SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ પંપયુગ આ યુગના સાહિત્યમાં વર્ણિત જનજીવન ઉચ્ચ વર્ગ સુધી સીમિત હતું. રાજદરબાર અથવા ક્યાંક-ક્યાંક સૈનિકોનું જીવન પણ અહીં અંકિત મળે છે. આ યુગની રાજનૈતિક, સામાજિક તથા ધાર્મિક પરિસ્થિતિઓ પણ પ્રૌઢ રચનાઓના નિર્માણ માટે પ્રેરક સિદ્ધ થઈ. ઈસુની દસમી સદીના પૂર્વાદ્ધમાં રાષ્ટ્રકૂટ વંશના રાજાઓ શક્તિશાળી થયા. આ સદીના અંત સુધી તેઓ ઉત્કર્ષ પામતા ગયા. એકાએક તેમનો વૈભવ લુપ્ત થઈ ગયો. હા, વેલવાડના ચાલુક્ય તથા દક્ષિણના ગંગ વંશના રાજાઓ બરાબર રાષ્ટ્રકૂટ રાજઓની સહાય કરતા રહ્યા. ઈસુની અગીયારમી સદીમાં કલ્યાણીમાં ચાલુક્ય પ્રબળ થયા. ચોલ વંશ સાથે તેમનો સંઘર્ષ બરાબર ચાલુ રહ્યો. ચોલોના પ્રતાપને કારણે ગંગરાજ્યનું પતન થઈ ગયું. એકલા ચાલુક્ય રાજ્યકુળ પર કર્ણાટકની રક્ષાનો ભાર આવી પડ્યો. રાજકુળની આપસની ફૂટને કારણે આ વંશ કેટલાક સમય સુધી દુર્બલ અવશ્ય હતો, પરંતુ જ્યારે વિક્રમાદિત્ય છઠ્ઠો પોતાના ભાઈને કેદ કરી ઈ.સ.૧૦૭૬માં ગાદી પર વિરાજમાન થયો, ત્યારથી કર્ણાટકનું ભાગ્ય ફરી ચમકવા લાગ્યું. તે એક પછી એક કેટલાય યુદ્ધમાં વિજયી થયો. સાથે સાથે જ કર્ણાટકનું સામ્રાજ્ય વિસ્તૃત થવા લાગ્યું. ત્યાર પછી ચાલુક્ય વંશનો વૈભવ ઘટવા લાગ્યો અને બારમી સદીના અંત સુધી હોય્સલ સામ્રાજ્યનો પાયો નખાતાં જ ચાલુક્યો લુપ્ત થઈ ગયા. કર્ણાટકમાં રાજનૈતિક પરિસ્થિતિને અનુરૂપ શસ્ત્રાસ્ત્રોનો ઝંકાર પણ સંભળાવા લાગ્યો. યુદ્ધનું નામ સાંભળતાં જ સંભવતઃ જન જનની ભુજાઓ થનગની ઊઠતી હશે. તે સમયે નગર તથા ગામની રક્ષા માટે, સ્ત્રીઓની લાજ બચાવવા માટે, પ્રાણીઓની રક્ષા માટે પ્રાણ ત્યાગવાનો સંકલ્પ લોકો સાનંદ કરતા હતા. વીરોની અગણિત સ્મારક-શિલાઓ(પાળિયા) જ આનું જ્વલંત પ્રમાણ છે. આ શિલાઓ કર્ણાટકમાં સર્વત્ર મળે છે. વીરોની એવી ધારણા થઈ ગઈ હતી કે યુદ્ધમાં પ્રાણ ત્યાગવાથી સ્વર્ગ મળશે. આ ધારણા તે યુગના શૂરવીર શાસકોના પ્રોત્સાહનથી વધારે દૃઢ થઈ ગઈ હતી. તે યુગના કવિઓ કલમ ચલાવવામાં જ નહિ, તલવાર ચલાવવામાં પણ પ્રવીણ હતા. કવિઓ મહાકવિઓ જ નહોતા, મોટા રણકુશલ પણ હતા. નાગવર્મ, ચામુંડરાય વગેરે પણ ખૂબ પ્રતાપી હતા. એટલા માટે જ આ યુગ કન્નડ સાહિત્યનો “વીરયુગ' પણ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001317
Book TitleKannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Original Sutra AuthorN/A
AuthorK Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy