SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ · ૧૧૪૧ની વચ્ચે અર્થાત્ ૧૧૩૦માં લખવામાં આવેલ હતો, તેમ માનવું યોગ્ય જ છે. ૫૨ કવિ કર્ણપાર્યે પોતાના ગુરુ કલ્યાણકીર્તિની ખૂબ પ્રશંસા કરી છે. તેનાથી સાબિત થાય છે કે મુનિ કલ્યાણકીર્તિ ખરે જ એક અસાધારણ વ્યક્તિ હતા. તેઓ ચારિત્રથી જ નહિ, પરંતુ જ્ઞાન અને ગુણોથી પણ સંપન્ન હતા. એટલા માટે અખિલ વિદ્વત્સમાજ તેમની સમક્ષ નતમસ્તક હતો. ચારે તરફ તેમની નિર્મળ કીર્તિ ફેલાયેલી હતી. નિર્મળ, સ્વચ્છ તથા અનિન્દ વિશેષણ જ તેમની ઉજ્જવલતાને વ્યક્ત કરે છે. એ જ કારણ છે કે કર્ણપાર્યે મુનિ કલ્યાણકીર્તિનું નેમિનાથપુરાણના પ્રત્યેક આશ્વાસના અંતિમ પદ્યમાં ‘સાશ્ચર્યચારિત્રચક્રવર્તી’રૂપે સાદર સ્મરણ કર્યું છે. એટલા માટે તો તેઓને ‘સદ્ભવ્યસંસેવ્ય' માનવામાં આવ્યા છે. શ્રવણબેલગોલના શિલાલેખમાં પણ કલ્યાણકીર્તિની ખૂબ પ્રશંસા મળે છે. વાસ્તવમાં કર્ણપાર્ય જેવા રાજમાન્ય તથા લોકમાન્ય સુકવિના ગુરુ સામાન્ય વિદ્વાન કેવી રીતે હોઈ શકે ? હવે કવિ કર્ણપાર્યના આશ્રયદાતાને લો. રાજા વિક્રમાદિત્યનો મંત્રી લક્ષ્ય કે લક્ષ્મણ જ કર્ણપાર્યનો આશ્રયદાતા હોવાનું માનવામાં આવે છે. કર્ણપાર્યે પોતાના નેમિનાથપુરાણમાં પિતા ગંડરાદિત્ય, પુત્ર વિજયાદિત્ય તથા વિજયાદિત્યની રાણી પોન્નલદેવીની ખૂબ પ્રશંસા કરી છે. વળી કવિએ પોત્રદેવીને વિવિધ કલાઓની પ્રવીણતામાં સરસ્વતી, રૂપમાં રતિ, સૌંદર્યમાં હેમવતી, દર્શનવિશુદ્ધિમાં રેવતી અને પતિભક્તિમાં અરુંધતી બતાવી છે. આ જ રીતે કર્ણપાર્યે પોતાના આશ્રયદાતા લક્ષ્મણની પણ ખૂબ જ પ્રશંસા કરી છે. આ જ પ્રસંગમાં કવિ કર્ણપાર્યે લક્ષ્મણના અનુજ વર્ધમાન અને શાંત તથા શાંતના પિતા ગોવર્ધન કે ગોપણનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉલ્લેખમાં કવિએ વર્ધમાનનું અખિલાશાવર્તિતકીર્તિ, મકરધ્વજમૂર્તિ અને ઉર્વીનુતગુણવિધાન તથા શાંતનું અખિલવિદ્યાકાંત ઉર્વીજનસેવ્ય વગેરે વિશેષણો સાથે સ્મરણ કર્યું છે. શાંતના શ્રદ્ધેય પિતા ગોપણને કવિએ દર્શન પ્રતિભાથી લઈને પરિગ્રહત્યાગ સુધીની પ્રતિમાઓ પાળનાર શ્રાવકોત્તમ બતાવ્યા છે. આ જ રીતે ગ્રંથાંતમાં પોતાના આરાધ્ય દેવ નેમિનાથની સાથે સાથે તેમણે લક્ષ્મણના અનુજ વર્ધમાન અને શાંત અને શાંતના પૂજ્ય પિતા ગોપણની પણ પ્રશંસા કરી છે. જો કે ગ્રંથારંભે લક્ષ્મણની પત્ની વિશે કંઈ પણ નથી કહેવામાં આવ્યું પરંતુ અહીં તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. તેને જિન પૂજામાં શચી, ચતુર્વિધ દાનમાં અત્તિમબ્બે અને જિનભક્તિમાં શાંતલાદેવી બતાવવામાં આવી છે. તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001317
Book TitleKannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Original Sutra AuthorN/A
AuthorK Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy