેંદુના શબ્દોમાં ભરતેશવૈભવમાં ત્યાગ અને ભોગના સમન્વયરૂપી યોગદર્શન રત્નાકરે સુંદર રીતે પ્રતિપાદિત કર્યું છે. તેણે તે આદર્શને માત્ર ભરતના જીવનમાં જ નહિ પરંતુ સમગ્ર કાવ્યમાં કુશળતાપૂર્વક વ્યક્ત કર્યો છે. આ પ્રકારની કાવ્યસૃષ્ટિ સંસારના કોઈ પણ સાહિત્ય માટે ગૌરવની વસ્તુ છે. આ દૃષ્ટિએ ભરતેશવૈભવ એક મહાન કૃતિ છે. ૮૫ રત્નાકરનું કાવ્ય ચર્વિતચર્વણ કે પિષ્ટપેષણ નથી. તે સાંપ્રદાયિકતાથી પણ ઘણું દૂર છે. સામાન્ય જનતા તેના કાવ્યથી લાભ ઉઠાવે, તે જ કવિનું મુખ્ય લક્ષ્ય હતું. રત્નાકરની શૈલી સરસ અને સરળ છે. કવિના વર્ણનમાં સ્વાભાવિકતા છે. કવિએ જે કંઈ લખ્યું છે તે આત્માનુભવના આધારે લખ્યું છે. રત્નાકર કન્નડ કવિરૂપ માળાના એક દેદીપ્યમાન મણિ છે. તેમના કાવ્યોના કેટલાય સંસ્કરણ થઈ ચૂક્યાં છે. વિજયણ વિજયણ મૂડબિદ્રીના નિવાસી હતા. તેમણે દ્વાદશાનુપ્રેક્ષાની રચના કરી છે. આ કૃતિ સાંગત્ય છંદમાં છે, વચ્ચે-વચ્ચે ક્યાંક કંદ વૃત્ત પણ છે. ગ્રંથમાં જૈન ધર્મમાં પ્રતિપાદિત બાર ભાવનાઓનું વર્ણન છે. સાહિત્યની દૃષ્ટિએ આ રચના બહુ મહત્ત્વપૂર્ણ નથી. કવિનું નિરૂપણ સરળ, સુગમ તથા હૃદયગ્રાહી છે. વિજયણનો સમય લગભગ ઈ.સ.૧૪૫૦ છે. કવિનો આશ્રયદાતા દેવકવિ છે. તેની જ પ્રેરણાથી પ્રસ્તુત ગ્રંથ રચવામાં આવ્યો છે. દ્વાદશાનુપ્રેક્ષાને કન્નડમાં લાવવાનું શ્રેય વિજયણને જ છે. આ ગ્રંથ પઠનીય છે. તે પ્રકાશિત પણ થઈ ગયો છે. શિશુમાયણ હોય્સલ દેશાંતર્ગત કાવેરી નદીના તટ પર અવસ્થિત નયનાપુર શિશુમાયણનું જન્મસ્થળ હતું. કવિના પિતા બોમ્મિસેટ્ટિ અને માતા નેમાંબિકા હતી. કવિના શ્રદ્ધેય ગુરુ કાણુર્ગુણના ભાનુમુનિ હતા. બેલુકેરે નગરના સ્વામી ગોમ્મટદેવની પ્રેરણાથી કવિએ ‘અર્જનાચરિતે’ની રચના કરી હતી. ત્રિપુરદહન નામનો તેમનો એક અન્ય ગ્રંથ પણ છે. શિશુમાયણનો સમય ઈ.સ.૧૪૭૨ છે. કવિના બંને Page #114 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ કાવ્ય સાંગત્ય છંદમાં નિરૂપિત છે. બંને સરળ તથા પ્રવાહપૂર્ણ છે. સાંગત્ય કાવ્યોની અભિવૃદ્ધિમાં શિશુમાયણનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ૮૬ શિશુમાયણનું ત્રિપુરદહન ૨૮૨ સાંગત્ય પઘોની એક લઘુકાય કૃતિ છે. તે સંસ્કૃત પ્રબોધચન્દ્રોદય નાટકની જેમ એક લક્ષ્ય કાવ્ય છે. કવિએ શિવપુરાણની પ્રસિદ્ધ ત્રિપુરદહનની કથામાં પરિવર્તન કરી તેમાં જિનેશ્વર દેવને જન્મ-જરામરણરૂપી ત્રિપુરોના સંહારકર્તા બતાવ્યા છે. તદનુકૂલ કવિએ મોહાસુરને ત્રિપુરનો રાજા; માયાને તેની રાણી; મનુષ્ય, દેવ, તિર્યંચ અને નરક ગતિઓને ચાર પુત્ર, ક્રોધ, લોભાદિને મંત્રી તથા નાનાવિધ કર્મોને તેના પરિવાર રૂપે નિરૂપિત કર્યો છે. શિવપુરાણની બધી ઘટનાઓને અહીં સાંકેતિક રૂપ આપી દેવામાં આવ્યું છે. જિનેશ્વરદેવના લલાટ પર કેવલજ્ઞાનરૂપી ત્રીજું નેત્ર પ્રકટ થાય છે, જેના દ્વારા ત્રિપુર (મોહાસુર)ને સપરિવાર પરાજિત કરી દેવામાં આવે છે. પરમ દયાળુ જિનેશ્વરદેવે મોહાસુરને માર્યો નહિ, પરંતુ હાથ-પગ બાંધીને તેને પોતાના ચરણોમાં નમાવ્યો અને મુક્ત કરી જવા દીધો. આ રીતે કવિએ આ કાવ્યમાં જિનેશ્વરદેવને શિવથી અધિક દયાળુ સિદ્ધ કર્યા છે. શિશુમાયણનું અંજનાચરિતે ૬ હજાર પદ્યોનો એક બૃહદ્ ગ્રંથ છે. તેમાં આચાર્ય રવિષેણવિરચિત સંસ્કૃત પદ્મચરિત્રમાં વર્ણિત અંજનાની કથાનો જ વિસ્તાર કરવામાં આવ્યો છે. કવિના વર્ણનમાં સ્વાભાવિકતા છે. કવિનો દૃષ્ટિકોણ જનસાધારણને પરિતોષ આપવાનો જ રહ્યો છે અને આ કાર્યમાં કવિ શિશુમાયણ પૂરી રીતે સફળ થયા છે. બોમ્બરસ તે૨કણાંબિનિવાસી બોમ્મરસ સનત્કુમારચરિતે અને જીવંધરસાંગત્ય નામક બે ગ્રંથોના રચયિતા છે. તેમનો સમય લગભગ ઈ.સ.૧૪૮૫ છે. કવિના પિતાનું નામ પણ બોમ્મરસ જ હતું. સંભવતઃ તેમના પિતા બોમ્બરસ પણ વિદ્વાન હતા. આ સનકુમારચરિતેમાં ભામિનિ ષદિના ૮૭૦ પદ્ય છે. તેમાં હસ્તિનાપુરના યુવરાજ સનત્કુમારની કથા વર્ણિત છે. કવિનું કથાનિરૂપણ સુંદર છે, પદ્યોનો પ્રવાહ ઠીક છે અને વર્ણનમાં નવીનતા છે. એમ જણાય છે કે કવિ બોમ્મરસ ભોજનપ્રિય હતા કેમકે તેમના કાવ્યમાં ભક્ષ્ય-ભોજન પદાર્થોનું વર્ણન વિશેષરૂપે મળે છે. કવિના જીવંધર સાંગત્યમાં લગભગ ૧૪૫૦ પદ્ય છે. તેમાં રાજપુરીના મહારાજ સત્સંધરના સુપુત્ર જીવંધરની કથા નિરૂપિત છે. કથા સરળ તથા જન Page #115 -------------------------------------------------------------------------- ________________ પપદિ અને સાંગત્યયુગ ૮૭ ભોગ્ય છે. વર્ણન સુંદર છે. જો કે બોમ્મરસને મહાકવિ ન કહી શકાય છતાં પણ તેઓ એક શ્રેષ્ઠ કવિ છે. કવિ કોટીશ્વરે પણ લગભગ ઈ.સ.૧૫૦૦માં, ભામિની પપદિમાં એક જીવંધરચરિતે લખ્યું છે, પરંતુ તે ગ્રંથ અપૂર્ણ છે. મંગરસ (તૃતીય) પહેલા મંગરસ ખગેન્દ્રમણિદર્પણ નામક વૈદ્યક ગ્રંથના રચયિતા છે. બીજા મંગરસ મંગરાજનિઘંટુના રચયિતા છે. ત્રીજા મંગરસ જલનૃપકાવ્ય, નેમિજિનેશસંગતિ, શ્રીપાલચરિતે, પ્રભંજનચરિતે, સમ્યક્તકૌમુદિ અને સૂપશાસ્ત્ર નામક ગ્રંથોના રચયિતા છે. ચુંગાલ્વ સચિવકુલોદ્દભવ કલ્લહલ્લિકા વિજયભૂપાલ તેમના પિતા છે. તેમની માતા દેવિલે અને ગુરુ ચિક્કપ્રભેન્દુ છે. કવિને પ્રભુરાજ, પ્રભુકુલ અને રત્નદીપ નામક પદવીઓ મળી હતી. કવિના પિતા યુદ્ધવીર જણાય છે, કેમકે કવિએ પોતાના પિતાને “રણકભિનવવિજય’ કહ્યાં છે. મંગરસ તૃતીય ૧૬મી શતાબ્દીના પૂર્વાર્ધના કવિ છે. મંગરસનું જયનૃપકાવ્ય પરિવર્ધિની પદિમાં, સૂપશાસ્ત્ર વાર્ધકષપદિમાં, સમ્યક્તકૌમુદિ ઉદંડષપદિમાં અને બાકીના ત્રણ ગ્રંથ સાંગત્યમાં છે. જયનૃપકાવ્યમાં કરુજાંગણના રાજકુમાર જયનૃપની કથા છે. તેનો મૂળ આધાર આચાર્ય જિનસેન રચિત સંસ્કૃત કથા છે. કથાનાયક પ્રથમ ચક્રવર્તી ભરતનો સેનાપતિ હતો. આ એક શૃંગારિક કાવ્ય છે. મંગરસનો પદબંધ લલિત તથા સ્વભાવોક્તિ હૃદયગ્રાહી છે. કવિની કલ્પના નવીન તથા મનોહારિણી છે. પરિવર્ધિની ષટ્રપદિમાં રચિત આ કાવ્યમાં કવિતા મંગરસની જાણે ચેલી જ છે. મંગરસનું સૂપશાસ્ત્ર ૩૫૬ પદ્યોનો એક પાકશાસ્ત્રનો ગ્રંથ છે. તેનો આધાર પિષ્ટપાક, પાનક, કલમાત્રપાક, શાકપાક વગેરે સંસ્કૃત ગ્રંથ રહ્યા છે. બધાની ચર્ચા આ ગ્રંથમાં થઈ છે. મંગરસ કહે છે કે આ પાકશાસ્ત્ર સ્ત્રીઓ માટે અત્યંત પ્રિય અને ઉપયોગી છે. કવિ રસનેન્દ્રિયતુષ્ટિને જ લૌકિક અને પારલૌકિક સુખ • માને છે. સમ્યક્તકૌમુદી ૭૯૨ પદ્યોનું એક સુંદર કાવ્ય છે. તેમાં વૈશ્ય અર્હદાસની સ્ત્રીઓ દ્વારા કથા સંભળાવવા તથા તે સાંભળીને રાજા ઉદિતોદિતને સમ્યક્ત તથા સ્વર્ગ પ્રાપ્ત થવાની કથા વર્ણિત છે. આ કથા પૂર્વમાં ગૌતમ ગણધરે મગધનરેશ શ્રેણિકને સંભળાવી હતી. આ કથામાં બીજી પણ કેટલીય ઉપકથાઓ સામેલ છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮૮ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ આ બધી સુંદર કથાઓ જનપદ કથાઓના વર્ગની જ છે. આ કથાઓમાં નીતિઉપદેશ ભરેલા પડ્યા છે. બધી કથાઓ પઠનીય છે. મંગરસનું પ્રભંજનચરિતે અપૂર્ણ છે. બાકી બે ગ્રંથ બૃહદાકાર છે. તેમાં એક છે શ્રીપાલચરિતે, જેમાં પુંડરિકિણી નગરના રાજા ગુણપાલના પુત્ર શ્રીપાલની કથા વર્ણિત છે. તેમના અન્ય કાવ્યોની જેમ આમાં પણ નવીનતા, મનોહરતા અને સ્વાભાવિકતા છે. કવિના અપૂર્ણ પ્રભંજનચરિતેમાં શુંભદેશના જંભાપુરના રાજ દેવસેનના પુત્રની કથા વર્ણિત છે. આ કાવ્ય પણ સરળ તથા સરસ છે. નેમિજિનેશસંગતિમાં ૨૨મા તીર્થંકર નેમિનાથનું પુણ્યચરિત્ર નિરૂપિત છે. વિદ્વાનોનો મત એવો છે કે આ રચના કવિની પ્રથમ કૃતિ છે, કેમકે આની શૈલી કવિના અન્ય કાવ્યોની જેમ પ્રૌઢ નથી. છતાં પણ આમાં કવિહૃદય હાજર છે અને તેના યુદ્ધવર્ણનથી જ્ઞાત થાય છે કે મંગરસ ક્ષત્રિય હતા અને યુદ્ધમાં તેણે ચોક્કસ ભાગ લીધો હશે. તેના જયનૃપકાવ્ય, સૂપશાસ્ત્ર, સમ્યક્તકૌમુદિ અને નેમિજિનેશસંગતિ પ્રકાશિત થઈ ચૂક્યાં છે. અભિનવવાદિ-વિદ્યાનંદ તેમણે “કાવ્યસાર' નામક એક સંકલન ગ્રંથની રચના કરી છે. નગર તાલુકાન્તર્ગત હોંબુજના એક શિલાલેખમાં તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. પ્રતિવાદીઓને જીતવામાં તથા ઉપન્યાસમાં તેમને અદ્વિતીય કહેવામાં આવ્યા છે. એટલા જ માટે વાદિવિદ્યાનંદ નામથી પ્રસિદ્ધ થયા હશે. તેમનો સમય ઈ.સ.સોળમી શતાબ્દીનો પૂર્વાદ્ધ જણાય છે. તેમના ઉપર્યુક્ત સંકલન ગ્રંથમાં ૧૧૪૦પદ્ય છે. સંભવતઃ તેમણે અન્ય ગ્રંથોની રચના પણ કરી હશે. વિદ્યાનંદનો “દશમલુયાદિ મહાશાસ્ત્ર' નામક એક ગ્રંથ મને પ્રાપ્ત થયો છે. આ ગ્રંથ પ્રાકૃત, સંસ્કૃત અને કન્નડ ભાષામાં લિખિત છે. ઈતિહાસની દૃષ્ટિએ આ ગ્રંથ મહત્ત્વપૂર્ણ છે. તેનો વિસ્તૃત પરિચય મેં અન્યત્ર એક લેખમાં આપ્યો છે. સાલ્વ તેમણે પોતાના આશ્રયદાતા સાલ્વમલ અને રાજ સાલ્વદેવની પ્રેરણાથી ભામિની ષટ્રપદિમાં ‘ભારત' નામક ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ સિવાય સાલ્વે રસરત્નાકર અને વૈદ્યસાંગત્ય નામક બીજા બે ગ્રંથોની રચના કરી છે. વિદ્વાનોના મતે “શારદાવિલાસ' નામક એક અન્ય કૃતિ પણ તેમની જ છે. કવિના પિતા Page #117 -------------------------------------------------------------------------- ________________ પપદિ અને સાંગત્યયુગ ૮૯ ધર્મચન્દ્ર અને ગુરુ શ્રુતકીર્તિ છે. સાલ્વ ૧૬મી શતાબ્દીના મધ્ય કે ઉત્તર ભાગમાં થયા હશે. સાલ્વના “ભારત'ને નેમીશ્વરચરિતે પણ કહે છે. અન્ય જૈને ભારતોની જેમ અહીં પણ હરિવંશ-કુરુવંશની કથા આપવામાં આવી છે. આ એક ધાર્મિક ગ્રંથ છે. કવિ સાલ્વ એક વિદ્વાન કવિ છે. તેમનું કાવ્ય મધ્યમ કક્ષાનું છે. કવિનો રસરત્નાકર નામક એક અલંકારશાસ્ત્રીય ગ્રંથ પણ છે. તેમાં ચાર આશ્વાસ છે. સાલ્વે આ કૃતિની રચનામાં અમૃતાનંદી, રૂદ્રભટ્ટ, હેમચન્દ્ર, નાગવર્મ વગેરે કવિઓના ગ્રંથોમાંથી સહાયતા લીધી છે. તેમાં સંદેહ નથી કે આ ગ્રંથ વિસ્તારથી લખવામાં આવ્યો છે. તે વાત કવિએ સ્વયં કહી છે. જોકે કવિએ બધા નવે રસોનું વર્ણન કર્યું છે. તથાપિ તેને શૃંગારરસ અધિક પ્રિય હતો. સાલ્વના “શારદાવિલાસમાં કાવ્યના આત્માસ્વરૂપ ધ્વનિ જ પ્રતિપાદિત છે. કન્નડમાં ધ્વનિ પ્રતિપાદક ગ્રંથોમાં આ પ્રથમ રચના છે. આ ગ્રંથ હજી સુધી પૂર્ણ રૂપે ઉપલબ્ધ થયો નથી. તેનો માત્ર બીજ આશ્વાસ જ મળ્યો છે. સાલ્વનો વૈદ્યસાંગત્ય એક સુંદર વૈદ્યગ્રંથ છે. આ રીતે કવિ સાલ્વ પોતાની બહુમુખી પ્રતિભાથી કન્નડ ભાષાસાહિત્યની તુષ્ટિ-પુષ્ટિમાં ચોક્કસ ભાગીદાર છે. દોફથ્ય તેમણે ચન્દ્રદેવપ્રભચરિતની રચના કરી છે. તેમનો નિશ્ચિત સમય જ્ઞાત નથી. સંભવતઃ તેઓ ૧૬મી શતાબ્દીના મધ્યભાગમાં થયા હશે. તેમના ગ્રંથનો મૂળ આધાર કવિપરમેષ્ઠી અને આચાર્ય ગુણભદ્રની કૃતિઓ છે. તેમાં લગભગ ૪૫૦૦ પદ્ય છે. સાહિત્યની દષ્ટિએ આ ગ્રંથ સામાન્ય સ્તરનો જ છે. બાહુબલિ તેઓ શ્રૃંગેરિવાસી વૈશ્યશિરોમણિ સણણના પુત્ર હતા. તેમની માતા બોમ્પલદેવી હતી. એક દિવસ રાજા ભૈરવેન્દ્રની સભામાં ભટ્ટારક લલિતકીર્તિએ પુરાણ શ્રવણ કરાવતાં ભૈરવેન્દ્રને શ્રીપંચમીનો મહિમા સંભળાવ્યો. આ કથા લખવા માટે રાજાએ બાહુબલિને આદેશ આપ્યો. લલિતકીર્તિએ પણ આનું સમર્થન કર્યું. તે બંનેની પ્રેરણાથી કવિએ નાગપંચમીનો મહિમા પ્રકટ કરનાર નાગકુમારચરિતેની રચના કરી. બાહુબલિનો સમય ઈ.સ.૧૫૬૦ છે. કવિનું નાકુમારચરિતે એક સુંદર કૃતિ છે. તે ૩૭00 પોનો એક બૃહદ્ કાવ્યગ્રંથ છે. કવિને કવિરાજહંસ અને સંગીતસુધાબ્ધિચન્દ્રમ્ નામક પદવીઓ મળી હતી. ગુણચંદ્ર ગુણચંદ્ર એક લાક્ષણિક કવિ છે. તેમનો સમય લગભગ ઈ.સ.૧૬૫૦ છે. તેમણે ઈન્દસાર નામક એક સંગ્રહરૂપ છંદોગ્રંથ લખ્યો છે. તેમાં પાંચ અધ્યાય Page #118 -------------------------------------------------------------------------- ________________ ૯૦ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ છે. પ્રારંભના ચાર અધ્યાયોમાં કવિએ પ્રાય: સંસ્કૃત છંદો સંબંધે જ લખ્યું છે. પરંતુ અંતિમ અધ્યાયમાં અન્ય કન્નડ ગ્રંથોમાં અનુપલબ્ધ કન્નડ છંદોના પ્રાણભૂત છંદ ધ્રુવ, ભટ્ટ, ત્રિપુટ, રૂપક, જેપક, અષ્ટ અને એક આદિતાલ પ્રતિપાદિત છે. આ જ રીતે દ્વિપદિ, ત્રિપદિ, લાવણિ વગેરેનાં સુંદર લક્ષ્ય તથા લક્ષણ પણ આપવામાં આવ્યા છે. ગ્રંથનો અંતિમ અધ્યાય વૈશિસ્ત્રપૂર્ણ છે. આ લઘુકાય છંદોગ્રંથ છંદશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે વિશેષ ઉપયોગી છે. લગભગ ઈ.સ.૧૩મી શતાબ્દીમાં જીવિત કવિ રટ્ટનો “ઠ્ઠમત' નામક એક જૈન જ્યોતિષ ગ્રંથ પણ મળે છે. તે ૮૧૮ વિવિધ છંદોમાં રચિત, ૧૨ અધ્યાયોનો એક બૃહદ્ ગ્રંથ છે. વસ્તુતઃ “ટ્ટ' કવિની ઉપાધિ છે. તેમનું વાસ્તવિક નામ બીજું જ હશે. આ કૃતિમાં માત્ર વર્ષાના લક્ષણ વિશેષ રૂપે પ્રતિપાદિત છે. વર્ષા, પાક વગેરે કૃષિ સાથે સંબદ્ધ વિષય આમાં સુંદર ઢંગથી વિસ્તારપૂર્વક વર્ણિત છે. ખેડૂતો માટે આ ગ્રંથ વિશેષ ઉપયોગી છે. જ્યોતિષશાસ્ત્ર તથા પોતાના અનુભવના આધારે કવિએ પોતાના આ ગ્રંથમાં ખેડૂતોને લાભપ્રદ અનેક ઉપયુક્ત વિષયોની ચર્ચા કરી છે. તેમાં જમીનમાંથી પાણીને શોધી કાઢવું, અશુદ્ધ પાણી શુદ્ધ કરવું વગેરે વિષયોનું વિધાન પણ નિરૂપિત છે. ૧૬મી શતાબ્દીના અન્ય જૈન કાવ્ય લેખકોમાં “વિજયકુમારિક'ના રચયિતા શ્રુતકીર્તિ, “ચન્દ્રપ્રભષટ્રપદિ'ના રચયિતા દોડુણાંક, શૃંગારપ્રધાન “સુકુમારચરિત'ના રચયિતા પારસ અને “વજકુમારચરિતે'ના રચયિતા બ્રહ્મ કવિ મુખ્ય છે. ઈ.સ.૧૬૦૦માં દેવોત્તમે “નાનાર્થરત્નાકર' નામે અને શૃંગાર કવિએ કર્ણાટકસંજીવન' નામે બે નિઘંટુઓની પણ રચના કરી છે. કવિ શાંતરસે યોગશાસ્ત્રવિષયક “યોગ રત્નાકર” નામક એક સુંદર યોગશાસ્ત્ર પણ લખ્યું છે. સંભવતઃ ૧૭મી શતાબ્દી પછી જૈન કવિઓ રચનાથી સર્વથા વિમુખ થઈ ગયા. સંખ્યામાં જ નહિ, સારસ્વત સંપદામાં પણ આ કાળ જૈનોની અવનતિનો કાળ છે. આ કાળમાં જૈન કવિઓની સંખ્યા માત્ર ૨૫-૩૦ જ રહી. આમાં પણ સાહિત્યની દૃષ્ટિએ ઉલ્લેખનીય કવિ માત્ર ૫-૬ જ છે. ઉલ્લેખા કેટલાક કવિઓનો પરિચય નીચે પ્રમાણે છે : ભટ્ટાકલંક તેમણે “કર્ણાટકશબ્દાનુશાસન'ની રચના કરી છે. તેમનો સમય ઈ.સ. ૧૬૦૪ છે. કવિ દેવચક્કે તેમની ખૂબ પ્રશંસા કરી છે. કેટલાક શિલાલેખોમાં પણ તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. તેમાં સંદેહ નથી કે ભટ્ટાકલંક સાચેજ તે પ્રશંસાના પાત્ર છે. તેઓ પ્રસિદ્ધ વૈયાકરણ નાગવર્મ (દ્વિતીય) અને કેશિરાજથી ચઢિયાતા Page #119 -------------------------------------------------------------------------- ________________ ષદિ અને સાંગત્યયુગ છે. વસ્તુતઃ ભટ્ટાકલંક મહાવૈયાકરણ હતા. તેમણે માત્ર ૫૬૨ સૂત્રોમાં જ ભાષાવિષયક સમસ્ત વિષયો ભરી દીધા છે. ઉલ્લેખનીય છે કે ભટ્ટાકલંકે કન્નડ વ્યાકરણ સંસ્કૃતમાં લખ્યું છે. એટલું જ નહિ, તેમણે એતદર્થ ‘ભાષામંજરી’ નામક સંસ્કૃત વૃત્તિ તથા ‘મંજરીમકરંદ' નામક સંસ્કૃત વ્યાખ્યા પણ લખી છે. કવિએ સ્વયં પોતાને સંસ્કૃત અને કન્નડ બંને ભાષાઓના વ્યાકરણોના મર્મજ્ઞ બતાવ્યા છે. નિસંદેહ ભટ્ટાકલંક અપાર તથા અગાધ પાંડિત્યના સ્વામી હતા. તેઓ દક્ષિણ કન્નડ જિલ્લાના અકલંકદેવના શિષ્ય હતા. આથી ભટ્ટાકલંક ત્યાંના જ નિવાસી હશે. ધરિણ પંડિત તેમણે ‘વરાજ્ઞનૃપરિતે’ અને ‘વિજ્જલચરિતે’ની રચના કરી છે. તેમનો સમય લગભગ ઈ.સ.૧૬૫૦ છે. તેમના પિતા વિષ્ણુવર્ધનપુરના પદ્મપંડિત હતા. વરાનૃપચરિતે સર્વપ્રથમ જટાસિંહનન્દિએ સંસ્કૃતમાં રચ્યું હતું. તે જ બંધુવર્મે ‘જીવસંબોધન'માં સંગ્રહરૂપે આપ્યું હતું. ધરણિપંડિતે આ કથાને ભામિનિ ષદિમાં વિસ્તારથી લખી. આ ગ્રંથ પૂર્ણરૂપે નથી મળ્યો. નૂતનનાગચન્દ્ર અને ચિદાનંદ ૯૧ નૂતનનાગચન્દ્રે લગભગ ઈ.સ.૧૯૫૦માં ‘જિનમુનિતય'ની અને ચિદાનંદે લગભગ ઈ.સ.૧૯૮૦માં ‘મુનિવંશાવ્યુદય’ની રચના કરી છે. જિનમુનિતનય નીતિ અને ધર્મ પ્રતિપાદક એક લઘુકાય કૃતિ છે. તેમાં માત્ર ૧૦૯ કંદ પદ્ય છે. તેનું પ્રત્યેક પદ્ય જિનમુનિતનય શબ્દથી પૂર્ણ થાય છે. આથી તેનું નામ જિનમુનિતનય પડ્યું. મુનિવંશાભ્યુદય સાંગત્યમાં છે. તેમાં જૈન ગુરુપરંપરા આપવામાં આવી છે. તેની સાથે સાથે જ તેમાં શ્રુતકેવલી ભદ્રબાહુ અને સમ્રાટ ચન્દ્રગુપ્તની દક્ષિણયાત્રાનું વિવરણ પણ આપવામાં આવ્યું છે. દેવચંદ્ર તેમણે ‘રાજાવલીકથે’ અને ‘રામકથાવતાર' નામક બે ગ્રંથોની રચના કરી છે. તેમનો સમય ઈ.સ.૧૭૭૦-૧૮૪૧ છે. દેવચન્દ્ર મૈસૂરનરેશ સુડિ કૃષ્ણરાજના સમકાલીન હતા. રાજાશ્રિત વૈદ્ય સૂરિ પંડિતના પ્રોત્સાહનથી જ તેમણે 'રાજાવલીકથે’ની રચના કરી હતી. તેમાં જૈનધર્મના ઈતિહાસની અનેક વાતો તથા રાજા અને કવિઓનાં જીવનચરિત્રો આપવામાં આવ્યાં છે. તેમાં મૈસૂરના રાજાઓની વંશાવલી પણ આપવામાં આવી છે. ‘રામકથાવતાર' એક ચંપૂ ગ્રંથ છે. મહાકવિ નાગચન્દ્ર (અભિનવપં૫)માંથી તેમણે માત્ર કથા તથા ભાવોને જ નથી લીધા પરંતુ તેમના અનેક પદ્યોનો અનુવાદ પણ કર્યો છે. ગ્રંથ સામાન્ય સ્તરનો છે. * Page #120 -------------------------------------------------------------------------- ________________ પોત્ર ઐતિહાસિક ગ્રંથોની સૂચી ગ્રંથ ગ્રંથકાર પ્રકાશક કવિરાજમાર્ગ નૃપતંગ કર્ણાટક સંઘ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, બેંગલૂર વિક્રમાર્જુન વિજય પંપ કન્નડ સાહિત્ય પરિષ, બેંગલૂર શાંતિપુરાણ વિશ્વવિદ્યાલય, મદ્રાસ (પુરાણચૂડામણિ) ગદાયુદ્ધ (સાહસભીમવિજય) રન્ન સં. પ્રો. સી. નં. મૈસૂર. છંદોબુધિ નાગવર્મ લલિત પ્રકાશન, વી.વી.મોહલ્લા, મૈસૂર. ચૂડામણિ-કાવ્ય શ્રીવધિદેવ (અનુપલબ્ધ) ચૂડામણિ-વ્યાખ્યા તંબુલૂર કિરાતાજુનીયવ્યાખ્યા દુર્વિનીત (સર્ગ-૧૦) ચન્દ્રપ્રભપુરાણ શ્રીવિજય પ્રશ્નોત્તરરત્નમાલિકો નૃપતંગ વિશ્વવિદ્યાલય, મદ્રાસ. વર્ધમાનપુરાણ અસગ (અનુપલબ્ધ) હરિવંશ ગુણવર્મ નેમિનાથપુરાણ ભુવનૈકવીર વફારાધને શિવકોટ્યાચાર્ય શારદામંદિર, રામપ્ય રસ્તે, ઉપસર્ગકવલિઓની કથા મૈસૂર ૪.૫. આદિપુરાણ પંપ ચન્દ્રપ્રભ પ્રેસ, બેલગાંવ. ભુવનૈકરામાભુદય પોત્ર (અનુપલબ્ધ) શાંતિપુરાણ કમલભવ મં. આ. રામાનુજäગાર, સહાયક અધ્યાપક મહારાની કોલેજ, મૈસૂર. અજિતપુરાણ જૈન સાહિત્ય પ્રકાશન સંઘ, બનુમધ્ય રસ્તે, મૈસૂર. ત્રિષષ્ટિલક્ષણમહાપુરાણ ચાઉડરાય પદ્મનાભશર્મા, બનુમય રસ્તે, ૨૧ મૈસૂર. Page #121 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક ગ્રંથોની સૂચી જાતકતિલક ચન્દ્રપ્રભચરિત (અનુપલબ્ધ) તત્ત્વાર્થસૂત્ર-કન્નડવૃત્તિ સુકુમારચરિત મલ્લિનાથપુરાણ પંપરામાયણ (રામચન્દ્રચરિતપુરાણ) કંતિહપન સમયસ્પેગઢ ધર્મામૃત વ્યવહારગણિત ક્ષેત્રગણિત વ્યવહારરત્ન લીલાતિ ચિત્રસુગે જૈનગણિતસૂત્રટીકોદાહરણ ગોવૈદ્ય સમય-પરીક્ષા ત્રૈલોક્યચૂડામણિસ્તોત્ર નેમિનાથપુરાણ કલ્યાણકારક ધર્મ પરીક્ષા શાસ્રસાર સમુચ્ચય કાવ્યાવલોકન કર્ણાટકભાષાભૂષણ વસ્તુકોશ અભિધાનરત્નમાલા શ્રીધરાચાર્ય "" દિવાકરનંદિ શાંતિનાથ નાગચન્દ્ર અભિનવપંપ (નાગચન્દ્ર) કૃતિ નયસેન રાજાદિત્ય 33 "" ,, ,, ,, કીર્તિવર્મ બ્રહ્મશિવ 97 વૃત્તવિલાસ "" પ્રાચ્ય વિદ્યા સંશોધાલય, માનસ ગંગોત્રી, મૈસૂર. "" "" 33 કન્નડ સંઘ, શિવમોગ્ય, મૈસૂર. કન્નડ અધ્યયન નં. સંસ્થે, માનસ ગંગોત્રી, મૈસૂર. 33 લોકનાથ શાસ્ત્રી, મૂડબિદ્રી. પ્રાચ્ય વિદ્યા સંશોધનાલય, માનસ ગંગોત્રી, મૈસૂર. (અપ્રકાશિત) "" 33 .. 99 "3 કર્ણપાર્ય (કર્ણામ, કણપ) વિશ્વવિદ્યાલય, મદ્રાસ. પ્રાચ્ય સંશોધનાલય, માનસ ગંગોત્રી, મૈસૂર. સોમનાથ ,, ૯૩ કન્નડ સંશોધન સંસ્થે, ધારવાર. 19 નાગવર્મ (દ્વિતીય) પ્રાચ્ય વિદ્યા સંશોધનાલય, માનસ ગંગોત્રી, મૈસૂર. કન્નડ સાહિત્ય પરિષદ્, બેંગલૂર. વિશ્વવિદ્યાલય, મદ્રાસ. નાગવર્મ (દ્વિતીય) વિશ્વવિદ્યાલય, મદ્રાસ. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯૪ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ નેમિનાથપુરાણ લીલાવતિ નેમિચન્દ્ર કર્ણાટક વિશ્વવિદ્યાલય, ધારવાર. શારદા મન્દિર, રામપ્ય રસ્તે, મૈસૂર ૪. બોપ્પણ જી. બ્રહ્મવ્ય, શ્રવણબેલગોલ. સંગ્રહોમાં પ્રકાશિત છે. આચણ વિશ્વવિદ્યાલય, મદ્રાસ. પાર્શ્વપંડિત (પાશ્વ) કેશિરાજ શારદા મન્દિર, રામપ્ય રસ્તે, અગ્નલ મૈસૂર વિશ્વવિદ્યાલય, મદ્રાસ. ગોમ્પટેશ્વર-સ્તુતિ નિર્વાણલક્ષ્મીપતિનક્ષત્ર વર્ધમાનપુરાણ પાર્શ્વનાથપુરાણ શબ્દમણિદર્પણ ચન્દ્રપ્રભપુરાણ કાવનગેલ્લા કબ્બિગરકાવ મદનવિજય વર્ધમાનચરિત્ર વર્ધમાનપુરાણ હરિવંશાવ્યુદય જીવસંબોધ યશોધરચરિત અડ (ડ) શારદામંદિર, રામપ્ય રસ્તે, (અપ્રકાશિત) મૈસૂર, ૪.૪. સકલકીર્તિ (સંસ્કૃત) પદ્મ (અપ્રકાશિત) બંધુવર્મ ચ.ચં.બ્રહ્મસૂરણ્ય, શ્રમણબેલગોલ. શારદામંદિર, રામપ્ય રસ્તે, મૈસૂર-૪૩, ૧૯૬૧. કિન્નડ અધ્યયન સંસ્થ, માનસ ગંગોત્રી, મૈસૂર. ગુણવર્મ (દ્વિતીય) વિશ્વવિદ્યાલય, મદ્રાસ. જન અનંતનાથપુરાણ પુષ્પદંતપુરાણ ચન્દ્રનાથાષ્ટક નેમિનાથપુરાણ સુક્તિસુધાર્ણવ મહાબલ મલ્લિકાર્જુન (અપ્રકાશિત) પ્રાચ્ય સંશોધનાલય, માનસ ગંગોત્રી, મૈસૂર. અપ્રકાશિત (અજૈન) કેશરાજ ચોલપાલચરિત સુભદ્રાહરણ પ્રબોધચન્દ્ર કિરાત પુણ્યાશ્રવકથા ધર્મનાથપુરાણ નાગરાજ બાહુબલિ (અપ્રકાશિત) ( ” ) મધુર Page #123 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક ગ્રંથોની સૂચી પ મંગરાજ કે મંગરસ વિશ્વવિદ્યાલય, મદ્રાસ. ભાસ્કર કર્ણાટક વિશ્વવિદ્યાલય, ધારવાર. કલ્યાણકીર્તિ અતિબલ ગ્રંથ માલા, બેલગાંવ. અપ્રકાશિત ખગેન્દ્રમણિદર્પણ જીવંધરચરિતે જ્ઞાનચન્દ્રાવ્યુદય કામનકથે અનુપ્રેક્ષે જિનસ્તુતિ તત્ત્વભેદાષ્ટક ભરતેશવૈભવ અપરાજિતેશ્વરશતક રત્નાકરવર્તી જી. બ્રહ્મય, શ્રવણબેલગોલ. મૈસૂર, મૂડબિદ્રી વગેરે અનેક સ્થળે. પદ્મરાજ પંડિત, બેંગલૂર. અપ્રકાશિત ત્રિલોકશતક રત્નાકરાવધીશ્વરશતક દ્વાદશાનુપ્રેક્ષા વિજયણ અંજનાચરિતે શિશુમાયણ ત્રિપુરદહનસાંગત્ય સનકુમારચરિતે બોમ્મરસ જીવંધરસાંગત્ય જયનૃપકાવ્ય મંગરસ (તૃતીય) નેમિજિનેશ સંગતિ શ્રીપાલચરિતે પ્રભંજનચરિતે સમ્યક્તકૌમુદી રામાનુજ અઠંગાર, મૈસૂર. સં.-પં. શાંતિરાજ શાસ્ત્રી, મૈસૂર. અપ્રકાશિત સૂપશાસ્ત્ર સં.-પં. શાંતિરાજ શાસ્ત્રી. પ્રકા. અબિલ ગ્રંથમાલા, બેલગાંવ. પ્રાચ્ય સંશોધનાલય, મૈસૂર. માનસગંગોત્રી, મૈસૂર. (અપ્રકાશિત). વિશ્વવિદ્યાલય, મદ્રાસ. મંગરાજનિઘંટુ ખગેન્દ્રમણિદર્પણ (વિષવૈદ્ય) કાવ્યસાર મંગરસ (દ્વિતીય) મંગરસ (પ્રથમ) અભિનવવાદિવિદ્યાનંદ રામાનુજ અઠંગાર, મહારાની કોલેજ, મૈસૂર. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૬ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ સાલ્વ ભારત (નેમીશ્વરચરિતે) રસરત્નાકર વૈદ્યસાંગત્ય શારદાવિલાસ ચન્દ્રપ્રભચરિતે વિશ્વવિદ્યાલય, મદ્રાસ. અપ્રકાશિત. દોડુણ્ય રામાનુજ અઠંગાર, મહારાની કોલેજ, મૈસૂર. સં.-પં. શાંતિરાજ શાસ્ત્રી, મૈસૂર. અપ્રકાશિત. પ્રકાશિત (સ્થળ અજ્ઞાત) અપ્રકાશિત. નાગકુમારચરિતે છસ્સાર મત વિજયકુમારિકથે ચન્દ્રપ્રભષટ્રપદિ સુકુમારચરિતે વજકુમારચરિતે નાનાર્થરત્નાકર કર્ણાટકસંજીવન યોગરત્નાકર કર્ણાટકશબ્દાનુશાસન બાહુબલિ ગુણચન્દ્ર કવિટ્ટ શ્રુતિકીર્તિ દોડુણાંક પદ્મરસ બ્રહ્મકવિ દેવોત્તમે શૃંગારકવિ કવિશાંતરસ ભટ્ટકલંક હોસંગડિ બિણાણિ, હોસંગડિ. રામકમલ પ્રકાશન, બેલેપેટે, બેંગલૂર. ધરણિપંડિત ભાષામંજરી મંજરી મકરંદ વરાંગનૃપચરિતે બિજ્જલચરિતે જીવસંબોધન વરાંગચરિતે જિનમુનિતનય મુનિવંશાવ્યુદય રાજાવલીકથે રામકથાવતાર બંધુવર્મ જટાસિંહનંદિ, નૂતનનાગચન્દ્ર ચિદાનંદ દેવચંદ્ર અપ્રકાશિત. બ્રહ્મ, હોલલુકેરે, મૈસૂર. (ઉપર મુજબ) (સંસ્કૃત). અનેક સ્થળેથી પ્રકાશિત અપ્રકાશિત. “માનસગંગોત્રી' મૈસૂર વિશ્વવિદ્યાલયનું નામ છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ Page #126 -------------------------------------------------------------------------- ________________ Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ જૈનધર્મ અને તામિલ દેશ પ્રારંભ-કાળ નામ ભારતીય ઈતિહાસમાં જૈનધર્મનું પોતાનું એક વિશિષ્ટ સ્થાન છે. જૈન સાધુઓ અને વિદ્વાનોએ પોતાના ધર્મના પ્રચાર-પ્રસારમાં જનતાની વ્યવહારિક ભાષાને માધ્યમ બનાવી. તેમણે આમ લોકોને બાળપણથી જ જૈન સંસ્કાર આપવાનો પ્રયાસ કર્યો અને એ માટે જૈન દર્શન તથા સાહિત્યને પણ તેમની માતૃભાષામાં પ્રસ્તુત કર્યું. એ જ કારણ હતું કે જૈન વિદ્વાનોએ દક્ષિણ પ્રદેશની તામિલ ભાષામાં પણ પોતાનું સાહિત્ય રચ્યું અને તામિલના વિકાસમાં પર્યાપ્ત યોગદાન આપ્યું. “જિન” તે પૂતાત્માને કહે છે, જે પૂર્ણ રીતે જિતેન્દ્રિય હોય અને ભવ પરંપરાથી વિમુક્ત થઈ ગયો હોય. તામિલ ભાષામાં “જિન” દ્વારા ઉપદિષ્ટ ધર્મને “જૈનમ્ કહે છે, તથા તે ધર્મના અનુયાયીઓને “જૈન” કહે છે. જૈન સાધુને સંસ્કૃત ભાષામાં શ્રમણ' તથા પ્રાકૃત ભાષામાં “સમસ” કહેવામાં આવે છે. આ જ શબ્દ તામિલમાં આવીને “ચમણરૂ” અને “અમણરૂ' થઈ ગયો છે. હવે તો તે શબ્દ સામાન્ય જૈન અર્થાત્ જૈન શ્રમણ તથા જૈન ગૃહસ્થ બંને માટે વપરાય છે. “જિન”ને જ “અરુકરૂ’ પણ કહે છે જે સંસ્કૃત શબ્દ અનું તામિલ રૂપ છે. આ જ આધારે જૈનોને “આહત (સંસ્કૃત રૂપ આઉત) નામે પણ બોલાવવામાં આવે છે. જૈન-મતે રાગ-દ્વેષ રૂપી ગ્રંથિઓથી પૂર્ણ રીતે છૂટકારો મેળવવાની અવસ્થાને કેવલદશા કે વીતરાગ દશા કહે છે, એટલા માટે જૈનોને “નિગ્રંથ'ની સંજ્ઞા મળી, જેનું પ્રાકૃત રૂપ “નિગંઠ' છે. આ જ કારણે જૈન મતને “નિગંઠવાદ” પણ કહે છે. “પિડિનરમ્' (અશોકવૃક્ષ) નીચે અહિંતુ ભગવાનના બિરાજવાની અનુશ્રુતિના આધારે જૈનોને પિષ્ઠિય' (અર્થાતુ અશોકવૃક્ષ નીચે બિરાજનાર ભગવાનના ઉપાસક) નામે તામિલ ગ્રંથોમાં નિર્દિષ્ટ કરવામાં આવ્યા છે. “ચાવકરૂ' (શ્રાવક) તે જૈનોને કહે છે, જે ગૃહસ્થ હોય છે. પરંપરા જૈનોની ધારણા છે કે જૈનધર્મ અતિ પ્રાચીન છે. જૈન ધર્મના અંતિમ ચોવીસમા તીર્થંકર જ્ઞાતપુત્ર વર્ધમાન મહાવીર થયા હતા. તેમનું નિર્વાણ ઈસવીસન પહેલાં Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ પર૭માં થયું. જૈન ગ્રંથો અનુસાર તેમની આચાર્ય પરંપરા નિમ્ન ક્રમે છે – (શ્વેતાંબર માન્યતા અનુસાર) (દિગંબર માન્યતા અનુસાર) મહાવીર સ્વામી મહાવીર સ્વામી ગૌતમ ગૌતમ સુધર્મા જંબૂ સ્વામી પ્રભવ સુધર્મા જબૂસ્વામી વિષ્ણુનન્દી નિંદિમિત્ર શધ્યમ્ભવ યશોભદ્ર અપરાજિત સક્યૂતિવિજય ભદ્રબાહુ ગોવર્ધન ભદ્રબાહુ દક્ષિણમાં પ્રવેશ: દિગંબર પરંપરાની પ્રચલિત અનુશ્રુતિના આધારે ઉપર્યુક્ત આચાર્ય પરંપરાના અંતિમ જૈન આચાર્ય ભદ્રબાહુએ દક્ષિણ પ્રદેશમાં સર્વપ્રથમ પ્રવેશ કર્યો હતો. ભદ્રબાહુ મગધનરેશ ચન્દ્રગુપ્ત મૌર્યના ગુર હતા. તે સમયે ઉત્તર ભારતમાં ખૂબ મોટો દુકાળ પડ્યો. આવી વિકટ સ્થિતિમાં ત્યાં વિપુલ સાધુસંઘનું ભરણ-પોષણ મુશ્કેલ થઈ ગયું, આથી આચાર્ય ભદ્રબાહુએ પોતાના અનેક શિષ્યો સાથે મગધ છોડીને દક્ષિણ તરફ પ્રસ્થાન કર્યું અને “શ્રવણવેળકુળમ્ નામક સ્થાન પર આવી રોકાયા. ભદ્રબાહુએ ત્યાંથી પોતાના શિષ્ય વિશાખને ચોલ અને પાંડિય નરેશોના શાસનક્ષેત્ર તામિલનાડુમાં જૈનધર્મનો પ્રચાર કરવા માટે મોકલ્યા હતા. તે જ આચાર્ય વિશાખના સાનિધ્યમાં ચંદ્રગુપ્ત મૌર્યે વિધિવત્ સમાધિ મરણ પ્રાપ્ત કર્યું હતું. ઉક્ત તથ્યોની પુષ્ટિ જૈન ગ્રંથો તથા શિલાલેખોના આધારે કરવામાં આવે છે. ૧. આ સ્થાન મૈસૂરથી દ૨ માઈલ અને ચન્નારાયપટ્ટણથી આશરે અઢાર માઈલ દૂર છે. કન્નડમાં આનું નામ “શ્રવણબેલગોળ' છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને તામિલ દેશ ૧૦૧ પરંતુ કેટલાક વિદ્વાનોનો મત છે કે આ બધા ઉલ્લેખો ઈસુની નવમી શતાબ્દી પહેલાંના નથી. આથી તે દંતકથામાં ઉલ્લિખિત ચન્દ્રગુપ્ત ચન્દ્રગુપ્ત-દ્વિતીય અને ભદ્રબાહુ ભદ્રબાહુ-તૃતીય હોઈ શકે. પરંતુ બૌદ્ધધર્મના પ્રાચીન તથા પ્રામાણિક ઐતિહાસિક ગ્રંથ “મહાવંશમાં એ વાતનો ઉલ્લેખ મળે છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સિંહલનરેશ પાંડુકાભયે નિગંઠો (જૈનો)ની સહાયતા કરી હતી. તે ઉપરાંત પ્રથમ કે દ્વિતીય સદીના તથા બ્રાહ્મીલિપિમાં અંકિત કેટલાક જૈન-શિલાલેખ દક્ષિણ તામિલનાડુની ગુફાઓમાં મળી આવ્યા છે. જો કે કેટલાક લોકો તેમને બૌદ્ધ શિલાલેખ કહે છે, પરંતુ અધિકાંશ વિદ્વાન તેમને જૈન-શિલાલેખ માને છે. આથી એમ નિશ્ચયપૂર્વક કહી શકાય છે કે જૈન શ્રમણોએ ઈસુની બીજી સદીમાં જ તામિલનાડુ આવીને, તામિલ ભાષા દ્વારા પોતાના સંપ્રદાયનો પ્રસાર કરવો શરૂ કરી દીધો હતો. તેમ છતાં આજે તામિલનાડુમાં પ્રાચીન જૈન પરંપરા લુપ્તપ્રાય થઈ ગઈ છે, છતાં પણ એક સમય એવો હતો, જ્યારે તામિલદેશના ખૂણે-ખૂણે જૈનધર્મની દુંદુભી ગૂંજી ઉઠી હતી. જૈનોના આ સુવર્ણયુગની જાણ ઉપલબ્ધ શિલાલેખો અને અનેક સ્થાનો પર ભૂગર્ભમાંથી પ્રાપ્ત પ્રસ્તર-મૂર્તિઓ દ્વારા સ્પષ્ટ રીતે થાય છે. એટલું જ નહિ, અમરપ્પાક્કમ્, અરુકતુર, નમણ સમુદ્રમ્, જિનાલયમ્, પંચપાંડવમલે, અમકુડિ, શમણતિડલ, શમણમલૈ, અરુકમંગલમ્, શસ્તિપુરમ્ વગેરે જૈનસૂચક શબ્દોથી બનેલા સ્થળોનાં નામોથી પણ જૈનધર્મની વ્યાપકતા તથા લોકપ્રિયતાનો પરિચય મળે છે. કેટલાંય સ્થળોનાં નામના અંતે “પળિક' (જૈન મઠ-ઉપાશ્રય) શબ્દ મળી આવે છે. આદિકાલ જૈન-પરંપરામાં કુંદકુંદાચાર્યનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એમ માનવામાં આવે છે કે તેઓ ઈ.સ.પૂર્વ, કે ઈ.સ.ની પહેલી સદીમાં થયા હતા. તેઓ તામિલ પ્રદેશના નિવાસી હતા. તેમના દ્વારા રચિત ગ્રંથોનું દિગંબર-પરંપરામાં વિશેષ બહુમાન છે. હિંદુધર્મમાં જે સ્થાન પ્રસ્થાનત્રયી' અર્થાતુ ઉપનિષદુ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ગીતાનું છે, તે જસ્થાન દિગંબર પરંપરામાં કુંદકુંદાચાર્યના “પ્રાભૃતત્રય' અર્થાત્ પંચાસ્તિકાયસાર, પ્રવચનસાર અને સમયસારનું છે. સંશોધન વડે માલૂમ પડે છે કે કુંદકુંદાચાર્યના શિષ્ય “બલાક પિચ્છ' કહેવાતા હતા. તેમના પછી ગુણનંદીનું નામ લેવામાં આવે છે. ઈ.સ.બીજી સદીમાં આચાર્ય સમન્તભદ્ર કાંચીનરેશને પરાજિત કર્યા. પરિણામસ્વરૂપ કાંચીનરેશ સંન્યાસ ગ્રહણ કરી શિવકોટિ આચાર્ય નામે પ્રખ્યાત થયા. આ જ જૈનોનો આદિકાલ હતો, જેનું તામિલદેશમાં આગવું ઐતિહાસિક મહત્ત્વ હતું. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ કેટલાક શોધકર્તાઓનો મત છે કે આચાર્ય અકલંકદેવે કાંચીનરેશ હિમશીતલ (ઈ.સ.૭૮૮)ના દરબારમાં બૌદ્ધ ભિક્ષુઓને શાસ્ત્રાર્થમાં હરાવ્યા હતા. પછી તેમણે રાજ સાહસતુંગની સભામાં જઈને પોતાનો પરિચય આપ્યો. તેનું બીજું નામ દંતિદુર્ગનું હતું. ત્યાં કેટલોક સમય સુધી રહ્યા પછી, આચાર્ય અલંકદેવ તામિલનાડના તિરુપ્પનપૂરમાં રહેવા લાગ્યા. ત્યાર પછી ક્રમશઃ, સુપ્રસિદ્ધ જૈન ગ્રંથ હરિવંશપુરાણ'ના રચયિતા જિનસેન (પ્રથમ), વિરસેન, જિનસેન (દ્વિતીય) અને તેમના શિષ્ય ગુણભદ્ર તામિલનાડુમાં આવ્યા. તેમાં, આચાર્ય વિરસેને “જયધવલા ટીકા' નામક ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો, પરંતુ તે પૂરો કર્યો તેમના મનીષી શિષ્ય આચાર્ય જિનસેન (દ્વિતીય). આ જ રીતે આચાર્ય જિનસેનના મહાપુરાણના અધૂરા કાર્યને તેમના શિષ્ય ગુણભદ્ર ઈ.સ.૮૯૮માં “ઉત્તરપુરાણમ્ નામક ગ્રંથ લખી પૂર્ણ કર્યું. ત્યાર પછી, તામિલના સુવિખ્યાત પાંચ મહાકાવ્યોમાં તૃતીય “જીવકચિંતામણિ'ના રચયિતા તિરુત્તક્ક દેબ, “ચૂળામણિ' (જૈન મહાકાવ્ય)ના કવિ તોલામોનિ દેબરૂ અને ગુણભદ્રના શિષ્ય અર્થબલી – ત્રણે તે સમયના ખ્યાતિલબ્ધ જૈનાચાર્યો થયા. કર્ણાટકમાં એવી દંતકથા છે કે સુપ્રસિદ્ધ શૈવાચાર્ય તિજ્ઞાનસંબધની સાથે થયેલી તર્કગોષ્ઠીમાં આચાર્ય જિનસેને પણ ભાગ લીધો હતો. પરંતુ આ કથા નિરાધાર પ્રતીત થાય છે, કેમકે તામિલ ગ્રંથોમાં આ ઘટનાનું કોઈ પ્રમાણ નથી મળતું. તિજ્ઞાનસંબધને આચાર્ય જિનસેનના સમકાલીન માનવાનું કોઈ પ્રમાણ નથી. વાસ્તવમાં જૈનધર્મનો આદિકાલ તિજ્ઞાનસમ્બન્ધના સમયમાં જ (ઈસવી સાતમી સદી) અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યો હતો. આચાર્ય જિનસેન (કિ.)નો સમય નવમી શતાબ્દી છે. કલબ કર્ણાટકના રાજ્ય શાસનને સ્થિર કરનાર જૈનોનો પ્રભાવ, “કરનટ' (કન્નડ કે કર્ણટ) માનવામાં આવતાં કલબ્રોના શાસન સાથે જ તામિલનાડુમાં ફેલાયો. આ જ સમયે આચાર્ય વજનંદીએ મધુર નગરીમાં એક જૈનસંઘની સ્થાપના કરી હતી. આ ઈ.સ. પાંચમી સદીની ઘટના છે. આચાર્ય દેવસેને ઈ.સ.૯૩૩માં રચિત પોતાના “દર્શનસાર' નામક ગ્રંથમાં લખ્યું છે કે વિ.સં. પ૨૬ (ઈ.સ.૪૭૦)માં વજનંદીએ મધુરમાં દ્રાવિડ સંઘની સ્થાપના કરી. પૂજયપાદ જે દ્રાવિડ-ગણ (અંતર્વિભાગ)ને જોયો, તે જ વજનંદીના સમયમાં વિશાળ સંઘ બન્યો. સુપ્રસિદ્ધ શૈવ સંત અપ્પના સમય સુધી તિરુપ્પાતિરિષ્ફલિયુ “પાટલિપુરમ”ના નામથી ૧. આ સ્થળ મદ્રાસ શહેરથી આશરે ૧૨૫ માઈલ દક્ષિણમાં છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને તામિલ દેશ ૧૦૩ પ્રસિદ્ધ જૈન કેન્દ્ર હતું. ત્યાંના જૈન સંઘના મુખ્ય આચાર્ય સર્વનંદીએ ઈ.સ.૪૫૮માં લોક વિભાગમ્” નામક ગ્રંથ લખ્યો. તે સમયે કાંચીમાં સિંહવર્મનું શાસન હતું. તેનો ઉલ્લેખ સર્વનંદીએ પોતાના ગ્રંથમાં કર્યો છે. આ કાળ જૈન ધર્મની દૃષ્ટિએ “ઉજ્જવલ યુગ' રહ્યો છે. વજનંદીનો સંઘ કેટલાક વિદ્વાનોનો મત છે કે વજનંદી નવમી સદીના હતા અને આ સંઘના 241145 dl 24124L teach (Saletore-Mediaeval Jainism, p. 233). પોતાના મતના પ્રમાણ માટે તેમણે જે શિલાલેખ ઉદ્ધત કર્યા (E. C. II--254 p. 109, 110 : 258--p. 117), તેનાથી એ જ પ્રકટ થાય છે કે દેવસંઘ, નંદીસંઘ, સિંહસંઘ અને સેનસંઘ – આ ચાર વિભાગોમાં વહેંચાઈને જ જૈનસંઘ કામ કરતો હતો. પરંતુ, તામિલનાડુના વિદ્યાકેન્દ્ર મદુરે નગરીમાં તામિલભાષી જૈનોના પ્રભાવથી ‘દ્રાવિડસંઘ' દિવસે દિવસે પ્રગતિ કરતો ખ્યાતિ મેળવી રહ્યો હતો, તેની ચર્ચા સુદ્ધાં આ શિલાલેખોમાં નથી મળતી. આ દ્રાવિડસંઘ આદિકાલની મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના હતી. આચાર્ય દેવસેને પોતાના ગ્રંથ “દર્શનસારમાં તો તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ઈ.સ.૪૭૦માં વજનંદીએ મધુરમાં ‘દ્રાવિડસંઘ'ની સ્થાપના કરી હતી. કેટલાક લોકોની ધારણા છે કે અર્થબલીએ દ્રાવિડસંઘનો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો, આથી તે સંઘ અર્વાચીન હોઈ શકે છે. પરંતુ આ ધારણા ખોટી છે, કેમકે એવું માની લેવાથી માનદેવસેનના કાલ-નિર્ણયમાં બાધા ઊભી થઈ શકે છે અને તેમના પ્રામાણિક ગ્રંથની ઉપેક્ષા થશે. શૈવસંત તિજ્ઞાનસંબંધ, સુન્દર વગેરે કવિઓના ગીતોથી એ જાણ થાય છે કે દ્રાવિડસંઘમાં દેવ, સેન, વીર; (સિંહ), નંદી વગેરે નામવાળા જૈનાચાર્યો રહેતા હતા. તે વિદ્વાનોના ભ્રમનું કારણ એ જ છે કે જૈનસંઘ “નંદીગણ'ના અંતર્વિભાગરૂપે એક દ્રાવિડગણ હતો, જેનું બીજું, નામ “અરેકલાન્વયમ્' (ઉત્તમકલાકેન્દ્ર) હતું. પરંતુ “દ્રાવિડસંઘ' તેનાથી ભિન્ન હતો. તેની સાથે કેટલાય તામિલ ગ્રંથો અને શિલાલેખોમાં કુંદકુંદ, સમંતભદ્ર વગેરે આચાર્યોનો પણ ઉલ્લેખ થયો છે. ઈ.સ. સાતમી સદી સમાપ્ત થતાં થતાં જૈનધર્મનો આદિકાલ લુપ્તપ્રાય થઈ ગયો. જૈનો દ્વારા સ્થાપિત “દ્રવિડસંઘ' પણ તામિલનાડુમાં વિગતપ્રભાવ થઈ ગયો. આથી કર્ણાટક ખૂબ પ્રભાવશાળી જૈન કેન્દ્ર બન્યું ત્યારે તામિલનાડુથી કેટલાય જૈનાચાર્યો શ્રવણબેલગોલ તરફ જવા લાગ્યા. આ અસ્તોન્મુખ સ્થિતિમાં દ્રાવિડસંઘનું નામ “દ્રાવિડગણ પડવું સહજ સંભવિત હતું. ત્યાંના આચાર્ય પુષ્પસેન પોતાના નામનો નિર્દેશ તામિલ-રીતિ અનુસાર “પુરૂપચનરૂ' જ કરે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ આ બાજુ તામિલનાડુમાં અર્થબલીના શિષ્ય ભૂતબલી પુષ્પદંત અને તામિલ મહાકાવ્ય જીવકચિંતામણિ તથા ચૂળામણિના રચયિતા તિરુક્કદેબરૂ અને તોલામોળિ દેવરૂ વગેરે જૈન સાધુ લોકવિશ્રુત હતા, આથી જૈન-ધર્મની લોકપ્રિયતા વધવા લાગી. આ જ સમયે ક્ષીણકાય જૈનસંઘનો વિભાગ દ્રાવિડ-ગણ” “દ્રાવિડસંઘ” નામે ફરી પ્રસિદ્ધ થયો. અજ્ઞાત જૈનાચાર્ય દ્વારા રચિત તામિલના “યશોધર કાવ્યમુનો મૂલ આધાર ગ્રંથ આચાર્ય પુષ્પદંતની રચના જ માનવામાં આવે છે. આચાર્ય પુષ્પસેનના શિષ્ય ગુણસેન અને કનકસેન બંને ઈ.સ.૮૯૩માં ધર્મપુરીમાં હતા અને એમ પણ માનવામાં આવે છે કે વરગુણ વિક્રમાદિત્યના શાસનકાલમાં આચાર્ય ગુણસેન જીવિત હતા. તામિલભાષી જૈનાચાર્ય ચોલોની પહેલાં તિરુજ્ઞાન સંબંધરૂ વગેરે શૈવ સંતોના અથક પ્રયાસથી તામિલનાડુમાં ભલે જૈનધર્મનો પ્રભાવ ક્ષીણ થયો હોય, છતાં પણ અહીં-તહીં તેની અસર દેખાતી જ રહી. જૈનાચાર્યોની તામિલ સાહિત્ય સેવા ધર્મના પ્રચાર-પ્રસાર સાથે સુચારુ રીતે ચાલી રહી હતી અને “જીવક-ચિંતામણિ” વગેરે કાવ્યગ્રંથોનું નિર્માણ થયું. અહીં, ઉપલબ્ધ શિલાલેખોથી જ્ઞાત થનાર જૈનાચાર્યોનો ઉલ્લેખ કરીશું. ઈસવી ત્રીજી-ચોથી સદીમાં ચન્દ્રનંદી અને ઈનૈયભટ્ટારરૂ નામક બે જૈન સાધુઓએ સંલેખના દ્વારા દેહ ત્યાગ કર્યો.' ઈસવી આઠમી સદીના અંતે રાજા નંદિબોધના સમયમાં આચાર્ય નાગનંદી જીવિત હતા. પાંડિય (પાડ્ય) નરેશ મારનું ચયનના શાસન-કાળમાં તિરુવિરુત્તલે નામક સ્થાનમાં (દક્ષિણ પાષ્ઠિય દેશ) અરુણાળતુ અને અચ્ચનંદી બંને ભટ્ટારરૂ (ભટ્ટારક) રહેતા હતા. તે સંભવતઃ ઉત્તરવર્તી અરુબાળ પ્રાંતના દક્ષિણ છેડા સુધી ગયા હશે. એક ઋગ્વદી વડે પ્રશંસિત મલયધ્વજ નામક જૈનમુનિ પણ તે સમયે હતા. - શેતલે-શિલાલેખોમાં આરંભવીર અને ગણસેન ભટ્ટારકનો ઉલ્લેખ છે. અણુઓના સમન્વયથી જગતની ઉત્પત્તિનું વર્ણન “આરંભવાદ' કહેવાય છે. આ સિદ્ધાંત આત ૧. M. A. R. 1904, 288. ૨. E.I.Vol.IN, P. 136. ૩. A. R.I. E. 1916, p. 122. ૪. પુદુકોટ્ટ શિલાલેખ સં. ૯. Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને તામિલ દેશ ૧૦૫ મતમાં (જૈનધર્મમાં) સ્વીકૃત છે. આથી “આરંભવીરનો ઉલ્લેખ એક જૈનાચાર્ય રૂપે થયો છે. રાજા સોમારન્ જરૈયનના કાળમાં જૈનધર્મની પ્રભાવના કરનાર ભટ્ટારકોના જીવનનિર્વાહ માટે કરવામાં આવેલી વ્યવસ્થાની ખબર કલુગુમલૈ (ગધ્રપર્વત)ના શિલાલેખોથી પડે છે. ઈ.સ.૮૯૩ના એક શિલાલેખથી આ પ્રકારના ધર્મપ્રચારક વિનયસેન સિદ્ધાંત ભટ્ટારક તથા તેમના શિષ્ય કનકસેન સિદ્ધાંત ભટ્ટારક વિષયમાં જાણકારી મળે છે. આ જ રીતે બીજા શિલાલેખથી રાજા આદિત્યના સમકાલીન ગુણકીર્તિ ભટ્ટારક અને તેમના શિષ્ય કનકવીરકકુરત્તિયરૂની જાણકારી મળે છે. ચોલોના કાળમાં પૂર્વોક્ત બંને જૈનાચાર્ય ચોલ-શાસન કાળના હતા. ચોલાધીશ પરાંતકર્-૧ના સમય (ઈ.સ.૯૪પ)ના એક શિલાલેખમાં જૈનાચાર્ય વિનભાસુરગુરુ અને તેમના શિષ્ય વર્ધમાન પેરિય અડિગળુ (પરમાચાય)નો ઉલ્લેખ છે. સત્યવાક નામક ગંગનરેશ વળિળગિરિ પર એક મંદિરનું નિર્માણ કરાવ્યું. ત્યાં કેટલાક શ્રમણોની પ્રસ્તરમૂર્તિઓ છે. ત્યાંના શિલાલેખો દ્વારા બાલચંદર ભટ્ટારરૂ, ગોવર્ધન ભટ્ટારરૂ, શ્રી બાણરાયના ગુરુ ભવનંદી (ભવણનંદી) ભટ્ટાર અને તેમના શિષ્ય દેવસેન ભટ્ટાર વગેરેની જાણકારી મળે છે. પૂર્વોક્ત આચાર્ય ભવનંદીને જ અર્વાચીન તામિલ વ્યાકરણ-ગ્રંથ “નકૂલ'ના રચયિતા કહેવામાં આવે છે. પરંતુ નકૂલ-લેખક ભવનંદી રાજા ચીયગંગનું (સિંહ ગંગ)ના સમકાલીન હતા અને તેમણે તે જ નરેશ માટે નકૂલ-ગ્રંથ રચ્યો હતો. પૂર્વોક્ત શિલાલેખથી એવું કોઈ પ્રમાણ નથી મળતું કે તેઓ શ્રી બાણરાયરૂના ગુરુ હતા. મલૈય કોયિલું (જૈન મંદિરોમાં આચાર્ય ગુણસેન રહેતા હતા, તે વાત પુટુક્કોટ્ટ શિલાલેખ-૪માં ઉલિખિત છે. ચિત્તણવાયલું (પદુકોટ્ટનું નિકટવર્તી જૈન ગુફામંદિર)ના પ્રાચીન શિલાલેખોમાં “તોળુ કુરતુ કડવુળનું (પૂજય શિખરવર્તી ભગવાન તીર્થંકર કે જૈનમુનિ), નીલમ્ તિરુપૂરણનું (શ્રીપૂર્ણ), તિ ચરણનું ૧. S.T.I.Vol.V. ૨. I. M.P (Salem) 74. ૩. s. I.I. Vol. II p. 92 . અને M. P (Arkat) 74. ૪. I. M. P. (North Arkat) 216. ૫. E.I.Vol.IV. p. 140. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ (દીક્ષાચરણ?), તિરુચાત્તનું, શ્રી પૂર્ણચન્દ્રનું, નિયરફ કરન્ પટ્ટક્કાળિ વગેરે જૈનાચાર્યોના નામ આપવામાં આવ્યા છે. સમણર મલે મધુરના “સમણર મલે' (શ્રમણ ગિરિ)માં ઈસવી દસમી-અગિયારમી સદીઓના શિલાલેખો છે. તેમાં નિમ્નલિખિત જૈન-નામો મળે છે – ૧. કુરષ્ઠિ અષ્ટ ઉપવાસી ભટ્ટારકરૂ ૨. તેમના શિષ્ય-ગુણસેનદેવ ૩. તેમના શિષ્ય-કનકવીર પેરિયડિગળું ૪. અષ્ટ ઉપવાસીના બીજા શિષ્ય-મહાનંદી પેરિયારૂ (સ્વામી) ૫. કુરષ્ઠિ કનકનંદી ભટ્ટારકર્ (તેમનું જ નામ અભિનન્દનું ભટ્ટારકર્ પણ ૬. ગુણસેન દેવના શિષ્ય-વર્ધમાન પંડિતત્ ૭. તેમના શિષ્ય-ગુણસેન પેરિયડિગળું ૮. ગુણસેન દેવ ચટ્ટનું ૯. દેવબલ દેવનું ૧૦. અન્ડલૈયાનું ૧૧. અરેય કાવિતિ સંઘર્નવિ ૧૨. શ્રી અચ્ચણંદીની માતા ગુણવતી ૧૩. આચ્ચાનું શ્રીપાલનું, અને ૧૪. કનકનંદી. કલુગુ મલે કલુગુ મલે (બુધ પર્વત) પ્રાચીન જૈન કેન્દ્ર હતું. ઉત્તરકાલીન શિલાલેખોમાં જૈનોના નિમ્ન નામ મળે છે, જેમકે – ૧. ગુણસાગર ભટ્ટાર (તેમના શિષ્ય હતા, પેરેન્કિંડિ શાત્તનું દેવનું.) ૨. તિરુકોટ્ટાટુ પાદમૂલત્તાનું ૩. કન્મનું પુપનંદી ૪. મલે કુળg, શ્રીવર્ધમાન પેરુમાણાક્કરૂ શ્રીનંદી ૫. તિરુક્કોટ્ટાટુ ઉત્તરનંદી ગુરુવડિગળુ ૬. તેમના શિષ્ય-શાંતિ સેનપેરિયા ૭. તિરુ નઃ કુન્દ્રમ્ બલદેવ ગુરુવડિગળું ૧. A.R.T.E. 19082, 320, 332; 11/61-68. Page #135 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને તામિલ દેશ ૧૦૭ ૮. તેમના શિષ્ય-કનકવીર અડિગળું ૯. પટિમણ ભટ્ટાર ૧૦. તેમના શિષ્ય-ભવશંદી પેરિયારૂ (ભવણનંદ સ્વામી) ૧૧. તિરુ મલૈયરૂ મોનિ (મુનિ) ભારરૂ ૧૨. તેમના શિષ્ય-દયાપાલ પેરિયારૂ ૧૩. પુષ્યનંદી ભટાર ૧૪. તેમના શિષ્ય-પૅનન્દ ભટારરૂ ૧૫. અરિષ્ટનેમી ભટારર (અરિષ્ટનેમી ભટ્ટારક) ૧૬. તિરુક્કોટ્ટાટુ વિમલાચન્દ્ર ગુરુવડિગળું ૧૭. તેમના શિષ્ય – શાંતિસેન અડિગળું કર્ણાટકના શ્રવણબેલગોલની જેમ, તામિલનાડુના ગૃધગિરિ અને મદૂના ગિરિ જૈનધર્મના પ્રધાન કેન્દ્રો હતા. અન્ય સ્થળો તિષ્ઠિવનમૂના વેલૂરમાં જયસેન નામક જૈનાચાર્ય હતા. તોપ્ટરમાં વજ ઈળમૅરમાનડિગળું રહેતા હતા. તિમલે (ઉત્તર આર્કીટ જિલ્લો)માં આચાર્ય પરવાદિમલ અને તેમના શિષ્ય અરિષ્ટનેમી આચાર્ય બંને રહેતા હતા. તેમની સાથે સિંહલવાસી જૈનોના નામ પણ ઉપલબ્ધ થાય છે.* દસમી સદીના એક શિલાલેખમાં કોયિલુરુ (દક્ષિણ આર્કીટ જિલ્લો)ના કરત્તિ ગુણવીર ભટ્ટારનો ઉલ્લેખ મળે છે. રાજરાજ ચોળના સમય (ઈ.સ.૯૮૫૧૦૧૪)માં ગુણવીર મહામુનિએ પોલ્વર તાલુકાના તિરુમલે પર એક “કલિંગ' (બંધના દ્વાર)ની સ્થાપના કરી હતી. સુંદર પાંડિયનુના શાસન-કાળમાં, કનકચન્દ્ર પંડિત અને તેમના શિષ્ય ધર્મદેવાચાર્ય બંને જીવિત હતા (પુટુક્કોટ્ટ શિલાલેખ સંખ્યા ૪૭૪). અગિયારમી સદીના ચોલનરેશ રાજેન્દ્રનના સમકાલીન તથા તામિલના સુપ્રસિદ્ધ છંદગ્રંથ યાપ્રેરકલફ કારિકૈ” અને “યાપ્પકલ વૃત્તિના રચયિતા અમિત સાગર (કે અમૃતસાગર) વિષયમાં શિલાલેખમાંથી પર્યાપ્ત જાણકારી મળે છે. એક અન્ય ૧. s.II. Vol.wp. 121. ૨. A.R. I. E. 1919/12, 41. ૩. M. A. R. 1934-35 p. 83. ૪. S.I.I.Vol.Ip. 95-98 & p. 104, 105. ૫. M. A. R. 1936-37, p. 68 ૬. S.I..Vol.Ip. 95. Page #136 -------------------------------------------------------------------------- ________________ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ શિલાલેખથી જાણ થાય છે કે વિજયનગર-શાસન-કાળમાં (ઈ.સ.ચૌદમી સદી) તિરુપ્પવ્રુત્તિ કુંડમાં જૈન પુરાણગ્રંથ ‘મેરુમંથર પુરાણ'ના રચિયતા વામન મુનિ અને તેમના શિષ્ય પરવાદિમલ્લ બંને વિરાજમાન હતા. ૧૦૮ ઉપર્યુક્ત શિલાલેખોમાં એક જ નામ વારંવાર આવ્યું છે. સંભવ છે કે એક વ્યક્તિનું નામ તેમાં બેવડાવવામાં આવ્યું હોય અને એમ પણ સંભવ છે કે એક જ નામના કેટલાય સાધુ ભિન્ન-ભિન્ન સમયમાં થયા હોય. આના સમુચિત સમાધાન માટે ગ્રંથકર્તા જૈનાચાર્યોના નામોનું વર્ગીકરણ તથા શોધ ખૂબ આવશ્યક છે. જે હોય તે, આટલા મુનિઓ તથા આચાર્યોનાં નામ અને પરિચય પ્રાપ્ત હોવાથી સ્પષ્ટ છે કે જૈનધર્મનો તામિલનાડુમાં પર્યાપ્ત પ્રભાવ હતો. તોલકાપ્પિયમ્ પરિચય તામિલ ભાષાનો પ્રાચીનતમ ગ્રંથ છે તોલકાપ્પિયમ્. આ એક શ્રેષ્ઠ વ્યાકરણગ્રંથ જ નહિ, પ્રામાણિક લક્ષણગ્રંથ પણ છે. વ્યાકરણગ્રંથોમાં તો અધિક શબ્દોની વ્યુત્પત્તિ, નિષ્પત્તિ, નિરુક્તિ વગેરેનું બાહુલ્ય હોય છે; પરંતુ જેમના નામથી જ પ્રસ્તુત ગ્રંથ પ્રસિદ્ધ થયો છે તેવા આચાર્ય તોલકાપ્પિયરે, માત્ર શબ્દોનું જ નહિ, પરંતુ અક્ષરો સુધીનું વિશદ વિશ્લેષણ કર્યું છે. અને વિશેષતા એ છે કે તેમણે પોતાના ગ્રંથમાં કાવ્ય, છંદ, અલંકાર, લક્ષણ વગેરેનાં વિશદ વર્ણન સાથે જ સાત રસ, ધ્વનિ, ઉક્તિવૈચિત્ર્ય, રીતિ (Convention), વાચ્ય, અર્થભેદ વગેરેની વિશિષ્ટ તામિલ પરંપરાનો પ્રામાણિક પરિચય પણ આપ્યો છે. તોલકાપ્પિયર્નો મત છે કે આંતરિક સંવેદન કામ (ત્રીજો પુરુષાર્થ) અને બાહ્ય આચાર ધર્મ તથા અર્થ કાવ્ય અથવા ગ્રંથના મુખ્ય ધ્યેય છે. તોલકાપ્પિયનું વ્યાકરણ-સૂત્ર પાણિનીય અષ્ટાધ્યાયીની જેમ પ્રત્યાહાર રૂપે ન હોતાં, ઐન્દ્ર વ્યાકરણની જેમ અર્થવત્ શબ્દાંત (વાક્યવિન્યસ્ત) છે. આ જ કારણે, પ્રાચીન કવિવરોએ તેની પ્રશંસામાં કહ્યું ‘એન્દિરમ્ નિરૈન્દુ તોલકાપ્પિયન્ (ઐન્દ્ર વ્યાકરણજ્ઞાનથી પૂર્ણ પંડિતવર તોલકાપ્પિયમ્)'. પડિમે (તપશ્ચર્યા) - કેટલાક વિદ્વાનોનો મત છે કે તોલકાપ્પિયર્ જૈન હતા. તેમના ગ્રંથ ‘તોલકાપ્પિયમ્’ના ‘શિરપ્પુ પાયરમ્’ (પરિચાયક અભિનંદન-પદ્ય)માં કવિવર પણમ્બારનારે ગ્રંથકર્તાની પ્રશંસામાં ‘પડિયો' શબ્દ પ્રયુક્ત કર્યો છે. ‘પડિમૈ’ શબ્દનો અર્થ જૈન-પરંપરાના મુનિઓનું પવિત્ર આચરણ કે તપસ્યા છે. જેમ ૧. A. R. I. E. 1923/97 D. Page #137 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને તામિલ દેશ ૧૦૯ કાયક્લેશપૂર્વક તપસ્યા કરનાર તપસ્વીઓ માટે સાધારણતઃ “શ્રમણ' શબ્દનો પ્રયોગ થાય છે, તે જ રીતે “પડિમૈયોનું” કે “પડિયોનું' (તપસ્વી) શબ્દનો પ્રયોગ માત્ર જૈન મુનિઓ માટે થયો છે, એવી વાત નથી. સુપ્રસિદ્ધ શૈવ સાહિત્ય “તેવારમાં તપશ્ચર્યા અને ત્રતાનુષ્ઠાનના અર્થમાં “પડિમમ્' (પડિમ) શબ્દનો પ્રયોગ મળે છે. તે શબ્દનો બીજો અર્થ છે મૂર્તિ, વિગ્રહ કે શરીર. સ્વયં તોલકાપ્પિયરે પણ તે અર્થમાં “પડિમૈ” શબ્દનો પ્રયોગ કર્યો છે. આથી “પડિમૈ” શબ્દનો અર્થ સાધારણતઃ સ્વરૂપ કે મૂર્તિ માનવો યોગ્ય ગણાશે. આચાર્ય તોલકાપ્પિયરે બ્રાહ્મણ ક્ષત્રિયાદિ વર્ણ ધરાવનારના પવિત્રાચરણના અર્થમાં પણ પડિમૈ” શબ્દનો પ્રયોગ કર્યો છે. તેમનો જ પ્રયોગ છે, “એનોર્ પડિઐયમ્' (બ્રાહ્મણ-ક્ષત્રિયાદિનું પવિત્રાચરણ). સંઘકાલીન કવિઓના પદ્યસંગ્રહ “પતિટ્ટ, પતુમાં એક હિંદુ રાજાનું વર્ણન છે “નિનું પડિમૈયાનું” અર્થાત, પવિત્ર આચરણ ધરાવનાર. આ જ રીતે, પડિમૈ” અને “પડિયો” શબ્દોના વ્યાપક અર્થ માટે કેટલાય પ્રમાણ અન્ય વિદ્વાનોએ પણ પ્રસ્તુત કર્યા છે. આથી તોલકાપ્પિયમના શિરડુ પાયિરમ્ના રચયિતા પણમ્બારનારૂના પડિમૈયો' શબ્દપ્રયોગના આધારે, આચાર્ય તોલકાપ્પિયરૂને જૈન સિદ્ધ કરવા મુશ્કેલ છે. આરરિવયિ (છ પ્રકારના જ્ઞાન ધરાવનાર જીવ). તોલકાપ્પિયને જૈન સિદ્ધ કરવા માટે બીજો તર્ક એ આપવામાં આવે છે કે તેમણે જૈન સિદ્ધાંત અનુસાર છ પ્રકારના જ્ઞાન ભેદથી જીવોનું વિભાજન કર્યું હતું. છ પ્રકારના જ્ઞાનવાળા જીવોનું વિભાજન આ મુજબ છે – ૧. સ્પર્શજ્ઞાનવાળા જીવ – ઝાડ, છોડ, ઘાસ વગેરે. ૨. બે જ્ઞાનવાળા – સ્પર્શજ્ઞાન સાથે જીભ દ્વારા રસજ્ઞાન પામનાર જીવ - છીપ, કીડો, ઘોંઘા વગેરે. ૩. ત્રણ જ્ઞાનવાળા – પૂર્વોક્ત બે જ્ઞાન સાથે ગંધજ્ઞાનવાળા જીવ– કીડી, ઊધઈ વગેરે. ૪. ચાર જ્ઞાનવાળા – ઉપરોક્ત ત્રણે સાથે રૂપજ્ઞાન હોવાની શક્તિ)વાળા જીવ – ભ્રમર વગેરે. ૫. પાંચ જ્ઞાનવાળા – ઉપરના ચાર જ્ઞાન સાથે શ્રવણજ્ઞાનવાળા જીવ – નાના-મોટા પશુ-પક્ષી. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ ૬. છ જ્ઞાનવાળા – આ પાંચે જ્ઞાન સિવાય, ચિંતન અને અભિવ્યંજનાની શક્તિવાળા “પકુત્તરિવુ' (વિવેચનજ્ઞાન) હોવાથી, મનુષ્ય “આરરિવુયિ” (છ જ્ઞાનવાળા) હોય છે. - આચાર્ય તોલકાપ્પિયનું આ વિભાજન જૈન સિદ્ધાંત અનુસાર બનેલું છે. એટલા માટે તેમને જૈન સિદ્ધ કરનાર તર્ક રજુ કરવામાં આવે છે. પરંતુ, જૈન સિદ્ધાંત અનુસાર, પાંચ જ્ઞાનવાળા જીવોની શ્રેણીમાં જ મનુષ્ય, અનવર વગેરે આવી જાય છે, છતાં પણ સંવેદન તથા વિવેચનનું જ્ઞાન મનુષ્યની જેમ જાનવરોને નથી. તોલકાપ્પિયરે પોતાના વિભાજનમાં “આરરિવયિ’ નામનો છઠ્ઠો ભેદ કરી જાણે જૈન પદ્ધતિને વિશદ કરી છે. તામિલમાં જીવોના વિભાજનની પોતાની વિશિષ્ટ રીત છે. વસ્તુઓના બે વિભાગ છે – ૧. ઉયર તિર્ણ (ઊંચુ કુળ) અને ૨. અરિહૈ (તેનાથી અલગ કુળ). છે પ્રકારના જ્ઞાનવાળા મનુષ્ય વગેરેને “ઊંચા કુળમાં ગણવામાં આવે છે અને છથી ઓછા જ્ઞાનવાળા મનુષ્યો તથા અન્ય જીવોને “તેનાથી ભિન્ન (નિમ્ન) કુળમાં ગણવામાં આવે છે. આ આધારભૂત સિદ્ધાંતનું જ આચાર્ય તોલકાપ્પિયરે પોતાના ગ્રંથમાં સમર્થન કર્યું છે. આ અધ્યાયનું નામ તેમણે “મરપિયલે” (રીતિપ્રકરણ) રાખ્યું છે. આથી તે સ્પષ્ટ પ્રતીત થાય છે કે તોલકાપ્પિયરે તામિલની વિશિષ્ટ રીતનો ઉલ્લેખ કર્યો છે, નહિ કે પોતાના કે કોઈના સિદ્ધાંતનું સમર્થન કર્યું છે. અહીં સિદ્ધાંત-સમર્થન કે મત-પ્રચારની કોઈ નોબત જ નથી આવી; તે પણ, એક પ્રામાણિક વ્યાકરણ-રીતિ-ગ્રંથમાં સાંપ્રદાયિક સિદ્ધાંતનો સમાવેશ, જ્યાં સુધી તોલકાપ્પિયરની વાત છે, ક્યારેય શક્ય નથી લાગતો. તેમનો ઉદ્દેશ તો તામિલની રીતિ-નીતિનો પ્રામાણિક પરિચય આપવાનો હતો. તેમણે ઈન્દ્ર, વરુણ વગેરે દેવતાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. આથી એમ કહેવું શું ઉચિત હશે કે તોલકાપ્પિયર્ વૈદિક મતના અનુયાયી હતા ? અંતે જતાં, અમને તે નિર્ણય પર પહોંચવામાં કોઈ આપત્તિ નથી જણાતી કે તોલકાપ્પિયરે નિર્લિપ્ત તથા તટસ્થ ભાવથી તત્કાલીન રીતિ-નીતિનો પ્રામાણિક પરિચય આપ્યો છે, અને એ પણ શક્ય છે કે તેમને જૈન ધર્મની જાણકારી હતી, તથા તેમના સમયમાં જૈન ધર્મ તામિલનાડુમાં ફેલાઈ ચૂક્યો હતો. તોલકાપ્પિયરૂના “આરરિવયિ' (ષડ઼જ્ઞાની જીવ)નું વિભાજન ગ્રહણ કરી, તેમને “વૈદિક ધર્માનુયાયી' માનનાર પણ ઓછા નથી. તેમની દલીલ છે – જૈન વિદ્વાન જીવોને પાંચ જ્ઞાનભેદોના આધારે પાંચ વિભાગોમાં વિભાજિત કરે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને તામિલ દેશ ૧૧૧ તેનો આધાર પ્રસિદ્ધ જૈનાચાર્ય ભવગંદી (ભવણનંદી)ના લોકપ્રિય તામિલ વ્યાકરણ ગ્રંથ “નકૂલમાં મળે છે. જોકે જૈનોએ “ઐયરિવયિ” (પંચજ્ઞાની જીવ)ને ચિંતનશીલ અને અચિંતનશીલ નામક બે ભાગોમાં વિભક્ત કર્યું હતું, છતાં પણ તેમણે “આરરિવુવિરૂ' નામક છઠ્ઠો વિભાગ નથી માન્યો. પંચેન્દ્રિયો સાથે મનને પણ ભિન્ન ઈન્દ્રિય માનવાની પરંપરા હિન્દુધર્મમાં જ મળે છે. તેનો આધાર ગીતા વગેરેમાં મળે છે. આથી વૈદિક ધર્મના આ સિદ્ધાંતનું સમર્થન જ “તોલકાપ્પિયમ્ ગ્રંથમાં થયું છે. તેનું ઉદ્ધરણ તથા અનુમોદન તામિલ વેદ “તિરક્ર”ના સુવિખ્યાત વ્યાખ્યાકાર શ્રી પરિમેળ રે તથા સંઘકાલીન ગ્રંથ કલિ7ોર્કના વ્યાખ્યાતા શ્રી નચ્ચિનાદ્ધિનિયરે પોતાની વ્યાખ્યામાં કર્યું છે. પરંતુ આ દલીલ પણ એકતરફી માનવામાં આવશે. ભલે જૈનોએ ષડ઼જ્ઞાની જીવ'નું વિભાજન ન કર્યું હોય, છતાં પણ તેઓ પંચજ્ઞાની જીવમાં જ “સંજ્ઞી” અને “અસંજ્ઞી’નો ભેદ માનીને, પૂર્વોક્ત નવા વિભાજનનો સમન્વય કરી ચૂક્યા હતા. જૈનગ્રંથ “અષ્ટ પદાર્થસારમાં મનને પ્રાણની કક્ષામાં મૂકવામાં આવ્યું છે. આથી ઉપર્યુક્ત જીવ-વિભાજનને કોઈ મુખ્ય મત કે સિદ્ધાન્તના દાયરામાં ન . બેસાડતાં, “વિશિષ્ટ તામિલ-રીતિ’ માની લેવાનું યોગ્ય ગણાશે. કર્મબંધથી વિમુક્તિ તોલકાપ્પિયરે પોતાના ગ્રંથ “તોલકાપ્પિયમ”ના “મરશિયલ' (રીતિપ્રકરણ)માં, મૂલ ગ્રંથ તથા અનુકરણ-ગ્રંથના અંતર પર પ્રકાશ પાડતાં, મૂલ ગ્રંથ વિશે લખ્યું હતું વિચિન નીપિ વિસ્ત્રક્રિય વિન (અર્થાતુ, કર્મબંધથી વિમુક્ત તથા ઉક્વલ જ્ઞાનવાળા). આ પદની પોતાની રીતે વ્યાખ્યા કરતાં કેટલાક વિદ્વાનો કહે છે, “પહેલાં કર્મબંધમાં ફસાઈને, પછી તેનાથી વિમુક્ત થનાર તથા સત્યજ્ઞાન (કેવલ જ્ઞાન) ધરાવતા અહંતુ ભગવાનનો જ ઉલ્લેખ આ વચનમાં કરવામાં આવ્યો છે. આથી તોલકાપ્પિયરને જૈન માનવામાં આવે છે.” જૈનેતર વિદ્વાનોનું કહેવું છે કે “વિનૈયિન નલિય (કર્મબંધથી વિમુક્ત)નો અર્થ છે સ્વભાવથી જ સ્વયં કર્મબંધથી વિમુક્ત તથા સત્યજ્ઞાની ભગવાન સર્વેશ્વર. આ રીતે વિદ્વાન લોકો પોતપોતાના મત-સિદ્ધાંત અનુસાર આ વચનનો અર્થ કરે છે. એવા અર્થ-વિન્યાસની કોઈ સીમા નથી. તટસ્થ દૃષ્ટિએ વિચાર કરતાં એટલું ચોક્કસ કહી શકાય છે કે તામિલભાષી જનતાના ચિત્તની પ્રભાવશાળી Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ છાપ – જૈનધર્મની વિકસિત પરંપરાની પ્રતિચ્છાયા – આચાર્ય તોલકાપ્પિયન રીતિગ્રંથ “તોલકાપ્પિયમમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ન'-કારાંત વર્ણાવલી : તામિલની વર્ષાવલી “અ'થી શરૂ થઈ “ન પર સમાપ્ત થાય છે.' તોલકાપ્પિય પોતાના ગ્રંથમાં એક સૂત્ર દ્વારા વર્ણ-ક્રમ નિર્ધારિત કર્યો છે. વ્યાખ્યાઓએ તે ક્રમના ઉદેશ વિશે વિભિન્ન યુક્તિઓ પ્રસ્તુત કરી છે. ઈબંપૂરણ નામક વ્યાકરણકારે લખ્યું છે, “ન” અક્ષર પુંલિગદ્યોતક છે. (ઉદા. રાજનું, રામનું વગેરે શબ્દોનો અંત્યાક્ષર “–” પુલિંગ રૂપે આવે છે.) દિગંબરમાન્યતા અનુસાર સ્ત્રીઓને મોક્ષ નથી હોતો. તપસ્યા કરીને સ્ત્રીલિંગ છેદીને ફરી પુરુષરૂપે જન્મ લીધા પછી જ તે મોક્ષલાભ કરી શકે છે. બીજી તરફ શ્વેતાંબરમાન્યતા અનુસાર સ્ત્રીને મોક્ષ થઈ શકે છે. શ્વેતાંબર-માન્યતા છે કે “મલ્લિ' નામક તીર્થકર સ્ત્રી હતી. દિગંબરોનું કહેવું છે કે મલ્લીદેવી સ્ત્રી પર્યાયમાં તપસ્યા કર્યા પછી આગલા જન્મમાં પુરુષ પર્યાય ધારણ કરવાથી તીર્થકર મલ્લિનાથ કહેવાયા અને મોક્ષ પ્રાપ્ત કર્યો. આથી “ન'-કારને તામિલ વર્ણમાળાનો અંત્યાક્ષર બનાવવાનો. ઉદેશ એ જ હોવો જોઈએ કે તે અક્ષર મોક્ષ પ્રાપ્તિ યોગ્ય પુરુષત્વનો ઘોતક છે. એટલા માટે તેની વિશેષતા તથા મહત્તા બતાવવા માટે તોલકાપ્પિયરે તે અક્ષરને અંતે રાખ્યો છે.” આ વાતનો ઉલ્લેખ વૈદિક ધર્મના પંડિત શ્રી નશ્ચિમાર્જિનિયરે પણ પોતાની વ્યાખ્યામાં કર્યો છે. “પંડિત શ્રી નશ્ચિમાર્જિનિયર્ કેટલાક કાળ સુધી જૈન ધર્માનુયાયી રહ્યા પછી, વૈદિકધર્મમાં પાછા ફર્યા' – આ અનુશ્રુતિની પુષ્ટિ કદાચ ઉક્ત ઉલ્લેખથી જ થાય છે. પરંતુ, વ્યાખ્યાતાની દલીલ માનીને આચાર્ય તોલકાપ્પિયને જૈન સાબિત કરવાનું ઉચિત નથી લાગતું. હા, એમ કહી શકાય છે કે “ન-કારાંત વર્ણમાલાની વ્યવસ્થા જૈનાચાર્યોની દેન હતી. પરંતુ, તેના પ્રામાણિક આધારની આવશ્યકતા છે. વિદ્વાનોએ આ વિષયમાં શોધ કરવી જોઈએ. ૧. આ “ન અક્ષર ‘ત' વર્ગનો અંતિમ અક્ષર નથી. આ તામિલનો વિશિષ્ટ અક્ષર છે. તેનું ઉચ્ચારણ “નઅને ‘ણ' વચ્ચેનું થાય છે. તે મોટા ભાગે પદાંતે આવે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને તામિલ દેશ ‘માર્ત્તિરે’ (માત્રા) તોલકાપ્પિયરે માત્રાની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે ચપટી વગાડવાં કે પલક મારવાની અવિધને ‘માત્રા’ કહે છે. ભટ્ટ અકલંક નામક જૈન પંડિતે પોતાના કન્નડ વ્યાકરણગ્રંથમાં ‘માત્રા'ની એ જ વ્યાખ્યા કરી છે અને પ્રમાણમાં એક પ્રાચીન સંસ્કૃત શ્લોક પણ ઉદ્ધૃત કર્યો છે. તે શ્લોકના રચયિતાનું નામ જ્ઞાત નથી. જૈનાચાર્યો પોતાના લક્ષણગ્રંથમાં મૂલ તથા આધાર રૂપે માત્ર પોતાના પૂર્વવર્તી જૈનાચાર્યોની જ ઉક્તિઓ ઉદ્ધૃત કરશે, એમ કહેવું યુક્તિસંગત નથી. તેમના ગ્રંથોમાં જૈનેતર આચાર્યોનાં ગ્રંથોનાં કેટલાય ઉદ્ધરણો પણ સહજ-પ્રાપ્ય છે. ઉલટું, વાગ્ભટ વગેરે પ્રાચીન આચાર્યોએ ‘માત્રા’ પર પર્યાપ્ત કાર્ય કર્યું છે. આથી તોલકાપ્પિયરે માત્રાની જે વ્યાખ્યા કરી તે સર્વસંમત અનુસંધાનનું જ પરિણામ છે. આથી આ આધારે તેમના ધર્મનો નિર્ણય ક૨વો યુક્તિસંગત નહિ ગણાય. પેરૅકળ’ (બહુસંખ્યાઓ) ‘તોલકાપ્પિયરે પોતાના ગ્રંથના ‘એલુત્તધિકારમ્' (અક્ષરાધિકાર)માં બહુસંખ્યાવાચક ‘તામરૈ’ (કમલ), ‘વળળમ્’ (ભરતી), ‘આમ્બલ્’ (કુમુદ) વગેરે સંજ્ઞાઓનું વિવેચન કર્યું છે. સંસ્કૃતમાં પણ તે મુજબ બહુસંખ્યાના વાચક શબ્દો છે, છતાં પણ ‘કુમુદ’ શબ્દ માત્ર આચાર્ય ઉમાસ્વાતિરચિત ‘સ્વોપજ્ઞભાષ્યમ્'માં પ્રયુક્ત થયો છે. ઉમાસ્વાતિ જૈન આચાર્ય હતા, એટલા માટે તોલકાપ્પિયરે પણ જૈન હોવાને કારણે ઉમાસ્વાતિનું અનુકરણ કરી ‘કુમુદ’ શબ્દ અપનાવ્યો' – એમ કેટલાક વિદ્વાનોનો અભિમત છે. પરંતુ, ધ્યાન આપવાની વાત એ છે કે તોલકાપ્પિયરે ન તો કોઈ સંસ્કૃત વ્યાકરણનું સમર્થન કર્યું છે, ન જૈન ગણિતશાસ્ત્રનો પણ પ્રચાર કર્યો છે. તેમણે માત્ર પોતાના સમયમાં પ્રચલિત ભાષાપદ્ધતિ અને તેની વ્યાવહારિક રીતિનું જ વિવેચન કર્યું છે. ઉપર્યુક્ત બહુસંખ્યાવાચક શબ્દો તેમના સમયથી જ લોક-વ્યવહારમાં પ્રચલિત થઈ ચૂક્યા હતા. એમ માની શકાય કે જૈનાચાર્યોએ તામિલમાં લખવાનું તે સમયે શરૂ કરી દીધું અને તેમના જ દ્વારા તે શબ્દો જનસાધારણના વ્યવહારમાં આવી ગયા હશે. પત્તિ’ (એક કાવ્ય-વિશેષ) તામિલ કાવ્ય-વિશેષ ‘પત્તિ'ની ચર્ચા તોલકાપ્પિયરે કરી છે. કેટલાક વિદ્વાનોનો મત છે કે તોલકાપ્પિયરે પ્રાકૃત ભાષામાં રચિત જૈન-છંદ શાસ્ત્રના આધારે જ ઉક્ત પણત્તિનું વિવેચન કર્યું છે. પરંતુ એમ કહેવું વધારે યોગ્ય થશે કે 9 ૧૧૩ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ તોલકાપ્પિયરૂના કાળમાં જૈનાચાર્યોએ તામિલમાં જ છંદશાસ્ત્રવિષયક ગ્રંથોની રચના કરી, જેમનો પ્રચાર વિદ્વભંડલીમાં થયો. આથી એ કારણે તોલકાપ્પિયમ્સને જૈન માની ન શકાય. તેમણે માત્ર પ્રચલિત રીતિનો ઉલ્લેખ પોતાની રચનામાં કર્યો. જૈનશાસ્ત્રજ્ઞો અથવા વ્યાખ્યાકારોએ “પણત્તિની વ્યાખ્યા કરતી વખતે કોઈ પણ મૂલ જૈન-ગ્રંથ આધાર રૂપે ઉદ્ધત નથી કર્યો. આ સિવાય, તોલકાપ્પિયરે “પણત્તિને પ્રહેલિકા-કથાનું અંગ બતાવી, જૈન છંદશાસ્ત્ર અનુસાર માત્ર છંદ-ગ્રંથ નથી કહ્યો. તોલકાપ્પિયરના વિષયમાં વ્યાખ્યાકાર તેયુવચ્ચિતૈયારે પોતાની ટીકામાં કહ્યું – “ નૂવું શૈથુન વૈદિવ મુનિવમ્ (આ ગ્રંથ તોલકાપ્પિયમૂના રચયિતા વૈદિક મુનિ હતા).” તોલકાપ્પિયરે આકાશને પંચમહાભૂતોમાંનું એક માન્યું. તેમનું જ સૂત્ર છે – "निलन्ती नीर्वळि विशुम्पोडैन्दुम् कलन्द मयकम् उलकमादलिन्" - મરમિયલું-૮૯ અર્થાત્ પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ આ પાંચ ભૂતોનો સમૂહ જ જગત છે. “તોલકાપ્પિયમ્સ પંચ ભૂતોની માન્યતાવાળા વૈદિક મતના જ અનુયાયી હતા. જૈનાચાર્ય જોકે આકાશનાં અસ્તિત્વનો સ્વીકાર કરે છે, છતાં પણ તેઓ તેને પંચભૂતો અંતર્ગત નથી માનતા. આથી તેમને જૈન માનવાનું પર્યાપ્ત પ્રમાણ નથી. આ છે બીજા પક્ષનો તર્ક. ઉલ્લેખ-નિર્દેશની વાતો લઈને કોઈ રચયિતાના અભિમત કે ધર્મનો નિર્ણય કરવો ઉચિત નથી. તોલકાપ્પિયરે એક સ્થાને દુર્ગાની સ્તુતિ કરી છે, તો બીજી જગ્યાએ વિષ્ણુની વંદના કરી છે અને વેદ-વૈદિક, ઊંચ-નીચ વગેરેની પણ ચર્ચા કરી છે. આ બધા તથ્યોથી એ જણાઈ આવે છે કે તેમના સમયમાં જ વૈદિક તથા જૈન બંને ધર્મોનો પ્રભાવ લોકજીવન પર હતો. જૈનાચાર્ય નાર્ કવિરાજ નમ્બી વગેરેએ તામિલના આચાર-વિચાર પર લખવામાં આવેલા પોતાના પુસ્તકોમાં નિષ્પક્ષ ભાવે બંને ધર્મોના પ્રભાવનું વર્ણન કર્યું છે. ૧. જુઓ “કાલ ઉલગમ્....'નામકસૂત્રની ટીકા (તોલકાપ્પિયમુ). Page #143 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને તામિલ દેશ ૧૧૫ આથી તોલકાપ્પિયને કોઈ વિશિષ્ટ ધર્મ કે સંપ્રદાયના સાબિત કરવાનો પ્રયાસ વ્યર્થ જ પ્રતીત થાય છે. તેઓ શુદ્ધ વિદ્યોપાસક હતા અને તેમની દૃષ્ટિમાં માત્ર તામિલ ભાષા હતી, તામિલનું સાહિત્ય તથા આચાર-વિચાર હતા. આથી તેઓ તટસ્થ ભાવે જ્યાં પણ ઉપાદેય વિષય મળતો, તેને અપનાવતા હતા. આ જ કારણ છે કે તેમણે પોતાના લક્ષણગ્રંથ તોલકાપ્પિયમુના આરંભે મંગલાચરણ નથી કર્યું. આથી બધા ધર્મવાળા તેમને પોતાના ધર્મના અનુયાયી સાબિત કરવા માગે છે. તામિલ વ્યાકરણનો વિકાસ કહેવું જોઈએ કે વૈદિક, જૈન તથા બૌદ્ધ પંડિતાના તુલનાત્મક ભાષાજ્ઞાનના પ્રભાવે તામિલ વ્યાકરણનો પર્યાપ્ત વિકાસ થયો છે. તે બધાની અપાર વિદ્વત્તા તથા સંસ્કૃત વગેરે અંન્ય સમૃદ્ધ ભાષાઓનું માર્મિક જ્ઞાન – આ બધું તામિલ વ્યાકરણના વિકાસ માટે ખૂબ સહાયક સાબિત થયું. તેમની એ વિશેષતા હતી કે તેમણે બીજી ભાષાના વ્યાકરણના નિયમોને તામિલમાં બળપૂર્વક ઘુસાડ્યા નહિ, પરંતુ, તામિલની પોતાની વિશિષ્ટ રીતિ-નીતિ તથા વ્યાકરણ પદ્ધતિનું પ્રામાણિકતાપૂર્વક પાલન કર્યું. અને તેમની આદર્શ સેવા કહી શકાય. તોલકાપ્પિયરના સમયમાં નાટકીય સંવાદ જેવા ફુટકળ પદ્યો અધિક પ્રમાણમાં પ્રચલિત હતાં. તેમનું સંકલન કરી, “અકમ્' (આત્મગત) તથા “પુરમ્' (બહિર્ગત)ની શ્રેણીમાં તેમને વિભાજિત કરવામાં આવ્યા. આ તત્ત્વ-ચિંતનના આધારે થનારી પદ્ય રચનાના વિકાસનું પરિચાયક છે. જે બધા માટે સાધારણ જીવનતત્ત્વ, સંવેદન (પ્રેમ વગેરે), ઉત્કર્ષ (સદાચારમૂલક) વગેરે વાતોને અભિવ્યક્ત કરતું હોય, તેને “અક' (આત્મગત પદ્ય) કહે છે. જે કોઈ નિર્દિષ્ટ ચરિતનાયકની અનુભૂતિ કે તેના આચરણનું વર્ણન કરતું હોય, તેને “પુરમુ (બહિર્ગત કે વ્યક્તિગત પદ્ય) કહે છે. આ વિભાજન વૈદિક તથા જૈન ધર્મના પ્રસારની દેન માલુમ પડે છે. લક્ષ્ય (સાહિત્ય) ગ્રંથોના ઉપયુક્ત લક્ષણગ્રંથ પ્રસ્તુત કરવાનું શ્રેય તે જ લોકોને છે. તેમનો અનુભવ તથા મહત્ત્વપૂર્ણ સહયોગ તામિલના વિકાસ માટે પણ મુખ્ય સાધન તથા ભાતું સાબિત થયો. પદ્યરચના સાહિત્ય-સામાન્ય માટે તોલકાપ્પિયમ્માં “ચેટુળ' (પદ્ય) શબ્દ આવે છે અને Page #144 -------------------------------------------------------------------------- ________________ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ લક્ષણ, રીતિ તથા વ્યાકરણ ગ્રંથોને ‘નૂલ્’ (સૂત્ર) શબ્દથી નિર્દિષ્ટ કર્યા છે. જેમકે નાનું દર્પણ પર્વતને પણ પડછાયા દ્વારા બતાવે છે, તેવી જ રીતે નાનું સૂત્ર મોટી અઘરી વાતો પણ વ્યક્ત કરી આપે છે. પદ્ય-ગદ્યનું વિભાજન તથા પ્રચલન તે સમયે હતું. પદ્યોની વચ્ચોવચ્ચ ગદ્ય પ્રયુક્ત કરવામાં આવ્યું, જેમ ચંપૂ-કાવ્યમાં હોય છે. સંપૂર્ણ ગદ્યગ્રંથ પણ તે સમયે મળતા હતા. તે ગદ્ય-ગ્રંથોમાં અધિકાંશ પંચતંત્ર-જેવા નૈતિક ઇતિવૃત્ત, પશુ-પક્ષીઓના મુખે વ્યક્ત કરાવવામાં આવેલા નીતિ-ઉપદેશ તથા ઉપહાસ-વ્યંગ્ય, ઉપમા-દૃષ્ટાન્ત વગેરે અલંકાર દ્વારા વર્ણિત કોયડા-ઉખાણાં, જન-જીવનની ઝાંખી કરાવતી લોકોક્તિઓ, રૂઢિપ્રયોગો અને મંત્રવાક્ય તે જ હતા. તે ઉપરાંત નાના-નાના વાક્યોવાળા ગ્રંથ, છંદોના ઉદાહરણવાળા પદ્ય, ગદ્યપદ્યાત્મક પ્રાચીન કથાઓ, શ્રૃંખલાબદ્ધ લાંબી પઘરચના જેમાં ઊંચા આદર્શ બતાવવામાં આવે છે, ઉદ્બોધક, નીતિ કથાઓ જે ગ્રામીણ તથા દેશી ભાષાઓમાં મિશ્રિત રૂપે રચવામાં આવી છે, સરસ લોકગીત અને ગીતિ-નાટક આ બધા પ્રકાર પણ તોલકાપ્પિયર્ના સમયમાં પ્રચલિત હતા. તેમાં જૈનધર્મની છાપ સ્પષ્ટ પ્રતીત થાય છે. ૧૧૬ - — તોલકાપ્પિયમ્ અને જૈન પ્રભાવ જોકે તોલકાપ્પિયને જૈનાચાર્ય સાબિત કરવાનું કોઈ ઉપયુક્ત કે નક્કર પ્રમાણ ઉપલબ્ધ નથી તો પણ તેમના ગ્રંથ ‘તોલકાપ્પિયમ્’થી એ માલૂમ પડે છે કે તામિલ ભાષા તથા સાહિત્યના વિકાસમાં જૈનધર્મનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. જૈનધર્મને તામિલનાડુમાં જનમંગલપોષક બનવાનું ગૌરવ એટલા માટે પ્રાપ્ત થઈ શક્યું કે તત્કાલીન જૈન સાધુઓ તથા આચાર્યોએ ખૂબ તત્પરતા તથા નિઃસ્વાર્થ ભાવથી પવિત્ર લોકસેવા કરી. તેમના શુદ્ધાચરણ અને પ્રકાંડ પાંડિત્યે પણ જનસાધારણને આકૃષ્ટ કર્યા હતા. આચાર્ય સિદ્ધસેન દિવાકર અને વૃદ્ધવાદી મુનિના જીવનચરત્રોથી ઉપર્યુક્ત કથનની સત્યતા પ્રકટ છે અને જૈનાચાર્યોના ધર્મપ્રચારની તે પણ વિશેષતા રહી કે તેઓ રાજા-ટૂંકનો ભેદ માનતા ન હતા. તેમનું કાર્યક્ષેત્ર જેટલું વિશાળ હતું, તેટલો જ પવિત્ર તથા પ્રેરણાદાયક હતો તેમનો ઉદાર ભાવ. મુખ્યત્વે તેઓ તે જ પ્રદેશની વ્યાવહારિક ભાષા પર અધિકાર પ્રાપ્ત કરી, તેના દ્વારા જ પોતાના ધર્મનો પ્રચાર કરતા હતા. એ જ કારણે, અન્ય ધર્મની અપેક્ષાએ જૈનધર્મ ખૂબ જ જલદી અતિશય વેગથી તામિલનાડુમાં પામરથી પંડિત સુધી ફેલાઈ ગયો. તોલકાપ્પિયમ્નો રચના-કાળ કયો હતો, તેનો નિર્ણય કરવો મુશ્કેલ છે. તેમાં Page #145 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને તામિલ દેશ બતાવવામાં આવેલા કેટલાય નિયમ સંઘકાલીન સાહિત્યમાં જ લુપ્ત થઈ ગયા. ઉદાહરણ તરીકે, ઉપમાનિર્દેશક પ્રત્યય, રીતિપ્રકરણની વિશિષ્ટ વિધિઓ, ‘ચ’કાર વાક્યારંભમાં ન આવવાની વિધિ, ‘ચેલ્' (જાઓ), ‘વા’ (આવો)ના વિશિષ્ટ પ્રયોગો આ બધા અર્વાચીન સંઘકાળમાં, જે ત્રીજા સંઘના નામથી પ્રસિદ્ધ હતો (ઈ.સ. પૂર્વે બીજી સદીથી ઈ.સ.ની ચોથી સદી સુધી), વ્યવહારલુપ્ત થઈ ગયા. આથી તેમના પણ પૂર્વવર્તી સાહિત્યના આધારે જ તોલકાપ્પિયરે વિધિ-નિયમોનું નિર્ધારણ કર્યું હશે. આથી તેમને ઈ.સ.પૂર્વે બીજી સદીની પહેલાંના માનવા ઉચિત ગણાશે. - તોલકાપ્પિયમ્ ગ્રંથને ‘ઐન્દિરમ્ તોલકાપ્પિયમ્’ (ઐન્દ્ર વ્યાકરણના પ્રભાવથી પૂર્ણ તોલકાપ્પિયમ્ ગ્રંથ) કહેવામાં આવ્યો છે. આનાથી પ્રતીત થાય છે કે ઐન્દ્ર વ્યાકરણના સમયમાં તોલકાપ્પિયર રહ્યા હશે. પાણિનિ પછી ઐન્દ્ર વ્યાકરણનું પ્રચલન ન રહ્યું. આ તરફ કેટલાક વૈદિક વિદ્વાનો પાણિનિનો માર્ગદર્શક ગ્રંથ ઐન્દ્ર વ્યાકરણ જ માને છે. આનો ઉલ્લેખ પ્રસિદ્ધ શૈવસંત અપ્પરે આ મુજબ કર્યો છે ‘કૃત્તિ નિવાર્ફ (ઈન્દ્ર વ્યાકરણને સુંદર રીતે તોલકાપ્પિયરે પ્રસ્તુત કર્યું.).’ ૧૧૭ - જૈન વિદ્વાનોનો મત છે કે ‘ઐન્દ્ર’ શબ્દ જૈનાચાર્ય દેવાનંદીના, જેમનું અપરનામ પૂજ્યપાદ હતું, ‘જૈનેન્દ્ર વ્યાકરણ'નો પરિચાયક છે અને તોલકાપ્પિયરે આ જ જૈનેન્દ્ર વ્યાકરણના આધારે પોતાના ગ્રંથની રચના કરી છે. એવું માનવાથી તોલકાપ્પિયરનો કાલ-નિર્ણય કરવામાં બાધા ઊભી થઈ જાય છે. આથી ‘ઐન્દ્ર’ શબ્દથી પાણિનીનું પૂર્વવર્તી ઐન્દ્ર વ્યાકરણ માનવું જ સમુચિત પ્રતીત થાય છે. એમ પણ શક્ય છે કે પહેલાં વિદ્વાનો દ્વારા ઉપેક્ષિત ઐન્દ્ર વ્યાકરણને જૈનાચાર્યો દ્વારા સમાદર મળવાથી તથા આચાર્ય પૂજ્યપાદના નવા વ્યાકરણને કારણે વિદ્વજ્જનાનુમોદન પ્રાપ્ત થયું હોય. ચાર પ્રકારના શબ્દ કેટલાક વિદ્વાનોનો મત છે કે યાસ્કે શબ્દના જે ચાર વિભાગ નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત રૂપમાં કર્યા તેને જ તોલકાપ્પિયરે ‘પેયર્’, ‘વિનૈ’, ‘ઈડૈ ચો’ અને ‘ઉન્હેં ચો'ના નામે અંગીકાર કર્યા. ઈડૈ ચોલનો અર્થ સમ્બન્ધ સૂચક (conjunction) અને ઉર ચોલ્નો અર્થ વિશેષણ (attributive) છે. આથી તેમને યાસ્ક અનુસાર ઉપસર્ગ અને નિપાત બતાવવા ઉચિત નહિ ગણાય. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ આ જ રીતે એમ પણ કહેવામાં આવે છે કે “પાણિનિના સૂત્ર “ટૂડિતમ્ પમ્'નો અનુવાદ તોલકાપ્પિયરે પેયર્ (સંજ્ઞા) અને વિનૈ (ક્રિયા) રૂપે કર્યો છે.” સંજ્ઞા અને ક્રિયાનું વિભાજન બધી ભાષાઓમાં સામાન્ય વાત છે. આથી પાણિનિ અને પતંજલિના મંતવ્યોનો નિર્દેશ તોલકાપ્પિયમમાં અહીં-તહીં હોવાથી જ, આ ગ્રંથની મૌલિકતા પર સંદેહ ક્યારેય કરી શકાય નહીં. ઇલકણમ્ “ઇલક્કણમ્' શબ્દ તામિલમાં વ્યાકરણના અર્થમાં પ્રયુક્ત થાય છે. આ શબ્દ “લક્ષણ”નો અપભ્રંશ જણાય છે. વરરુચિ અને પતંજલિ બંનેએ પોતાના ગ્રંથોમાં લક્ષણ શબ્દનો પ્રયોગ વ્યાકરણના અર્થમાં કર્યો છે. એટલા માટે તેમના સમયની પહેલાંથી જ “લક્ષણ” શબ્દનું પ્રચલન રહ્યું હશે. તોલકાપ્પિયમુના સૂત્રોમાં વરરુચિના પૂર્વવર્તી વૈયાકરણોના મતનું અનુકરણ જોવા મળે છે; આથી તે ગ્રંથને વરરુચિના સમયની પહેલાંનો માનવો ઉચિત થશે. તોલકાપ્પિયમના “મવૈ રુપાતા...'વાળા સૂત્રમાં બત્રીસ (૩૨) વ્યભિચારી ભાવોનો ઉલ્લેખ છે. ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં તેત્રીસ (૩૩) વ્યભિચારી ભાવ નિર્દિષ્ટ છે. કાવ્યપ્રકાશમાં પણ ૩૩ જ વ્યભિચારી ભાવ કહેવામાં આવ્યા છે. આ જ રીતે, “મેયુપ્પાડુ” (રસ)ના આઠ ભેદ તોલકાપ્પિયમમાં બતાવવામાં આવ્યા છે, જયારે સંસ્કૃત ગ્રંથોમાં નવ રસોનું વિધાન થયું છે. અવસ્થા કે દશા વિષયમાં પણ થોડો મતભેદ જોવા મળે છે. આ બધા તથ્યોથી, એમ અનુમાન કરવું ઉચિત થશે કે આચાર્ય ભરતની પહેલાંથી જ આ મતભેદ ચાલી આવતો હતો, જે તત્કાલીન કેટલાક વિદ્વાનોમાં સ્વકૃત પણ હતો. આ ક્રમે, તોલકાપ્પિયને જે અંશ ગમ્યો, તેને અપનાવી લીધો. ભરતમુનિએ સાત સમૃદ્ધ ભાષાઓમાં એકનું નામ “દાક્ષિણાત્યા” બતાવ્યું છે. તે ચોક્કસ તામિલ ભાષા જ હોવી જોઈએ. કેમકે, તામિલમાં નાટ્યધર્મ, લોકધર્મ, રસ, છંદ, રાગ તથા અભિનય વગેરે વિશે પ્રાચીન કાળથી જ સ્વતંત્ર સંશોધન થતું આવ્યું હતું. આ બધી વાતોને નજરમાં રાખીને જ આચાર્ય ભરતે તામિલનો ઉલ્લેખ કર્યો હશે. પ્રાચીન કાળમાં અનુસંધાનપૂર્વક સાહિત્યમાં જે નિષ્કર્ષ કે તથ્ય સામે આવ્યા તેમાંથી અનેક તોલકાપ્પિયમુમાં મળે છે, જ્યારે તેમનો ઉલ્લેખ અન્યત્ર અનુપલબ્ધ છે. ઉદાહરણ તરીકે “ઇલ%ણમ્' (લક્ષણ) શબ્દ વ્યાકરણના અર્થમાં પહેલાં પ્રયુક્ત થયો હતો, પરંતુ કાળાંતરે તેનું અલંકારમાં અર્થાતર થઈ ગયું. તેનું મૂળ સ્વરૂપ Page #147 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને તામિલ દેશ ૧૧૯ , તોલકાપ્પિયમાં હજી પણ સુરક્ષિત છે. આ જ રીતે “ચેપ્યુ” (પદ્ય) શબ્દનું પ્રચલન પ્રાચીન કાળમાં હતું. “ચેઠુળ”નો વ્યુત્પત્તિપરક અર્થ છે, જે કરવામાં આવે છે, તે. આનો જ સમાનાર્થક “ક્રિયા' શબ્દ પ્રાચીન ગ્રંથ “લલિતવિસ્તરમાં, પદ્ય અર્થમાં પ્રયુક્ત થયો છે. ધ્વનિ વિશે કેટલાય પ્રાચીન નિષ્કર્ષ તથા સંશોધનો તોલકાપ્પિયમુના ઈરેચ્ચિ”, “ઉઘુરૈ” નામક અધ્યાયોમાં મળે છે. સંસ્કૃતના પ્રાચીન ગ્રંથોના ચોક્કસ કાલનિર્ણયના અભાવે જેમનો મૂળ સ્રોત સંસ્કૃત ગ્રંથ છે, તેવા તોલકાપ્પિયમમાં ઉલ્લિખિત તથ્યો વિશે નિષ્કર્ષ કાઢવો કઠિન છે. કેટલીક પ્રામાણિક શોધોથી, લોકો એ નિર્ણય પર પહોંચ્યા છે કે જે અંતિમ સંઘકાલીન માનવામાં આવે છે તેવા, ઈ.સ.બીજી સદીના કાવ્યગ્રંથો કરતાં, તોલકાપ્પિયમ્ પૂર્વવર્તી ગ્રંથ છે. અંતિમ સંઘની પહેલાં ભયંકર સમુદ્રપ્લાયન થયું. આનો કાળ સિંહલના “મહાવંશ'માં ઈ.સ.પૂર્વે ૧૪૫ કહેવામાં આવ્યો છે. તે સમયે પાંડિય દેશની કુમરિ નદી સમુદ્રપ્લાવનથી નષ્ટ થઈ ગઈ. પાંડિયનરેશ નિલત્તર તિરુવિરૂ પાંડિયનના શાસનકાળમાં કુમરિ નદીની ચર્ચા મળે છે. તે રાજાએ જ તોલકાપ્પિયમુનું પ્રકાશન કરાવ્યું હતું. અર્થાત્ સમુદ્રપ્લાવનની પહેલાં જ તોલકાપ્પિયમ્રની રચના થઈ ગઈ હતી, આનાથી એમ નિષ્કર્ષ નીકળે છે કે અંતિમ સંઘ કાળની પહેલાં જ આ ગ્રંથનો પ્રચાર થઈ ગયો હતો. સંઘકાલીન ગ્રંથ તોલકાપ્પિયમ્ પ્રાચીનતમ લક્ષણ ગ્રંથ છે. આથી તેનાથી પહેલાં પણ પર્યાપ્ત લક્ષણ ગ્રંથો હશે. તે જ સંઘકાલીન ગ્રંથો છે. “એક્તાર્કે' (આઠ લઘુ ગ્રંથોનો સંગ્રહ), “પતુ પાટ્ટ' (દસ ગાથાઓ) વગેરે સંગ્રહો સંઘકાલીન ગ્રંથો છે. તે ફટકળ રચનાઓ તથા કવિતાઓના સંગ્રહ છે. સંઘકાલીન વિદ્વાનોએ વિદ્વતસંઘ સ્થાપિત કરી તામિલની શ્રીવૃદ્ધિ કરી. ભાષા તથા સાહિત્યના કેટલાય પાસાઓ પર શોધ-કાર્ય તેમણે કર્યું. - સાહિત્યિક ઉલ્લેખો તથા અનુશ્રુતિઓથી જણાય છે કે તામિલ વિદ્વાનોના ત્રણ સંઘ હતા. પહેલો સંઘ દક્ષિણ મદુરમાં હતો, જે હિંદમહાસાગરના ગર્ભમાં વિલીન થઈ ચૂક્યો. બીજો સંઘ કપાટપુરમમાં હતો. આ નગરનું વર્ણન વાલ્મીકિ રામાયણના સુંદર કાંડમાં મળે છે. આ નગર પણ સમુદ્રપ્લાવનથી વિનષ્ટ થઈ ગયું. ત્રીજો સંઘ વર્તમાન મદુરે નગરમાં છે. પ્રથમ અને દ્વિતીય સંઘોનો સમય સંસ્કૃતપુરાણકાળ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ કહી શકાય. એવી અનુશ્રુતિ છે કે દ્વિતીય સંઘકાલીન પાંડ્યનરેશ નિલત્તર તિરુવિનું પાંડિયની સભામાં, પંડિતવર અતકોટ્ટાશનુની અધ્યક્ષતામાં તોલકાપ્પિયમ્રનું પ્રથમ પ્રકાશન થયું. એમ પણ કહેવામાં આવે છે કે તોલકાપ્પિયર અગત્યના શિષ્ય હતા. અગસ્યની અધ્યક્ષતામાં જ દ્વિતીય સંઘ સ્થાપિત થયો અને તેઓને તામિલના પ્રથમ વ્યાકરણાચાર્ય માનવામાં આવે છે. પરંતુ તેમનું એક પણ પદ્ય ઉપલબ્ધ નથી. આજે જેટલા સંઘકાલીન ગ્રંથ મળે છે, તેમાંથી અધિકાંશ ગ્રંથ અંતિમ સંઘના છે. અન્ય કેટલાક ગ્રંથ પૂર્વવર્તી સંઘના કહેવામાં આવે છે, પરંતુ તે વિશે મૌક્ય નથી. સંઘ ગ્રંથો પર જૈન પ્રભાવ સંઘ સાહિત્યના પઘોમાં જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટ લક્ષિત થાય છે. “યાહુન્ કરે વાવનું ૦િ.” વાળા પદ્યમાં સમદર્શિતા, સાર્વજનીન સેવાવૃત્તિ અને વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે કર્મ ફળની અનિવાર્યતાનું પણ વર્ણન છે. જોકે આ વચન અન્ય ધર્મોમાં પણ મળે છે, તો પણ તેનું વિશિષ્ટ વિવેચન જૈનધર્મમાં જ થયું છે. આ ઉપરાંત, સંઘકાલીન કવિઓમાં કેટલાંક નામ એવાં મળે છે, જેમના જૈન હોવાની સંભાવના છે. તેમાંથી બે કવિઓનો પર્યાપ્ત પરિચય ઉપલબ્ધ છે. ઉલોચ્ચનાર મુનિ-દીક્ષા ગ્રહણ કરતી વખતે, કેશલંચન કરવાની જે વિશિષ્ટ ક્રિયા કરવામાં આવે છે, તેને તામિલમાં “ઉલોગ્સ' કહે છે. કેશલોચના અનુષ્ઠાનનું વર્ણન કરવા અથવા કેશલોચ કરવાને કારણે સંઘના એક કવિનું નામ “ઉલોચ્ચેનાર' પડ્યું. તેમના નામ પર તેત્રીસ પદ્ય ઉપલબ્ધ થાય છે, જે તેમના જ રચેલાં પ્રતીત થાય છે. આ પદ્યોમાં જૈન ધર્મ સંમત સાંસારિક જીવનની કષ્ટ બહુલતાની જેમ અન્તર્જીવનની દુઃખપ્રધાન સ્થિતિનું વર્ણન છે. નિગટનાસ્ બીજા સંઘકાલીન કવિનું નામ છે, નિગંટનું કર્લક્કોટ્સત્ તણ્ડનાર. તેમનું એક પદ્ય “નટ્રિબૈ” નામક સંઘકાલીન ગ્રંથમાં ઉપલબ્ધ છે. તેમાં અનેક નિત્તમ (સમુદ્ર ૧. આ સંઘકાલીન પદ્યના રચયિતા હતા કણિયનુ પૅકઝાર અને આ પંક્તિનો અર્થ છે-આખો દેશ અમારી જન્મભૂમિ છે અને બધા દેશવાસીઓ અમારા બાંધવ છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને તામિલ દેશ ૧૨૧ તટવર્તી પ્રદેશ)ની કષ્ટબહુલ સ્થિતિનું વર્ણન છે. તેમના પરવર્તી વ્યાખ્યાકારોએ લખ્યું છે કે “કલેક્કોટ્સત્ તડુ' નામક ગ્રંથ ઉક્ત જૈન કવિની રચના છે, કેટલાક વિદ્વાનોનો મત છે કે તે ગ્રંથ નિઘંટુ (શબ્દકોશ) રહ્યો હશે. તેમના જૈનત્વને સૂચિત કરવા માટે જ, તેમના નામની પહેલાં “નિગષ્ટનું” (નિગષ્ઠ<નિર્ઝન્થ)નો પ્રયોગ કરવામાં આવ્યો છે. સંભવતઃ તેઓ દિગંબર મુનિ હશે. નિઘંટના રચયિતા હોવાને કારણે, તેમના નામની પહેલાં “નિગષ્ટનું” (નિઘંટુકર્તા)નું વિશેષણ લગાવવામાં આવ્યું છે, એવો પણ કેટલાક શોધકર્તાઓનો મત છે. છતાં પણ, લક્ષણગ્રંથ, વ્યાકરણ તથા કોશ-નિઘંટુ વગેરે ગ્રંથોની રચના દ્વારા જૈન વિદ્વાનોએ ભારતીય સાહિત્ય તથા ભાષાઓની જે અનુપમ સેવા કરી છે, તેનું ભારતના ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. સંઘકાલનો નિર્ણય અધિકાંશ સંઘ સાહિત્ય ત્રીજા સંઘનું જ મળે છે. આથી “સંઘકાલ” તથા “સંઘ સાહિત્ય' શબ્દો અંતિમ અર્થાત્ ત્રીજા સંઘના નિર્દેશક છે. સાધારણપણે પલ્લવોના આગમનની પહેલાંનો સમય સંઘકાલ માની શકાય. ઈ.તૃતીય સદીના મધ્યમાં પલ્લવોનો સંપર્ક તામિલનાડુના કાંચીપુરમાં વધવા લાગ્યો. ઈતિહાસવેત્તાઓના મતાનુસાર ઈ.ચોથી સદીના અંતે પાટલીપુરનો ધ્વંસ થયો. પાટલીપુરની સમૃદ્ધિ અને નંદો દ્વારા ત્યાં ભૂગર્ભમાં સુરક્ષિત કરવામાં આવેલી ધનરાશિઓની ચર્ચા તથા સોન (શોણ) નદીના તટ પર તે નગરીના અવસ્થિત હોવાની વાત સંઘકાલીન પદ્યોમાં મળી છે. તેનાથી જાણ થાય છે કે પાટલીપુરના ધ્વસની પહેલાંનો કાળ સંઘકાલ હતો. યૂનાન અને રૂસના યાત્રીઓએ ઈ.પ્રથમ અને બીજી સદીઓની પોતાની ભારતયાત્રાના સંસ્મરણોમાં તામિલનાડુના વાણિજ્ય-વ્યવસાય તથા આચાર-વિચારનું જે આંખે દેખું વર્ણન કર્યું છે, તે સંઘ-પદ્યો સાથે અધિક સામ્ય ધરાવે છે. આથી સંઘકાલનો સમય હજી પણ વધુ પહેલાંનો માની શકાય છે. શિલપ્પધિકારમૂના વંચિ કાષ્ઠમાં ઉલ્લેખ છે કે સિંહલ-નરેશ કયવાહુએ ચેરનરેશ ચંગુઠુવન દ્વારા આયોજિત સતી દેવી કણકીની મૂર્તિ-પ્રતિષ્ઠાના ઉત્સવમાં ભાગ લીધો હતો. શિલપ્પધિકારમ્ (તામિલ મહાકાવ્યોના રચયિતા ઇલંગો અડિગન્ના મુખ્ય કાવ્યપાત્ર ચેરનરેશ ચંગુઢ઼વનના નાના ભાઈ હતા અને તેઓ સ્વયં ૧. અહનાનૂરુ પદ્ય-સં. ૨૦૫ અને કુરુત્તોકે, પદ્ય સં. ૭૫. Page #150 -------------------------------------------------------------------------- ________________ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ કાવ્યવૃત્તાંતના સમકાલીન હતા. ઐતિહાસિક શોધખોળથી જણાય છે કે સિંહલનરેશ કયવાહુનો સમય ઈ.બીજી સદી હતો. અન્ય પ્રમાણોથી પણ ઉક્ત મહાકાવ્યનો રચનાકાળ ઈ.બીજી સદી સિદ્ધ છે. સંઘ કાલની વિકસિત તથા પરિષ્કૃત કાવ્યધારાનું એકમાત્ર પ્રતીત છે ‘શિલપ્પધિકારમ્', આથી તેની પૂર્વેના સંઘસાહિત્યનો કાળનિર્ણય કરતી વખતે આપણે ઈ.બીજી સદીથી પણ આગળ વધવું પડશે. દ્રમિલ સંઘ ૧૨૨ ‘બૌદ્ધ સંઘ’, ‘શ્રમણ સંઘ' વગેરે શબ્દ તત્તદ્ મતાવલંબી ભિક્ષુઓ કે સાધુઓના દળ માટે પ્રયુક્ત થતાં રહ્યા છે. સંભવતયા, ‘મિત્ સંઘમ્' ઉક્ત નામોના અનુસરણથી વ્યવહારમાં વપરાતું થયું હશે. પરંતુ, ‘મિત્ સંઘમ્'ને સાંપ્રદાયિક સંગઠન-સંઘ સમજવો ભ્રમ હશે. એક દ્રાવિડ સંઘના હોવાની વાત કન્નડના શિલાલેખોમાં ઉલ્લિખિત છે. ત્યાં ઉલ્લેખ ‘મિન્ સંઘમ્’ રૂપે થયો છે. જૈનગ્રંથ ‘દર્શનસાર’માં દ્રવિડ સંઘનો ઉલ્લેખ મળે છે. તેના રચયિતા દેવસેને સ્વયં લખ્યું છે કે ઉક્ત સંઘની સ્થાપના ઈ.૪૭૦માં આચાર્ય વજનંદીએ કરી હતી. આ દ્રવિડ સંઘ તામિલ સાહિત્યના ઈતિહાસના સુપ્રસિદ્ધ સંઘત્રયમાં નથી આવતો. એક જ સંઘમાં એકત્રિત થયેલા જૈન સાધુઓનો મૂલ સંઘ ચાર ગણોમાં વિભક્ત થઈ ગયો. તેમનાં નામ હતાં – નંદીગણ, સેનગણ, સિંહગણ અને દેવગણ. આ ગણ-સંઘોના વિદ્વાનોએ પોતાના નામના અંતે સ્વગણનું નામ પણ જોડી દીધું. નંદીસંઘથી દ્રમિળસંઘના અલગ થવાની વાત પરવર્તી શિલાલેખોથી માલૂમ પડે છે. દ્રમિળસંઘનો એક વિભાગ જ ‘અકલાન્વયમ્’ હતો. ‘અન્વય’ શબ્દ અહીં કક્ષા કે વિભાગના અર્થમાં પ્રયુક્ત થયો છે. આ ‘અકલમ્' વિભાગના વિદ્વાનોએ ‘અકલ-ચપ્પુ’ વગેરે ગ્રંથોની રચના કરી, જેમની સાથે પોતાના સંઘ વિભાગના નામને પણ જોડી દીધું. અકલાન્વયને નંદીગણના વિભાગ રૂપે કન્નડ-શિલાલેખોમાં નિર્દિષ્ટ કરવામાં આવતાં, આ વાત સ્પષ્ટ પ્રતીત થાય છે કે તે સમયે બધા જૈનસંઘોમાં ‘અકલમ્’ (ઉત્તર આભૂષણ) વગેરે કેટલાય તામિલ શબ્દ વપરાતા થયા હતા. દેવ અને નંદી શબ્દોને કેટલાય જૈનાચાર્યોએ પોતાના નામોના અંતે જોડી દીધા. ૧. Epigraphia Carnatica, Vol. V, Hassan Jq. 131; Epigraphia Carna, Vol. IV, Gurdlupet Jq. 27. Page #151 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને તામિલ દેશ આવા અનેક જૈનોનો નિર્દેશ ‘તેવા૨મ્’ વગેરે શૈવ સંત સાહિત્ય અને શિલાલેખોમાં છે. આ જૈનસંઘ તામિલની શ્રીવૃદ્ધિમાં સદા તત્પર રહ્યો છે, આથી તેને પણ ‘મિશ્ સંઘમ્'ના નામે ગૌરવાન્વિત કરવો ઉચિત જ થશે. તિરુક્કુરબ્ શૈવ સંત સાહિત્ય તેવારના સમય (ઈ.સાતમી સદી) સુધી જૈનધર્મ તામિલનાડુમાં પોતાનાં મૂળ જમાવી ચૂક્યો હતો. તેની સાથે જ તામિલ સાહિત્યમાં પણ કેટલાય નવીન પ્રયોગ થવા લાગ્યા. ‘અકવત્ પા' નામક છંદ વિશેષ જ અધિકાંશ સંઘકાલીન રચનાઓ માટે વપરાતો હતો. તેનું સ્વરમાધુર્ય ઉપદેશને જ મુખ્ય માનનાર જૈન રચનાકારો માટે અનપેક્ષિત હોવાથી, તેમણે પોતાના ઉદ્દેશ્ય માટે ઉપયુક્ત ‘વેલ્ પા’ નામક છંદમાં જ કાવ્યરચના શરૂ કરી. જોકે સંઘપદ્યોમાં આ છંદ અહીં-તહીં પ્રયુક્ત થયો છે, તો પણ તેનું અધિક પ્રચલન સંઘકાલના અવસાનમાં કે ‘તેવારમ્’ વગેરે ભક્તિ સાહિત્યના કાળમાં જ થયું હતું. તિરુક્કુરળ અને સંઘગ્રંથ આ પરિવર્તનનું માર્ગર્શન તિરુક્કુરળે જ કર્યું હતું. તિરુક્કુરના રચિયતા સ્વનામધન્ય મહર્ષિ તિરુવલ્લુવરના કેટલાય આશય સંઘગ્રંથોમાં પણ ઉપલબ્ધ છે. ઉદાહરણસ્વરૂપ, ‘નૅવિ જૉડ્રોળું થ્વિ ફ્લેન....’ આ સંઘ પદ્ય (‘પુરનારુ’નો પઘાંશ); તિરુકુરનો આ કુરણ્ અંશ ‘ઉવિલ્લે ચૅયુનન્દ્રિ કોણૢ મક્કર્યુ (કૃતઘ્નોની ઉન્નતિ સર્વથા અસંભવિત છે) સરળ વ્યાખ્યા જેવા જણાય છે. આ જ રીતે કપિલર્ નઍ॰યાર્ વગેરે સંઘકાલીન કવિઓના પદ્યોમાં પણ તિરુક્કુરન્ના ભાવ મળે છે. - ૧૨૩ — તિરુવળ્વમાટે આ ગ્રંથ તિરુિક્કુરની પ્રશંસામાં રચવામાં આવેલા પદ્યોનો સંગ્રહ છે. આ પઘોના રચિયતા સંઘકાલીન કવિ હોવાનું બતાવવામાં આવે છે. પરંતુ તે ભ્રમમૂલક તથા સાંભળી સંભળાવેલી વાત છે. બારમી સદીના જૈનાચાર્ય નેમિનાથર્ના ‘નેમિનાથપ્’ નામક તામિલ વ્યાકરણ ગ્રંથની સમકાલીન વ્યાખ્યામાં ઉક્ત ‘તિરુવoવમાલૈ’નું એક પદ્ય ઉદ્ભુત છે. આ જ રીતે ‘ક્લાડમ્’ નામક ભક્તિગ્રંથમાં પણ તે ‘માલૈ'નું એક પદ્ય ઉષ્કૃત છે. સંઘકાલમાં હિન્દુ પૌરાણિક કથાઓના Page #152 -------------------------------------------------------------------------- ________________ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ સમાવેશના સમયે ઈ.સાતમી સદીમાં ‘તિરુવoવમાલૈ'ની રચના થઈ હશે. પૌરાણિક કથાઓના સમાવેશનું પ્રમાણ ઈ.સાતમી સદીના શૈવસંત તિરુનાવુક્ક૨શર્ના પઘો અને પ્રાચીન પાંડ્ય રાજાઓના શિલાલેખો તથા અંતિમ સંઘકાલીન ગ્રંથ ‘ઇરૈયનાર્ અકારુણ્’ (ભાવપક્ષનો લક્ષણ ગ્રંથ)માં સ્પષ્ટ મળે છે. ૧૨૪ સંઘકાલીન ગ્રંથ મનાતાં ‘ઍટ્ટુનાૉકૈ’ અને ‘પત્તુપાટ્ટુ’ (પદ્યસંગ્રહ)ની શૈલીને તિરુક્કુરણ્ અને શિલપ્પદિકારની શૈલીથી ભિન્ન સાબિત કરવા માટે કેટલાક વિદ્વાનો શબ્દોના પ્રયોગભેદને પ્રમાણસ્વરૂપે પ્રસ્તુત કરે છે. ‘કલિત્તૉકૈ’ અને ‘પરિપાડવ્’માં પણ, જે સંઘસાહિત્યમાં ગણવામાં આવે છે, તે શૈલી ભેદ મળી આવે છે. આ બંને ગ્રંથ ‘ગર્વમાર્ગ’ કે ‘ઍન્દુરૈમાર્ગમ્’ નામક ગીતપ્રણાલીના છે. ‘શિલપ્પદિકારમ્’માં આ બંને શૈલીઓ સાથે ‘વેણ્ તુરૈ માર્ગમ્’ નામક નાટકીય શૈલી પણ અપનાવવામાં આવી છે. આથી પંડિતો વડે નિર્ધારિત શૈલીઓ સાથે સમયાનુકૂલ નવીન શૈલી અપનાવવી તે ઉન્મુક્ત ચિંતક કવિઓ માટે સહજ જ છે. તિરુવળુવરે પોતાના લોકહિતકારી મહાન્ ગ્રંથ માટે સાર્વજનીન તથા સરળ શૈલી અપનાવી. એથી આ નવીન શૈલીમાં બોલચાલની સરળ ભાષા જેવો પ્રવાહ છે. તિરુક્કરમાં એક સો પચ્ચીસ સંસ્કૃત શબ્દ મળે છે. તત્કાલીન જન ભાષામાં ભળી ગયેલા શબ્દોને જ સ્પષ્ટ અભિવ્યંજના માટે તિરુવoવરે અપનાવ્યા હતા. ઈ.પૂ. બીજી-ત્રીજી સદીના ગુફા-શિલાલેખોમાં પણ કેટલાય સંસ્કૃત શબ્દો મળે છે. તેમ છતાં તે ૧૨૫ શબ્દોમાં બધાને સંસ્કૃત માનવા માટે કેટલાય વિદ્વાનો તૈયાર નથી, તો પણ બધાને સંસ્કૃત માનવા છતાં પણ એ જ નિષ્કર્ષ નીકળે છે કે બે ટકા સંસ્કૃત શબ્દો પણ તિરુક્કુરલમાં નથી. તૉર્ક (સમાસ) કેટલાક વિદ્વાનોનો મત છે કે તિરુક્કરના પ્રથમ પદ્યનો ‘આદિભગવન્' શબ્દ તૉકૈ ચૉટ્ (સમસ્તપદ) છે, નવી શૈલીનો પરિચાયક છે, જે સંઘકાલીન સાહિત્યમાં નથી મળતી. પરંતુ એમ વાત નથી. ચિત્તિરમાડમ્ (સુંદર ભવન કે ચિત્રોવાળું ભવન) શબ્દ, ‘ચિત્તિરમાડત્ તુંચિય નન્મારન્' નામક પાઠ્યનરેશ સાથે સંઘકાલીન પદ્યમાં પ્રયુક્ત થયો છે. આ જ રીતે ‘ગૂઢાકારમ્' સમસ્તપદ રૂપે સંઘ-સાહિત્યમાં આવ્યો છે. તામિલ શબ્દ સાથે સંસ્કૃત શબ્દના સમ્મિલિત રૂપને હિરસમાસ કહે Page #153 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને તામિલ દેશ ૧૨૫ છે. આ પ્રયોગ પ્રાચીન સાહિત્યકારો દ્વારા વ્યવહારમાં લાવવામાં આવ્યો. કેટલાક વિદ્વાનોનો મત છે કે તે હરિસમાસ તેલુગુ અને કન્નડ ભાષાઓમાં ઉપેક્ષિત થવા છતાં પણ, તિરુક્કરમાં મળી આવે છે. તેના માટે જે પદ ઉદાહરણમાં આપવામાં આવ્યું હતું, તે “ઓરૂવન્દમ્” પદ, સંસ્કૃતમિશ્રિત નથી, આખું તામિલ પદ જ છે. આથી “દશનાનક' (દસ ચાર-ચાલીસ કે ચૌદ) વગેરે હરિસમાસના નમૂના સંઘકાલીન કવિ નક્કીરના “નૈડુનવાડ' નામક ગ્રંથમાં મળી આવે છે. આથી આ સમાસપ્રયોગ પ્રાચીનકાળથી જ વ્યવહારમાં છે. તિરુક્કરમાં જે-જે પ્રાચીન પ્રત્યય, ક્રિયારૂપ અને માત્રાપૂરક મળી આવે છે, તે બધા સંઘકાલીન પદ્યોમાં પણ છે અને જેમને કેટલાક વિદ્વાનો અર્વાચીન માને છે, તે પણ સંઘ-સાહિત્યમાં મળે છે. આથી આવા અપૂર્ણ પ્રમાણ દ્વારા તિરુકુરને અર્વાચીન સાબિત કરવાની જે કોશિશ કેટલાક લોકો કરે છે, તેમાં કેટલો સાર છે, તે તેઓ જ જાણે ! એક કથા ચાલી આવી રહી છે કે તિરુવલ્લુવર્ રાજા એલોલસિંગના આચાર્ય હતા અને તેમના જ અનુગ્રહથી રાજાના વહાણો સંકટમાંથી બચી ગયા. આ ઘટનાનું સ્મરણ, આજે પણ નાવિકો તથા ગાડીવાનો “એલેલો એલરા !'ની ધૂન દ્વારા કરે છે. તેને આધાર માનીને કેટલાક વિદ્વાનોએ એમ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે એલોલ સિંગનું ઈ.પૂ.૧૪પમાં સિંહલમાં શાસન કરનાર તામિલનરેશ સિંગન જ હતા; આથી તિરુવલ્લુવનો સમય ઈ.પૂ.બીજી સદી માનવો ઉચિત થશે. પ્રો. ચક્રવર્તી નમિનારે તિરુવલ્લુવર વિશે આવો મત વ્યક્ત કર્યો છે – એલાચાર્ય નામક જૈન પંડિતે “તિરક્રળની રચના કરી છે, તેમનું જ અસલ નામ કુંદકુંદાચાર્ય હતું. તેઓ ઈ.પૂ. પ્રથમ સદીમાં મદ્રાસની નજીક “વંદવાશિ” નામક સ્થાન પાસે એક પર્વત પર તપસ્યા કરી રહ્યા હતા. તેમના ચરણચિહ્નો ત્યાં હજી પણ છે જેમની પૂજા શ્રદ્ધાળુ જૈનો રોજ કરે છે. તેમના જ શ્રાવક શિષ્ય હતા તિરુવલ્લુવર. તિરુવલ્લુવરે પોતાના આચાર્યનો ગ્રંથ “તિરુકુરબૂ' સંઘ (વિદ્ધન્કંડલી)માં લઈ જઈ સ્વીકારાર્થ પ્રથમતયા ત્યાં વાંચી સંભળાવ્યો. આ વૃત્તાન્ત જૈન પરંપરામાં પ્રાચીન કાળથી જ માન્યતા–પ્રાપ્ત છે. પરંતુ આ અનુશ્રુતિનો કોઈ પ્રામાણિક આધાર નથી મળતો. ૧. આ નામતામિલમાં ‘કુન્દન કુન્દનાચારિયર અને કુણ્ડન કોડનાચારિયરૂ રૂપે પણ વપરાય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ તિરુવળ્વર અને જૈનધર્મ તિરુવલ્બુવરને લાંબા સમયથી જૈન લેખક સાબિત કરવાનો પ્રયાસ ચાલ્યો આવે છે. તેમના નામોમાં એક ‘દેવ' છે, જે જૈન વાચી માનવામાં આવે છે અને ‘નાયનાર’નું જે ઉપાધિ-પદ તિરુવળ્વરને પછીથી પ્રાપ્ત થયું, તે પણ માત્ર જૈન પરંપરામાં, વિશેષપણે દક્ષિણમાં, સુપ્રચલિત નામ છે. પરંતુ તિરુમાળિયૈ દેવર્, તિરુનીલકંઠ નાયનાર વગેરે શૈવસંતોનાં નામ પણ પૂર્વોક્ત-પદો સાથે મળે છે. તે ઉપાધિપદો મધ્ય કાળમાં અન્ય ધર્માવલંબીઓ સાથે પણ પ્રયુક્ત થવા લાગ્યા. ‘નીલકેશી’ નામક તામિલ જૈન ગ્રંથના વ્યાખ્યાતા શમણ (શ્રમણ) દિવાકર મુનિવરે તિરુક્ષુરને ‘એમદુ ઓત્તુ’ (અમારો ગ્રંથ) બતાવ્યો છે. પરંતુ અહીં એ ન ભૂલવું જોઈએ કે તિરુક્કુરને બધા લોકો ‘પૉદુ મરૈ’ (સામાન્ય વેદ) કહેતા-માનતા આવ્યા છે. આચાર્ય તિરુવળુવરે પોતાના ગ્રંથમાં જન-જીવન બધા પાસાઓમાં સમુન્નત તથા સુસંપન્ન બનાવનાર ઉપાદેય વાતો સૂત્ર-શૈલીમાં નિબદ્ધ કરી છે. તેમની જનમંગલપ્રેરિત વિરાટ ભાવનાની એ વિશેષતા છે કે તેમના વેતુલ્ય અમર ગ્રંથ તિરુક્ષુરમાં બધા ધર્માવલંબીઓના સર્વજનહિતકારી ઉપદેશ સ્થાન પામ્યા છે. સંભવતઃ આ જ કારણે, તે ગ્રંથને પ્રત્યેક મતાવલંબી પોતાનો કહેવામાં ગૌરવનો અનુભવ કરે છે. તે વાત તો નિશ્ચિત છે કે જૈન તથા બૌદ્ધ ધર્મોએ સર્વભૂત દયા તથા અહિંસાનો જે વિચાર આપ્યો, તેના આધારે, સદાચારથી વિચલિત ન થતાં સાધારણ મનુષ્ય પણ ગાર્હસ્થ્ય સંન્યાસ, સામુદાયિક જીવન, રાજ્ય-શાસન તથા પ્રેમમાર્ગ – કોઈના પણ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરી શકે છે; આ સિદ્ધાંતને કાવ્યમય રીતે જ નહિ, ઉત્તમ શાસ્ત્રીય રીતિથી પણ અભિવ્યક્ત કરનાર સર્વદર્શનસમ્માન્ય પૂજ્ય ગ્રંથ તિરુપ્ફુરત્ને છોડીને બીજો કોઈ હોઈ શકે નહિ. આ ગ્રંથ ‘અર’ (ધર્મ), ‘પૉરુશ્’ (અર્થ) અને ‘ઇસ્બમ્’ (કામ) આ ત્રણ અધ્યાયોમાં વિભક્ત - છે. - - તિરુપ્ફુરત્ને જૈન ગ્રંથ સાબિત કરવા માટે આપવામાં આવતાં પ્રમાણોમાં આ પણ એક છે – ‘જેમ, તૉલકાપ્પિયમ્ના પ્રારંભની ઈશ્વરવંદનામાં પ્રયુક્ત વિનૈયિન્ નીંગિ વિનંગિય અવિન્' (કર્મબંધથી મુક્ત તથા ઉજ્જવલ જ્ઞાનવાન) મંગલાચરણ અર્હત્ ભગવાનનો નિર્દેશ કરે છે, તે જ રીતે તિરુક્કરના છઠ્ઠા ‘કુર’ (પદ્ય)માં વર્ણિત ‘પારિવાયિલ્ ઐન્દ્રવિજ્ઞાન્' (પંચઈન્દ્રિય-સુખો ૫૨ વિજય મેળવનાર Page #155 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને તામિલ દેશ ૧૨૭ ભગવાન) વાક્ય પણ જિનદેવનો જ નિર્દેશ કરે છે. એ તો માનવામાં આવેલી વાત છે કે તિરસ્ફરળમાં જ્યાં-જ્યાં ભગવાનનો ઉલ્લેખ કે વર્ણન આવ્યું છે, તે હિંદુ તથા જૈન બંને ધર્મો પર લાગુ પડે છે. આથી એમ સ્વીકારવું યોગ્ય ગણાશે કે તિરુવલ્લુવરે ઈશ્વરના સામાન્ય સ્વરૂપને જ વ્યક્ત કર્યું છે, જેની માન્યતા સમસ્ત સંપ્રદાય ધરાવનારાઓમાં છે. તિરુકુળનો ઉપદેશ “અરમ્ (ધર્મ) બધા ધર્મો અને મતોના સારભૂત તત્ત્વોનું સમન્વયસ્થળ તિરુકુરબ્ધ છે. સ્વચ્છ પ્રેમ જ જીવનતત્ત્વ છે, શુદ્ધ પ્રેમ અને શ્રદ્ધામયી ગૃહિણી તથા સંતાન જ જીવનાધાર છે તથા આતિથ્ય-સત્કારનો મહિમા, પ્રિય તથા હિતમિતવચન, કૃતજ્ઞતાની અનિવાર્યતા, સંયમની મહત્તા, સદાચરણની વિશુદ્ધતા, નિરામય ભોજનની વિશેષતા, તપસ્યાનો મહિમા, સત્ય, અસ્તેય, અહિંસા તથા શાંતિપ્રિયતાની ઉપાદેયતા ઈત્યાદિ કેટલાય લોકમંગલકારી સદુપદેશ તિરુક્કરળના પ્રથમ વિભાગમાં છે. પોતાના-પારકાની ભેદબુદ્ધિથી મુક્ત તપસ્વીની સ્થિતિનું સારું વર્ણન છે. જન્મમરણનું તત્ત્વવિવેચન, મોક્ષજ્ઞાન, અનાસક્તિ અને કર્મફળના અનુગમનનું વર્ણન આ બધું પ્રથમ “અરમ્” અધ્યાયમાં સુંદર રીતે વર્ણિત છે. બધા ધર્મોના નેત્રભૂત પ્રેમ, દયા અને તત્ત્વજ્ઞાનનું સમર્થન પ્રધાનપણે કરવામાં આવ્યું છે. તિરુવલ્લુવરે “પૉરેય મૈ” (સહિષ્ણુતા)નો જે આદર્શ સ્થાપિત કર્યો, તે સાચેજ અપૂર્વ તથા ઉચ્ચ કોટિનો છે. આ પ્રકરણનું પહેલું પદ્ય છે – “अकळ्वारैत् तांगुम् निलम्बोलत् तम्मै इकळ्वाप पोरुत्तल् तलै ।" અર્થાત્, જેમ ધરતી પોતાના પર પાવડા મારનારને પણ ઊભા રહેવાની જગ્યા આપે છે, તે જ રીતે મનુષ્ય પોતાના અપરાધીના દુષ્કર્મ સહીને તેને અપનાવવો જોઈએ. તે જ સાચી સહિષ્ણુતા છે, જે ઉત્તમ ધર્મ માનવામાં આવે છે. આગળ જતાં, સહિષ્ણુતાની જે પરાકાષ્ઠા તેમણે બતાવી, તે છે, પરકૃત અપરાધોને સહી લેવા તો સાધારણ ધર્મ છે, પરંતુ તેમનાં સ્વલ્પ સ્મરણ સુદ્ધાંને પોતાના મનમાં ઘર ન કરવા દેવું; અર્થાત્, તે જ ક્ષણે તેને ઉદારતા સાથે એકદમ Page #156 -------------------------------------------------------------------------- ________________ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ ૧૨૮ ભૂલી જવા તે જ સર્વોત્તમ ધર્મ છે. આ રીતે, પ્રત્યેક ધર્મના વર્ણનમાં તિરુવoવરે પોતાનો આદર્શ પ્રતિષ્ઠિત કર્યો છે. ‘પૉરુખ્’ (અર્થ) તિરુપ્ફુરના બીજા ‘પૉરુળ્ પાળ્’ (અર્થવિભાગ)માં રાજનીતિ તથા સામુદાયિક જીવન વિશે કેટલીય ઉપાદેય વાતો વર્ણિત છે. જોકે તેમાં કથિત વિષય રાજનીતિ સાથે અધિક સંબંધિત છે, તથાપિ સાધારણ જનજીવન માટે પણ તે ઉપયોગી તથા આચરણીય છે. આમ રાજતંત્રના સમયમાં બતાવવામાં આવેલી વાતો, હવે ગણતંત્રના સ્વતંત્ર જનજીવન માટે પણ લાગુ પડે છે. તિરુવળ્વરે આ અધ્યાયમાં પોતાનો સ્પષ્ટ નિર્ણય આપ્યો છે કે શાસનસત્તાની સ્થિરતા તથા નિર્દોષ પરિચાલન માટે વિદ્વાનો, સારા વિચારકો તથા યોગ્ય રાજનીતિજ્ઞોથી ભરેલી મંત્રણાસભા (સંસદ), અને વિદ્યા તથા તદનુરૂપ અનુષ્ઠાનવાળા મનીષી – આ ત્રણે સાધન અનિવાર્ય છે. તિરુવળુવર રાજનૈતિક દાવપેચો તથા કુચક્રોથી સારી રીતે પરિચિત હતા, પરંતુ સફળતા કે વિજયને એકમાત્ર ઉદ્દેશ્ય માનીને સાધન કે આચરણની ભ્રષ્ટતાનો સ્વીકાર તેમણે ક્યારેય નથી કર્યો. તેઓ સાધ્યની જેમ સાધનને પણ પવિત્ર તથા આદર્શોન્મુખ રાખવાના પક્ષપાતી હતા. ‘બિનૈતૂક્ષ્મ’ (કાર્યની પવિત્રતા) નામક અલગ અધિકારમ્ (પ્રકરણ) તેમણે તિરુક્કરમાં લખ્યું. રાજનીતિ અને સામુદાયિક જીવન માટે ઉદાર ચિત્ત અને સદાચરણને જ તેમણે આધાર માન્યો. એટલા માટે, આ અધ્યાયના અંતે, જન્મની ગરિમા, સારી સંસ્કૃતિ, સ્નેહગુણ, અધર્મભીરુતા, સમદર્શિતા, સત્યભાષિતા અને આત્મસમ્માનને પ્રાણવત્ માનનાર ભદ્ર મનુષ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. ઈન્બમ્’(કામ) તિરુક્કરના તૃતીય અધ્યાય ‘ઇન્ગમ્’માં આદર્શ દાંપત્ય જીવનનું, સંધકાલીન સાહિત્યથી અનુમોદિત રીતિ-નીતિના આધારે વિશદ વર્ણન કરવામાં આવ્યું છે. તેનો સારાંશ આ છે – એક સ્ત્રીનો એક જ પતિ હોઈ શકે છે તથા પતિ પણ એકપત્નીવ્રત નિભાવશે. એવું સ્ત્રી-પુરુષ-યુગલ પોતાને આદર્શ બનાવશે તથા અનુપમ કહેવાશે. શરીરથી ભિન્ન હોવા છતાં પણ બંને પતિ-પત્ની આચાર-વિચાર તથા અતૂટ સ્નેહ-સૌજન્યથી અભિન્ન એકપ્રાણ સમાન રહેશે. તેઓ પરંપરાગત સદાચારથી ક્યારેય વિચલિત નહિ થાય. તેમનું જીવન નિસ્વાર્થ ભાવનાથી ઓતપ્રોત હશે, પરહિત તથા પરોપકારમાં તેઓ પોતાની સફળતા માનશે. Page #157 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને તામિલ દેશ કામશાસ્ત્રને આ પ્રકારની ગંભીર તથા પવિત્ર રીતે ભાગ્યે જ કોઈ આચાર્યે પ્રસ્તુત કર્યું છે. સંભવતઃ, પ્રાચીન તામિલ સાહિત્યની વિશિષ્ટ શાખા ‘અહપ્પો’ (જીવનનો અંતર્મુખી પક્ષ)થી પિરિચત હોવાને કારણે, તિરુવળ્વર કામશાસ્ત્ર વિષયક અપૂર્વ અધ્યાય પ્રસ્તુત કરવામાં સફળ થયા. તેમાં તેમણે એ પરિવર્તન અથવા કહો કે ક્રાંતિકારી પરિશોધન કર્યું કે સંઘકાલમાં પ્રચલિત તથા આચાર રૂપે સ્વીકૃત ગણિકાસંગમની પરંપરાનો પોતાના અધ્યાયમાં સંકેત સુદ્ધાં નથી કર્યો. યોગ્ય યુવક-યુવતીના સ્વચ્છ પ્રેમના વિકસિત રૂપ તથા તેમના પવિત્ર દાંપત્યમાં નિખરતાં શોભન પરિણામને જ તિરુવળ્વરે પોતાના અધ્યાયનો આધાર બનાવ્યો. ઉદાત્ત ભાવનાઓથી પૂર્ણ તેમના ‘ઇન્લમ્' (કામ) અધ્યાયની આ જ વિશેષતા છે, જે અન્યત્ર દુર્લભ છે. જ ૧૨૯ Page #158 -------------------------------------------------------------------------- ________________ ધર્મગ્રંથ * પદિનેકીળુ કણકુ જૈન સાહિત્યની ધારા જૈન સાહિત્યની ધારા ત્રણ શાખાઓમાં વહેંચાઈ ગઈ. તોલકાપ્પિયમુની જેમ વ્યાકરણને સરળ-સુબોધ રૂપે પ્રસ્તુત કરવામાં આવ્યું. આમાં શબ્દોની નિયુક્તિ તથા વર્ગીકરણ કરનાર નિઘંટુગ્રંથો પણ સામેલ છે. બીજી ધારામાં, કાવ્યગ્રંથો આવે છે. ત્રીજી ધારામાં તે ગ્રંથો છે જેમાં જૈન ધર્મની વિશેષતાઓને પ્રભાવનાની રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. ધર્મ સિદ્ધાંતોને સર્વસાધારણ માટે સુંદર તથા રોચક રૂપે સાહિત્યિક વિધામાં પ્રસ્તુત કરવા સરળ વાત નથી. આચાર્ય તિરુવલ્લુવરે આ દુઃસાધ્ય કાર્યને સુસાધ્ય બનાવી દીધું. તેમની તે અભૂતપૂર્વ સફળતા જ અન્ય આચાર્યો તથા સાહિત્યનિર્માતાઓ માટે પથપ્રદર્શક બની. આ રીતે, જૈનાચાર્યોએ વ્યાકરણ, લક્ષણ તથા નિઘંટુ ગ્રંથો, કાવ્યગ્રંથો અને ધર્મગ્રંથો – આ ત્રણ પ્રકારો દ્વારા તામિલ-વાણીને સુસંપન્ન બનાવી. ઉપર તિરક્કરળનો થોડો પરિચય આપવામાં આવ્યો છે. આ પરંપરામાં તેની સાથે સંબંધિત અન્ય ગ્રંથોનો પરિચય આપવો ઉચિત થશે, જેમનું નામ છે “પદિનેણુ કબૂ કણકુ' (અઢાર ધાર્મિક અથવા નૈતિક ગ્રંથોનો સંગ્રહ). આ અઢાર રચનાઓનાં નામ આ મુજબ છે – ગ્રંથનું નામ રચયિતા ૧. નાલડિયાર અનેક જૈનમુનિઓના ફુટકળ પદ્યોનો સંગ્રહ ૨. નાનું મણિ કડિકે વિળમ્બિ નાગના ૩. ઇનિયર્વે નાર્પદુ પૂતમ્ ચેન્જનારું ૪. ઈન્ના નાર્પદ કપિલર્ ૫. કાર્નાર્પદુ મદુરે કણનું કૂત્તનાર ૬. કળવળિ નાર્પદુ પોકૈયા કાર્પદ ૧. આનો અર્થ છે-અઢાર ધાર્મિક કે નૈતિક ગ્રંથોનો સંગ્રહ. Page #159 -------------------------------------------------------------------------- ________________ ધર્મગ્રંથ ૧૩૧ ગ્રંથનું નામ રચયિતા ૭. ઐતિ પદુ મારનું પૉરૈયનારું ૮. ઐતિણે એલપદુ મૂવાદિયર્ ૯. તિર્ણ મૉલિ ઍપદુ કર્ણનું ચેન્જનારું ૧૦.નિર્ણ માલૈ ન્યૂટ્રપદુ કણિ મેધાવિયા ૧૧.તિરુકુરલ્સ તિરુવલ્લુવર ૧૨.તિરકડકમ્ નલ્લાતનારૂ ૧૩.આચારફ કોવૈ પેરુવાયિન્ મુલ્લિયાર્ ૧૪.૫લમૉલિ નાગૂર મુઝુરે અરયના ૧૫.ચિર પંચ મૂલમ્ માકાયન્ માણાક્કનાર્ મક્કારિ આશાનું ૧૬.મુદુ મૌલિ કાંચિ મદુરે કૂડલુરૂ, કિલારૂ ૧૭.એલાદિ કણિ મેધાવિયા ૧૮. કૅર્લિર અજ્ઞાત આ અઢાર ગ્રંથ પ્રાયઃ “મૂદુ” (લોકોક્તિ અથવા કહેવત-સંબંધી-Gnomic Verses) ગીતોના સંગ્રહ છે. જીવનના વિવિધ પાસાઓને સત્યના આધારે ચિત્રિત કરનારી કહેવતો અને લોકોક્તિઓ સમસ્ત ભાષાઓમાં સુરક્ષિત છે. તોલકાપ્પિયરે પણ આનો ઉલ્લેખ પોતાના ગ્રંથમાં કર્યો છે. તેમને માત્ર કહેવતો અને લોકોક્તિઓ ન માનતાં, વિદ્વાનોનું સાહિત્યિક ભાષામાં પ્રણીત સરળ જનપદીય સાહિત્ય માનવું જોઈએ. તેમાં તત્કાલીન જનજીવનનું પ્રતિબિંબ પડવા છતાં પણ પ્રણેતા તથા સંકલનકર્તા વિદ્વાનોના બહુભાષાજ્ઞાનનો પ્રભાવ પણ સ્પષ્ટ જોઈ શકાય છે. તેમનું મુખ્ય ધ્યેય એ જ રહ્યું કે આ સૂક્તિઓ કોઈ એક પ્રદેશવાસીઓની ન રહેતાં, સર્વદેશીય થાય. આ ગ્રંથોના નામકરણમાં રચયિતાઓએ પોતાના વિષયવસ્તુની ઝલક પણ આપી દીધી છે. “ઇનિયવૈ નાખંદુ' (મધુર હિત ચાલીસી) અને “ઇન્ના નાર્પદ (અહિત ચાલીસી)થી ગ્રંથનો ઉદેશ્ય પ્રકટ થાય છે. વિભિન્ન તત્ત્વોના સંકલનો માટે નાનું મણિક્કડિકે (ચાર મણિઓની મંજૂષા), “ચિરુ પંચ મૂલમ્ (પાંચ મૂળ તત્ત્વ) ૧. તેમણે ૧૦મા ગ્રંથ “તિર્ણ માલે તૂટેમ્પદુ'ની રચના કરી છે. ૨. કેટલાકવિદ્વાનો આના સ્થાને “ઈહૈિનામક ગ્રંથ હોવાનું માને છે, જેના રચયિતા પૉયકૈયા છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ વગેરે નામ આપવામાં આવ્યા છે. સાધારણ તત્ત્વોને આલંકારિક શૈલીમાં બતાવવાની પરંપરા આ ગ્રંથોના સમયમાં ખૂબ ચાલી નીકળી હોવાનું જણાય છે. ધર્મોપદેશપરક ગ્રંથ ઉક્ત અઢાર ગ્રંથોમાં ધર્મોપદેશપરક ગ્રંથો પણ છે. પરંતુ બંને રીતિઓ (સૂક્તિ તથા ધર્મતત્ત્વ)નો સમન્વય આ ગ્રંથોમાં એ રીતે થયો છે કે તેમનું અલગ-અલગ વિભાજન કરવું મુશ્કેલ છે. તેમાંનાં અધિકાંશ પદ્ય ધર્મોપદેશ શૈલીના છે. ઉપમા, દૃષ્ટાન્ન વગેરે અલંકારો દ્વારા અભિવ્યક્ત કરવાથી, તે બહુ પ્રભાવકારી બન્યા છે. જૈન વિદ્વાનોની વિશિષ્ટ શૈલી અનુસાર અધિકાંશ ગ્રંથ “આડૂઉ મુનિલૈ” (પુરુષસંબોધક) અને “મકડૂઉ મુશિલૈ” (સ્ત્રીસંબોધક) રૂપે રચિત હોવાથી, તેમને વાંચતી વખતે એવું પ્રતીત થાય છે કે તે પદ્યો આપણા જ હિતાર્થે, અને આપણને જ સંબોધિત કરી લખવામાં આવ્યા છે. ' . જૈન ધર્મના વિશિષ્ટ ગ્રંથો આ અઢાર ગ્રંથોમાં અધિકાંશ જૈનાચાર્યો દ્વારા રચિત છે. તેમનું નીતિપરક તથા ધર્મ-ઉપદેશ પ્રધાન સાહિત્ય તામિલ વાદ્દયનું અભિન્ન તથા મહત્ત્વપૂર્ણ અંગ બની ગયું છે. અર્વાચીન નીતિ ગ્રંથ રૂપે હિંદુ તપસ્વિની તથા કવયિત્રી ઔવૈયારના પ્રસિદ્ધ પદ્ય નમૅરિ, નીતિનૂલ, નીતિનેરિ વિલક્કમ્ વગેરે રચનાઓ પર અઢાર ગ્રંથોનો પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાય છે. (અ) અર્કલ ચેપ્ટ તે નીતિ નિર્દેશ સાથે-સાથે જૈનધર્મની વિશેષતા અભિવ્યક્ત કરનાર ગ્રંથ છે. આ ગ્રંથ ઉક્ત અઢાર ગ્રંથોથી અર્વાચીન માનવામાં આવે છે. આ ગ્રંથ “કુરબૂ પા” છંદમાં લખવામાં આવ્યો છે. તે અકલાન્વયમ્' નામક જૈનસંઘના પંડિતો દ્વારા રચિત છે. (આ) અરૉરિ સારમ્ આનો અર્થ છે ધર્માચરણોનો સાર. મુનૈપ્પાડિયાર નામક જૈનાચાર્યે “વૈણું પા' છંદમાં આ ગ્રંથની રચના કરી છે. આનું સારતત્ત્વ છે, “ધનલિસા અને ભોગલિસા પ્રસ્ત આ સંસારમાં ધર્માચરણ પર શ્રદ્ધા રાખનાર સાધુ પુરુષ જ કર્મબંધનથી મુક્તિ ૧. “કુરળુ પા સંસ્કૃતના અનુષ્ટ છંદની જેમ નાનો તથા આકર્ષકછંદ છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ધર્મગ્રંથ ૧૩૩ મેળવી શકે છે. ધર્મજિજ્ઞાસુઓનાં લક્ષણ અને કર્તવ્ય વિષયમાં લેખકે ગ્રંથારંભે વિસ્તૃત વિવેચન કર્યું છે. તદનંતર બતાવ્યું છે કે શ્રદ્ધાળુ શિષ્યો તથા ધર્મજિજ્ઞાસુઓ નિમિત્તે જ “ધર્માચરણસાર' ગ્રંથનું પ્રણયન કર્યું છે. પોતાના ધર્માનુયાયીઓ તથા શ્રદ્ધાળુઓ માટે ગ્રંથ રચવાનો પ્રારંભ સંભવતઃ તેમના જ સમયમાં થયો છે. પોતાના મત-સિદ્ધાંતની સ્થાપના અને પ્રભાવના માટે અન્ય મતો કે ધર્મોનું ખંડન વગેરે પણ આ ગ્રંથમાં છે. આમાં શિવને અહંતુ બતાવવામાં આવ્યા છે. એકાંતવાદનું ખંડન અન્ય જૈનાચાર્યોની જેમ આ ગ્રંથકર્તાએ પણ કર્યું છે. આ “અરબૅરિસારમ્' ગ્રંથ સંઘકાલીન પદ્યો, “પતિને કાબૂ કણ' ગ્રંથો તથા અન્ય કાવ્યગ્રંથોના સંકલનોમાં સ્થાન મેળવી ચૂક્યો છે. આથી તેનો રચનાકાળ તે જ માની શકાય છે નેમીનાથરૂ અને ભવગંદી (ભવણનન્દી)નો છે અર્થાત્ ઈ.ચૌદમી સદી. બીજો ગ્રંથ “અરેકલ ચેપ્પ' લગભગ સાતસો વર્ષ પૂર્વે રચવામાં આવ્યો, એવું માની શકાય છે. આ અઢાર લઘુ ગ્રંથોના પ્રભાવથી જે પ્રવૃત્તિ તામિલ સાહિત્યમાં વધવા લાગી, તેનું કિંચિત્ દિગ્દર્શન અહીં કરાવવામાં આવ્યું છે. શિલપ્પધિકારમ્, મણિમેખલે વગેરે મહાકાવ્યોનું અવતરણ આ જ પ્રવૃત્તિની નિષ્પત્તિ છે. તામિલ વેદ (તિરુક્ર)ની મહત્તા બતાવતી વખતે, તેના સહસંકલનો પર પણ પ્રકાશ નાખવો ઉચિત થશે. પતિનેંકળુ કણકુનાં લક્ષણો અમૅ ઉક્ત ગ્રંથ-સંગ્રહનું પારિભાષિક નામ છે “અમ્મ'. તેનો ઉલ્લેખ તોલકાપ્પિયરે પોતાના લક્ષણ ગ્રંથમાં કર્યો છે. “અમ્મ ગ્રંથોમાં શબ્દલાઘવ, અર્થગાંભીર્ય તથા માધુર્યની પ્રધાનતા હોય છે; ધર્મ, અર્થ અને કામ આ ત્રણે પુરુષાર્થોનું વિવેચન તથા ઉદ્ધોધક વ્યાખ્યા જ વર્ય વિષય હોય છે. “મંડૂકપ્નતિની શૈલીને કારણે વિષય વર્ણનની વિશૃંખલતા હોવા છતાં પણ, ઉદેશ્યપૂર્તિમાં શિથિલતા નથી આવતી. તેમનાં પદ્ય નાનાં, પરંતુ પ્રભાવશાળી અને કોમળ છંદનાં હોય છે. કણજ્જ નડું કણકું', “કણક્કાવનારૂ', “સમયફ કણકરૂ વગેરે તામિલ શબ્દોમાં “કણÉ શબ્દ ગ્રંથના અર્થમાં પ્રયુક્ત થયો છે. “દિવાકરમ્' નામક તામિલ નિઘંટુમાં Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ કણજ્જુ'નો અર્થ અક્ષર પણ કરવામાં આવ્યો છે. પ્રથા, નિયમ, ક્રમ – આ અર્થ પણ “કણ' શબ્દના છે. આથી ક્રમબદ્ધ અક્ષરો અથવા ભાવોથી યુક્ત ગ્રંથોને પણ “કણકું' કહે છે. આની અંતર્ગત “પેરેડ' અને “કૈયેડુ' નામક સાંકેતિક શબ્દોને, પરવર્તી શૈવસંત તિરુનાવુક્કરશરે પોતાના ગીતોમાં “વરિડયું પુત્તકમ્ (ક્રમબદ્ધ લાંબી પુસ્તક-કવિતા) તથા “કળુ કણઝુ' શબ્દપ્રયોગ દ્વારા નિર્દિષ્ટ કર્યા છે. અક્ષરમાલિકા કે અક્ષરમાલાને પણ “નૈડફ કણજ્જુ' કે “અરિચ યુવડિ' કહે છે. પરંતુ અહીં “કણÉ' શબ્દ ગ્રંથના અર્થમાં જ પ્રયુક્ત થયો છે. તેના પ્રમાણ રૂપે, કીકણકું' (લઘુગ્રંથ) અને “મેક્કણÉ' (મોટો ગ્રંથ) – આ બંનેનું તામિલ સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. જે ગ્રંથ નાના-નાના પદ્યોમાં, શાસ્ત્રીય વિષય કે કથાની જેમ ક્રમબદ્ધ ન હોતાં, સ્વતંત્ર તથા સ્કુટ ભાવો કે નૈતિક વિષયોનું વર્ણન કરે છે, તેને “કળુ કણકકુ' કહે છે. કેટલીય પંક્તિઓ ધરાવતાં પદ્યોમાં વિસ્તૃત વિષયનું જે વર્ણન કરે છે, તેને “પત્રિ, પાટ્ટિયમ્” નામક લક્ષણ ગ્રંથમાં “મેર્કણકુ' (મોટો ગ્રંથ) કહેવામાં આવ્યો છે. આ નામોનું પ્રચલન અનુમાને દસમી સદીથી થયું હશે. અગિયારમી સદીના ગ્રંથ “વીર ચોળિયની વ્યાખ્યામાં “પતિનેણ કણ'નો નિર્દેશ છે. અને, દસમી સદીના છંદશાસ્ત્ર “યાપ્રર્કલ કારિર્ઝના વ્યાખ્યાકારે પણ ઉક્ત ગ્રંથનો નિર્દેશ કર્યો અઢાર ગ્રંથોનો સમુચ્ચય જેને તામિલમાં “પતિનેણ કળુ કણક્ક તો કહે છે, સંઘકાલ દરમિયાન જ પોતાની વિશિષ્ટ સંજ્ઞાથી પ્રસિદ્ધ થયો. છતાં પણ, કેટલાય ગ્રંથ તોલકાપ્પિયમમાં બતાવેલાં “અખૈ” નામક લક્ષણ અંતર્ગત તે સમુચ્ચયમાં આવે છે. તેમની પ્રાચીનતા અને લોકપ્રિયતાને કારણે જ, ઈfપૂરણા, ગુણસાગર વગેરે લક્ષણગ્રંથ-વ્યાખ્યાતાઓએ પોતાના સમકાલીન “તેવારમ્' વગેરે શૈવ સાહિત્યના પદ્યોનું ઉદ્ધરણ ન આપતાં આ સમુચ્ચયના લઘુ ગ્રંથોના પદ્યોનાં જ ઉદ્ધરણ પોતાની વ્યાખ્યાઓમાં આપ્યા છે. “ઈન્ના નાર્પદુ (અહિત ચાલીસી) નામક ગ્રંથમાં શિવ, બલરામ, કૃષ્ણ અને કાર્તિકેય – આ દેવતાઓની આરાધનાનું વર્ણન હોવાથી તે સંઘકાલીન કે તેની આસપાસનો માની શકાય. આ જ રીતે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર – આ ત્રિદેવની પૂજાનું વર્ણન “ઇનિય નાર્પદુ' (હિત મધુરચાલીસી) ગ્રંથમાં છે. આ ગ્રંથ સંઘકાલનો પરવર્તી હોઈ શકે છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ધર્મગ્રંથ ૧૩૫ શૈવસંત સાહિત્ય “તૈયારના સમયમાં (ઈ.ત્રીજી સદીથી સાતમી સુધી) આત” શબ્દ અણપઢ, મૂર્ખ અને આંધળાના અર્થમાં વ્યવહત થતો હતો. પરંતુ ઉક્ત સમુચ્ચયના એક ગ્રંથ “તિરુકડુકમના રયચિતાનું નામ “નલ્લાતના” (ઉત્તમ આતનું) છે. આથી એ સ્પષ્ટ છે કે “તૈયારમ્'ના સમયની પહેલાં જ ઉક્ત ગ્રંથનું પ્રણયન તથા પ્રસાર થઈ ગયો હતો. “આતનું” શબ્દના બીજા પ્રાચીન અર્થ છે – અહંત ભગવાન, તેમનો ભક્ત, પ્રાણ અને ગુરુ. આથી આ અર્થોમાંથી કોઈ એક ઉપયુક્ત અર્થના આધારે જ, તે “નલ્લાતનારૂ’ (ઉત્તમ ગુરુ કે પ્રાણ અથવા ઉત્તમ અહંત-ભક્ત) નામ પાડવામાં આવ્યું હશે. એટલા માટે તે “નલ્લાતનારૂના તિરિકડુકમ્' ગ્રંથને પણ ત્રીજી સદીની પહેલાંનો માનવો ઉચિત થશે. તે નામથી જ પ્રતીત થાય છે કે નલ્લાતનારૂ' એક જૈનાચાર્ય હતા. તે ઉપરાંત છંદ, વર્ણનશૈલી, ભાષાનું ગઠન વગેરેથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે “મુદુ મોળિ કાંચિ', “કળવળિ નાર્પદુ અને “તિરક્રુર” આ ત્રણે ગ્રંથોને છોડીને અન્ય બધા ગ્રંથો સંઘકાલના પરવર્તી જ હોવા જોઈએ. આમાં અધિકાંશ ગ્રંથ જેમના રચયિતા જૈનાચાર્ય હતા, સંઘકાલીન માનવામાં આવે છે. તેની પુષ્ટિ એક પ્રાચીન પદ્ય વડે થાય છે. તેનું તાત્પર્ય સંભવતઃ આચાર્ય વજનંદી દ્વારા સ્થાપિત તથા સંચાલિત દ્રાવિડ સંઘ હોઈ શકે છે. આ સંઘ ઈ.૪૭૦માં મદુરા (મદુર) નગરીમાં જૈનાચાર્યોના તત્ત્વાવધાનમાં પ્રતિષ્ઠાપિત થઈને પોતાના સંપ્રદાયની સાથે, તામિલ ભાષા-સાહિત્યની શ્રીવૃદ્ધિમાં સક્રિય હતો. આ અઢાર લઘુ ગ્રંથોના અધિકાંશ રચયિતા મદુરા અથવા પાઠ્ય દેશના નિવાસી હતા. આ વાતનો આધાર એ છે કે તે તે આચાર્યોના નામોની સાથે સ્થાન વાચકશબ્દ જોડાયેલા છે. ઉદાહરણાર્થ, મદુરે તમિલાશિરિયર મકનારૂ, (તામિલ આચાર્યના પુત્ર) પૂતચેન્દનાર, મ. ત. મકના પૂતચેદનાના શિષ્ય કારિયાશાનું અને કણિ મેદૈયાર, મદુરે કચ્છડુ કૂત્તના, મદુરે કૂડર કિના, પારોકg (પાયિ દેશનો એક ભાગ) પુલંકાડનાર, મારનું પૉરયનારુ વગેરે. નલડિ નાગૂરુ અને પળમૉળિ નાગૂરુ નાલડિ નાનૂર’નો અર્થ છે ચાર ચરણવાળા ચારસો છંદ. આને “નાલડિયાર' પણ કહે છે. તે ચારસો છંદોનો ઉત્તમ સંગ્રહ છે, જેના રચયિતા અનેક જૈનાચાર્ય Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ હતા. તેને જૈનસંપ્રદાયનો સ્મૃતિ-ગ્રંથ કહી શકાય. આ ગ્રંથ વિશે એક અનુશ્રુતિ પ્રચલિત છે – “એક સમયે પાંડ્ય દેશમાં ભારે દુકાળ પડ્યો. તે સમયે ત્યાં હજારો જૈનાચાર્યો રહેતા હતા. દુકાળની ભીષણતા જ્યારે અસહ્ય થઈ ગઈ, ત્યારે જૈનાચાર્યોએ ઉપહારસ્વરૂપ એક-એક પદ્ય રચીને પાંડ્યનરેશને અર્પણ કરી, ત્યાંથી પ્રસ્થાન કર્યું. આ પદ્યોમાંથી ઘણાંબધા પદ્ય તો વિનષ્ટ થઈ ગયા હતા. બાકી બચેલ ચારસો પદ્યોનો સંગ્રહ જ, પછીથી “નાલડિ નાગૂર' કે 'નાલડિયાર' નામે પ્રસિદ્ધ થયો.” આ સંગ્રહની મધુરિમાથી મુગ્ધ થઈને પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિદ્વાન્ ડૉ. પોપે તે સંગ્રહના કેટલાય ગીતોનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. આ ગ્રંથ તિરકારળની જેમ વિષયવિભાજનના આધારે અધિકારો (અધ્યાયો)માં વર્ગીકૃત નથી. તેમાં કેટલાય અદ્દભુત તત્ત્વોનું માર્મિક વર્ણન છે. આવા સરળ, સુબોધ તથા અચૂક પ્રભાવપૂર્ણ સુંદર નીતિપદ્ય અન્યત્ર ભાગ્યે જ મળે. કેટલાય પદ્યોમાં સંસ્કૃતના નીતિશ્લોકોનું ભાવાવતરણ અવશ્ય થયું છે, છતાંપણ તેમાં તમિલ વાણીની સહજ મધુરિમા તથા વિશિષ્ટ અભિવ્યંજના ચોક્કસ ભરેલી છે. નાલડિયાર' સંગ્રહમાં જૈનધર્મના જીવનસંબંધી તથા જનમંગલકારી અધિકાંશ મૂલ તત્ત્વો છે, જે ખૂબ માર્મિક શૈલીમાં લખેલાં છે. પદ્મનાર્ નામક જૈનાચાર્યે આ ચારસો પદ્યોનું સંકલન કર્યું અને તે પદ્યોને અધિકારો (અધ્યાયો)માં વિભક્ત કર્યા. તેમણે જ આ સંગ્રહની સુંદર તથા વિશદ વ્યાખ્યા પણ તામિલમાં કરી. કાલ-નિર્ણય “નાલડિયાર' સંગ્રહમાં “મુત્તરેય’ નામક સામંત રાજાઓનો ઉલ્લેખ મળે છે. મુત્તરૈય’ ત્રણે રાજાઓ (પાઠ્ય, ચોલ અને પલ્લવ)ના સામંતોનું નામ હોવાનું જણાય છે. “તરૈયર' જ સામંત કે નાના રાજાનું ઉપાધિનામ હતું. પલ્લવ તરૈયર પાડ્ય તરૈયર વગેરે નામો ઈતિહાસમાં મળે છે. આ સામંતોએ સાતમી સદીમાં પલ્લવ મહારાજાઓની સહાયતા કરી ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી. તે પાંડ્ય દેશના તંજાવૂરને પોતાની રાજધાની બનાવી શાસન કરતા હતા. નાલડિયાર'ના સંકલનકર્તા આચાર્ય પદુમનારે પોતાના સમકાલીન પેરુમુત્તરેયર નામક સામંતનો ઉલ્લેખ કર્યો છે. કેટલાક ઈતિહાસવેત્તાઓનું કહેવું છે કે સાતમી Page #165 -------------------------------------------------------------------------- ________________ ધર્મગ્રંથ ૧૩૭ સદીના પેરુપિડુક પુત્તરૈયરનું જ નામ પેરુમુત્તરૈયર હોવું જોઈએ. સાતમી સદીના મધ્યવર્તીકાલમાં પલ્લવનરેશ પરમેશ્વર પલ્લવની ઉપાધિ ‘પેરુપિકુ’ હતી. આથી સાબિત થાય છે કે સામંત પેરુમુત્તરૈયર પરમેશ્વર પલ્લવનો સમર્થક રાજા હતો અને ‘નાલડિયાર’ ગ્રંથનું સંકલન સાતમી સદીમાં જ થયું હતું. જોકે આ ગ્રંથનું સંકલન સાતમી સદીમાં થયું હતું, છતાંપણ રચનાકાળ તેની પહેલાંનો હતો. તેના કેટલાય પદ્ય ‘આડૂઉ મુન્નિલૈ' (પુરુષ સંબોધક) અને ‘મકઉ મુન્નિâ' (સ્ત્રી સંબોધક)ની પ્રાચીન પદ્ધતિમાં રચવામાં આવ્યા છે. ‘કાનકનાડન્’ (કાનનદેશીય), ‘મલૈનાડન્' (પર્વત પ્રદેશીય), ‘કડકરૈ ચેપ્પન્' (સમુદ્રતટ દેશીય) વગેરે નરેશોનાં નામ આ પદ્યોમાં ઉપલબ્ધ છે, પરંતુ એ જ્ઞાત નથી કે આ રાજાઓ ક્યા કાળ અને રાજ્યના હતા. ભાષા અને શૈલીની દૃષ્ટિએ ‘નાડિયાર’નાં પઘ ‘તિરુક્કર’ની પછી રચાયેલાં પ્રતીત થાય છે. પષ્ફિળ નાનૂ ‘પશ્િળ નાનૂરુ’ (ચારસો ધાર્મિક લોકોક્તિઓનો પદ્યાત્મક ગ્રંથ) પણ જૈનધર્મનું પ્રતિનિધિત્વ કરનારી કૃતિ છે. તેના રચિયતા હતા જૈનાચાર્ય મુન્ત્રૈ અરૈયનાર. મુન્ત્રૈ પારૢ દેશના એક સ્થાનનું નામ છે. તે સ્થાનના નિવાસી હોવાને કારણે તેમણે પોતાના નામની સાથે ‘મુન્ત્રૈ' જોડી દીધું હશે. આ ‘પણ્મૉળિ નાનૂરુ' ગ્રંથનું મંગલાચરણ અર્હત્ ભગવાનની સ્તુતિ રૂપે છે. આમાં કેટલાય સુવિખ્યાત સંઘકાલીન મહારાજાઓની પ્રશંસા કરવામાં આવી છે. આથી આ ગ્રંથ નિશ્ચિત રૂપે સંઘકાલ પછી જ રચિત છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે તમિલનાડુમાં પ્રચલિત લોકોક્તિઓને અંતિમ ચરણ રૂપે રાખીને, પૌરાણિક કથાઓ તથા ધાર્મિક તત્ત્વો દ્વારા લોકોક્તિની નિધિની મહત્તા સ્પષ્ટ કરવામાં આવી છે. વસુધૈવ કુટુંબકમ્, સર્વજનહિતાય, સર્વજનસુખાય – વગેરે ઉદાત્ત ભાવનાઓ આચાર્ય મુન્ત્રૈ અરૈયનારના પ્રત્યેક પદ્યમાં ઝલકે છે. આ ગ્રંથની શૈલીથી પ્રકટ થાય છે કે આ રચના ‘નાડિયાર' સંગ્રહનાં પદ્યોથી પણ પૂર્વવર્તી છે. ‘નાલડિયાર’ના પઘોની અપેક્ષાએ આ ગ્રંથની શૈલી સશક્ત તથા ગંભીર પ્રતીત થાય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ ચિરુ પંચ મૂલમ્ અને એલાદિ (સમુચ્ચય અંતર્ગત બે રચનાઓ) ‘ચિરુપંચમૂલમ્’ સો પઘોનો એક લઘુ ગ્રંથ છે. તેના રચિયતા છે માક્કાયન્ માણાક્કનાર્ ‘માક્કારિ આશાન્’. તેમણે ગ્રંથારંભે, અર્હત્ ભગવાનની સ્તુતિમાં લખ્યું છે – મુળુદુણન્દુ મુશાળિત્તુ મૂવાદા' (સંપૂર્ણ જ્ઞાનવાળા તથા આદિ-અંત રહિત ભગવાન). તામિલની સ્વનામધન્ય કવયિત્રી ઓવૈયારના નીતિપદ્યોને ‘ચિરુપંચમૂલમ્'થી પ્રેરણા મળી. આ ગ્રંથમાં ગુરુ, શિષ્ય, સિદ્ધ પુરુષ અને કવિ વિશે લાક્ષણિક તથા પ્રશંસાત્મક પદ્યો છે. ‘આતમ્' અને ‘ભૂતમ્' આ બંને શબ્દ મૂર્ખવાચક અર્થમાં તેમના સમયમાં પ્રયુક્ત કરવામાં આવ્યા હતા, જેનું પ્રમાણ આ લઘુ ગ્રંથના પઘોમાં જ મળે છે. આથી ‘તિરિકઠુક’ના રચયિતા ‘નલ્લાતના’ (‘આતનું બીજું રૂપ જ ‘આતના)ની પછી જ, અર્થાત્ ત્રીજી કે તેની પરવર્તી સદીમાં જ, આ ‘ચિરુ પંચ મૂલમ્'ની રચના થઈ હશે. ‘નલ્લાતનાર્' શબ્દ ઉત્તમ ગુરુ કે અર્હત્ ભક્તના શિષ્ટ અર્થમાં પહેલાં વ્યવહૃત થતો હતો. પછીના શૈવાચાર્યોએ અર્થ વૈપરીત્યનો પ્રચાર વ્યંગ્યપ્રયોગ દ્વારા કર્યો હશે, જેમકે ‘બુદ્ધ' શબ્દનું ‘બુદ્ધુ’ (મૂર્ખ) રૂપ પ્રચલિત થયું. આ ગ્રંથમાં જીવ હિંસાને ઘોર પાપ રૂપે પ્રભાવપૂર્ણ રીતે દર્શાવવામાં આવી છે અને સાથે જ, જીવ-રક્ષાની મહત્તા પણ સારી રીતે દર્શાવી છે. આ ગ્રંથકર્તાનો મત છે કે જે ધર્માચરણમાં અવિચલિત રહી ચૂક્યા છે, તે જ રાજા રૂપે અવતરિત થાય છે. ‘ચિરુ પંચ મૂલ'નો ભંજક તથા વ્યવહાર-પ્રચલિત અર્થ છે, પાંચ કંદોથી બનેલ ઔષધ (લેહ્ય). આ રીતે, આ ગ્રંથમાં પાંચ ઉત્તમ ધર્મતત્ત્વો વ્યક્ત કરનાર જૈનધર્મનું તથ્યપૂર્ણ વર્ણન છે. એલાદિ આ પણ જૈનધર્મવિષયક લઘુ ગ્રંથ છે. તેના રચિયતા ‘કણિમેધાવિયાર' છે. તેમને ‘કણિમેખૈયાર’ પણ કહે છે. તે પૂર્વોક્ત ‘ચિરુ પંચ મૂલમ્’ના રચયિતા માક્કારિ આશાના સહપાઠી હતા. ‘એલાદિ’નો અર્થ છે ‘ઈલાયચી વગેરે’, તાત્પર્ય એ છે કે ઈલાયચી વગેરે છ વસ્તુ ભેગી કરી બનાવવામાં આવેલ ઔષધ અને આ ૧. આનો અર્થ છે, આચાર્ય માક્કામના શિષ્ય. Page #167 -------------------------------------------------------------------------- ________________ ધર્મગ્રંથ ૧૩૯ જ રીતે આ ગ્રંથ પણ જનજીવનને પવિત્ર તથા સ્વસ્થ બનાવનાર છ ઉત્તમ ધર્મોનું વર્ણન કરે છે. છ ઉત્તમ ધર્મોનો સમ્મિલિત નિર્દેશ હોવાથી આ પણ “એલાદિ ઔષધિ સમાન તન-મનને સ્વસ્થ તથા પવિત્ર બનાવે છે. કણિમેધયારે પૂર્વસંચિત પુણ્યની અવશ્યભાવિતા પર ભાર આપ્યો છે. આ ગ્રંથમાં તેમણે મુક્તિની મહત્તા અને તેને પ્રાપ્ત કરવાના ઉપાયોનું સુંદર વર્ણન કર્યું છે. વિદ્યા અને શિક્ષણની મહત્તાને તેમણે અધિક ઉપાદેય સમજી. “વિદTધને સર્વધનાત્ પ્રધાનમ', “વિદ્યાભૂષણમેવ ભૂષણમ્ વગેરે ભાવ તેમના પદ્યોમાં અધિક મળે છે. આ જ કણિમેધિયારે નાયક-નાયિકા ભાવ અને સ્વસ્થ ગાઉથ્ય જીવન પર તિર્ણમાલે નટ્રેમ્પદુ’ નામના દોઢસો પદ્યોવાળા બીજા ગ્રંથની રચના કરી છે. આ જ પ્રકારના ગ્રંથોમાં કાર નાર્પ, ઐતિર્ણ પદુ, ઐતિર્ણ એવુપ, તિર્ણ મોળિ ઍપદુ અને મૈત્રિલે ઉલ્લેખનીય છે, જે જૈનેતર કવિઓ દ્વારા રચિત હોવા છતાં પણ સમુચ્ચયના અઢાર લઘુ ગ્રંથો અંતર્ગત ગણાય છે. તેમના દ્વારા તત્કાલીન સ્વસ્થ પારિવારિક જીવનની ખબર પડે છે અને તેમાં સંસ્કૃતના તત્સમ તથા તદ્ભવ શબ્દો ય અધિક મળે છે. જૈનેતર હોવા છતાં પણ જૈનતત્ત્વ-પ્રભાવિત ગ્રંથો ઇન્ના નાપૈદુ (અહિત ચાલીસી), “ઇનિય નાર્પ” (હિત ચાલીસી), “તિરિ કડકમ્', “નાન્ મણિ ઘટિકે”, “આચાર કોવૈ', “મૃદુ મૉળિ કાંતિ વગેરે ગ્રંથો જે ઉક્ત સમુચ્ચય અંતર્ગત છે, તે જૈનેતર કવિઓ દ્વારા વિરચિત હોવા છતાં પણ, પ્રધાનપણે જૈન ધર્મ તત્ત્વોનું સમર્થન કરે છે. “ઊનૈત્ તિવ્ર ઊનૈપૂ પૈરુત્તલું મન્ ઇન્ના' માંસભક્ષણ કરી માંસને (પોતાના શરીરને) વધારવું પાપ કે અહિત છે. “ઈન્ના નાર્પદુનો આ જ ઉપદેશ “ઇનિય નાર્પદુ' ગ્રંથમાં પણ છે. તેમાં કહ્યું છે, “ઊનૈત્ તિવ્ર ઊર્ન પેરુક્કામૈ મુન્ ઇનિદે' માંસ ખાઈને માંસ (શરીર)ને ન વધારવું જ સારું કે હિતકારી છે. આ જ રીતે “તિરુકડુકમ્માં પણ આ ઉપદેશનું બીજું રૂપ આપવામાં આવ્યું છે કે “જે રોજ માંસભક્ષણ કરતો, બીજા જીવ સાથે સ્નેહ કરવાનો દંભ કરે છે, તેના તે ઢોંગી સ્નેહથી શું લાભ?” “નાનું મણિ ઘટિકૈ'માં જીવહત્યા, આમિષભોજન વગેરેનું પ્રભાવપૂર્ણ રીતે ખંડન છે. આ બધા ધાર્મિક તત્ત્વોનો ઉપદેશ સંઘકાલીન ગ્રંથ “પસ્ક્રિનપ્પાલેમાં પણ ગૌણ રૂપે છે, જે “પતિનૈણુ કળુ કણકુના સમયમાં Page #168 -------------------------------------------------------------------------- ________________ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ પ્રધાન વર્જ્ય વિષય હતા. આનાથી તે સ્પષ્ટ પ્રતીત થાય છે કે જીવનોપયોગી ધાર્મિક તત્ત્વ પોતાના વિપક્ષી કે વિરોધી સંપ્રદાય દ્વારા પ્રચારિત હોવા છતાં પણ શૈવ, વૈષ્ણવ વગેરે કવિઓએ તેનો સમાદર કર્યો અને યથાસંભવ તેમને જનમનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો. ૧૪૦ પતિનૅણ્ કીળુ કણક્કુ’ની અન્ય વિશેષતાઓ આ ગ્રંથો દ્વારા તત્કાલીન સામાજિક સ્થિતિની ખબર પડે છે. ‘ચિરુ પંચ મૂલ'ના એક પદ્યનો આશય એ છે કે ચામડાના નકલી વાછરડાંને પાસે ઊભું રાખી દૂધ દોહે છે, એવા નિકૃષ્ટ દૂધને, જેની પવિત્ર પેય પદાર્થોમાં મુખ્ય ગણના છે, શિષ્ટ લોકો અડવું પણ પાપ સમજે છે. ભ્રૂણહત્યા, ગર્ભપાત, શિશુમ૨ણ, અકાળમૃત્યુ વગેરે તે સમયની સહજ ઘટનાઓ હતી. ‘ઈનિય નાર્પદુ’માં ‘શિશુઓને સ્વસ્થ રાખવા પરમ હિત છે'નો ઉપદેશ છે. ‘ચિરુ પંચ મૂલમ્’માં ભ્રૂણહત્યા, ગર્ભપાત વગેરેને ઘોર પાપ કહીને, કુમારી કન્યાઓની રક્ષા અને દેખરેખ ખૂબ સાવધાનીથી કરવાની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ‘અત્યુટ મુખ્યપાલૈ: રૂદેવ તમસ્તુતે' પુણ્ય કે પાપની અતિ થઈ જાય ત્યારે, તેનું ફળ આ જ જન્મમાં મળી જાય છે - આ તત્ત્વનું સમર્થન આ ગ્રંથોમાં અધિકતર થયું છે. દાનને પરમ ધર્મ માનવાની જે પરંપરા જૂના સમયથી ચાલી આવી છે, તેમાં પરિસ્થિતિ મુજબ કેટલાક સુધારા પણ આ ગ્રંથકર્તાઓએ કર્યા છે અને તેને પણ ધર્મનું આવરણ પહેરાવી જનતા સમક્ષ રજૂ કર્યા છે. પોતાનું બધું જ ન્યોછાવર કરીને પણ પોતાની દાનશીલતાનું પરિપાલન કરનાર પરિવળ, કુમણન્, પેકન્, કર્ણ, હરિશ્ચન્દ્ર વગેરે મહાદાનીઓની ગુણગાથા ગાનારી સાહિત્ય-પરંપરામાં એક નૂતન પ્રક્ષિપ્ત રીતિનો સમાવેશ કરી દીધો જૈનાચાર્યોએ. - ‘ઇન્ના નાર્પદુ’ (અહિત ચાલીસી)ની એક પંક્તિ જુઓ, ‘ત્રા પૉરુાિર વÊ પુરિવુ' (પોતાની પાસે પર્યાપ્ત ધન ન રાખનાર માટે દાની બનવું અહિતકર છે) આ મતનું પૃષ્ઠપોષણ ‘ઇનિય નાર્પદુ' (હિતચાલીસી)માં આ મુજબ થયું છે, ‘વવારિન્તુ વ ંત્ નિવે” (આવક અનુસાર જ દાનપુણ્ય કરવું હિતકર છે). આ વિષયમાં ‘તિßિકમ્’નો ઉપદેશ જુઓ, ‘વવાયુ∞ જાણ્ વ ંશિ વાળૂ વત્' (આવકનો એક ચતુર્થાંશ ભાગ દાનમાં વહેંચવો સફળ જીવનયાપન કરનારનું કર્તવ્ય છે). Page #169 -------------------------------------------------------------------------- ________________ ધર્મગ્રંથ આ સિવાય ઉધાર ન લેવું તે પણ ધર્માચરણ માનવામાં આવ્યું. ‘ડમુન્ડુ વામ ાઽતિનિવે” (ઋણી ન બનીને જીવવું જ હિતકર છે) – ‘ઇનિય નાર્પદુ’. સંસ્કૃત પ્રભાવ ‘પતિનાથ્ કીન્ કણક્કુ’ સંગ્રહના ગ્રંથોમાં સંસ્કૃતના સ્મૃતિ તથા નીતિગ્રંથોનો પ્રભાવ પણ પર્યાપ્ત રૂપે જોવા મળે છે. આ સંગ્રહના એક ગ્રંથ ‘આચાર કોવૈ’ના રચિયતા પવડિયલ્ મુળિ વિશે એક પદ્યાંશ બતાવે છે કે જૂના ગ્રંથો તથા આચાર્યો દ્વારા પ્રાપ્ત કરેલા સદાચારોને સંગૃહીત કરી સુબોધ ભાષામાં ઉક્ત વિદ્વાને આ ગ્રંથ લખ્યો. પ્રચલિત જન-પ્રથાઓનું વર્ણન પણ આમાં છે. ઉદાહરણાર્થ, ભોજન શરૂ કરતાં પહેલાં હથેળી પર પાણી લઈને ‘પરિષેચન' (થાળી કે પતરાળીની ફરતી મંડલાકાર જલરેખા બનાવવી) કરવું વગેરે દૈનંદિન આચાર-પ્રથાઓ વર્ણિત છે. સંસ્કૃતના આચારગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે કે વગર પરિષચન કરે ખાવાથી, ભોજન અપવિત્ર જ નથી થતું, બલ્કે ભૂત-પિશાચાદિ તેના પોષક તત્ત્વો લઈ જાય છે. પરંતુ તામિલના ‘આચારકોવૈ'માં બતાવવામાં આવ્યું છે, “સ્નાન કર્યા વિના, પગ ધોયા વિના અને પરિષેચન કર્યા વિના ખાવાથી પણ એટલું પાપ નથી, જેટલું માત્ર કોગળા સુદ્ધાં ન કરીને ખાવાથી લાગે છે” તેનાથી ઉક્ત ગ્રંથકર્તાનો આશય એ જણાય છે કે માત્ર કોગળાં કરી ભોજન કરવું પણ માન્ય આચાર જ હશે. આથી કેટલાક સ્મૃતિ તથા આચાર ગ્રંથોની પહેલાં જ આની રચના થઈ ગઈ હશે, એવું લાગે છે. દાયભાગના જે નિયમો સ્મૃતિગ્રંથોમાં વર્ણિત છે, તેને જૈનાચાર્યોએ પોતાના આવા લઘુગ્રંથો દ્વારા અનુકરણીય બતાવ્યા છે. આ નિયમો દક્ષિણ માટે કદાચ જૈનાચાર્યો દ્વારા જ સંસ્કૃતમાં લાવવામાં આવેલ જણાય છે. જૈનાચાર્ય કવિ મેધાવિયારે પોતાના ગ્રંથ ‘એલાદિ’માં દાયભાગ વિશે જે નિયમ બતાવ્યો છે, તેનું પદ્ય આ છે ૧. ઔરસ (પુત્ર), ૪. ગઢપુત્ર, 'माण्डवर् माण्ड अरिविनाल् मक्कळैप् पूण्डवर् पोट्रि पुरक्कुंगाल - पूण्ड औरसने' कोत्तिरचन् कानीनन् कूटन् • किरितन् पौनर्पवन् पेर् ૨. ગોત્રજ, ૫. ક્રીતપુત્ર, ૧૪૧ ૩. કાનીન, ૬. પુનર્ભવિક. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ मत्तम् मयिलन्न शायलाय मनिय शीर् दत्तन्' चकोटन् किरित्तिरमन् - पुत्तिरिपुत्रन् पवित्तनोडु' पोज्यिलुपकृतन् इत्तिरत्त एंधिनार् पेर् પિતાના દેહાવસાન પછી તેમની સંપત્તિના આ બાર પુત્રો ક્રમશઃ ઉત્તરાધિકારી થઈ શકે છે અને તેમાંથી દત્તક પુત્રને છોડી અન્ય પ્રત્યેક પુત્ર પોતાનાથી પૂર્વનિર્દિષ્ટ પુત્ર ન હોવાની સ્થિતિમાં જ પૈતૃક સંપત્તિનો ભાગીદાર થઈ શકે છે. આ અઢાર લઘુગ્રંથોની ઉલ્લેખનીય વિશેષતાઓ છે – શબ્દલાઘવ, સંગત ઉપમા, રોચક તથા પ્રભાવપૂર્ણ દૃષ્ટાંતરૂપ ઉપકથાઓ, સરસ, સરળ ભાષા અને અભિવ્યંજના. તામિલની લોકપ્રિય તથા સ્વનામધન્યા કવયિત્રી ઔવૈયાર તથા અન્ય આચાર્યો દ્વારા રચિત તથા સર્વાધિક સમાદત નબૅરિ, નીતિનેરિવિલક્કમુ, નવું વળિ; વાક્ડામ્, નીતિનૂલ, અરબૅરિસારમ્ વગેરે નીતિગ્રંથોનો પ્રેરણાસ્ત્રોત “પતિનેણ. કાળુ કણકું સંગ્રહ જ છે. જૈનાચાર્યોએ બૌદ્ધ ભિક્ષુઓની જેમ સાધારણ જનતાની સેવા વિદ્યાભ્યાસ, સ્નેહપૂર્ણ સહયોગ તથા હાર્દિક સહાનુભૂતિ દ્વારા કરી અને તે યુગના અધિકાંશ જૈનાચાર્યો લબ્ધપ્રતિષ્ઠ વૈદ્ય પણ હતા. આથી સેવા-સુશ્રુષા સાથે સારી ઔષધિઓ દ્વારા જનતાની ચિકિત્સા કરી લોકપ્રિયતા તથા શ્રદ્ધા પ્રાપ્ત કરવાનો સુયોગ જૈનોને પ્રાપ્ત હતો. આ જ કારણે તેમણે વૈદ્ય રૂપે જનતા પાસેથી પ્રાપ્ત શ્રદ્ધા-આસ્થાની કૃતજ્ઞતાસ્વરૂપ પોતાના ગ્રંથોના નામોમાં પણ “તિરિકટુકમ' (ત્રણ ઔષધ-વસ્તુઓથી બનેલી દવા ચૂર્ણ), એલાદિ (ઈલાયચી વગેરે છ વસ્તુઓથી તૈયાર કરેલું લેહ્ય ઔષધ), “ચિરુ પંચ મૂલમ્' (પાંચ કંદોથી બનાવેલ લેહ્ય ઔષધ) વગેરેનો પ્રયોગ કર્યો છે. ધાર્મિક અને નૈતિક લઘુ કથાઓ જાનવરોને મુખ્ય પાત્ર બનાવીને, તેમના આચરણ અથવા આખ્યાન દ્વારા ધાર્મિક અને નૈતિક તત્ત્વોનું રોચક ઢંગે પ્રતિપાદન કરવાની પરિપાટી પુરાતન કાળથી ચાલી આવી છે. ઉપનિષદો અને ઈતિહાસ-પુરાણોમાં પણ આવી બોધક કથાઓ મળી આવે છે. પંચતંત્ર, હિતોપદેશ, બુદ્ધજાતક અને ઈસપની પ્રેરક ૧. દત્તક, ૪. દોહિત્ર, ૨. સગોત્ર, ૫. પૌત્ર, ૩. કૃત્રિમ, . ૬. ઉપકૃત પુત્ર. Page #171 -------------------------------------------------------------------------- ________________ ધર્મગ્રંથ કથાઓ, જે પશુ-પક્ષીઓને પાત્ર બનાવીને રચવામાં આવી હતી, આજે પણ સાર્વજનિક પ્રસિદ્ધિથી ગૌરવાન્વિત છે. નોળિયા-બ્રાહ્મણીની કથા તામિલ મહાકાવ્ય ‘શિલપ્પધિકારમ્’માં પણ પ્રવેશ મેળવી ગઈ, અને તત્કાલીન કેટલાય ગ્રંથોમાં પણ ઉદ્ધરણ, દૃષ્ટાન્ત વગેરે રૂપે કેટલીય નીતિકથાઓ મળી આવે છે. અઢાર ‘કીટ્ કણક્કુ' ગ્રંથોમાં તો મુખ્યત્વે પંચતંત્ર, જાતક, જૈન મહાપુરાણ વગેરેની બોધક નીતિકથાઓ ઉપલબ્ધ થાય છે. પહેલાં જ કહેવાઈ ચૂક્યું છે કે આવી લોકકથાઓ સુદૂર દેશ-વિદેશ સુધી ફેલાઈને, ત્યાંના સાહિત્ય દ્વારા જન-મનમાં ઘર કરી ચૂકી છે. પ્રાચીનતમ લક્ષણ ગ્રંથ ‘તોલકાપ્પિયમ્’માં પણ પંચતંત્રની કેટલીય રોચક કથાઓ વર્ણિત છે. તામિલ મહાકાવ્ય ‘જીવક ચિંતામણિ'ના રચયિતા જૈન કવિ તિરુત્તક્ક દેવર્ના નામથી ‘નિવિરુત્તમ્’(શીયાળની વાર્તા) નામે એક નાનો પદ્ય ગ્રંથ મળે છે. આમાં પંચતંત્રના ‘મિત્રલાભ'ની કથા સુંદર પઘોમાં વર્ણિત છે. ૧૪૩ શૈવ સંત સાહિત્ય ‘તેવારમ્’માં તે વાતનો ઉલ્લેખ છે કે જૈનાચાર્યોએ ધાર્મિક અને નૈતિક તત્ત્વો જનસાધારણમાં પ્રસારિત કરવાના ઉદેશ્યથી મુખ્યત્વે બાલોપયોગી સાહિત્ય રૂપે, ‘એલિ વિરુત્તમ્' (ઉંદરની કથા), ‘નરિ વિરુત્તમ્’, કિળિ વિરુત્તમ્ (પોપટની કથા) વગેરે નાના-નાના પઘ-ગ્રંથોની રચના કરી હતી. આમાં નિર્દિષ્ટ ‘નરિ વિરુત્તમ્’‘શીયાળની વાર્તા'થી ભિન્ન છે. ‘વૃત્તમ્'નો અર્થ છંદ પણ છે. તે અનુસાર પ્રાચીન જૈનાચાર્યો માટે ‘એલિ વિરુત્તમ્’ વગેરે ગ્રંથ ‘કલિત્તુરૈ’ નામક તામિલ છંદમાં રચિત હતા. તામિલમાં મુખ્યત્વે કલિઝુનૈને જ, જેનું અપરનામ ‘કટ્ટળે કલિત્તુરૈ’ છે, ‘વિરુત્તમ્’ (વૃત્ત) કહે છે. આથી તે ગ્રંથો ‘વિરુત્તમ્’ છંદમાં રચવામાં આવવાને કારણે પણ ‘એલિ વિરુત્તમ્’ વગેરે નામે ઓળખાયા. જૈન કવિ તિરુત્તક્ક દેવર્ રચિત ‘નરિ વિરુત્તમ્’માં તો ‘વિરુત્તમ્' છંદ નથી. આથી તેનો અર્થ ‘શીયાળનું વૃત્ત (વૃત્તાંત)' લેવો સંગત થશે. ‘કિળિ વિરુત્તમ્’ સંભવતયા સંસ્કૃતની ‘શુક સપ્તશતી’ સાથે સંબંધિત હોઈ શકે છે. જૈનાચાર્યોએ કેટલીય એવી લોકકથાઓનો પ્રાન્તીય ભાષાઓમાંથી સંસ્કૃતમાં અનુવાદ કર્યો હતો. આની ચર્ચા એક શ્વેતાંબર જૈન વિદ્વાને પોતાના સંસ્કૃત ગ્રંથમાં કરી છે. એમ પણ સંભવ છે કે ઉક્ત ‘કિળિવિરુત્તમ્’ વગેરે નીતિ-કથાઓ તામિલમાંથી જ ‘શુક સમતિ' વગેરે રૂપે સંસ્કૃતમાં આવી હોય. Page #172 -------------------------------------------------------------------------- ________________ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ જૈનાચાર્યોએ સાધારણ રીતે ધાર્મિક અને નૈતિક તત્ત્વોના પ્રચાર માટે આવી બોધક લઘુકથાઓની રચના કરી હતી. દેશ, કાળ, પરિસ્થિતિ વગેરે સાથે અનુકૂળ પરંપરાગત કથાઓમાં થોડું-ઘણું પરિવર્તન પણ તેઓ કરી નાખતા હતા. આવી પ્રાચીન અને નવીન કથાઓ જૈનાચાર્યો દ્વારા જ તામિલને મળી, જે પદ્ય અને ગદ્ય બંને રૂપે રચવામાં આવી હતી. દુઃખની વાત છે કે હજી સુધી કેટલાય ગદ્યાત્મક નીતિ-ગ્રંથો મુદ્રિત નથી થયા અને તે તાડપત્રો રૂપે સુરક્ષિત છે. ૧૪૪ ‘મણિપ્રવાલ’ શૈલી (તામિલ-સંસ્કૃત મિશ્રિત શૈલી)ના પ્રવર્તનમાં જૈનાચાર્યોનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું. આ વાતનો ઉલ્લેખ શૈવ ‘તેવારમ્’માં આ મુજબ મળે છે કે ‘જૈનોએ શુદ્ધ મધુર તામિલ (ચૅન્તમિળૂ)નું પ્રયોજન ન જાણ્યું.’ મતલબ એ થઈ શકે છે કે સંસ્કૃતને આવશ્યકતાથી અધિક ભેળવીને તામિલના વિશિષ્ટ તથા સ્વતંત્ર સ્વરૂપને કલુષિત કરી નાખવામાં આવ્યું. જે પણ હોય, કલલ્મોના શાસન-કાળમાં જ્યારે સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાઓના આધિક્યથી તામિલની દુર્ગતિ થઈ, ત્યારે જૈનાચાર્યોએ જ પોતાની સાહિત્યસેવા તથા ધર્મપ્રચાર દ્વારા તામિલની રક્ષા કરી હતી. તેમણે પોતાના ધાર્મિક પ્રચારનું માધ્યમ બનાવી તામિલ ભાષાને; આ જ કારણે ભાષા તથા ધર્મ બંનેનો સાથેસાથે વિકાસ તથા પ્રસાર થતો ગયો. જૈનાચાર્યોના વિશુદ્ધ તામિલપ્રેમનું એક જ્વલંત ઉદાહરણ છે ‘તિરુનાથ કુન્દ્રમ્’ (શ્રીનાથ ગિરિ)નો શિલાલેખ. આ શિલાલેખ તમિલના પ્રાચીનતમ અભિલેખોમાંનો છે. આમાં ઉત્કીર્ણ તામિલ પંક્તિઓ છે – “ોંપવેવ્ઝ ચૈનમ્ નોટુ વંતિ નંતિ સાવિત્િ નિીતિઐ અર્થાત્ સત્તાવન જૈન સાધુઓની પરિચર્યા કે આરાધના (સેવા) કરનાર ચન્દ્રનન્દી આચાર્યની નિચીતિકા (?)”. - ....... * Page #173 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમ્-૧ શિલપ્પધિકારમ્ કાપ્પિયમ્' (કાવ્યગ્રંથ) કે “તોડર નિલેંચેટુળ' (એક વિષય કે ચરિત પર આધારિત પદ્યસમૂહ) સંઘકાલમાં પ્રચલિત ન થયા. “પેરુમ્ પંચ કાવિયમ્ કે “ઐરમ્ કાપ્પિયમ્' (પંચ મહાકાવ્ય) અને “ચિરુ પંચ કાવિયમ્' કે “ઐચિર કાપ્પિયમ્' (પંચ લઘુકાવ્ય) નામથી પાછળથી જ વિભાજન થયું હતું. પંચ મહાકાવ્ય આ છે – ૧. શિલપ્પધિકારમ્, ૨. મણિમેખલે, ૩. જીવક ચિંતામણિ, ૪. કુંડલ કેશી અને ૫. વલૈયાપતિ. શિલપ્પધિકારમેના રચયિતા શીર્ષસ્થાનીય મહાકાવ્ય “શિલપ્પધિકાર'ના રચયિતા શ્રી ઇનંગો અડિગળુ હતા. તેઓ આ કાવ્યના મુખ્ય પાત્ર ચેરનરેશ ચંગુઠુવન્ના નાના ભાઈ હતા. આ મહાકાવ્યની અસાધારણ વિશેષતા એ છે કે આનો ચરિતનાયક કોવલનું એક સાધારણ વણિક છે અને ચરિતનાયિકા પણ તેની પત્ની કર્ણકિ વણિકપુત્રી હતી. પૂર્વ પ્રથાનુસાર રાજા, મહારાજ કે કોઈ અવતારી પુરુષને ચરિતનાયક ન માનતાં, એક વણિક-યુવક અને તેની પત્નીને મુખ્ય પાત્ર બનાવવાની શરૂઆત આ જ કાવ્યથી થઈ છે. આનાથી ખબર પડે છે કે તે કાળમાં વણિકોની સમાજમાં ખૂબ પ્રતિષ્ઠા હતી. કાવ્ય કથા કોવલનું અને કણકિ બંનેના આનંદમય જીવનમાં, સુંદર નર્તકી માધવીનો પ્રવેશ ખળભળાટ મચાવી મૂકે છે. ભોગલિપ્સ કોવલનું માધવીના મોહપાશમાં પડીને સતી કણકિને ભૂલી જાય છે. જ્યારે બધી સંપત્તિ માધવીને ભેટ ચડી ગઈ ત્યારે કોવલનુને સ્વયં પોતાની દીન સ્થિતિ પર ગ્લાનિ થાય છે. હવે માધવીના મીઠાં ઉપહાસભર્યા મહેણાં તેના ખિન્ન મનમાં ખૂંચવા લાગ્યા. તે પ્રેયસીથી રિસાઈને હમેશા માટે તેને છોડી, પોતાની પત્ની કણકિ પાસે ચાલ્યો જાય છે. કર્ણકિનું એક બહુમૂલ્ય ઝાંઝર વેચીને તેનાથી ફરી વ્યવસાય કરવાનો નિશ્ચય કરે છે. બંને Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ પોતાના જન્મસ્થાન, પૂષ્પહાર નગરી છોડી પાડ્ય રાજધાની મદુરે તરફ ચાલી નીકળ્યા. માર્ગમાં જૈન સાધ્વી કવૃત્તિ અડિગળુના દર્શન થયાં. તે સભ્ય તથા ગુણી દંપતિ પ્રત્યે જૈનસાધ્વીનો સ્નેહ સહેજે જ ઊભરાઈ આવ્યો અને તેમણે બંનેને જૈનધર્મના સિદ્ધાંતોનું વિશદ જ્ઞાન કરાવ્યું. તે સતી કણકિના સદાચરણ તથા ઉત્તમ વ્યક્તિત્વથી એટલી પ્રભાવિત થઈ કે તેને “કર્યુ કડવુળ (પાતિવયની દેવી) નામે વિભૂષિત કરવા લાગી. - ત્રણે મદુરા નગરી પહોંચ્યા. માર્ગમાં જ કોવલને પોતાની પ્રેયસી માધવીના પ્રેમની જાણકારી એક બ્રાહ્મણ દ્વારા મળે છે. મદુરા નગરીના સીમાવર્તી ગોવાળોની વસ્તીમાં, જૈનસાધ્વી કવૃત્તી અડિગળની વિનંતીથી, એક ગોવાળના અતિથિ બની કોવલનુ-કશ્મીકિ રોકાયા. કોવલનું પોતાની પત્ની પાસેથી એક ઝાંઝર લઈ તેને વેચવા માટે શહેરમાં ગયો અને રાજમાર્ગમાં એક દરબારી સ્વર્ણકાર સાથે તેનો ભેટો થયો. તે સ્વર્ણકાર ધૂર્ત અને ચોર હતો. તેણે પહેલાં જ મહારાણીનું એક ઝાંઝર સમારકામના બહાને હડપ કરી લીધું હતું. સંયોગવશ, આવા મોકા પર કોવલનું પોતાની પત્નીના ઝાંઝર સાથે તેના ચક્કરમાં ફસાઈ ગયો. ખાસ વાત એ હતી કે મહારાણીનું ઝાંઝર અને કોવલનું ઝાંઝર બંને એક જેવા દેખાતા હતા. એટલે ચાલાક સ્વર્ણકારને પોતાની ચાલ ચાલવાનો એક મોકો મળી ગયો. તે કોવલનુને એક સ્થાને બેસાડીને, તરત પાઠ્ય નરેશ પાસે પહોંચ્યો અને કોવલને મહારાણીના ઝાંઝરનો ચોર બતાવ્યો. તે સમયે પાડ્યનરેશ પ્રણયકલહને કારણે રિસાયેલી પોતાની રાણીને મનાવવા માટે જલ્દી જઈ રહ્યો હતો. એક તો કામોદ્રેકથી તેની મતિ અસંતુલિત હતી, અને બીજું મહારાણીની જ ફરિયાદ હતી. આથી તરત રાજાએ, “જો ચોર હાથોહાથ મળી જ ગયો હોય, તો તેને મારવા માટે લઈ જાઓ !” – એમ કહેવાને બદલે ક્રોધાવેશમાં એમ કહી દીધું કે “તે ચોરને મારીને આવો.” રાજાની આજ્ઞા તરત જ અમલમાં મૂકવામાં આવી. આ દુઃખદ વૃત્તાંત કાનોકાન શહેરમાં ફેલાઈ ગયો. જ્યારે કણકિએ આ સાંભળ્યું, તો તે શોકવિહ્વળ થઈ મૂચ્છિત થઈ ગઈ. તે પતિવ્રતા એક તરફ પોતાના પ્રાણપ્રિય ભર્તાના અન્યાયપૂર્વક માર્યા જવાથી અસીમ દુ:ખી હતી, તો બીજી તરફ ગુણી પતિદેવ પર ચોરીનો મિથ્યા અપરાધ લાગવાનો તેને અસહ્ય સંતાપ પણ હતો. ક્રોધાવિષ્ટ કર્ણકિ મુક્તકેશિની બની સીધી પાડ્ય રાજાની સભામાં ગઈ અને તેને લલકારતી બોલી, “મારા પતિ દેવ નિર્દોષ છે. મારી પાસે તેનું પ્રમાણ છે.” Page #175 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમ્-૧ ૧૪૭ તરત કષ્ણકિએ પોતાના પતિ પાસેથી ઝૂંટવી લેવામાં આવેલું ઝાંઝર ભરી રાજસભામાં જોરથી પટકી દીધું. આશ્ચર્ય ! તે ટેલાં ઝાંઝરમાંથી ચમકતાં માણેક નીકળી ચારે તરફ વીખરાઈ પડ્યા. રાણીના ઝાંઝરમાં તો પાંડ્ય દેશના સંપત્તિ સ્રોત મોતી ભરેલાં હતા. હવે રહસ્ય ખૂલી ગયું અને પાંડ્ય રાજાને પોતાના નિકૃષ્ટ અન્યાયથી એટલું દુઃખ થયું કે તત્કાળ જ તેની હૃદયગતિ રોકાઈ ગઈ અને તે સિંહાસનથી નીચે પડી નિપ્રાણ થઈ ગયો. તેની દેવી પણ પતિવિયોગની જ્વાળાથી સળગી ત્યાં જ “સતી થઈ ગઈ. શોક તથા ક્રોધથી સંતપ્ત સતી કણકિનો હૃદયતાપ આનાથી પણ શાંત ન થયો. આવા ભ્રષ્ટાચારી વંચક સ્વર્ણકાર અને વાસનાને વશ થઈને ન્યાયતુલાથી વિચલિત બનેલ પાડ્ય નરેશની રાજધાનીને ભસ્મસાત્ કરી નાખવી એ જ કણકિને ઉચિત પ્રતીકાર લાગ્યો. તેણે પોતાના જમણું સ્તન મરોડી અલગ કર્યું અને રુધિરસિક્ત તે સ્તનમાંસને મદુરા નગરી પર ફેંક્યુ. રક્ત પડતાં જ સહસ્ત્ર જ્વાલાઓ સાથે ભીષણ દાવાનળે મદુરાને ઘેરી લીધું; અને પળવારમાં તે નગર અગ્નિ શિખાઓનો શિકાર બની ગયું. તે સમયે મદુરા નગરીની અધિષ્ઠાત્રી દેવી કણકિ સામે પ્રકટ થઈ બોલી, “આ બધી દુર્ઘટનાઓ પૂર્વ-જન્મકૃત કર્મનાં ફળ છે. આથી તું દુઃખી ન થા.” અને, તે જ દેવીના નિર્દેશાનુસાર કણકિ શાંત થઈને વૈમૈનદીના કિનારેથી પાંડ્યદેશ છોડી ચેરદેશ (કેરળ) તરફ પગપાળા જ ચાલી નીકળી. પંદરમા દિવસે ચેરદેશની સીમાવર્તી એક પહાડી પર “વેંગે વૃક્ષ નીચે પહોંચી. તે સમયે દેવપુરુષ રૂપે કોવલનું એક વિમાન પર આરૂઢ થઈ નીચે ઊતરી આવ્યો અને પોતાની સતી-સાધ્વી પત્ની કણકિને સાથે લઈ આકાશમાર્ગે ચાલ્યો ગયો. આ અભુત દૃશ્ય ત્યાંના “કુરવ' નામના પહાડી લોકોએ જોયું અને તરત જઈને ચેરનરેશ ચંગુઠ્ઠવન પાસે પોતાની નજરે જોયેલી ઘટનાનું વર્ણન કર્યું. ચેરનરેશ સતી કર્ણકિનો આખો વૃત્તાંત પોતાના મિત્ર તથા કવિવર ચારનાર પાસેથી સાંભળી ગદ્ગદ્ થઈ ગયો. શ્રદ્ધા-ભક્તિથી પ્રેરિત થઈ તેણે નિશ્ચય કર્યો કે હિમાલયમાંથી શિલા લાવીને સતી દેવી કણકિની મૂર્તિ બનાવવામાં આવે. આથી દળકટક સહિત ચેરરાજાએ ઉત્તર તરફ વિજયયાત્રા કરી અને માર્ગમાં સંઘર્ષ કરનાર ઉત્તર ભારતીય રાજાઓને પરાસ્ત કર્યા. મુખ્યત્વે કનક અને વિજય નામના બંને પ્રતિદ્વન્દીઓને “કુયિલાલુવમ્” (હિમાલયમાં એક સ્થાન) નામક પ્રદેશ પર ૧. વ્યાખ્યાકારે આ સ્થાન વિશે લખ્યું છે તે હિમાલય ઉપર આવેલ છે અને ત્યાં એક અર્ધનારીશ્વરનું - મંદિર છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ સમરાંગણમાં પરાજિત કર્યા. અને ચેંગટ્ટવન હિમાલયથી લાવેલી શિલાને ગંગામાં નવડાવી, તે પરાજિત રાજાઓના માથા પર લદાવી પોતાની રાજધાની પાછો ફર્યો. તેને મંદિરમાં વિધિવત્ પ્રતિષ્ઠિત કરી. તે સમયે કર્ણકિ દેવી સ્વયં પ્રગટ રૂપે આવિર્ભત થઈને ચેરનરેશને આશીર્વાદ આપે છે, પાચનરેશનો અપરાધ માફ કરી તેને પિતાતુલ્ય કહી તેની પ્રશંસા કરે છે. આ મહોત્સવમાં ભાગ લેનારાઓમાં સિંહલ (લંકા)ના તત્કાલીન રાજા કયવાહુ (ગજબાહુ) પણ હતા અને ઉત્તર ભારતથી બંદી બનાવીને લવાયેલ રાજા કનક અને વિજય બંનેને ચેરનરેશે મુક્ત કરી સમ્માન્ય મંત્રી બનાવી દીધા. શિલપ્પધિકારનું નામકરણ - આ મહાકાવ્યના ત્રણ પ્રતિપાદ્ય વિષય છે, (૧) પ્રત્યેક વ્યક્તિને પૂર્વજન્મના કર્મોનું ફળ અનિવાર્ય રૂપે ભોગવવું પડે છે. (૨) પતિવ્રતા સ્ત્રીની મનુષ્ય જ નહિ, દેવતા પણ પૂજા કરે છે. અને (૩) જે શાસક જનમંગલ-પ્રેરિત પ્રજાપાલનના પોતાના પવિત્ર કર્તવ્યથી અત થઈ જાય છે, તે વિનષ્ટ થઈ જાય છે. આ જ ત્રણ મુદ્દાને આધારે આ કાવ્યની રચના થઈ છે. એક અબળા (સ્ત્રી) પાવિત્યની નિષ્ઠારૂપી દાવાનળમાં પોતાના જ્ઞાત-અજ્ઞાત દોષો સળગાવી તપ્ત સ્વચ્છ સ્વર્ણમૂર્તિ જેવી પ્રકાશિત થાય છે – આ પણ આ કાવ્યનો એક સંદેશ આ ઉત્રેરક કથાની અંતર્મુખી ભાવનાઓ વસ્તુતઃ ઝાંઝરને માધ્યમ બનાવીને જ ધ્વનિત થાય છે. સતી કષ્ણકિ પોતાના શુભ વિવાહના અવસરે ઝાંઝર પહેરી લે છે અને જ્યારે પતિ કોવલનું તેની અવહેલના કરી નર્તકી માધવીના પ્રેમપાશમાં ફસાઈ જાય છે, ત્યારે તે ઝાંઝરોને પોતાના પગમાંથી કાઢી નાખે છે. માધવીથી રિસાઈને જ્યારે કોવલનું પાછો આવી ગયો, ત્યારે વ્યવસાય ચલાવવા માટે એક ઝાંઝર પેટીમાંથી કાઢી કણકિ પતિને સોંપી દે છે. પાવન સતીત્વચિહ્નનો આ જ વિલક્ષણ મહિમા હતો કે સતી કણકિના પગને અલંકૃત કરનારી વસ્તુ ક્યારેય વેચી નથી શકાતી અને તેને પય વસ્તુ બનાવવાનું પરિણામ ભયંકર હશે. અંતતઃ એ જ થયું. તેનું ફળ ન માત્ર કોવલનુને, પરંતુ સમસ્ત મદુરાવાસીઓને પણ ભોગવવું પડ્યું – પોતાના પ્રાણોની બલિ ચડાવીને ! તે ઝાંઝર અપહૃત કરનાર સોનીનો આખો વર્ગ જ આગમાં સળગી મર્યો અને તેના જ કારણે પાડ્ય Page #177 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમુ-૧ ૧૪૯ નરેશનું મૃત્યુ થયું, સાથે જ પતિ વિયોગથી તડપતી મહારાણી પણ મરી ગઈ. અંતે, સતી કર્ણકિ દેવી રૂપે પ્રસન્નતા સાથે ચેરનરેશ ગેંગુઠ્ઠવનને દર્શન આપે છે અને તે સમયે તેના પગને ઝાંઝર અલંકૃત કરે છે. આ રીતે ઝાંઝર આ કાવ્યની મુખ્ય ઘટનાઓ માટે કેન્દ્રવર્તી અવલંબન બની ગયું છે. આ જ કારણે આ મહાકાવ્યનું નામ “શિલમ્બને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલું કાવ્ય” અર્થમાં એ શિલપ્પધિકારમ્પડ્યું. કવિનો સાંપ્રદાયિક પક્ષ કવિવર ઇલંગો અડિગળુ જૈન સાધુ હોવાનું માનવામાં આવે છે. કેટલાક લોકો તેમને શૈવ પણ માને છે. બંને માન્યતાઓના વિષયમાં પર્યાપ્ત પ્રમાણ ઉપલબ્ધ છે. તેમના મોટા ભાઈ ચેરનરેશ ચંગુઠ્ઠવનું શિવભક્ત હતા. આથી પરંપરાથી તેઓ પણ શૈવમતાવલંબી હોઈ શકે છે. પરંતુ કાવ્યવર્ણનમાં જૈન ધર્મની જેટલી પ્રમુખતા છે તેટલી અન્ય મતોની નથી. કાવ્યનો ચરિત નાયક કોવલનું અને તેની પત્ની કણક બંને જૈન ધર્મના અનુયાયી હતા. તેમની માર્ગદર્શિકા તથા ઉપદેશિકા કવુત્તિ અડિગળ જૈન સાધ્વી જ હતી. આ સાધ્વીના મુખેથી જ નહિ, જૈન કાવ્યની પદ્ધતિ અનુસાર, બે ચારણો, ઋદ્ધિધારી (ગગનચારી) સાધુઓ દ્વારા પણ જૈન ધર્મનું વિશદ વર્ણન કવિએ કરાવ્યું છે. આથી આ “શિલપ્પધિકારમુ”ને જૈન કાવ્ય માનવું જ સંગત થશે. કવિ ઈબંગો અડિગળુની વિશેષતા એ જ છે કે તેમણે તટસ્થ તથા સમાદર ભાવે તે કાળમાં પ્રચલિત તથા પ્રખ્યાત સમસ્ત ધર્મોનું પ્રામાણિક તથા સુંદર વર્ણન કર્યું છે. આ જ રીતે તેમના કાવ્યપાત્રો પણ પોતપોતાના ધર્મ, ગુણ તથા વ્યક્તિત્વની અભિવ્યક્તિમાં સહજ-સ્વાભાવિક છે, સંપૂર્ણ છે. આ જ કારણ છે કે કોઈ પણ સમીક્ષક અથવા અન્વેષક ઇલંગો અડિગળુને કોઈ વિશિષ્ટ સંપ્રદાયના પક્ષપાતી સાબિત નથી કરી શકતા. જોકે તેઓ જૈન ધર્માનુયાયી હતા, તો પણ તેમણે વૈષ્ણવ તથા શૈવ મતનું વર્ણન એટલી ઉત્તમ રીતે કર્યું છે કે પાઠક તેમની સર્વધર્મસમભાવ કે સમન્વયદષ્ટિનો આદર કર્યા વગર નથી રહી શકતો. જ્યારે શ્રમણધર્મ (જૈન ધર્મ)નું વર્ણન કરે છે, ત્યારે કવિ સ્વય ૧. તામિલમાં ‘શિલમ્બનો અર્થ છે ઝાંઝર, અને સંધિ-નિયમ પ્રમાણે શિલબુ + અધિકારમ્ = શિલપ્પાધિકારમ્’ બન્યું. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ શ્રેષ્ઠ જિનધર્મી જણાય છે; જ્યારે “કુરવ' (ભીલ જેવા પહાડી શિકારી લોકો) લોકો દ્વારા કરવામાં આવેલ “મુરુક (કાર્તિકેય)ની સ્તુતિ-ગાથાનો પ્રસંગ આવે છે, તો પ્રતીત થાય છે કે કવિ સ્વયં “મુરુકન્ના ઉપાસક છે. જ્યારે “વેડવરૂ’ (કાનનવાસી શિકારી) લોકો દ્વારા કરવામાં આવેલી કાલીદેવીની પૂજાનું વર્ણન આવે છે, તો સંદેહ થાય છે કે આ કવિ કાલીઉપાસક તો નથી ? અને, આ જ રીતે ગોવાળો દ્વારા ગોપાલ-કનૈયા (વિષ્ણુ)ની પૂજાના ઉપલક્ષ્યમાં કરવામાં આવેલાં “આચિયર્ કુરતૈ” (ગોવાળોનું ગાન સહિત સામૂહિક નૃત્ય)નું સજીવ વર્ણન વાંચીને પાઠક ચોક્કસ કવિવરને કોઈ વૈષ્ણવ ભક્તકવિ આળુવારનું પ્રતિરૂપ સમજશે. પ્રત્યેક ધર્મ તથા દેવતાના વર્ણનમાં કવિશ્રેષ્ઠ તત્તદૂ ધર્માવલંબી ભક્તોની શ્રદ્ધા તથા સહાનુભૂતિનું સજીવ દર્શન કરાવ્યું છે. આ પ્રાચીન મહાકાવ્યમાં એટલી ઉદાર ભાવનાનો સમાવેશ સાચે જ અસાધારણ મહત્ત્વની વાત છે. મંગલાચરણ કાવ્યનો પ્રારંભ “તિંગળે પોદુમ્” (ચન્દ્રમાની વંદના કરીશું....)થી થાય છે. આ જ કાવ્યનું મંગલાચરણ છે. કવિ પ્રકૃતિપૂજક અથવા વિશિષ્ટ દેવતાપૂજક પણ નથી. કવિનો ઉદેશ તો ચોલનરેશ અને તેમની રાજધાની પુષ્પહારનગરીની પ્રશસ્તિ કરવાનો જ રહ્યો છે. પરવર્તી વ્યાખ્યાનકારોએ પણ એક સ્વરે કવિના આ જ આંતરિક ઉદેશનું સમર્થન કર્યું છે. કવિ એમ નહોતા ઈચ્છતા કે કોઈ પણ મતાવલંબીની એ ધારણા બને કે કવિ અમુક મત કે સંપ્રદાયના પોષક અને પ્રચારક છે. પાત્રોના વ્યક્તિત્વ તથા વિશેષતાઓનો નિર્વાહ તથા પ્રાસંગિક રૂપે જૈનધર્મના તત્ત્વોનું એટલી સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે તે અન્ય ધર્માનુયાયીઓ માટે અનુકરણીય ઉદાહરણ છે. “યત્ર નાર્યસ્તુ પૂષ્યન્ત રમત્તે તત્ર દેવતાનું જ વિશદ વર્ણન “શિલપ્પધિકારમ્'માં નથી થયું, પરંતુ એક નારી પોતાના સતીત્વબળે દેવી બની જાય છે અને દેશ-વિદેશમાં તેના માટે મંદિર ઊભા કરી દેવામાં આવે છે અને તેની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. કવિએ નારીના શીલ, તેની મર્યાદા, મહત્તા તથા શક્તિમત્તાનું ખૂબ જ પ્રભાવકારી વર્ણન કર્યું છે. સંઘકાળમાં તેનું સ્થાન શિલપ્પધિકારમમાં જૈન ધર્મનાં તત્ત્વો સિવાય, તમિલના વિશિષ્ટ સંગીત, નૃત્ય અને રંગમંચ સંબંધી કેટલાંય અભુત તત્ત્વ વર્ણિત છે. એટલા માટે અધિકાંશ Page #179 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમ્-૧ ૧૫૧ સમાલોચકો આ મહાકાવ્યને “નાટકકાપ્પિયમ્' (નાટ્યકાવ્ય) કહે છે. આની ત્રીસે ગાથાઓ (કવિતાઓ) સંઘકાલીન ફટકળ કવિતાઓની જેમ પોતાનામાં સ્વતંત્ર તથા પૂર્ણ છે. કથાવસ્તુ એક હોવાને કારણે એક ગાથાનો બીજી ગાથા સાથે ક્રમિક સંબંધ બનેલો છે, જે સંઘકાલીન કવિતાઓમાં અલભ્ય છે. એટલા માટે આ ગ્રંથને સંઘસાહિત્યધારાનું નૂતન વિકસિત પ્રતીક કહેવામાં આવે છે. સંઘકાલીન કવિતાઓમાં વીરગાથાઓ તથા પ્રશસ્તિઓની સાથે-સાથે માનવજીવનના સાધારણ પણ પવિત્ર કે પ્રશંસનીય પાસાઓનું સ્વાભાવિક ચિત્રણ પણ પર્યાપ્ત માત્રામાં છે. આ કાવ્ય પણ માનવ-જીવનની મહત્તા તથા પવિત્રતાનું પૂર્ણતયા સમર્થક છે. આમાં કવિ આત્મ-વિભોર થઈને પોતાની અનુભૂતિઓનું જે સજીવ ચિત્રણ કરે છે, તે પણ સંઘ સાહિત્યના પ્રભાવનું પરિણામ છે. છતાં પણ કવિની મૌલિક પ્રતિભાનો ચમત્કાર પદ-પદે ઝળકે છે. એટલા માટે કહી શકાય કે આ મહાકાવ્ય સંઘકાલના પર્યાવસાન સમયની અથવા તેની પછીની રચના છે. આ કાવ્યમાં પલ્લવોનો સંકેત સુદ્ધાં નથી, એટલા માટે એટલું તો નિશ્ચિત જ છે કે પલ્લવોની પહેલાં જ આ કાવ્યરત્ન નિર્મિત થઈ ચૂક્યું છે. રચનાકાળ સતી કણકિ દ્વારા મદુરે નગરીને ભસ્મસાત્ કરવાની તિથિ વિશે કવિવરે આવો નિર્દેશ કર્યો છે – “અષાઢ માસના કૃષ્ણપક્ષના શુક્રવારે જ્યારે અષ્ટમી તિથિ અને કાર્તિક નક્ષત્રનું મિલન થશે, અગ્નિદેવ પાડ્ય રાજધાની મદુરનો વિનાશ કરશે અને પાક્યનરેશની પણ દુર્ગતિ અવશ્યભાવી છે. આ તિથિ વિષયમાં તમિલ વાય તથા જ્યોતિષશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન સ્વ. એલ. ડી. સામિ કણું પિલૈના મત અનુસાર આ સમય તા. ૨૩ જુલાઈ ૭૫૬ ઈ.સ. હતો. તેમણે પોતાના આ નિર્ણયની પુષ્ટિ માટે મહાકાવ્યના સુપ્રસિદ્ધ વ્યાખ્યાકાર અડિયાકું નલ્લારની ટિપ્પણોનો સહારો લીધો છે. પરંતુ પિલ્લેજી બીજા સ્થળે માન્ય વ્યાખ્યાકારોની વાતોને અસંગત સાબિત કરવામાં પણ ખચકાયા ન હતા. સુવિખ્યાત ઈતિહાસવેત્તા રામચન્દ્ર દીક્ષિતજીએ એક અધિકારી ખગોળશાસ્ત્રીની રૂએ પર્યાપ્ત અનુસંધાન પછી એવો નિર્ણય જાહેર કર્યો કે મદૂર નગરી ઈસ્વી બીજી સદીમાં અનલકવલિત થઈ અને તે જ ટિપ્પણીઓને પ્રમાણ રૂપે પ્રસ્તુત કરી જેને ૧. જુઓ શિલપ્પધિકારમ્, મદ્રે કાડ, પદ્ય પંક્તિ-૧૩૩-૩૬. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ સ્વમસમર્થનમાં પિલ્લેજીએ પ્રસ્તુત કરી છે. અહીં એક વાત પર ધ્યાન આપવું ઉચિત છે કે જ્યારે પિલ્લેજીએ વ્યાખ્યાતાની ટિપ્પણીગત વાતોને અસંગત માની, ત્યારે તેનો કાલનિર્ણય પણ, જે મોટા ભાગે તે ટિપ્પણી પર જ અવલંબિત છે, કેમ સંગત માની શકાય ? અને પછીથી શ્રીદીક્ષિતજીએ અકાટ્ય પ્રમાણોથી તે સાબિત કરી દીધું કે મદુરેનો અગ્નિકાંડ બીજી સદીમાં જ થયો હતો. કાવ્યની અન્ય વાતો અને પાસાઓ પર તટસ્થતાપૂર્વક વિચાર કરવામાં આવે તો દીક્ષિતજીનો નિર્ણય જ સંગત પ્રતીત થાય છે. કેટલાક વિદ્વાનોનો મત છે કે “જીવક ચિંતામણિ” “પેરું કર્થ” (બૃહત્કથા) વગેરે કાવ્યગ્રંથોના નિર્માણકાળમાં જ “શિલપ્પધિકારમ'ની પણ રચના થઈ હશે. શૈવ સંત-સાહિત્ય તેવારના સમયમાં સંસ્કૃત અને તામિલનો સાહિત્યિક સમન્વય શરૂ થંઈ ચૂક્યો હતો; આથી સંભવ છે કે તત્કાલીન વિદ્વાનો તથા કવિઓને સંસ્કૃત કાવ્યશૈલીનું અનુકરણ કરી પોતાની ભાષામાં પણ કાવ્યગ્રંથ રચવાની ઈચ્છા તથા પ્રેરણા થઈ હોય. “કાપ્પિયમ્' (કાવ્ય) શબ્દનો પ્રયોગ શિલપ્પધિકારમાં નથી મળતો. પરંતુ વિશ્વભરમાં આદિકાલીન મહાનું ગ્રંથોને કાવ્ય અથવા મહાકાવ્ય જ કહેવામાં આવ્યા છે. હોમરનો ગ્રીક ભાષામાં રચિત ગ્રંથ, વાલ્મીકિનો સંસ્કૃત રામાયણ ગ્રંથ વગેરે મહાકાવ્યો “આદિકાવ્ય' નામે વિખ્યાત છે. તામિલ સાહિત્યમાં સંસ્કૃત ભાષા તથા સાહિત્યનો પ્રભાવ “અરનાનૂર', પૂરનાનૂર' વગેરે વિશિષ્ટ ગ્રંથોમાં નહિ બરાબર છે. પરવર્તી જૈન તથા બૌદ્ધ આચાર્યોએ સંસ્કૃતનું સંમિશ્રણ લોકભાષા અને સાહિત્યિક ભાષામાં વધારે કર્યું. ઈ. પૂ. ત્રીજી સદીના ગુફાવર્તી શિલાલેખોથી આનાં પર્યાપ્ત પ્રમાણ મળે છે. સાંપ્રદાયિક તથા ભક્તિપરક ગ્રંથોમાં સંસ્કૃત શબ્દોની પ્રચુરતા સહજ છે. એટલા માટે શિલપ્પધિકારમમાં ધર્મ તથા દેવતા સંબંધી વર્ણનોમાં સંસ્કૃતના તત્સમ-તભવ શબ્દો મળે છે. મુખ્યત્વે અહંત ભગવાનની સ્તુતિ રૂપ વર્ણનમાં પૂરી નામાવલી જ આપવામાં આવી છે. તત્કાલીન તામિલ વિદ્વાનો સંસ્કૃત ગ્રંથોના અધ્યયનમાં રુચિ ધરાવતા હતા અને સીધા સંસ્કૃત ન જાણનારા પણ અનૂદિત અને આધારિત તામિલ ગ્રંથો દ્વારા પણ પોતાની જ્ઞાનપિપાસા શાંત કરી લેતા હતા. આથી મયમત, કરવટમત તથા ભરતના નાટ્યશાસ્ત્ર વગેરેથી સારી રીતે પરિચિત હતા. આ સિવાય તે સમયે Page #181 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમ્-૧ ૧૫૩ દેશમાં બહુપ્રચલિત કથાઓ (દંતકથાઓ, લોકકથાઓ અને પુરાણ-ઈતિહાસઐતિહ્ય વૃત્તાંતો)થી તે લોકો અનભિજ્ઞ ન હતા. પંચતંત્રની બ્રાહ્મણી અને નકુલવાળી પ્રસિદ્ધ કથા એટલા માટે “શિલખધિકારમ્માં સ્થાન મેળવી શકી કે જનમનમાં સહજ જ તે પેસી ગઈ હતી. પતિનેણુકીળુ કણક્લ સંગ્રહ અને શિલપ્પધિકારમ્ ઇન્કંગો આડિગળે શિલપ્પધિકારમાં તિરુક્રનો ઉલ્લેખ કર્યો છે. આથી આ કાવ્ય તેની પછીનું સાબિત થાય છે. પરંતુ પતિનેષ્ઠીળુ કણક્ક અર્થાત્ અઢાર ગ્રંથોના સંગ્રહ ગ્રંથની પછી જ શિલપ્પધિકારની રચના થઈ, એવી વાત નથી. તે સંગ્રહમાંથી “નાબૂ મણિકડિકૈ”, “આચાર કોવૈ” વગેરે ગ્રંથોની વાતોનાં ઉદ્ધરણોનાં જે પ્રમાણ રજુ કરવામાં આવે છે, તેમને પ્રામાણિક નથી માની શકાતા. કેમકે બંને ગ્રંથોની સમાન વાતો પ્રાચીન ગ્રંથોની પોતાની નથી. તે તત્કાલીન લોકોક્તિઓ અને નીતિવચનો હતા. આથી સંભવ છે કે તે શિલપ્પધિકારમ્ના રચનાકાળમાં પણ પ્રચલિત રહ્યા હોય. તેને જ ઇલંગો અડિગળે પોતાના મહાકાવ્યમાં પ્રયુક્ત કર્યા હશે. શિલપ્પધિકારમુમાં ઉલ્લેખ છે કે કપિલવસ્તુમાં બુદ્ધદેવ અવતરિત થઈને ધર્મોપદેશ આપશે અને તે ઉપદેશ સાંભળ્યા પછી જ કોવલનુ-કણકિને નિર્વાણપ્રાપ્તિ થશે. આ વાતને લઈને કેટલાક વિદ્વાનોનો આક્ષેપ છે કે આ ઘટના બુદ્ધ દેવને સમસામયિક કેવી રીતે હોઈ શકે છે. પરંતુ આનું સમાધાન એમ કરવામાં આવ્યું છે કે કાવ્યમાં ઉલિખિત બુદ્ધદેવ શુદ્ધોદન પુત્ર શાક્યવંશીય નથી. બુદ્ધના કેટલાય અવતાર બતાવવામાં આવે છે. આથી સંભવ છે કે ઈ. બીજી સદીમાં અવતરિત કોઈ અન્ય બુદ્ધદેવની ચર્ચા તેમાં હોય. કોવલનુ-કણકિની કથા આગળ ચાલતાં તામિલ દેશમાં ફેલાઈ ગઈ. સત્તરમી સદીમાં “અકવલુ” છંદમાં આ જ કથા પર લઘુકાવ્યની રચના થઈ. આમાંથી કેટલાય પઘો, પરિમેલન્કર, મયિલેનાથ, નચ્ચિનક્રિનિયર, પેરાશિરિયર, “યાખેરુંગલવૃત્તિ (છંદશાસ્ત્ર)ના વ્યાખ્યાકાર ઇલંપૂરણર વગેરે વિદ્વાનો દ્વારા પોતાની વ્યાખ્યાઓ તથા ટિપ્પણીઓમાં ઉદ્ભત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સતી કર્ણાકિની અમર કથા પણ કેટલાય લોકગીતો, લઘુકાવ્યો અને નિબંધો દ્વારા સમાદત હતી. આ પદ્યો પ્રાચીન વ્યાખ્યાકારોની વ્યાખ્યાઓ, ટિપ્પણીઓ વગેરેમાં ઉપલબ્ધ છે. સંઘકાલીન ગ્રંથ “નર્તિણ” નામક ગ્રંથમાં એ ઘટનાનું વર્ણન છે કે “તિરુમા ઉણિ નામક એક સતી સ્ત્રી વેંગે વૃક્ષ નીચે ઊભી Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ હતી, જેનું એક સ્તન સ્વયં તેણે નષ્ટ કરી દીધું હતું. “ઉર્ણિ'નો અર્થ છે કર્ણિકા, જે કમલબીજ માનવામાં આવે છે. સંભવતયા કણકિનું સંસ્કૃત રૂપ “કર્ણિકા’ બનાવીને, તેના અનુવાદ રૂપે “ઉણિ”નો પ્રયોગ કરવામાં આવ્યો હોય. શિલપ્પધિકાર”માં પણ બતાવવામાં આવ્યું છે કે વ્યાધ લોકોએ જેમને “કુરવરૂ’ કહે છે, તે કણકિને “વેંગે' વૃક્ષ નીચે જોઈ. આથી બંને ઘટનાઓમાં સમાનતા ચોક્કસ છે. સંઘકાલમાં ‘શિલપ્પધિકાર”” કથા તથા કાવ્યનો પ્રચાર-પ્રસાર ખૂબ થઈ ચૂક્યો હતો. આ મહાકાવ્યને સંઘકાલનો ઉત્તરકાલીન ગ્રંથ માનવો ઉચિત થશે. આનાં પર્યાપ્ત પ્રમાણ છે. આપની જે શક્યતા જોવા મળે છે, તે કદાચ ભ્રમપૂર્ણ છે. અથવા પછીના કાવ્યપ્રેમીઓ દ્વારા જોડવામાં આવેલી વાતોના આધારે જ હશે. આ ગ્રંથને સંઘકાલીન માની લેવા માટે માત્ર આ એક પ્રમાણ જ પર્યાપ્ત હશે કે તત્કાલીન ધાર્મિક સ્થિતિનું પૂરું યથાર્થ ચિત્રણ આમાં મળે છે. બલરામ, મુરુગનું (કાર્તિકેય), વિષ્ણુ, શિવ વગેરે દેવતાઓનાં મંદિરનાં વર્ણન જ નહિ, પરંતુ વંદનાઓ પણ કવિએ પોતે અને પોતાના પાત્રો પાસે કરાવી છે. આવી સામાસિક તથા સમરસ સંસ્કૃતિ અને ધાર્મિક સ્થિતિ આવાર તથા નાયકુમાર (વૈષ્ણવશૈવ) વગેરે સંતોના સમયની પહેલાં જે અધિક ફેલાયેલી મળે છે. અળગો અડિગળે ઉક્ત સંસ્કૃતિ અને ધાર્મિક સ્થિતિનું સમર્થન પોતાના કાવ્યમાં કર્યું છે. સુપ્રસિદ્ધ ઈતિહાસકાર શ્રી રામચન્દ્ર દીક્ષિતરે પણ કેટલાય અકાટ્ય પ્રમાણોથી એ સાબિત કર્યું છે કે ઈ. બીજી સદીમાં જ “શિલપ્પધિકારીનું પ્રણયન થઈ ચૂક્યું હતું. આ ગ્રંથમાં ધાર્મિક કટ્ટરતાનો આભાસ સુદ્ધાં નથી મળતો. આમાં વિશિષ્ટ તામિલ સંસ્કૃતિના મૂળ તત્ત્વોનું પરિપોષણ છે જે “યાહુ ઝરે, યવમ્ વશેઝિ (દેશ-વિદેશ બધા અમારી જન્મભૂમિ છે અને બધા લોકો અમારા પ્રિય બંધુ છે) વગેરે ઉત્તમોત્તમ સિદ્ધાંતોથી અનુપ્રાણિત છે. મણિમેખલે મણિમેખલે એક છોકરીનું નામ છે. તે જ આ કાવ્યની ચરિતનાયિકા છે. શિલપ્પધિકારમ્'ના ચરિતનાયક વણિક-પુત્ર કોવલની પ્રેમિકા નર્તકીની કુખે ૧. આ પંક્તિ સંઘકાલીન કવિવર શ્રી કણિય– પંકુન્દનાષ્ટ્રના પદ્યનો અંશ છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમ્-૧ ૧૫૫ ઉત્પન્ન છોકરી હતી મણિમેખલે. આ કાવ્યમાં બૌદ્ધ તત્ત્વોની પ્રચુરતા છે, એટલા માટે બૌદ્ધ કાવ્યગ્રંથ રૂપે આની ગણના થાય છે. ચરિતનાયિકા મણિમેખલે પોતાના રૂપસૌન્દર્ય પર મોહિત ચોલ યુવરાજ ઉદયનકુમારની પ્રેમભિક્ષાનો પણ અસ્વીકાર કરી દે છે અને પોતાના મનને જબરદસ્તીથી કઠોર બનાવી લે છે. તેની મહત્ત્વાકાંક્ષા ભોગ-ઉપભોગની પંકિલ જીવનધારાથી આકૃષ્ટ ન હતી. તેને આ જીવનની નશ્વરતા અને દૈહિક સુખોની ક્ષણભંગુરતાથી સદા માટે મુક્તિ મેળવી અજર-અમર (નિર્વાણ) પદની પ્રાપ્તિની અદમ્ય આકાંક્ષા હતી. બુદ્ધદેવના “આર્ય સત્યોએ તેના અંધકારાચ્છન્ન જીવનપથમાં જ્વલંત દીપસ્તંભ ઊભો કરી દીધો. “આત્મહિતાય'ની અપેક્ષાએ “લોકહિતાય'ની ઉન્નત પ્રેરણા તેને સદા કર્મપથ પર અગ્રેસર કરતી રહી. આથી પ્રાણીમાત્રના ઉદ્ધાર માટે અને દુકાળપીડિત જનતાની ભૂખ મિટાવવા માટે મણિમેખલે પોતાનું સર્વસ્વ. ત્યાગીને ભિક્ષુણી બની નીકળી પડી. જાણે તેની પુનીત અભિલાષા જાણીને જ ભગવાને તેને “અમુદ સુરભિ' (અમૃતસુરભિ) નામક અક્ષયપાત્ર સુલભ કરી આપ્યું. તેના જ સહારે તે સાધ્વીએ બહુ લોકોપકાર કર્યો. કેટલાય પથભ્રષ્ટોને સત્યપથ પર લાવી મૂક્યા. મણિમેખલે' કાવ્યના રચયિતાનું શુભનામ હતું શીત્તલૈં ચારનાર. તેઓ તામિલના પ્રકાંડ વિદ્વાનું અને મધુરવાફ કવિ હતા. બૌદ્ધ ધર્માવલંબી તો હતા જ પરંતુ “શિલખધિકારના રચયિતા શ્રી ઇગંગો અડિગળના મિત્ર હોવા છતાં પણ તેમના જેવા ઉદાર અને તટસ્થ ન રહી શક્યા. કર્ણકિ-કોવલનુની કથાને તેમણે જ દબંગો અડિગળુને સંભળાવી; આથી તે પૂરી કથા જાણતા હતા અને ઘટનાના સમસામયિક પણ હતા. આ વાતનું પણ પ્રમાણ મળે છે કે તેમણે ઇલંગોજીને એમ પ્રાર્થના કરી કે “આપ સતી કણકિની પુનીત કથા પર કાવ્ય રચના કરો અને હું કોવલનુની પ્રેમિકા, નર્તકી ગણિકા માધવીની પુત્રી આદર્શ ગુણવતી મણિમેખલેના ચરિતને કાવ્યની ભાષા આપીશ.” ઇળંગોજીએ પોતાના મિત્રની અભ્યર્થનાનો સ્વીકાર કરી મહાકાવ્ય “શિલપ્પધિકારમુ'ની રચના કરી. વિદ્વાનોનો મત છે કે શ્રી ચાત્તનારે ઉદારતા, સર્વધર્મસમરસતા સંબંધી પોતાની ખામીનો સ્વયં અનુભવ કરીને જ આ મહત્ત્વપૂર્ણ પુનીત કાર્ય નિસર્ગોદાર ઉલ્લંગોજીના હાથોમાં સોંપ્યું હશે. આ “મણિમેખલે' કાવ્યમાં પિટક ગ્રંથોની પ્રચુર પૌરાણિક બૌદ્ધ કથાઓ મળી આવે છે. આ જ કારણે, તેને કેટલીય અલૌકિક ઘટનાઓનું સંકલન માનવું પડે Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ છે. ગણિકાની પુત્રી થઈને પણ, લોકોદ્ધાર કરવા યોગ્ય સમ્માન્ય ભિક્ષણી બનતી એક નિસ્વાર્થ સેવિકાનું ચરિત્રચિત્રણ આ કાવ્યમાં છે. વર્ણ વ્યવસ્થાની નિંદા, બૌદ્ધધર્મની ઉપાદેયતા તથા સાધારણ જન સુધીના માટે સુલભતાનું વર્ણન, બૌદ્ધ તત્ત્વોનું તર્કપૂર્ણ સમર્થન અને અન્ય ધર્મોનું ખંડન પણ આ “મણિમેખલે' કાવ્યમાં થયું છે. આ કાવ્યમાં નાલંદા વિશ્વવિદ્યાલયના પ્રધાન પંડિત દિનાગ અને ધર્મપાલના તાર્કિક મંતવ્યોમાંથી કેટલાક અંશો અનુવાદ રૂપે ઉલ્લિખિત છે. આ અંશો પછીથી પ્રક્ષિપ્ત રૂપે જોડી દીધેલાં માલુમ પડે છે. જોકે આ બૌદ્ધ મહાકાવ્ય છે, તો પણ આમાં જૈન ધર્મનું પણ સુંદર વર્ણન છે. ઘટનાની પરંપરાને જોતાં એ સ્પષ્ટ સમજાય છે કે આ કાવ્ય “શિલપ્પધિકારમુનો ઉત્તરાદ્ધ છે અને તેના પ્રણયન પછી જ આની રચના થઈ છે. મણિમેખલે' ગ્રંથનો ધાર્મિક પક્ષ આમાં પ્રથમ ગાથા “વિ જૈ (પર્વનું વર્ણન કરનારી )માં આ ઘટના વર્ણિત છે – “સુધામતિના પિતા બ્રાહ્મણ હતા, ભીષણ ઉદરરોગથી પીડિત થઈને જૈન મંદિરમાં આશ્રય લેવા ગયા. પણ જૈનોએ અન્ય ધર્મીને પોતાને ત્યાં રાખવાનું ન ચાહ્યું અને તત્કાળ તે રોગી બ્રાહ્મણને બહાર કાઢી મૂક્યો. પછી જ્યારે તે રોગી રક્ષાની પ્રાર્થના કરતો વીશીમાં ભટકતો રહ્યો, ત્યારે બૌદ્ધોએ દયા કરી બૌદ્ધવિહારમાં આશ્રય આપ્યો અને યથોચિત ઉપચારની વ્યવસ્થા કરી.” આ ઘટનાથી બૌદ્ધોની ઉદારતાનો પરિચય તો મળે જ છે, પરંતુ જૈનોની ધર્મ-પરિરક્ષણની જાગરૂકતા પણ પ્રકટ થાય છે. “મણિમેખલે”ની ૨૭મી ગાથા “સમથર તંતિરમ્ ઍટ્ટ તૈ” (ધર્માચાર્યોને મણિમેખલા દ્વારા પૂછવામાં આવેલી ધાર્મિક વાતોની ગાથા)માં બતાવવામાં આવ્યું છે કે મણિમેખલાએ પ્રમાણવાદી, શૈવવાદી, બ્રહ્મવાદી, વૈષ્ણવવાદી, વૈદિક (વેદવાદી), આજીવક, નિગંઠવાદી, સાંખ્યવાદી, વૈશેષિકવાદી અને ભૂતવાદી – આ મતવાદીઓ પાસે ધાર્મિક તત્ત્વો સમજાવવાની અભ્યર્થના કરી અને તે વિદ્વાનોએ પણ મણિમેખલાની પ્રાર્થના પૂરી કરી. બધા ધર્મમતો પર ગંભીર વિચાર કર્યા પછી તે સાધ્વી એ નિર્ણય પર પહોંચી કે બૌદ્ધ-ધર્મ અધિક વ્યવહારસુલભ તથા શ્રેયસ્કર છે. આ ગાથાના અંતે મણિમેખલા વિશે કવિએ લખ્યું છે, “જે વર્દ સમયમુન અરિષ્ઠ ” (પાંચ પ્રકારના સંપ્રદાયો કે મતોને પણ જાણી લીધા).” પરંતુ, ગાથામાં Page #185 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમ-૧ દસ વાદીઓનો ઉલ્લેખ છે. વૈદિક મત અને પ્રમાણ મત બંને એક જ હતા. આજીવક તથા નિગંઠ (જૈન) મતના પારસ્પરિક સંબંધનું દર્શન ‘શિલપ્પધિકારમ્'માં પણ છે. ‘લોકાયતિક મત’ના નામે પ્રખ્યાત ભૂતવાદ પણ તે સમયે ખૂબ પ્રચારમાં હતો. આથી અંતે નિર્દિષ્ટ ‘ઘે વર્તે સમયમ્’ (પાંચ પ્રકારના મત) આ હોઈ શકે છે ઃ વૈદિક મત, પ્રમાણ મત, આજીવક મત, નિગંઠ (જૈન) મત અને લોકાયતિક. પછીના બૌદ્ધ ગ્રંથ ‘નીલકેશી'માં આ પાંચ મતોની સાથે સાંખ્ય અને વૈશેષિક મતોને પણ જોડી દેવામાં આવ્યા છે. આથી જણાય છે, ‘મણિમેખલૈ’માં અતિરિક્ત રૂપે વર્ણિત વાદોને પછીથી જોડી દેવામાં આવ્યા છે. આ કાવ્યમાં વાદ-પ્રતિવાદ, પરમતખંડન તથા સ્વમતખંડન વગેરે વાતો સ્પષ્ટ સ્થાન નથી મેળવી શકી; છતાં પણ મણિમેખલા પ્રચલિત સમસ્ત મતો પર ચર્ચા અથવા ટીકા-ટિપ્પણી પ્રહાર અવશ્ય કરે છે; તે પણ પોતાના અભીષ્ટ ધર્મ ૫૨ દૃઢતર વિશ્વાસ માટે. એક વાત તો આપણે માનવી જ પડશે કે શુષ્ક ધાર્મિક ચર્ચાને લઈને સુંદર કાવ્ય-ગ્રંથ રચવાની પરંપરા આ ‘મણિમેખલૈ'થી શરૂ થઈ છે. આ જ ક્રમમાં કટ્ટર ધર્મ-ગ્રંથ ‘કુણ્ડલકેશી' નામક બૌદ્ધ-ગ્રંથની રચના થઈ. આ ગ્રંથના પ્રત્યુત્તરસ્વરૂપ ‘નીલકેશી’ નામક અદ્ભુત જૈન કાવ્ય ગ્રંથનું પ્રણયન થયું. નીલકેશી ‘નીલકેશી’ અર્વાચીન રચના છે. આના રચિયતાના નામનો ક્યાંય ઉલ્લેખ મળતો નથી. રચિયતાએ લખ્યું છે કે તેણે એક સપનું જોયું અને તેની પ્રેરણાથી આ ગ્રંથ રચ્યો છે. પાંચાલ દેશ, કુણ્ડવર્તનમ્ નામક નગર, તેના રાજા સમુદ્રસારન્, તે નગરની ચારે તરફ ફેલાયેલ ‘પલાણ્યમ્’ નામક સ્મશાન, તે પ્રદેશનાં મંદિર, તેમાં કરવામાં આવતા હત્યાકાંડ તથા ભૂત-પિશાચોનાં ઘોર કૃત્ય વગેરેનું રોચક વર્ણન ‘નીલકેશી’ ગ્રંથમાં છે. આ ‘ઐચિરુ કાપ્પિયમ્ (પંચ લઘુકાવ્યો)’ માં એક છે. ૧૫૭ કાલી દેવીના મંદિરમાં થનારી બલિસ્વરૂપ જીવહત્યાને મુનિ ચન્દ્રે રોકી દીધી. આનાથી અસંતુષ્ટ થયેલી કાલી દેવી નીલી નામક સ્ત્રી સાથે, પોતાનો વેશ બદલી ૧. પાંચ લઘુકાવ્યોનાં નામ આ પ્રમાણે છે ૧. યશોધરકાવ્યમ્, ૨. ચળામણિ, ૩. નાગકુમાકાવ્યમ્, ૪. ઉદયણકાવ્યમ્ અને ૫. નીલકેશી. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ ચન્દ્ર મુનિ પાસે પહોંચી. તેઓ તપસ્યામાં લીન હતા. બંને સ્ત્રીઓએ મુનિને વિચલિત કરવાના કેટલાય પ્રયત્ન કર્યા; પરંતુ મુનિને તેઓ ડગાવી ન શકી. નીલી વિદુષી હતી અને મુનિવરની અચંચલ નિષ્ઠા જોઈ પોતાનો પરાજય સ્વીકારી લઈ તત્કાલ જ તેમની શિષ્યા બની, તેમની પાસેથી ધર્મોપદેશ સાંભળવાનો સુયોગ પણ પ્રાપ્ત કર્યો. ક્રમશઃ અહિંસાધર્મ પર તેની આસ્થા દૃઢતર થતી ગઈ. જૈન ધર્મની પારંગત વિદુષી રૂપે તેનું નામ સર્વત્ર વિખ્યાત થઈ ગયું. નીલી “નીલકેશી'ના નામથી ઘૂમી-ઘૂમીને અહિંસા ધર્મનો પ્રચાર તથા પ્રભાવના કરવા લાગી. આ જ ધર્મયાત્રામાં પ્રસિદ્ધ બૌદ્ધ ભિક્ષુણી કુંડલકેશીને નીલકેશીએ વાદવિવાદમાં પરાજિત કરી. પછી અર્ધચન્દ્ર, મોગ્યલાયન વગેરે બૌદ્ધાચાર્યોને પરાસ્ત કર્યા. પછી આજીવક, સાંખ્ય, ભેદવાદી અને લોકાયતવાદી સાથે પણ શાસ્ત્રાર્થ કરી વિજયી થઈ. બધા પરાજિત મતવાદીઓને પોતાના બુદ્ધિબળથી જૈનધર્માવલંબી બનાવી દીધા. આવી અપ્રતિહત પ્રતિભા તથા વાદકુશળતા સમ્પન્ન નીલકેશીને રાજાએ પ્રધાન ધર્મ સંસ્થાપિકા રૂપે ઘોષિત કરી અને તેનો બધી જગ્યાએ સમાદર કરાવવાની ઘોષણા કરાવી. આ શુભ પ્રસંગ સાથે આ કથા સમાપ્ત થાય છે. નીલકેશીના વ્યાખ્યાકાર આ ગ્રંથની મહત્તા તેની પાંડિત્યપૂર્ણ વ્યાખ્યાથી જ પ્રકટ છે. વ્યાખ્યાકારનું નામ છે સમયદિવાકર વામન મુનિવર. તેઓ જ મેરુમંથર પુરાણ (પ્રસિદ્ધ તામિલ જૈન ગ્રંથ)ના રચયિતા છે. તેઓ મલ્લિસેનાચારિયર નામથી પ્રસિદ્ધ હતા. તેમના શિષ્ય પુષ્પસેનાચાર્ય હતા, જે વિજયનગરના રાજા હરિહરના મંત્રી હિરુકપ્પના ગુરુ હતા. તેમનો સમય ચૌદમી સદી છે. બતાવવામાં આવે છે કે વામન મુનિ “તિરુપત્તિ કુન્ડમાં રહેતા હતા. નીલકેશીનો રચનાકાળ પ્રસિદ્ધ તામિલ છંદશાસ્ત્ર “યાખેરુંગલવૃત્તિની વ્યાખ્યામાં “નીલકેશી'ની ચર્ચા છે જે દસમી સદીની રચના છે. આથી એ નિશ્ચિત છે કે તેની પહેલાં જ આ કાવ્યનું પ્રણયન થઈ ચૂક્યું હતું. આ ગ્રંથમાં અર્વાચીન મત, અદ્વૈત વેદાન્ત મતનો ઉલ્લેખ નથી મળતો. શૈવસંત ગ્રંથ “તેવારમ્'માં આજીવક મતનો ઉલ્લેખ નથી, પરંતુ “નીલકેશી'માં છે. આથી આ “તેવારમ”ની પહેલાંની રચના છે. “તેવ'ના નામથી પ્રસિદ્ધ તિરુવલ્લુવરના એક શિષ્ય જ આ “નીલકેશી” ગ્રંથની રચના કરી હતી. તામિલના પ્રસિદ્ધ જૈન વિદ્વાન શ્રી એ. ચક્રવર્તી નાયિનાર આ નિર્ણય પર પહોંચ્યા છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમ્-૧ ૧૫૯ | શિલાલેખોના આધારે વિદ્વાન લોકો એ નિર્ણય પર પહોંચ્યાં છે કે આજીવકમત તામિલનાડુમાં અર્વાચીન ચોલ રાજાઓના શાસનકાળમાં પણ પ્રચલિત હતો. એ તો નિશ્ચિત છે કે નીલકેશી કાવ્ય બૌદ્ધ મહાકાવ્ય “મણિમેખલે'ની પછી જ રચવામાં આવ્યું હતું. બૌદ્ધોની સામે થયેલા પ્રબળ વિરોધમાં આ જૈન ગ્રંથની રચના થઈ છે. ઈ. સાતમી સદીમાં ચીની યાત્રી હ્યુએન સંગે પોતાના યાત્રાવૃત્તાંતમાં લખ્યું છે કે તામિલનાડુમાં બૌદ્ધધર્મનો પ્રસાર ખૂબ ઓછો થઈ ગયો છે. એનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે તેના પર્યટન-કાળ પહેલાં જ “નીલકેશી' ગ્રંથ રચવામાં આવ્યો હશે, કેમકે તેના રચનાકાળમાં બૌદ્ધ ધર્મનો ખૂબ પ્રભાવ તામિલ દેશમાં હતો. વળેયાપતિ “વૌયાપતિ' તામિલના પંચ મહાકાવ્યોમાં અંતિમ માનવામાં આવે છે. આ કાવ્યની કથા પૂર્ણ રૂપે ઉપલબ્ધ નથી. થોડાં પડ્યો જ પોતાના નામશેષ કાવ્યનો પરિચય આપે છે. આ પદ્યો પણ સમગ્ર રૂપે ક્યાંય એક સ્થાન પર નથી મળ્યાં. તે બધા સુપ્રસિદ્ધ વિદ્વાન વ્યાખ્યાકાર અડિયાકું નલાર, ઈબંપૂરણાર, નચ્ચિનાકું ઇનિયાર અને પરિમેલળગરની વ્યાખ્યાઓમાં વિખરાયેલ હતા. તે લગભગ એંશી પઘો હતા જેમનું સંકલન “શૈન્તમિળ” નામક પત્રિકાએ કર્યું હતું. આ સંગ્રહના પદોમાં “નિક્કન્ત વેડતુ ઈડિગણમ્' (નિર્ગસ્થ વેશધારી ઋષિગણ) અરિવનુ (જેણે જ્ઞાન મેળવ્યું હોય – જિનદેવ) વગેરે પ્રયોગો મળે છે. આથી આને એક જૈન ગ્રંથ માનવામાં કોઈ આપત્તિ નથી. આ પદ્યોમાં કેટલાંક તો ચાર ચરણવાળા છે, કેટલાક બે-બે ચરણવાળા તથા કેટલાક છ ચરણવાળા પણ છે. તામિલના છંદશાસ્ત્રો “યાપ્પરુંગલવૃત્તિથી પ્રાચીન હોવાને કારણે આનો રચનાકાળ દસમી સદીની પહેલાંનો જ હોઈ શકે. પૂરું કાવ્ય ન મળવાથી, તેના રસાસ્વાદનની સુવિધા નથી. જેટલાં પદ્યો મળ્યાં, તેનાથી એ નિર્ણય પર પહોંચાય છે કે આ ગ્રંથ પ્રાંજલ શૈલીમાં ધાર્મિક વિષયોનું વર્ણન કરનાર કોમળ કાવ્ય રહ્યું હશે. તેની શ્રેષ્ઠતા તથા વિશેષતા એનાથી પ્રકટ છે કે પ્રકાંડ પંડિતોએ પોતાની વ્યાખ્યાઓમાં આનાં પદ્યો સાદર ઉદ્ધત કર્યા છે. સહુથી અનોખી વાત એ છે કે “તક્રયાળ, પરણિ” (તક્ષ યાગ પરણિ) નામક પ્રસિદ્ધ પ્રબંધ ગ્રંથના વ્યાખ્યાકારે તેના રચયિતા કવિ ચક્રવર્તી ઓટ્ટક્રૂત્તર' વિશે આદરપૂર્વક લખ્યું છે કે “કવિયળગુ વેષ્ઠિ વૌયાપતિયે નિનૈત્તાર' અર્થાત્ કવિતામાધુર્યની શોધ કરતાં કવિએ (ઓટ્ટકૂત્તરે) “વૌયાપતિ કાવ્યનું મનન કર્યું.” Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ એક તો ઓટ્ટક્લાર ઉચ્ચ કોટિના મધુરવાફ કવિ હતા, અને બીજી તરફ તે કટ્ટર શૈવ હતા. છતાં પણ તેમણે કાવ્યમાધુર્ય પર પ્રસન્ન થઈને “વૌયાપતિ કાવ્ય'નું મનન કર્યું, જે એક ધર્મવિરોધી અર્થાત જૈન કવિનો જૈનધર્મીય ગ્રંથ હતો. કાશ, સમગ્ર ગ્રંથ મળી ગયો હોત ! પેરું કથે આ કાવ્યને પંચ મહાકાવ્યોમાં સ્થાન ન મળવા છતાં પણ, રચનાશૈલી તથા કાવ્યસૌષ્ઠવની દષ્ટિએ આને મહાકાવ્ય કહી શકાય. “કુંડલકેશી” અને “વૌયાપતિ' બંનેની અપેક્ષાએ આનું કાવ્યસ્તર ઊંચું જ છે. શિલપ્પધિકારમ્ અને મણિમેખલૈની જેમ આ કાવ્ય પણ “અકવ છંદમાં છે. આના રચયિતાનું નામ કોંકુળિરૂ છે. આના પદ્યો “શિલપ્પધિકારમ્ અને “મણિમેખલે'ના પદ્યોની જેમ “નકારાત્ત છે. આ પદ્ધતિને પ્રથમ લક્ષણગ્રંથકાર તોલકાપ્પિયરે “પુ” અને “વનડુ” કહી છે. તે મહાકાવ્યોની જ જેમ આ કાવ્ય પણ કથાનકને અનુકૂળ એક જ છંદમાં છે અને “અંતાદિ' નામક શબ્દાલંકારથી પણ યુક્ત છે. * વ્યાખ્યાકારોની ટિપ્પણીઓથી માલૂમ પડે છે કે આ “પેરુમ્ કર્થ' કાવ્યનું અપનામ “ઉદયણન્ કર્થ” પણ હતું. વસ્તુતઃ આ કાવ્ય પણ ગુણાઢ્યના સુવિખ્યાત ગ્રંથ “બૃહત્કથા'નું જ પરિમાજિત તામિલ રૂપ છે. તામિલ કાવ્યશૈલી અનુસાર પ્રદેશવર્ણનના પ્રસંગમાં, ઉત્તર ભારતનું વર્ણન તામિલ દેશ રૂપે જ કરવામાં આવ્યું છે. ઉદયન અને વાસવદત્તાની જોડી કમ્બનના રામ તથા સીતાની જેમ તામિલસંસ્કૃતિના રંગે રંગાઈ ગઈ છે. પ્રેમી-પ્રેમિકાનું સંદર્શન, સમ્મિલન અને પ્રેમવિકાસની પરંપરા તમિલ કાવ્યશૈલી અનુસાર જ ઉપસ્થિત કરવામાં આવી છે. જોકે આ કાવ્યમાં વિમાન વગેરેનું કાલ્પનિક વર્ણન આવે છે, તો પણ સમય, સમાજ અને જનજીવનને આ કાવ્ય જેટલાં અધિક પ્રતિબિંબિત કરે છે, તેટલાં અન્ય કાવ્યમાં અનુપલબ્ધ છે. નારીનો મહિમા, વિદ્યાનો પ્રભાવ, લોકોનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ, રાજનીતિની ચાલો, સત્તાધીશોની ચાલો વગેરે કેટલીય વાતો ખૂબ જ રોચક ઢંગથી આ “ઉદયનું કર્થમાં વર્ણિત છે. આનો ચરિતનાયક ઉદયણ છે, છતાં પણ તેના મિત્ર “ગીને પણ ચરિતનાયક માનવો પડે છે. સમગ્ર કાવ્યકથામાં ગતિ તથા ઘટનાપ્રવાહ મૂગીના જ અસ્તિત્વથી આગળ વધે છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમ્-૧ ૧૬૧ દુઃખની વાત એ છે કે આ સુંદર કાવ્ય પૂરું નથી મળ્યું, પ્રારંભ અને અંતના અંશો હજી સુધી ઉપલબ્ધ નથી થયા. વચ્ચેના જ અંશો, જેને પણ અવિચ્છિન્ન નથી કહી શકાતા, હવે પુસ્તકાકારમાં મળે છે. રચયિતા કાવ્યકાર કોંકવેલિર જૈનાચાર્ય હતા. કાવ્યમાં અનેક સ્થાનોમાં જૈનતત્ત્વોનું વર્ણન પ્રત્યક્ષ તથા પરોક્ષ રૂપે કવિએ કર્યું છે. તેઓ કોંકમંડલમૂના કુરમ્પ ક્ષેત્રવર્તી વિજયમંગલમ્ નામક સ્થાનમાં જન્મ્યા હતા. એક અનુશ્રુતિ અનુસાર કવિવરે આ કાવ્ય પૂરું કરવા માટે ત્રણ વાર જન્મ લીધો, ત્યારે જતાં આ કાવ્ય પૂરું થઈ શક્યું. અડિયાર્ફ નલ્લાર વગેરે શ્રેષ્ઠ વિદ્વાનોએ આ કાવ્યની ખૂબ-ખૂબ પ્રશંસા કરી છે. અનુમાન છે કે કોંકવેલિર આચાર્ય વજનંદીના સંઘમાં વિદ્યમાન હતા. આ પહેલાં જ બતાવવામાં આવી ચૂક્યું છે કે આ કાવ્ય ગુણાઢ્યકૃત “બૃહતું કથા પર આધારિત છે. આંધ્રનરેશની સભાના કવિવરોમાં ગુણાઢ્ય પણ એક હતા. તેમણે જ પૈશાચી ભાષામાં બૃહત્ કથા'ની રચના કરી હતી. તે ઈ. પ્રથમ સદીના હતા. શૂદ્રક નામક નરેશે “વીણાવાસવદત્તમ્ નામક નાટક લખ્યું. તેનો તામિલમાં અનુવાદ કર્યો હતો કાંચીપુરમુના એક કથાશિલ્પીએ, જે કવિ દંડીનો મિત્ર હતો. તેનો ઉલ્લેખ દંડીએ પોતાની “અવન્તિસુંદરી કથામાં કર્યો છે. દક્ષિણના નાટકકારોએ ભાસના નાટકોમાંની વાસવદત્તાની કથા ઉપર કેટલીય કૃતિઓ રચી છે. મહાકાવ્ય “મણિમેખલેમાં પણ વાસવદત્તા-આખ્યાનનો ઉલ્લેખ છે. પ્રસિદ્ધ વૈષ્ણવ સંત કવિ તિરુમંગે આળુવારે પોતાના “ચિરિય તિરુમડલુ' નામે પદ્ય-સંગ્રહમાં વાસવદત્તાકથાની ચર્ચા કરી છે. આથી એ વાત જરૂર સ્પષ્ટ થાય છે કે ઉદયન અને વાસવદત્તાની કથા તામિલનાડુમાં પણ સર્વત્ર કહેવા-સાંભળવામાં આવતી હતી અને લોકપ્રિયતાને કારણે, જેમ કે કાલિદાસે પણ “મેઘસંદેશમાં કહ્યું હતું – ૩યનથાવગ્રામવૃદ્ધા...' જનમનની ભાવુક સંવેદનાઓને મુગ્ધ કરી રહી હતી. આ સુંદર કાવ્યના પ્રણેતા કોંકવેલિર જૈન દ્રમિલસંઘના વિદ્વાન હતા. આ સંઘ કર્ણાટકમાં જ ઉન્નત સ્થિતિમાં હતો. કોંકનાડુ કર્ણાટક અને છેક તામિલનાડુનો સીમાપ્રદેશ છે. આથી તે સંઘનો પૂરો પ્રભાવ તેના પર પડેલો જણાય છે. કેટલાક વિદ્વાનોનો મત છે, ઈ. પમી કે ૬ઠ્ઠી સદીના ગંગનરેશ દુર્વિનીતે સંસ્કૃતમાં એક બૃહત્કથાની રચના કરી, જેમાં અન્ય “બૃહતુ કથા” ગ્રંથોની જેમ શૈવધર્મનો 12 Education International Page #190 -------------------------------------------------------------------------- ________________ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ પ્રભાવ બિલકુલ ન બતાવતાં, જૈનધર્મનો ઉત્કર્ષ બતાવવામાં આવ્યો છે. આનો જ અનુવાદ છે કોંકુવેળિરનો આ ‘પેરુમુથૈ.” પરંતુ આ નિર્ણય નથી માની શકાતો. તામિલ રચનાશૈલીઓનો સમાવેશ કરીને કવિએ આ કાવ્યમાં પોતાની મૌલિક પ્રતિભાનો સારો પરિચય આપ્યો છે. ૧૬૨ આ ‘પેરુકથૈ' કાવ્યનો રચનાકાળ સાતમી સદી માનવામાં આવે છે. ‘ઉદયકુમા૨કાવ્યમ્’ નામક એક લઘુ કાવ્ય મળે છે જે જૈન કવિની રચના છે. પરંતુ તે તો બહુ અર્વાચીન ગ્રંથ છે. કોંકુવેળિરનું ‘પેરુમ્ કયૈ' કાવ્ય તો તિરુમંગે આવારની પણ પહેલાંનું હોવું જોઈએ. ‘મણિમેખલૈ’ના રચનાકાળની આસપાસ આની પણ રચના થઈ હશે, એવું માની શકાય. આથી કોમળ કાવ્યને સાતમી સદીનું જ માનવું યુક્તિયુક્ત છે. નોંધ ઃ દુર્વિનીતની બૃહત્કથા Page #191 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમ્-૨ જીવક ચિંતામણિ આ પાંચ મહાકાવ્યોમાંથી એક છે જે સર્વસાધારણને જ નહિ, ઉચ્ચ કોટિના મહાકવિઓને પણ મુગ્ધ કરી ચૂક્યું છે. પ્રસિદ્ધ શૈવ પંડિત શંકર નમશિવાયરે લખ્યું છે, ‘ઉપલબ્ધ મહાકાવ્યોમાં આ સર્વાંગસુંદર હોવાને કારણે, આનું નામ ‘ચિંતામણિ’ ઉચિત જ છે.’ પરંતુ ગ્રંથનું નામ, ચિરતનાયક જીવકના સમયે તેની જનની રાજમહિષી દ્વારા કહેવામાં આવેલાં ‘ચિન્તાખિયે વિત્તિયાય્ (તું મને ચિંતામણિની જેમ પ્રાપ્ત થયો છે)' વાક્યના આધારે રાખવામાં આવેલ છે. છતાં ઉક્ત વિદ્વાનનો અભિમત પણ સાર્થક છે. ૪. આ કાવ્યને ‘મણનૂલશુભવિવાહ-ગ્રંથ’ પણ કહે છે. કારણ એ છે કે આખી કાવ્યકથા કેટલીય વૈવાહિક ઘટનાઓ તથા આયોજનાઓથી ભરેલી છે. આના સિવાય ચરિતનાયક જીવકના વિદ્યાભ્યાસને ‘સરસ્વતી સાથે વિવાહ”, યુદ્ધમાં વિજયી થવાની ઘટનાને ‘વિજયશ્રીનું પાણિગ્રહણ', રાજ્યાભિષિક્ત થવાને ‘ભૂમિ સાથે પરિણય' અને મોક્ષપ્રાપ્તિને ‘મુક્તિદેવી સાથે વિવાહ' આ રીતે પ્રત્યેક ઘટનાને કવિ મંગલ વિવાહ રૂપે જ ચિત્રિત કરે છે. આ મહાકાવ્યના રચિયતા હતા સુપ્રસિદ્ધ જૈન સાધુ તથા કવિવર તિરુત્તક્ક દેવ. - કાવ્યકથા સરયૂનદીના તટવર્તી એમાંગદમ્ (હેમાંગદમ્) દેશની રાજધાની રાજમાપુરમ્ (રાજમહાપુરમ્)માં રાજા સચંદન (સત્સંધર)નું શાસન હતું. તે પોતાની રાણી વિજયાદેવી સાથે કામભોગમાં એટલો આસક્ત થઈ ગયો કે શાસનનો બધો ભાર મહામંત્રી કટ્ટિયંકારન્ (કાષ્ઠાંકારિક)ને સોંપી દીધો. કુટિલમતિ મહામંત્રીએ રાજાને છળથી મારી રાજ્યનું શાસન પોતાના અધિકારમાં કરી લીધું. જ્યારે રાજા સચંદનની પાસે કાર્યઅધિકાર ન રહ્યો અને વિપત્તિ સામે આવી ત્યારે તેણે પોતાની મહિષીને એક મયૂરવિમાન પર બેસાડી નગરની બહાર મોકલી દીધી. તે સમયે તે પૂર્ણ ગર્ભિણી હતી. દુઃખાધિક્યથી દેવી અર્ધમૂચ્છિત થઈ ગઈ અને દૈવ યોગથી મયૂરવિમાન રાજધાનીના સીમાવર્તી સ્મશાનમાં ઉતરી ગયું. ત્યાં વિજયાદેવીને Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ પ્રસવ પીડા થઈ અને તત્કાલ જ એક સુકુમાર પુત્રરત્નનો જન્મ થયો. સ્મશાનની અધિષ્ઠાત્રી દેવીએ સ્વયં એક સહેલી રૂપે આવી વિજયાદેવીની સહાયતા કરી અને નવજાત શિશુને કોઈ બીજાને સોંપવાની સલાહ આપી. તે સમયે નગરનો પ્રસિદ્ધ વણિક કન્જકટન (ગંધોત્કટ) પોતાના મૃત શિશુનો દાહસંસ્કાર કરવા માટે સ્મશાનમાં આવ્યો. વિજયાદેવી પોતાના શિશુને ભૂમિ પર સુવડાવી એક ઝાડની આડમાં છુપાઈ ગઈ. વણિક ખૂબ આનંદ સાથે તે શિશુને લઈને ઘરે ગયો અને લોકોમાં કહ્યું કે મારો મૃત પુત્ર જ ફરી જીવિત થઈ ગયો છે. પરંતુ તે તો જાણતો જ હતો કે સ્મશાનમાં મળેલ શિશુ રાજા સય્યદનનો સુપુત્ર હતો. શિશુના હાથમાં રાજમુદ્રાંતિ વીણી જોઈને તેને આ હકીકતની જાણ થયેલી. શિશુને ઉઠાવતી વખતે દેવવાણી સાંભળવામાં આવી, “જીવ !” આથી વણિકે તે પુત્રનું નામ જીવકનું રાખ્યું અને ખૂબ પ્યારથી તેનું લાલન-પાલન કર્યું. આ બાજુ જીવકની જનની વિજયાદેવી તપસ્યા કરવા ચાલી ગઈ. જીવકનું કેટલીય વિદ્યાઓમાં પારંગત થયો. “અચ્ચરંદી (આર્યનન્દી) પાસેથી તે વિદ્યાગ્રહણ કરતો હતો; એક દિવસ આચાર્યે જીવકને તેના જીવનનું રહસ્ય બતાવી દીધું અને સલાહ પણ આપી કે એક વર્ષ સુધી પોતાને પ્રકટ ન કરે. આ દરમિયાન રાજમાપુરમુના ગોવાળોએ એક દિવસ પોતાના શાસક કથ્રિયંકાનુની પાસે આવીને ફરિયાદ કરી, “મહારાજ, અમારી ગાયોને જંગલના ભીલોએ ઘેરી લીધી અને અમને પણ મારીને ભગાડી દીધા. ગાયોને તેમનાથી છોડાવી અમારી રક્ષા કરો.” રાજાના સૈનિક ભીલોની સામે હારીને ભાગી આવ્યા. ત્યારે જીવકનું સ્વયં પોતાના સાથીઓ સાથે જઈને ભીલો પાસેથી ગાયો છોડાવી લાવ્યો. તેની ખ્યાતિ ફેલાઈ. પછી, નગરના પ્રધાન શ્રેષ્ઠી શ્રીદત્તની પાલિતા પુત્રી ગંધર્વદત્તાને વીણાસ્વયંવરમાં, યાળુ (વીણા) – સ્પર્ધામાં પરાજિત કરી અને તે સુંદરી સાથે જીવકનો વિધિવત્ વિવાહ થયો. ગુણમાલા નામક યુવતીને મત્ત હાથીની લપેટથી બચાવવાને કારણે, તે પણ જીવકનની જીવનસંગિની બની. જીવકને સાપના સવાથી મૃતપ્રાય પદ્દમોત્તમાને જીવિત કરી દીધી, ઉપહારસ્વરૂપ તે સુંદરી પણ જીવકનુની પત્ની થઈ. આ જ રીતે કેમચરી, કનકમાલા, વિમલા, સુરમંજરી અને લક્ષણાદેવી નામક સુંદરીઓની સાથે પણ જીવકના વિવાહ થયા. પોતાના મામાજી તથા વિદેહ દેશના રાજા ગોવિંદનની સહાયતાથી જીવકને કુટિલ મંત્રી કથ્રિયંકારનો વધ કરી, પોતાનું ખોવાયેલું રાજ્ય પાછું લઈ લીધું. જનતાના અપાર આનંદ અને Page #193 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમ-૨ સત્કામનાના સહારે જીવકને પોતાની આઠે રાણીઓ સાથે સુખી જીવન વીતાવ્યું. તેના આદર્શ સુશાસનમાં આખો દેશ સુસંપન્ન બન્યો, જનતાના સુખ-હર્ષનું તો શું કહેવું ? એક દિવસ જીવકન્ નજીકના તપોવનમાં ગયો. ત્યાં એક અશોકવૃક્ષની નીચે બે ચારણઋદ્ધિધારી મુનિઓ ધ્યાનસ્થ ઊભા હતા. જીવકને તેમના ચરણોમાં પ્રણામ કરી મુક્તિપ્રાપ્તિનાં સાધક નિયમાનુષ્ઠાનોનો ઉપદેશ આપવાની પ્રાર્થના કરી. તેમણે વિસ્તારથી જૈન ધર્મનો તત્ત્વોપદેશ કર્યો અને બતાવ્યું કે જીવનનું મુખ્ય ધ્યેય મુક્તિપ્રાપ્તિ છે. આ બધું ગ્રહણ કરી જીવકન્ મહેલમાં આવી ગયો અને પોતાની આઠ દેવીઓ સમક્ષ દીક્ષા ગ્રહણ કરવાનો વિચાર પ્રકટ કર્યો. દેવીઓ પણ તેની સાથે સંન્યાસ ગ્રહણ કરવા માટે તૈયાર થઈ ગઈ. ૧૬૫ એક શુભ દિવસ જીવકને પોતાના આઠ પુત્રોને પાસે બોલાવી તેમને શાસનનો ભાર સોંપ્યો તથા તપસ્યા માટે નીકળી પડ્યો. જીવકની આઠે રાણીઓ પણ પોતાની સાસુ સાધ્વી વિજયાદેવીની સેવામાં ચાલી ગઈ અને વિધિવત્ દીક્ષા ગ્રહણ કરી તપસ્યામાં લીન થઈ ગઈ. જીવકને સમવશરણમાં જઈ તીર્થંકર વર્ધમાનના સાક્ષાત્ દર્શન કર્યાં અને સુધર્મ નામક ગણધર પાસે સર્વસંગ-પરિત્યાગ કરી વિધિવત્ દીક્ષા ગ્રહણ કરી લીધી. તદનંતર તેણે વિપુલગિરિ પર ઘોર તપસ્યા કરી. તપસ્યાના પ્રભાવથી જીવકન્ પોતાના કર્મબંધનથી મુક્ત થઈ ગયો. કાવ્યની વિશેષતાઓ જીવકચિંતામણિ કાવ્ય રચનાશિલ્પ તથા રસવ્યંજનાની દૃષ્ટિએ તમિલ ભાષાનું અનુપમ અને સમુવલ કંઠાભરણ છે. કવિ તિરુત્તક્કદેવર્ કાવ્યારંભે ક્રમશઃ દેશ, નગર, વીથી, મહેલ, નરેશ, મહિષી વગેરેનું રોચક વર્ણન કરે છે. જો કે આ સ્થાનો તથા પાત્રો કાલ્પનિક જ છે, તો પણ તેના ચિત્રણમાં કવિની મૌલિક પ્રતિભા તથા આદર્શોન્મુખ પ્રેરણા સ્પષ્ટ દેખાઈ પડે છે. ‘યુટોપિયા' (Utopia) જેવા કાલ્પનિક આદર્શદેશના રૂપમાં જ આ કાવ્યનો એમાંગદમ્ (હેમાંગદ) દેશ પણ છે. આ જ કાવ્ય શૈલીના અનુસરણમાં પરવર્તી કવિઓએ નાટ્ટુ પટલમ્ (દેશવર્ણનસર્ગ), નગર-પટલમ્ વગેરેનું વર્ણન કર્યું છે. સ્થાનો ઉપરાંત પાત્રોને પણ તામિલ સંસ્કૃતિ તથા તામિલ પ્રકૃતિને અનુરૂપ ચિત્રિત કરવામાં કવિએ ક્યાંય પણ સંકોચ નથી કર્યો. શું પ્રકૃતિવર્ણન, શું પ્રેમગાથા, શું સમરચિત્રણ, શું રાજનૈતિક ષડ્યુંત્રોનો ઉલ્લેખ, શું નીરસ ધાર્મિક Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ તત્ત્વોનું વિવેચન – બધી જગ્યાએ કવિની પ્રતિભા ઉન્મુક્ત રૂપે પ્રકટ થઈ છે. 'काव्यं यशसे अर्थकृते व्यवहारविदे शिवतरक्षतये । सद्यः फल निर्वृत्तये कान्तासम्मिततया ૩૫શયુગે ” – આ કાવ્યલક્ષણનું સાચે જ કોઈ સર્વાગપૂર્ણ કૃતિમાં દર્શન કરવું હોય, તો તે આ જ મહાકાવ્ય “જીવકચિંતામણિ' છે, જે કેટલાય મહાકવિઓ માટે આદર્શ સ્તંભ હતો અને પ્રેરણાસ્રોત પણ. ચિંતામણિ'નો રચનાકાળ શ્રવણબેલગોલમાં પ્રાપ્ત એક શિલાલેખમાં કેટલાક આચાર્યોનો ઉલ્લેખ મળે છે. તેઓ છે મહાપુરાણના ઉત્તર ભાગના રચયિતા ગુણભદ્ર, તેમની પછી ચિંતામણિ આચાર્ય અને તેમના પરવર્તી શ્રીવર્તદવ જે “ચૂળામણિ (મૂલગ્રંથ)ના રચયિતા હતા, વગેરે. આચાર્ય ગુણભદ્ર તો રાષ્ટ્રકૂટ નરેશ અકાલવર્ષના સમકાલીન હતા. અકાલવર્ષ નવમી સદીના અંતે અભિષિક્ત થયો. પ્રસ્તુત મહાકાવ્ય “જીવકચિંતામણિ'ના કવિ પોતાના નામના અંતે “દેવરૂ' શબ્દ જોડતા હતા. આથી જાણી શકાય છે કે તેઓ દેવગણ”ના હતા જે જૈન દ્રાવિડસંઘનો એક ભાગ હતો. કવિનું નામ તિરુત્તક દેવર' સંભવતઃ એટલા માટે પડ્યું કે તેઓ દ્રાવિડ સંઘ અંતર્ગત દેવગણના હતા. શિરડુ પાયિરમ્' આમાં એક અંશ આવો છે, “વત્ ર્વવિદ્ પામોત્રિપુટુંબૂ મૈયર રીર્તિ તિરુત્ત મુનિવત્ ” અર્થાત્ “પ્રખ્યાત વંચિદેશ (આજકાલ કન્વરના નામથી મશહુર)ના નરેશ પોપ્યામોનિ દ્વારા અભિનંદિત અને માન્યવર તિરુત્તક્ક મુનિવનું (મુનિ). કેટલાક વિદ્વાનોનો મત છે કે આ પોપ્યામોળિ “સત્યવાફનો અનુવાદ હોઈ શકે છે. ઈતિહાસથી ખબર પડે છે કે સત્યવાક નામક ગંગનરેશ દસમી સદીના પહેલા ભાગમાં શાસનારૂઢ હતો. તેણે “વળિળ મલે” (રજત ગિરિ) પર એક જિનમંદિર ઊભુ કર્યું હતું. વંચિ પ્રદેશ, જે કરુવ્ર નામે પ્રસિદ્ધ છે, તે ચોલ અને ચેર રાજ્યોના સમ્મિલિત ભાગને કહે છે. “વંચિ'નો બીજો અર્થ છે સમરયાત્રા (ચડાઈ). વિશિષ્ટ યુદ્ધ-કૌશલને કારણે પણ સંભવ છે કે ઉક્ત ગંગનરેશને ૧. “શિરડુ પાયિર' તે પદ્યને કહેવામાં આવે છે, જે ગ્રંથકારના ગુરુ, સહપાઠીઓ, યોગ્ય શિષ્યો તથા નિપુણ વ્યાખ્યાકારો – આમાંના કોઈ એક દ્વારા ગ્રંથ અને ગ્રંથકાર વિશે રચવામાં આવે છે. તેમાં ગ્રંથ તથા ગ્રંથકારનો સંક્ષિપ્ત પરિચય હોય છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમ-૨ ‘વપુકળ્ વંચિ’ (સમર યાત્રામાં દક્ષ)ની ઉપાધિ મળી હોય. આથી પ્રસ્તુત મહાકાવ્ય ‘જીવકચિંતામણિ'ને નવમી સદીની રચના માની શકાય. દસમી સદીના છંદશાસ્ત્ર ‘યાüગલવૃદ્ધિ'માં આ કાવ્યના ઉદ્ધરણો મળે છે. આથી આને દસમી સદી પહેલાંની રચના માનવામાં કોઈ આપત્તિ નથી. નચ્ચિનાકિનિયરે પોતાની વ્યાખ્યામાં તિરુત્તક્ક દેવર્ના કુળ વિશે એમ સંકેત આપ્યો છે, “.... મુન્નીર્ વતંત્ત (ચોળકુળરૂપી સાગરમાં ઉત્પન્ન ઉત્તમ શંખ છે આ કવિ).” આથી જાણ થાય છે કે તેઓ ચોળકુલભૂષણ હતા. પારંપરિક અનુશ્રુતિ પણ આ વાતનું સમર્થન કરે છે. અરિગ્ઝયન્ ચિરતનાયક જીવકની માતા વિજયાદેવીના મહિમામાં કવિવરે લખ્યું છે “अशैविलाप् पुरवि वेळ्ळत्तु अरिञ्जयन् कुलत्तुळ् तोन्ड्रि वशैयिला वरत्तिन् वंदाळ्...' (ચિંતામણિ-૨૦૧.) અર્થાત્ “અત્યાધિક અશ્વસમૂહના સ્વામી વીરશ્રેષ્ઠ અરિંજયના કુળમાં જન્મી અને પવિત્ર વરદાન રૂપે આવી આ વિજયાદેવી.’ - ૧૬૭ અરિગ્ઝયન્ ચોલરાજાઓની ઉપાધિ છે. અરીન્ (શત્રુઓને) નયતિ કૃતિ (હરાવી દે છે આ કારણથી) આ ‘અરિગ્ઝય’ નામ પડ્યું. આને જ ‘અરિન્દમ’ પણ કહે છે, જે વ્યવહારમાં હતું. ‘અકુિલકેસરી' (શત્રુસમૂહ માટે સિંહ) પણ ચોલોનું ઉપાધિનામ હતું. પ્રથમ વિખ્યાત ચોલનરેશ અરિગ્ઝયન્ને એક પુત્રી હતી જેનું નામ ‘અરિગ્ઝકૈ પિરાટ્ટિ હતું. ઈતિહાસ સાક્ષી છે કે અરિગ્ઝયનના પુત્ર ચોલાધીશ રાજરાજને પોતાના પિતાજીની સ્મૃતિમાં ‘અરિગ્ઝયેશ્વરમ્’ નામક મોટા મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને તેના નામ પર ‘અરિન્દ’ (કે અરિગ્સ) મંગલમ્' નામક નગર પણ વસાવ્યું હતું. તેની પછી ‘અરિગ્મય' નામનો બીજો કોઈ ચોલ નરેશ નથી થયો. તેનો સમય દસમી શતાબ્દી હતો. ‘અરિજ્રય, અરિન્દમન્ અને અરિકુલકેસરી' નામ લોકોને અથવા સ્વયં રાજાને ખૂબ પસંદ આવ્યાં હશે; આથી તામિલ નામોને છોડી, તે નામોથી તે પ્રખ્યાત થયો. તે પરાન્તકન્ (પ્રથમ)નો પુત્ર હતો અને આદિત્યચોળન્ (પ્રથમ)નો પૌત્ર હતો. તેના અને તેના પૂર્વજોના શાસનકાળમાં વીરતા, યુદ્ધકુશળતા વગેરેની પ્રધાનતા રહી છે. તેમના પૂર્વજ વિજયાલય ચોળની વીરતા અને શૂરતાનું વર્ણન કરતાં ઈતિહાસકારોએ કવિવર્ણનને સાદર ઉદ્ધૃત કર્યું છે, ‘તમે પોતાના વક્ષસ્થળમાં ૯૬ (છન્નુ) વ્રણચિહ્નોથી વિભૂષિત — - Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ છો જે આપની વિપુલ વિજયવૈજયંતીના ઉત્તમ ઘોતક છે.” ચોલાધીશ અરિજયનના પશ્ચાતુવર્તી રાજાઓને “ઉત્તમશીલી', “ઉત્તમનુ” વગેરે ઉપાધિઓ મળી. પછીના રાજરાજનું સાથે “ચક્રવર્તી”, “સાર્વભૌમ' વગેરે ભાવોના ઉપનામ જોડવામાં આવ્યા હતા. પરંતુ, કવિવર તિરુત્તક્ક દેવરે વિજયાદેવીના પિતા રૂપે જે “અરિજયનુ'ની ચર્ચા કરી છે, તે તો વિદેહનરેશ હતો. વિદેહો અને ચોલોમાં ક્યારે વૈવાહિક સંબંધ સ્થાપિત થયો એ જ્ઞાત નથી. એમ પણ શક્ય છે કે મૂલ ગ્રંથનાં નામ છોડીને તમિલનાડુમાં સુપ્રચલિત નામને કવિએ અપનાવી લીધું હોય અને સ્વયં ચોલકુલસંતાન હોવાને કારણે, પોતાના સમ્માનનીય પૂર્વજનું નામ રાખવામાં ગૌરવનો અનુભવ કર્યો હોય. કાવ્યનો ઉદ્દેશ્ય અને સંકેત : કવિ ચોલકુળના હતા, આથી તેમના મનમાં ચોલ સામ્રાજ્યનું ભાવિ કે વર્તમાન રૂપ સાકાર થયું હશે. પોતાની ઈચ્છા કે કલ્પનાને રૂપ આપવા માટે જ જૈન પુરાણાંતર્ગત જીવનની કથાને કવિએ કાવ્યનો વિષય બનાવી દીધો. જેમ વિરવર જીવકને કેટલાય રાજપરિવારો સાથે સંબંધ સ્થાપિત કરી પોતાને મહાબલી બનાવી દીધો, તેવી જ રીતે ચોલરાજાઓએ પણ રાજપરિવારો સાથે વૈવાહિક સંબંધ સ્થાપિત કરવો ઉચિત છે – આ આશયને કવિવરે પોતાના કાવ્યમાં આદિથી અંત સુધી વ્યક્ત કર્યો છે. આનું જ પરિણામ કે પ્રભાવ છે કે ચોલનરેશોએ આસપાસના પલ્લવ, આ% વગેરે અન્ય રાજકુલો સાથે વૈવાહિક સંબંધ જોડી દીધો હતો. અત્યાધિક કામશક્તિને કારણે જેમ સચૅદન (સત્યન્તર)નાં રાજ્યની અને સુશાસનની દુર્ગતિ થઈ, તેવી જ રીતે પોતાના સમયમાં ચોલોની સ્થિતિ પણ અવનત હતી. સંભવતઃ તેમને જાગૃત કરવા માટે જ કવિને આવા પ્રભાવશાળી ગ્રંથની રચના કરવાની અંત:પ્રેરણા થઈ. ચોલનરેશનું “ચક્રવર્તી બનવાનું જે સ્વમ કવિએ પોતાની રચનામાં જોયું. તે પછીથી રાજેન્દ્ર ચોલનના સમયમાં સાકાર થયું. સહુથી મોટી વિશેષતા આ કાવ્યની એ છે કે લોકોના મનમાં જૈન ધર્મ માત્ર વૈરાગ્ય, ૧. તામિલમાં વિતેય' શબ્દ આપવામાં આવ્યો છે, તેનું મૂળ રૂપ વિદેશ કે વિદેહ હોઈ શકે. Page #197 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમ-૨ સંન્યાસ, તપસ્યા વગેરેનો જ પોષક હોવાની જે ધારણા હતી, તેને બદલી ‘લૌકિક આનંદ લેવા છતાં પણ, ભોગ-ઉપભોગોમાં નિમગ્ન હોવા છતાં પણ જૈન ધર્મના સહારે મુક્તિ-પ્રાપ્તિ સહજ સંભવ છે’ આ ધારણાને સ્થિર કરી દીધી. આથી ભાવુક કવિવરે, જે પોતે સર્વસામાન્ય સંન્યાસી સાધુ હતા, આ આખા કાવ્યને ‘વૈવાહિક ગ્રંથ' જ બનાવી દીધો. - આ કાવ્યનો મુખ્ય સંદેશ અહિંસા ધર્મનું સમર્થન છે. ગાયોને જંગલી ભીલોથી છોડાવવાના પ્રસંગમાં જીવકને સાચા અહિંસકનો પરિચય કરાવ્યો. જોકે અંતે કુટિલ અને ક્રૂર અમાત્ય કટ્ટિયંકારન્ (કાઠાંકારિક)ની હત્યા થાય છે, છતાંપણ રાજનીતિની દૃષ્ટિએ તે શત્રુવધ ન્યાય્ય જ માનવામાં આવે છે. કવિવરે સાચા અહિંસક સામ્રાજ્યનું ચિત્રણ કર્યું છે. શાસન રીતિ, પ્રજાપાલન વગેરે બધા પ્રકારના રાજકાર્યોમાં અહિંસા અને સ્નેહની જ પ્રધાનતા બતાવવામાં આવી છે. કવિવર તિરુત્તક્ક દેવર્ની જેમ આદર્શ સામ્રાજ્યનું સપનું ઓછા જ કવિઓએ જોયું અને તેનું વર્ણન કર્યું અને કોઈએ કર્યું હોય, તો પણ તેની પછી જ. તેમાં જૈનધર્મને ગર્વ કરવાનો અધિકાર છે જ; છતાંપણ કવિવરની મૌલિક પ્રતિભાની પણ પ્રશંસા કરવી જ પડશે. ૧૯૯ ચૂળાણિ મહાકાવ્ય ‘જીવક ચિંતામણિ'ના પ્રકરણમાં પહેલાં દર્શાવવામાં આવ્યું છે કે શ્રવણબેલગોલથી પ્રાપ્ત શિલાલેખમાં ‘ચૂળામણિ'ના રચિયતાનું નામ ‘વર્ધમાન દેવર’ મળે છે. પરંતુ તામિલમાં આ નામ નથી મળતું; તામિલનું રૂપ છે, ‘તોલા મોળાત્તેવર’. કેટલાક વિદ્વાનોનો મત છે કે તે લેખકનું બીજું નામ હોઈ શકે છે. તે પણ વિવાદાસ્પદ છે કે શ્રવણબેલગોલના શિલાલેખમાં જે ‘ચૂલામણિ' ગ્રંથનો ઉલ્લેખ છે, તે તામિલ કાવ્યનો છે કે બીજાનો. આથી તેના આધારે આ તામિલ કાવ્યનો કાલનિર્ણય કરવો યોગ્ય નહિ હોય. ‘ચૂળામણિ’ના ઉપોદ્ઘાત પદ્ય ‘પાયરમ્’માં કહેવામાં આવ્યું છે કે ચંદન નામક તામિલ પ્રેમી નરેશની સભામાં આ ગ્રંથ પ્રથમ વાર પ્રકાશિત કરવામાં આવ્યો. ૧ ૧. કોઈ ગ્રંથને પ્રથમવાર સભામાં પ્રકાશિત કરવાને તામિલમાં ‘અરંગેટ્રમ્' (સમારોહ) કહેવામાં આવે છે. તે સભામાં મોટા મોટા સમાલોચક વિદ્વાનો હોવાના. તેમની સ્વીકૃતિ અને અનુમોદન પ્રાપ્ત કર્યા પછી જ તે ગ્રંથ જનતા દ્વારા આદર પામે છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ રાજા ચન્દન વિશે વર્ણન છે, “વેન્દ્રગુમ તૂમાન તિમિછિન ઝિવ', અર્થાત્ ચેન્જન નામક રાજકુલભૂષણ અને તામિલ-પ્રેમી. ‘તામિલ-પ્રેમી'ના વિશિષ્ટ વિશેષણને કારણે આ રાજા પાંડ્યવંશી હોઈ શકે છે. આ વિશેષણ ઘણું કરી પાંડ્ય રાજાઓનું જ છે અને “ચેન્જન” નામ માત્ર પાંડ્યોના માટે વ્યવહત થયું છે. સાતમી સદીના પૂર્વ ભાગમાં “જયન્તવર્મનું અવનિ ચૂળામણિ મારવર્મનું નામક પાંડ્યનરેશ થઈ ગયો હતો, જે પ્રસિદ્ધ કૂનું પાંડ્યનુનો પિતા હતો. આ ઐતિહાસિક આધારે કેટલાક વિદ્વાન માને છે કે “ચૂળામણિ પાંડ્ય રાજાના નામ પર રચાયેલ હોવું જોઈએ. આ જોતાં તેનો રચનાકાળ સાતમી સદી માનવો ઉચિત થશે. છે પરંતુ મયિર્લૅનાથર વગેરે વ્યાખ્યાકારોનો મત છે કે પોતાની ઉત્કૃષ્ટતાને કારણે જ ગ્રંથનું નામ “ચૂળામણિ' (ચૂડામણિ) પડ્યું, જે સાર્થક પણ છે. તદુપરાંત આ કાવ્યના ચરિતનાયક તિવિટ્ટન (ત્રિપૃષ્ઠ)ના પિતા પયાપતિ (પ્રજાપતિ)ની, અંતે “ચૂળામણિ (ચૂડામણિ – જેવા સર્વવંદ્ય તથા સર્વશ્રેષ્ઠ) કહીને પ્રશંસા કરવામાં આવી છે. કવિનું જ વાક્ય જુઓ, “દિન મુડલો પૂબળ માનાન; અર્થાત્ જગતના મસ્તક માટે (તે રાજા પયાપતિ) વસ્તુતઃ ચૂળામણિ (ઉત્તમ અંગનું ઉત્તમ આભૂષણ) બની ગયા.” આ જ મંગલવાક્ય સાથે કાવ્ય સમાપ્ત થાય છે. કવિએ આ કાવ્યમાં એક સ્થાને રત્નપલ્લવ નગરને પણ “ચૂડામણિ' કહ્યું છે અને રાજાનું નામ પણ “ચૂળામણિ” લખ્યું છે. ચરિતનાયક તિવિટ્ટનના મસ્તકની કાંતિનું વર્ણન કરતી વખતે પણ તેમણે “ચૂળામણિ'નો ઉપયોગ કર્યો છે. આથી કવિનો પ્રિયતમ શબ્દ જે કાવ્યની અંદર વારંવાર પ્રયુક્ત થયો છે, તે મહાકાવ્યનું પણ શીર્ષક બની ગયો છે. એક “તનિપ્પાડલ્” (ફુટકળ પદ્ય)માં કહેવામાં આવ્યું છે કે વિજયનું કારવેટ્ટિ અરેયની અભ્યર્થનાથી તોલામોનિ દેવરે “ચૂલામણિ' કાવ્યની રચના કરી હતી. કારવેટ્ટિ શબ્દ “કાડ વેટ્ટિ (જંગલનો નાશ કરનાર)નું અપભ્રંશ-રૂપ છે. આ નામ પલ્લવનરેશોની ઉપાધિનું સૂચક છે. આ નામમાં, ‘વિજયનું' શબ્દ તેનું નામ ન હોતાં, “જીતનાર'ના અર્થમાં પ્રયુક્ત થયેલ લાગે છે. ત્યારે પૂર્વોક્ત “પાયિરમ” (પ્રારંભિક પરિચાયક પદ્ય)માં વર્ણિત ચેન્જને જ તે નામથી નિર્દિષ્ટ કરવામાં આવેલ હોઈ શકે છે, “તમિળનું કિગવન્” (તામિલનો પ્રેમી કે અભિભાવક) શબ્દ Page #199 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમ્-૨ માત્ર પાંડ્યનરેશનો જ નિર્દેશક છે, એવી વાત નથી. ‘ચેન્દન્ દિવાકરમ્' ગ્રંથની રચના માટે સમુચિત પ્રોત્સાહન તથા સહયોગ એક પલ્લવનરેશે આપ્યો હતો. તે જ રીતે ‘ચૂળામણિ'ના પ્રણયન માટે પણ, ઉત્પ્રેરક તથા સહાયક બનવાનું ગૌરવ કોઈ પલ્લવનરેશને મળી શકે. આથી સંભવ છે કે શ્રવણબેલગોલથી પ્રાપ્ત શિલાલેખમાં જે ગ્રંથનો ઉલ્લેખ છે, તે તામિલ કાવ્ય ચૂળામણિ' જ હોય. પૂર્વોક્ત ‘તનિપ્પાડલ’ (ફુટકળ પઘ)માં ચળામણિના કવિ તોલામોળિ દેવને ધર્મતીર્થના શ્રીચરણસેવી બતાવવામાં આવ્યા છે, આ ઉપરથી એવો નિર્ણય ક૨વો ઉચિત લાગે છે કે સાતમી અને નવમી શતાબ્દીઓ વચ્ચે ‘ચૂળામણિ'ની રચના થઈ. દસમી સદીની છંદરચના ‘યા`ડુંગલવૃત્તિ’ની વ્યાખ્યામાં ‘ચૂળામણિ’નાં પદ્ય ઉદ્ભુત છે. આથી એ ચોક્કસ છે કે દસમી શતાબ્દીની પહેલાં જ ‘ચૂળામણિ’નું પ્રણયન થઈ ચૂક્યું હતું તથા તે પ્રસિદ્ધ પણ થઈ ગયો હતો. ‘ચૂળામણિ’ની વિશેતાઓ આ કાવ્યકથા ‘શ્રીપુરાણમ્'માંથી લેવામાં આવી છે. આચાર્ય ગુણભદ્રે સંસ્કૃતમાં શ્રીપુરાણમ્ (ઉત્તરપુરાણ)ની રચના કરી છે. તે કથા સમાદત થઈ. તામિલની ઉચ્ચારણ તથા પ્રયોગ-પરંપરા અનુસાર નામોનું રૂપપરિવર્તન થયું છે પરંતુ એવો પણ સંભવ છે કે કાવ્યપાત્રો અને સ્થાનોનાં નામોનાં રૂપોનાં પરિવર્તનમાં મૂળ નામોનો સહારો લેવામાં આવ્યો હોય. ઉદાહરણાર્થ કાવ્યપાત્રોના નામ જુઓઃ મહારાજ પયાપતિ (પ્રજાપતિ), મહારાણી મિગાવતી (મૃગાવતી), રાજકુમાર તિવિટ્ટન્ (ત્રિપૃષ્ઠ), સયંપવૈ (સ્વયંપ્રભા) વગેરે. સ્થાનોનાં નામો છે • સુરમૈ (સુરમ્ય દેશ), પુષમાકરણ્ડમ્ (પુષ્પમહાકરણ્ડમ્) પુષ્પવાટિકા વગેરે. - કથાવસ્તુ ૧૭૧ -- રાજા પયાપતિ (પ્રજાપતિ)ના બંને પુત્ર તિવિદ્યન્ (ત્રિપૃષ્ઠ) અને વિજયન્ બંનેએ વિદ્યાધર-ચક્રવર્તી અશ્વકંઠની અધીનતા સ્વીકારી નહિ. આથી અશ્વકંઠે પોતાના એક વીરને એમ આજ્ઞા આપી ભૂલોકમાં મોકલ્યો કે તે રાજકુમારોની હત્યા કરી નાખ. તે વિદ્યાધર વીર સિંહનું રૂપ ધારણ કરી રાજધાની તરફ ગર્જના કરતો આવ્યો. આ વાત સાંભળી વીરવ૨ તિવિટ્ટન્ સ્વયં લલકારતો બહાર આવ્યો. તેની સંત્રાસક મૂર્તિ જોઈ સિંહરૂપી વિદ્યાધર ભયકંપિત થઈ નિકટવર્તી ગુફાની અંદર ઘુસી ગયો, જ્યાં એક વાસ્તવિક સિંહ પહેલાંથી સૂઈ રહ્યો હતો. તિવિટ્ટન્ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ વિદ્યાધર સિંહનો પીછો કરતો તે ગુફા સુધી પહોંચી ગયો. રાજકુમારની ગર્જના સાંભળી તન્દ્રાયુક્ત સિંહ બહાર નીકળ્યો અને તિવિટ્ટનું પર કૂદ્યો. બંનેમાં ઘમસાણ દ્વન્દ છેડાઈ ગયું અને તિવિટ્ટને તે સિંહનું મોં ફાડી મારી નાખ્યો. રાજકુમારનું પરાક્રમ જોઈ, બીજા વિદ્યાધર નરેશ જવલનજીએ પોતાની પુત્રી સ્વયંપ્રભાનો તેની સાથે વિવાહ કરી દીધો. આ જાણી અશ્વકંઠ ખૂબ ક્રોધિત થયો અને પોતાની વિપુલ સેના સાથે તિવિટ્ટનું સાથે લડવા આવ્યો. બંને પક્ષોમાં ઘમસાણ યુદ્ધ થયું. અંતે તવિટ્ટનના હાથે અશ્વકંઠનો વધ થયો. રાજ્યમાં યુવરાજ-પદ પર અભિષિક્ત થયા પછી તિવિટ્ટનું “કોટિકુરુ' નામક પહાડને હાથથી ઊંચકી લેવાના પ્રસંગથી વાસુદેવનું નામે પ્રસિદ્ધ થયો. તેની પુત્રી ચોતિમાલે (જ્યોતિમાલા)એ પોતાના મામાના પુત્ર અમુદસેનનું (અમૃતસેન)ને સ્વયંવરમાં માળા પહેરાવી પતિ રૂપે વરી લીધો. તે જ સ્વયંવરમાં તિવિટ્ટનુના પુત્ર વિજયનું અને તેના મામાની દીકરી – બંનેનો વિવાહ થયો. અંતે મહારાજ પાપતિએ દીક્ષા ગ્રહણ કરી તપસ્યા કરી અને કર્મનિર્જરા કરી કૈવલ્યપદ પ્રાપ્ત કર્યું. કાવ્યાંતે કવિ કહે છે, “કાલદેવ અને કામદેવ બંને પર વિજય મેળવી મહારાજ પાપતિએ કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. તેમની સાધનાકીર્તિ સમસ્ત દિશાઓમાં ફેલાઈ ગઈ. વસ્તુતઃ પોતાના જ્ઞાનની પ્રભાથી તેઓ સમસ્ત જગત માટે સમુવલ “ચૂળામણિ' (ચૂડામણિ) બની ગયા.” આ કથાને ખૂબ મધુર શબ્દોમાં કવિવર તોલામોનિ દેવરે શણગારી છે. રાજનૈતિક વાતો, શાસનનાં વિધિ-વિધાન, દૂત-સંદેશની રીતો, જનતાના તહેવાર અને વ્યવહાર, અમાત્યોની મંત્રણા-સભા, સ્વયંવર, માયાવી યુદ્ધ વગેરે રોચક વિષયોનો સમાવેશ કરી આ કોમળ કાવ્યનું પ્રણયન કરવામાં આવ્યું છે. તામિલ કાવ્ય પરંપરા અનુસાર ઐતિર્ણ (પાંચ પ્રકારના પ્રદેશ)નો પરિચય અને દેશનગરાદિનું વર્ણન કરવા છતાં પણ, સંસ્કૃત કાવ્ય-પરંપરાનો નિર્વાહ પર્યાપ્ત માત્રામાં થયો છે. પ્રસિદ્ધ શૈવસંત પુરાણના રચયિતા લબ્ધપ્રતિષ્ઠ કવિ શ્રી શેક્કિનારે ચૂળામણિ' કાવ્યની શૈલી પોતાના ગ્રંથ માટે અપનાવી છે. વિષ્ણુના અવતાર કણનું (કષ્ણ)ની કથા અને તેમની ઉપાસના તામિલનાડુમાં ખૂબ પ્રચલિત થઈ. જનમનહારિણી તે ભક્તિધારા મુખ્યત્વે પલ્લવોના શાસનકાળમાં પ્રવાહિત હતી. તે જ સમયે કેટલાય વૈષ્ણવ કવિઓએ કૃષ્ણ સંબંધી અનેક ગીત તથા પ્રબંધ-કાવ્યો વગેરે રચ્યાં. વૈષ્ણવેતર કવિઓ પણ તે સાહિત્ય-પરંપરાના Page #201 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમ્-૨ ૧૭૩ અથવા તે મોહક કાવ્ય-પ્રવાહના અનુયાયી બન્યા. તેમાં પ્રાકૃત કાવ્ય “ચૂળામણિ'ના રચયિતા તોલામોલિ દેવસ્ અગ્રગણ્ય જણાય છે. ચૂળામણિ કાવ્યનો કોઈ મહાન ઉદેશ્ય કે ઉચ્ચ આદર્શ ન હતો. માત્ર રાજા પયાપતિ (પ્રજાપતિ)ને જગદ્વન્દ તથા ખ્યાતિ અને સમાદર પ્રાપ્ત “ચૂડામણિ' રૂપે ચિત્રિત કરવો એ જ કવિનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. કાવ્યના અંતે જોકે પયાપતિનો ઉત્કર્ષ દેખાડવામાં આવ્યો છે, તો પણ આખા કાવ્યમાં તેના કનિષ્ઠ પુત્ર તિવિટ્ટનું (ત્રિપૃષ્ઠ)નું ચરિત્ર-ચિત્રણ જ કાવ્યની ગતિ તથા સૌંદર્યનું પરિચાયક છે. સમગ્ર કાવ્યમાંથી એ જ ભાવ ઉત્પન્ન થાય છે કે તિવિટ્ટનું આગળ પાપતિનું અસ્તિત્વ ફીકું પડી જાય છે. છતાં પણ, કૃષ્ણ સમા તિવિટ્ટનું જેવા મહિમાવાનું તથા પ્રભાવશાળી પુત્રના પિતા હોવાનું ગૌરવ રાજા પયાપતિને ચોક્કસ પ્રાપ્ત થાય છે. કવિની મધુર વાણીના પ્રભાવથી આ નાની-મોટી ત્રુટિઓ, જે મૂળ કથાના પ્રવાહમાં આવી ગઈ, લુપ્તપ્રાય થઈ જાય છે. સંસ્કૃતના શબ્દો, વાક્યવિન્યાસ તથા ભાવો મળી આવવા છતાં પણ, તામિલની મધુરિમાના પ્રભાવ આગળ તે બધું તિરોહિત થઈ જાય છે. પેરુમ્ કાપ્પિયંગળ (પંચ મહાકાવ્યો)ના નામ છે, શિલપ્પધિકારમ્, જીવકચિંતામણિ, મણિમેખલે, વૌયાપતિ અને કુંડલકેશી. આમાં શિલપ્પધિકારમ્, ચિંતામણિ અને વૌયાપતિ – ત્રણે જૈન કાવ્ય છે. અન્ય બંને બૌદ્ધ કાવ્ય છે. ઐચિરુ કાપ્પિયંગળુ' (પંચ લઘુકાવ્યો) રૂપે ચૂડામણિ, નીલકેશી, યશોધરકાવ્ય, ઉદયણકુમાર કાવ્ય અને નાગકુમાર કાવ્ય માનવામાં આવે છે. આમાં “ચૂળામણિ છોડીને અન્ય ગ્રંથો સફળ કાવ્ય નથી કહી શકાતા. “નીલકેશી’ વિશે પહેલાં જ વર્ણન કરવામાં આવી ગયું છે. “ઉદયણ કુમાર કાવ્ય' બૃહત્કથા નથી. તે માત્ર ૩૬૭ પદ્યોવાળી રચના છે. નાગકુમાર કાવ્ય તો નામમાત્રનું છે. “ઐપેરુસ્કાપ્પિયમ્'નું નામવિભાજને પ્રસિદ્ધ તામિલ વિદ્વાન્ મયિલેનાથરના સમયમાં જ (૧૩-૧૪મી સદી) થઈ ચૂક્યું હતું. આ જ સમયે “ઐચિકકાપ્પિયમુનો પણ નામનિર્દેશ થયો હશે. છતાં પણ, “ચૂળામણિ' કાવ્યલક્ષણ તથા રચનાશિલ્પની દૃષ્ટિએ મહાકાવ્યોની કોટિમાં મૂકવા યોગ્ય છે. મહાકાવ્ય (પેરુમ્ કાપ્પિયમ્)નાં લક્ષણ બતાવતાં વિદ્વાનોએ લખ્યું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – આ ચારે પુરુષાર્થોનું સમગ્ર વર્ણન જેમાં કરવામાં આવે છે, તે મહાકાવ્ય છે અને તેમાં એક-બેની ન્યૂનતા હોય, તો તે “ચિરકાપ્પિયમ્' (લઘુકાવ્ય)ની કોટિમાં આવે છે. આથી આ દૃષ્ટિએ પણ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ ચૂળામણિ ચારે પુરુષાર્થોનું વર્ણન કરતું હોવાને કારણે મહાકાવ્યની જ શ્રેણીમાં આવે છે. લઘુકાવ્ય : યશોધર કાવ્ય પૂર્વોક્ત પંચ લઘુ કાવ્યો (જેને રસકાવ્ય પણ કહી શકાય)માં યશોધરકાવ્ય પણ એક છે. તેમાં કુલ ૩૩૦ પદ્ય છે. સુકર્મ-દુષ્કર્મના પરિણામોને પ્રકટ કરવા તથા “ : સ્વછૂતમત્ર ને મુતે ?” (કઈ વ્યક્તિ આ જગતમાં પોતાનાં કરેલ કર્મનું ફળ નથી ભોગવતી ?)ની વાસ્તવિકતાનું સમર્થન જ આ કાવ્યની મુખ્ય કથા છે. કાવ્યકથા સંક્ષેપમાં આ મુજબ છે : ઉદય દેશનો નરેશ મારિદત્તનું ચંડમારી (ચંડિકા જેવી બલિપ્રિયા દેવી)ને બલિ દ્વારા પ્રસન્ન કરવા માટે યુગલ (ભાઈ-ભાઈ, ભાઈ-બહેન વગેરેની જોડી)ની શોધ કરી રહ્યો હતો. સંયોગવશ તેના કર્મચારીઓની દૃષ્ટિમાં યુવાન જૈન સાધુ અયરિષિ અને તેની બહેન અભયમતિ બંને પડી ગયા. બિચારા ભાઈ-બહેન પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતાં બલિ થવા તૈયાર થયા. તેમની પ્રસન્ન તથા ગંભીર મુખાકૃતિ જોઈ રાજા મારિદત્તનું વિસ્મયાભિભૂત થયો. તેણે તેમની તે મોહરહિત તથા નિર્લિપ્ત ત્યાગ ભાવનાનું કારણ પૂછ્યું, તો યુવક સાધવરે રાજાને જૈન તત્ત્વોથી અવગત કરાવ્યો. સંક્ષેપમાં તે પૂર્વજન્મનો વૃત્તાંત આ મુજબ હતો – “અશોક નામક રાજા ઘડપણને કારણે પોતાના સફેદ વાળ જોઈને સાંસારિક સુખ-ભોગથી વિરક્ત થયો અને તેણે સંન્યાસ ગ્રહણ કરી લીધો. તેનો પુત્ર યશોધરનું પોતાની પત્ની અમૃતગતિ સાથે રાજગાદી પર બેઠો. તેના રાજ્યમાં પંગનું (અષ્ટભંગ) નામક એક હાથીવાન (મહાવતો હતો, જેનો સ્વર ખૂબ મધુર હતો તથા તે ઉત્તમ સંગીતજ્ઞ હતો. મહારાણી અમૃતમતિએ એક દિવસ તેને ગાતાં સાંભળ્યો અને નજીક જઈને જોયો. રાણીનું મત તે મહાવત પર રીઝુયું અને બંનેનો સંસર્ગ દિવસે દિવસે વધવા લાગ્યો. આ બંનેના પારસ્પરિક પ્રેમની ખબર જ્યારે રાજા યશોધરને પડી તો તે ખૂબ દુઃખી થયો અને વિરક્ત થઈ સંન્યાસ લેવાનો વિચાર કર્યો. રાજમાતાને આ વાતની ખબર પડી તો તેણે પુત્ર યશોધરને સલાહ આપી કે ચંડમારી દેવીને બલિ ચઢાવવામાં આવે તો બધુ અમંગળ દૂર થઈ શકે છે. રાજા યશોધરનું અહિંસાપ્રેમી હતો, આથી લોટનો કૂકડો બનાવી બલિ માટે તેને મારવાની યુક્તિ કરી. પરંતુ બલિકર્મ પછી તે લોટનો કૂકડો જીવિત થઈ ઉઠ્યો અને બે ટુકડા રૂપે જ કણસતો કરુણ ઠંદન કરતો રહ્યો. આ દરમિયાન, રાણી અમૃતમતિએ ભોજનમાં Page #203 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમુ-ર ૧૭૫ વિષ મેળવી રાજા અને રાજમાતા (સાસુ) બંનેને મારી નાખ્યા. તે બંને કેટલાય જન્મો સુધી પશુ રૂપે ભૂમિ પર ઉત્પન્ન થતા રહ્યા અને અંતે કૂકડા-કૂકડી રૂપે જમ્યા. તે સમયે યશોધરનુનો પુત્ર યશોમતિ શાસક હતો. એક જૈન મુનિએ તેના પૂર્વ જન્મનો વૃત્તાંત બતાવ્યો. વ્યાકુળચિત્ત યશોમતિ મન બહેલાવવાના હેતુથી શિકાર કરવા વનમાં ગયો અને ત્યાં મુનિવર (જૈન સાધુ) સુદત્તના સાન્નિધ્યમાં તેમના ઉપદેશોથી મુક્તિ પ્રાપ્ત કરી. તેને એક પુત્ર અને પુત્રી હતા. તે જ ક્રમશઃ યશોધરનું અને તેની માતા હતા, જે તે યશોમતિના પિતા અને દાદી હતા.” હવે ઉદાય દેશના નરેશ મારિદત્તને જ્ઞાન થઈ ગયું કે તે બંને તેના પિતા અને ફઈ છે, અને દાદા અને પરદાદી પણ છે. ત્યારે બલિ ચઢાવવાનો વિચાર છોડી, તે યુવક સાધુ અને તેની બહેનને આદરપૂર્વક મુક્ત કર્યા. તદનંતર મારિદત્તનું સંન્યાસ ગ્રહણ કરી, તપસ્યા કરી મુક્તિનો અધિકારી બન્યો.. મૂળ રચના દસમી સદીમાં આ યશોધર કથા લોકપ્રિય થઈ. સોમદેવસૂરિ, વાદિરાજસૂરિ, પુષ્પદંત વગેરે જૈન કવિઓએ તે કથાને પોતાની સંસ્કૃત રચનાઓનો વિષય બનાવી દીધી. એક પદ્યથી ખબર પડે છે કે પુષ્પદંતે રચેલ સંસ્કૃત રચનાના આધારે જ પ્રસ્તુત તામિલ કાવ્ય “યશોધરકાવિયમ્' લખવામાં આવેલ હતું અને તેના રચયિતાનું નામ હતું “વેણુણાવલુપૈયાર વેળુ'. જોકે તેમની રચનાનો સ્રોત સંસ્કૃત ગ્રંથ રહ્યો, છતાં પોતાની વિશિષ્ટ મૌલિકતાથી કવિએ કાવ્યના સમસ્ત અંગોને પરિપુષ્ટ કર્યા છે. જૈનધર્મ અનુસાર સંગીત કામવાસના કે આસક્તિનું કારણ છે. આ દૃષ્ટિએ કવિએ આ કાવ્યમાં એક મહાવતને ગાયક રૂપે પ્રસ્તુત કર્યો છે અને મહારાણીને તેની પર મોહિત બતાવી એમ સાબિત કર્યું કે સંગીત આસક્તિનો હેતુ છે. કાવ્યવર્ણન અનુસાર, મહાવતે જે રાગમાં ગીત ગાયું હતું, તેનું નામ “માલવપંચમ' હતું. આ “પણ” (રાગ)નો ઉલ્લેખ માત્ર ત્રણસો વર્ષ પૂર્વના ગ્રંથોમાં જ મળે છે, તેની પહેલાંના ગ્રંથોમાં નથી મળતો. વિદ્વાનોનો મત છે કે આ ગ્રંથ સંભવત: વિજયનગર સામ્રાજયના સમયમાં રચવામાં આવ્યો છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ લઘુકાવ્ય : શાંતિપુરાણમ્ અને નારદચરિતૈ પુરરિટ્ટ' નામક ફુટકળ પદ્યોનો એક સંગ્રહગ્રંથ ચારસો-પાંચસો વર્ષ પૂર્વે સંકલિત કરવામાં આવ્યો હતો. તેમાં “શાન્તિપુરાણમ્” અને “નારદચરિતૈ'નામક બે જૈન ગ્રંથોનાં કેટલાંક પદ્યો મળે છે. જે પદ્યો “શાન્તિ-પુરાણના નામે નિર્દિષ્ટ છે, તેમાંના બે મેરુમન્દરપુરાણમ્ (જેન તામિલ પુરાણગ્રંથ)માં પણ છે. સંભવ છે કે “મેરુમન્દર પુરાણમ્'ના રચયિતા એ પૂર્વવર્તી જૈનમતાનુયાયી કવિના પદ્યોને આદરવશ પોતાની રચનામાં યથાવત્ સ્થાન આપ્યું હોય. શાન્તિપુરાણમ્' ગ્રંથ નવમી સદીમાં કન્નડમાં રચવામાં આવ્યો, જેમાં સોળમા તીર્થંકર શાન્તિનાથનું ચરિત્ર છે. આ જ રીતે તામિલમાં પણ થયું હશે. “નારદપુરાણમ્માં એક અહિંસોપાસક નરેશની કથા છે, જે હત્યા કે હિંસાનું નામ સુદ્ધાં ન લેતો હતો. તેમાં સંન્યાસ અને તપસ્યાના પ્રભાવનું વિશદ વર્ણન છે. શ્રીપુરાણમાં નારદ અને પર્વતની પ્રસિદ્ધ કથા છે, તેના જ આધારે આ ગ્રંથ પણ રચવામાં આવ્યો છે. લઘુકાવ્ય : મેરુમંદર પુરાણમ્ ધ્યાન આપવા યોગ્ય છે કે “નીલકેશી' કાવ્યના વ્યાખ્યાકાર વામનમુનિએ “મેરમન્દર પુરાણમ્' નામક કાવ્યની રચના કરી છે. તેઓ સોળમી સદીના હતા. કાવ્યકથા વૈજયન્તનું અને તેના બે ભાઈ જયન્તનું તથા સજયન્તનું ત્રણે “સુયંભુ' (સ્વયંભૂ) તીર્થંકરના સદુપદેશથી મુનિ બની ગયા. વૈજયન્તમ્ ત્રણે લોક માટે સુવન્દ ચૂડામણિ' બની જાય છે. તેમના ભાઈ સંજયન્તમુનિ પોતાને સતાવનાર એક વિદ્યાધરને ઉદારતાપૂર્વક ક્ષમા આપી દે છે. તેમની આ આદર્શ શાંત પ્રકૃતિએ તેમને પણ સર્વવન્ય બનાવ્યા. તેમના ભાઈ જયન્તનું વિદ્યાધરના અતિક્રમણથી થઈ ઉઠ્યા. તે સમયે અધ્યાપનું નામક સાધુએ પૂર્વજન્મવૃત્તાન્તોથી જયન્તને અવગત કરાવ્યા. તે વૃત્તાન્ત આ મુજબ છે – ભદ્ર મિત્રનું નામક વણિક (શ્રેષ્ઠી) પોતાની ચિરસંચિત સંપત્તિ ગુપ્ત રૂપે એક મંત્રી પાસે થાપણ રૂપે રાખી વિદેશ ગયો અને પાછા આવતાં જ્યારે તેણે પોતાના મિત્ર મંત્રી પાસે પોતાની થાપણ પાછી માગી, તો મંત્રીએ આશ્ચર્ય પ્રકટ કર્યું કે તું શું કોઈ નશો કરીને આવ્યો છે ? આ અપ્રત્યાશિત પ્રવચનાથી ક્ષુબ્ધ થઈ ભદ્રમિત્રનું શોર મચાવવા લાગ્યો. તેની ઉત્તેજના અને આક્રોશનો મંત્રીએ લાભ Page #205 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમ્-૨ ૧૭૭ ઉઠાવ્યો અને લોકો સમક્ષ એમ સાબિત કરવું તેના માટે સરળ થઈ ગયું કે તે વણિક પાગલ છે, એટલા માટે આમ કરી રહ્યો છે. અંતે મહારાણીને સત્યની ખબર પડી ગઈ. દુષ્કર્મનું ફળ સમજો કે મંત્રીનું અકાળે મૃત્યુ થઈ જાય છે અને તે સાપ રૂપે ઉત્પન્ન થાય છે. વણિક ભદ્રમિત્રનું જૈનમુનિના ધર્મોપદેશથી ધર્મારાધનમાં શ્રદ્ધાપૂર્વક તત્પર થયો. પોતાના પુત્રની આ સ્થિતિથી અસંતુષ્ટ થઈ વણિક-માતા આત્મહત્યા કરી લે છે અને વાઘણ રૂપે ઉત્પન્ન થાય છે. વણિક પોતાના સહજ મૃત્યુ પછી મહારાણીના ગર્ભથી જન્મ્યો. આ બાજુ મંત્રીનો જીવ, જે સર્પયોનિમાં જન્મ્યો હતો, તેના ડસવાથી મહારાજાનું મૃત્યુ થઈ ગયું અને સાપ પણ તત્કાળ મરી ગયો. તેણે ફરી એક જાનવર રૂપે જન્મ લીધો. રાજા પણ મરી હાથી બન્યો. રાજકુમાર રૂપે જન્મેલો વણિક ભદ્રમિત્રનું ધર્મોપદેશ સાંભળી તપસ્યાના પ્રભાવથી ચારણઋદ્ધિધારી મુનિ થયો. હાથી રૂપે જન્મેલા રાજાને સાપરૂપી મંત્રી ફરી ડસી લે છે. રાજા જન્મબંધનથી સદા માટે છૂટી જાય છે....... આ રીતે એક જ વ્યક્તિના વિવિધ જન્મોનું વર્ણન આ પુરાણમુમાં છે. આ બધાને અંતે સ્વર્ગ કે મોક્ષ મળી જાય છે. કથારંભે બતાવવામાં આવેલ વિદ્યાધર જ, જેણે સાધુવર સંજયન્ત મુનિને કષ્ટ આપ્યુ હતુ, મંત્રી અને સાપ રૂપે જન્મતો રહ્યો. પોતાની જન્મ પરંપરાનો વૃત્તાંત સાંભળી તે દુર્મતિ વિદ્યાધર પણ સગતિ પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરવા લાગ્યો. જયન્તનું અને તેની માતા, બંને જ વણિક ભદ્રમિત્રનું અને તેની મા રૂપે જન્મ્યા હતા, પછી મેરુ તથા મન્દરમ્ નામે રાજકુમારો રૂપે અવતર્યા. પછી તપસ્યાસાધના કરી પ્રભુના સમવસરણમાં પહોંચી ગયા. આ મુજબ સુકર્મ અને દુષ્કર્મના ફળાફળોની શૃંખલાબદ્ધ પારંપરિક અનુગતિને વિવિધ વૃત્તાન્તો દ્વારા વ્યક્ત કરવી એ જ આ જૈનગ્રંથ “મેરુમંદર પુરાણમુનો વિષય છે. . આ ગ્રંથના રચયિતા વામનમુનિ તામિલ અને સંસ્કૃત બંને ભાષાઓના પ્રકાંડ પંડિત હતા. આ ગ્રંથમાં કુલ ૧૪૦૫ પ્રદ્ય છે. આ ગ્રંથના બે પદ્ય “શાન્તિપુરાણનાં પદ્ય તરીકે “પુરતિરક્માં સંકલિત છે. શક્ય છે, પોતાના પૂર્વવર્તી ગ્રંથકારોનાં પોને ? વામનમુનિએ યથાવત્ ઉદ્ધત કર્યા હોય. જૈન-સાધ્વી કવયિત્રીઓ ૧. કવૃત્તી જૈન સાધ્વીઓને “કુરતિહળુ' કહેવામાં આવે છે. પ્રાચીન અભિલેખોમાં તથા વાધયમાં પણ આ જ નામ મળે છે. સાથે જ “આરિયાંગનૈહળુ' (આર્ણિકાઓ) Page #206 -------------------------------------------------------------------------- ________________ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ ‘ઇયક્કિત્’ (યક્ષિણીઓ) અને ‘કવુત્તિહબૂ’ વગેરે નામ પણ પ્રચલિત છે. ‘શિલપ્પધિકારમ્’નાં પ્રમુખ નારી પાત્ર જૈનસાધ્વી કવુન્ની અડહટ્ (સાધ્વી)નો ઉલ્લેખ તે કાવ્યપ્રસંગમાં થયો જ છે. ‘જીવકચિંતામણિ'માં ઉપલબ્ધ પ્રસિદ્ધ પઘો વિશે, તેના વ્યાખ્યાકાર નચ્ચિનાકિનિયરે લખ્યું છે કે આ બધા ‘કવુત્તિયાર પાડવ્’ અર્થાત્ કવુન્તીજીનાં પદ્ય છે. નચ્ચિનાકિનિયરના સમયની પહેલાં જ (ઈ.ચૌદમી સદી પહેલાં) આ પદ્યો તે કાવ્યમાં સ્થાન મેળવી ચૂક્યા હશે. તે કોમળ મહાકાવ્યને અનુરૂપ, તે જ સ્તર ૫૨ કાવ્યસૃજનની યોગ્યતા તે સાધ્વી કવયત્રીમાં હતી. ૨. અદ્વૈ ૧૭૮ સાધ્વીઓ તથા સંન્યાસિનીઓને અવૈ પણ કહેવામાં આવતી હતી. ‘જીવકચિંતામણિ’માં આ શબ્દનો પ્રયોગ વારંવાર થયો છે. તામિલ સાહિત્યમાં, જે ‘અબૈયાર પાડવ્હલ્' (અબૈયારનાં પદ્ય)ના નામે મળે છે, તે સાધ્વીઓનાં રચેલ પદ્યો હોવા જોઈએ. ગગનચારી જૈન સાધુઓની જેમ, સાધ્વીઓ પણ દેશાટન કરતી કરતી ધર્મનો પ્રચાર કરતી રહેતી હતી. અન્યનામ આ સિવાય, બીજી પણ અનેક સાધ્વી કવિયત્રીઓ થઈ હશે. તેમનો સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. શિલાલેખોમાં, પિતિવિ વિટંગ કુત્તિ (૩૫૬ ૧૯૦૯), અને ગુણકીર્તિ ભટારકર (ભટ્ટારક)ની છાત્રા ‘કનક વીર કુત્તિયાર બંને કવયિત્રીઓના નામો મળે છે. ચોલાધીશ શ્રી મદ્દુરૈ કોણ્ડ કો૫૨કેરિ વર્મન્ના શાસનકાળમાં અરિષ્ટનેમી પટારર્ (ભટ્ટારક) નામક જૈનમહાપંડિત હતા. તેમની એક શિષ્યા હતી પટ્ટિણી કુરિત્ત, જે સારી કવયિત્રી હતી. સ્ત્રી પાઠશાળા અને કૂપ વિશે એક શિલાલેખમાં ઉલ્લેખ છે. આ સિવાય શ્રી મિ‰ કુરત્તિ, શિરિવિશૈ ૧. પૃથિવી વિટંક ગુર્વીનું અપભ્રંશ રૂપ છે. તામિલમાં ગુરુને ‘કુરવર્’ કહે છે અને તેનો સ્ત્રવાચી શબ્દ છે ‘કુત્તિ’. આચાર્યા, ઉપદેશિકા, અધ્યાપિકા, સાધ્વી, વિદુષી વગેરે અર્થોમાં ‘કુત્તિ’નો પ્રયોગ થતો. આથી તેને ગુરુ (કુરુવર્)નો સ્ત્રીવાચી શબ્દ માની શકાય. પરંતુ મુખ્યત્વે જે રીતે સાધુ-સંતો માટે ‘કુરુવર્' શબ્દ વપરાય છે તે રીતે સાધ્વી અને સંન્યાસિનીના અર્થમાં જ ‘કુત્તિ’નો પ્રયોગ થાય છે. ૨. ૩. S. I. I. Vol. III, No. 92. S. I. I. Vol. VI, No. 56. Page #207 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમ્-૨ ૧૭૯ રિત્તિ, નાલપૂર કુરતિ, અરિટ્ટનેમિ કુરત્તિ, તિરુપ્પત્તિ મુરત્તિ, કૂડર્ કુરત્તિ, ઇળનેચુરકુ મુરત્તિ વગેરે સાધ્વી કવયિત્રીઓનાં નામ પણ જે પોતપોતાના વાસસ્થાન કે જન્મસ્થાન સંબંધિત છે, શિલાલેખોમાં ઉપલબ્ધ છે. આ નામો સાધારણ રીતે સંન્યાસિનીઓ કે સાધ્વીઓ માટે વપરાતા હતા. માત્ર જૈન-સાધ્વીઓને કન્તિ, અત્રે, અમ્મ, પૈસ્મ, શામિ પેરુમાર્િટ, આશાળુ, તલૈવિ, ઐર્ય વગેરે કહેવામાં આવતી હતી.આ નામોના નિર્દેશ-સ્થળોથી તે સમયે જૈન ધર્મના સફળ તથા સુવ્યવસ્થિત પ્રચારની ખબર પડે છે. આ સાધ્વીઓ ગૃહિણીઓ તથા અનાથ તથા વિપદગ્રસ્ત સ્ત્રીઓમાં જૈનધર્મનો પ્રચાર કરતી હતી અને વિદ્યા, સદાચાર, લોકવ્યવહાર વગેરેનો ઉપદેશ આપતી હતી. શ્રવણબેલગોલના શિલાલેખોમાં નાગમતિ કંતિયાર, શશિમતિ કંતિયાર, નવિલૂર રાજીમતિ કંતિયાર, અનંતમતિ કંતિયાર, શ્રમતી કંતિયાર, માંગર્પે કંતિયાર વગેરે સાધ્વીઓનાં નામ મળે છે. આ સાધ્વી કવયિત્રીઓ અધિકતર સંસ્કૃતના નીતિ ગ્રંથોનું અનુસરણ કરી, તામિલમાં નાના-મોટા લઘુ પદ્યગ્રંથોની રચના કરતી હતી. અબૈયારના નામે જે પદ્યો મળી આવે છે, તે પ્રસિદ્ધ તમિલ કવયિત્રી ઔવૈયારનાં પદ્યોથી ભિન્ન હોઈ શકે છે. પછીથી અન્ય મતાવલંબી સાધ્વીઓ માટે પણ “અલૈ”નું વિધાન થયું છે. વિશિષ્ટ પ્રબંધ કાવ્ય : “કલિંગજી પરણિ” પરણિ” તે પ્રબંધ કાવ્યને કહે છે, જેમાં સહસ્ર ગજોને સમરાંગણમાં મારનાર વિરવરનું પ્રભાવશાળી વર્ણન હોય. “પરણિ'નો બીજો અર્થ છે કાફકિનાળુ” (વનની અધિષ્ઠાત્રી દેવી કાલી માતા). “પરણિ' (ભરણી) કાલી દેવીનું જન્મનક્ષત્ર હોવાને કારણે, આ પ્રબંધમાં મુખ્યત્વે કાલી માતાનું અધિક વર્ણન છે અને સમરાંગણની અધિષ્ઠાત્રી દેવી રૂપે તેનું સન્માન કરવામાં આવ્યું છે. દેવીનો પ્રદેશ મરભૂમિ અને ઉજ્જડ વન પ્રદેશ, તેનું ભયાવહ મંદિર, દેવીના પરિજન ભૂતપિશાચાદિ, ભૂખ્યા પિશાચોનો આર્તનાદ, તેમાં નવાગત પિશાચ દ્વારા દેશવિદેશના રાજાઓનું વર્ણન તથા ચરિતનાયક વીર નરેશનો પ્રભાવ, તેની સમરસજ્જા, સમરાંગણમાં પ્રાપ્ય મૃત દેહોનું વર્ણન જે પિશાચો માટે સ્વાદિષ્ટ પદાર્થ માનવામાં આવે છે, સમર અને સમરાંગણનું રોચક વર્ણન, ભોજન તૈયાર કરવાના પ્રકાર, સુસ્વાદુ ખાદ્ય-પેયાદિની વહેંચણી તથા હળીમળીને પિશાચોનું ભોજન કરવું – વગેરે વાતો “પરણિ' પ્રબંધમાં હોય છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ પરણિ-પ્રબંધકાવ્યના પ્રારંભમાં આરાધ્ય દેવી સાથે, પોતાના દેશના નરેશનું વંદનાત્મક આખ્યાન કરવામાં આવે છે અને કવિ દેવતાને પ્રાર્થના કરે છે કે રાજાનું સદા મંગલ થાય અને તે સર્વવિજયી બને. પછી પરાજિત રાજાના દેશથી બંદિની રૂપે લાવવામાં આવેલ નગર-નારીઓનું વર્ણન આવે છે. તે નારીઓના આવાસને તામિલમાં ‘વેળમ્’ હરમ (harem) કહે છે, જેનો અર્થ છે કમનીય સ્થાન. કવિ ગ્રંથારંભે રાજાસક્ત તે નારીઓનું નખ-શિખ વર્ણન કરી, તેમને પ્રાર્થના કરે છે કે દ્વાર ખોલે અને નરેશની સમરયાત્રા અને વિજયવાર્તાનું વર્ણન સાંભળે. આવી કેટલીય વિશિષ્ટ પરંપરાઓ તથા નીતિઓ આપણે ‘પરણિ' પ્રબંધોથી જાણી શકીએ છીએ. ૧૮૦ આ ‘પરણિ’ પ્રબંધોમાં ‘કલિગન્નુ પરણિ' સહુથી ઉત્તમ માનવામાં આવે છે. ચોલનરેશોએ જ્યારે અન્યદેશીય શત્રુ નરેશો પર ચડાઈ કરી અને તેમને પરાસ્ત કરી પાછા આવ્યા, ત્યારે ‘સમર કથા’ રૂપે આ પ્રબંધ રચવામાં આવ્યો. સંધકાલીન કાવ્યમાં, સમરના બીભત્સ કાંડનું વર્ણન પિશાચોના ભોજન રૂપે થયું છે. પશ્ચાત્વર્તી કાવ્યોમાં તે આંશિક સ્થાન મેળવવા લાગ્યું. પરંતુ, સમર દૃશ્યને પૂર્ણ પ્રબંધનું રૂપ માત્ર ‘પરણિ’ કાવ્યોમાં જ મળે છે. આ પ્રબંધમાં બીભત્સ, રૌદ્ર, વીર, ભયાનક, અદ્ભુત વગેરે રસોના સ્થાયી ભાવોનું વર્ણન અધિક માત્રામાં થયું છે. કવિના અપૂર્વ ચમત્કારથી અસુંદર પણ સુંદર લાગે છે, કુત્સિત દૃશ્ય પણ કોમળ બની જાય છે. પિશાચોનું વર્ણન કવિ-કલ્પનાની ઉત્તમ ઉપજ છે. આ વર્ગને અનુરૂપ ઇંદ્રજાળ, માયાવી ચેષ્ટા, અટ્ટહાસ અને વિસ્મયકારી કૃત્યોનું સજીવ ચિત્રણ છે. અન્ય ‘પરણિ’ પ્રબંધ ચોલનરેશોની વિજયવાર્તાઓને ‘કૉપ્પત્તુ પરણિ’‘ફૂડલ સંઘમત્તુ પરિણ’ ‘કલિંગન્તુ પરિણ’ (કુલોત્તુંગ ચોલના શાસનકાળમાં, તેના સેનાપતિ કરુણાકર તૉણ્ડમાન્ દ્વારા કલિંગ દેશ ૫૨ ક૨વામાં આવેલી ચડાઈનો પ્રશસ્તિમય પ્રબંધ), અને વિક્રમ ચોલન્ દ્વારા પ્રાપ્ત કલિંગ-વિજયનું વર્ણન કરનાર પ્રબંધ-આ રીતે બે ‘કલિંગત્તુ પરણિ’ છે) વગેરે કેટલાય ‘પરણિ’ પ્રબંધ હતા. તેમાં માત્ર ‘કલિંગત્તુ પરણિ’ને કે જેના રચિયતા જયંકોણ્ડાર હતા, આજ સુધી તે પરંપરાનો શીર્ષસ્થ પ્રબંધ માનવામાં આવે છે. આ ‘પરણિ' ગ્રંથો દ્વારા ઘણી જ ઐતિહાસિક વાતો ઉદ્ઘાટિત થાય છે. ‘કલિંગત્તુ પરણિ’ના રચિયતા આ સુપ્રસિદ્ધ પ્રબંધ-કાવ્યના રચયિતા પણ ઓછા વિખ્યાત ન હતા. તેમનું Page #209 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમ-૨ ૧૮૧ પૂરું નામ હતું દીપકુંડિ જયંકોમ્હાર. “જયંકોપ્ટાર’નો અર્થ થાય છે વિજય પ્રાપ્ત (રાજા), જે મુખ્યત્વે ચોલ રાજાઓની ઉપાધિ હતી. ચોલ-શાસનમાં એવી પ્રથા હતી કે રાજાની ઉપાધિ કે પ્રશસ્તિસંજ્ઞા અમાત્ય અને દરબારી શ્રેષ્ઠ (મુખ્ય) કવિના નામો સાથે જોડી દેવામાં આવતી હતી. કવિવર “જયંકોપ્ટાર'ને તત્કાલીન કવિઓએ કવિચક્રવર્તી' નામે અલંકૃત કર્યા છે. “દીપકુંડિ' તત્કાલીન શ્રમણસંઘનું નામ હતું. આથી એ સ્પષ્ટ છે કે શ્રેષ્ઠ “પરણિ” પ્રબંધ (કલિંગજુ પરણિ)ના રચયિતા કવિચક્રવર્તી જયંકોપ્ટાર શ્રમણ સંઘના સાધુ હતા. તે ચોલ-નરેશ કુલોગ (અગિયારમી શતાબ્દી)ના સમકાલીન હતા. ભક્તિ-ગીતોની ધારા તામિલનાડુમાં પલ્લવોના શાસનકાળમાં ભક્તિધારા અધિક વ્યાપક અને વેગવતી થઈ. શૈવસંતકાવ્ય “તેવારમુ અને વૈષ્ણવ સંત અર્જુવારોની અમૃતમયી વાણી નાલાયિર દિવ્ય પ્રબંધમ્' વગેરેનું નિર્માણ તથા બહુજનહિતાય પ્રસાર આ જ કાળમાં થયો હતો. આનો બીજો પક્ષ પણ અછતો ન રહ્યો. સાંપ્રદાયિક કલહ, એકબીજાના મતોને નીચા દેખાડવાની ધૂન, ભયંકર સ્પર્ધા-પ્રતિસ્પર્ધા અને તેના પરિણામસ્વરૂપ પ્રતિશોધ વગેરેનું જોર પણ ઓછું ન હતું. સંપ્રદાય તથા ધર્મ (મત) રાજ્યશાસનની આડમાં પોતાના ક્રિયા-કાંડો પર જોર દેવા લાગ્યા. પછી ઉત્તેજના, ઉન્માદ, ઉચ્છંખલતા અને ઉદંડતાની શું ઊણપ હોઈ શકે ? છતાંપણ આ ધર્મકલહ પાશ્ચાત્ય દેશોની જેમ ઘોરતમ મહાયુદ્ધો રૂપે પરિણત નથી થયા. કેટલાય કટ્ટરધાર્મિકોની વચ્ચે એવા આદર્શ સમન્વય પોષક નરેશ પણ થયા જે બગડેલી સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરતા હતા. પલ્લવનરેશ મહેન્દ્રને સ્વયં શૈવ હોવા છતાં પણ, શ્રમણો (જૈનો)ને સમ્માનિત કરવામાં કોઈ કસર ન રાખી. જૈન શિલાલેખોમાં આનાં પર્યાપ્ત પ્રમાણ મળે છે. તે સમયે શ્રમણધર્મની કેટલીય વાતો જીવનના આધાર તત્ત્વો રૂપે સ્વીકૃત થઈ ચૂકી હતી. સામુદાયિક ઉત્થાન માટે તે પ્રબળ ભાથું બન્યા. અહિંસા, જનસેવા, ભગવાનની ઉપાસના, દયાળુતા, સદાચાર વગેરે કેટલાય તત્ત્વો ન માત્ર જૈન ધર્માવલંબીઓ, પરંતુ અન્ય મતાવલંબી લોકો માટે પણ અનિવાર્ય જીવનસૂત્ર બન્યાં. શૈવ મહાગ્રંથ “પેરિયપુરાણમ્માં આ વાતો પર અધિક જોર દેવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ શૈવાચાર્ય તિરુનાબુક્કરશદ્ પહેલાં જૈન હતા, અને પછીથી શૈવ બન્યા. તેમણે પોતાના આરાધ્ય દેવ શિવને “દયામૂલતત્ત્વ' રૂપે બતાવ્યા. આ રીતે કેટલીય વાતો જે જૈન ધર્મની હતી, તે કાળમાં અન્ય મતોમાં સમાહિત થઈ ગઈ. કેટલાક વિદ્વાનોના મતાનુસાર, આ શૈવ મતના નવોત્થાનને જૈન ધર્મનો નવોદય પણ કહી શકાય. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ આ ભક્તિપ્રવાહ જૈન ધર્મને આગળ ચાલતાં એક રીતે નામશેષ કરી ચૂક્યો હતો. જૈન કવિ રચિત “યાપરુંગલવૃત્તિ (છંદગ્રંથ)માં કેટલાય પદ્યો તત્કાલીન શૈવ-વૈષ્ણવ ભક્તિ-ધારાના ઘાતક છે. જે પદ્ય જૈન મતપોષક છે, તે પણ તત્કાલીન આવાર અને નયન્મારોના ગીતોની જેમ સુમધુર છે. શૈવાચાર્ય તિરુનાવુક્કરશદ્રના કેટલાંય પદ્યો, જે તેમણે જૈન હોવા સમયે રચ્યા હતા, હજી પણ જૈન સાહિત્યમાં ઉપલબ્ધ છે. અન્ય જૈન-ગ્રંથ પલ્લવોના શાસનકાળમાં જ “પરણિ' ઉપરાંત “ઉલા', “લમ્બકમ્', “અન્નાદિ વગેરે પ્રબંધગ્રંથો પ્રસિદ્ધ થઈ ગયા હતા. “પત્રિર પાટ્ટિયર્લ” નામક લક્ષણ ગ્રંથમાં ઉક્ત પ્રબંધોનાં વિસ્તૃત લક્ષણો વર્ણિત છે. “યાપ્પગલવૃત્તિ (જૈન પંડિત રચિત તામિલ છંદગ્રંથ)માં ઉદ્ધત પદ્યોથી જાણી શકાય છે કે જૈન કવિઓએ પણ કેટલાય પ્રબંધ કાવ્યો રચ્યાં હતાં. પરંતુ કાલકવલિત થઈ જવાથી, તેમાંથી કેટલાક હવે પૂર્ણ નથી મળતા. “તિરુક્કલમ્બકમ્” અને “નિરુત્તાદિ' નામક બે ગ્રંથો પૂરા મળે છે, જે ઉત્તમ જૈન પ્રબંધકાવ્યોના પરિચાયક છે. આ બન્ને અર્વાચીન ગ્રંથ છે. “તિરુક્કલમ્બકમ્'ના રચયિતાનું નામ ઉદીચિ દેવરૂ છે. “ઉદીચી’નો અર્થ છે ઉત્તર દિશા. “તિરુનુત્તાદિ'ના રચયિતા અવરોધિયાર હતા. આ ગ્રંથમાં મયિલેનાથર'નું વર્ણન છે, જે નેમિનાથ તીર્થકરના મંદિર રૂપે પ્રસિદ્ધ હતું અને આજકાલ “મયિલે” કે “મયિલાપૂર' (મદ્રાસ શહેરનો એક ભાગ) નામે પ્રસિદ્ધ છે. આ કવિઓનું પ્રાકૃત, પાલી વગેરે અપભ્રંશ ભાષાઓનું જ્ઞાન, ઉક્ત ગ્રંથો દ્વારા પ્રકટ થાય છે. અર્વાચીન પ્રબંધોમાં “આદિનાથ પિલ્લે તમિળ' પણ એક છે. તે વિજયનગર સામ્રાજયના અભ્યદયના પ્રભાવથી સર્જાયેલ ગાથા પ્રબંધ પ્રતીત થાય છે. નામોનું સ્પષ્ટીકરણ કલમ્બકમ્' તે પ્રબંધ છે જેમાં વિવિધ કવિતાઓનું સંકલન હોય. સાહિત્યિક તથા વ્યાવહારિકિ પરંપરાઓનું અનુસરણ કરી આ કવિતાઓ રચવામાં આવે છે. તેમનો કદમ્બ (સમાહાર) જ “કલમ્બકમ્' છે. અંતાદિ કવિતાની જેવી જ, આ પ્રબંધની કવિતાઓ છે. પહેલી કવિતાનો અંત, બીજીનો પ્રારંભ બની જાય છે. આ જ રીતે આખો પ્રબંધ જ એક બીજી કવિતા સાથે સંબદ્ધ થઈ માલાકાર બની જાય છે. પિલ્લે તામિળુ” બાલપ્રબંધને કહે છે. આમાં કવિ પોતાના પ્રિય દેવતા કે રાજાનું વર્ણન બાળક રૂપે કરે છે. બાળકની વિવિધ દસાઓ, અવસ્થિતિઓ અને Page #211 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમ્-૨ ૧૮૩ બોલી, ક્રીડા વગેરેનું વિસ્તૃત તથા રોચક વર્ણન કરવામાં આવે છે. આવા કેટલાય જૈન પ્રબંધ રચવામાં આવેલ હતા, પરંતુ હવે નથી મળતા. વિજયનગર સામ્રાજ્ય વિજયનગરના સમ્રાજ્યકાળમાં બધા ધર્મો અને સંપ્રદાયોનો સમુચિત આદર થતો હતો. તે સામ્રાજય વર્ણાશ્રમધર્મોનું જાગ્રત પાલક-પોષક હતું. આ સામ્રાજ્યમાં ચારે સંપ્રદાય રાજાશ્રિત તથા આદરાસ્પદ હતાઃ ૧. માહેશ્વર મત, ૨. બૌદ્ધ મત, ૩. વૈષ્ણવત અને ૪. આહંત મત.' આ કાળમાં જૈન મતાવલંબીઓ અતીતની અપેક્ષાએ અધિક ઉદાર હતા તથા પોતાના વિધિ-નિયમોમાં તેમણે પરિષ્કાર કરી લીધો હતો. ઈ. ૧૧૫૧ના એક શિલાલેખમાં ઉલ્લેખ છે કે “શિવ, તાદ્રિ (તોતાદ્રિ ?), અને (સુખ પ્રદાયી જિન પરમાત્માને પ્રણામ...” તત્કાલીન હિન્દુ પણ જિનાલયમાં જઈ આરાધના વગેરે કરવા માટે હાથ પર ‘કાપુ” (રક્ષા સૂત્રો બાંધવા લાગ્યા હતા. જેનોએ પણ હિંદુઓની અનેક વિધિઓ અપનાવી લીધી હતી. ઈતિહાસથી જાણી શકાય છે કે આ સમન્વય સ્થિતિ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના પૂર્વે પણ રહી હતી. આ સમન્વયનું એક ઉત્તમ ઉદાહરણ મળ્યું છે. વિરૂપાક્ષ ઉડયાર અને બુક્કરાયના શાસનકાળમાં હિંદુઓ અને જૈનો વચ્ચે સ્થળ સીમા-સંબંધી વિવાદ ઊભો થયો. સ્થિતિ વિકટ હતી. આખરે રાજાજ્ઞાથી કે નાગરિકોની અભ્યર્થનાથી બંને પક્ષના લોકો એક સ્થાન પર એકત્ર થયા અને ખુલ્લા મનથી ચર્ચા થઈ. અંતે વિદ્વાનોએ એમ નિર્ણય કર્યો કે જૈન દર્શન અને વૈષ્ણવ દર્શનમાં કોઈ વિચ્છેદક અંતર નથી; આથી બંને પક્ષવાળા આપસમાં હળીમળીને રહી શકે છે અને તેમણે રહેવું પડશે. તેનું સુપરિણામ એ આવ્યું કે જિનાલયોના દ્વારરક્ષક અને પૂજારી વૈષ્ણવ નિયુક્ત કરવામાં આવ્યા અને ચૂનો લીપવાનું કૈર્ય (સેવા) પણ વૈષ્ણવોને જ સોંપવામાં આવ્યું. આ ઘટનાને તે જ સમયે અભિલેખ રૂપે શિલાંકિત કરવામાં આવી. તે પ્રબળ આજ્ઞાપત્રથી ઓછું ન હતું. આ જ રીતે, સોળમી શતાબ્દીના શ્રમણોમાં પણ સમન્વયની ભાવના દૃષ્ટિગોચર થાય છે. તત્કાલીન જૈન સાહિત્ય અને અભિલેખોમાં સ્વમત પ્રખ્યાપન સાથે, ૧. ૨. ૩. E. C. XI, C. K. 13, 14, 20, 21. E. C. XII. Tr. 9. 3. E. C. II, 334. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ આદિવરાહમૂર્તિ અને શંભુ (વિષ્ણુ અને શિવ) દેવતાઓની પણ વંદના કરવામાં આવી છે. જોકે વીરશૈવો અને જૈનોમાં ભીષણ સંઘર્ષ થયા હતા, તો પણ બંનેની સમન્વયાત્મક સ્થિતિ પણ આવી ગઈ હતી. વીરશૈવોએ એવી આમ ઘોષણા પ્રસારિત કરી કે જે જૈન વિરોધી હોય છે, તે બધાને શિવદ્રોહી અને “સંગમરૂ' (શૈવાચાર્ય)ના શત્રુ માનવામાં આવશે. ૨ આ જ કાળમાં, તીર્થકરોની મૂર્તિઓ સાથે શિવલિંગ મૂર્તિઓ પણ રખાવા અને પૂજાવા લાગી. આનું પ્રમાણ એક શિલાલેખમાં પ્રાપ્ત થાય છે.' વિજયનગર-શાસકોની કેટલીય સ્ત્રીઓ જૈનધર્મના અનુયાયી હતી. તત્કાલીન રાજાઓ અને રાણીઓએ કેટલાય જિનાલય નિર્મિત કરાવ્યાં અને તેના સંચાલન નિમિત્તે પર્યાપ્ત સંપત્તિ દેવદ્રવ્ય રૂપે આપી રાખી. તેમની સભાઓમાં કેટલાય જૈન પંડિતો સભાવિદ્વાનો અને કવિઓ રૂપે વિદ્યમાન હતા. કૃષ્ણદેવ રાયના સમયમાં, વાદિ વિદ્યાનન્દ નામક સુપ્રસિદ્ધ જૈન મહાપંડિત અને સુવાક્તા હતા. તેમના જ સમયમાં મંડલ પુરુષ નામક જૈન વિદ્વરે “ચૂળામણિનિઘંટુ નામક બ્રાહત તામિલકોશની રચના કરી. આ નિઘંટુ અને તેના રચયિતાનું તામિલભાષીઓ આજે પણ આદરપૂર્વક સ્મરણ કરે છે. તે સમયના કેટલાય જૈન ગ્રંથ હજી સુધી પ્રકાશમાં નથી આવ્યા. જો તે સાહિત્ય પ્રકાશમાં આવે તો અનેક મહત્ત્વપૂર્ણ તથ્ય જ્ઞાત થઈ શકે. જૈન વિદ્વાનો અને તેમની અમૂલ્ય રચનાઓનો સમાદર જૈનેતર વિદ્વાનો પણ કરતા હતા અને કરે છે. વૈદિક મતના વિપ્રવર નષ્યિનાદ્ધિનિયરે જૈનમહાકાવ્ય ‘જીવકચિંતામણિ'ની વ્યાખ્યા લખવા માટે જૈનદર્શનનું વિધિવત્ સાંગોપાંગ અધ્યયન કર્યું હતું. સમન્વયની આ પરંપરા આજ સુધી ચાલી આવી રહી છે. આ યુગમાં ચક્રવર્તી નયિના પ્રસિદ્ધ જૈનતત્ત્વવેત્તા વિદ્વાન થઈ ગયા છે. તેમના પૂજય પિતા અપ્રાસામિ નયિનારૂની પાસે જ “તામિલ દાદા’ સ્વ. ડૉ. ઉં. વે, સ્વામિનાથનું અય્યરે જૈન તત્ત્વનું અધ્યયન કર્યું હતું. નયિનારૂજીનું ગામ વિઘૂર જૈન ધર્મનું કેન્દ્ર માનવામાં આવતું હતું. ‘ચિત્તામૂર-મઠ' તામિલભાષી જૈનો માટે ઉત્તમ વિદ્યાપીઠ ૧. E. C. VII. K. p. 47. ૨. E. C. V, BL. 128. ૩. M. A. R. 1925, p. 15. Page #213 -------------------------------------------------------------------------- ________________ કાપ્પિયમ્-૨ ૧૮૫ કે જ્ઞાનપીઠ બની ગયો. તિર. વિ. કલ્યાણસુંદર મુદલિયાર જેવા વિદ્વાનોએ શ્રમણધર્મની સાર્વજનીનતા વિશે ઘણું લખ્યું છે. ડૉ. ઉ. વ. સ્વામિનાથન્ અધ્યરે લખ્યું છે કે એક જૈનધર્મી સર્જનની શ્રીમતીજી પોતાના તત્ત્વજ્ઞાનમાં પરમ વિદુષી હતી અને પારિભાષિક તથા સાંકેતિક શબ્દો અને વાક્યોનું પણ તેને સારું જ્ઞાન હતું. અચ્ચરજીએ પણ તેમની સહાયતાથી પર્યાપ્ત તાત્વિક જાણકારી પ્રાપ્ત કરી. આનાથી જણાય છે કે સ્ત્રીઓ પણ પોતાના ધર્મ મતની પર્યાપ્ત જાણકારી રાખતી હતી. Page #214 -------------------------------------------------------------------------- ________________ ગદ્યગ્રંથ, ઇલક્કણમ્, નિઘંટુ વગેરે ગદ્યગ્રંથ : ‘શ્રીપુરાણમ્' તામિલમાં ગદ્યગ્રંથોનું મહત્ત્વ ઈસાઈ પાદરીઓએ જ વધાર્યું. ‘તોલકાપ્પિયમ્'માં સંવાદ કે ગદ્યમય કવિતાની ચર્ચા છે. ‘શિરગુરી કરૈ’ વગેરે કથાઓ તે જ શૈલીમાં લખવામાં આવી હતી. પરંતુ તેમને શુદ્ધ કે ગદ્ય-સાહિત્ય ન કહી શકીએ. ‘શિલપ્પધિકારમ્’ અને પેરુન્દેવનાર વિરચિત ‘ભારતમ્’માં પણ ગદ્ય મળે છે પરંતુ તેને પણ સંપૂર્ણ રીતે ગદ્ય-સાહિત્ય ન કહી શકાય. પછી ‘ઇલક્કણ' (લક્ષણવ્યાકરણ, છંદાદિ) ગ્રંથોની વ્યાખ્યા રૂપે ‘ઈરૈયનાર્ અહપ્પૉરુળ્' વગેરે ગદ્યગ્રંથ લખવામાં આવ્યા. તેમની શૈલી અને ભાષા પ્રવાહ એવા છે કે તેમને સાહિત્યિક કહી શકાય, છતાંપણ તેમને પૂર્ણ તથા સફળ ગદ્ય-સાહિત્યમાં ન મૂકી શકાય. આ જ રીતે વૈષ્ણવ આચાર્યો દ્વારા ‘ઈંડુ’, ‘પક્ષીરાયિરપ્પડિ’, ‘મૂવાયિ૨પ્પડિ’ વગેરે અદ્ભુત વ્યાખ્યાઓ વૈષ્ણવ સંત આવારોની વાણીઓ (નાલાયિર દિવ્યપ્રબન્ધમ્) પર રચવામાં આવી હતી, જે સંસ્કૃત-તામિલમિશ્રિત ‘મણિપ્રવાલ’ શૈલીમાં નિર્મિત છે. આ વ્યાખ્યાઓ સાહિત્યિક દૃષ્ટિએ ઉચ્ચકોટિની રચનાઓ છે અને તેમની ભાવગંભીરતા અને પ્રાંજલ અભિવ્યંજનાની પ્રશંસા માત્ર વૈષ્ણવ જ નહીં પરંતુ વૈષ્ણવેતર વિદ્વાનો પણ મુક્તકંઠે કરે છે. છતાંપણ તેમને શુદ્ધ ગદ્ય-સાહિત્ય ન કહી શકીએ. પુરાણમ્ તામિલ ગદ્યસાહિત્યનો આદિગ્રંથ શ્રીપુરાણમ્ માની શકાય. ઈસાઈ પાદરીઓના પ્રયાસની પહેલાં પ્રચલિત ગદ્ય-સાહિત્યનું જે રૂપ હતું, તે આમાં મળે છે. આ એક મુખ્ય જૈન ગ્રંથ છે. નવમી શતાબ્દીમાં ગુણભદ્રાચાર્યે ત્રેસઠશલાકાપુરુષરિતરૂપે જિનસેનાચાર્યના મહાપુરાણ અંતર્ગત ‘ઉત્તરપુરાણ' નામક ગ્રંથ લખ્યો હતો, તેના જ અનુસરણમાં ‘શ્રીપુરાણમ્’ લખવામાં આવ્યું. ૫. શ્રીપુરાણમ્ ગ્રંથ ‘મણિપ્રવાલ’ શૈલીમાં રચિત છે. જ્યારે અન્ય ભાષાપ્રવણ વિદ્વાન કોઈ ગ્રંથ લખે છે, તો તેમાં રચિયતાના ભાષાન્તર-જ્ઞાનનો સ્પષ્ટ પ્રભાવ, તે ભાષાના શબ્દપ્રયોગ દ્વારા પડી જ જાય છે. જ્યારે સમયની માંગ, રુચિ, આગ્રહ વગેરે ઉત્પ્રેરક સાધનો સાથ આપે છે, તો ભાષાસમ્મિશ્રણની તો વાત જ શું કરવી? Page #215 -------------------------------------------------------------------------- ________________ ગદ્યગ્રંથ, ઇલક્કણમ્, નિઘંટુ વગેરે - ઈ. પૂ. ત્રીજી સદીના ગુફાશિલાલેખોમાં આવી મિશ્રિત ભાષાનું રૂપ મળે છે. બૌદ્ધ તથા જૈન વિદ્વાનોએ ધર્મપ્રચાર માટે આવશ્યક પારિભાષિક શબ્દો મૂળ ભાષામાંથી (પાલી, પ્રાકૃત, સંસ્કૃત વગેરેમાંથી) લીધા હતા. આ શૈલીની અવહેલના, તત્કાલીન તિરુજ્ઞાનસંબંધીર જેવા – શૈવાચાર્યોએ કરી. પરંતુ આવી કટુ આલોચનાઅવહેલનાની સામે ટક્કર લઈને પણ તે શૈલી ઊછરતી રહી. પેરુન્દેવનાર્ ચિત ‘ભારતમ્’ની વ્યાખ્યામાં મણિપ્રવાલ શૈલી જોવા મળે છે. આ ‘ભારતમ્’ગ્રંથ તોળારૂ એરિન્દ (‘તાળારૂ’ પ્રદેશના વિજેતા) નવર્મન્ના સમયમાં (ઈ.નવમી સદી) રચિત હોઈ શકે છે. ઈ. ૯૮૮ના શિલાલેખમાં આ વાક્ય છે “માળિયર િિહનાત મા ધામિરુષ્ણાંશુ વિવ......પાયાત્ ।'' આ વાક્યનો પહેલો અંશ તામિલ છે જેનો અર્થ છે, ‘બે માણેકોથી’ અને પછીનો અંશ તો શુદ્ધ સંસ્કૃતનો છે. મણિપ્રવાળમ્ આ શૈલી બહુ પ્રચલિત થઈ જવાને કારણે અગિયારમી સદીમાં પ્રણીત વ્યાકરણ-ગ્રંથ કે લક્ષણ-ગ્રંથ ‘વીર ચોળિયમ્’માં મણિપ્રવાલ શૈલીનાં લક્ષણ પ્રતિપાદિત છે. આ ગ્રંથની રચના વીરચોળન્ નામક નરેશના નામે આચાર્ય બુદ્ધમિત્રે કરી હતી. મોતી અને પ્રવાળના મણકાથી ગૂંથેલી માળાની જેમ, તામિલ અને સંસ્કૃતના શબ્દોથી બનેલી ભાષા-શૈલીને મણિપ્રવાલ શૈલી કહે છે. મલયાલમ્ ભાષામાં આ શૈલીનું વિશિષ્ટ મહત્ત્વ છે. મલયાલમ્ લક્ષણગ્રંથ ‘લીલાતિલકમ્'માં કહેવામાં આવ્યું છે કે લાલ માણેક મણિઓ અને પ્રવાલોથી બનેલી માલામાં જે રીતે બંને દાણા એક જ લાલિમામાં એકાકાર થઈ જાય છે, તે જ રીતે મલયાલમ્ અને સંસ્કૃતના શબ્દો ભાષા-પ્રવાહમાં એકરૂપ થઈ જાય છે. ૧૮૭ શ્રીપુરાણના રચયિતા તેમના નામનો ગ્રંથમાં ક્યાંક ઉલ્લેખ નથી. મદ્રાસના નિકટવર્તી ‘પેરુમઝૂર’માં રહેનાર એક જૈન પંડિતે શ્રવણબેલગોલમાં જઈ મૂલ શ્રીપુરાણનું અધ્યયન કર્યું, પછી તેનો તામિલમાં અનુવાદ કર્યો – એવી એક અનુશ્રુતિ ચાલી આવી રહી - છે. કેટલાક વિદ્વાન લખે છે કે આ ગ્રંથના રચયિતા ‘મંડલપુરુડર (પુરુષ)' હતા, જે ‘ચૂળામણિ નિઘંટુ'ના પણ રચયિતા હતા. તેમણે પોતાના નિઘંટુમાં લખ્યું છે, Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ "तिरुन्तिय कमल वूर्ति तिरुप्पुहळू पुराणम् शेय्दोन् गुणभद्रन् ताळ् पणिन्द મંડવત્ ” અર્થાતું, “કમલ પર વિચરનાર જિનદેવના મહિમાને પુરાણ ગ્રંથ રૂપે રચનાર આચાર્ય ગુણભદ્રના ચરણોમાં શરણ મેળવનાર (પ્રણામ કરનાર) મંડલવનું....' આ રીતે બીજા પણ બે-ત્રણ સ્થાનો પર આચાર્ય ગુણભદ્રનો ઉલ્લેખ છે. આચાર્ય ગુણભદ્ર નવમી સદીના હતા અને તેમણે સંસ્કૃતમાં “ઉત્તરપુરાણ”ની રચના કરી હતી. ગુણભદ્ર આચાર્ય જિનસેનના શિષ્ય હતા. મંડલ પુરુષર આ જ ગુણભદ્રના શિષ્ય હતા. પરંતુ તેઓ કૃષ્ણદેવરાયના સમકાલીન ન હતા. નિઘંટુકર્તા ગુણભદ્ર તો કૃષ્ણદેવરાયના સમકાલીન હતા. આથી કેટલાક વિદ્વાનોનો મત છે કે મંડલ પુરુષરને શ્રીપુરાણના રચયિતા માનવાથી કેટલીય અસંગતિઓ ઉત્પન્ન થઈ શકે છે. શ્રી વેંકટ રાયલ રેફિયારે પોતાના સંસ્કરણમાં આ વિષયની કેટલીક યુક્તિઓ સાથે છણાવટ કરી છે. પરંતુ મારા અનુશીલન અનુસાર મંડલપુરુષ જ શ્રીપુરાણમુના રચયિતા હોવા જોઈએ. ગ્રંથકારે ગ્રંથારંભે અહંતુ ભગવાનની વંદના કરવી જ પર્યાપ્ત માની, એટલા માટે પોતાના ગુરુની વંદના ન કરી તથા આત્મ-પરિચય પણ ન આપ્યો. હું પર્યાપ્ત વિચાર-વિમર્શ બાદ આ નિર્ણય પર પહોંચ્યો છું. આથી કહી શકાય કે આ સોળમી શતાબ્દીની કૃતિ છે. નિઘંટુ ગ્રંથ પ્રસિદ્ધ નિઘંટુ ગ્રંથ : “દિવાકરમ્ કોશ, નિઘંટુ વગેરે વસ્તુતઃ ભાષાના પરમ ઉપયોગી ખજાના હોય છે. આ ક્ષેત્રમાં તામિલ ભાષાને સુસમૃદ્ધ બનાવવાનું શ્રેય મુખ્યત્વે જૈન પંડિતોને છે. તામિલના પ્રાચીનતમ ગ્રંથ (લક્ષણ ગ્રંથ) “તોલકાપ્પિયમુનો ‘ઉરિ ઈયલ’ અધ્યાય નિઘંટુ જેવો લાગે છે. અનુમાન એવું છે કે તે સમયમાં જ નિઘંટુ રચનાનો પ્રયાસ ચાલી રહ્યો હતો. પરંતુ તેનું પૂર્ણરૂપ પલ્લવોના શાસનકાળમાં મળે છે. ઉપલબ્ધ નિઘંટુ ગ્રંથોમાં પ્રાચીનતમ તથા પૂર્ણ ગ્રંથ છે “દિવાકરમ્'. આને જ “આદિદિવાકરમુ” પણ કહે છે. અંબર નામક પ્રદેશના શાસક શબ્દનના પ્રોત્સાહનથી રચવામાં આવેલ હોવાને કારણે તેને “શેન્ડનદિવાકરમ્' પણ કહે છે. દિવાકરમુનિ આના રચયિતા છે. જોકે આ ગ્રંથનો શિવવંદના સાથે પ્રારંભ થાય છે, તો પણ છે આ જૈન ગ્રંથ જ. આ નિઘંટુ રાષ્ટ્રકૂટોના ઉત્કર્ષ કાળમાં લખવામાં આવેલ હશે, અર્થાત્ Page #217 -------------------------------------------------------------------------- ________________ ગદ્યગ્રંથ, ઇલક્કણમ્, નિઘંટુ વગેરે આઠમી શતાબ્દીના ઉત્તર ભાગમાં. ૯૫૦૦ શબ્દોની વ્યાખ્યા અને પર્યાયવાચી શબ્દો આમાં છે. બહુ-અર્થબોધક શબ્દોની સંખ્યા ૩૮૪ છે. બીજો નિઘંટુ ગ્રંથ : પિંગલજ્જૈ ‘દિવાકરમ્’ પછી પિંગલન્દે નિઘંટુનું સ્થાન છે. પિંગલર્ આના પ્રણેતા છે. વિદ્વાનોનો મત છે કે તે દિવાકરના પુત્ર હતા. પરંતુ પ્રશ્ન એ ઊઠે છે કે આ દિવાકર નિઘંટુકર્તા હતા કે બીજા કોઈ. બારમી સદીના તામિલ વ્યાકરણ ગ્રંથ ‘નઝૂલ’માં આ ગ્રંથનો ઉલ્લેખ છે. આથી એ સ્પષ્ટ છે કે આ બારમી સદી પહેલાંની રચના છે. આના પ્રથમ ભાગમાં ૧૪૭૦૦ શબ્દોની નિરુક્તિ વગેરે છે અને દસમા ભાગમાં અનેકાર્થવાચી શબ્દો ૧૦૯૧ છે. પૂર્વોક્ત નિઘંટુ ‘દિવાકરમ્’થી પણ આ બૃહત્કાય તથા પરિવર્ધિત ગ્રંથ છે. ત્રીજો ચૂડામણિ નિઘંટુ આ જ સંપ્રતિ બહુપ્રચલિત તથા અર્વાચીન નિશ્ચંટુ ગ્રંથ છે. આને ‘નિઘંટુ ચૂડામણિ' પણ કહે છે. આના રચિયતા મંડલપુરુષર હતા જેમની ચર્ચા ઉપર કરવામાં આવી ચૂકી છે. તેમણે વિજયનગરના પ્રશસ્ત શાસક કૃષ્ણદેવરાયની ખૂબ પ્રશંસા કરી છે. આથી તેમના સભા-પંડિતોમાં તેઓ રહ્યા હશે. તેમનો સમય સોળમી સદીનો અંતિમ ભાગ હોઈ શકે છે. તેમના આચાર્ય ગુણભદ્ર હતા (તેઓ નવમી સદીના ગુણભદ્રથી અલગ છે). એક શિલાલેખથી જાણી શકાય છે કે ઈ. ૧૫૮૩માં ગુણભદ્રદેવના શિષ્ય વીરસેનદેવને દાનમાં એક ભૂમિ મળી. આથી આ ગુણભદ્રને સોળમી સદીના માનવા એ જ સંગત છે. ૧ ૧૮૯ આ નિઘંટુના અંતિમ પદ્યમાં કહેવામાં આવ્યું છે કે ગ્રંથકાર મંડલપુરુષર ‘વીરે’ નામક સ્થાનના નિવાસી હતા. તેમના પ્રારંભિક પ્રશસ્તિ પદ્યમાં જેને તામિલમાં ‘શિરપ્પુ પાયિરમ્’ કહે છે, કહેવામાં આ છે કે તે મંડલપુરુષ આચાર્ય ગુણભદ્રના શિષ્ય હતા. એ પહેલાં જ કહેવામાં આવી ગયું છે કે આ જ મંડલપુરુષ શ્રીપુરાણના પ્રણેતા છે. ઇલક્કણમ્ તામિલમાં ‘ઇલક્કણમ્'નો અર્થ છે લક્ષણ. તે વ્યાકરણ, છંદ, અલંકાર તથા રીતિગ્રંથોનો નિર્દેશ કરે છે. લક્ષણ કે રીતિ ગ્રંથોના નિર્માણ દ્વારા તામિલને સમૃદ્ધ ૧. M. A. R., 1931, p. 106-112; E. C. VI, k. p. 21-24. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ બનાવવાનું શ્રેય મુખ્યત્વે જૈન પંડિતોને છે. તામિલ વ્યાકરણમાં પ્રથમતઃ લિપિ, શબ્દ અને અર્થ ત્રણેનું વિવેચન રહેતું હતું. “ઈરેયનાર અહપ્પોરની વ્યાખ્યા સમયે “યાપુ' (છંદ) અલગ થઈને લક્ષણની એક શાખા બની ગયો. સંસ્કૃતનાં છંદશાસ્ત્રની જેમ તામિલ છંદ પણ કેટલીય વાતોમાં પોતાની વિશિષ્ટતા ધરાવે છે. પ્રાચીન કાળથી જ લક્ષણ ગ્રંથ બે શાખાઓમાં વિભક્ત હતા – શોળુ અધિકારમ્ (શબ્દાધિકાર) અને પોરુન્ અધિકારમ્ (અર્થાધિકરણ). આમાં પોળિયળુ ઈલક્કણમ્ (અર્થાધિકાર-લક્ષણ)ના અહપ્પોળ (આંતર પક્ષ) અને પુર, પોળુ (બાહ્ય પક્ષ) આ બે ભાગ છે. પોરાળુ અધિકારમૂની ગવેષણા અને પ્રસાર ખૂબ ઓછો થયો અને આ વાતની પુષ્ટિ “ઇરૈયનાર અહપ્પોળ'ની વ્યાખ્યાથી થાય છે. પુરપ્પોળ' (બાહ્ય પક્ષ)ની વિવેચના માટે પુરપ્પોરાળુ વેપા માલૈ'નું અવતરણ થયું. આનો મૂળ સ્રોત “પત્રિર પડલમ્' નામક લઘુ પદ્ય સંગ્રહ છે જેમાં અગત્યના બાર શિષ્યોનું એક-એક પદ્ય સંગૃહીત છે. પાટ્ટિયેલું પાયિલુ' છંદરીતિને કહે છે જેમાં વિવિધ પદ્યોનું સ્વરૂપ લક્ષણ રહે છે. પૂર્વોક્ત “પશિ પડલ” આ “પાટિયે” (છંદરીતિ)ની વિવેચનપ્રધાને રચના છે. પદ્યના અગિયાર સમંજસ લક્ષણોના વિવેચન પછી બારમા અંગ વર્ણનું વિવેચન તેમાં કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં તેર કવિઓ (પંડિતો)નાં પદ્ય ઉદ્ધત કરવામાં આવ્યાં છે; આચાર્ય અગત્યને છોડી અન્ય બાર પંડિતોનાં પદ્ય આમાં સમાહિત છે. તેમનાં નામ છે : પોઐયાર, પાણદુ, ઇન્દિર કાળિયાર, અવિનયનાર, કલ્લાડર, કપિલર, ચેન્દમ્ ભૂતનાર, કોવ્ર કિનાર, માભૂતનાર, શીત્તલૈયાર, પલકાયનાર અને પેરું કર કિનાર. આ ગ્રંથ ઉપરાંત “મામૂલર પાટ્ટિયલું” (મામૂલર રચિત પાટ્ટિય) અને “પાટ્ટિયલું મરપુડયાર' નામક બે ગ્રંથોનાં નામ પ્રાચીન લક્ષણગ્રંથોની વ્યાખ્યાઓમાં મળે છે. આ ઉપરાંત માત્ર છંદવિવેચન માટે રચિત કેટલાક ગ્રંથોના નામ “યાખરુંગલવૃત્તિ (એક અર્વાચીન તામિલ છંદ ગ્રંથ)માં મળે છે, જેમકે - સંઘયાખ્યુ, શિરુ કાર્ક પાડિનિયમ્, પેરુમ્ કાર્ક પાડિનિયમ્, માયેચુરર્ યાડુ, અવિનયર્યાપ્યું, નક્કીર નાલડિ નાદુ, વાયુ પિયમ્ વગેરે. અણિ (અલંકાર) ગ્રંથ ', ઈરેયનાર અહપ્પોળ' ગ્રંથની વ્યાખ્યા પ્રકાશમાં આવ્યા પછી અલંકાર કે Page #219 -------------------------------------------------------------------------- ________________ ગદ્યગ્રંથ, ઇલક્કણમ્, નિઘંટુ વગેરે ૧૯૧ અણિ લક્ષણધારાનું પાંચમું અંગ બની ગયું. આચાર્ય દંડીના, જે પ્રસિદ્ધ આલંકારિક હતા, તામિલનાડુના નિવાસી હોવાથી, અલંકાર ગ્રંથ તામિલમાં અનુદિત થયો. પરંતુ તેમના જ સમયમાં અર્થાલંકારનો પ્રાદુર્ભાવ અને પ્રસાર તામિલનાડુમાં થયો એવી વાત નથી. તેમના પહેલાં જ તામિલનાડુમાં દિવાકરમ્, પિંગલન્દ વગેરે નિઘંટુ ગ્રંથો દ્વારા અર્થાલંકારનો પ્રસાર થઈ ચૂક્યો હતો અને તે ગ્રંથોમાં આલંકારિક વિવેચન પણ ઘણું થઈ ચૂક્યું છે. આ જ પારંપરિક ધારાને “યાખ્રરંગલમ્' વગેરે શબ્દાલંકાર-ગ્રંથો આગળ વધારતા રહ્યા. આ ધારા પ્રધાનપણે અને વૈજ્ઞાનિક રીતે ગતિમાન થઈ સાતમી સદીથી નવમી સદીમાં, જ્યારે પલ્લવનરેશોનું શાસન ઉન્નત અવસ્થામાં હતું. આ અલંકાર ગ્રંથોમાં નિર્દિષ્ટ નામોથી કેટલાક વિદ્વાનોને ભ્રમ થઈ ગયો કે આ ધારા સંઘકાળથી જ ચાલી આવી હશે. પરંતુ સત્ય તો એ છે કે કલબ્રો પછી, પલ્લવોના સમયમાં તામિલનો ઉત્કર્ષ સંસ્કૃતની સમાન્તરે વધવા લાગ્યો, ત્યારે પ્રાચીનતમ નામોનો પુનર્વ્યવહાર થવા લાગ્યો. આથી તે સમયના ગ્રંથોમાં સંઘકાલીન શબ્દોનો પ્રયોગ સામાન્યપણે થવા લાગ્યો. અવિનયમ્ પલ્લવોના શાસનકાળમાં ઘણા બધા અલંકાર ગ્રંથોનું પ્રણયન થયું. છતાં પણ તેમના ઉપલબ્ધ ન હોવાને કારણે એ નક્કી કરવું મુશ્કેલ છે કે આમાંથી કેટલા ગ્રંથ જૈન વિદ્વાનોના હતા. છતાંપણ એ તો નિર્વિવાદ તથ્ય છે કે “અણિ ઇયલ (અલંકાર કે રીતિ-શાખા)માં પણ જૈન વિદ્વાનોનો પર્યાપ્ત સક્રિય સહયોગ રહ્યો છે. પ્રાચીન અલંકાર ગ્રંથોમાં એક છે “અવિનયમ્', જેના રચયિતા હતા અવિનયના. તેઓ જૈન હતા. અર્વાચીન શબ્દાલંકાર ગ્રંથ “યાપ્પગલુ વૃત્તિમાં ઉક્ત પ્રાચીન ગ્રંથનાં કેટલાય પદ્યો ઉદ્ધરણ રૂપે આવ્યા છે. સુપ્રસિદ્ધ તામિલવ્યાકરણ “નકૂલના વ્યાખ્યાકાર મયિલેનાથરે પણ પોતાની વ્યાખ્યામાં સ્પષ્ટ લખ્યું છે કે સાધુ અવિનયનારું જૈન પંડિત હતા. “વર્ણો (અક્ષરો)નું મૂળ કારણ અણુસમૂહ છે.' આ મતનું સમર્થન જેમ આચાર્ય પવણષ્ટિ (ભવણનન્દી)એ પોતાના “નકૂલ'ગ્રંથમાં કર્યું હતું, તેવી જ રીતે આચાર્ય અવિનયનારે પણ પોતાના ગ્રંથમાં કર્યું. શક્ય છે, આનું અનુસરણ પછીના જૈન વિદ્વાનોએ કર્યું હોય. “અવિનયમ” તોલ કાપ્પિયમની જેમ પોતાના સમયનો ખ્યાતિપ્રાપ્ત તથા સુપ્રચલિત આલંકારિક ગ્રંથ છે. આ ગ્રંથની એક પ્રામાણિક વ્યાખ્યા રાજ પવિત્ર પલ્લવ તરૈયર Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ નામક વિદ્વાને લખી. પછીના વિદ્વાન વ્યાખ્યાતા મર્લિનાથરે તે વાતનો ઉલ્લેખ કરતાં “અવિનયમુની ખૂબ પ્રશંસા કરી. “તોલકાપ્પિયમમાં નિર્દિષ્ટ લક્ષણ-રીતિ વગેરેના નિયમોથી ભિન્ન નિયમો “અવિનયમમાં છે. સંભવ છે કે “અવિનયમ્' અને તેના સમર્થક અનુયાયી ગ્રંથોના વ્યાપક પ્રભાવને કારણે “તોલકાપ્પિયમુના નિયમોનો વ્યવહાર ઓછો થવા લાગ્યો. યાપ્પરુંગલમ્ અવિનયમ્ પછીનો ખ્યાતિપ્રાપ્ત અલંકાર ગ્રંથ “યાખરુંગલમ્ છે. આમાં તામિલના વિશિષ્ટ છંદ, વર્ણ, માત્રા વગેરેનું વિશદ્ વિવેચન છે. આના રચયિતા જૈન સાધુ અમિતસાગર (અમદસાગર કે અમૃતસાગર) છે. તેમણે “યાખરુંગલ કારિકૈ” નામક બીજો અલંકાર ગ્રંથ પણ લખ્યો છે, જે “યાખરુંગલમ્'નું સરળસુબોધ પ્રારંભિક રૂપ છે. તે “કળજૂર'ના નિવાસી હતા, જે મદ્રાસ શહેરની નજીક છે. તેમની ખ્યાતિથી તે સ્થાનનું નામ “કારિકે કળસૂર' પડ્યું. આ જ નામથી અગિયારમી સદીનો એક શિલાલેખ મળે છે જે ચોલરાજા રાજેન્દ્રકૂના સમયનો છે. આથી “પાખરુંગલ કારિકે અગિયારમી સદીની પહેલાંની કૃતિ હોવાનું માની શકાય. વિદ્વાનોનો મત છે કે આ ગ્રંથનો રચનાકાળ દસમી સદી માનવો ઉચિત થશે. યાપ્પરુંગલમ્' અર્વાચીન હોવા છતાં પણ, પોતાના પૂર્વવર્તી અલંકાર ગ્રંથોથી અધિક પ્રશસ્ત અને વિદ્વજન સમાદત થયો. આજ સુધી તામિલના ઉચ્ચ શિક્ષાર્થી પ્રધાનપણે “યાપ્પરુંગલમ્” અને “પપ્પરુંગલવૃત્તિનું જ અધ્યયન કરે છે, અને વસ્તુતઃ, પ્રામાણિક અને વિશદ અલંકારવિવેચન, વિષયોનું વર્ગીકરણ તથા સરળ અભિવ્યંજના અન્ય ગ્રંથોમાં તેટલી સુંદર નથી, જેટલી આ બંને ગ્રંથોમાં છે. “યાપ્પરુંગલ કારિર્ઝના વ્યાખ્યાકાર ગુણસાગર હતા. ગ્રંથના પ્રારંભિક પદ્યથી માલૂમ પડે છે કે આ ગુણસાગર ગ્રંથકર્તા અમિતસાગરના આચાર્ય હતા. પરંતુ એ વિવાદની વાત છે કે પ્રાકૃત વ્યાખ્યાકાર ગુણસાગર બીજા હતા કે તે જ આચાર્ય. શિષ્યના ગ્રંથની ઉત્તમતાથી પ્રભાવિત થઈને આચાર્યને તેની વ્યાખ્યા લખવાની ઈચ્છા થવી અનોખી વાત નથી. તેને માની પણ લઈએ, તો યાપ્પરુંગલમ્ (જનું બીજું નામ “યાપ્પરુંગલવૃત્તિ હતું)ની વ્યાખ્યા “યાપ્પરુંગલવૃત્તિ ઉર' પણ તે જ આચાર્ય ગુણસાગરની હશે. એમ પણ શક્ય છે કે “વૃત્તિ ઉરની પછી જ “કારિકે Page #221 -------------------------------------------------------------------------- ________________ ગદ્યગ્રંથ, ઇલક્કણમ્, નિઘંટુ વગેરે ૧૯૩ ઉરે (વ્યાખ્યા)ની રચના થઈ હશે. કારિૐની વ્યાખ્યામાં “વૃત્તિ ઉરની વાતો ઉદ્ધત કરવામાં આવી છે. વિદ્વાનોનો એક મત છે કે “વૃત્તિ ઉરે જ શ્રેષ્ઠ છે. બંને વ્યાખ્યાઓના રચયિતા એક હોય કે બે, તેઓ જૈન પંડિત હતા – તેમાં સંદેહ નથી. “વૃત્તિ ઉર' (યાપ્તશૃંગલ વૃત્તિની વ્યાખ્યા)ના રચયિતા વારંવાર આચાર્ય માયેચુરર્ (માહેશ્વર)ને શિવજીના નામ સાથે ઉલ્લિખિત કરે છે. આથી કેટલાક વિદ્વાનોનો મત એવો છે કે “વૃત્તિ ઉર'ના લેખક શૈવ હતા. પરંતુ એ નિર્ણય તથ્યથી દૂર લાગે છે. આ ઉલ્લેખ તો માત્ર જૈન પંડિતની ઉદારતાનો પરિચાયક છે. આચાર્ય માયેચુરરે એક છંદશાસ્ત્રની રચના કરી હતી, જે “માયેચુર યાપુના નામથી પ્રસિદ્ધ છે. આચાર્ય માયેય્યરની શિષ્ય પરંપરામાં ‘વૃત્તિ ઉરના રચયિતા ગુણસાગર રહ્યા હશે, એટલા માટે આદરપૂર્વક પોતાના આચાર્યની ચર્ચા કરી પોતાનો આભાર પ્રકટ કર્યો હશે. | શબ્દાલંકારની મૌલિક વાતોથી અવગત થવા માટે “વૃત્તિ ઉરે અત્યંત ઉપયોગી રચના છે. પલ્લવકાલીન તમિલ સાહિત્યધારાનો પરિચય પ્રાપ્ત કરવા માટે આ વ્યાખ્યા અત્યંત સહાયક છે. પલ્લવ નરેશોની કેટલીક પ્રશસ્તિઓ આ વ્યાખ્યામાં છે જે છંદોનાં લક્ષણ-ઉદાહરણો રૂપે ઉદ્ધત છે. ગુણસાગરનું બહુભાષાજ્ઞાન વ્યાખ્યાકાર આચાર્ય ગુણસાગર “પણિત્તિયમ્' નામક પ્રાકૃત વ્યાકરણ, છંદોપિશિતમ્, ગુણસાંખ્યમ્ (કન્નડ છંદગ્રંથ), નિરુક્ત વગેરેના સારા જ્ઞાતા હતા. યાખરુંગલ કારિકે (તમિલ છંદગ્રંથ)ની પ્રશંસામાં વ્યાખ્યાકાર ગુણસાગરે લખ્યું છે, આર્યમ્ (સંસ્કૃત)રૂપી મહાસાગરને (સંસ્કૃત છંદશાસ્ત્રથી તાત્પર્ય છે) તામિલમાં લાવવાની મહાનતમ સાધના કરનાર ઉત્તમ તપસ્વી ઉદારચેતા અમિતસાગરે યાપ્પરુંગલ કારિૐની રચના કરી છે. જોકે આચાર્યોની બહુભાષાભિજ્ઞતાની ચર્ચા થઈ છે, તો પણ તેનો એ અર્થ નથી કે અમિતસાગરે સંસ્કૃતની વાતોને તામિલમાં પરાણે ઘુસાડવાની ચેષ્ટા કરી. ભલે ને, પોતાની રચનાઓમાં સંસ્કૃત ગ્રંથોની રચના શૈલીનું અનુકરણ કર્યું હોય, પરંતુ “યાપ્પરુંગલ કારિૐ'ના ધ્યાનપૂર્વક અધ્યયનથી એ સ્પષ્ટ જાણી શકાય છે કે તેમાં તામિલના વિશિષ્ટ છંદભેદોનું જ વિવેચન થયું ઇનપૂરણ અમિતસાગર અને ગુણસાગરના પશ્ચાતુવર્તી લક્ષણ ગ્રંથકારોમાં ઈલપૂરણમૂનું નામ ઉલ્લેખનીય છે. “તોલકાપ્પિયમના “શેઠુળુ ઇય” (પદ્ય વિચાર-ભાગ)નો Jai Education International Page #222 -------------------------------------------------------------------------- ________________ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ વિકાસ આચાર્ય અમિતસાગર દ્વારા થયો. છતાંપણ ‘તોલકાપ્પિયમ્’થી ભિન્ન કે વિરુદ્ધ વાતો પણ તેમના ગ્રંથોમાં મળે છે. પરંતુ, આ પરંપરામાં આચાર્ય ઈળપૂરણ સર્વપ્રથમ ‘તોલકાપ્પિયમ્’ના અસ્તગામી વિધિ-નિયમોનું સમર્થન તથા પ્રચાર પોતાની સુપ્રસિદ્ધ વ્યાખ્યા દ્વારા કર્યો. આ જ કારણે તેમને ‘ઉરૈયાશિરિયર’ (વ્યાખ્યાના આચાર્ય)ની ગૌરવપૂર્ણ ઉપાધિ પ્રાપ્ત થઈ. પ્રારંભિક પ્રશસ્તિમાં નિર્દિષ્ટ છે કે તેઓ મણક્ષુડિના નિવાસી હતા અને તેમના પિતાનું નામ ઇળમ્પૂતિ હતું. યિલૈનાથરે તેમને સંન્યાસી કહ્યા છે. તેઓ જૈનધર્મ પ્રેમી હતા. તેમના જ માર્ગદર્શનમાં ‘તોલકાપ્પિયમ્'નું અનુસંધાનપૂર્વક વિવેચન થયું. આચાર્ય ઇળમ્પૂરણર્નો સમય અગિયારમી સદી માની શકાય. ૧૯૪ ' નેમિનાથર્ તિમલમાં ‘શોધિકારમ્' (શબ્દાધિકરણ) જ ઇલક્કણમ્ (વ્યાકરણ) નામે પ્રચલિત થવા લાગ્યું. ઈ. બારમી સદીમાં ‘તોલકાપ્પિયમ્’ના ‘શોલ્-અધિકારમ્'ને ગુણવીર પંડિતે ‘વે-પા’ છંદમાં સંગૃહીત કર્યો અને પોતાના એ લઘુ લક્ષણગ્રંથનું નામ રાખ્યું ‘નેમિનાથપ્’. આ જ કારણે, ગ્રંથકર્તાનું નામ જ નેમિનાથર્ પડી ગયું અને તેમને જ ‘પેરાશિરિયર’ (મહાચાર્ય) કહ્યા. ‘તામિલ નાવલર રિતે’ (તામિલ કવિઓનું ચિરત)માં આની ચર્ચા છે અને તેમાં બતાવ્યું છે કે આચાર્ય નેમિનાથર્ કવિવર ઓટ્ટત્તરના સમકાલીન હતા. તામિલ છંદો અને પદ્યોના વિષયમાં નેમિનાથરે ‘વચ્ચણન્દિ માલૈ' નામક ગ્રંથ લખ્યો છે. તેની ટિપ્પણીથી જાણી શકાય છે કે ત્રિભુવન દેવના સમયે તે ગ્રંથનું પ્રણયન થયું. બારમી સદીના ઉત્તર ભાગમાં શાસન કરનાર ચોલ રાજા કુલોત્તુંગ (તૃતીય) જ ત્રિભુવનદેવ છે. ગુણવીર પંડિત (નેમિનાથ)ના આચાર્યનું નામ હતું વચ્ચણંદી (વજનંદી) અને નેમિનાથર્ના ગ્રંથારંભમાં અર્હત્ ભગવાનની વંદના કરી છે. આથી આચાર્ય નેમિનાથનુઁ જૈન માનવામાં કોઈ આપત્તિ નથી. ‘વચ્ચણંદિમાલૈ’નો મૂલગ્રંથ ‘ઇન્દિરકાલીયમ્’ માનવામાં આવ્યો છે. શક્ય છે કે આ પણ કોઈ જૈન પંડિતની રચના હોય. અડિયાક્કું નલ્લાર તામિલ મહાકાવ્ય ‘શિલપ્પધિકારમ્’ના વ્યાખ્યાકાર હોવાનું ગૌરવ પંડિતવર અડિયાક્કું નલ્લારને પ્રાપ્ત થયું છે. તેમની વ્યાખ્યાની પહેલાં ‘અરૂમ્મદ ઉરૈ’ (વિશિષ્ટ કે કઠિન શબ્દોની વ્યાખ્યા) નામક એક ટિપ્પણ પ્રચલિત હતું, જે ઉપલબ્ધ છે. કોંકુવેત્ વિજયમંગલની નજીકના ‘નિમ્મે’ નામક સ્થાનમાં તેમનો જન્મ થયો. પોપ્પણ ગાંગેય તેમના અભિભાવક હતા, જે રાજા કે સામંત હતા. રામાનુજાચાર્યના Page #223 -------------------------------------------------------------------------- ________________ ગદ્યગ્રંથ, ઇલક્કણમ્, નિઘંટુ વગેરે ૧૯૫ પ્રભાવથી વૈષ્ણવ બનેલ ભોજલ્થ વિષ્ણુવર્ધન મહારાજના મંત્રી અને સેનાપતિ હતા પોઇપણ ગાંગેય, જે સ્વયં જૈનધર્માવલંબી હતા. તેમનો સમય ઈ. બારમી શતાબ્દી હતો. આચાર્ય અડિયાર્ફ નલ્લારના મત કે સંપ્રદાય વિશે હજી સુધી કોઈ નિર્ણય પર પહોંચવું મુશ્કેલ છે. આથી તેમને જૈન ધર્મ પ્રેમી કે જૈનદર્શનના જ્ઞાતા કહેવા માત્ર પૂરતું થશે. નકૂલ નમૂલું તામિલનો બહુ ઉપયોગી તથા ઉપાદેય વ્યાકરણ ગ્રંથ છે. કુલોતુંગતૃતીયના સમયવર્તી જીયગંગમ્ નામક ગંગનરેશની અભ્યર્થનાથી જનકાપુર નિવાસી , આચાર્ય ભવબંદી (ભવણનંદી)એ “નકૂલ' (ઉત્તમ અને સુબોધ ગ્રંથ)ની રચના કરી હતી. ઉપલબ્ધ નકૂલ' ગ્રંથમાં “એવુત્તિલક્કણમ્ (વર્ણ લક્ષણ) અને “શોલ્લિલકણમ્ (શબ્દલક્ષણ) – આ બે ભાગ જ છે. પરંતુ ગ્રંથના “શિરડુ પાયિરમ્ (પ્રારંભિક પરિચયાત્મક પદ્ય)થી એવું અનુમાન કરવામાં આવે છે કે આમાં વર્ણ, શબ્દ, અર્થ, છંદ અને અલંકાર - આ પાંચ અંગોનું વિશદ વિવેચન થયું હશે. સમકાલીન અને પરવર્તી વિદ્વાનોએ આ ઉપાદેય ગ્રંથની ખૂબ-ખૂબ પ્રશંસા કરી છે. આગરિયમ્ (અગમ્ય વ્યાકરણ) અને અવિનયમ્ (આચાર્ય અવિનયકૃત લક્ષણગ્રંથ)ની સાથે અને વિશેષ કરી તોલકાપ્પિયમુનું અનુકરણ કરી આ ગ્રંથ રચવામાં આવ્યો છે. આ ગ્રંથમાં વિષય-વિવેચન બહુ જ સુંદર તથા કોમલ શૈલીમાં થયું છે. જૈનડિત મયિર્લૅનાથરે આ ગ્રંથની વ્યાખ્યા કરી છે. શિવજ્ઞાન મુનિએ વૃત્તિ ઉર” નામક નવી વ્યાખ્યા રચી આપી. ' નમ્બિ અહપ્પોળ તામિલમાં વ્યાકરણના પાંચ અંગો (વર્ણ, શબ્દ, અર્થ, છંદ અને અલંકાર) પર અલગ-અલગ રચનાઓ લખવામાં આવી. આ જ રીતે “પોનુ આરાયશ્ચિ” (ભાવ કે અર્થનું અનુસંધાન)ને પણ “અપ્પોરુળ” (અત્તર પક્ષ) અને “પુરપ્પોળ (બાહ્ય પક્ષ) રૂપે વિભાજિત કરવામાં આવ્યું. “પુરપ્પોરુળમાં જીવનના બાહ્ય પક્ષ (આચાર-વિચાર, વ્યવહાર વગેરે)નું અનુશીલન કરવામાં આવ્યું, જેનો એકમાત્ર પ્રામાણિક ગ્રંથ છે “પુરપ્પોરાળુ વેણું પા-માલે'. તેનો મૂળસ્રોત તોલકાપ્પિયમ્ હતો, આથી તેના વિષયોનું અનુકરણ તથા વિશ્લેષણ ઉક્ત ગ્રંથમાં ખૂબ સુંદર રીતે થયું છે, તે પણ આ “વેણુ-પા માલૈ” ગ્રંથની વ્યાખ્યા દ્વારા જ. “અહપ્પોળ (જીવનનો આંતર પક્ષ)નું વિશ્લેષણ ઈરેયનાર્ કૃત ગ્રંથ (ઈરેયના અહપ્પોળ) દ્વારા થયું, ૧. જનકાપુર કોમ્બતુર જિલ્લામાં આવેલ “જનનાથ પુર હોવાનું કોઈ સંશોધનકર્તાઓએ સાબિત કરેલ છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ જે શૈવ સંત સાહિત્ય તૈયારની પહેલાં રચિત હતું. છતાંપણ તેનું અનુસરણ કરી કેટલાક ગ્રંથ રચવામાં આવ્યા હશે, જે ઉપલબ્ધ નથી. તે પરંપરામાં અર્વાચીન હોવા છતાં પણ, પૂર્વ ગ્રંથોની અપેક્ષાએ અત્યંત ઉપાદેય તથા સુબોધ રચના છે નમ્બિ અહપ્પોરુળ” જે આજ સુધી બહુજન સમાદત છે, તેના રચયિતા હતા “ના કવિરાજ નમ્બિ”. તેમણે “તોલકાપ્પિયમ્'નો “અહપ્પોરન્ ઇલક્કણમ” (આંતર પક્ષ કે લક્ષણ) અને અન્ય પ્રસિદ્ધ કાવ્યગ્રંથોનું પૂર્ણ અધ્યયન કરી, વૈજ્ઞાનિક રીતે પોતાના અનુસંધાનપૂર્ણ નિષ્કર્ષ કાઢ્યા, જેમનો સમાવેશ “નમ્બિ અહપ્પોરુળમાં થયો. ગ્રંથકર્તા નાર્ કવિરાજ નમ્બિના પિતા “મુત્તમિદ્ આશાન્ હતા, જેનો અર્થ છે “ઈલુ (સાહિત્ય) “ઇશૈ” (સંગીત) અને “નાટકમ્” (નાટક) આ ત્રણે શાખાઓમાં નિષ્ણાત. (તામિલમાં “સુત્તમિલુનો અર્થ છે તામિલની ત્રણ શાખાઓ, જે “ઇયેલું, ઈશ” અને “નાટકમ્' નામે પ્રસિદ્ધ છે) અને તેમનું નામ “પુલિયંગુડિ ઉમધ્યવન્દાર' હતું. તેમની પ્રશસ્તિમાં ગાવામાં આવ્યું છે, “ઈરુ પેરુમ્ કર્લજ્જ ઓરુ પેરુમ્ કુરિશિ” (અર્થાત્ બે મહાન કલાઓના સંસ્કૃત અને તામિલ સાહિત્યના એકમાત્ર ઉત્તમ જ્ઞાતા, માન્યવર પંડિત). તેમના પુત્ર નાર્ કવિરાજ નામ્બિ જે પ્રસ્તુત “નમ્બિ અહપ્પોળ' ગ્રંથના રચયિતા હતા, જૈન હતા. આ વાતનું સમર્થન તેમની ઈશ્વરવંદનાથી થાય છે. તે ગ્રંથની એક પ્રાચીન વ્યાખ્યાથી જણાય છે કે તે નિમ્બિ કુલશેખર પાડ્યનુના સમકાલીન હતા. આ પાઠ્ય નરેશ ચયવર્મનું કુલશેખરન્-પ્રથમ હતો. તેનો શાસનકાળ બારમી સદી હતો. “નમ્બિ અહપ્પોળના આધારે, તેના લક્ષણગ્રંથ રૂપે કવિવર પોચ્યા મોલિ પુરવરે “તર્જવાણનું કોવૈ' નામક એક પ્રબંધ કાવ્ય રચ્યું હતું. “વાણ' જાતિના લોકો તેરમી સદીમાં પાઠ્ય દેશમાં જઈ વસવા લાગ્યા. આ વાતની પુષ્ટિ કેટલાક શિલાલેખો દ્વારા થઈ છે. તેરમી સદીમાં, પાઠ્ય નરેશના સેનાપતિ તંજેવાણને ચેરરાજ પર ચડાઈ કરી વિજય પ્રાપ્ત કર્યો. તે જ વીરવરની સ્તુતિગાથાના ઉપલક્ષ્યમાં “તંજૈવાણન્ કોવૈ’નું પ્રણયન થયુ. આથી એ સ્પષ્ટ છે કે તેરમી સદીમાં “નમ્બિ અહપ્પોળ' (લક્ષણગ્રંથ) ખૂબ પ્રસિદ્ધ થઈ ચૂક્યો હતો અને તેનો પ્રભાવ વિદ્વાનોની મંડલીને આકૃષ્ટ કરી ચૂક્યો હતો. નશ્ચિનાદ્ધિનિયર્ વ્યાખ્યાકારોમાં “નશ્ચિનાર્ફ ઇનિયરૂનું નામ ખૂબ આદર સાથે લેવામાં આવે છે. તેઓ વૈદિક બ્રાહ્મણ હતા. તેમનો સમય તેરમી સદી પછી જ હોવો જોઈએ. તેમનું જન્મસ્થાન મદુર હતું, જે પાઠ્ય રાજ્યની રાજધાની હતી. તોલકાપ્પિયમ્, જીવકચિન્તામણિ, કલિજ્જોકે, કુરુનું તોકે, વગેરે પ્રાચીન ગ્રંથોની વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાઓ Page #225 -------------------------------------------------------------------------- ________________ ગદ્યગ્રંથ, ઈલક્કણ, નિઘંટુ વગેરે ૧૯૭ નશ્ચિનાÉઇનિયરે લખી છે. એમ કહેવું અત્યુક્તિ નહિ ગણાય કે શોધપૂર્ણ વ્યાખ્યાઓને કારણે તેઓ સાહિત્યપ્રેમીઓનો આદરપ્રાપ્ત કરીયશસ્વી થયા. એક અનુકૃતિ બતાવે છેકે આચાર્યનશ્ચિનાલ્ફ ઇનિયરે “જીવકચિન્તામણિ'ની વ્યાખ્યારચવાના હેતુસર, જૈન ધર્મમાં દીક્ષિત થઈ, જૈનદર્શનનું સાંગોપાંગ અધ્યયન કર્યું અને તેમાં પૂર્ણ અધિકાર પ્રાપ્ત કરી લીધા પછી જ ઉક્ત મહાકાવ્યની વ્યાખ્યા લખી. તેની પછી તેઓ સ્વમતમાં પાછા ફરી ગયા હશે. તેમની વ્યાખ્યાઓનાઅધ્યયનથી જણાઈ આવેછેકેતેમણે પહેલાં તોલકાપ્પિયમુના કેટલાક અંશોની વ્યાખ્યા લખી અને તેની પછી “જીવક-ચિત્તામણિ'ની વ્યાખ્યા લખી. ચિન્તામણિ'ની વ્યાખ્યામાં “તોલકાપ્પિયમ્'-વ્યાખ્યાવિષયોનો ઉલ્લેખ મળે છે. આજ રીતે, પછીથી લખાયેલ “તોલકાપ્પિયમ્'ની વ્યાખ્યામાં, જે અન્ય અંશો પર લખવામાં આવી હતી, “ચિત્તામણિ'-વ્યાખ્યાના વિષયો ઉલ્લિખિત છે. તેમને સંપૂર્ણ રીતે જૈન ન કહીએ તો પણ જૈનધર્મ પ્રેમી અને જૈન તત્ત્વવેત્તા તો અવશ્ય કહી શકીએ છીએ. અન્ય (અપ્રાપ્ત) જૈનગ્રંથ તામિલમાં ગણિત અને જ્યોતિષના કેટલાય ઉત્તમ ગ્રંથો રચવામાં આવ્યા હતા, જેમની ચર્ચા વ્યાખ્યાઓમાં મળે છે. એમ લાગે છે કે તે ગ્રંથોને જૈન પંડિતોએ જમુખ્યત્વે પ્રકાશમાં લાવવાનો પ્રયત્ન કર્યો. સંભવ છે કે તેમાં અધિકાંશ ગ્રંથો જૈનાચાર્યો દ્વારા જ રચિત હોય. આજકાલ “કણક્કધિકારમ્' જેવા કેટલાય ગ્રંથ પ્રાપ્ત થયા છે. જ્યોતિષ વિષયક ગ્રંથોમાં “જિનેન્દ્રમાલે જૈનોના જ્યોતિષ તથા ખગોળ જ્ઞાનનો પરિચાયક છે. આ ગ્રંથ “વેણુ-પા' છંદમાં રચિત છે. ભાષા સુબોધસુંદર હોવાની સાથે, છંદ-નિયમોથી અઅલિત પણ છે. એવા જ કેટલાય ઉત્તમ ગ્રંથો તે સમયમાં લખવામાં આવ્યા. જૈન પંડિત મંડલ પુરુષે પોતાના આચાર્ય ગુણભદ્રની પરિચયાત્મક પ્રશસ્તિમાં લખ્યું છે કે તેઓ જ્યોતિષશાસ્ત્રમાં પારંગત હતા. આ રીતે, જૈનાચાર્યોએનમાત્રસાહિત્યની, અન્ય વિજ્ઞાન, શાસ્ત્ર વગેરેની શાખાઓને પણ પોતાની આધિકારિક વિદ્વત્તા, નિસ્વાર્થ સેવા ભાવના તથા અથક સાધના દ્વારા સુસમૃદ્ધ કરી છે. ઉપસંહાર એ સર્વમાન્ય સત્ય છે કે જૈનોએ જીવન તથા સાહિત્યના, આચાર તથા વિચારના, અધ્યાત્મ તથા ભૌતિકતાના–અને ન જાણે એવા કેટલાય ક્ષેત્રોને પોતાની ધર્મભાવના અને સાધના દ્વારા સમૃદ્ધ કર્યા છે. તામિલ ભાષાને લોકપ્રિય બનાવી, તેનો પ્રચાર પંડિતથી લઈ સામાન્ય જનો સુધી કરવાનું શ્રેય જૈનોને ઓછું નથી. તે સમયે, જૈનોએ “વસુધૈવ કુટુમ્બકમનો આદર્શ પોતાના આચરણથી સ્થાપિત કર્યો. અધિકાંશ ઉત્તમ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ લક્ષણ ગ્રંથો તો જૈનાચાર્યોની જ દેન છે. જો કે, “તોલકાપ્પિયમ્'ને જૈનગ્રંથ નથી કહી શકાતો, છતાં પણ જૈન વિચારધારાના પ્રભાવકાળમાં જ તેનું અવતરણ થયું હતું. જૈનાચાર્યો દ્વારા માન્ય નિયમોનો નિર્વાહ તથા લક્ષણ તોલકાપ્પિયમમાં સ્પષ્ટ દેખા દે - ઈરેયનારૂ અહપ્પોરન્, પુરપ્પોળ, વેણુ પામાલે, વીર ચોળિયમ્, ઇલકણ વિળક્રમ્, તોફૂલુ, પ્રયોગ વિવેકમ વગેરે લક્ષણ ગ્રંથો છોડીને, અન્ય સમસ્ત વિખ્યાત ગ્રંથો જૈનાચાર્યો દ્વારા જ રચિત હતા. અને ઉપર્યુક્ત ગ્રંથો પણ જૈનોના ગ્રંથોથી ખૂબ પ્રભાવિત છે, અને તેમના જ અનુસરણમાં રચવામાં આવ્યા છે. તામિલનાવિશિષ્ટછંદોને સાર્વજનીન બનાવવાનું એકમાત્રશ્રેય યાખરુંગલમૂના રચયિતા સ્વનામધન્ય અમિતસાગરને જ છે. તે જ રીતે તામિલના વ્યાકરણને કાવ્યની જેમ વાંચવા-સમજવા યોગ્ય બનાવવાનું શ્રેય “નકૂલ'ના રચયિતા વિદ્વધર ભવણંદિ (ભવણનંદી)ને જ છે. નિઘંટુ ગ્રંથોનો પાયો જૈનાચાર્યોએ જ નાખ્યો. પંચ મહાકાવ્યો અને લઘુ કાવ્યોમાં અધિકાંશ તો જૈનોનાં જ છે. કંબર જેવા દિગ્ગજ પંડિતોના પ્રેરણાસ્રોત હતા જીવકચિંતામણિ જેવાં નકાવ્ય. તામિલનો આદિમ ગ્રંથ હોવાનું ગૌરવ જૈન પંડિત કૃત શ્રીપુરાણમુને જ છે, જે જૈનપુરાણ રૂપે પ્રસિદ્ધ થયું. નીતિ તથા ધર્મગ્રંથ જેટલાં જૈનોએ પ્રસ્તુત કર્યા, તેટલાં અન્ય ધર્માવલંબીઓ દ્વારા નથી થયા. આ રીતે પ્રત્યેક ક્ષેત્રમાં પોતાની જ્ઞાન-વિભૂતિઓના મૂર્ત ઉપહારસમર્પિત કરનાર નિસ્વાર્થ જૈનાચાર્યોનું તામિલ જનતા અહર્નિશ આદરપૂર્વક સ્મરણ કર્યા કરે છે, અને ભવિષ્યમાં પણ કરતી રહેશે. આપણું દાયિત્વ આ બધું હોવા છતાં પણ દુઃખદ વાત તો એ છે કે “નો: સમતાસુદ્ધિનો મવસ્તુની - વિશાળ ભાવનાથી પ્રેરિત થઈને જૈનાચાર્યોએ જેટલા ઉપયોગી ગ્રંથ બહુજન હિતાય બહુજન સુખાય તામિલ વાણી દ્વારા સમર્પિત કર્યા હતા, તે બધા શું માત્ર તામિલ ભાષીઓની ગુપ્ત નિધિ રહેશે? તામિલેયર ભાષી શું તેના જ્ઞાનલાભથી સદાય વંચિત જ રહેશે? વિશ્વમાનવની તો વાત દૂર, ઓછામાં ઓછું ભારતવાસી તો, જે તામિલ રાજ્યની બહાર રહે છે, તેઓ બહુમૂલ્ય જૈનગ્રંથોનું રસાસ્વાદન અવશ્ય કરી શકે છે; તે તેમનું કર્તવ્ય પણ છે. ભારતમાં ફેલાયેલા જૈનોનું તે પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ કે તેઓ આ તામિલ જૈનગ્રંથોને પોતપોતાની પ્રાન્તીય ભાષામાં તથા રાજભાષા હિન્દીમાં પણ પ્રકાશમાં લાવે અને અંગ્રેજી દ્વારા તેમને વિશ્વવ્યાપી બનાવવાનો સમ્પ્રયાસ કરે. તે એક મહાનતમ પુણ્યકર્મ કે જ્ઞાનયજ્ઞ હશે. Page #227 -------------------------------------------------------------------------- ________________ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ Page #228 -------------------------------------------------------------------------- ________________ Page #229 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ૧ મહારાષ્ટ્ર પ્રદેશ, જેની જનભાષા મરાઠી કહેવાય છે, સાથે જૈનધર્મનો સંબંધ જૂનો છે. આ પ્રદેશના ગજપંથ પર્વતને સાત બલભદ્રોનું નિર્વાણસ્થાન માનવામાં આવ્યું છે, તુંગી પર્વતને રામ તથા કુંથુગિરિ પર્વતને કુલભૂષણ-દેશભૂષણનું મુક્તિસ્થાન માનવામાં આવ્યું છે. પ્રભાવકચરિતની કથાઓ અનુસાર વજ્રસેન, કાલક, પાદલિપ્ત, સિદ્ધસેન વગેરે આચાર્યોએ મહારાષ્ટ્રમાં વિહાર કર્યો હતો. નયનન્દિના સકલ-વિધિવિધાન કાવ્ય અનુસાર આચાર્ય વીરસેન, જિનસેન, મહાકવિ ધનંજય, તથા મહાકવિ સ્વયંભૂદેવનું નિવાસસ્થાન વાટગ્રામ વહાડ (વિદર્ભ) દેશમાં હતું જે મહારાષ્ટ્રના પૂર્વ ભાગ (વિશેષતઃ અમરાવતી, અકોલા, યવતમાલ અને બુલડાણા જિલ્લા)નું પ્રચલિત નામ છે. ધારાશિવ (ઉસ્માનાબાદ), અંકાઈ (મનમાડ પાસે), અંજનેરી (નાસિક પાસે), એલોરા વગેરેના ગુફામંદિરોથી તથા કોલ્હાપુર, પૈઠન, શિરપુર વગેરેના મંદિરોથી આ પ્રદેશમાં જૈન સમાજની સમૃદ્ધ અવસ્થાની ખબર પડે છે. ૧. મહારાષ્ટ્રના ઈતિહાસનો પ્રારંભ ઈસા પૂર્વ પ્રથમ શતાબ્દીમાં સાતવાહન રાજવંશથી થાય છે. ત્યારે મહારાષ્ટ્રી પ્રાકૃત આ પ્રદેશની જનભાષા અને રાજભાષા હતી. કાલાંતરે આ ભાષાનું જે પરિવર્તિત રૂપ લોક-વ્યવહારમાં રૂઢ થયું તેને અપભ્રંશ કહેવામાં આવે છે. સાતમી-આઠમી શતાબ્દીમાં પ્રૌઢ સાહિત્યના માધ્યમ રૂપે પ્રતિષ્ઠિત આ અપભ્રંશથી જ મરાઠી, ગુજરાતી, હિંદી વગેરે ભાષાઓ વિકસિત થઈ. આથી કેટલાક વિદ્વાનોએ અપભ્રંશ રચનાઓને પ્રાચીન હિંદી કહી છે તો કેટલાકે તેને રાષ્ટ્રકૂટકાલીન મરાઠી પણ કહી છે. ૧. તીર્થવંદનસંગ્રહ (જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર, ૧૯૬૫) પૃ. ૧૩૦, ૧૩૭ તથા ૧૪૭. ૨. પ્રભાવક ચરિત (નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૦૯) પૃ. ૧૨, ૪૪, ૬૭, ૧૦૨. ૩. જૈન ગ્રંથ પ્રશસ્તિ સંગ્રહ, ભા. ૨ (વીર સેવા મંદિર, દિલ્હી, ૧૯૬૩) પૃ. ૨૭. ૪. જુઓ સહ્યાદ્રિ માસિક (પૂના, એપ્રિલ, ૧૯૪૧)માં પ્રકાશિત ડૉ. તગારનો લેખ. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ આઠમી શતાબ્દીમાં અપભ્રંશથી સ્વતંત્રપણે મરાઠીનો વિકાસ થવા લાગ્યો હતો. આનો સંકેત જૈન ગ્રંથ કુવલયમાલા (સન્ ૭૭૮)માં મળે છે. પ્રાચીનતમ મરાઠી શિલાલેખોમાં એક મહત્ત્વપૂર્ણ શિલાલેખ શ્રવણબેલગોલમાં દસમી શતાબ્દીમાં નિર્મિત ગોમ્યુટેશ્વર મહામૂર્તિના ચરણો પાસે છે. કર્ણાટકના મહાકવિ પંપના વિક્રમાર્જન-વિજય (સનું ૯૩૨) તથા જન્નના અનન્તનાથપુરાણ (સન્ ૧૨૧૦)માં કેટલાક મરાઠી વાક્યોનો પ્રયોગ મળે છે તથા ગુજરાતના મહાકવિ યશશ્ચન્દ્રના રાજીમતીપ્રબોધ (સન્ ૧૧૨૮) તથા નયચન્દ્રની રંભામંજરી (ચૌદમી શતાબ્દી)માં પણ કેટલીક મરાઠી પંક્તિઓ છે. દસમી શતાબ્દીના શ્રીપતિની જ્યોતિષરત્નમાલા અથવા બારમી શતાબ્દીના મુકુન્દરાજનો વિવેકસિંધુ મરાઠી સાહિત્યનો આદ્યગ્રંથ માનવામાં આવે છે. તેરમી શતાબ્દીમાં જ્ઞાનેશ્વર અને ચક્રધર દ્વારા તથા ચૌદમી શતાબ્દીમાં તેમના શિષ્યો દ્વારા મરાઠીમાં વિપુલ સાહિત્ય-રચના થઈ. દુર્ભાગ્યે આ પાંચ શતાબ્દીઓમાં કોઈ જૈન લેખક દ્વારા મરાઠીમાં લખેલ કોઈ ગ્રંથ હજી સુધી ઉપલબ્ધ થયો નથી. આ અવધિના કેટલાય જૈન શિલાલેખો કોલ્હાપુર, અક્કલકોટ, અંજનેરી, પાત્ર, વજીરખેડ વગેરે સ્થાનોમાં મળે છે, પરંતુ તે સંસ્કૃત કે કન્નડમાં છે. મરાઠી જૈન સાહિત્ય પંદરમી સદીથી ઉપલબ્ધ થાય છે. આની પહેલાંના ગ્રંથ કાં તો હજી પ્રકાશમાં નથી આવી શક્યા કે લખવામાં જ આવ્યા ન હતા. ૧. કુવલયમાલા (સિંધી ગ્રંથમાળા, મુંબઈ, ૧૯૫૯) પૃ. ૧૫૨. અહીં અઢાર દેશી ભાષાઓનો ઉપયોગ કરનાર વેપારીઓનું એક એક ગાથામાં વર્ણન છે, તેમાં એક મરદ્ધ પણ છે. ૨. જૈન શિલાલેખ સંગ્રહ, ભાગ-૧ (માણિકચન્દ્ર ગ્રંથમાલા, મુંબઈ, ૧૯૨૮), પૃ. ૧૫૭. ૩. પ્રાચીન મરાઠી જૈન સાહિત્ય (સુવિચાર પ્રકાશન મંડલ, નાગપુર, પૂના, ૧૯૬૮) પૃ. ૧૦. (આગળ આ ગ્રંથના સંદર્ભો પ્રા.મ. એવા સંકેતથી સૂચવેલ છે.) ૪. જૈન શિલાલેખ સંગ્રહ, ભાગ-૨ (માણિકચન્દ્ર ગ્રંથમાલા, મુંબઈ, ૧૯૫૨), પૃ. ૮૫, ૪૮૨; ભાગ-૩ (૧૯૫૭) પૃ. ૩૯, ૫૩, ૩૩૫; ભાગ ૪ (ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી, ૧૯૬૫) પૃ. ૮૬, ૧૧૩, ૧૩૫, ૧૯૨, ૧૬૬, ૨૦૯. Page #231 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક - ૨૦૩ મરાઠી જૈન સાહિત્યનું અધ્યયન વર્તમાન શતાબ્દીના પ્રથમ ચરણમાં લગભગ ૨૦ જૂની મરાઠી જૈન રચનાઓ મુદ્રિત થઈ હતી, પરંતુ મરાઠી સાહિત્યના ઈતિહાસકારોનું ધ્યાન તેમની તરફ આકૃષ્ટ ન થયું. પ્રસિદ્ધ ઈતિહાસ ગ્રંથ મહારાષ્ટ્ર સારસ્વત (૧૯૨૪)માં શ્રી વિનાયકરાવ ભાવેએ “મરાઠીમાં જૈન મતનો વિસ્તૃત અનુવાદ થયો હશે” એવી સંભાવના પ્રકટ કરી છે (ચતુર્થ સંસ્કરણ પૃષ્ઠ ૨૩ર), પરંતુ કામરાજકૃત સુદર્શનચરિત્રના નામમાત્ર ઉલ્લેખ (પૃષ્ઠ ૫૮) સિવાય અન્ય કંઈ પણ વિવરણ તેમને પ્રાપ્ત થયું ન હતું. મુંબઈના માસિક વિવિધજ્ઞાનવિસ્તાર (મે ૧૯૨૪)માં શ્રી શેષરાજ પારિસવાડે તાંજોરના ત્રણ હસ્તલિખિત ગ્રંથો – ગુણદાસકૃત શ્રેણિકચરિત્ર, મહીચન્દ્રકૃત આદિપુરાણ તથા દેવેન્દ્રકીર્તિકૃત કાલિકાપુરાણનો પરિચય આપ્યો, પરંતુ તેમને એ જ્ઞાત ન હતું કે આદિપુરાણ અને કાલિકાપુરાણ છપાઈ ચૂક્યા હતા. આદિપુરાણના કર્તાનું નામ તેમણે બ્રહ્મજિનદાસ માની લીધું હતું. સન્ ૧૯૪૬માં ટીકમગઢથી પ્રકાશિત પ્રેમી અભિનંદન ગ્રંથમાં શ્રી રાવજી નેમચંદ શાહે પોતાના એક લેખમાં મરાઠી જૈન સાહિત્યનું વિવરણ આપ્યું છે. તેમાં જૂના સાહિત્યિકોમાં ફક્ત કવીન્દ્રસેવક અને મહતિસાગરનો ઉલ્લેખ માત્ર છે, બાકી બધું વિવરણ આધુનિક મરાઠી લેખકો વિશે છે. જૂના મરાઠી જૈન સાહિત્યનું પ્રથમ વિસ્તૃત વિવરણ અમે સન્મતિ માસિક (બાહુબલી, જિ. કોલ્હાપુર, નવેમ્બર ૧૯૫૫) તથા મહારાષ્ટ્ર સાહિત્ય પત્રિકા સૈમાસિક, પૂના જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ ૧૯૫૬)માં પ્રકાશિત બે લેખોમાં આપ્યું હતું. આમાં ૧૨ કવિઓનું વિવરણ હતું. પાછળના કેટલાક વર્ષોમાં પ્રકાશિત પુસ્તકો અને લેખોથી જ્ઞાત કવિઓની સંખ્યા ૨૦ થઈ ગઈ. સન્ ૧૯૬૧માં કલકત્તાથી પ્રકાશિત ભિક્ષુ સ્મૃતિ ગ્રંથમાં પ્રા. શાંતિકુમાર કિલ્લેદારે પોતાના લેખમાં ૩૨ કવિઓનું વિવરણ આપ્યું છે. તદનંતર પ્રા. સુભાષચન્દ્ર અક્કોલેએ આ જ વિષય પર પીએચ.ડી. ઉપાધિ માટે પ્રબંધ લખ્યો જે પૂના વિશ્વવિદ્યાલય દ્વારા સન્ ૧૯૬૪માં સ્વીકૃત થયો તથા સુવિચાર પ્રકાશન મંડલ, નાગપુર-પૂના દ્વારા સન્ ૧૯૬૮માં પ્રકાશિત થયો. આમાં પ૪ કવિઓની રચનાઓનું વિવેચન થયું છે. પ્રસ્તુત પ્રકરણમાં અમે ઉક્ત પ્રબંધના પ્રકાશન પછી જ્ઞાત થયેલ આઠ કવિઓનો પરિચય પણ સામેલ કર્યો છે તથા પૂર્વજ્ઞાત કવિઓની કેટલીક નવી રચનાઓનો પરિચય પણ આપ્યો છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ મરાઠી જૈન સાહિત્યનું વર્ગીકરણ ઉપલબ્ધ મરાઠી જેને સાહિત્યનું વર્ગીકરણ ચાર વિભાગોમાં કરી શકાય છે. પ્રથમ વર્ગમાં સન્ ૧૪૫૦થી ૧૫૫૦ સુધીના પાંચ-છ કવિ આવે છે. તેઓ ગુજરાતી પંડિતોના શિષ્યો હતા તથા તેમની રચનાઓ માટે ગુજરાતી ગ્રંથો આધારભૂત હતા. બીજા વર્ગમાં સન્ ૧૫૫૦થી ૧૮૫૦ સુધીના લગભગ ૫૦ કવિઓ આવે છે. કારંજ, લાતૂર અને ઔરંગાબાદના ભટ્ટારકો તથા તેમના શિષ્યોનું આમાં મુખ્ય સ્થાન છે. તેમની રચનાઓ ગુજરાતી, સંસ્કૃત અને ક્વચિત કન્નડ ગ્રંથો પર આધારિત છે. ત્રીજા વર્ગમાં કોલ્હાપુરના ભટ્ટારકો અને તેમના શિષ્યો આવે છે. તેમણે સંસ્કૃત અને કન્નડ ગ્રંથોનો આધાર લઈ ૧૯મી શતાબ્દીના પૂર્વાર્ધમાં સાહિત્ય-રચના કરી છે. ચોથો વર્ગ આધુનિક – સન્ ૧૮૫૦ પછીના લેખકોનો છે. સંસ્કૃત, પ્રાકૃત, કન્નડ તથા હિન્દી સાહિત્યના અનુવાદ ઉપરાંત આધુનિક લેખકોએ કથા, કવિતા, નાટક, નિબંધ, ઈતિહાસ વગેરે વિવિધ વિષયો પર વિપુલ લેખન કર્યું છે. મુદ્રિત મરાઠી જૈન પુસ્તકોની સંખ્યા લગભગ ૪૦૦ છે. આ સિવાય સમય-સમય પર પ્રકાશિત ચૌદ પત્રિકાઓમાં પણ ઘણા ઉપયોગી સાહિત્યનું પ્રકાશન થયું છે. પ્રસ્તુત વિવેચનના અધ્યાય ૨માં અમે જૂના મરાઠી જૈન સાહિત્યના ત્રણ વર્ગોના બધા લેખકોનો સમયક્રમથી સંક્ષિપ્ત પરિચય આપી રહ્યા છીએ તથા અધ્યાય ૩માં ચોથા વર્ગના આધુનિક લેખકોમાંથી કેટલીક પ્રમુખ વ્યક્તિઓની કૃતિઓનો પરિચય આપી રહ્યા છીએ. પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય આમાં સન્ ૧૪૫૦થી ૧૮૫૦ સુધીના ચારસો વર્ષોમાં થયેલ દર કવિઓની લગભગ ૨૦૦ નાની-મોટી રચનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં પદ્મપુરાણ, હરિવંશપુરાણ તથા કાલિકાપુરાણ આ ૩ મોટા પુરાણ છે. ૨૦ કાવ્યોમાં શ્રેણિક, યશોધર, જંબૂસ્વામી, સુદર્શન, ભવિષ્યદત્ત વગેરેની કથાઓ છે. સમ્યક્તકૌમુદી, ધર્મપરીક્ષા, પુણ્યાગ્નવ, આરાધનાકથાકોશ વગેરે ૭ ગ્રંથો કથા સંગ્રહાત્મક છે. અનંત, આદિત્ય, સુગંધદશમી વગેરે વ્રતોની ૨૬ કથાઓ છે. આદિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ વગેરેની કથાઓ પર આધારિત ગીતોની સંખ્યા ૩૦ છે તથા વિભિન્ન ઉપદેશાત્મક ગીતોની સંખ્યા પણ ૩૦ છે તથા ઉપદેશાત્મક પદોમાં કવીન્દ્રસેવકનાં ૫૪૫ તથા મહતિસાગરના ૨૦૦ અભંગ અને પદો ઉલ્લેખનીય છે. સમકાલીન ધર્માચાર્યોનું પ્રસંગાત્મક વર્ણન ૧૨ ગીતોમાં તથા Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ૨૦૫ વિભિન્ન તીર્થક્ષેત્રોનું વર્ણન ૧૦ ગીતોમાં છે. પૂજાપાઠોની સંખ્યા ૪, સ્તુતિઓની સંખ્યા ૧૬ તથા આરતીઓની સંખ્યા ૪૦ છે. ગંભીર વિષયોના ૧૦ ગ્રંથો છે જેમાં તત્ત્વવિચારવિષયક ૫ તથા શ્રાવકાચારવિષયક ૫ ગ્રંથો છે. અહીં વર્ણિત કવિઓમાં લગભગ અડધા ભટ્ટારક અથવા તેમના શિષ્ય-સાધુ કે બ્રહ્મચારી હતા, બાકીના ગૃહસ્થ હતા. પ્રાયઃ બધા કવિઓએ પોતાના ગુરનો આદરસહિત ઉલ્લેખ કર્યો છે. આનાથી જ્યાં તેમની ગુરુભક્તિ પ્રકટ થાય છે, ત્યાં તેમના સમય નિર્ણયમાં પણ સહાયતા મળે છે. ધર્માચાર્યોના આ સમકાલીન પ્રશંસાત્મક વર્ણનોથી મહારાષ્ટ્રના ધામિક ઈતિહાસની જાણકારી મેળવવામાં ખૂબ સહાય મળી છે. ગુણકીર્તિ, મેઘરાજ વગેરે ૧૫ કવિઓએ મરાઠી ઉપરાંત ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષાઓમાં પણ સાહિત્ય-રચના કરી છે. કેટલાય લેખકોએ પોતાના આધારભૂત ગ્રંથોના સ્પષ્ટ ઉલ્લેખ કર્યા છે. લગભગ ૨૦ રચનાઓમાં ગુજરાતીના, ૧૦ રચનાઓમાં સંસ્કૃતના તથા પમાં કન્નડના ગ્રંથોનો આધાર રૂપે ઉપયોગ થયો છે. ગીતોની રચના પ્રાયઃ સ્વતંત્ર રૂપે થઈ છે અને મરાઠીના સહજસુંદર રૂપની અભિવ્યક્તિ આમાં જ ઉત્તમ રૂપે થઈ છે. સાહિત્યિક દૃષ્ટિએ પદ્મપુરાણ, હરિવંશપુરાણ તથા શ્રેણિક, જેબૂસ્વામી, સુદર્શન, યશોધર વગેરેનાં ચરિત-કાવ્ય પઠનીય છે. વિશેષ કરી ગુણદાસ અને જનાર્દનનાં શ્રેણિકચરિત્ર કાવ્યગુણોથી પરિપૂર્ણ છે. ભક્તિભાવનું પ્રકટીકરણ પૂજા, આરતી અને સ્તુતિઓમાં વિશેષ રૂપે થયું છે. આ રચનાઓ ગાયનની દૃષ્ટિથી વિશેષ ઉપયુક્ત છે. લય અને તાલને અનુરૂપ તેમની શબ્દ રચના યોગ્ય વાદ્યોની સંગતિમાં અનોખા આનંદની સૃષ્ટિ ખડી કરે છે. આધુનિક મરાઠી જૈન સાહિત્ય સન્ ૧૮૫૦ પછી અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ અને મુદ્રણ-વ્યવસાય તથા ટપાલ વ્યવસ્થાના પ્રસારથી બધા ભારતીય સાહિત્યિક કાર્યોમાં વ્યાપક પરિવર્તન થયું. મરાઠી ભાષી જૈન સમાજમાં આ નવયુગનો સૂત્રપાત શેઠ હિરાચંદ નેમચંદ દોશી દ્વારા સન્ ૧૮૮૪માં સ્થાપિત માસિક જૈનબોધકથી થયો. ત્યારથી અત્યાર સુધી લગભગ ચારસો પુસ્તકો પ્રકાશિત થયાં છે. વિષયોની વિવિધતા, લેખકો તથા પાઠકોમાં વિભિન્ન વર્ગોની વ્યક્તિઓનો સમાવેશ, ગદ્યની પ્રધાનતા તથા ભાષાની સરળતા આ આધુનિક સાહિત્યમાં મળતી મુખ્ય વિશેષતાઓ છે. પ્રકાશિત પુસ્તકોમાં લગભગ અડધા પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના અનુવાદો રૂપે છે. સરળ કથાઓના Page #234 -------------------------------------------------------------------------- ________________ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ ૩૦ પુસ્તકો છે. પ્રાયઃ એટલા જ પુસ્તકો કાવ્ય સંગ્રહાત્મક છે. શ્રાવકોની નિત્યનૈમિત્તિક વિધિઓનું વર્ણન દસ પુસ્તકોમાં છે તથા એટલા જ પુસ્તકો પૂજાપાઠના છે. ઈતિહાસ અને તીર્થ વર્ણનાત્મક વિષયો પર ૩૦ પુસ્તકો છે તથા સરળ રૂપે ધર્મ તત્ત્વોનું વર્ણન લગભગ દસ પુસ્તકોમાં પ્રાપ્ત થાય છે. સામયિક પ્રશ્નોનો વિચાર ૨૦ પુસ્તકોમાં છે. પ્રાચીન મરાઠી સાહિત્યનાં લગભગ ૩૦ પુસ્તકો પણ છપાયાં છે. ૨૦૬ જૂના સાહિત્યના અડધા લેખકો સાધુવર્ગના હતા, જ્યારે આધુનિક સાહિત્યિકોમાં સાધુઓની સંખ્યા નગણ્ય છે. જૂના સાહિત્યની રચના પૂર્વ મહારાષ્ટ્ર (વિદર્ભ) તથા મધ્ય મહારાષ્ટ્ર (મરાઠવાડા)માં જ અધિક થઈ હતી, જ્યારે આધુનિક સાહિત્યની રચના અધિકતર દક્ષિણ મહારાષ્ટ્રમાં થઈ છે. હવે અમે લેખકોનું સમયક્રમથી વર્ણન કરીશું. * Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્યકારો તથા તેમની રચનાઓ ગુણદાસ હજી સુધી જ્ઞાત મરાઠી જૈન લેખકોમાં ગુણદાસ સર્વપ્રથમ છે. તે ઈડરના ભટ્ટારક સકલકીર્તિના શિષ્ય બ્રહ્મજિનદાસના શિષ્ય હતા. જિનદાસના રામાયણરાસ (સંવત ૧૫૦૮) અને હરિવંશરાસ (સંવત ૧૫૨૦)ની પ્રશસ્તિઓમાં ગુણદાસનો ઉલ્લેખ છે. આનાથી તેમના સાહિત્યિક જીવનનો આરંભ સન્ ૧૪૫૦ની આસપાસનો સ્પષ્ટ થાય છે. મરાઠીમાં તેમની પાંચ રચનાઓ ઉપલબ્ધ છે. તેમાં સહુથી મોટી રચના શ્રેણિકચરિત્રમાં ચાર અધ્યાય અને ૩૦૦૦ ઓવી છે. ભગવાન મહાવીરના સમકાલીન મગધ (દક્ષિણ બિહાર)ના રાજા શ્રેણિક બિંબિસારની મનોરંજક કથા આમાં વર્ણિત છે. શ્રેણિકની જીવનકથા બહુવિધ પ્રસંગોથી પરિપૂર્ણ છે. બાળપણમાં ઓરમાન ભાઈઓની સ્પર્ધા, તેના ફળસ્વરૂપે અજ્ઞાતવાસ, નંદા સાથે વિવાહ, પુત્ર અભયનો જન્મ, ફરી રાજ્યપ્રાપ્તિ, વિદેહની રાજકન્યા ચલણા સાથે વિવાહ તથા તેના આગ્રહથી જૈનધર્મનો સ્વીકાર, પુત્ર કણિકનો વિરોધ અને અંતે કારાગૃહમાં દુ:ખદ મૃત્યુ – આ બધા પ્રસંગોનું ગુણદાસે સરળ અને સરસ ભાષામાં વર્ણન કર્યું છે. તેમની અન્ય કૃતિઓનો પરિચય આ મુજબ છે – રામચન્દ્ર હલદુલિઆ ૩૦ પદ્યોનું ગીત રામ વિવાહ વિષયે છે.' ગાન્ડાણે-આ ૬ પદ્યોનું ગીત છે જેમાં ફરિયાદ રૂપે જિનદેવની પ્રાર્થના છે."ક્ષમાગીતમાં ક્ષમાનું મહત્ત્વ ૬ પદ્યોમાં ૧. ભટ્ટારક સંપ્રદાય (જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર ૧૯૫૮) પૃષ્ઠ ૧૩૯. ૨. પ્ર. જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર, ૧૯૬૪, સં. સુભાષચંદ્ર અકોલે. ૩. ઓરી મરાઠીનો સર્વાધિક પ્રચલિત છંદ છે. તેમાં અનિયમિત અક્ષરસંખ્યાના ચાર ચરણ હોય છે - તથા સામાન્ય રીતે પ્રથમ ત્રણ ચરણોમાં અંત્યત યમકનો પ્રયોગ થાય છે. ૪. સન્મતિ, નવેમ્બર ૧૯૫૯માં પ્રકાશિત, સં. વિ. જોહરાપુરકર. ૫. સન્મતિ, જૂન ૧૯૬૦માં પ્રકાશિત, સં. વિ. જોહરાપુરકર. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ વર્ણિત છે તથા વિચૂગીતના ૫ પદ્યોમાં વિષયવાસનારૂપી વીંછીનો પ્રભાવ વૈરાગ્યરૂપી ઝાડૂથી દૂર કરવાનો ઉપદેશ છે.' ગુણદાસે પોતાનું નામ બ્રહ્મગુણદાસ કે ગુણબ્રહ્મ આ બે રૂપે લખ્યું છે. ગુણકીર્તિ તેમની રચનાઓમાં પણ સકલકીર્તિ, ભુવનકીર્તિ અને બ્રહ્મજિનદાસનો ગુરૂરૂપે ઉલ્લેખ છે. આનાથી અનુમાન થાય છે કે ગુણદાસનું જ મુનિર્દીક્ષા પછીનું નામ ગુણકીર્તિ હશે. તેમની સહુથી મોટી રચના પદ્મપુરાણ છે. ગુણકીર્તિએ આના ૨૮ અધ્યાય લખ્યા હતા. બસો વર્ષ પછી ચિંતામણિ નામક કવિએ આમાં સાત અધ્યાય જોડ્યા તથા તેમના પછી કેટલાક જ વર્ષો પછી પુણ્યસાગરે આઠ અધ્યાય બીજા જોડી આને પૂર્ણ કર્યું. આખા ગ્રંથમાં ૧૫OO૦ ઓવી છે. જૈન પરંપરામાં પ્રચલિત રામાયણની કથાનું આમાં વિસ્તારથી વર્ણન છે. આમાં ભ. આદિનાથના વૈરાગ્ય-પ્રસંગના વર્ણનમાં ૩૪૫ ઓવી વિસ્તારવાળુ દ્વાદશાનુપ્રેક્ષા (સંસારની અનિત્યતા વગેરે બાર ભાવનાઓનું ચિંતન) પ્રકરણ છે જેની કેટલીય સ્વતંત્ર પ્રતો પણ મળે છે. ગુણકીર્તિની બીજી મહત્ત્વપૂર્ણ રચના ધર્મામૃત ગદ્યમાં છે. શ્રાવકોના આચારનો ઉપદેશ આનો મુખ્ય વિષય છે. સાથે જ જૈન કથા, ગણિત, તીર્થ, તત્ત્વવર્ણન વગેરેનું પણ સંક્ષિપ્ત વર્ણન આમાં છે. ત્યાજય વિષયો રૂપે જૈનેતર દેવતા, સાધુ, સાહિત્ય વગેરેના ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો આમાં મળે છે. ગ્રંથની ભાષા સરળ અને પ્રભાવપૂર્ણ છે. ગુણકીર્તિનાં છ ગીત પણ ઉપલબ્ધ છે જેમનો પરિચય આ મુજબ છે – નેમિનાથ પાલના ૧૯ કડવકોનું ૧. પ્રા. મ., પૃષ્ઠ ૧૬-૧૭. ૨. શ્રી જયચન્દ્ર શ્રાવણે, વર્ધા દ્વારા ૧૯૦૨થી ૧૯૦૮ સુધી પાંચ ભાગમાં પ્રકાશિત. ૩. સન્મતિ, ઓગસ્ટ ૧૯૫૯માં પ્રકાશિત, સં. વિ. જોહરાપુરકર; મુદ્રિત પદ્મપુરાણમાં આ પ્રકરણ નથી મળતું. ૪. પ્ર. જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર, ૧૯૬૦, સં. વિ. જોહરાપુરકર; આનું એક સંસ્કરણ ધર્મવિલાસપુરાણ નામે અદપ્પા બાપૂ પસાબાએ બંધુ પદ્મષ્ણાની સ્મૃતિમાં કુરુદવાડથી સન્ ૧૯૦૪માં પ્રકાશિત કર્યું હતું, ત્યારે આના કર્તાનો પરિચય મળી શક્યો ન હતો. Page #237 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય ૨૦૯ છે, તેમાં બાળક નેમિનાથનું ઝૂલામાં ઝૂલવાનું વર્ણન છે; નેમિનાથ-વિવાહમાં ૪૪ કડવક છે, તેમાં શ્રીકૃષ્ણ દ્વારા નેમિનાથના વિવાહસંબંધનો નિશ્ચય અને વિવાહના પ્રસંગે મારવામાં આવતાં પશુઓનું કરુણ ઠંદન સાંભળી નેમિનાથનું વિરક્ત થવું વર્ણિત છે; નેમિનાથ-જિનદીક્ષામાં ૪૫ કડવકોમાં નેમિનાથની તપસ્યા અને મુક્તિનું વર્ણન છે", રુક્મિણીહરણમાં ૬૪ કડવકોમાં શ્રીકૃષ્ણ દ્વારા રુક્મિણીનાં હરણની મનોરંજક કથાનું વર્ણન છે, આની પ્રશસ્તિમાં કવિએ પોતાનો જન્મ જૈસવાલ જાતિમાં થયેલ એવું બતાવ્યું છે, રામચન્દ્ર ફાગમાં ૩૧ કડવકોમાં રામના વસંતઉત્સવનું વર્ણન છે તથા ધન્દા ગીતમાં ૬ પદ્યોમાં ઈહલોકનો ધંધો છોડી પરલોકનો ધંધો કરવાનો ઉપદેશ છે.* વિવેકવિલાસ, નેમીશ્વર-રાજમતી-ફાગ તથા સીતાદિવ્યગીત નામે ગુણકીર્તિની ગુજરાતી રચનાઓ પણ ઉપલબ્ધ છે. તેમના ચૌપદી નામનાં પદ પણ મળ્યાં છે જેમની ભાષામાં ગુજરાતી અને મરાઠીનું મિશ્રણ મળે છે." જિનદાસ તેઓ ભટ્ટારક ભુવનકીર્તિના શિષ્ય ઉજ્જતકીર્તિના શિષ્ય હતા. આથી તેમનો સમય પંદરમી સદીનું અંતિમ ચરણ નિશ્ચિત થાય છે. તેમનો જન્મ દેવગિરિ (દોલતાબાદ)માં થયો હતો. ત્યાં જ તેમણે છંદ, વ્યાકરણ, તર્ક વગેરેનું અધ્યયન કર્યું. તેમની એકમાત્ર કૃતિ હરિવંશપુરાણ છે, જેમાં ભ. નેમિનાથ તથા શ્રીકૃષ્ણ સંબંધી જૈન પરંપરાની કથાઓ વિસ્તારથી વર્ણિત છે. જિનદાસે આ પુરાણના પપ અધ્યાય લખ્યા હતા. બસો વર્ષ પછી પુણ્યસાગરે ૧૨ અધ્યાય બીજા જોડી આ રચના પૂર્ણ કરી. આખા ગ્રંથની એવી સંખ્યા ૧૧૦૦૦ છે. જિનદાસની રચનામાં પાંડિત્ય અને કવિત્વ બંનેનું દર્શન થાય છે. ૧. ધર્મામૃતના પરિશિષ્ટમાં અમે આ ત્રણ ગીતો પ્રકાશિત કર્યા છે. ૨-૩. આ બે ગીત સન્મતિમાં સન્ ૧૯૬૫માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયા છે, સં. સુભાષચન્દ્ર અકોલે. ૪. પ્રા. આ., પૃષ્ઠ ૨૪. ૫. આની હસ્તલિખિત પ્રતો અમારા સંગ્રહમાં છે. ૬. પ્ર. જિનદાસ ચવડે, વર્ધા, ૧૦૭. . Jal5 ducation International Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ મેઘરાજ તેઓ બ્રહ્મજિનદાસના શિષ્ય બ્રહ્મશાંતિદાસના શિષ્ય હતા. આથી તેમનો સમય સોળમી સદીનું પ્રથમ ચરણ નિશ્ચિત થાય છે. મરાઠીમાં તેમની છ કૃતિઓ ઉપલબ્ધ છે. આમાં સહુથી મોટી કૃતિ જસોધરરાસમાં ૫ અધ્યાય અને ૧૧૬૪ ઓવી છે. યૌધેય દેશના રાજા યશોધરની કથા પર કેટલાય જૈન કવિઓએ કાવ્ય લખ્યાં છે. મેઘરાજે આ પરંપરાગત કથાનું સરસ વર્ણન કર્યું છે. પત્નીના દુરાચારથી ઉદ્વિગ્ન રાજા યશોધર માતાના આગ્રહથી પશુબલિનો સંકલ્પ કરે છે, અને આ પાપનાં ફળસ્વરૂપે કેટલાય જન્મો સુધી પશુગતિનાં દુઃખો સહે છે, અંતે જિનધર્મનો ઉપદેશ પ્રાપ્ત કરવાથી તેનો ઉદ્ધાર થાય છે. કથા રોચક ઢંગથી વર્ણિત છે. મેઘરાજની અન્ય રચનાઓનો પરિચય આ મુજબ છે – પાર્શ્વનાથ ભવાંતરમાં ૪૭ કડવકોમાં ભ. પાર્શ્વનાથ અને માતા વામાદેવીના સંવાદ રૂપે તેમના પૂર્વજન્મોનું વર્ણન છે, રામાયણી કથામાં રાજા દશરથને તેમના ચાર પુત્ર એક-એક કથા સંભળાવે છે. કૃષ્ણગીતમાં ૭૬ કડવક છે તથા રુક્મિણી, સત્યભામા અને જાંબવતી દ્વારા શ્રીકૃષ્ણની કથાઓનું વર્ણન છે, ગોમેટસ્વામી ગીતમાં ત્રણ કડવકોમાં શ્રવણબેલગોલના ભ. બાહુબલીની સ્તુતિ છે તથા ગૂજરી મહાડી ગીતમાં ગિરનારની યાત્રા કરનારી એક ગુજરાતી અને એક મરાઠી મહિલાનો સંવાદ છે, આની એક પંક્તિ ગુજરાતીમાં અને બીજી મરાઠીમાં છે, આમાં ૧૩ કડવકો છે. મેઘરાજે ગુજરાતીમાં શાંતિનાથચરિત અને તીર્થનંદના આ બે રચનાઓ પણ લખી છે. કામરાજ તેઓ પણ બ્રહ્મશાન્તિદાસના શિષ્ય હતા. તેમની મુખ્ય રચના સુદર્શનચરિત્રમાં ૧૪ અધ્યાય અને લગભગ એક હજાર ઓવી છે. બ્રહ્મચર્ય અણુવ્રતના પાલન માટે રાજાની પટરાણીની પ્રણય-પ્રાર્થના નકારનાર સુદર્શન શ્રેષ્ઠીની રોચક કથા ૧. પ્ર. જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર, ૧૯૫૯, સં. સુભાષચન્દ્ર અક્કોલે. ૨. પ્રા. મ., પૃષ્ઠ ૩૦-૩૨. ૩. જિનદાસ ચવડે, વર્ધા તથા જયચંદ્ર શ્રાવણે, વર્ધાએ આનાબે સંસ્કરણો પ્રકાશિત કર્યા હતા (વર્ષ જાણી શકાયું નથી), પરંતુ બંને એ ગ્રંથનો લગભગ અડધો ભાગછોડીને સંક્ષિપ્ત સંસ્કરણ બહાર પાડ્યા હતા. Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય ૨૧૧ આમાં વર્ણિત છે. કામરાજની બીજી રચના ચૈતન્યફાગમાં ૧૪ પદ્યો છે. આ ગીતમાં શરીરરૂપી પિંજરામાં બંદી ચૈતન્યરૂપી રાધો (પોપટ)ને મુક્તિનો માર્ગ બતાવવામાં આવ્યો છે. તેમની ત્રીજી રચના ધર્મફાગ છે. તેમાં ૧૩ પદ્યોમાં ધર્મથી પ્રાપ્ત થનાર સુખોનું વર્ણન છે. સૂરિજન તેઓ પણ બ્રહ્મશાંતિદાસના શિષ્ય હતા. તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના પરમહંસ કથા છે. તે ગદ્ય-પદ્યમય મિશ્ર રચના છે તથા લગભગ એક હજાર શ્લોકો જેટલો તેનો વિસ્તાર છે. તે રૂપક કથા છે – પરમહંસ (આત્મા) રાજા, ચેતના રાણી, રાજપુત્ર મન, સાવકી મા માયા, શત્રુ મોહ એવા રૂપકો દ્વારા આત્માની મુક્તિ-પ્રાપ્તિની કથા આમાં વર્ણિત છે. સૂરિજને અંતિમ પ્રશસ્તિમાં સમકાલીન ભટ્ટારક જ્ઞાનભૂષણ નો પણ ઉલ્લેખ કર્યો છે. નાગો આયા તેઓ કારંજાના ભટ્ટારક માણિકસેનના શિષ્ય હતા. તેમનો સમય સન્ ૧૫૪૦ની આસપાસનો છે. તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના યશોધરચરિત્રમાં ૫ અધ્યાય અને ૨૯૨ ઓવી છે.* વાદિરાજના સંસ્કૃત ગ્રંથના આધારે આ કાવ્ય લખવામાં આવ્યું છે. આની રચના વૈરાટ દેશના કોટ નગર (સંભવિત વર્તમાન આકોટ, જિ. અકોલા)ના આદિનાથ મંદિરમાં થઈ હતી. ગુણનંદિ તેઓ કારંજાના ભટ્ટારક ધર્મભૂષણના શિષ્ય હતા. આથી તેમનો સમય સન્ ૧. સન્મતિ, નવેમ્બર ૧૯૫૯માં પ્રકાશિત, સં. વિ. જોહરાપુરકર. ૨. સ્વાધ્યાય રૈમાસિક, ઓગસ્ટ ૧૯૬૫માં શ્રી અગરચંદ નાહટા દ્વારા લિખિત કામરાજુ રચિત મરાઠી ફાગુકાવ્ય શીર્ષક લેખમાં ચૈતન્યફાગ અને ધર્મફાગ છપાયાં છે. ૩. પ્ર. જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર, ૧૯૬૦, સં. સુભાષચંદ્ર અક્કોલે. ૪. જ્ઞાનભૂષણની પ્રશંસા સહિત મરાઠીમાં લિખિત એક આરતી અમારા સંગ્રહમાં છે. આમાં ૪ . કડવકો છે, પરંતુ લેખકનું નામ મળતું નથી. ૫. મેઘરાજ કૃત જસોધરરાસના પરિશિષ્ટમાં પ્રકાશિત (જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર, ૧૯૫૯), સં. વિ. જોહરાપુરકર. Page #240 -------------------------------------------------------------------------- ________________ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ ૧૫૮૦ની આસપાસ નિશ્ચિત થાય છે. તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના યશોધર પુરાણમાં આઠ અધ્યાય અને ૧૩૧૬ ઓવી છે. મોરંબપુરના માલાતીર્થ ચૈત્યાલયમાં કવિએ આ ગ્રંથ લખ્યો. આની રચના સકલકીર્તિના સંસ્કૃત ગ્રંથના આધારે થઈ. મરાઠીમાં યશોધરની કથા પર આ ત્રીજી કૃતિ છે જે કાવ્યદૃષ્ટિથી પૂર્વરચિત બે ગ્રંથોની અપેક્ષાએ સરસ છે. અભયકીર્તિ તેઓ અજિતકીર્તિના શિષ્ય હતા. તેમની આદિત્યવ્રતકથા શક ૧૫૩૫માં તથા અનંતવ્રતકથા શક ૧૫૩૮ (સન્ ૧૬૧૬)માં પૂર્ણ થઈ હતી. અનંતવ્રતકથામાં ૨૫૫ ઓવી છે. ભાદ્રપદ શુક્લ એકાદશીથી ત્રયોદશી સુધી એકાશન અને ચતુર્દશીએ ઉપવાસ કરી પ્રથમ ચૌદ તીર્થંકરોની પૂજા અનંતવ્રતમાં કરવામાં આવે છે. તેના પાલનથી સોમ બ્રાહ્મણની દરિદ્રતા નષ્ટ થઈ તથા આગલા જન્મમાં તેને રાજવૈભવ પ્રાપ્ત થયો. ૨૧૨ વીરદાસ (પાસકીર્તિ) તેમનો જન્મ સોહિતવાલ જાતિમાં થયો હતો. કારંજાના ભટ્ટારક કુમુદચન્દ્ર તથા તેમના ઉત્તરાધિકારી ભ. ધર્મચન્દ્રનો તેમણે ગુરુરૂપે ઉલ્લેખ કર્યો છે. તેમના હાથે લખેલી ગુણકીર્તિકૃત અનુપ્રેક્ષાની પ્રત ઉપલબ્ધ છે તથા તેમના દ્વારા અધ્યયનમાં પ્રયુક્ત વિશ્વતત્ત્વપ્રકાશ તથા પંચસ્તવનાવસૂરિ આ બે હસ્તલિખિત ગ્રંથ પણ પ્રાપ્ત થયા છે. તેમનું સંસારી નામ વીરદાસ તથા મુનિદીક્ષા પછીનું નામ પાસકીર્તિ હતું. ધર્મચન્દ્રે તેમને ઔરંગાબાદમાં ભટ્ટારક પદ પર પ્રતિષ્ઠિત કર્યા હતા. તેમના દ્વારા સન્ ૧૯૪૭માં પ્રતિષ્ઠિત જિનમૂર્તિ બાલાપુરના જૈનમંદિરમાં છે. મરાઠીમાં તેમની ચાર રચનાઓ પ્રાપ્ત થાય છે. આમાં સહુથી મોટી કૃતિ સુદર્શનચરિત્ર છે. તેમાં ૨૫ અધ્યાય અને ૧૬૫૦ ઓવી છે. આની રચના શક ૧૫૪૯ (સન્ ૧૬૨૭)માં ૧. બાળાપ્પા આલાસે, કુન્દવાડ દ્વારા પ્રકાશિત (વર્ષ જાણી શકાયું નથી.) ૨. આદિત્યવ્રતકથાની સૂચના અમને સ્વ. પં. નાથુરામજી પ્રેમીના પત્રથી મળી હતી. અનંતવ્રતકથા અમે સન્મતિ (મે ૧૯૫૮)માં પ્રકાશિત કરી છે. ૩. પ્રા. મ., પૃષ્ઠ ૪૪-૪૬. Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય ૨૧૩ પૂર્ણ થઈ હતી. કામરાજના સુદર્શનચરિત્રનું આ વિસ્તૃત સંસ્કરણ કહી શકાય. આ વિસ્તાર મુખ્યત્વે શ્રાવકધર્મના વિસ્તૃત વિવરણને કારણે થયો છે. વીરદાસની અન્ય રચનાઓનો પરિચય આ મુજબ છે – નવકારમંત્રપ્રકૃતિમાં ૨૨ ઓવી છે તથા નમસ્કાર મંત્રનું મહત્ત્વ બતાવ્યું છે; બહુતરીમાં નામ અનુસાર ૭૨ ઓવી છે તથા પ્રત્યેક ઓવીનો પ્રારંભનો અક્ષર વર્ણમાલાના ક્રમથી રાખવામાં આવ્યો છે, આમાં વિવિધ ધાર્મિક વિચારોનો સંગ્રહ છે; નેમિનાથ વહાડ ૪૦ પદ્યાનું ગીત છે, જેમાં નેમિનાથના અપૂર્વ વિવાહ સમારોહનું વર્ણન છે. દામા પંડિત તેઓ દયાસાગરના શિષ્ય હતા. તેમનો સમય સત્તરમી શતાબ્દીના ઉત્તરાર્ધ છે. તેમની બે રચનાઓ ઉપલબ્ધ છે. જંબુસ્વામીચરિત્રમાં ૧૬ અધ્યાય અને ૧૯૧૫ આવી છે. ભગવાન મહાવીર પછીની આચાર્યપરંપરાના ત્રીજા આચાર્ય તથા અંતિમ કેવલજ્ઞાની રૂપે પ્રસિદ્ધ જંબૂસ્વામીની કથા આમાં વણિત છે. તરુણ અવસ્થામાં તેમનો વૈરાગ્ય, આઠ પત્નીઓને સંસારની અસારતા સમજાવવા માટે કહેવામાં આવેલી કથાઓ, દીક્ષા અને તપસ્યાનું કવિએ સરસ વર્ણન કર્યું છે. આ ગ્રંથનું એક પરિવર્ધિત સંસ્કરણ રત્નસાએ પચાસ વર્ષ પછી તૈયાર કર્યું હતું. દામાં પંડિતની બીજી રચના દાનશીલતપભાવનામાં ૪૬૮ ઓવી છે. આમાં ભગવાન મહાવીરના સમવસરણમાં દાન, શીલ, તપ અને ભાવ પોતપોતાની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરે છે. દામા પંડિતે આની ૨૮૫ ઓવી સુધી રચના કરી હતી, બાકી ભાગ ભાનુકીર્તિએ પૂર્ણ કર્યો. ૧. પ્રા. મ. પૃષ્ઠ ૪૪-૪૬. ૨. સન્મતિ, નવેમ્બર ૧૯૫૯માં પ્રકાશિત, સં. વિ. જોહરાપુરકર. ૩. સન્મતિ, જૂન ૧૯૬૦માં પ્રકાશિત, સં. વિ. જોહરાપુરકર. ૪. ઉમરમાં દયાસાગર દામા પંડિતથી ઘણા નાના હશે કેમકે દામા પંડિતની દાનશીલતપભાવના પૂર્ણ કરનાર ભાનુકીર્તિ પછી તેમને ભટ્ટારક પદ મળ્યું હતું જે આગળ આપેલ ભાનુકીર્તિ અને દયાસાગરના પરિચયથી સ્પષ્ટ થશે. ૫. પ્રતિષ્ઠાન માસિક, ઔરંગાબાદ, મે ૧૯૬૦માં આનો પરિચય અમે આપ્યો હતો. ૬. પ્રા. મ., પૃષ્ઠ ૫૦, Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ ભાનુકીર્તિ તેઓ ઔરંગાબાદ પીઠના ભટ્ટારક પાસકીર્તિ (જેમનો પરિચય ઉપર આવી ચૂક્યો છે) પછી ભટ્ટારક થયા હતા. કારંજાના ભ. ધર્મભૂષણે તેમને આ પદ પર પ્રતિષ્ઠિત કર્યા હતા. ધર્મભૂષણની જ્ઞાત તિથિઓ સન્ ૧૬૫૦થી ૧૬૭૫ સુધી છે, આની જ આસપાસ ભાનુકીર્તિનો સમય સમજવો જોઈએ. દામા પંડિતની દાનશીલતપભાવનાનો અંતિમ અંશ તેમણે પૂર્ણ કર્યો હતો, તેમના ચાર પદ પણ ઉપલબ્ધ છે જેમની પદ્યસંખ્યા ૪, ૫, ૭ અને ૧૪ છે. પહેલાં પદમાં પાર્શ્વનાથની સ્તુતિ છે, બીજામાં આત્માનુભવના આનંદની ચર્ચા છે, ત્રીજા અને ચોથા વૈરાગ્યના ઉપદેશ માટે છે. દયાસાગર (દયાભૂષણ) તેઓ ઉપર્યુક્ત ભાનુકીર્તિ પછી ભટ્ટારક થયા હતા. દયાસાગર તેમનું પહેલું નામ હતું અને દયાભૂષણ ભટ્ટારકપદ પ્રાપ્ત થતી વખતે રાખવામાં આવેલ નામ હતું. તેમનો જન્મ સોહેરવાલ જાતિમાં થયો હતો. તેમના ત્રણ ગ્રંથ ઉપલબ્ધ છે. ધર્મામૃતપુરાણ માં દસ અધ્યાય છે. સમ્યગ્દર્શનના આઠ અંગોના પાલન માટે પ્રસિદ્ધ અંજનચોર, અનંતમતી વગેરેની કથાઓનો આ સરસ સંગ્રહ છે. ભવિષ્યદત્તબંધુદત્ત પુરાણમાં પણ ૧૦ અધ્યાય છે. દ્વીપાંતરોની યાત્રા કરનારા સાહસિક વેપારી ભવિષ્યદત્ત અને તેના લોભી સાથી બંધુદત્તની મનોરંજક કથા આમાં વર્ણિત છે. સમ્યક્તકૌમુદી માં ૧૧ અધ્યાય અને ૨૩૮૦ ઓવી છે. શેઠ વૃષભદાસ અને તેમની આઠ પત્નીઓને સમ્યક્ત પ્રાપ્તિ થવાના નિમિત્તભૂત અદ્દભુત કથાઓનો આ સંગ્રહ છે. કવિએ ભવિષ્યદત્તની કથા રાસ ભાષા (ગુજરાતી)ના ગ્રંથના આધારે તથા બાકી બે ગ્રંથ સંસ્કૃત ગ્રંથોના આધાર પર લખ્યા છે. ચિમના પંડિત તેમણે કારંજાના ભ. ધર્મભૂષણ તથા લાતૂરના ભ. અજિતકીર્તિનો ગુરુ રૂપે ઉલ્લેખ કર્યો છે. આથી તેમનો સમય સન્ ૧૬૫૦થી ૧૬૭૫ની આસપાસ નિશ્ચિત ૧. પ્ર. જિનદાસ ચવડે, વર્ધા, ૧૯૦૭. ૨. પ્રા.મ., પૃષ્ઠ પર. ૩. પ્ર. જિનદાસ ચવડે, વધુ, ૧૯૦૮. Page #243 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય ૨ ૧૫ થાય છે. તે પૈઠન નગરમાં રહેતા હતા. તેમની ૨૦ રચનાઓ મરાઠીમાં ઉપલબ્ધ છે. તીર્થગંદનામાં ૩૬ શ્લોક છે તથા નિર્વાણકાંડમાં વર્ણિત તીર્થો અને કેટલાક અન્ય તીર્થોનું સંક્ષિપ્ત વર્ણન છે. કચનેર ગ્રામ (ઔરંગાબાદની પાસે)ના મંદિરના મૂલ નાયક પાર્શ્વનાથની આરતીમાં ૫ પદ્યો છે. ભૂપાલીમાં ૭ પદ્યો છે, તે પ્રાતઃકાલમાં જિનનામસ્મરણ કરવા માટે લખવામાં આવેલ ગીત છે. કારંજાના મંદિરના મૂલનાયક ચન્દ્રપ્રભની આરતીમાં ૫ પદ્યો છે. ત્રિકાલ તીર્થંકર પૂજામાં ૯ પદ્યો છે, ભૂતકાળ, વર્તમાનકાળ તથા ભવિષ્યકાળમાં થનાર તીર્થકરોની આ પૂજા છે. નેમિનાથ-પાલના ૧૮ પદ્યોનું ગીત છે, જેમાં બાળક નેમિનાથ ઝૂલામાં ઝૂલવાનું વર્ણન છે. ગુરુગીતમાં કારંજાના ભ. ધર્મભૂષણની સ્તુતિ છે. જિનમાતાના ૧૬ સ્વપ્રોનું વર્ણન ૬ પદ્યોના ગીતમાં છે. નેમિનાથ ભવાંતર ૧૧ પદ્યોનું ગીત છે, જેમાં માતા શિવાદેવી અને નેમિનાથના સંવાદ રૂપે તેમના પૂર્વજન્મોનું સંક્ષિપ્ત વર્ણન છે. ગોમ્યુટસ્વામી સ્તોત્રના ૬ શ્લોકોમાં શ્રવણબેલગોલના ભ. બાહુબલીની સ્તુતિ છે. બાળક-છાટી ૧૧ પદ્યોનું ગીત છે, બાલરક્ષા માટે પ્રાર્થનાનું આ ગીત છે. આદિનાથ-આરતીમાં ૬ પદ્યો છે. મહારાષ્ટ્રમાં પ્રચલિત કેટલીક રમતોમાં બાળક-બાળિકાઓ નાચતા નાચતા ગીત ગાય છે, આવા કેટલાક ગીતો પણ ચિમના પંડિતે લખ્યા છે. તેમનાં નામ અને પદ્ય સંખ્યા આ મુજબ છે-ફુગડી ૩, ઝંપા ૫, પિંગા ૪, લયલાખોટા ૫, ચેડૂહલી ૧૧ ટિપરી (બે ગીત) ૪ અને ૬. આ ગીતોના માધ્યમથી રમતોમાં પણ ધાર્મિક ભાવનાઓનો સમાવેશ કરવામાં આવ્યો ચિમના પંડિતની સહુથી મોટી રચના અનન્તવ્રતકથામાં ૫૮ કડવક છે. ગીત રૂપે આમાં અનન્તવ્રતપાલના ફળની કથાનું વર્ણન છે. આની પ્રશસ્તિમાં પઠન નગરનો અને ગુરુ અજિતકીર્તિનો ઉલ્લેખ છે. પૈઠનના મુનિસુવ્રતની વિનતી નામક ચિમના પંડિતની ગુજરાતી રચના પણ ઉપલબ્ધ છે.* ૧. તીર્થવંદના અને પાર્શ્વનાથ આરતી અમારા તીર્થનંદન સંગ્રહ (જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર, ૧૯૬૫)માં પ્રકાશિત થઈ છે. ૨. જિનેન્દ્રમંગલ આરાધના (અ.જયકુમાર દોડલ, હિંગોલી, ૧૯૫૬)માં આ ત્રણ રચનાઓ પ્રકાશિત ૩. જૈની પાલને (પ્ર. જિનદાસ ચવડે, વર્ધા, ૧૯૧૦)માં પ્રકાશિત. ૪. ગુરુગીત અને આગળની રચનાઓ માટે જુઓ પ્રા. મ., પૃષ્ઠ ૫૬-૫૭. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ પુણ્યસાગર તેઓ પણ લાતૂરના ભ. અજિતકીર્તિના શિષ્ય હતા, આથી તેમનો સમય પણ સન્ ૧૬૫૦થી ૧૯૭૫ની આસપાસ નિશ્ચિત છે. તેમણે જિનદાસરચિત અપૂર્ણ હરિવંશપુરાણમાં ૧૨ અધ્યાય જોડી તેને પૂર્ણ કર્યું હતું. તેમની બીજી રચના રવિવાવ્રતકથાના બે સંસ્કરણો મળે છે, એકમાં ૧૮૦ અને બીજામાં ૩૩૨ ઓવી છે. રવિવાવ્રત કે આદિત્યવ્રત આષાઢ શુક્લ પક્ષના અંતિમ રવિવારથી શરૂ કરી નવ રવિવાર સુધી કરવામાં આવતું હતું. તેમાં ઉપવાસ કે એકાશન કરી ભગવાન પાર્શ્વનાથની પૂજા કરવામાં આવતી હતી. તેના પાલનથી ગુણધર નામક શ્રેષ્ઠિપુત્ર અને તેના પરિવારની દરિદ્રતા નષ્ટ થઈ અને પદ્માવતી દેવીની કૃપાથી સંપન્નતા પ્રાપ્ત થઈ. વિશાલકીર્તિ (પ્રથમ). તેઓ અજિતકીર્તિ પછી ભટ્ટારક થયા હતા. તેમના દ્વારા શક ૧૫૯૨ (સનું ૧૬૭૦)માં સ્થાપિત નંદીશ્વર મૂર્તિ નાગપુરના મોટા પાર્શ્વનાથ મંદિરમાં ઉપલબ્ધ છે. તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના રુક્મિણી વ્રતકથામાં ૧૫ર ઓવી છે. શ્રીકૃષ્ણની પટરાણી રુક્મિણીએ પૂર્વજન્મમાં જે વ્રત કર્યું હતું, તેનું શુભફળ આ કથા દ્વારા બતાવવામાં આવ્યું છે. આ વ્રત ભાદ્રપદ શુક્લ અષ્ટમીના દિવસે ઉપવાસ કરીને કરવામાં આવતું તથા પ્રત્યેક પ્રહરમાં એક વારના હિસાબે આઠ વાર જિનપૂજા કરવામાં આવતી હતી. પત સાબાજી ઉપર્યુક્ત વિશાલકીર્તિના શિષ્ય પંત સાબાજીની સુગંધદશમીવ્રતકથા ઉપલબ્ધ છે. તેમાં ૨૬૧ ઓવી છે તથા તેની રચના શક ૧૫૮૭ (સન્ ૧૬૬૫)માં પૂર્ણ થઈ હતી. મુનિને દૂષિત આહાર આપવાના પરિણામસ્વરૂપ એક રાણીને અનેક જન્મો સુધી કષ્ટ સહેવું પડ્યું, તેનું શરીર દુર્ગધયુક્ત થયું, પછી ભાદ્રપદ શુક્લ દસમીએ ઉપવાસ કરી જિનપૂજા કરવાના ફળસ્વરૂપ આગલા જન્મમાં તેને ઉત્તમ સુગંધયુક્ત શરીર પ્રાપ્ત થયું, સાવકી મા દ્વારા આપવામાં આવેલા કષ્ટ પછી તે ૧. પ્રા. મ., પૃષ્ઠ ૬૦. ૨. પ્રા. મ., પૃષ્ઠ ૬૨. ૩. આનો પરિચય અને પ્રતિષ્ઠાન માસિક, ઔરંગાબાદ, મે ૧૯૬૦માં અમારા લેખમાં આપ્યો હતો. Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય રાજરાણી બની. બ્રહ્મજિનદાસની ગુજરાતી કથાના આધારે આ રચના કરવામાં આવી હતી. વિશાલકીર્તિ (દ્વિતીય) તેઓ દેવેન્દ્રકીર્તિના શિષ્ય હતા. તેમનો સમય નિશ્ચિત નથી, પરંતુ તેમની રચના ધર્મપરીક્ષાની એક પ્રત શક ૧૬૧૦માં લખેલી ઉપલબ્ધ છે, આથી સન્ ૧૬૮૮ની પહેલાનાં તેઓ કવિ છે. ધર્મપરીક્ષામાં ૫ અધ્યાય અને ૯૫૮ ઓવી છે. વિશાલકીર્તિએ બ્રહ્મજિનદાસની રાસભાષા (ગુજરાતી)ના ગ્રંથનું આ મરાઠી રૂપાંતર તૈયાર કર્યું તથા જ્ઞાનસાગરે આને લિપિબદ્ધ કર્યું, એવું પ્રશસ્તિથી જ્ઞાત થાય છે. આ ગ્રંથમાં હિંદુ પુરાણોની કેટલીય કથાઓની અવિશ્વસનીયતા વિસ્તૃત ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. પદ્મકીર્તિ તેઓ લાતૂરના ભટ્ટારક વિશાલકીર્તિના પટ્ટશિષ્ય હતા. તેમની એક નાની એવી રચના પાર્શ્વનાથ-આરતી ઉપલબ્ધ છે જેમાં ૫ કડવક છે તથા ચક્રપુરના ભગવાન પાર્શ્વનાથની સ્તુતિ છે. પદ્મકીર્તિ દ્વારા સન્ ૧૬૮૦ અને ૧૬૮૬માં સ્થાપિત કેટલીક મૂર્તિઓ ઉપલબ્ધ છે. રાય ૨૧૭ તેમની એક નાની એવી રચના જિનવરવિનતી ઉપલબ્ધ છે જેમાં ૧૬ શ્લોક છે. નિર્મલગ્રામમાં શક ૧૬૦૬ (સન્ ૧૬૮૪)માં આ રચના પૂર્ણ થઈ હતી, એવુ અંતિમ શ્લોકથી જ્ઞાત થાય છે. એક શ્લોકમાં કવિએ પોતાના પિતાનું નામ મલ્લાજી બતાવ્યું છે. રત્નસા તેમણે શક ૧૬૧૦ અને ૧૬૧૫માં કેટલાય મરાઠી જૈન ગ્રંથોની પ્રતો તૈયાર કરી હતી. દેઉલગાંવના બઘેરવાલ જાતિના સાહુઆ ગોત્રમાં તેમનો જન્મ થયો હતો. તેમણે દામા પંડિતના જંબૂસ્વામીચરિતનું પરિવર્ધિત સંસ્કરણ તૈયા૨ કર્યું હતું. આ સંસ્કરણમાં ૧૪ અધ્યાય છે. રત્નસાએ કારંજાના સેનગણના ભટ્ટારક જિનસેનનો ગુરુરૂપે ઉલ્લેખ કર્યો છે. ૧. પ્રા. મ., પૃષ્ઠ ૬૪. ૨. પ્રા. મ., પૃષ્ઠ ૬૬. ૩-૪.પ્રા. મ., પૃષ્ઠ ૬૬-૬૭. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ ગંગાદાસ -- તેઓ મૂળ ગુજરાતી હતા અને કારંજાના ભટ્ટારક ધર્મચંદ્રના શિષ્ય હતા. ગુરુની આજ્ઞાથી મરાઠીમાં પણ કેટલીક રચનાઓ તેમણે લખી. તેમાં સહુથી મોટું પાર્શ્વનાથભવાન્તરગીત છે જેને કવિએ ડફગાન કહ્યું છે - ડફ નામક વાઘની સંગત સાથે તે ગાવામાં આવતું હતું. એમાં ૪૭ કડવકોમાં ભગવાન પાર્શ્વનાથના નવ પૂર્વજન્મોનું વર્ણન છે. તેની રચના શક ૧૬૧૨ (સન્ ૧૬૯૦)માં થઈ હતી. ગંગાદાસની બીજી રચના ચક્રવર્તી-પાલના ૨૧ કડવકોની છે. આમાં ભરત ચક્રવર્તીનું શિશુ અવસ્થામાં ઝૂલામાં ઝૂલવાનું મધુર વર્ણન છે. નેમિનાથ આરતી (૪ કડવક)॰ તથા શ્રીપુર-પાર્શ્વનાથ આરતી (૫ કડવક) આ ગંગાદાસની અન્ય મરાઠી રચનાઓ છે. ગુજરાતીમાં રવિવ્રતકથા, ત્રેપનક્રિયા વિનતી અને જટામુકુટ તથા સંસ્કૃતમાં પંચમેરુપૂજા, ક્ષેત્રપાલપૂજા, સંમેદાચલપૂજા તથા તુંગીબલભદ્રપૂજા આ તેમની અન્ય રચનાઓ ઉપલબ્ધ છે. ૨ હેમકીર્તિ તેઓ લાતૂરના ભટ્ટારક વિદ્યાભૂષણના પટ્ટશિષ્ય હતા. તેમના દ્વારા સન્ ૧૬૯૬થી ૧૭૩૧ સુધી સ્થાપિત પાંચ મૂર્તિઓ અને યંત્ર નાગપુર અને સિંદી (વર્ષા)ના મંદિરોમાં ઉપલબ્ધ છે. મરાઠીમાં તેમની ચાર નાની રચનાઓ ઉપલબ્ધ છે. તેમાં અરહંતપૂજા (૯ પદ્ય) અને બારસભા આરતી (૩ પદ્ય) પ્રકાશિત થઈ ચૂકી છે તથા દશલક્ષણધર્મઆરતી (૪ પદ્ય) તથા તીર્થવંદના (૧૯ પદ્ય) અપ્રકાશિત છે. તેમણે ગુજરાતીમાં અરહંતપૂજા તથા સંસ્કૃતમાં પાર્શ્વનાથસ્તોત્ર તથા પદ્માવતીસ્તોત્રની પણ રચના કરી હતી. ૧. પ્રા. મ., પૃષ્ઠ ૬૮. ૨. જૈની પાલને (પ્ર.જિનદાસ ચવડે, વર્ષા, ૧૯૧૦)માં પ્રકાશિત. ૩. આરતી સંગ્રહ (પ્ર. જિનદાસ ચવડે, વર્ષા, ૧૯૨૬)માં પ્રકાશિત. ૪. આરતી સંગ્રહ (પ્ર. જિનદાસ ચવડે, વર્ષા, ૧૯૦૪)માં પ્રકાશિત. ૫. પહેલી કૃતિ જિનેન્દ્રમંગલઆરાધના (પ્ર. જયકુમાર દૌડલ, હિંગોલી, સન્ ૧૯૫૬)માં તથા બીજી આરતી સંગ્રહ (પ્ર. જિનદાસ ચવડે, વર્ધા, સન્ ૧૯૦૪)માં પ્રકાશિત થઈ હતી. ૬. હસ્તલિખિત અમારા સંગ્રહમાં છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય ૨૧૯ મકરંદ તેઓ ભ. હેમકીર્તિના શિષ્ય હતા, આથી તેમનો સમય પણ સન્ ૧૬૬૯થી ૧૭૩૧ની આસપાસ સમજવો જોઈએ. તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના રામટેક છંદમાં ૧૬ પદ્ય છે. નાગપુરથી ૩૦ માઈલ ઉત્તરપૂર્વમાં રામટેક નગર છે, ત્યાંના ભગવાન શાંતિનાથના મહિમાનું વર્ણન આ ગીતમાં છે. મંદિરના પ્રાકાર વગેરેના નિર્માણમાં ભાગ લેનાર શ્રીમાન લેકરસંગવી અને લાડ ગાડાનકારીનો આમાં ઉલ્લેખ છે. નજીકના હિંદુ મંદિરોનો પણ કવિએ ઉલ્લેખ કર્યો છે. મહીચંદ્ર તેઓ લાતૂરના ભટ્ટારક વિશાલકીર્તિના પટ્ટશિષ્ય હતા. મરાઠીમાં તેમની અગિયાર રચનાઓ ઉપલબ્ધ છે. તેમાં સહુથી મોટી રચના આદિનાથપુરાણ શક ૧૬૧૮ (સન્ ૧૬૯૬)માં આશાપુરમાં પૂર્ણ થઈ હતી. આમાં ૧૫ અધ્યાય અને ૩૨૫૩ ઓવી છે. બ્રહ્મજિનદાસના આદિનાથરાસ પર આધારિત આ પુરાણમાં પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવની કથા પૂર્વજન્મોના વર્ણનની સાથે વિસ્તારથી કહેવામાં આવી છે. મહીચંદ્રની બીજી મોટી રચના સમ્યક્તકૌમુદી માં ૧૩ અધ્યાય અને ૧૬૮૧ ઓવી છે. આની કથાઓ દયાસાગરની સમ્યક્તકૌમુદીની જેવી જ છે. તેમની નાની રચનાઓનું વિવરણ આ મુજબ છે – નંદીશ્વવ્રતકથામાં ૧૫૦ ઓવી છે. અષાઢ, કારતક અને ફાગણમાં શુક્લ અષ્ટમીથી પૂર્ણિમા સુધી અષ્ટાદ્વિકા ઉત્સવ ઉજવવામાં આવતો હતો જેમાં નંદીશ્વર દ્વીપના જિનમંદિરોની પૂજા થતી હતી. આ જ વ્રતના પાલનનો મહિમા આ કથામાં વર્ણિત છે. આને અઢાઈવ્રતકથા પણ કહેવામાં આવી છે. ગરુડપંચમીવ્રતકથા માં ૯૧ ઓવી છે. શ્રાવણ શુક્લ પંચમી ૧. તીર્થનંદન સંગ્રહ (જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર, ૧૯૬૫)માં પ્રકાશિત (પૃષ્ઠ ૯૭-૯૯) સં. વિ. જોહરાપુરકર. ૨. પ્ર. જિનદાસ ચવડે, વર્ધા, ૧૯૦૧. ૩. પ્રા. મ., પૃષ્ઠ ૬૯, આગળની રચનાઓનો પરિચય પણ આ જ સ્થાને મળી શકે છે. ૪. કોંડાલી (જિ. નાગપુર)માં ઉપલબ્ધ પોથીમાં આનો રચનાકાળ શક ૧૬૦૭ બતાવવામાં આવ્યો છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ ૨ અને ષષ્ઠીએ ઉપવાસપૂર્વક જિનપૂજાના વ્રતના પાલનથી ગરુડ નામક રાજાને પ્રાપ્ત થયેલા શુભ ફળની આ કથા છે. નિર્દોષસપ્તમીવ્રતકથામાં ૧૨૦ ઓવી છે. ભાદ્રપદ શુક્લ સપ્તમીએ ઉપવાસ કરી આ વ્રત કરવામાં આવતું હતું. આના ફળથી રૂપલક્ષ્મી નામક શ્રાવિકાને ઉત્તમ સુખ પ્રાપ્ત થયું, પડોસણ દ્વારા ઈર્ષ્યાવશ મોકલવામાં આવેલ કાળો સાપ પણ તેના પુણ્ય-પ્રભાવથી રત્નહાર બની ગયો. નેમિનાથ-ભવાંતરમાં ૭૧ કડવકોમાં માતા શિવાદેવી સાથે સંવાદ રૂપે નેમિનાથના પૂર્વજન્મોની કથા વર્ણિત છે. નેમીશ્વરગીતમાં ૧૦ કડવકોમાં રાજમતીની વિરહ-વેદનાનું વર્ણન છે. મહાવીરપાલના ૧૬ કડવકોનું ગીત છે, તેમાં ભગવાનના જન્મોત્સવનું વર્ણન છે. શાંતિનાથસ્તોત્ર ૧૧ શ્લોકોની ભક્તિપૂર્ણ રચના છે. ચિંતામણિ-આરતીમાં અંબાપુરના જિનમંદિરની તથા અરહંતઆરતીમાં નંદીપુરના જિનમંદિરની મુખ્ય જિન મૂર્તિઓનાં પ્રશંસાત્મક વર્ણન છે. મહીચંદ્રની એક હિંદી રચના કાલીગોરીસંવાદ ઉપલબ્ધ છે. તેમના ચાર શિષ્યોની મરાઠી રચનાઓનો પરિચય આગળ આપવામાં આવ્યો છે. મહાકીર્તિ ૨૨૦ તેઓ મહીચંદ્રના શિષ્ય હતા. તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના શીલપતાકા શક ૧૬૨૦ (સન્ ૧૬૯૮)માં પૂર્ણ થઈ હતી. આમાં ૩ અધ્યાય અને ૫૫૨ ઓવી છે. વેશ્યાસક્ત પતિને ચતુરાઈથી સન્માર્ગ પર લાવનારી સતી ચંપાવતીની રોચક કથા બ્રહ્મજિનદાસની ગુજરાતી રચનાના આધારે કવિએ મરાઠીમાં લખી છે. ચિંતામણિ તેઓ પણ મહીચંદ્રના શિષ્ય હતા. ગુણકીર્તિરચિત અપૂર્ણ પદ્મપુરાણમાં તેમણે સાત અધ્યાય જોડ્યા. કુલભૂષણ-દેશભૂષણ, જટાયુ, ચંદ્રનખા વગેરેની કથાઓ આ અધ્યાયોમાં વર્ણિત છે. રામકીર્તિ ૧. અમારા સંગ્રહમાં આ હસ્તલિખિત કથા ઉપલબ્ધ છે. ૨. શીલપુરાણ નામે જિનદાસ ચવડે, વર્ધા દ્વારા પ્રકાશિત, સન્ ૧૯૦૯. આનું બે વા૨ પુનર્મુદ્રણ પણ થયું હતું. શીલતરંગિણીપુરાણ નામે જયચન્દ્ર શ્રાવણે, વર્ધા દ્વારા પણ આ કથા પ્રકાશિત થઈ હતી, પ્રકાશનવર્ષ જાણી શકાયું નથી. Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય ૨ ૨ ૧ - તેઓ પણ મહીચંદ્રના શિષ્ય હતા. તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના પદ્માવતી આરતીમાં ૧૪ કડવક છે. દેવી પદ્માવતીની પૂજાવિધિ આ ભક્તિપૂર્ણ રચનામાં વર્ણિત છે.' દેવેન્દ્રકીર્તિ તેઓ પણ મહીચંદ્રના શિષ્ય હતા. તેમની વિસ્તૃત રચના કાલિકાપુરાણ અનેક દષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. પદ્મપુરાણના જિનદાસકૃત ગુજરાતી રૂપાંતરનો આધાર રૂપે કવિએ ઉલ્લેખ કર્યો છે. પરંતુ આની કથાવસ્તુથી આ ઉલ્લેખ પ્રમાણિત નથી થતો. ૪૮ અધ્યાય અને લગભગ ૭000 ઓવીમાં રચિત આ ગ્રંથમાં કાલિકા (પદ્માવતી)નો મહિમા બતાવનારી કથાઓ છે. સાથે જ સમ્યક્તકૌમુદી, ધર્મપરીક્ષા અને અનંતવ્રતની કથાઓ પણ આમાં સામેલ કરી લેવામાં આવી છે. આનો વિશેષ મહત્ત્વપૂર્ણ ભાગ તે છે જેમાં મહારાષ્ટ્રના જૈન સમાજની બોગાર જાતિનો લિંગાયતો સાથે વિરોધ, બોગારોમાં અંતર્ગત વિરોધ, મુસલમાન રાજ્યકર્તાઓના અત્યાચાર વગેરેની કથાઓ વિસ્તારથી વર્ણિત છે. પુણ્યસાગર (દ્વિતીય) તેઓ ઔરંગાબાદના ભટ્ટારક ભુવનકીર્તિના શિષ્ય આનંદસાગરના શિષ્ય હતા. આથી તેમનો કાર્યકાળ સન ૧૭૦૦ આસપાસ સાબિત થાય છે. ગુણકીર્તિના અપૂર્ણ પાપુરાણમાં ચિંતામણિએ સાત અધ્યાય જોડ્યા હતા, પુણ્યસાગરે આઠ અધ્યાય બીજા જોડી આ ગ્રંથ પૂર્ણ કર્યો. આ અધ્યાયોમાં સીતા-નિર્વાસન, લવકુશનો જન્મ, સીતાનું અગ્નિદિવ્ય, રામનો વૈરાગ્ય, તપસ્યા તથા નિર્વાણ વગેરે કથાભાગ વર્ણિત છે. છત્રસેન તેઓ સેનગણની કારંજા શાખામાં સમંતભદ્ર પછી ભટ્ટારક થયા હતા. કાગલ (કોલ્હાપુર નજીક) નગરમાં શક ૧૬૨૫ (સન્ ૧૭૦૩)માં તેમણે આદીશ્વરભવાંતર નામક ગીતની રચના કરી. આમાં ૬૭ કડવકોમાં મહાપુરાણની કથા અનુસાર ભગવાન ઋષભદેવના દસ પૂર્વજન્મોનું વર્ણન છે. સરસ્વતી આરતી (પદ્ય), ૧. ૨. પ્રા.મ., પૃષ્ઠ ૭૩. પ્રા.મ., પૃષ્ઠ ૭૬. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ રત્નત્રય આરતી (૮ પદ્ય) તથા નંદીશ્વર આરતી (અપૂર્ણ રૂપે પ્રાપ્ત) આ છત્રસેનની અન્ય ઉપલબ્ધ મરાઠી રચનાઓ છે. સંસ્કૃતમાં પંચમેરુપૂજા, પાર્શ્વનાથપૂજા, અનંતનાથસ્તોત્ર તથા પદ્માવતીસ્તોત્ર તથા હિંદીમાં દ્રૌપદીહરણ, સમવસરણ ષપદી તથા ઝૂલના તે છત્રસેનની અન્ય ઉપલબ્ધ રચનાઓ છે. તેમના શિષ્ય હીરા, બિહારી અને અર્જુનસુતની કેટલીક હિંદી રચનાઓ પણ ઉપલબ્ધ છે. સટવા તેઓ લાતૂરના ભટ્ટારક મહીચન્દ્રના શિષ્ય ભ. મહાભૂષણના શિષ્ય હતા. તેથી તેમનો સમય સન્ ૧૭૧૮ની આસપાસ સાબિત થાય છે. તેમની ત્રણ રચનાઓ મરાઠીમાં ઉપલબ્ધ છે. શિવાનેમિસંવાદ ૨૦ કડવકોનું ગીત છે, જેમાં નેમિનાથના વૈરાગ્ય-પ્રસંગનું વર્ણન છે. કંસાચે પદ ૮ કડવકોનું ગીત છે. કંસ દ્વારા શ્રીકૃષ્ણની હત્યા માટે કરવામાં આવેલ વિફળ પ્રયત્નોનું આમાં વર્ણન છે. જિનસ્તુતિમાં ૧૪ ઓવી છે તથા અરહંતદેવના ગુણોનું વર્ણન છે. નેમિનાથના વૈરાગ્ય વિષયક તેમનું એક હિન્દી ગીત પણ ઉપલબ્ધ છે. નીબા તેમના બે ગીત શક ૧૬૪૮ની હસ્તલિખિત પ્રતિમાં ઉપલબ્ધ થયા છે, આથી તેમનો સમય સન ૧૭૨૬ની પહેલાંનો સાબિત થાય છે, કેટલો પહેલાં – તે હજી અનિશ્ચિત છે. એક ગીતમાં શિરપુરના અંતરિક્ષ પાર્શ્વનાથની સ્તુતિ ૫ કડવકોમાં છે. આને અહિરાણી ગીત કહેવામાં આવ્યું છે. ધૂલિયા-જલગાંવ જિલ્લામાં પ્રચલિત આહીર બોલીનો પ્રભાવ તેમની ભાષા પર છે. બીજા નેમીશ્વર ગીતમાં ૩ કડવક છે. તેમાં નેમિનાથના વૈરાગ્યપ્રસંગનું વર્ણન છે. યાદવસુત તેઓ ગુણસાગરના શિષ્ય હતા. આથી તેમનો સમય સન્ ૧૭૧૮ની આસપાસ અનુમાનિત છે. તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના અષ્ટકર્મપ્રકૃતિ છે, જેમાં વિવિધ વૃત્તોના ૨૨૨ પદ્યો છે. જ્ઞાનાવરણ વગેરે આઠ કર્મોનું પરંપરાગત વર્ણન આમાં નિબદ્ધ છે. મરાઠીમાં આ વિષય પર અન્ય કોઈ રચના પ્રાપ્ત નથી. બીજી વિશેષ ૧. મા.મ., પૃષ્ઠ ૭૯, રત્નત્રય આરતી અમારા સંગ્રહમાં ઉપલબ્ધ છે. ૨. પ્રા. મ., પૃષ્ઠ ૮૦, ત્રીજી રચના અમારા હસ્તલિખિત સંગ્રહમાં છે. ૩. પ્રા. મ., પૃષ્ઠ ૧૦૯. Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય ૨૨૩ વાત એ છે કે આના રચયિતા અંધ હતા એવું તેના પ્રશસ્તિશ્લોકોથી જ્ઞાત થાય છે. માણિકનંદિ તેઓ કારંજાના ભટ્ટારક દેવેન્દ્રકીર્તિના શિષ્ય હતા. તેમની પાંચ નાની રચનાઓ ઉપલબ્ધ છે. ગુરુ-આરતીમાં ૪, ચન્દ્રનાથ-આરતીમાં ૫, શીતલનાથ આરતી (આને સમવસરણ આરતી પણ કહેવામાં આવી છે)માં ૪ તથા અનંતનાથ આરતીમાં ૫ કડવક છે. અનંતનાથ આરતીમાં રચનાકાળ શક ૧૬૪૬ બતાવવામાં આવ્યો છે. માસિકનંદીની પાંચમી રચના ઋષભપૂજામાં ૯ પદ્યો છે. જિનસાગર તેઓ પણ કારંજાના ભટ્ટારક દેવેન્દ્રકીર્તિના શિષ્ય હતા. તેમનું પહેલું નામ જિનદાસ હતું. ગુરુ સાથે તેમણે ગિરનાર વગેરે તીર્થોની યાત્રા કરી હતી. મરાઠીમાં તેમની ૨૬ રચનાઓ પ્રાપ્ત છે. તેમાં સહુથી મોટી રચના જીવંધરપુરાણમાં ૧૦ અધ્યાય અને ૧પ૩૦ ઓવી છે. ઉત્તરપુરાણ અને જીવંધરરાસના આધારે તેની રચના શક ૧૬પ૬માં થઈ હતી. રાજદ્રોહી મંત્રી કાઠાંગાર દ્વારા જીવંધરના પિતાની હત્યા, નિર્વાસિત સ્થિતિમાં વીતેલ તેનું બાળપણ, વિદ્યાધ્યયન, સાહસપૂર્ણ યાત્રાઓ, આઠ વિવાહ, રાજયપ્રાપ્તિ, વૈરાગ્ય, તપસ્યા અને મુક્તિના પ્રસંગો જિનસાગરે સરસ ભાષામાં અંકિત કર્યા છે. આદિત્યવ્રત, અનંતવ્રત, પુષ્પાંજલિવ્રત, નિર્દોષસપ્તમીવ્રત, કલશદશમીવ્રત તથા સુગંધદશમીવ્રતની કથાઓ જિનસાગરે લખી ૧. પ્ર.મ., પૃષ્ઠ ૮૧. ૨. જિનદાસ ચવડે, વર્ધા દ્વારા ૧૯૦૪માં પ્રકાશિત આરતીસંગ્રહમાં ગુરુ આરતી પ્રકાશિત છે, તેમના જ ૧૯૨૫ના આરતીસંગ્રહમાં બાકી ત્રણ આરતીઓ પ્રકાશિત છે. ઋષભપૂજ અમારા હસ્તલિખિત સંગ્રહમાં છે. ૩. “જિનસાગરકી સમગ્ર કવિતા' આ સંકલન અમે સંપાદિત કર્યું હતું જે જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર દ્વારા ૧૯૫૯માં પ્રકાશિત થયું છે. અન્યત્ર પ્રકાશિત રચનાઓની સૂચના આગળ આપવામાં આવી છે... જિનદાસ ચડે, વર્ધા દ્વારા સન્ ૧૯૦૪માં આ પ્રકાશિત થયું હતું. આમાં રચના વર્ષભૂલથી શકતા ૧૬૬૬ છપાયું છે. . Page #252 -------------------------------------------------------------------------- ________________ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ છે. તેમાં આદિત્ય, અનંત નિર્દોષસપ્તમી અને સુગંધદસમીની કથાઓ પહેલાં પણ કવિઓએ મરાઠીમાં લખી હતી, તે ઉપર લખાઈ ચૂક્યું છે. આ પૂર્વવર્તી રચનાઓ ઓવી છંદમાં તથા સરળ ભાષામાં છે. જિનસાગરની કથાઓ વિવિધ વૃત્તોમાં અને પ્રૌઢ અલંકારયુક્ત ભાષામાં છે આથી તેમનો અધિક પ્રસાર થયો છે. શક ૧૬૪૬માં રચિત આદિત્યવ્રતકથામાં ૪૬ પદ્યો છે. શિડ ગ્રામ (જિ. પરભણી)માં શક ૧૬૫૩માં રિચત અનંતવ્રતકથામાં ૭૩ પદ્યો છે. નિર્દોષસપ્તમીકથામાં ૧૧૩ અને સુગંધદસમીકથામાં ૧૩૬ પદ્યો છે. પુષ્પાંજલિવ્રતકથામા ૧૦૨ પઘો છે. આ વ્રત ભાદ્રપદ શુક્લ પંચમીથી નવમી સુધી થતું હતું તથા તેમાં પંચમેરુસ્થિત જિનબિંબોની પૂજા થતી હતી. કલશદસમીવ્રત શ્રાવણ શુક્લ દસમીએ થતું હતું, તેની કથામાં ૪૯ પઘો છે. જિનસાગરની ત્રણ અન્ય કથાઓ પણ મળે છે. શક ૧૬૪૯માં કારંજામાં રચિત જિનકથા (તેને જિનાગમકથા કે જંબુદ્વીપકથા પણ કહેવામાં આવી છે)માં ૨૧૨ ઓવી છે. તેમાં છ કાળ, ચોવીસ તીર્થંકર અને બાર અંગ ગ્રંથોનું સંક્ષિપ્ત વિવરણ આપવામાં આવ્યું છે. લહુ-અંકુશ કથા શિરડ ગ્રામમાં શક ૧૬૫૩માં લખવામાં આવી હતી. તેના ૭૯ પદ્યોમાં સીતાનું નિર્વાસન, લવ-કુશનો જન્મ, તેમનું બાળપણ, રામ સાથે યુદ્ધ અને અંતે તપસ્યા અને નિર્વાણનો કથાભાગ વર્ણિત છે. શિરડમાં જ શક ૧૯૫૨માં રચિત પદ્માવતીકથામાં ૬૫ પદ્ય છે. મથુરાના ઉગ્રવંશીય રાજકુમાર જિનદત્ત દ્વારા કર્ણાટકના હુમચ નગર અને ત્યાંના પદ્માવતીમંદિરની સ્થાપનાની કથા તેમાં વર્ણિત છે. જિનસાંગરની અન્ય રચનાઓની પઘસંખ્યા આ મુજબ છે (વિષય તેમના નામોથી જ સ્પષ્ટ છે)– ભક્તામરસ્તોત્ર (માનતુંગકૃત સંસ્કૃત સ્તોત્રનો સમવૃત્ત અનુવાદ) ૫૦, આદિનાથ સ્તોત્ર ૧૦, શાંતિનાથસ્તોત્ર ૧૦, પાર્શ્વનાથસ્તોત્ર ૧૮, વીતરાગસ્તોત્ર ૨૯, પદ્માવતીસ્તોત્ર ૧૪, ક્ષેત્રપાલસ્તોત્ર ૯, શાંતિનાથ આરતી ૩, મહાવીર આરતી ૫, સરસ્વતી આરતી ૫, પદ્માવતી આરતી (બે સંસ્કરણ) ૪ અને ૫, દસલક્ષણધર્મ આરતી (બે સંસ્કરણ) ૬ અને ૭, જ્યેષ્ઠ જિનવરપૂજા ૧૬ તથા કયકો ૧૪ (આ ગીતમાં પદ્માવતીદેવી પંચમકાલ અને ષષ્ઠકાલનું ભવિષ્ય બતાવે છે એવી કલ્પના છે). સંસ્કૃતમાં પંચમેરુપૂજા, નંદીશ્વરપૂજા અને નવગ્રહપૂજા તથા હિંદીમાં દશલક્ષણધર્મ ૨૨૪ ૧. સુગંધદશમી કથાની ૭૩ ચિત્રોથી યુક્ત એક પ્રત અન્ય ચાર ભાષાઓમાં રચિત આ જ કથા સાથે ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી દ્વારા સન્ ૧૯૬૬માં ડૉ. હીરાલાલ જૈનના સંપાદનમાં પ્રકાશિત થઈ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય ૨ ૨૫ સવૈયા તથા સ્કુટ ૨૫ સવૈયા આ જિનસાગરની અન્ય પ્રાપ્ત રચનાઓ છે. લક્ષ્મીચન્દ્ર તેઓ કૃપાસાગરના શિષ્ય હતા. તેમની બે રચનાઓ મળે છે. મેઘમાલાવ્રત કથા શિક ૧૬૫૦ (સનું ૧૭૨૮)માં માનનગરમાં પૂર્ણ થઈ હતી. તેમાં ૬૯ ઓવી છે. ભાદ્રપદના શુક્લ પક્ષના પ્રારંભિક પાંચ દિવસોમાં મેઘમાલવ્રત કરવામાં આવતું હતું, તેનું જ માહાભ્ય આ કથામાં વર્ણિત છે. તેમની બીજી રચના જિનરાત્રિવ્રતકથામાં ૧૫૮ ઓવી છે. તે પણ માનનગરમાં જ લખવામાં આવી હતી. માઘ કૃષ્ણ ચતુર્દશીના જિનરાત્રિદ્રતનું માહાભ્ય આમાં વર્ણિત છે. કવિનું કથન છે કે ભગવાન મહાવીરે પૂર્વજન્મમાં આ વ્રતનું પાલન કર્યું હતું.' સયા તેમની બે રચનાઓ ઉપલબ્ધ છે. ચોવીસ તીર્થંકરસ્તુતિમાં ૨૬ પડ્યો છે. આમાં મુનિસુવ્રત તીર્થકર સંબંધી શ્લોકમાં પ્રતિષ્ઠાન (પઠન)ના મુનિસુવ્રતસમંદિરનો ઉલ્લેખ છે. બીજી રચના નેમિનાથભવાંતરમાં વિવિધ વૃત્તોનાં ૧૨૮ પદ્યો છે. શક ૧૬૬૦ (સન્ ૧૭૩૮)માં રચિત આ કાવ્યમાં નેમિનાથની કથા પૂર્વજન્મો સાથે વર્ણિત છે. સોયરા - તેઓ બધેરવાલ જાતિના ચવરિયા ગોત્રના અર્જુનના પુત્ર હતા. કારંજાના ભટ્ટારક સમંતભદ્ર તેમના ગુરુ હતા. તેમણે સંવત્ ૧૮૦૨ (સન્ ૧૭૪૬)માં દેઉલગાંવમાં કર્માષ્ટમીવ્રતકથાની રચના કરી હતી. આષાઢ, કાર્તિક તથા ફાગણની શુક્લ અષ્ટમીએ કર્માષ્ટમી વ્રત કરવામાં આવતું હતું. આનું માહાભ્ય બતાવનાર આ કથામાં ૧૧૭ ઓવી છે. કોઈ કન્નડ રચનાનો આધાર લઈ કવિએ આ કથા લખી હતી. ૮ પદ્યોની સુપાર્શ્વનાથ-આરતી સોયરાની બીજી રચના * * ૧. પ્રા. મ., પૃષ્ઠ ૮૬. ૨. આનો પરિચય અને સાપ્તાહિક જૈન બોધક, સોલાપુરના દિ. ૨૯-૯-૬૯ના અંકમાં આપ્યો છે. ૩. પ્રા. મ., પૃષ્ઠ ૮૭. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ છે.' હિંદીમાં કૈલાસ છપ્પય નામક નાની એવી રચના પણ તેમણે લખી હતી. તેમણે પોતાનું નામ અજુનસુત લખ્યું છે. યમાસા તેમણે પણ પોતાનું નામ અર્જુનસુત રૂપે લખ્યું છે, પરંતુ ઉપર્યુક્ત સોયરાની સાથે તેમનો શું સંબંધ છે, તે સ્પષ્ટ નથી. કારંજના ભટ્ટારક શાંતિસેનના તેઓ શિષ્ય હતા. વત્સગુલ્મ (વાસિમ) નગરમાં શક ૧૬૭૩ (સન્ ૧૭૫૧)માં વિવિધ વૃત્તોના ૩૨૬ પદ્યોની આદિત્યવ્રતકથા તેમણે લખી હતી. આ કથા પર રચવામાં આવેલી કૃતિઓમાં આ સહુથી વધુ અલંકૃત અને વિસ્તૃત છે. અર્જુનસુત રચિત કાષ્ઠાસંઘના ભટ્ટારક વિજયકીર્તિની એક આરતી ઉપલબ્ધ છે, પરંતુ તે સોયરાની રચના છે કે અમાસાની, તે સ્પષ્ટ નથી. યમાસાની ત્રણ આરતીઓ પણ ઉપલબ્ધ છે. પંચપરમેષ્ઠી આરતીમાં ૬, પાર્શ્વનાથ આરતીમાં ૬ અને સુપાર્શ્વનાથ આરતીમાં ૭ પદ્યો છે. તેમાં કારંજા અને કાંચનપુરના મંદિરોનો ઉલ્લેખ છે. હિન્દીમાં આદિનાથ-આરતી, પાર્શ્વનાથ-આરતી, પદ્માવતી-આરતી તથા કેટલાક છપ્પાની રચના પણ ધમાસાએ કરી હતી. તાન્ પંડિત તેઓ કારંજાના ભટ્ટારક શાંતિસેનના શિષ્ય હતા. આથી તેમનો સમય સન્ ૧૭૫૧થી ૧૭૬૮ની આસપાસનો છે. તેમની પાંચ નાની રચનાઓ ઉપલબ્ધ છે. કચનેરના પાર્શ્વનાથની સ્તુતિમાં ૧૧ પદ્યો છે. પદ્માવતી આરતીમાં ૫, ક્ષેત્રપાલ આરતીમાં ૭, સમવસરણ આરતીમાં ૫ તથા પાર્શ્વનાથ આરતીમાં ૫ પદ્યો છે. હિંદીમાં ગુરુસ્તુતિના કેટલાક પદ્યો પણ તેમણે લખ્યા હતા. ૧. આ અમારા હસ્તલિખિત સંગ્રહમાં છે. ૨. પ્રા. મ., પૃષ્ઠ ૮૮. ૩. પહેલી આરતી જિનદાસચવડે, વર્ધા દ્વારા સન્ ૧૯૨૬માં પ્રકાશિત આરતી સંગ્રહમાં છપાઈ છે, બાકી બે અમારા હસ્તલિખિત સંગ્રહમાં ઉપલબ્ધ છે. ૪. પ્રા. મે., પૃષ્ઠ ૮૮. પ્રથમ બે રચનાઓ અમારા હસ્તલિખિત સંગ્રહમાં છે. અંતિમ રચના જિનદાસ ચવડે, વર્ધા દ્વારા સન્ ૧૯૦૪માં પ્રકાશિત આરતી સંગ્રહમાં છપાઈ છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય ૨૨૭ ન્યાહાલ તેઓ પણ શાંતિસેનના શિષ્ય હતા. ગુરુની પ્રશંસામાં ૭ પદ્યોની એક આરતી તેમણે લખી હતી.' રતન તેમની ચાર નાની રચનાઓ ઉપલબ્ધ છે. કારંજાના ભટ્ટારક સિદ્ધસેનની આરતીમાં ૧૦ પદ્યો છે. તે સંવત્ ૧૮૨૬ (સન્ ૧૭૭૦)માં લખવામાં આવી હતી. જિનેશ્વર આરતીમાં ૫, નેમિનાથ આરતીમાં ૬ તથા અંતરિક્ષ પાર્શ્વનાથ આરતીમાં ૪ પદ્યો છે. હિંદીમાં રામટેક-શાંતિનાથ વિનતી તથા ચોવીસ તીર્થંકર આરતી આ બે રચનાઓ પણ મળે છે. દિનાસા તેઓ બઘેરવાલ જાતિના હતા. તેમની બે નાની રચનાઓ પ્રાપ્ત થઈ છે. શક ૧૬૯૨ (સન્ ૧૭૭૦)માં રચિત બારામાસીમાં ૧૩ પદ્યો છે. નેમિનાથની મુનિદીક્ષાથી વ્યથિત રાજુમતીના વિરહોગાર આમાં વર્ણિત છે. બીજી રચના ૬ કડવકોનું એક પદ છે જે વૈરાગ્યની પ્રેરણા આપે છે. વૃષભ તેઓ કારંજાના ભટ્ટારક ધર્મચન્દ્રના શિષ્ય હતા. મરાઠીમાં તેમના બે સ્તોત્ર મળે છે. ચંદ્રપ્રભ અને પદ્માવતીના આ સ્તોત્રોમાં નવ-નવ શ્લોક છે. હિંદીમાં રવિવ્રતકથા (બે સંસ્કરણ) અને નવવાડી તથા સંસ્કૃતમાં નિર્દોષસપ્તમીવ્રતોદ્યાપન એ વૃષભની અન્ય રચનાઓ છે. તેમનો સમય સન્ ૧૭૭૨-૭૭ની આસપાસ નિશ્ચિત થાય છે. દેવેન્દ્રકીર્તિશિષ્ય જયસિંગનગરમાં શક ૧૬૯૩ (સન્ ૧૭૭૨)માં થયેલ પદ્માવતી દેવીના પૂજ ૧-૨ આ રચનાઓ અમારા હસ્તલિખિત સંગ્રહમાં છે. આમાંથી સિદ્ધસેન આરતીનો કેટલોક ભાગ . અમારા “ભટ્ટારિક સંપ્રદાય' (જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર, ૧૯૫૮)માં પ્રકાશિત છે (પૃષ્ઠ ૨૩). ૩. પ્રા. મ., પૃષ્ઠ ૯૧. સુષમા માસિક, નાગપુર, એપ્રિલ ૧૯૬૦માં બારામાસી પ્રકાશિત થઈ છે, સં. સુભાષચંદ્ર અકોલે. ૪. ગોપાળ ગંગાસા રાઉળ, કારંજા દ્વારા પ્રકાશિત અષ્ટકપૂજાસંગ્રહમાં આ સ્તોત્ર છપાયા હતા. પ્રકાશનવર્ષ જાણી શકાયું નથી. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ મહોત્સવનું વર્ણન ૧૮ કડવકોના પદ્માવતીપાલના નામક ગીતમાં મળે છે. આના રચયિતાએ પોતાના ગુરુનું નામ દેવેન્દ્રકીર્તિ બતાવ્યું છે પરંતુ સ્વયં પોતાના નામનો ઉલ્લેખ કર્યો નથી.' અનન્તકીર્તિ તેઓ ચન્દ્રકીર્તિના શિષ્ય હતા. તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના દશલક્ષણવ્રતકથામાં ૧૮૮ ઓવી છે. જયસિંગપેઠમાં શક ૧૬૯૭ (સન્ ૧૭૭૫)માં તેની રચના થઈ હતી. ભાદ્રપદ શુક્લ પંચમીથી ચતુર્દશી સુધી ઉત્તમ ક્ષમા વગેરે દસ ધર્માગોની પૂજા કરવામાં આવે છે. આનું જ માહાભ્ય આ કથામાં વર્ણિત છે. જનાર્દન તેઓ પણ ચન્દ્રકીર્તિના શિષ્ય હતા. વાસિમ પાસે શર્કરાગ્રામમાં શક ૧૯૯૭ (સન ૧૭૭૫)માં તેમણે શ્રેણિક્યરિત્રની રચના કરી. આ વિસ્તૃત ગ્રંથમાં ૪૦ અધ્યાયો છે. ગુણદાસના શ્રેણિકચરિત્રનું આ પરિવર્ધિત સંસ્કરણ કહી શકાય. નવરસપૂર્ણ કથા લખવાનો સંકલ્પ જનાર્દને કર્યો હતો અને તે ઘણી હદ સુધી પોતાના પ્રયાસમાં સફળ રહ્યા છે. મરાઠી જૈન સાહિત્યમાં કાવ્ય-ગુણોની દષ્ટિએ તેમની રચના ઘણા ઊંચા સ્તરની છે. ભીમચન્દ્ર તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના ગુરુ-આરતીમાં ૬ કડવકો છે. કારંજાના ભટ્ટારક દેવેન્દ્રકીર્તિની પ્રશંસા આ આરતીમાં કરવામાં આવી છે. ભીમચન્દ્રના હાથે સંવત ૧૮૩૭ (સન્ ૧૭૮૦)ની લખેલી એક પોથી ઉપલબ્ધ છે, આની જ આસપાસ તેમનો સમય સમજવો જોઈએ.’ રાઘવ તેમણે કારંજાના ભટ્ટારક સિદ્ધસેનની સ્તુતિ લખી છે. તેમાં ૬ પડ્યો છે. તેમની બીજી રચના સેટિમાહાભ્યમાં ૧૧ કડવકો છે. નાગપુરના ભોસલે-રાજદરબારમાં ૧. પ્રા. મ., પૃષ્ઠ ૧૧૨. ૨. પ્રા. મ., પૃષ્ઠ ૯૩. ૩. પ્ર. જિનદાસ ચવડે, વર્ધા, ૧૯૦૪. ૪. પ્રા.મ., પૃષ્ઠ ૯૬. ૫. આનો કેટલોક ભાગ અમારા “ભટ્ટારકસંપ્રદાય” (પૃષ્ઠ ૨૭)માં પ્રકાશિત છે (જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર ૧૯૫૮). Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય ૨૨૯ સમ્માનિત શેઠ વરધાસાહજીએ સન્ ૧૭૮૮માં એક જિનમંદિરનું નિર્માણ કર્યું હતું. આ અવસર પર તેમની પ્રશંસામાં કવિએ આ સેટિમાહાભ્ય લખ્યું હતું. રાઘવની ત્રીજી રચના મુક્તાગિરિ-પાર્શ્વનાથ આરતીમાં ૧૭ કડવકો છે. ગુણકીર્તિકૃત ધર્મામૃતના કેટલાક પરિચ્છેદોનું પદ્યમય રૂપાંતર કરી રાઘવે પંચનમસ્કારસ્તુતિ અને આદિનાથ પંચકલ્યાણિક સ્તુતિ આ બે કવિતાઓની રચના કરી હતી. જિનસ્તુતિ, ગુરુસ્તુતિ અને વૈરાગ્ય-ઉપદેશના વિષયમાં તેમના ૨૫ ફુટ પદો પણ ઉપલબ્ધ છે. તેમણે પોતાનું નામ રઘુ અને રાઘવ લખ્યું છે. તેમની કવિતાઓમાં સિદ્ધસેના ઉપરાંત મહતિસાગર, પબકીર્તિ, વિશાલકીર્તિ, લક્ષ્મીસેન વગેરે સમકાલીન ધર્માચાર્યોના આદરપૂર્ણ ઉલ્લેખ છે. કવીન્દ્રસેવક તેમની રચનાઓની એક હસ્તલિખિત પ્રત સન ૧૮૦૯માં લખેલી મળી છે, આથી તેમનો સમય આની પહેલાંનો છે પરંતુ કેટલો પહેલાંનો છે, તે માલુમ નથી થઈ શક્યું. તેમની મુખ્ય રચના સુમતિપ્રકાશમાં ૨૩૭૨ ઓવી છે. દિલ્લીદરબારમાં પછીથી વિજય પ્રાપ્ત કરનાર જૈન આચાર્યોની કથા આમાં વર્ણિત છે.* તેમના ૫૪૫ અભંગ પણ ઉપલબ્ધ છે. આ સ્કુટ રચનાઓમાં જિનસ્તુતિ, તીર્થવંદના, ગુરસ્તુતિ, ધર્મોપદેશ, દાંભિક વ્યવહારની આલોચના વગેરે વિવિધ વિષયોનું ભાવપૂર્ણ વર્ણન છે. ૧. ગુણવાણી માસિક, નાગપુર, ઓગસ્ટ ૧૯૫૮માં પ્રકાશિત, સં. વિ. જોહરાપુરકર. ૨. અમારાતીર્થનંદનસંગ્રહ(પૃ. ૧૦૫)માં પ્રકાશિત (જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર, સન્ ૧૯૬૫). ૩. સન્મતિ, સપ્ટેમ્બર ૧૯૬૩માં અમે આનો કેટલોક ભાગ પ્રકાશિત કર્યો છે. ૪. પ્રા.મ., પૃષ્ઠ ૧૧૧. ૫. આ ઓવી ની જેવો મરાઠીમાં બહુપ્રચલિત છંદ છે, આમાં બે-બે અથવા ચાર-ચાર પંક્તિઓના કેટલાક પડ્યો હોય છે, બે-બે પંક્તિઓના પદ્યોમાં અન્યયમકનો પ્રયોગ થાય છે, ચાર પંક્તિઓના પદ્યોમાં ફરી બીજી અને ત્રીજી પંક્તિમાં અન્યયમક થાય છે. “કવીન્દ્રસેવકાએ અભંગ' આ લગભગ ૨૦૦ અભંગોનું સંકલન શ્રી હીરાચંદ દોશી, શોલાપુરે ૧૯૨૨માં પ્રકાશિત કર્યું હતું. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ બોપ તેમની એક નાની એવી રચના તીર્થંકર ભૂપાલી પ્રાપ્ત છે. પ્રાતઃકાળે જિનનામ સ્મરણ કરવા માટે રચાયેલું આ ગીત ૧૬ પદ્યોનું છે. લેખકના ગુરુનું નામ દયાલકીર્તિ હતું. તેમની રચના સન્ ૧૮૦૯ના હસ્તલિખિતમાં મળી છે આથી તેની પહેલાં તેમનો સમય નિશ્ચિત છે, પરંતુ કેટલો પહેલાં તે માલૂમ નથી થઈ શક્યું.' મહતિસાગર તેમનો જન્મ સંતવાલ જાતિમાં થયો હતો. તેઓ કારંજાના ભટ્ટારક દેવેન્દ્રકીર્તિના શિષ્ય હતા. સન્ ૧૭૭૨ની આસપાસ તેમનો જન્મ-સમય અનુમાનિત છે. લગભગ ૪૦ વર્ષની વય સુધી વિદર્ભમાં તેમણે નિવાસ કર્યો તથા ઘણી સાહિત્ય રચના કરી. પછી દક્ષિણ મહારાષ્ટ્રના હુમડ-ગુજર સમાજના શ્રાવકોમાં ધર્મ પ્રસાર કરતાં તેમને ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત થઈ. સન્ ૧૮૩૨માં દહિગાંવમાં તેમનો સ્વર્ગવાસ થયો હતો. રિદ્ધપુરમાં સન્ ૧૮૦૧માં રચિત ૨૯ શ્લોકોની રવિવ્રતકથા તેમની પ્રથમ રચના પ્રતીત થાય છે. બાલાપુરમાં સન્ ૧૮૧૦માં ૧૪૭ શ્લોકોમાં આદિનાથ પંચકલ્યાણકકથાની રચના તેમણે કરી હતી. દશલક્ષણવ્રતકથા (૯૪ પદ્યો), ષોડશકારણવ્રતકથા (પર પો) તથા રત્નત્રયવ્રતકથા (૩૮ પદ્યો). તેમાં મહતિસાગરે સમય અને સ્થાનનો ઉલ્લેખ નથી કર્યો. આ વ્રતકથાઓની અપેક્ષાએ મહતિસાગરની ફુટ રચનાઓ-અભંગ અને પદ-વધુ ભાવપૂર્ણ અને મહત્ત્વની છે. તીર્થંકરસ્તુતિ, પંચપરમેષ્ઠી સ્તુતિ, દાનપ્રશંસા વગેરે વિષયો પર લગભગ ૨૦૦ અભંગ છે. સંબોધસહસ્ત્રપદીમાં વિવિધ ધાર્મિક વિષયો પર ઉપદેશપ્રદ એક હજાર પદ લખવાનો સંકલ્પ મહતિસાગરે કર્યો હતો, પરંતુ ૬૪ પદોની રચના પછી તેમનો સ્વર્ગવાસ થવાથી આ કાર્ય અધૂરું રહ્યું. અરહંત, પાર્શ્વનાથ, ચન્દ્રપ્રભ, પંચપરમેષ્ઠી, ગુરુ દેવેન્દ્રકીર્તિ તથા દેવી જ્વાલામાલિનીની આરતીઓ તેમણે લખી છે, તેની સમ્મિલિત પદ્ય સંખ્યા ૫૦ છે. ગુરુ દેવેન્દ્રકીર્તિના જીવનનો પરિચય આપતાં ૧૦ પદ્યોની એક લાવણીની રચના પણ તેમણે કરી છે. સંસ્કૃતમાં અરહંતપૂજ અને જ્વાલામાલિનીપૂજા નામે તેમની રચનાઓ પણ મળે છે. મહતિસાગરની રચનાઓ ૧. પ્રા. મ., પૃષ્ઠ ૧૧૨. Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય સરળ-સુબોધ ભાષા અને ગાયન અનુકુળ શબ્દ યોજનાને કારણે મરાઠી જૈન સમાજમાં ખૂબ લોકપ્રિય થઈ છે. દયાસાગાર (દ્વિતીય) તેમની એકમાત્ર રચના હનુમાનપુરાણ શક ૧૭૩૫ (સન્ ૧૮૧૩)માં પૂર્ણ થઈ હતી. બ્રહ્મજિનદાસના હનુમંતરાસના આધારે આ સાત અધ્યાયોનું પુરાણ લખવામાં આવ્યું છે, એવુ પ્રશસ્તિમાં કહેવામાં આવ્યું છે. અંજના-પવનંજયના પ્રેમ અને વિરહની કથા તથા રામ-રાવણ યુદ્ધમાં વીર હનુમાનના પરાક્રમોનું કવિએ રોચક ભાષામાં વર્ણન કર્યું છે. રત્નકીર્તિ તેઓ કારંજાના ભટ્ટારક સિદ્ધસેનના શિષ્ય હતા. અમરાવતી નગરમાં સંવત્ ૧૮૬૯ (સન્ ૧૮૧૩)માં ૪૦ અધ્યાયોના વિસ્તૃત ઉપદેશરત્નમાલા ગ્રંથની રચના તેમણે કરી હતી. સકલભૂષણની સંસ્કૃત રચનાનું આ વિવિધ વૃત્તોમાં તથા વિવિધ દૃષ્ટાંતો દ્વારા સુશોભિત કરવામાં આવેલ મરાઠી રૂપાંતર છે. શ્રાવકોના છ કર્તવ્યો – દેવપૂજા, ગુરુભક્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ તથા દાન નો ઉપદેશ આ ગ્રંથમાં વિસ્તૃત રૂપે મળે છે. ૩ ૨૩૧ — રત્નકીર્તિની બીજી વિસ્તૃત કૃતિ આરાધના કથાકોશ છે. નેમિદત્તની સંસ્કૃત રચનાનું આ રૂપાંતર ૫૨ અધ્યાયોમાં પૂર્ણ થયું છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના કરનાર પુરાણપુરુષોની ૧૨૦ કથાઓ આમાં વર્ણિત છે. રત્નકીર્તિ તેના ૨૭ અધ્યાય લખી શક્યા. બાકી ભાગ તેમના શિષ્ય ચન્દ્રકીર્તિએ શક ૧૭૪૩ (સન્ ૧૮૨૧)માં ધારાશિવ (ઉસ્માનાબાદ)માં પૂર્ણ કર્યો હતો. ૧. મહતિકાવ્યકુંજ નામે આ બધી રચનાઓનો સંગ્રહ વીરચંદ કોદરજી ગાંધી, ફલટણે સન્ ૧૯૩૫માં પ્રકાશિત કર્યો હતો. આની પહેલાં સન્ ૧૯૦૩માં જિનદાસ ચવડે, વર્ષા, સન્ ૧૯૨૨માં સખારામ નેમચંદ દોશી, સોલાપુર તથા સન્ ૧૯૨૮માં નાના રામચંદ નાગ, ફલટણે કેટલાક અભંગ તથા પદોના નાના પુસ્તકો તૈયાર કર્યાં હતા. ૨. પ્ર. જયચંદ્ર શ્રાવણે, વર્ષા, પ્રકાશનવર્ષ જાણી શકાયું નથી. ૩. ભટ્ટારક લક્ષ્મીસેનસ્વામી, કોલ્હાપુર, દ્વારા સન્ ૧૯૬૫માં પ્રકાશિત. ૪. અમરાવતીમાં આની હસ્તલિખિત પ્રત ઉપલબ્ધ છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ ચન્દ્રકીર્તિ તેમની ત્રણ નાની રચનાઓ મળે છે.' સમેદશિખરમાહાસ્ય ૬૪ શ્લોકોનું છે તથા પદ્માવતી શ્રૃંગાર વર્ણન ૨૪ કડવકોનું. પહેલી રચના શક ૧૭૩૭ (સનું ૧૮૧૫)માં અને બીજી તેના આગલા વર્ષમાં પૂર્ણ થઈ હતી. આ બંનેમાં કવિના ગુરુનો નામોલ્લેખ નથી. છતાંપણ સંભવતઃ આ તે જ ચન્દ્રકીર્તિ છે જે રત્નકીર્તિના શિષ્ય હતા. તેમની એક અન્ય રચના રવિવ્રતકથામાં ૧૭૪ ઓવી છે. તેની પ્રશસ્તિ અનુસાર તેમનું સંસારી નામ અન્તાજી પંત અવધૂત હતું. કારંજામાં તેઓ રત્નકીર્તિના શિષ્ય થયા હતા પછીથી વિશાલકીર્તિ ગુરુએ તેમને મંડલાચાર્યનું પદ આપ્યું હતું. નાગેન્દ્રકીર્તિ તેઓ લાતૂરના ભટ્ટારક પદે હતા. તેમનાં દસ ફુટ પદો પ્રાપ્ત છે. બે પદોમાં ચન્દ્રકીર્તિનો અને બેમાં વિશાલકીર્તિનો ગુરુરૂપે ઉલ્લેખ છે. એક પદમાં રામક્ષેત્ર (રામટેક)ના શાંતિનાથની અને એકમાં દેઉલઘાટના ચન્દ્રપ્રભની સ્તુતિ છે. બધા પદો જિનભક્તિ, ગુરુભક્તિ અને વૈરાગ્ય-ભાવથી પરિપૂર્ણ છે. તેમનો સમય ઓગણીસમી સદીનો પૂર્વાર્ધ – સન્ ૧૮૨૫ની આસપાસનો છે. દિલસુખ તેઓ કારંજના ભટ્ટારક પદ્મનદિના શિષ્ય હતા. આથી તેમનો સમય સનું ૧૭૯૩થી ૧૮૨૩ની આસપાસ નિશ્ચિત થાય છે. તેમનો સ્વાત્મવિચાર નામક ગદ્ય ગ્રંથ ઉપલબ્ધ છે. સંસ્કૃત તર્ક-ગ્રંથોની શૈલીમાં આત્મા સંબંધી વિવિધ દર્શનોના વિચારોની આમાં સમીક્ષા કરવામાં આવી છે. જૂની મરાઠીમાં તર્કશાસ્ત્રનું વિસ્તૃત વિવેચન આ જ ગ્રંથમાં મળે છે. ૧. પ્રા. મ., પૃષ્ઠ ૧૦૨. ૨. આની હસ્તલિખિત પ્રત અચલપુરમાં ઉપલબ્ધ થઈ. ૩. આની એક જીર્ણ પોથી અમારા સંગ્રહમાં છે. જિનપધરત્નાવલી નામક નાના એવાં પુસ્તકમાં આના કેટલાક પદો છપાયા પણ હતા. પરંતુ આના પ્રકાશક વગેરેનું વિવરણ અમને નથી મળી શક્ય. ૪. પ્રા. મ., પૃષ્ઠ ૧૦૭. " Page #261 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય ૨૩૩ માણિક તેઓ પણ ભ. પદ્મનદિના શિષ્ય હતા. તેમની ત્રણ નાની રચનાઓ ઉપલબ્ધ છે – ગુરુ-આરતી, નવગ્રહ આરતી તથા દેવી પદ્માવતી લાવણી. આ ત્રણેની પદ્ય-સંખ્યા ૫-૫ છે.' જિનસેન તેઓ કોલ્હાપુરના ભટ્ટારક હતા. મરાઠીમાં તેમના ત્રણ ગ્રંથો ઉપલબ્ધ છે. જંબુસ્વામીપુરાણમાં ૧૧ અધ્યાયો છે. સંસ્કૃતમાં સકલકીર્તિ દ્વારા રચિત ગ્રંથના આધારે જંબૂસ્વામીની કથા આમાં સુંદર શબ્દોમાં વર્ણિત છે. સકલભૂષણની સંસ્કૃત રચનાના આધારે ઉપદેશ રત્નમાલા નામક બીજો વિસ્તૃત ગ્રંથ જિનસેને શક ૧૭૪૩ (સનું ૧૮૨૧)માં લખ્યો. શ્રાવકોના છ કર્મોનું સારું વર્ણન આમાં છે. તેમનો ત્રીજો ગ્રંથ પુણ્યાશ્રવ કથાકોશ શક ૧૭પ૧માં પૂર્ણ થયો હતો. આમાં નાગકુમાર, સુકુમાર, ચારુદત્ત, ભવિષ્યદર વગેરેની ૭૯ કથાઓ વિસ્તારથી વર્ણિત છે. આ ગ્રંથ એક કન્નડ રચનાના આધારે લખવામાં આવ્યો હતો.' લક્ષમીસેનશિષ્ય કારંજાના સેનગણના ભટ્ટારક પદ પર શક ૧૭૫૪ (સનું ૧૮૩૨)માં લક્ષ્મીન બેઠા હતા. આ સમારોહનું વર્ણન તેમના એક શિષ્ય ૫ કડવકોના એક ગીતમાં કર્યું છે. આ કવિએ પોતાના નામનો ઉલ્લેખ નથી કર્યો. ઠકાપ્યા તેમનો એક માત્ર ગ્રંથ પાંડવપુરાણ ૧૭૭૨ (સન્ ૧૮૫૦)માં કોલ્હાપુરની ૧. “દેવીચી લાવણી' આ ગીત જિનદાસ ચવડે, વર્ધા, દ્વારા સન્ ૧૯૧૩માં પ્રકાશિત પદ્માવતીચી ગાણી આ પુસ્તકમાં મળ્યું, બાકી બે અમારા હસ્તલિખિત સંગ્રહમાં છે. ૨. પ્ર. કલ્લાપ્પા ઉપાધ્યાય, નાન્દણી (કોલ્હાપુર), વર્ષ જાણી શકાયું નથી. ૩. પ્ર. કલ્લાપ્પા નિટ, કોલ્હાપુર, સન્ ૧૮૯૮. ૪. પ્રા. મ., પૃષ્ઠ ૧૦૫. ૫. આ ગીત અમે અનેકાન્તરૈમાસિક, દિલ્લી, ના વર્ષ ૧૮ (પૃ. ૨૨૩)માં પ્રકાશિત કર્યું હતું. Page #262 -------------------------------------------------------------------------- ________________ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ નજીક કોગનોલી નગરમાં લખવામાં આવ્યો હતો. નાગરાજની કન્નડ કૃતિનું આ રૂપાંતર ૩૨ અધ્યાયોમાં પૂર્ણ થયું છે. ગિરિઆપ્પાના પુત્ર હોવાના નાતે કવિએ પોતાનું નામ ગિરિસુત પણ લખ્યું છે. તેઓ કોલ્હાપુરના ભટ્ટારક જિનસેનના શિષ્ય હતા. તુકુજી ૨૩૪ તેમની ૫ કડવકોની એક નાની એવી રચના કોતકો ઉપલબ્ધ છે. તે દેવી પદ્માવતીની પ્રાર્થનાનું ગીત છે. કવિએ પોતાની જ્ઞાતિનો ઉલ્લેખ ‘સોમવંશ’ એ શબ્દથી કર્યો છે. તેમના સમયનો નિશ્ચય થઈ શક્યો નથી. રાયા તેમની લખેલી કેટલીક આરતીઓ ઉપલબ્ધ છે. તેમાં બાલકુંડના પાર્શ્વનાથ, યાદગિરીના માણિકસ્વામી, વડગાંવના શાંતિનાથ, સીતાનગરના શાંતિનાથ, જેઉરગીના ક્ષેત્રપાલ તથા ગોમ્મટસ્વામી (શ્રવણબેલગોલ)ની સ્તુતિ છે. તેમની કુલ પઘસંખ્યા ૨૦ છે. રાયાનો સમય નિશ્ચિત થઈ શક્યો નથી.૨ કેટલાક અજ્ઞાતકર્તૃક ગ્રંથ જ્ઞાનોદય નામક ૯૯ ઓવીનું એક પ્રક૨ણ ઉપલબ્ધ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિનું આમાં વિવેચન છે. આના લેખકે ગુરુનું નામ શક્રકીર્તિ બતાવ્યું છે, પરંતુ સ્વયં પોતાનો કોઈ પરિચય આપ્યો નથી. કુંદકુંદાચાર્યના સમયસારની અમૃતચન્દ્રાચાર્ય કૃત આત્મખ્યાતિ ટીકાનું મરાઠી રૂપાંતર ઉપલબ્ધ છે. આના કર્તાના વિષયમાં કોઈ જાણકારી નથી મળી શકી.૪ સમંતભદ્રાચાર્યના રત્નકદંડ શ્રાવકાચારની મરાઠી ટીકા પણ ઉપલબ્ધ છે. તેની ભાષાશૈલી ગુણકીર્તિના ધર્મામૃત જેવી છે. તેના રચિયતાનો પણ કોઈ પરિચય નથી મળી શક્યો. ૫ ૧. પ્રા. મ., પૃષ્ઠ ૧૦૮, આ ગ્રંથ છપાઈ ચૂક્યો છે, પરંતુ આના પ્રકાશક વગેરેનું વિવરણ મળી શક્યું નથી. ૨-૩.પ્રા. મ., પૃષ્ઠ ૧૧૦-૧૧૧, ૪ પ્રા. મ., પૃષ્ઠ ૧૧૨. ૫. આ ટીકા સન્મતિ માસિકમાં સન્ ૧૯૬૫માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થઈ છે, સં. સુભાષચન્દ્ર અક્કોલે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૩. વર્તમાનકાલીન મરાઠી જૈન સાહિત્યકાર તથા તેમની રચનાઓ શેઠ હિરાચંદ નેમચંદ દોશી (૧૮૫૬-૧૯૩૬) મરાઠી સાહિત્ય-રચનાનો પ્રારંભ ગુજરાતી વિદ્વાનો દ્વારા થયો, તે ઉપર કહેવાઈ ચૂક્યું છે. આધુનિક મરાઠી સાહિત્યના પ્રમુખ ઉન્નાયક પણ ગુજરાતથી મહારાષ્ટ્રમાં આવી સ્થાયી રૂપે વસનાર હુમડ-ગુજર જાતિના શ્રાવક હતા. તેમાં સોલાપુરના દોશી પરિવારનું સ્થાન પ્રમુખ છે. સંપત્તિ અને વિદ્યાનો દુર્લભ સંગમ આ પરિવારમાં દીર્ઘકાળથી બની રહ્યો અને તેના ફળસ્વરૂપ મરાઠી જૈન સાહિત્યની ઘણી વૃદ્ધિ થઈ. શેઠ હિરાચંદ નેમચંદ આ પરિવારના પ્રમુખ હતા.' સન્ ૧૮૮૪માં તેમણે જૈનબોધક માસિક પત્રનું પ્રકાશન શરૂ કર્યું. મરાઠી જૈન સમાજને જાગૃત કરવામાં આ પત્રનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું. સમાજના સમાચાર, જૂના તીર્થો અને ગ્રંથોનો પરિચય, રૂઢિઓના આવશ્યક સુધારાની પ્રેરણા વગેરે વિષયો પર વિસ્તૃત લેખ આ માસિક પત્રમાં પ્રકાશિત થયા. શેઠજીએ તેર વર્ષ સુધી આનું સંપાદન અને પ્રકાશન કર્યું. સન્ ૧૯૦૧માં સોલાપુરની યૂનિયન ક્લબમાં શેઠજીએ જૈનધર્મના મૂલતત્ત્વો પર ભાષણ આપ્યું હતું, જે જૈનધર્માંચી માહિતી' નામક પુસ્તકમાં પ્રકાશિત થયું છે. સન્ ૧૯૨૩થી ૧૯૨૮ સુધી સમ્યક્ત્વવર્ધક નામક પત્રિકાનું પ્રકાશન શેઠજીએ કર્યું. સામાજિક રૂઢિઓના સુધારાની પ્રેરણા આપવી આ પત્રિકાનો મુખ્ય ઉદ્દેશ હતો. આ જ દૃષ્ટિથી શાસનદેવતાપૂજનચર્ચા, અશૌચનિર્ણયચર્ચા, નિર્માલ્યદ્રવ્યચર્ચા, નવધાભક્તિચર્ચા આ પુસ્તકો પણ તેમણે સંપાદિત અને પ્રકાશિત કર્યા. સમંતભદ્રાચાર્યના રત્નકાંડશ્રાવકાચારનું મરાઠી તથા હિંદી અનુવાદ સહિત પોકેટબુક જેવું સંસ્કરણ, અમૃતચન્દ્રાચાર્યના તત્ત્વાર્થસારના ચતુર્થ અધ્યાય પર આધારિત ‘પાપપુણ્યાચી કારણે', સરળ કથાઓ રૂપે પ્રકાશિત ૧. દીનાનાથ બાપૂજી મંગુડકર દ્વારા લિખિત વિસ્તૃત જીવનચરિત્રમાં સેઠજી અને તેમના પરિવારના કાર્યોનો પરિચય મળે છે. આ પુસ્તક સેઠજીના સુપુત્ર રતનચંદ હિરાચંદે સન્ ૧૯૬૭માં પ્રકાશિત કર્યું છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬. મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ પાર્શ્વનાથચરિત્ર તથા મહાવીરચરિત્ર તથા ષોડશકારણભાવના વગેરે ઉપદેશપ્રદ - નિબંધસંગ્રહ શેઠજીના અન્ય પુસ્તકો છે. ચવડે બંધુ પ્રાચીન મરાઠી જૈન સાહિત્યના પ્રકાશક રૂપે શ્રી જિનદાસ નારાયણ ચવડે, વર્ધા, નો ઘણી વાર ઉલ્લેખ થઈ ચૂક્યો છે. તેમના બે બંધુઓ નેમચંદ ચવડે અને ગણપતરાવ ચવડેએ આધુનિક મરાઠીમાં સારી રચનાઓ કરી છે. જૈન ધર્મામૃતસાર, જૈન વ્રતકથાસંગ્રહ તથા સંગીત નિર્વાણક્ષેત્રપૂજા આ ત્રણ રચનાઓ સન ૧૮૯૪માં નેમચંદ ચવડેએ લખી અને પ્રકાશિત કરી. “સંગીત સુશીલ મનોરમા' નાટક સન ૧૯૦૨માં પ્રકાશિત થયું. જૈન ભજનામૃત સંગીત પદ (૧૯૧૦), સંગીત જૈન કિર્તનાવલિ (૧૯૧૮) તથા સીતાશીલ મહાભ્ય અને લવાંકુશ ચરિત્ર (૧૯૨૫) – આ તેમની અન્ય કૃતિઓ છે. ગણપતરાવ ચવડેએ ગર્વપરિહાર નાટક (૧૯૦૭). તથા હનુમાનચરિત્ર (૧૯૧૨) એ પુસ્તકો લખ્યાં છે. તેમણે જૈનબંધુ માસિક પત્રનું (પ્રારંભ સન ૧૯૦૮) પણ કેટલાક વર્ષો સુધી સંપાદન કર્યું હતું. કૃણાજી નારાયણ જોશી બેલગાંવના આ વિદ્વાન દ્વારા સન ૧૮૯૭-૯૮માં અમૃતચંદ્રાચાર્ય કૃત પુરૂષાર્થસિધ્ધપાય, નેમિચન્દ્રાચાર્યકૃત દ્રવ્યસંગ્રહ, હરિશ્ચન્દ્રકૃત ધર્મશર્માલ્યુદય મહાકાવ્ય (પ્રથમ ત્રણ સર્ગ), ભટ્ટારક સકલકીર્તિ સુભાષિતાવલી, મલ્લિભાચાર્યકૃત સજ્જનચિત્તવલ્લભ તથા સમન્તભદ્રાચાર્યવૃત જિનચતુર્વિશતિ (સ્વયંભૂોસ્તોત્ર આ છ ગ્રંથોનો મરાઠીમાં અનુવાદ થયો હતો. બાલચંદ કસ્તુરચંદ ગાંધી, ધારાશિવવાળાએ આ પુસ્તકો પ્રકાશિત કર્યા હતાં. નાના રામચંદ્ર નાગ ફલટણના આ બ્રાહ્મણ વિદ્વાન બ્રહ્મચારી હીરાચંદ અમોલિકના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો. સન ૧૮૯૫માં તેમણે હીરાચંદ વિરચિત પદોનો એક સંગ્રહ પ્રકાશિત કર્યો, તેમાં લગભગ ૧૦૦ પદો હિંદીના અને ૧૨ મરાઠીના છે. ૧. હિરાચબ્દ અમોલિક (૧૮૩૯-૧૮૯૨)એ નચરિત્ર, પંચપૂજા તથા જૈન રામાયણ આ પુસ્તકો પણ લખ્યા હતા એવું વર્ણન મળે છે પરંતુ આ પુસ્તકો અમારા અવલોકનમાં નથી આવી શક્યા. Page #265 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનકાલીન મરાઠી જૈન સાહિત્યકાર તથા તેમની રચનાઓ ૨૩૭ તત્ત્વાર્થસૂત્ર (૧૯૦૫), પ્રતિક્રમણ (૧૯૧૩) તથા પાહુડ (૧૯૨૮) આ ગ્રંથોના અનુવાદ તથા ભારતી સચિત્ર બાલબોધ છાત્રોપયોગી પાઠ્ય પુસ્તકના બે ભાગ એ નાગ મહોદયના પ્રકાશિત પુસ્તકો છે. કલાપ્પા ભરમાપ્પા નિટવે તેઓ કોલ્હાપુરના જૈનેન્દ્ર મુદ્રણાલયના સંચાલક હતા. સન ૧૮૯૮માં તેમણે જૈનબોધકનું સંપાદક પદ સ્વીકાર્યું તથા લગભગ ૧૮ વર્ષ સુધી આ માસિક પત્રના માધ્યમથી અનેક મહત્ત્વપૂર્ણ પ્રાચીન ગ્રંથોનો મરાઠી અનુવાદ પ્રકાશિત કર્યો. સમંતભદ્રાચાર્યકૃત આપ્તમીમાંસા, કુંદકુંદાચાર્યકૃત પંચાસ્તિકાય તથા રયણસાર, અમિતગતિ આચાર્યશ્રત શ્રાવકાચાર, સોમસેન ભટ્ટારકકૃત સૈવર્ણિકાચાર, અજ્ઞાતકર્તક સમ્યક્તકૌમુદી, પંડિત આશાબરકૃત સાગારધર્મામૃત તથા જિનસેનાચાર્યકૃત મહાપુરાણ એટલા તેઓ દ્વારા રૂપાંતરિત ગ્રંથો છે. શ્રાવકોના નિત્યકર્મ-પૂજા વગેરેનું વર્ણન ક્રિયામંજરી પુસ્તકમાં તેમણે સંકલિત કર્યું હતું. તાત્યા નેમિનાથ પાંગળ - તેઓ બાર્જીના પ્રતિષ્ઠિત વિદ્વાન હતા. તેમના પિતામહ અનંતરાજે મરાઠીમાં ઘણા ભક્તિપૂર્ણ પદોની રચના કરી હતી. રત્નત્રયમાર્ગપ્રદીપ (૧૯૦૫) પુસ્તકમાં તેમના પુત્રે આ પદો સંકલિત કર્યા હતા. તાત્યાસાહેબે પિતામહની આ પરંપરાને જાળવી રાખી. પંચકલ્યાણિક તથા સતી અનંતમતિ (૧૯૦૬) તેમની પ્રારંભિક કાવ્યરચનાઓ છે. કુંદકુંદાચાર્યચરિત્રમાં તેમણે ભગવાન મહાવીરના નિર્વાણ પછીની પાંચ શતાબ્દીઓના જૈન સમાજનો ઈતિહાસ સંકલિત કર્યો હતો (૧૯૦૭). વંદે જિનવરમ (પ્રારંભ ૧૯૦૮) માસિક પત્રનું સંપાદન તેમણે ઘણા વર્ષો સુધી કર્યું. સામાજિક પ્રગતિ અને ઐતિહાસિક જ્ઞાનની વૃદ્ધિ માટે ઉપયોગી મહત્ત્વપૂર્ણ લેખો આ પત્રમાં પ્રકાશિત થયા હતા. તીર્થકરચરિત્ર (૧૯૦૯)માં ગુણભદ્રાચાર્યના ઉત્તરપુરાણનું સંક્ષિપ્ત રૂપાંતર તેઓએ પ્રસ્તુત કર્યું હતું. પૂનાની વસંત વ્યાખ્યાનમાળામાં આપેલા તેમના ભાષણનું “જૈન ધર્મ' નામક પુસ્તક રૂપે પ્રકાશન થયું હતું (૧૯૨૧). આ જ પુસ્તકમાં લોકમાન્ય તિલકનું જૈન ધર્મ વિષયક ભાષણ પણ સંકલિત છે. જીવરાજ ગૌતમચંદ દોશી સોલાપુરના દોશી પરિવારના સાહિત્યાનુરાગી શ્રીમંતોમાં શેઠ હીરાચંદની પછી Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ તેમનું પ્રમુખ સ્થાન છે. જૈનબોધકનું સંપાદન કાર્ય તેમણે લગભગ પાંચ વર્ષ સુધી કર્યું (૧૯૧૪-૧૮). આની પહેલાં તત્ત્વાર્થસૂત્ર અને આત્માનુશાસન ગ્રંથોનો મરાઠી અનુવાદ તેઓ કરી ચૂક્યા હતા. પંડિત ગોપાલદાસ બારૈયાની જૈન સિદ્ધાંત પ્રવેશિકા અને સાર્વધર્મ તથા પંડિત જુગલકિશોર મુદ્ધારકૃત ગ્રંથપરીક્ષા પુસ્તકોનો પણ મરાઠી અનુવાદ તેમણે કર્યો. પૂનાના વિષ્ણુશાસ્ત્રી બાપટે જૈન દર્શનસાર નામક પુસ્તક લખ્યું હતું. તેમાં કરવામાં આવેલી આલોચનાનો પંડિત બંસીધરે હિંદીમાં ઉત્તર આપ્યો, જે તેમણે મરાઠીમાં રૂપાંતરિત કર્યો (૧૯૧૮). આચાર્ય શાંતિસાગરચરિત (૧૯૨૪), જાતિ કી મીમાંસા (૧૯૨૫), પંડિત સદાસુખકૃત રત્નકરંડવચનિકાનો અનુવાદ (૧૯૫૪), પંડિત પન્નાલાલકૃત મહાપુરાણની આલોચનાની સમીક્ષા (૧૯૫૪) તથા ભગવાન નેમિનાથ (૧૯૫૮) આ સરલ કથારૂપ પુસ્તક - આ તેમની રચનાઓ પ્રકાશિત થઈ છે. દત્તાત્રય ભિમાજી રણદિવે મિરજગાંવ (જિ. અહમદનગર)ના આ કવિએ અલ્પ આયુમાં જ કાવ્ય અને ઉપન્યાસ લેખનમાં ઉલ્લેખનીય સફળતા પ્રાપ્ત કરી હતી. કુલભૂષણ દેશભૂષણચરિત (૧૯૦૯), નીલીચરિત (૧૯૧૫), ગજકુમારચરિત (૧૯૪૯), જયકુમાર-સુલોચના, સીતાશીલપરીક્ષા – આ પ્રાચીન કથાઓના આધુનિક કાવ્યમય રૂપાંતરો સિવાય જિનગુણાલાપ (૧૯૧૩) નામક ભક્તિપૂર્ણ પદસંગ્રહ તથા રત્નકરંડનું પદ્ય રૂપાંતર (૧૯૧૯) પણ તેમણે લખ્યું હતું. વિભિન્ન માસિક પત્રિકાઓમાં તેમની ૬૪ ભાવપૂર્ણ કવિતાઓ સમયે સમયે પ્રકાશિત થઈ હતી. સુમતિ અને જૈન વાગ્વિલાસ એ માસિક પત્રોનું સંપાદન પણ તેમણે કેટલાક સમય સુધી કર્યું હતું. રૂપિણી નામક તેમનો ઉપન્યાસ શ્રેણિકની પૌરાણિક કથા પર આધારિત હતો. અંજનાસુંદરી ઉપન્યાસ પણ અંજના-પવનંજયની પુરાણપ્રસિદ્ધ કથાનું આધુનિક રૂપાંતર હતું. જૈન કથાઓ સિવાય સર્વેજનોપયોગી લલિત કથાઓની રચના પણ તેમણે વિસ્તૃત ૧. દોશીજીએ પોતાની સમસ્તસંપત્તિ (લગભગ ત્રણ લાખ રૂપિયા) પ્રદાન કરી જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘની સ્થાપના કરી. આ સંઘ દ્વારા સંચાલિત જીવરાજ જૈન ગ્રંથમાલામાં સંસ્કૃત-પ્રાકૃત, હિંદી, અંગ્રેજી, મરાઠી અને કન્નડમાં ૫૦થી વધારે ગ્રંથો છપાયા છે. ૨. તેમની કવિતાનો સંગ્રહ તેમના સુપુત્રે ૧૯૩૧ તથા ૧૯૪૯માં બે ખંડોમાં પ્રકાશિત કર્યો હતો. Page #267 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનકાલીન મરાઠી જૈન સાહિત્યકાર તથા તેમની રચનાઓ ૨૩૯ રૂપે કરી હતી – ચન્દ્રકાન્તા, જટાશંકર, નયનતારા, નગરતારકા, મનોરમા વગેરે ૨૫ ઉપન્યાસ તેમણે લખ્યા હતા. સમયે સમયે જૈન-જૈનેતર પત્રોમાં તેમના સેંકડો લેખો પ્રકાશિત થયા. તેમાં સમાજ-સુધાર માટે પ્રગતિશીલ વિચારોનું ભાવપૂર્ણ પ્રતિપાદન કરવામાં આવ્યું હતું. જૈનેતર પત્રિકાઓમાં જેમની રચનાઓ છપાઈ એવા જૈન લેખકોમાં તેઓ પહેલા મુખ્ય લેખક હતા. રાવજી નેમચંદ શહા તેઓ સોલાપુરના પ્રતિષ્ઠિત વકીલ અને સાહિત્યકાર હતા. જૈનધર્માદર્શ (૧૯૧૦) તેમની પહેલી રચના હતી. તેમાં પ્રૌઢ પરંતુ સુબોધ શૈલીમાં જૈન ધર્મના સિદ્ધાંતોનું વિસ્તૃત વર્ણન છે. આચાર્ય અમિતગતિનો સામાયિક પાઠ તથા આચાર્ય પૂજયપાદનું સમાધિશતક આ બે ગ્રંથોની વિશદ વિવેચન સહિત મરાઠી ટીકાઓ તેમણે લખી (૧૯૧૨). જિનસેનાચાર્ય તથા ગુણભદ્રાચાર્ય ચરિત (૧૯૧૫) અને આ આચાર્યોની પ્રસિદ્ધ રચનાનું સરળ મરાઠી રૂપાંતર મહાપુરાણામૃત (૧૯૧૫) એ તેમની સરસ રચનાઓ છે. પૂજ્યપાદાચાર્ય અને અમૃતચન્દ્રાચાર્યનાં ચરિત પણ તેમણે લખ્યાં છે. જૈન-જૈનેતર પત્રોમાં સમયે સમયે તેમના વિદ્વત્તાપૂર્ણ કેટલાય લેખો પ્રકાશિત થયા. સામાજિક અને સાહિત્યિક કાર્યોમાં એક પ્રગતિશીલ નેતા રૂપે તેઓ પ્રસિદ્ધ હતા. જૈન ધર્મ વિષયક આક્ષેપોનું નિરસન (૧૯૩૮) તથા તીર્થકરોની પ્રાચીનતા (૧૯૫૦) નામક તેમની ઉત્તરકાલીન કૃતિઓ પણ મહત્ત્વપૂર્ણ છે. તાત્યા કેશવ ચોપડે ભિલવડીના આ વિદ્વાન સારા સંગીતજ્ઞ હતા. મહારાષ્ટ્રના જૈન સમાજમાં કીર્તનકાર રૂપે તેમણે ઘણી કીર્તિ મેળવી. જૈન ભજનામૃત પદાવલી (૧૯૧૧) નામક તેમની પહેલી રચના સંગીતના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. પૂજા તથા સદ્ય સ્થિતિ (૧૯૨૪), જગદુદ્ધારક જૈનધર્મ (૧૯૩૮), જૈન તથા હિંદુ (૧૯૪૪), પંઢરપુરના વિઠોબા (૧૯૪૭) – આ પુસ્તકો દ્વારા તેમણે જૈન સમાજની અસ્મિતા જાગૃત કરી પ્રગતિનો માર્ગ દેખાડવાનો પ્રશંસનીય પ્રયત્ન કર્યો હતો. રાવજી સખારામ દોશી તેઓ સોલાપુરના દોશી પરિવારના ત્રીજા ઉઠ્ઠલ રત્ન હતા. આચાર્ય ઈન્દ્રનંદિકૃત શ્રુતાવતાર (૧૯૧૨) તથા પંડિત દૌલતરામકૃત છહઢાલા (૧૯૧૩)નું Page #268 -------------------------------------------------------------------------- ________________ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ મરાઠી રૂપાંતર તેમની પ્રારંભિક કૃતિઓ હતી. છાત્રો માટે ઉપયોગી પાઠ્ય પુસ્તકો રૂપે બાલબોધ જૈન ધર્મના ચાર ભાગનું તેમણે સંપાદન અને પ્રકાશન કર્યું. મહારાષ્ટ્રમાં જૈન ધર્મ જ્ઞાનના પ્રસારમાં આ પુસ્તકોનું યોગદાન ખૂબ મહત્ત્વપૂર્ણ રહ્યું. જૈનકથાસંગ્રહ (૧૯૩૦) તથા જૈન કીર્તનતરંગિણી (૧૯૩૧) તેમની અન્ય મરાઠી કૃતિઓ છે. રાવસાહેબે લગભગ ૨૦ વર્ષ સુધી માસિક જૈન બોધકનું સંપાદન કર્યું. આ વર્ષોના આ પત્રના કેટલાય વિશેષાંકો પુસ્તકો જેવા જ સંગ્રહણીય છે. કથા, કવિતા, ઈતિહાસ વગેરે વિવિધ રૂપોની બહુમૂલ્ય સામગ્રી આ અંકોમાં ઉપલબ્ધ છે. પોતાના સમયના કેટલાય તરુણ સાહિત્યિકોની કૃતિઓ પ્રકાશિત કરવા માટે રાવસાહેબે હજારો રૂપિયાનો વ્યય કર્યો. મરાઠી જૈન સાહિત્યની પ્રગતિમાં તેમનું આ યોગદાન ક્યારેય ભૂલી શકાય એવું નથી. જિનદાસ પાર્શ્વનાથ ફડકુલે ૨૪૦ તેઓ સોલાપુરના પ્રતિષ્ઠિત વિદ્વાન છે. ગદ્ય અને પદ્મ પર તેમનો સમાન અધિકાર છે. પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યને મરાઠીમાં રૂપાંતરિત કરવામાં તેઓ નિરંતર પ્રયત્નશીલ રહ્યા છે. તેમની પ્રકાશિત કૃતિઓમાં નિમ્નલિખિત ગ્રંથોના અનુવાદ પ્રમુખ છે સમન્તભદ્રાચાર્યકૃત સ્વયમ્ભસ્તોત્ર (૧૯૨૦), આચાર્ય પાત્રકેસરીકૃત જિનેન્દ્રગુણસંસ્તુતિ તથા આચાર્ય વિદ્યાનન્દકૃત શ્રીપુર પાર્શ્વનાથસ્તોત્ર (૧૯૨૦), કુંદકુંદાચાર્ય તથા પૂજપાદાચાર્યમૃત દશભક્તિ (૧૯૨૧), શિવકોટ્યાચાર્યકૃત રત્નમાલા (૧૯૨૧), સોમદેવસૂરિકૃત દ્વાદશાનુપ્રેક્ષા (૧૯૨૩), આચાર્ય અમિતગતિકૃત તત્ત્વભાવના (૧૯૨૪), દેવસેન આચાર્યકૃત ભાવસંગ્રહ (૧૯૨૭), મલ્લિષેણ આચાર્યકૃત નાગકુમારચરિત (૧૯૨૭), સકલકીર્તિ ભટ્ટારક વિરચિત સુદર્શનચરિત (૧૯૨૭) તથા શ્રીપાલચરિત (૧૯૬૩), અસગ કવિકૃત વર્ધમાનચરિત (૧૯૩૧), કુંથુસાગર મુનિ વિરચિત બોધામૃતસાર (૧૯૩૮), પૂજ્યપાદ આચાર્યકૃત દશભક્તિ (૧૯૫૨) તથા નેમિદત્ત પંડિતકૃત રાત્રિભોજનત્યાગકથા (૧૯૫૬). તેમની સહુથી વિસ્તૃત અને મહત્ત્વપૂર્ણ રચના જૈન રામાયણ (૧૯૬૫) ૨વિષેણાચાર્યના પદ્મપુરાણનું પદ્યબદ્ધ રૂપાંતર છે. તેમણે પાંડવપુરાણ, સિદ્ધાંતસારસંગ્રહ વગેરે ગ્રંથોનો હિંદી અનુવાદ પણ કર્યો છે. જૈન બોધકને સાહિત્યિક રૂપ પ્રદાન કરવામાં તેમની કવિતાઓ અને લેખોનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું. આધુનિક યુગમાં તેમના જેવા નિરંતર સાહિત્ય-સાધના કરનાર ઋજુપ્રકૃતિના વિદ્વાન દુર્લભ છે. - Page #269 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનકાલીન મરાઠી જૈન સાહિત્યકાર તથા તેમની રચનાઓ ૨૪૧ ' કંકુબાઈ - આધુનિક યુગમાં કેટલીક મહિલાઓએ પણ સાહિત્યરચનામાં યશ પ્રાપ્ત કર્યો. આમાં સેઠ હિરાચંદ નેમચંદની સુપુત્રી કંકુબાઈનું સ્થાન પહેલું છે. અલ્પ આયુમાં વૈધવ્ય પ્રાપ્ત થયા પછી તેમણે પોતાનું આખું જીવન ધર્મ અને સાહિત્યની સેવા તથા જૈન મહિલા-સમાજમાં જ્ઞાન-પ્રસાર માટે અર્પિત કરી દીધું. ચારિત્રશુદ્ધિવ્રતકથા તથા જૈનવ્રતકથાસંગ્રહ (૧૯૨૧), દેવસેનાચાર્યકૃત તત્ત્વસાર તથા અમૃતચન્દ્રાચાર્ય કૃત સમયસારટીકાના શ્લોક (જ સમયસારકલશ નામે પ્રસિદ્ધ છે)નો અનુવાદ (૧૯૨૩) તથા પદ્મનન્દ આચાર્ય કૃત અનિત્યપંચાશનો અનુવાદ (૧૯૨૫) તેમની પ્રકાશિત રચનાઓ છે.' આચાર્ય શ્રી આનંદઋષિ જી. સદ્ધર્મબોધ (અમોલક ઋષિજી)નો મરાઠી અનુવાદ (૧૯૨૪) તેમની પ્રથમ રચના છે. નાગપુરની રત્નગ્રંથમાલામાં તેમની અન્ય કૃતિઓ પ્રકાશિત થઈ જે આ મુજબ છે – જૈન ધર્મ વિષયમાં અજૈન વિદ્વાનોના અભિપ્રાય તથા જૈન ધર્મની વિશેષતા (૧૯૨૮), જૈન-ધર્મનું અહિંસા તત્ત્વ (જિનવિજય)નો અનુવાદ તથા ઉપદેશરનકોશ (જિનેશ્વરસૂરિ)નો અનુવાદ (૧૯૨૯). મોતીચન્દ હિરાચંન્દ ગાંધી ઉસ્માનાબાદના આ પ્રતિષ્ઠિત સાહિત્યકાર છે. ગદ્ય અને પદ્ય બંનેમાં તેમનો સમાન અધિકાર છે. કેટલીય પ્રાચીન પ્રાકૃત અને સંસ્કૃત રચનાઓને મરાઠીમાં રૂપાંતરિત કરી તેમણે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. તેમની મુખ્ય રૂપાંતરિત રચનાઓ આ મુજબ છે – મુનિસુંદરસૂરિકૃત સાધુશિક્ષા (૧૯૨૬), હરિષેણાચાર્યકૃત બૃહત્કથાકોશ (૧૯૩૬), પંડિત આશાબરકત ત્રિષષ્ટિમૃતિશાસ્ત્ર (૧૯૩૭), તામિલદ રૂપે પ્રસિદ્ધ કુરલ કાવ્ય (૧૯૩૭), પંચ સંગ્રહ (પૂજ્યપાદાચાર્ય કૃત ઈબ્દોપદેશ અને સમાધિશતક, યોગીન્દુદેવ કૃત યોગસાર અને પરમાત્મપ્રકાશ તથા સોમપ્રભસૂરિકૃત સૂક્તિમુક્તાવલી) (૧૯૫૧), પંડિત અહંદાસકૃત મુનિસુવ્રતકાવ્ય (૧૯૫૮), વાદીભસિંહસૂરિકૃત ક્ષત્રચૂડામણિ (૧૯૫૮) તથા સિદ્ધર્ષિકૃત ઉપમિતિભવપ્રપંચકથા (૧૯૬૨). કુંદકુંદાચાર્યના બધા ગ્રંથોનું પદ્યબદ્ધ રૂપાંતર તેમના ગ્રંથ આચાર્ય કુંદકુંદમાં પ્રકાશિત થયું છે. મહાવીરચરિત્ર (૧૯૩૧) તથા ૧. મહાવીર બ્રહ્મચર્યાશ્રમ, કારંજામાં તેમની સ્મૃતિમાં કંકુબાઈ ધાર્મિક પાઠ્ય પુસ્તકમાલા સ્થાપિત કરવામાં આવી. તેમાં આજ સુધી દસ પુસ્તકોના કેટલાય સંસ્કરણો પ્રકાશિત થયાં છે. Jain 7 ducation International Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ તીર્થનંદના નામક તેમના વિસ્તૃત પુસ્તકો પણ પઠનીય છે. તેમણે “અજ્ઞાત ઉપનામથી સાહિત્યરચના કરી છે. બાબગૌડા ભુજગૌડા પાટીલ - બેલગાવ-સાવલી વિભાગમાં દક્ષિણ મહારાષ્ટ્ર જૈન સભાના નેતાઓમાં તેઓ પ્રમુખ હતા. સભાના મુખપત્ર પ્રગતિ આણિજિનવિજયનું તેમણે કેટલાક વર્ષ સંપાદન કર્યું. ઐતિહાસિક જૈન વીર (૧૯૩૪) તથા દક્ષિણ ભારત અને જૈનધર્મ (૧૯૩૮) – તેમના આ ગ્રંથ મરાઠી સમાજના જૈન ઈતિહાસનો પરિચય કરાવવામાં ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થયા. રત્નકરંડનું તેમનું સંસ્કરણ (૧૯૪૩) અનુવાદ સાથે મૌલિક વિવેચનથી પણ અલંકૃત છે. અહિંસા (૧૯૪૬) તથા મહાવીરવાણી (૧૯૫૬) તેમની અન્ય રચનાઓ છે. આપ્પા ભાઊ મગદૂમ સાંગલીની વીર ગ્રંથમાલાના સંચાલક રૂપે તેમણે જૈન સમાજમાં ઈતિહાસની અભિરુચિ ઉત્પન્ન કરવામાં પ્રશંસનીય યોગ આપ્યો. નેમિસાગરચરિત (૧૯૩૪), સપ્ત સમ્રાટ (૧૯૩૬), જૈન વીર સ્ત્રીઓ (૧૯૩૬), ચૌદ રત્નો (આચાર્ય-જીવનપરિચય) (૧૯૪૧) તથા વનરાજ (૧૯૪૫) – તેમની મુખ્ય કૃતિઓ છે. શાંતિનાથ યશવંત ના તેમણે શેઠ રાવજી સખારામ દેશી તથા આચાર્ય શાંતિસાગરના જીવન ચરિત લખ્યાં હતાં. કથાકૌમુદી (૧૯૩૬)માં સમ્યક્તના પાલનના કથારૂપ ઉદાહરણ આપે સરળ ભાષામાં અંકિત કર્યા હતા. જંબૂકુમારની વિરક્તિ (૧૯૫૯) તથા સતી ચંપાવતી (૧૯૬૩) એ તેમના અન્ય સરળ કથારૂપ પુસ્તકો પણ પ્રકાશિત થયા સુમેર જૈને સોલાપુર ગુરુકુળથી (અને પછીથી બાહુબલી ગુરુકુળથી પ્રકાશિત માસિક પત્ર સન્મતિના સંપાદનમાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું. ગંભીર તથા લલિત બંને શૈલીઓ પર તેમનો અધિકાર છે. જટાયુ નામક નિબંધ સંગ્રહમાં તેમના વિચારોત્તેજક અને મનોરંજક લેખો સંકલિત થયા છે. વર્ધમાન મહાવીર (૧૯૫૮), સમ્રાટ કરકંડ (૧૯૬૫), અમર કથા (૧૯૭૦) – આ પ્રાચીન કથાઓના આધુનિક Page #271 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનકાલીન મરાઠી જૈન સાહિત્યકાર તથા તેમની રચનાઓ ૨૪૩ સરસ રૂપાંતર તેમણે કર્યા છે. હિંદી મરાઠી અને મરાઠી-હિંદી અમરકોશ તથા સચિત્ર બાલ વિશ્વકોશ જેવા સર્વજનોપયોગી પુસ્તકોનું સંપાદન પણ તેમણે કર્યું છે. સુભાષચન્દ્ર અક્કોળે સોલાપુરની જીવરાજ ગ્રંથમાલાના કાર્યવાહક રૂપે તેમણે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. પ્રાચીન મરાઠી જૈન સાહિત્ય વિષયમાં તેમના શોધકાર્યનો પહેલાં ઉલ્લેખ કરી ચૂક્યા છીએ. જસોધરરાસ, પરમહંસકથા, શ્રેણિકચરિત્ર વગેરે પ્રાચીન રચનાઓના સંપાદન ઉપરાંત મહામાનવ સુદર્શન (૧૯૫૫), પાંડવકથા (૧૯૫૬), સમ્યત્વકૌમુદી (૧૯૫૭), ચક્રવર્તી સુભૌમ (૧૯૬૧) – આ પ્રાચીન સંસ્કૃત કથાઓના આધુનિક મરાઠી સરળ રૂપાંતર પણ તેમણે કર્યાં છે. સોલાપુર-બાહુબલીના માસિક સન્મતિના સંપાદનમાં પણ તેમણે કેટલાય વર્ષો સુધી ભાગ લીધો હતો. તેઓ બારામતીના તુલજારામ ચતુરચંદ મહાવિદ્યાલયના પ્રાચાર્ય રહ્યા છે. અન્ય મહત્ત્વપૂર્ણ રચનાઓ અત્યાર સુધી જે લેખકોની પાંચ કે વધુ રચનાઓ પ્રકાશિત થઈ છે તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાકી રચનાઓમાં વિભિન્ન દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ કેટલીક રચનાઓનો હવે સમયક્રમે ઉલ્લેખ કરીશું. કારંજના ભટ્ટારક દેવેન્દ્રકીર્તિ (કાલુરામજી)નો લગભગ ૨૦૦ હિંદી પદોનો મરાઠી અનુવાદ સન્ ૧૮૯૫માં પ્રકાશિત થયો હતો, તેમાં અનુવાદકનું ઉપનામ અનાથ બતાવવામાં આવ્યું છે. મૂલ પદોની જેમ જ આ અનુવાદ સરસ છે. ફુલચંદ કાળસકર, કોલ્હાપુર, ના ભક્તિપૂર્ણ પદોનો સંગ્રહ જિનપદ્યરત્નમાલા ૧૮૯૬માં પ્રકાશિત થયો હતો. બ્રહ્મચારી જીતમલની રચના જિનસત્યનારાયણપૂજા વર્ધાથી ૧૯૦૪માં પ્રકાશિત થઈ છે. જૈન સમાજને હિંદુ પૂજાવિધિથી છુટકારો અપાવવામાં આ પુસ્તકનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું. આર. આર. બોબડે, અકોલા, દ્વારા સંપાદિત જૈન પુરોહિત (૧૯૧૦) તથા જિનાચાર-વિધિ (૧૯૧૧) નામક પુસ્તકો પણ જૈન સમાજમાં હિંદુ પરંપરાની વિવાહવિધિ વગેરેનું અંધાનુકરણ રોકવામાં ઘણા સફળ રહ્યા. માણિકસા મોતીસા ખંડારે, કારંજ, ની જિનપદ્યકુસુમમાલા (૧૯૧૨)માં ગાયનોપયોગી ભાવપૂર્ણ પદ પ્રાપ્ત થાય છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ હિરાચન્દ્ર અમીચન્દ્ર શહા, સોલાપુરનું યશોધરચરિત્ર સરળ કથાવર્ણનની દૃષ્ટિએ લોકપ્રિય થયું હતું (૧૯૧૨). તેમની બીજી રચના વ્રતશીલકથાસંગ્રહ પણ રોચક છે. ૨૪૪ શાંતિનાથ ગોવિંદ કટકે તથા તેમના બંધુ માણિક ગોવિંદ કટકેના ભક્તિપૂર્ણ પદોનો સંગ્રહ પદ્યકુસુમાવલી ૧૯૧૮માં પ્રકાશિત થયો હતો. પંચ પરમેષ્ઠીગુણવર્ણન (૧૯૧૯) તથા પંચકલ્યાણિકવર્ણન (૧૯૨૭) – એ માણિકરાવની તથા ચોવીસતીર્થંકરપૂજા એ શાંતિનાથની રચના પણ ઘણી લોકપ્રિય થઈ હતી. રત્નનંદિ ભટ્ટારકના ભદ્રબાહુપુરાણનો અનુવાદ (૧૯૨૧) કલ્લાપ્પા અનંત ઉપાધ્યાયે કર્યો હતો. નેમચંદ બાલચંદ ગાંધી, ઉસ્માનાબાદવાળાએ નેમિચન્દ્રાચાર્યના ગોમ્મટસારનું મરાઠી રૂપાંતર કર્યું હતું. આ ગહન ગ્રંથના વિષયને સંક્ષેપમાં સમજાવવા માટે તેમણે ગુણસ્થાનચર્ચા તથા સમતત્ત્વવિચાર નામક નાના પુસ્તકો પણ લખ્યા હતા (૧૯૨૨). શાંતિસાગરાચાર્યચરિતસુધા નામે પદ્યબદ્ધ રચના દેવેન્દ્રતનય, શમનેવાડી, દ્વારા ૧૯૨૪માં તથા દેવેન્દ્રકીર્તિચરિતસુધાનિધિ નામક પદ્યબદ્ધ રચના સોનાબાઈ જિન્દૂરકર, કારંજા, દ્વારા ૧૯૨૫માં લખવામાં આવી હતી. પોતાના સમકાલીન ધર્માચાર્યોના આ ચરિતકાવ્યો પઠનીય છે. કારંજાના ભટ્ટારક વીરસેનના આધ્યાત્મિક પ્રવચનોથી પ્રભાવિત થઈ કુટુંદવાડના બ્રહ્મય સ્વામીએ, અનુભવપ્રકાશ નામક ગદ્યપદ્યમિશ્ર રચના ૧૯૨૯માં લખી હતી. તેમનું આત્માનુભવવર્ણન જૂની મરાઠી રચનાઓની શૈલીનું છે. ભટ્ટારક અકલંકના રત્નત્રયસાર નામક કન્નડ ગ્રંથનો મરાઠી અનુવાદ (૧૯૨૯) બાહુબલી શર્માએ કર્યો હતો. વૃત્તિવિલાસની કન્નડ ધર્મપરીક્ષાનો મરાઠી અનુવાદ (૧૯૩૧) તેમની બીજી મહત્ત્વપૂર્ણ રચના છે. વિષ્ણુકુમાર ડોણગાંવકર, કારંજાએ સમન્તભદ્રાચાર્યકૃત રત્નકદંડ તથા નેમિચન્દ્રાચાર્ય કૃત દ્રવ્યસંગ્રહના છાત્રોપયોગી મરાઠી સંસ્કરણ તૈયાર કર્યાં હતાં. (૧૯૩૦). નરેન્દ્રનાથ ભિસીકર, કારંજાએ પંડિત ગોપાલદાસ બારૈયાની જૈન સિદ્ધાંત પ્રવેશિકાનું છાત્રોપયોગી મરાઠી સંસ્કરણ તૈયાર કર્યું હતું (૧૯૩૨). તેમણે વાદીભદસિંહસૂરિના ક્ષત્રચૂડામણિ કાવ્યનો મરાઠી અનુવાદ (૧૯૩૮) તથા કુંદકુંદાચાર્યના નિયમસારનું મરાઠી વિવેચન (૧૯૬૩) પણ પ્રકાશિત કર્યું. તેમની આ રચનાઓ પણ મહત્ત્વપૂર્ણ છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનકાલીન મરાઠી જૈન સાહિત્યકાર તથા તેમની રચનાઓ ૨૪૫ અનંતરાજ બોપલકર, સોલાપુરવાળાએ જૂના મરાઠી સાહિત્યના એક પ્રમુખ કવિ. મહતિસાગરનું જીવનચરિત કાવ્યબદ્ધ કર્યું હતું (૧૯૩૪). ભૂધરદાસના પાર્શ્વપુરાણનું મરાઠી રૂપાંતર પણ તેમણે પદ્યબદ્ધ રૂપે કર્યું હતું (૧૯૩૯). | વિદ્યાકુમાર દેવીદાસ જૈને ભક્તામર વગેરે પાંચ સ્તોત્ર (૧૯૩૫) તથા ધનંજયની નામમાલા (૧૯૩૭)નું મરાઠી રૂપાંતર કર્યું હતું. ' ગોપાલ બાલાજી બીડકરે (ઉપનામ બાલસુત) અકલંક-નિષ્કલંકની પૌરાણિક કથા પર આધારિત ખરો સ્વાર્થત્યાગ (૧૯૩૬) નાટકની રચના કરી હતી. કુલભૂષણ-દેવભૂષણચરિત (૧૯૩૯) નામક તેમની કાવ્યબદ્ધ રચના પણ પઠનીય અમરાવતીના શ્રીમાન નતૂસા પાસૂસી કલમકરે જૂની મરાઠી સાહિત્યની શૈલીમાં જૈનવ્રતથગ્રહ (૧૯૩૬)ની રચના કરી હતી. ચોવીસતીર્થંકરપૂજા તેમની બીજી પદ્યબદ્ધ રચના છે. કાલચન્દ્ર જિનચન્દ્ર ઉપાધ્યાયે આચાર્ય માણિક્યનદિના પરીક્ષામુખનું મરાઠી રૂપાંતર તૈયાર કર્યું હતું (૧૯૩૭). તેમની બીજી બૃહદ્ રચના જૈનેન્દ્રવ્રતકથાસંગ્રહ (૧૯૫૪)માં જૈન સમાજમાં પ્રચલિત પ્રાયઃ બધા વ્રતોની વિધિ અને કથાઓ ઉપલબ્ધ થાય છે. પ્રિયંકર શિરઢોણકરે સાંગલીની વીર ગ્રંથમાલામાં કર્ણાટક જૈન કવિકુલ (૧૯૪૧) તથા પ્રાચીન જૈનાચાર્ય (૧૯૪૨) નામક પુસ્તકો પ્રકાશિત કર્યા હતાં. | લાતૂરના ભટ્ટારક વિશાલકીર્તિ દ્વારા રચિત પૂજા, સ્તુતિ, આરતી તથા ફુટ કવિતાઓનો સંગ્રહ ભાવાંકુર (૧૯૪૮) લલિત શબ્દરચનાની દૃષ્ટિએ પઠનીય છે. મુનિ શ્રી ચૌથમલજીના નિગ્રંથ પ્રવચનનું મરાઠી રૂપાંતર શ્રી પ્રતાપમલ કોચરે પ્રસ્તુત કર્યું હતું (૧૯૫૪) તથા કીર્તિવિજયજી દ્વારા મરાઠીમાં રૂપાંતરિત આહતધર્મપ્રકાશ (૧૯૫૫) મુંબઈથી પ્રકાશિત થયું હતું. જયકુમાર આલંદકરે જીવંધરની પુરાતન કથાનું આધુનિક સરળ રૂપાંતર પ્રસ્તુત કર્યું (૧૯૫૬) તથા પંડિત કૈલાશચન્દ્રજીના ભગવાન ઋષભદેવનો અનુવાદ પણ કર્યો (૧૯૫૮). પંડિત આશાધરના સાગરધર્મામૃતનું વિશદ મરાઠી વિવેચન રવીન્દ્રકુમાર નાંદગાંવકરે પ્રસ્તુત કર્યું (૧૯૫૭). આર્થિકા રાજુલમતીનું જીવનચરિત વિદ્યુલ્લતા શહાએ લખ્યું હતું (૧૯૫૭). Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ વાદિરાજસૂરિના યશોધરચરિતનું સરળ રૂપાંતર જયકુમાર ક્ષીરસાગરે કર્યું (૧૯૬૦). વાદીભસિંહસૂરિના ક્ષત્રચૂડામણિનું તેમણે પદ્યબદ્ધ રૂપાંતર કર્યું જે માસિક સન્મતિમાં ધારાવાહિક રૂપે પ્રક્રશિત થયું છે. પંડિત કૈલાશચન્દ્રજીના જૈન ધર્મનો મરાઠી અનુવાદ પ્રેમચંદ શાહ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો (૧૯૬૩). - અ. જિ. હુપનો ગીતમહાવીર નામક શ્રુતિમધુર ગીતોનો સંગ્રહ ભગવાન મહાવીરની જીવનકથા ભાવપૂર્ણ શબ્દોમાં પ્રસ્તુત કરે છે (૧૯૬૩). તેમણે મેનાસુંદરીની કથા પણ ગીત રૂપે પ્રસ્તુત કરી છે. સોલાપુરના શ્રાવિકાશ્રમની પ્રમુખ પંડિતા સુમતિબાઈએ કેટલાય વર્ષો સુધી માસિક જૈન મહિલાદર્શના મરાઠી વિભાગનું સંપાદન કર્યું છે. રામાયણ (૧૯૬૫) નામે નાના એવા પુસ્તકમાં તેમણે પદ્મપુરાણની કથાનું આધુનિક રૂપે વર્ણન કર્યું છે. નેમિચન્દ્રાચાર્યના દ્રવ્યસંગ્રહનું સુબોધ રૂપાંતર પણ તેમણે પ્રસ્તુત કર્યું છે (૧૯૬૮). હાલમાં જ આદિગીતા નામક તેમનો વિસ્તૃત કાવ્યગ્રંથ પ્રકાશિત થયો છે. - પહિલા સમ્રાટ ચન્દ્રગુપ્ત મૌર્ય) – વાસંતી શહાનું આ સરસ પુસ્તક (૧૯૬૫) જૈન ઈતિહાસની દૃષ્ટિએ પઠનીય છે. સંસ્કૃતિગંગા તેમનું બીજું પુસ્તક પ્રાચીન ભારતીય નારીઓની બોધપ્રદ કથાઓ પ્રસ્તુત કરે છે. કુંદકુંદાચાર્યના સમયસારની અમૃતચન્દ્રાચાર્ય વિરચિત આત્મખ્યાતિ ટીકાનું વિશદ વિવેચન પંડિત ધન્યકુમાર ભોરે, કારંજવાળાએ પ્રસ્તુત કર્યું છે (૧૯૬૮). આની પહેલાં તેમણે પંડિત ટોડરમલ વિરચિત મોક્ષમાર્ગપ્રકાશકનું મરાઠી રૂપાંતર પણ કર્યું હતું. ગજકુમાર શાનું પવનપુત્ર હનુમાન્ તથા આદિકુમાર બેગડે નું કુમાર પ્રીતિકર એ સરળ કથારૂપ પુસ્તકો જીવરાજ ગ્રંથમાલા, સોલાપુરથી પ્રકાશિત થયાં છે (૧૯૬૫). શિરપુરના અંતરિક્ષ પાર્શ્વનાથ મંદિર વિષયમાં શ્વેતાંબર પરંપરાનો દષ્ટિકોણ મુનિ જંબૂવિજયજી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેને વાલચંદ હિરાચંદે મરાઠીમાં રૂપાંતરિત કર્યો (૧૯૬૦). આ જ ક્ષેત્રના વિષયમાં દિગંબર પરંપરાનો દષ્ટિકોણ નેમચન્દ ડોણગાંવકરે પ્રસ્તુત કર્યો છે. હેમચન્દ્ર વૈદ્ય, કારંજા ગત કેટલાક વર્ષોથી માસિક સન્મતિના સંપાદકમંડલમાં છે. પ્રાચીન ધાર્મિક માન્યતાઓનું આધુનિક સ્પષ્ટીકરણ આપતાં વાતચીતની રીતે ૧. હાલ તેઓ માસિક સન્મતિના સંપાદકમંડળમાં છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનકાલીન મરાઠી જૈન સાહિત્યકાર તથા તેમની રચનાઓ ૨૪૭ કૈલાસ કાકા લેખમાલા તેમણે સન્મતિમાં લખી હતી જે હવે પુસ્તકરૂપે પ્રકાશિત થઈ છે. સીતાના અગ્નિદિવ્યની કથા પર શીલસમ્રાજ્ઞી વાટિકા પણ તેમણે લખી છે. મુનિ શ્રી સમન્તભદ્રના પ્રવચનોમાંથી સંકલિત સુભાષિતોનો સાનુવાદ સંગ્રહ ઉદ્દબોધન નામે તેમણે સંપાદિત કર્યો છે. આધુનિક સમયમાં ખૂબ ઓછા સાધુઓએ સાહિત્યરચના કરી છે. તેમાં મકરધ્વજપરાજય રૂપકાત્મક નાટકના પ્રણેતા શુ. આદિસાગર મુખ્ય છે. તેઓએ પદ્મપુરાણનું કાવ્યબદ્ધ રૂપાંતર પણ કર્યું છે. પત્રિકાઓ મરાઠી જૈન સાહિત્યમાં આધુનિક યુગનો સૂત્રપાત માસિક જૈન બોધક દ્વારા સન્ ૧૮૮૪માં થયો હતો. હિરાચંદ નેમચંદ દોશી, કલ્લાપ્પા નિદવે, જીવરાજ ગૌતમચંદ દોશી તથા રાવજી સખારામ દોશીના સંપાદનમાં આ પત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી. આજકાલ તે વર્તમાન પાર્શ્વનાથ શાસ્ત્રી દ્વારા સાપ્તાહિક રૂપે સંપાદિત થઈ રહ્યું છે. જૈન વિદ્યાદાનોપદેશપ્રકાશ માસિક પત્ર જૈન સભા, વર્ધાના મુખપત્ર રૂપે બકારામ પૈકાજી રોડે દ્વારા લગભગ દસ વર્ષ સુધી સંપાદિત તથા પ્રકાશિત થયું હતું. તેનો પ્રારંભ સન્ ૧૮૯૨માં થયો હતો. - પન્નાલાલ જૈન, વર્ધા દ્વારા ૧૮૯૮માં પ્રારંભ કરવામાં આવેલ માસિક જૈન ભાસ્કરમાં હિંદી અને મરાઠી બંને ભાષાઓના લેખ હતા. દક્ષિણ મહારાષ્ટ્ર જૈન સભાના મુખપત્ર રૂપે અણાસાહેબ લટ્ટ દ્વારા પ્રગતિજિનવિજય સાપ્તાહિક સન્ ૧૯૦૧માં શરૂ કરવામાં આવ્યું હતું. સભાના નિર્ણયાનુસાર સમયે સમયે વિભિન્ન સામાજિક કાર્યકર્તા તેનું સંપાદન કરતા રહ્યા છે. આજકાલ તે બી. બી. પાટીલના સંપાદનમાં પ્રકાશિત થઈ રહ્યું છે. તાત્યાસાબે પાંગલ દ્વારા સંપાદિત માસિક વંદે જિનવરમ્ તથા ગણપત નારાયણ ચવડે, વર્ધાના માસિક જૈન બંધુનો ઉપર ઉલ્લેખ કરી ચૂક્યા છીએ. માસિક સુમતિ, વર્ધા, કવિ રણદિવેના સંપાદનમાં કેટલાક વર્ષ પ્રકાશિત થયું હતું. તેમના જ દ્વારા જૈન વાગ્વિલાસ માસિક પણ શરૂ કરવામાં આવ્યું હતું (૧૯૧૩). આ જ સમયની આસપાસ જયકુમાર દેવીદાસ ચવરે દ્વારા માસિક જૈન ભાગ્યોદયનું કેટલાંક વર્ષ સંપાદન કરવામાં આવ્યું હતું. - રામચંદ ગુલાબચંદ વ્હોરા, સોલાપુર દ્વારા માસિક પ્રભાવના સન્ ૧૯૨૫માં શરૂ કરવામાં આવ્યું હતું. - વા. દે. ધુમાળે, કારંજા તથા કે. પી. ભાગવતકર, નાગપુરે સન્ ૧૯૩૫માં માસિક સાર્વધર્મનું પ્રકાશન શરૂ કર્યું. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ જૈન ગુરુકુળ, સોલાપુર (તથા પછીથી બાહુબલી, જિ. કોલ્હાપુર)ના મુખપત્ર રૂપે માસિક સન્મતિનું પ્રકાશન સન્ ૧૯૫૦થી માણિકચંદ ભિસીકરના સંપાદનમાં થઈ રહ્યું છે. તેના સહાયક સંપાદક સુમેર જૈન તથા સુભાષચન્દ્ર અક્કોળે છે. - શ્રેણિક અન્નદાતે, મુંબઈ દ્વારા સંપાદિત પાક્ષિક પત્ર તીર્થંકર પ્રગતિશીલ વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે (પ્રારંભ ૧૯૬૮). કાંતિલાલ ચોરડિયા, પૂના દ્વારા ૧૯૬૯માં પાક્ષિક જૈન જાગૃતિનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું છે. ઉપસંહાર સર્વજનોપયોગી દૈનિક પત્રોના સંપાદનમાં પણ કેટલાક જૈન વિદ્વાનોએ મુખ્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમાં સોલાપુર સમાચારના સહસંપાદક નાનચંદ શહા તથા દૈનિક સત્યવાદી, કોલ્હાપુરના સંપાદક બાલાસાહેબ પાટીલ મુખ્ય છે. પાછલા દસ વર્ષોમાં મરાઠી સાહિત્યના છુટાછવાયા પ્રકાશન જ થયા છે. જીવરાજ ગ્રંથમાલા દ્વારા રત્નકીર્તિ અને ચન્દ્રકીર્તિનો આરાધના કથાકોશ (સંપાદક પ્રા. શાંતિકુમાર કિલ્લેદાર) પ્રકાશિત થયો છે તથા પહેલા મરાઠી જૈન લેખક ગુણકીર્તિની એક નાની ગુજરાતી રચના વિવેક વિલાસ (વિ. જોહરાપુરકર દ્વારા સંપાદિત) આ જ ગ્રંથમાલાએ પ્રકાશિત કરી છે. ૨૫૦૦મા મહાવીર નિર્વાણોત્સવના પ્રસંગે કેટલીય પુસ્તિકાઓ અને સ્મારિકાઓ નીકળી છે. પ્રાચીન મરાઠી કથાપંચક (વિ. જોહરાપુરકર દ્વારા સંપાદિત)માં ચિમનાપડિતની અનંતવ્રતકથા, પુણ્યસાગરની આદિત્યવ્રતકથા, મહીચંદ્રની નિર્દોષસપ્તમી કથા તથા લક્ષ્મીચંદ્રની મેઘમાલા કથા જીવરાજ ગ્રંથમાલામાંથી પ્રકાશિત થઈ છે. મરાઠી જૈન સાહિત્યના પ્રાચીન અને આધુનિક મુખ્ય નિર્માતાઓનો સંક્ષિપ્ત પરિચય આપવાનો પ્રયાસ આ પ્રકરણમાં કરવામાં આવ્યો છે. વિસ્તાર ભયથી આ લેખકોની કૃતિઓની ઐતિહાસિક, સાહિત્યિક કે તાત્ત્વિક વિશેષતાઓનું વિવેચન અહીં નથી કરી શકાયું. છતાંપણ અમને આશા છે કે વિષયની ધૂળ રૂપરેખા વિદ્વાનો સમક્ષ મૂકવાનો અમારો ઉદેશ સફળ ગણવામાં આવશે. આ પ્રકરણને વર્તમાન સ્વરૂપ આપવામાં પ્રા. શાંતિકુમાર કિલ્લેદાર તથા ડૉ. સુભાષચંદ્ર અક્કોળે, આ બે મિત્રોની સહાયતા મહત્ત્વપૂર્ણ રહી છે. અન્ય જે જે વિદ્વાનોના ગ્રંથોનો ઉપયોગ થયો છે તેમનો યથાસ્થાન નિર્દેશ કર્યો છે. તે બધા પ્રત્યે અમે કૃતજ્ઞતા પ્રકટ કરીએ છીએ. Page #277 -------------------------------------------------------------------------- ________________ કન્નડ જૈન સાહિત્ય-શબ્દાનુક્રમણિકા અંજનાચરિતે-૮૫, ૮૬ અકલંક-૪ અગ્નલદેવ-૪૮, ૬૬, ૬૭, ૭૫ અજિતપુરાણ-૨૧, ૨૨, ૨૩ અડધ્ય-૬૬, ૭૨, ૭૮ અનન્તનાથપુરાણ-૭૦, ૭૧, ૭૨, ૭૩ અનુપ્રેક્ષે-૮૨ અપરાજિતેશ્વરશતક-૮૩ અભયચન્દ્ર-૨૯, ૫૬ અભિધાનરત્નમાલા-૬૦, ૬૨ અભિધાનવસ્તુકોશ-૬૨ અમિતગતિ-૫૭, ૫૮, ૫૯ અમૃતાનન્દી-૮૯ અસગ-૧, ૭, ૧૦, ૬૭ આચણ-૬૧, ૬૫, ૬૬, ૬૭ આદિપુરાણ-૯, ૧૫, ૨૩, ૮૩, ૮૪ ઇન્દસાર-૮૯ ઉત્તરપુરાણ-૨૭, ૭૩ ઉપસર્ગ કેવલીઓની કથા-૧૧ ઉમાસ્વાતિ-૩૦, ૩૧ ઉરુભંગ-૨૬ કંતિ-૩૯,૪૦, ૪૧ કંતિકંપન સમયેગળુ-૩૯, ૪૧ કન્નડકવિચરિતે-૨૯ કનકચન્દ્ર-પ૬ કનકનન્દિ-૫૬ કબ્બિગરકાવ-૭૮ કમલભવ-૬૬, ૬૮, ૭૨, ૭૬, ૭૭ કર્ણપાર્ટ-૨૭, ૩૩, ૫૦, ૫૧, પર, પં૩, ૨૪, ૨૫, ૨૬, ૬૩, ૬૪, ૬૯ કર્ણાટકકવિચરિતે-૩૩ કર્ણાટકકાદમ્બરી ૬૦, ૬૪ કર્ણાટકભાષાભૂષણ-૬૦, ૬૨ કર્ણાટકશબ્દાનુશાસન-૯૦ કર્ણાટકસંજીવન-૯૦ કલ્યાણકારક-૫૬, ૫૭ કલ્યાણકીર્તિ-૮૨ કવિચરિતે-૪૧, ૪૯ કવિપરમેષ્ઠી-૮૯ કવિરાજ-૧૨ કવિરાજમાર્ગ-૧, ૨, ૮, ૯, ૧૦, ૬૧ કવીશ્વર-૮, ૯ કાદમ્બરી-૨, ૪૪, ૬૦ કામનકથે-૮૨ કાલિદાસ-૨, ૩ કાવ્યરત્ન-૨૨ કાવ્યસાર-૧૧, ૮૮ કાવ્યાવલોકન-૬૦, ૬૧, ૬૩ કિરાત-૭૯ કિરાતાર્જુનીય-૮ કીર્તિવર્મ-૪૭,૪૮, પ૭ કુકુન્દ-૭૨ કુમુદેન્દુ-૭ર કુસુમાવલિ-૭૬ Page #278 -------------------------------------------------------------------------- ________________ કેતનાયક-૭૭ કેશિરાજ-૩, ૭, ૮, ૧૦, ૧૯, ૩૩, ૪૯, ૬૫, ૬૬, ૭૦, ૭૯, ૮૦, ૯૦ ક્ષત્રચૂડામણિ-૮૨ ક્ષેત્રગણિત-૪૬,૪૭ ક્ષેમંકર-૭૭ ખગેન્દ્રમણિદર્પણ-૮૧, ૮૭ ગજાંકુશ-૬૭ ગતપ્રત્યાગત-૨૦ ગદાયુદ્ધ-૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬ ગદાસૌપ્તિક-૨૪ ગુણચન્દ્ર-૮૯ ગુણનન્દ્રિ-૭, ૧૦ ગુણભદ્ર-૨૭, ૭૩, ૮૯ ગુણવર્મ-૭, ૧૦, ૧૧, ૬૭, ૬૯, ૭૨, ૭૬ ગુણવર્મ (પ્રથમ)-૭૫ ગુણવર્ગ (દ્વિતીય)-૭૪ ગોમ્મટસાર-૫૭ ગોમ્મટસારની મંદપ્રબોધિની ટીકા-૫૬ ગોમ્મટસારવૃત્તિ-૨૯ ગોમ્મટસ્તુતિ-૬૫, ૮૧ ગોવૈદ્ય-૪૭, ૪૮, ૫૭ ચન્દ્રદેવપ્રભચરિત-૮૯ ચન્દ્રનાથાષ્ટક-૭૪, ૭૬ ચન્દ્રપ્રભચરિત-૨૯, ૬૪ ચન્દ્રપ્રભપુરાણ-૮, ૪૮, ૬૬ ચન્દ્રપ્રભષપદિ-૯૦ ચન્દ્રસાગર-૫૮ ચરક-૫૬ ચાઉલ્સ્ટરાય-૧૩, ૨૭, ૨૮, ૬૪, ૭૩ (૨) ચાઉÎરાયપુરાણ-૨૭, ૭૩ ચારિત્રસાર-૨૮ ચિત્રહસુગે-૪૬, ૪૭ ચિદાનન્દ-૯૧ ચૂડામણિ-૮ ચોલપાલચરિત-૭૯ છન્દોમ્બધિ-૫, ૬૦ છબ્બીસરત્નમાલા-૫૦ જટાસિંહનન્દ્રિ-૯૧ જન્ન-૧૦, ૨૦, ૩૩, ૬૧, ૬૩, ૭૦, ૭૧, ૭૨, ૭૩, ૭૪, ૭૫, ૭૬ જયબન્યુ-૮ જયરામ-૫૮, ૫૯ જયનૃપકાવ્ય-૮૭, ૮૮ જસહ૨ચરિઉ-૭૨ જાતકતિલક-૨૯, ૩૦ જિનચતુર્વિંશતિકા-૬૯ જિનમુનિતનય-૩૪, ૯૧ જિનસેન-૯, ૫૦, ૮૩ જિનસ્તુતિ-૬૫, ૮૨ જિનાક્ષરમાલા-૨૦, ૩૪ જીવન્ધરચરિતે-૮૨, ૮૭ જીવન્ધરમાંગત્ય-૮૬ જીવસંબોધન-૬૮, ૯૧ જૈનગણિતસૂત્રટીકોદાહરણ-૪૬, ૪૭ જૈનપુરાણ-૩૭, ૬૧ જ્ઞાનચન્દ્રાભ્યુદય-૮૨ તત્ત્વભેદાષ્ટક-૮૨ તત્ત્વાર્થવૃત્તિ-૩૦ તત્ત્વાર્થસૂત્ર-૩૦, ૩૧ ત્રિપુરદહન-૮૫, ૮૬ ત્રિલોકશતક-૮૩ Page #279 -------------------------------------------------------------------------- ________________ ત્રિલોકસાર-પ૬ ત્રિષષ્ટિલક્ષણમહાપુરાણ-૨૭ રૈલોક્યચૂડામણિસ્તોત્ર-૪૮, ૪૯, ૫૦ દડી-૨, ૮, ૯, ૬૨ દશમલયાદિ મહાશાસ્ત્ર-૮૮ દિવાકરનન્ટિ-૩૦, ૩૧ દુર્ગસિંહ-૮, ૩૩ દુર્વિનીત-૭, ૮ દેવકવિ-૬૬ દેવચન્દ્ર-૭, ૮, ૪૦, ૬૪, ૮૩, ૯૦, નાગવર્મ (પ્રથમ)-૬૦ નાગવર્મ (દ્વિતીય)-૬૦, ૬૧, ૬૨, ૯૦ નાગાર્જુન-૮ નાનાર્થરત્નાકર-૯૦ નિર્વાણલક્ષ્મીપતિનક્ષત્રમાલિકા-૬૫, દેવોત્તમ-૬૧, ૯૦ દોડણાંક-૯૦ દોરૂધ્ય-૮, પ૬, ૬૪, ૮૯ દ્વાદશાનુપ્રેક્ષા-૮૫ હિસન્ધાનકાવ્ય-૬૯ ધનંજય-૬૯ ધરણિ પંડિત-૯૧ ધર્મનાથ પુરાણ-૮૧ ધર્મપરીક્ષા-૫૭, ૫૮, ૫૯ ધર્મામૃત-૪૧, ૪૨,૪૩, ૪૪, ૪૫ ધૂર્તાખ્યાન-૫૯ નયસેન-૧૧, ૨૨, ૨૭, ૩૨, ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૮૦ નાગકુમાર કથા-૨૯ નાગકુમારચરિત-૪૦, ૬૪, ૮૯ નાગચન્દ્ર-૧૫, ૨૨, ૨૭, ૩૨, ૩૩, ૩૪, ૩૫, ૩૬, ૩૯, ૫૪, ૭૦, ૭૨, ૭૫, ૯૧ નાગરાજ-૧૪, ૬૮, ૮૦ નાગવર્મ-૩, ૫, ૯, ૧૩, ૨૭, ૩૩, ૪૧, ૬૪, ૬૭, ૭૫, ૮૯ નૂતનનાગચન્દ્ર-૯૧ નેમિચન્દ્ર-૬૩, ૬૪, ૭૫, ૭૭ નેમિજિનેશસંગતિ-૮૭, ૮૮ નેમિનાથપુરાણ-૧૧, ૫૦, ૫૧, ૨૩, ૫૪, પ, ૬૩, ૬૪, ૭૭, ૭૮ નેમીશ્વરચરિતે-૮૯ નૃપતંગ-૧, ૨, ૩, ૭, ૮, ૯, ૧૦, ૬૧ પઉમરિયમ્-૩૬ પદ્મચરિત્ર-૮૬ પદ્મપુરાણ-૩૬ પધરસ-૯૦ પદ્મસાગર-પ૯ પમ્પ-૧, ૨, ૩, ૭, ૧૧, ૧૪, ૧૫, ૧૬, ૧૮, ૨૧, ૨૩, ૨૬, ૩૪, ૩૬, ૩૯, ૪૦, ૪૧, ૬૦, ૬૬, ૬૭, ૬૯, ૭૨, ૭૩, ૭૫, ૭૭ પમ્પરામાયણ-૩૩, ૩૪, ૩૫, ૩૬, ૩૭, ૩૮ પરમાત્મપ્રકાશ-૬૫ પરમેષ્ઠિ-૪ પાર્શ્વ-૧૧, ૨૨, ૩૩, ૬૩, ૬૫, ૬૬, ૬૭ પાર્શ્વનાથપુરાણ-૬૫, ૬૯, ૭૦ પાર્શ્વપંડિત-૬૯ Page #280 -------------------------------------------------------------------------- ________________ પુણ્યાગ્નવકથા-૮૦ પુરાણચૂડામણિ-૧૯ પુરાણતિલક-૨૨ પુષ્પદંતપુરાણ-૭૪, ૭૫, ૭૬ પૂજ્યપાદ-૪, ૫૬, ૭૨ પોન્ન-૧, ૩, ૧૦, ૧૧, ૧૪, ૧૯, ૨૭, ૨૧, ૩૧, ૬૦, ૬૬, ૬૭, ૬૯, ૭૨, ૭૫, ૭૭ પ્રબોધચન્દ્ર-૭૯ પ્રબોધચન્દ્રોદય-૮૬ પ્રભંજનચરિતે-૮૭, ૮૮ પ્રશ્નોત્તરરત્નમાલિકા-૯ પ્રાભૃતત્રયે-૬૫ બધુવર્મ-૬૮, ૭૭, ૯૧ બાણ-૨, ૩, ૬૦ બાલચન્દ્ર-૬૫ બાહુબલિ-૨૯, ૪૦, ૬૪, ૬૬, ૮૧, ૮૯ બિજલચરિતે-૯૧ બોમ્પણ પંડિત-૬૫, ૬૬, ૬૭ બોમ્મરસ-૮૬ બ્રહ્મકવિ-૯૦ બ્રહ્મશિવ-૨૭, ૪૭,૪૮, ૪૯, ૫૦ ભટ્ટનારાયણ-૨, ૩, ૨૬ ભટ્ટાકલંક-૭, ૮, ૯, ૬૨, ૮૧, ૯૦, ૯૧ ભરત-૨ ભર્તુહરિ-૨ ભવભૂતિ-૨, ભાગવત-૨ ભામહ-૬૨ ભારત-૮૯ ભારતેશવૈભવ-૮૩, ૮૪, ૮૫ ભારવિ-૨, ૩, ૮ ભાસ-૨૬ ભાસ્કર-૮૨ ભાષાભૂષણ-૪૧ ભાષામંજરી-૯૧ ભુવનેકરામાન્યુદય-૧૯ ભુવનૈકવીર-૧૧ ભૂપાલ-૬૯ મંગરસ-૮, ૨૨, ૩૩, પ૬, ૬૩, ૬૮, ૭૨, ૮૧, ૮૮ મંગરસ (દ્વિતીય)-૮૧ મંગરાજ-૮૧ મંગરાજનિઘટુ-૮૭ મંજરીમકરંદ-૯૧ મદનવિજય-૭૮ મધુર-૨૨, ૩૩, ૬૩, ૭૨, ૮૧ મન્મથવિજય-૮૦ મલ્લ-૮૦ મલ્લિકાર્જુન-૭, ૧૦, ૭૦, ૭૨, ૭૪, ૭૬, ૭૯. મલ્લિનાથપુરાણ-૩૩, ૩૪, ૩૫, ૩૬, ૩૯ મહાબલ-૭૭, ૭૮ મહાભારત-૧, ૨, ૩, ૪, ૨૪, ૨૬, માઘ-૨, ૩. માધવચન્દ્ર-પ૬, ૫૭ મુનિવંશાવ્યુદય-૯૧ મોહાનુભવમુકુર-૭૦ મૃગપક્ષિશાસ્ત્ર-૪૮ થરેયંગ-૭૨ Page #281 -------------------------------------------------------------------------- ________________ યશસ્તિલક્યમ્પ-૭ર યશોધરકાવ્ય-૭૨, ૭૩ યશોધરચરિત-૭૦, ૭૧, ૭૨, ૭૩ યોગરત્નાકર-૯૦ રઘુવંશ-૩ -૯૦ હૃમત-૯૦ રત્નાકર-૮૩, ૮૪, ૮૫ રત્નાકર વર્ણ-૮૨ રત્નાકરાધીશ્વરશતક-૮૩ રન્ન-૧, ૩, ૧૧, ૧૪, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૬, ૨૭, ૨૮, ૩૧, ૩૨, ૬૬, ૬૯, ૭૨, ૭૫, ૭૭ રસકવિપ્રશસ્તિ-૨૬ રવિણ-૩૬, ૮૬ રસરત્નાકર-૮૮, ૮૯ રાઘવપાડવીય-૪૮, ૬૯ રાજાદિત્ય-૪૬, ૪૭ રાજાવલિ કથે-૪૦, ૬૪, ૯૧ રામકથાવતાર-૯૧ રામચન્દ્રચરિતપુરાણ-૩૪ રામાયણ-૨, ૩, ૪, ૬૯ રુદ્રભટ્ટ-૮૯ રુદ્રટ-૬૨ લીલાવતિ-૪૬, ૪૭, ૬૩, ૬૪ વજકુમારચરિતે-૯૦ વડારાધને-૧૧, ૨૭, ૩૧, ૩૨, ૪૩, ૮૦ વરરુચિ-૬૨ વરાશનુપચરિતે-૯૧ વર્ધમાનચરિત્ર-૬૭ વર્ધમાનપુરાણ-૬૫, ૨૬, ૨૭ વસ્તુકોશ-૬૦ વાભટ-૫૬ વાદિરાજ-૭૩ વાદીભસિંહસૂરિ-૮૨ . વામન-૨, ૬૨ વાલ્મીકીય રામાયણ-૩૭, ૩૮ વાસવદત્તા-૬૩ વિક્રમાર્જુનવિજય-૧, ૧૫, ૧૬ વિજયકુમારિકથે-૯૦ વિજયષ્ણ-૮૫ વિદ્યાનન્દ-૭, ૧૧, ૮૧, ૮૮ વિનયાદિત્ય-૭૨ વિમલસૂરિ-૩૬ વિમલોદય-૮ વીરેશચરિત્ર-પ૬ વેણીસંહાર-૨૬ વૈદ્યસાંગત્ય-૮૮, ૮૯ વ્યવહા૨ગણિત-૪૬ વ્યવહારરત્ન-૪૬, ૪૭ વૃત્તવિલાસ-૨૭, ૫૭, ૫૮, ૫૯ શબ્દમણિદર્પણ-૧૯, ૪૯, ૬૫, ૭૦, ૭૯, ૮૦ શબ્દાનુશાસન-૬૨ શાન્તરસ કવિ-૯૦ શાન્તિનાથ-૨૭, ૩૧, ૩૨ શાન્તિપુરાણ-૧૯, ૨૦ શાન્તીશ્વરપુરાણ-૭૬, ૭૭ શારદાવિલાસ-૮૮, ૮૯ શાસ્ત્રસાર-પ૭ શિવકોટ્યાચાર્ય-૧૧ શિવપુરાણ-૮૬ શિશુમાયણ-૮૫, ૮૬ Page #282 -------------------------------------------------------------------------- ________________ શૂદ્રક-૧૧ શ્રૃંગાર કવિ-૯૦ શ્રીધરાચાર્ય-૨૯ ૬૭ શ્રીપદાશીતિ-૬૬, શ્રીપાલચરિતે-૮૭, ૮૮ શ્રીવર્ધદેવ-૭, ૮ શ્રીવિજય-૭, ૮,૯, ૬૭ શ્રીહર્ષ-૩ શ્રુતકીર્તિ-૪૮, ૯૦ સકલકીર્તિ-૬૭ સનકુમારચરિતે-૮૬ સમન્તભદ્ર-૪, ૭૨ સમયપરીક્ષા-૪૭,૪૮, ૪૯ સમ્યક્ત્વકૌમુદી-૮૭, ૮૮ સલ૭૨ સાલ્વે-૮૮, ૮૯ સાળવ-૬૧ સાહસભીમવિજય-૨૨, ૨૩ (૬) સુકુમારચરિતે-૩૧, ૩૨, ૯૦ સુકુમારસ્વામિકથા-૩૧ સુબન્ધુ-૨, ૬૩ સુભદ્રાહરણ-૭૯ સૂક્તિસુધાર્ણવ-૧૦, ૭૦, ૭૬, ૭૯ સૂપશાસ્ત્ર-૮૭, ૮૮ સોમદેવસૂરિ–૭૨ સોમનાથ-૫૬, ૫૭ સ્મરતન્ત્ર-૭૦ હરિભદ્ર-૫૯ હરિવંશ-૨, ૪, ૧૧ હરિવંશાવ્યુદય-૬૮ હરિષણ-૫૮ હરિહ૨-૧૫ હર્ષચરિત-૨, ૪૪ હલાયુધ-૬૨ હેમચન્દ્ર-૮૯ Page #283 -------------------------------------------------------------------------- ________________ તામિલ જૈન સાહિત્ય-શબ્દાનુક્રમણિકા અત્તારિ-૧૮૨ એલારિ-૧૩૧, ૧૩૮, ૧૪૧, ૧૪૨ અમિતાસાગરર-૧૦૭, ૧૯૨ ઐતિણે એલુપદુ-૧૩૧ અરનૉરિ સારગુ-૧૩૨, ૧૩૩, ૧૪૨ ઐતિર્ણ પદુ-૧૩૧ અરના–ર-૧૫૨ ઓટ્ટ ક્કસૂર-૧૫૯, ૧૬૨ અર્કલ ચૅપ્પ-૧૨૨, ૧૩૨, ૧૩૩ કણિમેધાવિયાટ-૧૩૧, ૧૩૮, ૧૩૯ અવિનય નાટ-૧૯૧ કર્ણનું ચેન્દનાટ-૧૩૧ અવિનયમ્-૧૯૧, ૧૯૨ કપિલટ-૧૩૦ અવિરોધિયાર-૧૮૨ કલમ્બકમ-૧૮૨ અષ્ટ પદાર્થસાર-૧૧૧ કળવળિ નાર્પદુ-૧૩૦, ૧૩૫ અષ્ટાધ્યાયી-૧૦૮ કલિંગજી પરણિ-૧૭૯, ૧૮૦ આદિનાથ પિલ્લે તમિળુ-૧૮૨ કલિત્તર્ક-૧૨૪ આચાર કોવૈ-૧૩૧, ૧૩૯, ૧૪૧, કલૈક્ટોતુતતડુ-૧૨૧ ૧પ૩ કલ્લાડ-૧૨૩ ઇનિય નાર્પદ-૧૩૦, ૧૩૧, ૧૩૪, કારનાદુ-૧૩૦ ૧૩૯, ૧૪૮, ૧૪૧ કાવ્યપ્રકાશ-૧૧૮ ઈન્ના નાર્પદુ-૧૩૦, ૧૩૧, ૧૩૪, કિળિ વિરુત્તમુ-૧૪૩ ૧૩૯, ૧૪૦ કુડલ કેશી-૧૪૫, ૧૫૭, ૧૬૦, ઈરેયના અકપ્પા રુદ્-૧૨૪ ૧૭૩ ઈરેયનાર અટ્ટપ્પોળ-૧૯૦ કુન્દકુન્દાચાર્ય-૧૦૧, ૧૦૩, ૧૨૫ ઇલંગો અડિગળુ-૧૨૧, ૧૪૫, ૧૪૯, કત્રિલે-૧૩૧ ૧૫૩, ૧૫૪ ગુણભ્ર-૧૦૨, ૧૬૬, ૧૭૧, ૧૮૬ ઉત્તર પુરાણ-૧૦૨, ૧૮૬, ૧૮૮ ચિરિયતિરૂમડ-૧૬૧ ઉદયણ કુમાર કાવ્યમ્-૧૬૨ ચિર પંચ મૂલમુ-૧૩૧, ૧૩૮, ૧૪૦, ઉદયણન્ કર્થે-૧૬૦ ૧૪૨ ઉમાસ્વાતિ-૧૧૩ ચૂળામણિ-૧૦૨, ૧૦૪, ૧૬૯, ઉત્સ-૧૮૨ ૧૭૦, ૧૭૧, ૧૭૨, ૧૭૩ એક્તોકે-૧૧૯, ૧૨૧ ચૂળામણિ નિઘંટુ-૧૮૪, ૧૮૭, ૧૮૯ એલાચાર્ય-૧૨૫ ચેન્દ દિવાકરમ્-૧૭ Page #284 -------------------------------------------------------------------------- ________________ (૮) જક્કીરર-૧૨૫ તોલકાપ્પિયમ-૧૦૮, ૧૧૧, ૧૧૨, જયધવલા ટીકા-૧૦૨ ૧૧૫, ૧૧૬,૧૧૭, ૧૧૮, ૧૧૯, જાતક-૧૪૨ ૧૨૦, ૧૨૬, ૧૩૦, ૧૩૪, ૧૪૩, જિનસેના-૧૦૨ ૧૮૬, ૧૮૮, ૧૯૨ જીવક ચિન્તામણિ-૧૦૨, ૧૦૪, તોલકપ્રિય-૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૪૩, ૧૪૫, ૧૫૨, ૧૬૩, ૧૬૫, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૪, ૧૧૫, ૧૬૬, ૧૬૭, ૧૬૯, ૧૭૩, ૧૮૯ ૧૧૬, ૧૧૭, ૧૧૮, ૧૩૧, ૧૩૩ જૈનેન્દ્ર વ્યાકરણ-૧૭૭ તોલામોળિદેવ-૧૦૨, ૧૭૩ તયાળપ પરણિ-૧૫૯ દ૩િ અલંકારમુ-૧૯૧ તનિપ્પાડલ-૧૭૦, ૧૭૧ દર્શનસાર-૧૦૨, ૧૦૩, ૧૨૨ તિર્ણમૉલિ પદુ-૧૩૧ દિવાકરમ-૧૩૩, ૧૮૮, ૧૮૯, ૧૯૧ તિર્ણમાલે દુ-૧૩૯ દિવાકર મુનિ-૧૨૬ તિરુ કડુકમ્-૧૩૧, ૧૩૫, ૧૩૮, દીપકુડિજયંકોડાર-૧૮૧ ૧૩૯, ૧૪૭, ૧૪૨ દેવસેન-૧૦૨, ૧૦૩, ૧૨૨ તિરુક્કલમ્બકમ્-૧૮૨ ધર્માચરણસાર-૧૩૩ તિરુકુળુ-૧૧૧, ૧૨૩, ૧૨૪, નટ્ટિણ-૧૨૦ ૧૨૫, ૧૨૬, ૧૨૭, ૧૨૮, ૧૩૦, નેવુનલૂ વાડે-૧૨૫ ૧૩૧, ૧૩૧, ૧૩૩, ૧૩૫, ૧૩૭ નન્નરિ-૧૪૨ તિરુજ્ઞાનસમ્બન્ધ-૧૦૨ નકૂલ-૧૦૫, ૧૧૧, ૧૯૧ તિરુતક્કદેવ-૧૦૨, ૧૦૪, ૧૪૩, નર્નિર્ણ-૧૫૩ ૧૬૫ નળવળિ-૧૪૨ તિરુનાવુકરશર-૧૩૪ નલ્લાતનાટ-૧૩૧, ૧૩૫, ૧૩૮ તિરુમંગે આળવાર-૧૬૧, ૧૬૨ નાટ્યશાસ્ત્ર-૧૧૮ તિરુવલ્લુવાલે-૧૨૩, ૧૨૪ નાનું મણિ કડિકૈ-૧૩૦, ૧૩૧, ૧૫૩ તિરુવલ્લુવર્-૧૨૩, ૧૨૪, ૧૨૫, નાનું મણિ ઘટિકે-૧૩૯ ૧૨૬, ૧૨૭, ૧૨૮, ૧૨૯, ૧૩૦, નારદ ચરિતૈ-૧૭૬. ૧૩૧, ૧૫૮ નાવડિયાર-૧૩૦, ૧૩૫, ૧૩૬, ૧૩૭ તેયવચ્ચિ તૈયાર-૧૧૪ નિગંટનું કલેક્નોક્ત તન્ડનાટ-૧૨૦ તેવારમ્-૧૦૯, ૧૨૩, ૧૩૪, ૧૩૫, તિર્ણ માલૈ નરૈમદુ-૧૩૧ ૧૪૩, ૧૪૪, ૧૫૩, ૧૫૮, ૧૮૧ નિરુદ્દત્તારિ-૧૮૨ ત્રેસઠ શલાકા પુરુષ ચરિત-૧૮૬ Page #285 -------------------------------------------------------------------------- ________________ નીતિનાટવિળક્કમ્-૧૪૨ નીતિ નૂલ-૧૪૨ નીલકેશી-૧૨૬, ૧૫૭, ૧૫૮, ૧૫૯, ૧૭૬ નેમિનાથમ્-૧૨૩ પંચતન્ત્ર-૧૪૨, ૧૬૩ પંચાસ્તિકાયસાર-૧૦૧ પિંગલન્દે-૧૨૯, ૧૯૧ પટ્ટિનપ્પાલૈ-૧૩૯ પણસ્વારનાટ-૧૦૮ પતંજલિ-૧૧૮ પતિદ્રુપત્તુ-૧૦૪ પશુપાž-૧૧૯, ૧૨૪ પદુમનાર-૧૩૬ પત્રિ પાટ્ટિયલ-૧૩૪, ૧૮૨ પ્રવયિન મુસ્લિયા૨-૧૩૧ પરુશિયલ મુળ્ળ-૧૩૧ પણ્ માળિનાનૂર-૧૩૧, ૧૩૭ પાટ્ટિયલ મરપુરૈયાર-૧૯૦ પાણિનિ-૧૧૮ પૉકૈયાર-૧૩૦ પારિપાડલ-૧૨૪ પુરિત્ત રટ્ઠ-૧૭૬, ૧૭૭ પૂતમ્ ચેન્જના૨-૧૩૦ પૂરનાનૂર-૧૫૨ પેરિયમ્ પુરાણમ્-૧૮૧ પેૐ કથૈ-૧૫૨, ૧૬૦, ૧૬૨ પેરુન્તવના૨-૧૮૬ પ્રવચનસાર-૧૦૧ ભરત મુનિ-૧૧૮ ભવનન્દી-૧૦૫, ૧૧૧ ભારતમ્-૧૮૬, ૧૮૭ 19 (૯) મંડલ પુરુડર-૧૮૭, ૧૮૮ (મણ્ડલ પુરુષટ્) મણમૂલ શુભવિવાહ ગ્રંથ-૧૬૩ મણિ મેઠાલૈ-૧૩૩, ૧૪૫, ૧૫૪, ૧૫૫, ૧૫૬, ૧૫૭, ૧૬૦, ૧૬૧, ૧૬૨, ૧૭૩ મદુરે કષ્ણન્ કુન્તનાર-૧૩૦ મદુરૈ કૂડફ્લૂ કિલાર્-૧૩૧ મલ્લિ સેજાચારિય-૧૫૮ મહાપુરાણ-૧૬૬ મહાવંશ-૧૦૧, ૧૧૯ માક્કાયન્ માણાક્કનાર્માક્કારિ આશાન્ ૧૩૧, ૧૩૮ મામૂલટ ટ્ટિયલ-૧૯૦ મારન્ પૉરૈયનાર-૧૩૧ મૃદુ મૉલિ કોચિ-૧૩૧, ૧૩૫, ૧૩૯ મુનૈ પ્પાડિયા૨-૧૩૨ મુત્તુરૈ અરૈયના૨-૧૩૧ મૂવાદિયર-૧૩૧ મેરુમન્થર પુરાણમ્-૧૦૮, ૧૫૮, ૧૭૬, ૧૭૭ યશોધર કાવ્યમ્-૧૦૪, ૧૭૪, ૧૭૫ યાúકલકારિકૈ-૧૩૪ યાüગલ વૃત્તિ-૧૫૯, ૧૬૬, ૧૭૧, ૧૮૨, ૧૯૧ યાüગલમ્-૧૯૨ યાપ્પકલ કકારિકૈ-૧૦૭ યાપકલ વૃત્તિ-૧૦૭ રામાયણ-૧૫૨ લલિત વિસ્તાર-૧૧૯ લીલાતિલક-૧૮૭ લોકવિભાગમ્-૧૦૩ Page #286 -------------------------------------------------------------------------- ________________ (૧૦) વરરુચિ-૧૧૮ વર્તમાન દેવર-૧૬૯ વળયા પતિ-૧૪૫, ૧૫૯, ૧૬૦, ૧૭૩ વાકુમ્હામૂ-૧૪૨ વામન મુનિ-૧૦૮, ૧૭૬, ૧૭૭ વાસવદત્તા-૧૬૧ વિળમ્બિ નાગનાટ-૧૩૦ વીરચોળિયમ-૧૩૪, ૧૮૭ વીરસેન-૧૦૨ વેણાવલુડેયાર વેળ-૧૭૫ બૃહત્કથા-૧૬૦, ૧૬૧ શેત્તમિળુ-૧૫૯ શાન્તિ પુરાણમુ-૧૭૬, ૧૭૭ શિલપ્પધિકાર-૧૨૧, ૧૨૨, ૧૨૪, ૧૩૩, ૧૪૩, ૧૪૫, ૧૪૮, ૧૫૦, ૧૫૨, ૧૫૩, ૧૫૪, ૧૫૫, ૧પ૬, ૧૫૭, ૧૬૦૧૭૨, ૧૭૮, ૧૮૬ શીત્તલૈચાત્તનાર-૧૩૫ શુક સપ્તશતી-૧૪૩ સમય દિવાકર વામન મુનિ-૧૫૮ સમયસાર-૧૦૧ સર્વનન્દી-૧૦૩ સ્વોપજ્ઞભાષ્યમ્-૧૧૩ હરિવંશ પુરાણ-૧૦૨ હિતોપદેશ-૧૪૨ હેનસાંગ-૧૫૯ શ્રીપુરાણમ્-૧૭૧, ૧૭૬, ૧૮૬ Page #287 -------------------------------------------------------------------------- ________________ અંજના સુંદરી-૨૩૮ અંતરિક્ષ પાર્શ્વનાથ આરતી-૨૨૭ મરાઠી જૈન સાહિત્ય-શબ્દાનુક્રમણિકા અઠાઈવ્રતકથા-૨૧૯ અનન્તકીર્તિ-૨૨૮ અનન્તનાથ આરતી-૨૨૩ અનન્તનાથ સ્તોત્ર-૨૨૨ અનન્તવ્રતકથા-૨૧૨, ૨૧૫, ૨૨૧, ૨૨૪ અભયકીર્તિ-૨૧૨ અમૃતચન્દ્રાચાર્યચરિત-૨૩૯ અરહંત આરતી-૨૨૦ અરહંતપૂજા-૨૧૮, ૨૩૦ અર્જુનસુત-૨૨૬ અશૌચનિર્ણયચર્ચા-૨૩૫ અષ્ટકર્મપ્રકૃતિ-૨૨૨ અહિરાણી ગીત-૨૨૨ આચાર્યશાન્તિસાગરચરિત-૨૩૮ આત્માનુશાસન-૨૩૮ આદિત્યવ્રતકથા-૨૧૨,૨૨૪,૨૨૬ આદિનાથ આરતી-૨૧૫, ૨૨૬ આદિનાથપંચકલ્યાણકથા-૨૩૦ આદિનાથપુરાણ-૨૧૯ આદિનાથરાસ-૨૧૯ આદિનાથસ્તોત્ર-૨૨૪ આદીશ્વર ભવાન્તર-૨૨૧ આપ્તમીમાંસા-૨૩૭ આરાધના કથાકોશ-૨૩૧ ઉત્તર પુરાણ-૨૩૬, ૨૩૭ ઉપદેશરત્નમાલા-૨૩૧, ૨૩૩ ઋષભપૂજા-૨૨૩ કંસાચે પદ-૨૨૨ કયકો-૨૨૪ કર્માષ્ટમીવ્રતકથા-૨૨૫ કાલિકાપુરાણ-૨૨૧ કલ્લાપ્પા ભરમાપ્પા નિટવે-૨૩૭ કવીન્દ્રસેવક-૨૨૯ કામરાજ-૨૧૦ કુન્દકુન્દ્રાચાર્યચરિત-૨૩૭ કુલભૂષણદેશભૂષણચરિત-૨૩૮ કૈલાસ છપ્પય-૨૨૬ કોતકો-૨૩૪ કૃષ્ણગીત-૨૧૦ કૃષ્ણાજીનારાયણ જોશી-૨૩૬ ક્રિયામંજરી-૨૩૭ ક્ષમાગીત-૨૦૮ ક્ષેત્રપાલ આ૨તી-૨૨૬ ક્ષેત્રપાલ પૂજા-૨૧૮ ક્ષેત્રપાલસ્તોત્ર-૨૨૪ ગંગાદાસ-૨૧૮ ગજકુમારચરિત-૨૩૮ ગરુડપંચમીવ્રતકથા-૨૧૯ ગાન્હાણે-૨૦૭ ગુણકીર્તિ-૨૦૮, ૨૨૦, ૨૨૧, ૨૨૯ ગુણકીર્તિ અનુપ્રેક્ષા-૨૧૨ ગુણદાસ-૨૦૭, ૨૨૮ ગુણનન્દિ-૨૧૧ Page #288 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ગુણભદ્રાચાર્યચરિત-૨૩૯ ગુણબ્રહ્મ-૨૦૮ ગુરુ આરતી-૨૨૩, ૨૨૮, ૨૩૨ ગુરુ ગીત-૨૧૫ ગોમ્મટસ્વામી ગીત-૨૧૦ ગોમ્યુટસ્વામીસ્તોત્ર-૨૧૫ ગ્રંથપરીક્ષા-૨૩૮ ચક્રવર્તી પાલના-૨૧૮ ચન્દ્રકાન્તા-૨૩૯ ચન્દ્રકીતિ-૨૩૨ ચન્દ્રનાથ આરતી-૨૨૩ ચન્દ્રપ્રભની આરતી-૨૧૫ ચવડે બંધુ-૨૩૬ ચિન્તામણિ-૨૦૮, ૨૨૦, ૨૨૧ ચિત્તામણિ આરતી-૨૨૦ ચિમના પંડિત-૨૧૪, ૨૧૫ ચૈતન્ય ફાગ-૨૧૧ ચોવીસ તીર્થંકરસ્તુતિ-૨૨૫ ચોવીસ તીર્થકર આરતી-૨૨૭ છત્રસેન-૨૨૧ છહઢાલા-૨૩૯ જગદુદ્ધારક જૈનધર્મ-૨૩૯ જટામુકુટ-૨૧૮ જટાશંકર-૨૩૯ જનાર્દન-૨૨૮ જબૂસ્વામીચરિત્ર-૨૧૩, ૨૧૭ જયકુમાર સુલોચના-૨૩૮ જસોધરરાસ-૨૧૦ જાતિની મીમાંસા-૨૩૮ જિનકથા-૨૨૪ જિનગુણાલાપ-૨૩૮ જિનચતુર્વિશતિ-૨૩૬ જિનદાસ-૨૦૭, ૨૦૯, ૨૧૬, ૨૨૧ જિનદાસ પાર્શ્વનાથ ફડકુલે-૨૪૦ જિનમાતાના ૧૬ સ્વરૂપોનું વર્ણન-૨૧૫ જિનરાત્રિવ્રતકથા-૨૨૫ જિનવરવિનતી-૨૧૭ જિનસાગર-૨૨૩, ૨૨૪ જિનસેન-૨૩૩ જિનસેનાચાર્યચરિત-૨૩૯ જિનસ્તુતિ-૨૨૨ જિનેન્દ્રગુણસંતુતિ-૨૪૦ જિનેશ્વર આરતી-૨૨૭. જીવન્ધર પુરાણ-૨૨૩ જીવન્દર રાસ-૨૨૩ જીવરાજ ગૌતમચન્દ્રદોશી-૨૩૭ જૈનકથાસંગ્રહ-૨૪૦ જૈનકીર્તનતરંગિણી-૨૪૦ જૈનદર્શનસાર-૨૩૮ જૈનધર્મવિષયક આક્ષેપોનું નિરસન-૨૩૯ જૈનધર્માચી માહિતી-૨૩૫ જૈનધર્માદર્શ-૨૩૯ જૈનધર્મામૃતસાર-૨૩૮ જૈનબોધક-૨૩૫, ૨૩૭, ૨૩૮ જૈન ભજનામૃત પદ્યાવલી-૨૩૯ જૈન ભજનામૃત સંગીતપદ-૨૩૬ જૈન રામાયણ-૨૪૦ જૈન તથા હિન્દુ-૨૩૯ જૈનવાગ્વિલાસ-૨૩૮ જૈનવ્રતકથાસંગ્રહ-૨૩૬ જયેષ્ઠ જિનવરપૂજા-૨૨૪ જ્વાલામાલિનીપૂજા-૨૩૦ Page #289 -------------------------------------------------------------------------- ________________ (૧૩) જ્ઞાનોદય-૨૩૪ ક્લના-૨૨૨ ઠકાપ્પા-૨૩૩ તત્ત્વભાવના-૨૪) તત્ત્વાર્થસૂત્ર-૨૩૭, ૨૩૮ તાત્યાકેશવ ચોપડે-૨૩૯ તાત્યા નેમિનાથ પાંગળ-૨૩૭ તા– પંડિત-૨૨૬ તીર્થકરોની પ્રાચીનતા-૨૩૯ તીર્થકર ચરિત્ર-૨૩૭ તીર્થકર ભૂપાલી-૨૩૦ તીર્થંકરસ્તુતિ-૨૩૦ તીર્થવન્દના-૨૧૦, ૨૧૫, ૨૧૮ તુગીબલભદ્રપૂજા-૨૧૮ તુકુજી-૨૩૪ ત્રિકાલ તીર્થંકર પૂજા-૨૧૫ ત્રેપનક્રિયા વિનતી-૨૧૮ ત્રવર્ણિકાચાર-૨૩૭ દત્તાત્રય ભિમાજી રણદિવે-૨૩૮ દયાભૂષણ-૨૧૪ દયાસાગર-ર૧૪, ૨૧૯ દયાસાગર (દ્વિતીય)-૨૩૧ દશભક્તિ-૨૪૦ દશલક્ષણધર્મ આરતી-૨૧૮, ૨૨૪ દેશલક્ષણ ધર્મ સવૈયા-૨૨૫ દશલક્ષણ વ્રતકથા-૨૨૮, ૨૩૦ દાનપ્રશંસા-૨૩૦ દાનશીલતપભાવના-૨૧૩, ૨૧૪ દામા પંડિત-૨૧૩, ૨૧૪, ૨૧૭ દિનાસા-૨૨૭ દિલસુખ-૨૩૨ દેવીપદ્માવતીલાવણી-૨૩૨ દેવેન્દ્રકીર્તિ-૨૨૧ દેવેન્દ્રકીર્તિશિષ્ય-૨૨૭ દિૌપદીહરણ–૨૨૨ દ્વાદશાનુપ્રેક્ષા-૨૪૦ દ્રવ્યસંગ્રહ-૨૩૬ ધન્વા ગીત-૨૦૯ ધર્મપરીક્ષા-૨૨૧ ધર્મસાગ-૨૧૧ ધર્મામૃત-૨૦૮, ૨૨૯ ધર્મામૃતપુરાણ-૨૧૪ ધર્મશર્માસ્યુદય મહાકાવ્ય-૨૩૬ નન્દીશ્વર આરતી-૨૨૨ નન્દીશ્વર પૂજા-૨૨૪ નન્દીશ્વર વ્રતકથા-૨૧૯ નગરતારકા-૨૩૯ નયનતારા-૨૩૯ નવકારમ–પ્રકૃતિ-૨૧૩ નવગ્રહ આરતી-૨૩૨ નવગ્રહ પૂજા-૨૨૪ નવધાભક્તિ ચર્ચા-૨૩૫ નવવાડી-૨૨૭ નાગકુમારચરિત-૨૪૦ નાગેન્દ્રકીર્તિ-૨૩૨ નાગો આયા-૨૧૧ નાના રામચન્દ્ર નાગ-૨૩૬ નિર્દોષસપ્તમીકથા-૨૨૪ નિર્દોષસપ્તમીવ્રતકથા-૨૨૦ નિર્દોષસપ્તમીવ્રતોદ્યાપન-૨૨૭ નિર્માલ્યદ્રવ્યચર્ચા-૨૩૫ નીબા-૨૨૨ નીલીચરિત-૨૩૮ નેમિદત્ત-૨૩૧ Page #290 -------------------------------------------------------------------------- ________________ નેમિનાથઆરતી-૨૧૮, ૨૨૭ નેમિનાથ જિનદીક્ષા-૨૦૯ નેમિનાથ પાલના-૨૦૮, ૨૧૫ નેમિનાથ ભવાન્તર-૨૧૫, ૨૨૦, ૨૨૫ નેમિનાથ વન્હાડ-૨૧૩ નેમિનાથ વિવાહ-૨૦૯ નેમીશ્વર ગીત-૨૨૦, ૨૨૨ નેમીશ્વર રાજીમતી ફાગ-૨૦૯ ન્યાહાલ-૨૨૭ પંચકલ્યાણિક-૨૩૭ પંચપરમેષ્ઠિઆરતી-૨૩૬ પંચપરમેષ્ઠી સ્તુતિ-૨૩૦ પંચમેરુપૂજા-૨૧૮, ૨૨૨, ૨૨૪ પંચસ્તવનાવસૂરિ-૨૧૨ પંચાસ્તિકાય-૨૩૭ પંઢરપુર કા વિઠોબા-૨૩૯ પંચ સાબાજી–૨૧૬ પાંડવપુરાણ-૨૩૩, ૨૪૦ પદ્મકીર્તિ-૨૧૭ પદ્મપુરાણ-૨૦૮, ૨૨૦, ૨૨૧, ૨૪૦ પદ્માવતી આરતી-૨૨૧, ૨૨૪, ૨૨૬ પદ્માવતી પાલના-૨૨૮ પદ્માવતી શ્રૃંગા૨-૨૩૨ પદ્માવતી સ્તોત્ર-૨૧૮, ૨૨૨, ૨૨૪ પરમહંસકથા-૨૧૧ (૧૪) પાર્શ્વનાથ આરતી-૨૧૭, ૨૨૬ પાર્શ્વનાથની આરતી-૨૧૫ પાર્શ્વનાથની સ્તુતિ-૨૨૬ પાર્શ્વનાથચરિત્ર-૨૩૬ પાર્શ્વનાથપૂજા-૨૨૨ પાર્શ્વનાથ ભવાંતર-૨૧૦ પાર્શ્વનાથ ભવાંતરગીત-૨૧૮ પાર્શ્વનાથ સ્તોત્ર-૨૧૮, ૨૨૪ પાસકીર્તિ-૨૧૨, ૨૧૪ પુણ્યસાગર-૨૦૮, ૨૦૯, ૨૧૬ પુણ્યસાગ૨ (દ્વિતીય)-૨૨૧ પુણ્યાશ્રવકથાકોશ-૨૩૩ પુરુષાર્થસિપાય-૨૩૬ પુષ્પાંજલિવ્રતકથા-૨૨૪ પૂજા તથા સઘઃસ્થિતિ-૨૧૯ પૂજ્યપાદાચાર્યચરિત-૨૩૯ પ્રતિક્રમણ-૨૩૭ બહુતરી-૨૧૩ બારસભા આરતી-૨૧૮ બારામાસી-૨૨૭ બાલક છાટી-૨૧૫ બોધામૃતસા૨-૨૪૦ બો૫-૨૩૦ બ્રહ્મગુણદાસ-૨૦૮ બ્રહ્મજિનદાસ-૨૦૮, ૨૧૭, ૨૧૯, ૨૨૦ ભક્તામર સ્તોત્ર-૨૨૪ ભગવાન નેમિનાથ-૨૩૮ ભવિષ્યદત્ત-બન્ધુદત્તપુરાણ-૨૧૪ ભાનુકીર્તિ-૨૧૪ ભારતી સચિત્ર બાલબોધ-૨૩૭ ભાવસંગ્રહ-૨૪૦ ભીમચન્દ્ર-૨૨૮ ભુવનકીર્તિ-૨૦૮ ભૂપાલી-૨૧૫ મકરન્દ-૨૧૯ મનોરમા-૨૩૯ મન્હારી ગીત-૨૧૦ મહતિસાગર-૨૩૦ Page #291 -------------------------------------------------------------------------- ________________ મહાકીર્તિ-૨૨૦ મહાપુરાણ-૨૨૨, ૨૩૭ મહાપુરાણની આલોચનાની સમીક્ષા ૨૩૮ મહાપુરાણામૃત-૨૩૯ મહાવીર આરતી-૨૨૪ મહાવીર ચરિત્ર-૨૩૬ મહાવીર પાલના-૨૨૦ મહીચન્દ્ર-૨૧૯, ૨૨૦ માણિક-૨૩૨ માણિકનન્દિ-૨૨૩ મુક્તાગિરિ પાર્શ્વનાથ આરતી-૨૨૯ મુનિસુવ્રતની વિનતી-૨૧૫ મેઘમાલાવ્રતકથા-૨૨૫ મેઘરાજ-૨૧૦ યમાસા-૨૨૬ યશોધરચરિત્ર-૨૧૧ યશોધરપુરાણ-૨૧૨ યાદવસુત-૨૨૨ રતન-૨૨૭ રત્નકરણ્ડવચનિકાનો અનુવાદ-૨૩૮ રત્નકીર્તિ-૨૩૧ રત્નત્રય આરતી-૨૨૨ રત્નત્રયમાર્ગ પ્રદી૫-૨૩૭ રત્નત્રયવ્રત કથા-૨૩૦ રત્નમાલા-૨૪૦ રત્નસા-૨૧૭ યણસાર-૨૩૭ રવિવ્રતકથા-૨૧૮, ૨૨૭, ૨૩૦, ૨૩૨ રવિવારવ્રતકથા-૨૧૬ રાધવ-૨૨૮ (૧૫) રાત્રિભોજનત્યાગકથા-૨૪૦ રામકીર્તિ-૨૨૧ રામચન્દ્ર-૨૦૯ રામચન્દ્ર હલઘુલિ-૨૦૭ રામટેછન્દુ-૨૧૯ રામટેક શાંતિનાથ વિનતી-૨૨૭ રામાયણ-૨૦૮ રામાયણરાસ-૨૦૭ રામયણી કથા-૨૧૦ રાય-૨૧૭ રાયા-૨૩૪ રાવજી નેમચન્દ શહા-૨૩૯ રાવજી સખારામ દોશી-૨૩૯ રુક્મિણીવ્રતકથા-૨૧૬ રુક્મિણીહ૨ણ-૨૦૯ રૂપિણી-૨૩૮ લક્ષ્મીચન્દ્ર-૨૨૫ લક્ષ્મીસેન શિષ્ય-૨૩૩ લવાંકુશ ચરિત્ર-૨૩૬ લહુ-અંકુશ કથા-૨૨૪ લાવણી-૨૩૦ વિંચૂગીત-૨૦૮ વન્દે જિનવરમ્-૨૩૭ વિવેકવિલાસ-૨૦૯ વિશાલકીર્તિ (પ્રથમ)-૨૧૬ વિશાલકીર્તિ (દ્વિતીય)-૨૧૭ વિશ્વતત્ત્વપ્રકાશ-૨૧૨ વીતરાગસ્તોત્ર-૨૨૪ વીરદાસ-૨૧૨, ૨૧૩ વૃષભ-૨૨૭ વર્ધમાનચરિત્ર-૨૪૦ શાન્તિનાથ આરતી-૨૨૪ Page #292 -------------------------------------------------------------------------- ________________ (૧૬) શાન્તિનાથ ચરિત-૨૧૦ શાન્તિનાથસ્તોત્ર-૨૨૦, ૨૨૪ શાસનદેવતાપૂજનચર્ચા-૨૩૫ શિવાનેમિસંવાદ-૨૨૨ શીતલનાથ આરતી-૨૨૩ શીલપતાકા-૨૨૦ શ્રાવકાચાર-૨૩૭ શ્રીપાલચરિત-૨૪૦ શ્રીપુર પાર્શ્વનાથ આરતી-૨૧૮ શ્રીપુર પાર્શ્વનાથસ્તોત્ર-૨૪૦ શ્રુતાવતાર-૨૩૯ શ્રેણિકચરિત્ર-૨૦૭, ૨૨૮ પપાહુડ-૨૩૭ ષોડશકારણભાવના-૨૩૬ ષોડશકારણવ્રતકથા-૨૩૦ સંગીતગર્વપરિહારનાટક-૨૩૬ સંગીત જૈન કીર્તિનાવલી-૨૩૬ સંગીત નિર્વાણક્ષેત્રપૂજા-૨૩૬ સંબોહસુશીલ મનોરમા-૨૩૬ સંબોધસહસ્ત્રપદી-૨૩૦ સંમેદાચલપૂજા-૨૧૮ સકલકીર્તિ-૨૦૮, ૨૩૩ સકલભૂષણ-૨૩૧, ૨૩૩ સજ્જનચિત્તવલ્લભ-૨૩૬ સટવા-૨૨૨ સતી અનન્તમતી-૨૩૭ સમવસરણ આરતી-૨૨૬ સમવસરણ ષપદી-૨૨૨ સન્મેદશિખરમાહાભ્ય-૨૩૨ સમ્યક્તકૌમુદી-૨૧૪, ૨૧૯, ૨૨૧, ૨૩૭ સયા-૨૨૫ સરસ્વતી આરતી-૨૨૨, ૨૨૪ સાગારધર્મામૃત-૨૩૭ સાર્વધર્મ-૨૩૮ સિદ્ધસેનની આરતી-૨૨૭ સિદ્ધાન્ત પ્રવેશિકા-૨૩૮ સિદ્ધાન્ત સાર સંગ્રહ-૨૪૦ સીતાદિવ્યગીત-૨૦૯ સીતાશીલપરીક્ષા-૨૩૮ સીતાશીલમાહાભ્ય-૨૩૬ સુગન્ધદશમીકથા-૨૨૪ સુગન્ધદશમીવ્રતકથા-૨૧૬ સુદર્શનચરિત્ર-૨૧૦, ૨૧૨, ૨૧૩, ૨૪૦ સુપાર્શ્વનાથ આરતી-૨૨૫, ૨૨૬ સુભાષિતાવલી-૨૩૬ સુમતિ-૨૩૮ સુમતિપ્રકાશ-૨૨૯ સૂરિજન-૨૧૧ સેટિમાહાભ્ય-૨૨૯ સેઠહિરાચંદ નેમચંદ દોશી-૨૩૫ સોયરા-૨૨૫, ૨૨૬ સ્વયમ્ભસ્તોત્ર-૨૪૦ સ્વાત્મવિચાર-૨૩૨ હનુમાનચરિત્ર-૨૩૬ હનુમાન પુરાણ-૨૩૧ હરિવંશપુરાણ-૨૦૯, ૨૧૬ હરિવંશરાસ-૨૦૭ હેમકીર્તિ-૨૧૮ Page #293 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજની ગોદમાં, નજરે નિહાળતાં, મનને હરી લેતા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન-સમવસરણ મહામંદિરની આછેરી ઝલક જગતના તમામ ધર્મોમાં જૈન ધર્મની એક મહત્તા એનાં ભવ્ય, અલૌકિક અને અધ્યાત્મભાવનાથી ભરપૂર તીર્થો છે. આ તીર્થો ભક્તની ભક્તિ, શ્રેષ્ઠીની દાનવીરતા, સાધકની ઉપાસના અને સાધુજનોની સમતાનો સંદેશ આપીને સંસારસમુદ્ર તરવા માટે જિનભક્તિનો ઉપદેશ આપે છે. સમગ્ર દેશમાં જ નહિ બ૯ વિદેશોમાં અનેક જિનાલયો આવેલાં છે, પરંતુ આ બધા જિનાલયની યાત્રા કરીને પોતાની ભક્તિભાવનાને ધન્ય કરવાની પળ સહુને સાંપડતી નથી. ક્યારેક શારીરિક કે આર્થિક શક્તિ ન હોય, તો ક્યારેક સમય કે સગવડનો અભાવ હોય. આથી જ પાલિતાણામાં આવેલા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિરમાં એક સાથે અનેક તીર્થોનાં દર્શન અને ભાવપૂજનનો લાભ મળે છે. જાણે તીર્થોનું સંગમસ્થાન જ જોઈ લો ! ગિરિવર દર્શન વિરલા પાવે આ સંગમસ્થાન તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ ચડતાં જ જમણી બાજુ આવેલું છે. દેશ અને વિદેશના ખૂણે ખૂણેથી પ્રત્યેક જૈન તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરવાની સદૈવ ઝંખના રાખતો હોય છે. આથી જ શ્રી ૧૦૮ તીર્થદર્શન ભવન પાલિતાણામાં નિર્માણ કરવામાં આવ્યું, જેથી સિદ્ધગિરિની યાત્રાએ આવનાર યાત્રાળુને અનોખો તીર્થદર્શન, વંદન અને પૂજનનો ધર્મમય સુયોગ સાંપડે છે. નિમિત્ત માત્રમ્ આની રચનાનું નિમિત્ત સુરત દેસાઈ પોળના શ્રી સુવિધિનાથ જિનમંદિરમાં શ્રી દેસાઈ પોળ પેઢીના સંસ્થાપક ધર્મનિષ્ઠ ડાહ્યાભાઈ (કીકાભાઈ) રતનચંદ કિનારીવાળાએ તૈયાર કરાવેલ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન બન્યું. અહીં પ્રાચીન તીર્થોના મૂળનાયકજીના ૩૬ * ૩૦ ઇંચની સાઇઝનાં ચિત્રો દીવાલ પર બિરાજમાન કરવામાં આવ્યાં. પરમપૂજય ધર્મરાજ આચાર્ય દેવ શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી મહારાજ તથા પ. પૂ. પંન્યાસજી (હાલ આચાર્ય મ.સા.) શ્રી ચંદ્રોદયવિજયજી ગણિ મહારાજની નિશ્રામાં વિ.સં. ૨૦૨૪ના કારતક વદ૨ના રોજ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ ડાહ્યાભાઈએ ૧૦૮ તીર્થોનો એક પટ્ટ બહાર પાડ્યો. પછી પોતાના દીક્ષા ગ્રહણના દિવસે જ વિ. સં. ૨૦૨૬ પોષ સુદ ૧૧ના ૧૦૮ તીર્થદર્શનાવલિનામક એક આલબમ પ્રકાશિત કર્યું. જેમાં ૧૦૮ તીર્થના મૂળનાયકજી, દેરાસર અને તેમનો ઇતિહાસ લેવામાં આવ્યો. 19 Page #294 -------------------------------------------------------------------------- ________________ (II) લોકઆદર પામેલ આનું નિમિત્ત જોઈને વિ. સ. ૨૦૨૮માં સુરેન્દ્રનગરમાં શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો. પૂજ્ય ધર્મરાજા ગુરુદેવશ્રીની સ્ફુરણા થાય છે સાકાર ૪૫૦ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન અને શ્રી સમવસરણ મહામંદિર, સરસ્વતી મંદિરની બાજુમાં (બાબુના દેરાસરની સામે) વીસ હજાર વાર ૪૦૦ ફૂટ લંબાઈ-પહોળાઈવાળી વિશાળ જમીન પર તૈયાર કરવામાં આવ્યું છે. ૨૫૦૦ વર્ષ પહેલાં તીર્થંકર પરમાત્મા શ્રીમહાવીર સ્વામી જેમાં બિરાજમાન હશે, એ સમવસરણ કેવું હશે ? જિનાગમો, સમવસરણસ્તવ આદિ પ્રાચીન સ્તવો, સ્તવનોમાં અને અન્યત્ર પણ સમવસરણ સંબંધી ઉલ્લેખ મળે છે તે જ રીતે કેટલાય શિલ્પીઓએ પોતાની કલા તેમજ આગવી સૂઝથી એની રચનાનો ખ્યાલ આપ્યો છે, તો કેટલાંય ચિત્રકારોએ એનાં ચિત્ર પણ બનાવ્યાં છે. પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ પોતાના ધ્યાનમાં શ્રી સમવસરણનું ચિંતન કરતા હતા. આ સમયે ૧૦૮ જૈન તીર્થદર્શન ગોઠવવાની વિચારણા ચાલી રહી હતી. એવામાં એકાએક તેઓશ્રીને એક નૂતન વિચાર સ્ફૂર્યો. એમણે વિચાર્યું કે સમવસરણ પણ બનાવવું અને તેમાં ૧૦૮ તીર્થો આવી જાય તેવી રમણીય રચના કરવી. એવી સરસ ગોઠવણી ક૨વી કે જેથી વર્તમાન ચોવીશી, ૧૦૮ પાર્શ્વનાથજી, ૧૦૮ તીર્થપટ્ટો તથા ૧૦૮ ચિત્રપટ્ટો વગેરે બધું જ આ સંગમમાં મહાસંગમ બની રહે... સમવસરણની સફળતાના સુકાની પૂજ્ય ગુરુ ભગવંતો પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજની શિલ્પ-સ્થાપત્ય સંબંધી સૂઝ–બૂઝના સહારા સાથેના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ પૂજ્ય તપસ્વી મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ. સા.ની જહેમતથી આ કાર્ય સારી એવી સફળતાને પામ્યું. તેમજ આ તીર્થધામના ઉત્થાનમાં માર્ગદર્શન પૂજ્યાચાર્ય મહારાજ તથા તેઓશ્રીના ગુરુબંધુ ૫. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., ૫.પૂ.આચાર્ય શ્રી વિજય જયચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.પં. શ્રી પ્રમોદચંદ્રવિજયજીગણી મ.સા., પ.પૂ.પં. શ્રી અજિતચંદ્રવિજયજી ગણિ મ.સા., ૫.પૂ.પં. શ્રી વિનીતચંદ્રવિજયજી ગણિ મ.સા., પ.પૂ.પં. શ્રી હ્રીંકારચંદ્રવિજયજી ગણિ મ.સા., પ.પૂ.પં. શ્રી પુષ્પચંદ્રવિજયજી ગણિ, પં. શ્રી સોમચંદ્ર વિ.મ., ૫.પૂ. મુનિશ્રી અમરચંદ્ર વિ.મ., પ.પૂ. મુનિ કૈલાસચંદ્ર વિ.મ., પૂ. મુનિ શ્રી રાજચંદ્ર વિ. મ. આદિ ધર્મરાજા પૂજ્ય ગુરુદેવના શિષ્ય-પ્રશિષ્ય સમુદાયનો અથાક પ્રયત્ન પણ નિમિત્તરૂપ બનેલ છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ II) વિશ્વમાં અજોડ શ્રી સમવસરણ મહામંદિર શ્રી સમવસરણ મહામંદિર જોનારને પ્રથમ નજરે જ જાણે આકાશમાંથી ઊતરી આવ્યું હોય તેવું લાગે છે. જેમાં શ્રી પાર્શ્વનાથજી ૧૦૮, તીર્થપટ્ટો ૧૦૮ અને ચિત્રપટ્ટો પણ ૧૦૮ છે. તેની ઊંચાઈ પણ ૧૦૮ ફૂટની રાખી છે. મહા મંદિરમાં પ્રવેશતાં શ્રી નેમિ-વિજ્ઞાન-કરસૂરીશ્વરજી ધર્મોદ્યાન આવે છે. સુંદર કારીગરીથી શોભતું આકર્ષક આ પ્રવેશદ્વાર દૂરથી જ યાત્રાળુના મનને મોહી લે છે. તેની બન્ને બાજુ નીકળતી પથ્થરમાંથી કંડારેલ ચક્રોની ચક્રાવલિ અને તેની ઉપર પથ્થરમાં જ અંકિત અક્ષરોની અદ્ભુતતા દ્વારની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. દ્વારની અંદરના ભાગમાં એક તરફ પરબ અને બીજી બાજુ વિશ્રાંતિગૃહનું સુંદર આયોજન વિચારેલ છે. હાલ યાત્રિકો માટે ઠંડા અને ઉકાળેલા પાણીની પરબ પણ રાખેલી છે. લીલા-ગુલાબી કમળોની પંક્તિ સમવસરણની આસપાસ પથરાયેલ કમળો જેવી લાગે છે. મુખ્ય દરવાજમાં પ્રવેશતાં જ જમણા હાથે એક અજોડ અને અદ્વિતીય મંદિરના દર્શન થાય છે. ત્રણ ગઢ રૂપે તેની રચના થઈ છે. શાસ્ત્રીય રીતે તૈયાર કરેલ ચારે દિશાના બાર દરવાજા, સુંદર કમાનો, દ્વારપાળો, બારે પર્ષદા, ચૈત્યવૃક્ષ અને અશોકવૃક્ષ નજરે ચઢ્યા વગર રહેતાં નથી અને તેથી જ આજે શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિર વિશ્વમાં એની ભવ્યતા, પવિત્રતા અને મહત્તાથી ખ્યાતનામ બન્યું છે. અહીં માત્ર જિનાલય જ નહિ પરંતુ જૈન ખગોળ, ભૂગોળ અને જૈન ઇતિહાસની માર્મિક ઝાંખી થતી હોવાથી જ આને મહામંદિર કહેવામાં આવે છે. પ્રભુદર્શનથી મન પાવન બને છે મુખ્ય દ્વારના ઉંબરમાં પગ મૂકતાં જ ક્યાં પહેલા દર્શન કરવા જવું? તે વિચારમાં મુગ્ધ બનેલ (મુંઝાતો) ભાવિક શ્રી આદિનાથદાદાની ભવ્યમૂર્તિના દર્શનથી તે તરફ જતી જાજ્વલ્યમાન આરસની પગથાર દ્વારા અંદરના દરવાજે પહોંચી જાય છે અને પહોંચતા જ આંખ ઠરી જાય છે. અહો કેટલો વિશાળ ડોમ! તેમજ નાંખી નજરે નીરખી ન શકાય એટલો ઊંચો માણેકસ્થંભ. આ મહામંદિરની વિશ્વભરમાં સૌથી મોટી એ જ વિશિષ્ટતા છે કે ૪૨ ફૂટ ઊંચો અને ૭૦ ફૂટ પહોળો ગોળ ઘુમ્મટ(ડોમ) પથ્થરથી જ તૈયાર થયેલ છે. વીંટી જેવા આ વર્તુળાકારમાં ૪૨ ફૂટ ઊંચો અને ૧૬ ફૂટ પહોળો અષ્ટમંગલથી તેમજ છેક ટોચ ઉપર ઊંધા કમળની પાંખડીઓથી સુશોભિત માણેકથંભ રત્નની જેમ દીપી ઊઠે છે. માણેકસ્થંભની ચારે દિશામાં વર્તમાન ચોવીસ તીર્થંકરોની ભાવોલ્લાસ જગાડતી ૨૪ મૂર્તિઓ | બિરાજમાન છે. આ ચોવીસમાંથી ચારે બાજુના મૂળનાયક તીર્થકર શ્રી આદિનાથજી, શ્રી શાંતિનાથજી, શ્રી નેમિનાથજી, શ્રી પાર્શ્વનાથજીની ૪૧-૪૧ Page #296 -------------------------------------------------------------------------- ________________ ) ઇંચની આધ્યાત્મિક ચેતનાને જાગ્રત કરતી પ્રતિમાઓ સુંદર પવાસણ ઉપર બિરાજમાન છે. તેમજ ડોમની ગોળાઈમાં ચારે દિશામાં કુલ ૨૭-૨૭ના વિભાગમાં, જુદાં જુદાં નામોથી વર્તમાનમાં પ્રસિદ્ધ કુલ ૧૦૮ શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિઓ થાંભલા વિનાની, ઝૂલતી કમાનો ઉપર રહેલ ઘુમ્મટવાળી જુદીજુદી મીની (નાનીશી) દેવકુલિકામાં પ્રતિષ્ઠિત કરેલ છે. દરેક પ્રભુની પલાઠીમાં શ્રી સમવસરણ મંદિરના પ્રતીક સહિત લાંછનો કળામયતાથી કોતરવામાં આવેલ છે. આ રીતે એક સાથે થતા ૨૪+ ૧૦૮ =૧૩૨ પ્રભુના દર્શનથી જીવન-મન પાવન બની જાય છે. આ છે મહામંદિરનું આંતરદર્શન પ્રભુદર્શનથી પાવન પથિક પ્રાણપ્યારાં એવા ઐતિહાસિક તીર્થોનાં દર્શન કરવા બહાર આવે છે. જ્યાં સામેની ગોળાઈમાં ૨૭-૨૭ના ૪ વિભાગમાં ભારતભરનાં ૧૦૮ તીર્થનાં જિનાલયો, તેના મૂળનાયક ભગવાન, તેનો ઇતિહાસ અને પરિચય સાથે, જે તે તીર્થોમાં જઈને લીધેલ આબેહૂબ તસ્વીરો આધુનિક લેમિનેશન પદ્ધતિથી આરસ પર મૂકવામાં આવેલ છે. શ્રી ગિરિરિજથી શરૂ કરી રાજ્યવાર ગોઠવેલ ૧૦૮ તીર્થપટ્ટોના દર્શનથી દર્શક જાણે તે તીર્થોની યાત્રા કર્યાનો સંતોષ અનુભવે છે. તે તીર્થપટ્ટોની સામેની ગોળાઈમાં પ્રભુ શ્રીવીરના સમયથી આજદિન સુધીમાં થયેલાં. ધર્મ-સંઘ-દેશ અને સમાજ માટે પોતાનું આગવું સમર્પણ કરનાર પુણ્યવંત એવા ૨૭સાધુ, ૨૭સાધ્વીજી, ૨૭ શ્રાવક અને ૨૭ શ્રાવિકાનાં ચિત્રો પણ આરસ ઉપર લેમિનેશન કરી મૂકવામાં આવ્યાં છે. અત્યારે પણ ઇતિહાસનાં પાનાં ઉકેલતાં જાણવા મળેલ ઐતિહાસિક હકીકતો દ્વારા આ ચિત્રો જે રીતે બેનમૂન તૈયાર કરેલાં છે, તે જોતાં લાગે છે કે આ ચિત્રપટ્ટો લાગવાથી આ મહામંદિરની દર્શનીયતા/ઐતિહાસિકતાનો ઘણો જ વધારો થયો છે અને સાથે સાથે જૈન ઇતિહાસમાં એક સુવર્ણપૃષ્ઠનો ઉમેરો થયો છે. મહામંદિરમાં શિલ્પની સાથે સાહિત્યનું ગઠન - સમવસરણ મંદિરના અંદરના ચારે દરવાજા ઉપર તીર્થંકર પ્રભુના ચાર વિશિષ્ટ વિશેષણોને દર્શાવતા - (૧) મહામાયણ; (૨) મહાગોપ; (૩) મહાસાર્થવાહ; (૪) મહાનિર્યામકનાં દશ્યો કલાત્મક રીતે કંડાય છે. વળી ચારે દિશાના ચાર મુખ્ય દરવાજાની આજુબાજુના બે-બે બ્લૉક (રૂમ) કુલ આઠ બ્લોક સુંદર નકશીકામનાં દ્વારોથી શણગાર્યા છે. પહેલા-બીજ દ્વારમાં ૧૬ વિદ્યાદેવીના, ત્રીજા દ્વારમાં શુભ શુકન, ચોથા દ્વારમાં ચાર શરણ, ચાર સાધન અને ચાર પ્રકારનાં દાનના; પાંચમા-છઠ્ઠા દ્વારમાં નવકાર-વજપંજરની વિવિધ મુદ્રાના અને નવકારના પદોનાં પ્રતીકો, સાતમા દ્વારમાં આઠ પ્રતિહાર્ય અને આઠમા દ્વારમાં અષ્ટમંગલના Page #297 -------------------------------------------------------------------------- ________________ પ્રતીકો ઝીણવટભરી દૃષ્ટિએ જોતાં નજરે ચઢે છે. આઠે બ્લોકમાં પહેલામાં હમણાં વહીવટી ઓફીસ છે, બીજામાં ગુરુગણ પ્રદર્શિત કરતું ભવ્ય ગુરુમંદિર- શ્રી ગૌતમ સ્વામીજી, પૂજ્ય શાસનસમ્રાટુ, પૂજ્ય શ્રી વિજ્ઞાનસૂરિજી મ.સા, પૂજ્ય ધર્મરાજા ગુરુદેવની ગુરુ પ્રતિમા તથા મા ચશ્કેસરી ને મા પદ્માવતીની મૂર્તિઓથી દીપે છે. જ્યારે બાકીના બીજા બ્લૉકમાં અતીત, અનાગત ને વર્તમાન ચોવીશીનો ખ્યાલ પણ આપવામાં આવશે. શાશ્વતા તીર્થકરોના પરિચય ચિત્રોની સાથે ૬૩ શલાકા પુરુષ, ૪૫ આગમની પાંચ વાચના, અઢી દ્વીપ, ઉત્સર્પિણી – અવસર્પિણી કાળપાંચમા-છઠ્ઠા આરાની તેમજ શ્રી વિરપાટ પરંપરાની સમજ આપતાં ચિત્રો વગેરે મૂકવામાં આવશે. મહામંદિરનું હૃદયંગમ બહારનું ભવ્યદર્શન, સદેહે વિચરતા ભાવ જિનેશ્વર ભગવંતની લોકોત્તર પુયાઇનો ખ્યાલ - શ્રી સમવસરણ મહામંદિરના અંદરના વિભાગોના દર્શનથી પ્રભાવિત પુણ્યાત્મા ઉપર બિરાજમાન પ્રભુ શ્રીવીરને વંદન કરવા ઉત્કટ બની બહાર આવે છે. ત્યાં ત્યારે મુખ્ય દરવાજા ઉપર તીર્થંકર પ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણકનાં કંડારેલા દશ્યોને, નીકળતાં જમણી બાજુએ પથ્થરમાંથી બનાવેલ, સાક્ષાત્ જેવી લાગતી ગાડામાં રહેલ ઊંચી ઇન્દ્રધ્વજને, વિશાળ ભીંતો ઉપર પથ્થરમાં કંડારેલ રાજા દશાર્ણભદ્રને ઈન્દ્ર મહારાજની પ્રભુવીરના ચરણોમાં આત્મસમર્પણ ભાવ પ્રકટ કરતા પટ્ટને, પ્રદક્ષિણાકારે આગળ વધતાં પાછળના ભાગમાં શ્રી નેમિનાથ પ્રભુને કૃષ્ણ મહારાજા; શ્રી પાર્શ્વનાથજી, શ્રી આદિનાથજી પ્રભુ ને મરુદેવા માતાજીના પદને તેમજ શ્રી પ્રભુવીર પ્રત્યે સંપૂર્ણ સમર્પિતતા પ્રકટ કરતા શ્રેણિક મહારાજની ભક્તિનાં દશ્યોને તેમજ નાની નાની વાડીઓને જોઈ પ્રસન્ન બને છે. જ્યારે યાત્રિકને પૂજ-ભક્તિ કરવા માટે જરૂરિયાતવાળું સાધન જોઈએ, તે માટે ડાબી બાજુએ રહેલ ભક્તિભવન તરફ નજર જાય છે, જ્યાં આધુનિક સોલાર મશીન દ્વારા યાત્રિક માટે ગરમ-ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા છે અને પ્રભુની પ્રક્ષાલ પૂજા માટે જરૂરી પાણીનો સંચય સમવસરણની અંદર રહેલ ટાંકામાં તેમજ નવા તૈયાર થયેલ કુંડમાં થાય છે. યાત્રાળુની આ બધી વ્યવસ્થા જોઈ સમવસરણ ઉપર જવા માટે પગથિયાં ચઢતાં નાના નાના પત્થરનાં કુંભો, કાંગરા, સુંદર તોરણ-કમાનોવાળા ચારે તરફના બારે દરવાજા, પહેલા ગઢમાં પથ્થરમાં કંડારેલા વિવિધ વાહનો, બીજા ગઢમાં વિભિન્ન પશુ-પક્ષીઓ, ત્રીજા ગઢમાં સાધુ-સાધ્વી-મનુષ્ય-સ્ત્રી-દેવ-દેવીઓની બારે પર્ષદાને નિહાળતો, તો ક્યારેક વિશિષ્ટ થાંભલીએ ટેકણ ઉપર ટેકો લેતો, ધીમે ધીમે ૧૦૮ પગથિયાં ચઢી ઉપર પહોંચે છે. જ્યાં સુંદર પવાસણ ઉપર શ્રી મહાવીર સ્વામીજીની સાત હાથની કાયાને લક્ષમાં રાખીને પદ્માસને બેઠેલ ૬૧ ઇંચની પ્રતિમા અપ્રતિહાર્ય સહિત Page #298 -------------------------------------------------------------------------- ________________ I) ચારે દિશામાં બિરાજમાન છે. ઉપર માત્ર પથ્થરથી જ નિર્માણ કરેલ અશોકવૃક્ષ અને ચૈત્યવૃક્ષનું સુંદર ડાળી પાંદડાં સાથે નિર્માણ કર્યું છે. ૨૭ ફૂટ ઊંચા અને ૩૭ ફૂટનો વ્યાપ ધરાવતા આ વૃક્ષનું વજન અંદાજે ૫૦૦ ટન છે. તે બધું વજન વૃક્ષની વડવાઈ જેવા દેખાતા તોતિંગ થાંભલા ઉપર પથરાઈ ગયેલું છે. પાંગરતા પરોઢિયે/પ્રભાતે પરમાત્માના પૂજકને અહીં અનુપમ આત્મિક આહલાદ અવનવા અનુભવ થાય છે. આ રીતે શ્રી સમવસરણ એ માત્ર મંદિર નહિ, બલ્બ મહામંદિર છે, જેમાં જિનશાસનની ધાર્મિક અને આધ્યાત્મિક ભવ્યતા, શિલ્પ અને રંગરેખામાં ગુંજી ઊઠે છે. * * * * * શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ ટ્રસ્ટીમંડળ તથા પુસ્તક પ્રાપ્તિસ્થાન (૧) શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ફોન નં.૦૨૮૪૮-૨૪૯૨, ૨૫૬૧ શ્રી સમવસરણ મહામંદિર, તળેટી રોડ, પાલિતાણા - ૩૬૪૨૭૦ શ્રી મહેન્દ્રભાઈ ખૂબચંદ શાહ C/o રતનચંદ જોરાજી એન્ડ કું., ગોડીજી બિલ્ડીંગ . ૧, કિકા સ્ટ્રીટ, પાયધુની, મુંબઈ-૪૦૦૦૦૨. (૩) શ્રી કાંતિલાલ રતિલાલ શાહ સરદાર સોસાયટી બંગલો, સુરેન્દ્રનગર - ૩૬૦૦૦૧. (૪) શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત. શ્રી અનિલભાઈ શાંતિલાલ ગાંધી ૧૧૦, મહાકાન્ત બિલ્ડિંગ, વી.એસ.હોસ્પિટલ સામે, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૬. શ્રી મહેન્દ્રભાઈ ચંદુલાલ વખારિયા C/o વખારિયા બ્રધર્સ, જવાહરચોક, સુરેન્દ્રનગર - ૩૬૩૦૦૧. શ્રી હર્ષદરાય પ્રેમચંદ શાહ C/o ધર્મેન્દ્ર વાસણ ભંડાર, મહાત્મા ગાંધી રોડ, ભાવનગર-૩૬૪૦૦૧. (2) શ્રી હર્ષદરાય ચુનીલાલ ભારત ટ્રેડીંગ કંપની, ૧૧૧, ટનટનપુરા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦0૯. / - Page #299 -------------------------------------------------------------------------- ________________ (VI) (૯) શ્રી મુકેશભાઈ જમનાદાસ શાહ ૩૬, સંપતરાવ સોસાયટી, અલકાપુરી, વડોદરા. (૧૦) શ્રી રમેશભાઈ ગાઠાણી ૨, સ્ત્રીનગર બંગલોજ, સેટેલાઈટ રોડ, સોમેશ્વર જૈન મંદિર સામે, અમદાવાદ-૩૮૦૦૧૫ (૧૧) શ્રી કીરીટભાઈ ચુનીલાલ શાહ સી-ર૭, વસુંધરા એપાર્ટમેન્ટ, ત્રીજે માળે, કૃષ્ણનગર, ભાવનગર. * * * * * નીચેના પુસ્તક વિક્રેતાઓ પાસેથી પણ શ્રી જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ પ્રકાશિત પુસ્તકો પ્રાપ્ત થશે. (૧) સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૧ પાર્થ પ્રકાશન ઝવેરીવાડ નાકા, રીલીફ રોડ, અમદાવાદ-૧ નવભારત સાહિત્યમંદિર શ્રી મહાવીર સ્વામી દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧ નવભારત સાહિત્યમંદિર ૧૩૪, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦ર (૫) સેવંતીલાલ વી. જેને ૨૦, મહાજન ગલી, પહેલે માળે, ઝવેરી બજર, મુંબઈ-૪૦૦૦૦૨ Page #300 -------------------------------------------------------------------------- ________________ (VII) શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરજ્ઞાનમંદિર, સુરત તથા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ટ્રસ્ટ-પાલીતાણા પ્રકાશિત ગ્રંથોની યાદી ક્રમ ગ્રંથનું નામ ભાષા પ્રકાશન સમય ૧. અભિધાન ચિંતામણી કોશ (ચંદ્રોદયટીકા) પ્રથમવૃતિ ૨૦૧૩ દ્વિતીયાવૃતિ ૨૦૨૯ ૨. અહપૂતન-પૌષ્ટિક વિધાન ૩. અભિધાન ચિંતામણિ (યુત્પત્તિ રત્નાકર ટીકા) ૪. અજિત-વિનીત સ્વાધ્યાય સંગ્રહ ગુજરાતી ૫. આરામસોહાકહા પ્રાકૃત ૬. આત્મદર્પણ ગુજરાતી ૨૦૫૫ ૭. કરુણરસ કટંબક પાઇઅ તથા સંસ્કૃત પ્રકૃત-સંસ્કૃત ૧૯૯૭ ૮. કર્મપ્રકૃતિ-ભાગ-૧ ગુજરાતી ૯. કર્મપ્રકૃતિ-ભાગ-૨ ગુજરાતી ૧૦. કર્મપ્રકૃતિ-ભાગ-૩ ગુજરાતી 49. Glory of Jainism અંગ્રેજી ૧૨. ગાગરમાં સાગર ગુજરાતી ૨૦૫૪ ૧૩. ચતુર્વિશતિ જિન સ્તવવૃતિ ૨૦૧૩ ૧૪. ચાલો ચોવીશી બુહારીએ ગુજરાતી ૧૫. જિનશાસનની કિર્તગાથા હિંદી ૨૦૫૪ ૧૬. જિનશાસનની કિર્તીગાથા ગુજરાતી ૨૦૫૪ ૧૭. જિનશાસનની બલિહારી ગુજરાતી ૧૮. જૈન દર્શન સિદ્ધાંતો અને પરિચય ભાગ-૧ ગુજરાતી ૨૦૪૪ ૧૯. જૈન દર્શન સિદ્ધાંતો અને પરિચય ભાગ-૨ ગુજરાતી ૨૦૪૪ ૨૦. જૈન ધર્મ કે મૂલતત્વ - ભાગ-૧ હિંદી ૨૦૪૪ ૨૧. જૈન ધર્મ કે મૂલતત્વ - ભાગ-૨ હિંદી ૨૦૪૪ ૨૨. જૈન દર્શનનું તુલનાત્મક દિગ્દર્શન ૨૦૨૪ ૨૩. તીર્થાધિરાજને ચરણે - પ્રથમાગૃતિ ગુજરાતી ૨૦૨૨ ૨૪. તીર્થાધિરાજને ચરણે - દ્વિતીયાવૃતિ ગુજરાતી ગુજરાતી ૨૦૨૨ Page #301 -------------------------------------------------------------------------- ________________ (I) ૨૦૩૨ સંસ્કૃત ૨૫. નિત્ય સ્મરણિકા ગુજરાતી ૨૬. નૈષધ મહાકાવ્ય (શ્રી રત્નચંદ્રજી ગણિકૃત ટીકા) યગ્નસ્થ ૨૭. પભ્ય નમસ્કાર સ્તવવૃતિ ૨૦૦૪ ૨૮. પાઇઅ વિજ્ઞાણ કહા-ભાગ-૧- પ્રથમવૃતિ પ્રાકૃત ૨૦૧૩ | દ્વિતીયાવૃતિ પ્રાકૃત ૨૦૨૪ ૨૯. પાઇઅ વિજ્ઞાણ કહા-ભાગ-ર-પ્રથમાગૃતિ પ્રાકૃત ૨૦૨૭ દ્વિતીયાવૃતિ પ્રાકૃત ૩૦. પાઈઅ વિજ્ઞાણ ગાહા પ્રાકૃત-સંસ્કૃત ૨૦૪૬ ગુજરાતી સાથે ૩૧. પ્રાકૃત રૂપમાલા પ્રાકૃત-ગુજરાતી ૧૯૮૨ ૩૨. પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલા-પ્રથમવૃત્તિ પ્રાકૃત-ગુજરાતી ૧૯૯૬ દ્વિતીયાવૃતિ પ્રાકૃત-ગુજરાતી ૨૦૦૪ તૃતીયાવૃતિ પ્રાકૃત-ગુજરાતી ૨૦૧૯ ચર્તુથ્યાવૃતિ પ્રાકૃત-ગુજરાતી ૨૦૪૪ ૩૩. પ્રાકૃત માર્ગદર્શિકા પ્રાકૃત-ગુજરાતી ૨૦૪૭ ૩૪. પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ભાગ-૧ પ્રથમવૃતિ ગુજરાતી ૨૦૨૪ દ્વિતીયાવૃતિ ગુજરાતી ૨૦૩૨ ૩૫. પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ભાગ-૨ પ્રથમવૃતિ ગુજરાતી ૨૦૧૪ દ્વિતીયાવૃતિ ગુજરાતી ૨૦૩૨ ૩૬. પ્રતિષ્ઠાકલ્પ-અંજન શલાકાવિધિ (જૂની) પ્રથમવૃતિ ૨૦૪૨ ૩૭. પ્રીતિની રીતિ ગુજરાતી ૨૦૪૭ ૩૮. પિસ્તાલીસ આગમની સંક્ષિપ્ત રૂપરેખા ગુજરાતી ૨૦૧૦ ૩૯. પંડિઅ ધણવાલકહા સંસ્કૃત ૧૯૯૮ ૪૦. મહોપાધ્યાય ભાનુચંદ્ર ગણિચરિતમ્ ૧૯૯૮ ૪૧. મેરૂ શિખર નવરાવે ગુજરાતી ૨૦૫૪ ૪૨. વિનય સૌરકાં ગુજરાતી ૨૦૧૮ ૪૩. સચિત્ર સરસ્વતી પ્રાસાદ ગુજ-સંસ્કૃત ૨૦૫૫ ૪૪. શ્રાવક ધર્મ વિધાન ગુજરાતી ૨૦૦૪ ૪૫. ગિરિજંબૂ સામી ચરિયું સંસ્કૃત ૨૦૦૪ ૪૬. સિરિ વિજયચંદ્ર કેવલી ચરિયું ૨૦૦૭ ૪૭. સિરિ ઉસહણાહ ચરિયું ૨૦૨૫ સંસ્કૃત સંસ્કૃત પ્રાકૃત Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૭ ૨૦૩૮ ૨૦૩૩ ૨૦૦૮ ૪૮. સિરિચંદરાય ચરિયું ૪૯. સિરિ ચંદરાય ચરિયું ગુર્જરાનુવાદ ૪૮. સિરિ ઉસણા ચરિયું ગુજરાનુવાદ ૪૯. શ્રીપાલચરિત્રમ્ (સંક્ષિપ્ત) ધર્મોપદેશ ૫૦. શ્રી જિન સ્ત્રોત કોશઃ ૫૧. શ્રી વિતરાગ સ્તોત્રાદિ સચ્ચય: પ૨. શ્રી સ્થમન પાર્શ્વનાથ માહાત્મય ૫૩. શ્રી ઉપધાન તપ માર્ગદર્શિકા ૫૪. શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શનાવલી ૫૫. શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શનાવલી પ૬. સુરત તીર્થ વંદ દકરોડ ૫૭. સૂર્ય સહસ્ત્રનામમાલા ૫૮. સૂર્ય પૂજા (પંજ). ૫૯. સંખિત તરંગવાઈ કહા (તરંગલોલા) ૬૦. સંક્ષિપ્ત પ્રાકૃત રૂપમાલા ૬૧. સંસ્કૃત મંદિરાંત પ્રવેશિકા (બીજી બુક) ૬૨. હરિપાલી સંચય ૬૩. હેમ નૂતન લધુપ્રક્રિયા ૬૪.જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર ૬૫. પ્રાકૃત વિજ્ઞાન ગ્રંથ પ્રાકૃત ગુજરાતી ગુજરાતી સંસ્કૃત સંસ્કૃત સંસ્કૃત ગુજરાતી ગુજરાતી ગુજ-અંગ્રેજી ગુજ-હિંદી ગુજરાતી સંસ્કૃત ગુજરાતી પ્રાકૃત પ્રાકૃત ૧૯૯૬ ૨૦૨૩ ૨૦૫૨ ૨૦પર ૨૦૫૪ ૨૦૫૩ ૨૦૦ ૨૦૦૫ ગુજરાતી ૨૦૨૫ ગુજરાતી ૨૦૨૫ ૨૦૧૭ પ્રાપ્તિસ્થાન શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિર કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત-૧ Page #303 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ગ્રંથનું નામ ૧. પ્રાકૃત વિજ્ઞાન બાળ પોથી - ૧ ૨. પ્રાકૃત વિજ્ઞાન બાળ પોથી - ૨ ૩. પ્રાકૃત વિજ્ઞાન બાળ પોથી - ૩ ૪. પ્રાકૃત વિજ્ઞાન બાળ પોથી – ૪ ૫. શ્રી વીશ સ્થાનક તપ આરાધના વિધિ શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ ગ્રંથ શ્રેણી (XI) ૬. શ્રી વીશ સ્થાનક તપ (કથાઓ સહિત) ૭. શ્રી વીશ સ્થાનકની કથાઓ ૮. વંદુ જિન ચોવીશ ૯. ભક્તિ વૈભવ ૧૦. પ્રાકૃત વિજ્ઞાન સંક્ષેપ ૧૧. હે જીના જાગીશ ૧૨. પ્રતિષ્ઠા કલ્પ- અંજન શલાકા-પ્રતિષ્ઠાવિધિ (દ્વિતીયાવૃતિ) ૧૩. દશવૈકાલિકસૂત્રમ્ ૧૪. કર્મપ્રકૃતિ ભાગ-૩ ૧૫. મૌન એકાદશી પર્વ ૧૬. અભિધાન ચિન્તામણિ નામમાલા ૧૭. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૧ - અંગ આગમ ૧૮. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૨ - અંગબાહ્ય આગમો ૧૯. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૩ – આગમિક વ્યાખ્યાઓ - ૨૦. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૪ – કર્મ સાહિત્ય-આગમિક પ્રકરણ ૨૧. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૫ - લાક્ષણિક સાહિત્ય ૨૨. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૬ - કાવ્ય સાહિત્ય ૨૩. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૭ – કન્નડ-તામિલ, મરાઠી ૨૪. પ્રમાણ મીમાંસા સ્વોપજ્ઞવૃત્તિ સહિત, ગુજરાતી અનુવાદ સહિત ૨૫. જૈન ધર્મ-દર્શન, મોહનલાલ મેહતા(ગુજરાતી અનુવાદ) Page #304 -------------------------------------------------------------------------- ________________ XII) ઋણ સ્વીકાર અમો આભારી છીએ પરમપૂજ્ય સ્વ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ, . પરમ પૂજય સ્વ. આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજય આચાર્યશ્રી વિજયસોમચંદ્રસૂરિજી મહારાજ તથા અન્ય મુનિ ભંગવતોના. ભાગ-૭ “કન્નડ, તામિલ તથા મરાઠી જૈન સાહિત્ય” ના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપવા બદલ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ,મુલુંડ (પૂર્વ), મુંબઇ તથા વિમલનાથ જૈન આરાધના સંધ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈના. આ પ્રકાશનના આર્થિક સહયોગમાં ફાળો આપનાર અનેક સંસ્થાઓ તથા દાતાશ્રીઓના. શ્રી પાર્શ્વનાથ જૈન શોધ સંસ્થાન, વારાણસીના તથા તેના પૂર્વ નિયામક ડૉ. સાગરમલજી જૈનના. ગુજરાતી આવૃતિના માનદ્ સંપાદકો ડૉ. નગીનભાઈ શાહ તથા ડૉ. રમણીકભાઈ શાહના. ઉત્તમ છાપકામ માટે લેસર ઈમ્પશન્સવાળા શ્રી મયંક શાહ તથા માણિભદ્ર પ્રિન્ટર્સવાળા શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કીંગ ઈમેજ પ્રા. લિ. ના ડાયરેક્ટર શ્રી જીવણભાઈ વડોદરિયાના. લિ. શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ. Page #305 -------------------------------------------------------------------------- ________________ (XIII) જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ ૧ થી ૭ તથા “પ્રમાણમીમાંસા” અને “જૈન ધર્મ-દર્શન” ના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપનાર સંસ્થાઓ ભાગ - ૧ “અંગ આગમ” શ્રી નવજીવન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મુંબઈ ભાગ - ૨ “અંગબાહ્ય આગમ” શ્રી વિલેપાર્લા શ્વેતાંબરમૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરીટીઝ, વિલેપાર્લા(પૂર્વ), મુંબઈ. * * * ભાગ - ૩ “આગમિક વ્યાખ્યાઓ” (૧) પાર્શ્વનાથ જે. મૂ. સંઘ, ઘાટકોપર, મુંબઈ (૨) પ્રીન્સેસ સ્ટ્રીટ લુહાર ચાલ જૈન સંઘ, મુંબઈ ભાગ -૪ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ” શ્રી માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ, માટુંગા, મુંબઈ * * * Page #306 -------------------------------------------------------------------------- ________________ (XIV) ભાગ - ૫ “લાક્ષણિક સાહિત્ય” વાસુપૂજ્ય સ્વામી દેરાસર ટ્રસ્ટ-સરખેજ, જિ. અમદાવાદ ભાગ - ૬ “જૈન કાવ્યસાહિત્ય” શ્રી સાંતાક્રુઝ જૈન તપાગચ્છ જૈન સંઘ, સાંતાક્રુઝ, મુંબઈ. ભાગ - ૭ કન્નડ, તામિલ તથા મરાઠી જૈન સાહિત્ય” (૧) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ, મુલુંડ(પૂર્વ), મુંબઈ (૨) વિમલનાથ જૈન આરાધક સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ * * પ્રમાણમીમાંસા” બાબુ અમીચંદ પન્નાલાલ આદેશ્વર ટેમ્પલ, વાલકેશ્વર, મુંબઈ જૈન ધર્મ-દર્શન” શ્રી વર્ધમાન ધનલક્ષ્મી જૈન છે. મૂ. પૂ. ધાર્મિક ટ્રસ્ટ, બોરીજ, ગાંધીનગર Page #307 -------------------------------------------------------------------------- ________________ 5 THEWANG क मामा नमः वीडिययनिनाव क कालिमानामिव पदनानारू कन्यायामाया, मा कशुदा कला न कर बक मान दिना मणिमाला म सपनीयश्वम नामद मा कमिस स् दुलाल मश विनिमय नम पा नामिनिमा माया समाजाताना दीसणार्थि । आका सुनानामाज्यमाकाशादाविंशहरि मनोमालिना।परनामरणस पाली।७वामान मानायला लागनीनटनटी पाव सम्माननानिकाननानवमानका सामान मामा किमामेति जिविसमा स्वमासिकमा पनि कानमा सनमायका मिनापक वाचनमा मनोका शालिनी॥ कनकी पिनासामा बामः॥ १३ एका मिडियायनमम मातेविसावा मदनंद मिकमेडल यशस्वास्थापनाकिक ।। ११२२ मावा यमकिया निकल्पाकनिषधानाम मायावादी यतिवादाल निमाविमनार कनियामा पजिया ॥४१ मा पिपि या दिनांकापापितिको कमी अछाम४यसमा सिकोशिकान पनि माया दारव सुंदर मानावमानाने समाधि नामादिकाद मामामपिवान विज्ञानाचापिनातिगाडाच मानतोि पिमायाविना सिमानामा निधापिका श्रावय नीलामवाल सादर्व समपिवद मैर्विनानि यत्तद कविलावाला मोहात लालविरुग्यासमिधिकमासुमा m चायनामन जायनादिसँग मानविद्यात्यादयो। लामा निश्विनावलि मापितान्यसि वनिनावमा मद्यानानाला कसारा पोलिपि मानवका ज्ञान सामाथि अदाका वेगमान ४विययामसायनापानि स्वीक नागि ARC Page #308 -------------------------------------------------------------------------- ________________ SPIREstehelseaNGHREE alieleet bio LEDucationpload एकाएकत्रिमर्यायामाकमा ज०१६चनिकलाननाबाहमाच यिसनामविसास्वाात्रियनिसान मलवामानाम कसम्मानझिनानि वृह्मणासवाट्वानोम नविदनधिसडमनः calleletailGICLES माधि नानामिवासनामानिनानामित LATHealbaEER नस्वमाझकना कधावनमामिन बभिवक्षपीडित न्यकासमिडिया मिकामेडलाउजय सयान BEEleeptember Eleuleraneleuellelne यहावापकबाणाचयाडिनकोला नमयदाउराशाजगावगायत मिद्यायवक गानधातागन्यान मावयवाटरमधिया साधासुमासाद्वापर दायाभूदानासान तमाशालिवमानना मिहानगयाधाताव melanilebees decibela FEAREECEhpiressletes SUHANDIRelatreerealik RAULAMERUARTER RAJEnlesLICROSTER Hotelbaar दिसायाधिानामा दाइ कानयातच वातावर्षका नानिधि बजकदेवक लायचाननामासमबंद आदिवासिवमाछामा अल्लादिवानसिकनिवास प.नालियानास्पृहायब अंबानायव मनावतानाधमाधवानुमानमा घलाननववलालामथानानिविदायमा इनकानानिलालयिष्यनसन्नवालायझर माझ्यामिथिलामाधानानयंश्याममान बोलनकाऊयानिनिसायदान कवायनालननायनानि निविश्वानस्पटाबालाइव मापिानामान्यसिवनिमानवादकागनाजानवर वामानश्वयाविषय Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી 108 જૈન તીર્થ દર્શન ભવન-સમવસરણ મહામંદિર - પાલીતાણા