SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પંપયુગ - ૫૯ અંશોને હૂબહુ લઈને વિ.સં.૧૯૪પમાં કવિ પદ્મસાગરે પણ એક ધર્મપરીક્ષાની રચના કરી હતી, જે મુદ્રિત થઈ ચૂકી છે. વૃત્તવિલાસની ધર્મપરીક્ષાના અભ્યાસીઓને અમિતગતિની ધર્મપરીક્ષાનો પરિચય આપવો આવશ્યક છે, કેમકે વૃત્તવિલાસે અમિતગતિના ગ્રંથના આધારે જ પોતાના ગ્રંથની રચના કરી છે. અમિતગતિ એક પ્રૌઢ કવિ હતા. સંસ્કૃત ભાષા પર તેમનો પૂર્ણ અધિકાર હતો. તેઓ આશુકવિ પણ હતા. સંસ્કૃતમાં તેમણે કેટલાય ગ્રંથ રચ્યા છે. ડૉ. ઉપાધ્યનું અનુમાન છે કે જયરામના પ્રાકૃત ગ્રંથનું અનુકરણ કરીને જ અમિતગતિએ પોતાની સંસ્કૃત ધર્મપરીક્ષા રચી હશે. ધર્મપરીક્ષાની રચના-પ્રક્રિયાનું પૂર્ણરૂપેણ અનુકરણ કરનાર એક બીજો પણ ગ્રંથ છે. તેનું નામ ધૂર્તાવાન છે. આ ગ્રંથ મુદ્રિત થઈ ચૂક્યો છે. પૂર્યાખ્યાન પ્રાકૃત ભાષાનો એક લઘુકાય ગ્રંથ છે. તેના રચયિતા હરિભદ્ર છે. હરિભદ્ર એક મહાન કવિ છે. તેમનો સમય ૭મી શતાબ્દી છે. તેમણે સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાઓમાં અનેક મહત્ત્વપૂર્ણ ગ્રંથોની રચના કરી છે. હરિભદ્ર એક વિચક્ષણ કવિ જ ન હતા પરંતુ અપ્રતિમ તૈયાયિક તથા કુશળ કથાકાર પણ હતા. હરિભદ્ર એક જ જાતની વિવિધ કથાઓનો વૈદિક પુરાણોમાંથી સંગ્રહ કરી તે કથાઓની અસંબદ્ધતા સ્પષ્ટ કરી છે. અસંબદ્ધ કથાઓ તથા તેની પર વિશ્વાસ કરનારના અંધવિશ્વાસનું ઉપહાસાત્મક વિવરણ હરિભદ્ર પોતાની આ રચનામાં ખૂબ કુશળતાથી પ્રસ્તુત કર્યું છે. ભારતીય વાદ્ધયમાં પૂર્ણ રીતે ઉપહાસપરક કૃતિઓ દુર્લભ જ છે. નાટકો તથા ધર્મગ્રંથોમાં પણ ક્યાંક-ક્યાંક ઉપહાસાત્મક પ્રસંગો મળે છે, પરંતુ ધૂખ્યાન સમાન શુદ્ધ બૌદ્ધિક તથા ઉપહાસપરક ગ્રંથ પ્રાચીન ભારતીય વાયમાં બીજો નથી. ધર્માભિનિવેશને છોડી દઈએ તો પ્રાચીન વાદ્યયના અભ્યાસીઓ માટે આ એક દુર્લભ રત્ન છે. પૂર્વાખ્યાનની ભાષા સુગમ તથા પ્રાચીન છે. વૃત્તવિલાસની ધર્મપરીક્ષાની પૃષ્ઠભૂમિને સ્પષ્ટ રૂપે સમજાવવા માટે અમિતગતિની ધર્મપરીક્ષા તથા હરિભદ્રના ધૂર્તાખ્યાનનું પરિશીલન જરૂરી છે. વૃત્તવિલાસની ધર્મપરીક્ષાનો પ્રારંભ આ મુજબ થાય છે – મનોવેગ અને ૧. “પ્રબુદ્ધ કર્ણાટક રજતજયંતી અંકમાં પ્રકાશિત ડૉ. એ. એન. ઉપાધ્યનો ધર્મપરીક્ષા સમ્બન્ધી લેખ જુઓ. ૨. આ માટે “પ્રબુદ્ધ કર્ણાટક રજત જયંતી અંક જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001317
Book TitleKannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Original Sutra AuthorN/A
AuthorK Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy