SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ બતાવનાર મહાપુરુષોનાં સફળ જીવનચરિત્ર જે તેના હૃદયને સકંપ તથા દ્રવીભૂત કરીને તેના જ ચરણોમાં તલ્લીન કરી શકે. પ્રતિભાપુંજ મહાકવિ નાગચન્દ્રમાં આ ગુણ મોજૂદ હતો. વર્ણનીય ચરિત્ર એકજ જન્મનું હોય કે અનેક જન્મોનું, જો કવિ તેમાં એક ક્રમ નિર્ધારિત કરવામાં સમર્થ હોય તો તેની પ્રતિભા પ્રશસ્ત છે. તેમાં સંદેહ નથી કે નાગચ મલ્લિનાથના બંને જન્મોનાં પાવન ચરિત્રને ખૂબ જ બુદ્ધિમત્તાથી એક મહાજન્મના પૂર્વાપર રૂપે ચિત્રિત કર્યા છે. તેમાં ઉત્તર જન્મ સંબંધી મધુર ફળોનાં મુખ્ય બીજ પૂર્વ જન્મનાં ચરિત્રમાં સ્પષ્ટ ઝળકે છે. કથાવસ્તુમાં અપૂર્વતા લાવવામાં કવિ સમર્થ થયા છે. તેમાં સંદેહ નથી કે કવિનું રચના-કૌશલ સર્વથા પ્રશંસનીય છે. નાગચન્દ્ર પોતાના મલ્લિનાથપુરાણમાં મહાકવિ પંપ દ્વારા પ્રતિપાદિત (૧) ભુવન (૨) દેશ (૩) પુર (૪) રાજવૃત્ત (પ) અવિભવ (૬) ચતુર્ગતિ (૭) તપોમાર્ગ અને (૮) ફળ આ આઠ કથાનકોને જ સહર્ષ અપનાવ્યાં છે. શ્રી બેન્દ્ર અનુસાર, મલ્લિનાથપુરાણના ૨૦૩૧ ગદ્ય-પદ્યોમાંથી લગભગ ૨૩પ૦ ગદ્ય-પદ્ય દેશ, પુર, રાજવૃત્ત વગેરેનાં વર્ણન માટે જ રચવામાં આવ્યા છે. જનસાધારણની જીવનશૈલીને કવિએ વિસ્તારપૂર્વક ખૂબ જ ચિત્તાકર્ષક રીતે પ્રસ્તુત કરી છે. તેમાં માનવસુખની ચરમ સ્થિતિ સાથે સાથે જ જૈનેન્દ્ર પદની સર્વોત્કૃષ્ટતાનું પણ વર્ણન છે. નાગચન્દ્ર અર્થાતરન્યાસના અધિક પ્રેમી હતા, ફળસ્વરૂપ મલ્લિનાથપુરાણમાં તેની બહુલતા છે. • પંપરામાયણ એક સરસ મહાકાવ્ય છે. તેનો આદર્શ ઈસુની સાતમી શતાબ્દીમાં આચાર્ય રવિણ દ્વારા સંસ્કૃતમાં રચિત પદ્મપુરાણ છે. સંસ્કૃત પદ્મપુરાણનો આદર્શ ઈ.સ. પ્રથમ શતાબ્દીમાં વિમલસૂરિ દ્વારા રચિત પ્રાકૃત “પઉમરિયમુ” છે. જૈન પરંપરાગત રામચરિત્ર જ આ પંપ-રામાયણનો પ્રતિપાદ્ય વિષય છે. તેમાં નાયક રામચન્દ્રના ચરિત્રના અંગસ્વરૂપ વાસુદેવ લક્ષ્મણ અને પ્રતિવાસુદેવ રાવણનું ચરિત્ર, ચક્રવર્તી, ગણધર તથા કુલકરોનાં ચરિત્ર તથા ચતુર્ગતિ, લોકસ્વરૂપ અને કાલસ્વરૂપ વગેરે વિષયોનું પણ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે (પંપરામાયણ, આશ્વાસ ૧, પદ્ય ૪૧). રામચન્દ્ર, લક્ષ્મણ, રાવણ, સીતા, નારદ, હનુમાન, વાલિ તથા સુગ્રીવ પંપરામાયણના પ્રધાન પાત્રો છે. જીવનું અંતિમ લક્ષ્ય મોક્ષની સાધના તપસ્યા છે. તપસ્યામાં પ્રવૃત્તિ વિરક્તિ દ્વારા જ થાય છે. આથી પાઠકોને આમાં તેમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001317
Book TitleKannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Original Sutra AuthorN/A
AuthorK Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy