SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ લક્ષણ ગ્રંથો તો જૈનાચાર્યોની જ દેન છે. જો કે, “તોલકાપ્પિયમ્'ને જૈનગ્રંથ નથી કહી શકાતો, છતાં પણ જૈન વિચારધારાના પ્રભાવકાળમાં જ તેનું અવતરણ થયું હતું. જૈનાચાર્યો દ્વારા માન્ય નિયમોનો નિર્વાહ તથા લક્ષણ તોલકાપ્પિયમમાં સ્પષ્ટ દેખા દે - ઈરેયનારૂ અહપ્પોરન્, પુરપ્પોળ, વેણુ પામાલે, વીર ચોળિયમ્, ઇલકણ વિળક્રમ્, તોફૂલુ, પ્રયોગ વિવેકમ વગેરે લક્ષણ ગ્રંથો છોડીને, અન્ય સમસ્ત વિખ્યાત ગ્રંથો જૈનાચાર્યો દ્વારા જ રચિત હતા. અને ઉપર્યુક્ત ગ્રંથો પણ જૈનોના ગ્રંથોથી ખૂબ પ્રભાવિત છે, અને તેમના જ અનુસરણમાં રચવામાં આવ્યા છે. તામિલનાવિશિષ્ટછંદોને સાર્વજનીન બનાવવાનું એકમાત્રશ્રેય યાખરુંગલમૂના રચયિતા સ્વનામધન્ય અમિતસાગરને જ છે. તે જ રીતે તામિલના વ્યાકરણને કાવ્યની જેમ વાંચવા-સમજવા યોગ્ય બનાવવાનું શ્રેય “નકૂલ'ના રચયિતા વિદ્વધર ભવણંદિ (ભવણનંદી)ને જ છે. નિઘંટુ ગ્રંથોનો પાયો જૈનાચાર્યોએ જ નાખ્યો. પંચ મહાકાવ્યો અને લઘુ કાવ્યોમાં અધિકાંશ તો જૈનોનાં જ છે. કંબર જેવા દિગ્ગજ પંડિતોના પ્રેરણાસ્રોત હતા જીવકચિંતામણિ જેવાં નકાવ્ય. તામિલનો આદિમ ગ્રંથ હોવાનું ગૌરવ જૈન પંડિત કૃત શ્રીપુરાણમુને જ છે, જે જૈનપુરાણ રૂપે પ્રસિદ્ધ થયું. નીતિ તથા ધર્મગ્રંથ જેટલાં જૈનોએ પ્રસ્તુત કર્યા, તેટલાં અન્ય ધર્માવલંબીઓ દ્વારા નથી થયા. આ રીતે પ્રત્યેક ક્ષેત્રમાં પોતાની જ્ઞાન-વિભૂતિઓના મૂર્ત ઉપહારસમર્પિત કરનાર નિસ્વાર્થ જૈનાચાર્યોનું તામિલ જનતા અહર્નિશ આદરપૂર્વક સ્મરણ કર્યા કરે છે, અને ભવિષ્યમાં પણ કરતી રહેશે. આપણું દાયિત્વ આ બધું હોવા છતાં પણ દુઃખદ વાત તો એ છે કે “નો: સમતાસુદ્ધિનો મવસ્તુની - વિશાળ ભાવનાથી પ્રેરિત થઈને જૈનાચાર્યોએ જેટલા ઉપયોગી ગ્રંથ બહુજન હિતાય બહુજન સુખાય તામિલ વાણી દ્વારા સમર્પિત કર્યા હતા, તે બધા શું માત્ર તામિલ ભાષીઓની ગુપ્ત નિધિ રહેશે? તામિલેયર ભાષી શું તેના જ્ઞાનલાભથી સદાય વંચિત જ રહેશે? વિશ્વમાનવની તો વાત દૂર, ઓછામાં ઓછું ભારતવાસી તો, જે તામિલ રાજ્યની બહાર રહે છે, તેઓ બહુમૂલ્ય જૈનગ્રંથોનું રસાસ્વાદન અવશ્ય કરી શકે છે; તે તેમનું કર્તવ્ય પણ છે. ભારતમાં ફેલાયેલા જૈનોનું તે પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ કે તેઓ આ તામિલ જૈનગ્રંથોને પોતપોતાની પ્રાન્તીય ભાષામાં તથા રાજભાષા હિન્દીમાં પણ પ્રકાશમાં લાવે અને અંગ્રેજી દ્વારા તેમને વિશ્વવ્યાપી બનાવવાનો સમ્પ્રયાસ કરે. તે એક મહાનતમ પુણ્યકર્મ કે જ્ઞાનયજ્ઞ હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001317
Book TitleKannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Original Sutra AuthorN/A
AuthorK Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy