SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ સમાવેશના સમયે ઈ.સાતમી સદીમાં ‘તિરુવoવમાલૈ'ની રચના થઈ હશે. પૌરાણિક કથાઓના સમાવેશનું પ્રમાણ ઈ.સાતમી સદીના શૈવસંત તિરુનાવુક્ક૨શર્ના પઘો અને પ્રાચીન પાંડ્ય રાજાઓના શિલાલેખો તથા અંતિમ સંઘકાલીન ગ્રંથ ‘ઇરૈયનાર્ અકારુણ્’ (ભાવપક્ષનો લક્ષણ ગ્રંથ)માં સ્પષ્ટ મળે છે. ૧૨૪ સંઘકાલીન ગ્રંથ મનાતાં ‘ઍટ્ટુનાૉકૈ’ અને ‘પત્તુપાટ્ટુ’ (પદ્યસંગ્રહ)ની શૈલીને તિરુક્કુરણ્ અને શિલપ્પદિકારની શૈલીથી ભિન્ન સાબિત કરવા માટે કેટલાક વિદ્વાનો શબ્દોના પ્રયોગભેદને પ્રમાણસ્વરૂપે પ્રસ્તુત કરે છે. ‘કલિત્તૉકૈ’ અને ‘પરિપાડવ્’માં પણ, જે સંઘસાહિત્યમાં ગણવામાં આવે છે, તે શૈલી ભેદ મળી આવે છે. આ બંને ગ્રંથ ‘ગર્વમાર્ગ’ કે ‘ઍન્દુરૈમાર્ગમ્’ નામક ગીતપ્રણાલીના છે. ‘શિલપ્પદિકારમ્’માં આ બંને શૈલીઓ સાથે ‘વેણ્ તુરૈ માર્ગમ્’ નામક નાટકીય શૈલી પણ અપનાવવામાં આવી છે. આથી પંડિતો વડે નિર્ધારિત શૈલીઓ સાથે સમયાનુકૂલ નવીન શૈલી અપનાવવી તે ઉન્મુક્ત ચિંતક કવિઓ માટે સહજ જ છે. તિરુવળુવરે પોતાના લોકહિતકારી મહાન્ ગ્રંથ માટે સાર્વજનીન તથા સરળ શૈલી અપનાવી. એથી આ નવીન શૈલીમાં બોલચાલની સરળ ભાષા જેવો પ્રવાહ છે. તિરુક્કરમાં એક સો પચ્ચીસ સંસ્કૃત શબ્દ મળે છે. તત્કાલીન જન ભાષામાં ભળી ગયેલા શબ્દોને જ સ્પષ્ટ અભિવ્યંજના માટે તિરુવoવરે અપનાવ્યા હતા. ઈ.પૂ. બીજી-ત્રીજી સદીના ગુફા-શિલાલેખોમાં પણ કેટલાય સંસ્કૃત શબ્દો મળે છે. તેમ છતાં તે ૧૨૫ શબ્દોમાં બધાને સંસ્કૃત માનવા માટે કેટલાય વિદ્વાનો તૈયાર નથી, તો પણ બધાને સંસ્કૃત માનવા છતાં પણ એ જ નિષ્કર્ષ નીકળે છે કે બે ટકા સંસ્કૃત શબ્દો પણ તિરુક્કુરલમાં નથી. તૉર્ક (સમાસ) કેટલાક વિદ્વાનોનો મત છે કે તિરુક્કરના પ્રથમ પદ્યનો ‘આદિભગવન્' શબ્દ તૉકૈ ચૉટ્ (સમસ્તપદ) છે, નવી શૈલીનો પરિચાયક છે, જે સંઘકાલીન સાહિત્યમાં નથી મળતી. પરંતુ એમ વાત નથી. ચિત્તિરમાડમ્ (સુંદર ભવન કે ચિત્રોવાળું ભવન) શબ્દ, ‘ચિત્તિરમાડત્ તુંચિય નન્મારન્' નામક પાઠ્યનરેશ સાથે સંઘકાલીન પદ્યમાં પ્રયુક્ત થયો છે. આ જ રીતે ‘ગૂઢાકારમ્' સમસ્તપદ રૂપે સંઘ-સાહિત્યમાં આવ્યો છે. તામિલ શબ્દ સાથે સંસ્કૃત શબ્દના સમ્મિલિત રૂપને હિરસમાસ કહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001317
Book TitleKannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Original Sutra AuthorN/A
AuthorK Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy