________________
૧૩૮
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
ચિરુ પંચ મૂલમ્ અને એલાદિ (સમુચ્ચય અંતર્ગત બે રચનાઓ)
‘ચિરુપંચમૂલમ્’ સો પઘોનો એક લઘુ ગ્રંથ છે. તેના રચિયતા છે માક્કાયન્ માણાક્કનાર્ ‘માક્કારિ આશાન્’. તેમણે ગ્રંથારંભે, અર્હત્ ભગવાનની સ્તુતિમાં લખ્યું છે – મુળુદુણન્દુ મુશાળિત્તુ મૂવાદા' (સંપૂર્ણ જ્ઞાનવાળા તથા આદિ-અંત રહિત ભગવાન). તામિલની સ્વનામધન્ય કવયિત્રી ઓવૈયારના નીતિપદ્યોને ‘ચિરુપંચમૂલમ્'થી પ્રેરણા મળી. આ ગ્રંથમાં ગુરુ, શિષ્ય, સિદ્ધ પુરુષ અને કવિ વિશે લાક્ષણિક તથા પ્રશંસાત્મક પદ્યો છે. ‘આતમ્' અને ‘ભૂતમ્' આ બંને શબ્દ મૂર્ખવાચક અર્થમાં તેમના સમયમાં પ્રયુક્ત કરવામાં આવ્યા હતા, જેનું પ્રમાણ આ લઘુ ગ્રંથના પઘોમાં જ મળે છે. આથી ‘તિરિકઠુક’ના રચયિતા ‘નલ્લાતના’ (‘આતનું બીજું રૂપ જ ‘આતના)ની પછી જ, અર્થાત્ ત્રીજી કે તેની પરવર્તી સદીમાં જ, આ ‘ચિરુ પંચ મૂલમ્'ની રચના થઈ હશે. ‘નલ્લાતનાર્' શબ્દ ઉત્તમ ગુરુ કે અર્હત્ ભક્તના શિષ્ટ અર્થમાં પહેલાં વ્યવહૃત થતો હતો. પછીના શૈવાચાર્યોએ અર્થ વૈપરીત્યનો પ્રચાર વ્યંગ્યપ્રયોગ દ્વારા કર્યો હશે, જેમકે ‘બુદ્ધ' શબ્દનું ‘બુદ્ધુ’ (મૂર્ખ) રૂપ પ્રચલિત થયું.
આ ગ્રંથમાં જીવ હિંસાને ઘોર પાપ રૂપે પ્રભાવપૂર્ણ રીતે દર્શાવવામાં આવી છે અને સાથે જ, જીવ-રક્ષાની મહત્તા પણ સારી રીતે દર્શાવી છે. આ ગ્રંથકર્તાનો મત છે કે જે ધર્માચરણમાં અવિચલિત રહી ચૂક્યા છે, તે જ રાજા રૂપે અવતરિત થાય છે.
‘ચિરુ પંચ મૂલ'નો ભંજક તથા વ્યવહાર-પ્રચલિત અર્થ છે, પાંચ કંદોથી બનેલ ઔષધ (લેહ્ય). આ રીતે, આ ગ્રંથમાં પાંચ ઉત્તમ ધર્મતત્ત્વો વ્યક્ત કરનાર જૈનધર્મનું તથ્યપૂર્ણ વર્ણન છે.
એલાદિ
આ પણ જૈનધર્મવિષયક લઘુ ગ્રંથ છે. તેના રચિયતા ‘કણિમેધાવિયાર' છે. તેમને ‘કણિમેખૈયાર’ પણ કહે છે. તે પૂર્વોક્ત ‘ચિરુ પંચ મૂલમ્’ના રચયિતા માક્કારિ આશાના સહપાઠી હતા. ‘એલાદિ’નો અર્થ છે ‘ઈલાયચી વગેરે’, તાત્પર્ય એ છે કે ઈલાયચી વગેરે છ વસ્તુ ભેગી કરી બનાવવામાં આવેલ ઔષધ અને આ
૧. આનો અર્થ છે, આચાર્ય માક્કામના શિષ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org