________________
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
સમસ્યાઓ તથા તેની પૂર્તિઓ સંગૃહીત છે. કવિ બાહુબલિએ (લગભગ ૧૫૬૦ ઈ.) પોતાના ‘નાગકુમારચરિત'માં દોર (બલ્લાલ)-સભાની મંગલલક્ષ્મી, શુભગુણચરિતા, અભિનવવાદેવી વગેરે સુંદર વિશેષણો દ્વારા સ્તુતિ કરી છે. આનાથી જ્ઞાત થાય છે કે કંતિ દ્વારસમુદ્રના બલ્લાલરાયની સભામાં પંડિતા રહી હશે. અભિનવવાદેવી તેની પદવી હતી. આ કવયિત્રી વિશે દેવચન્દ્રે પોતાની ‘રાજાવલી-કથે’માં આ મુજબ લખ્યું છે
૪૦
દોરાય દ્વા૨સમુદ્ર નામક એક વિશાળ જલાશયનું નિર્માણ કરાવી તથા ધર્મચન્દ્ર નામક એક બ્રાહ્મણને પોતાનો મંત્રી નિયુક્ત કરી સુચારુરૂપે ત્યાંનું રાજ્યકાર્ય કરતો હતો. મંત્રિપુત્ર સ્વયં અધ્યાપન-કાર્ય સંભાળતો તથા બાળકોને છંદ, અલંકાર, વ્યાકરણ અને કાવ્ય વગેરે બધા વિષયો ભણાવ્યા કરતો હતો. અધ્યાપક મંદબુદ્ધિવાળા બાળકોને મતિ-પ્રકાશનાર્થ ‘જ્યોતિષ્મતી’ નામક બુદ્ધિવર્ધક એક વિશિષ્ટ તેલ તૈયાર કરી તેમાંથી મંદબુદ્ધિવાળા બાળકોને અર્ધ બિંદુના પરિમાણથી આપ્યા કરતો હતો. તેલસેવનવિધિથી અનભિજ્ઞ કંતિએ પ્રાયઃ અધિક લાભના લોભે ગુરુજીની અનુપસ્થિતિમાં પાત્રસ્થ પૂરું તેલ એક જ વારમાં પી નાખ્યું.
ફળરૂપે ઔષધજન્ય અસહ્ય ગરમી ન સહન થતાં તરત તે દોડીને કૂવામાં પડી ગઈ. ત્યાં કંઠપ્રમાણ પાણીમાં વધુ સમય સુધી રહેવાથી જ્યારે તેલની ગરમી ઓછી થઈ ત્યારે તે કૂવામાં ઊભી થઈને સુંદર કવિતાઓ બનાવવા લાગી. ત્યારે તે અપૂર્વ ઘટના જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા. તે વિચિત્ર સમાચાર તરત દોરાયના આસ્થાન (સભા મંડપ)માં પણ પહોંચી ગયા. આ વાતની વાસ્તવિકતાની ભાળ મેળવવા રાજા દોરે પોતાના આસ્થાનના ખ્યાતિપ્રાપ્ત મહાકવિ અભિનવપંપને મોકલ્યો. ઉભયભાષાકવિ પંપે ઘટનાસ્થળ પર પહોંચીને કંતિને એક બે નહિ, સેંકડો પ્રશ્નો કર્યા. કવયિત્રી કુંતિએ પણ બધા પ્રશ્નોના ઘટતા ઉત્તર આપીને સુયોગ્ય પરીક્ષક મહાકવિને ચકિત કરી દીધા. પછીથી મહાકવિ પંપે કંતિને રાજદરબારમાં પહોંચાડી. દરબારમાં દોરે તેની કવિતાથી પ્રસન્ન થઈને કંતિને પોતાના આસ્થાનની કવીશ્વરી ઘોષિત કરી અને કવિયત્રીને પોતાના આસ્થાનમાં જ રાખી.
સંભવતઃ કંતિની ‘અભિનવ વાગ્યેવી'ની ઉપાધિ વલ્લભરાય દોર દ્વારા જ પ્રદાન કરવામાં આવી હતી. જો અભિનવપંપ દ્વારા કંતિને સમસ્યાઓ આપવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org