SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પંપયુગ - ૨૯ પાદમૂલમાં સમાધિમરણપૂર્વક શરીરત્યાગ કર્યો હતો. પ્રારંભથી જ ગંગરાજ્યનો જૈનધર્મ સાથે ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. શ્રવણબેલગોલના શિલાલેખ નં. ૫૪ (૬૭) તથા ગંગવંશના અન્યાન્ય દાનપત્રોથી નિર્વિવાદરૂપે તે સિદ્ધ છે કે મુનિસિંહનન્દી જ ગંગવંશના સંસ્થાપક હતા. તેનો ગોમ્મસારવૃત્તિના રચયિતા અભયચન્દ્ર ઐવિદ્યચક્રવર્તી પણ સ્વીકાર કરે છે. શ્રીધરાચાર્ય તે બેઉવલ નાડ અંતર્ગત નરિગુંદના નિવાસી હતા. તેમણે પોતાને “વિપ્રકુલોત્તમ બતાવ્યા છે. હજી સુધી તો તેમનો “જાતકતિલક' નામક એક જ્યોતિષ ગ્રંથ જ ઉપલબ્ધ થઈ શક્યો છે, જે પ્રકાશિત થઈ ચૂક્યો છે. જોકે જાતકતિલકના અંતિમ પદ્યથી જાણી શકાય છે કે તેમણે “ચન્દ્રપ્રભચરિત’ પણ રચ્યું હતું. પરંતુ આ ગ્રંથ હજી સુધી પ્રાપ્ત નથી થયો. કવિનું કહેવું છે કે વિદ્વાનોએ મને કહ્યું કે “હજી સુધી કન્નડમાં કોઈએ જયોતિષ ગ્રંથ નથી લખ્યો, એટલા માટે તમે જાતકતિલક અવશ્ય લખો.” આ પ્રમાણે વિદ્વાનોની પ્રેરણાથી જ મેં જાતકતિલકની રચના કરી છે. આનાથી સાબિત થાય છે કે કન્નડમાં જ્યોતિષ સંબંધી ગ્રંથ લખનારમાં શ્રીધરાચાર્ય પ્રથમ છે. આ વાતની પુષ્ટિ બાહુબલિ (લગભગ ૧૨૬૦ ઈ.સ.)ની નાગકુમાર-કથા'થી પણ થાય છે. કન્નડકવિચરિતેના માન્ય લેખકના મતે શ્રીધરાચાર્યનો કાળ ઈ.સ.૧૦૪૯ અથવા શક સં. ૯૭૧ છે. શ્રીધરાચાર્યને ગદ્યપદ્યવિદ્યાધર અને બુધજનમિત્ર આ બે પદવીઓ મળી હતી. તેમણે પોતાને વિધવિશદયશોનિધિ, કાવ્યધર્મજિનધર્મગણિતધર્મમહાભોનિધિ, બુધમિત્ર, નિકુલાબુજા કરમિત્ર, રસભાવસમન્વિત, સુભગ, અખિલવેદી વગેરે અનેક વિશેષણોથી સંબોધિત કર્યા છે. ઉપર કહેવાઈ ચૂક્યું છે કે જાતકતિલક એક જ્યોતિષ ગ્રંથ છે. તે કંદ વૃત્તોમાં લખવામાં આવ્યો છે. આમાં ૨૪ અધિકાર છે. જોકે કવિએ પોતાના ગ્રંથની ઉત્કૃષ્ટતા કેટલાય પદ્યોમાં બતાવી છે તો પણ સ્થાન અભાવને કારણે તે પદ્યો અહીં ઉદ્ધત કરવા અપેક્ષિત નથી. શ્રીધરાચાર્યે જયોતિષનું પ્રયોજન આ મુજબ બતાવ્યું છે “ભવબદ્ધ શુભાશુભ કર્મવિપાકનું ફળ જાણવા માટે જ્યોતિર્લાન અંધારી કોટડીમાં રાખેલી વસ્તુઓ સ્પષ્ટ દેખાડનાર પ્રદીપ સમાન છે.' ૧. વિશેષ જિજ્ઞાસુ સન્મતિ સંદેશ (દિલ્લી), વર્ષ ૧૦, અંક૭, માં પ્રકાશિત “ગંગનરેશ મારસિંહકા સમાધિમરણ' શીર્ષક મારો લેખ જુએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001317
Book TitleKannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Original Sutra AuthorN/A
AuthorK Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy