SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મગ્રંથ ૧૩૩ મેળવી શકે છે. ધર્મજિજ્ઞાસુઓનાં લક્ષણ અને કર્તવ્ય વિષયમાં લેખકે ગ્રંથારંભે વિસ્તૃત વિવેચન કર્યું છે. તદનંતર બતાવ્યું છે કે શ્રદ્ધાળુ શિષ્યો તથા ધર્મજિજ્ઞાસુઓ નિમિત્તે જ “ધર્માચરણસાર' ગ્રંથનું પ્રણયન કર્યું છે. પોતાના ધર્માનુયાયીઓ તથા શ્રદ્ધાળુઓ માટે ગ્રંથ રચવાનો પ્રારંભ સંભવતઃ તેમના જ સમયમાં થયો છે. પોતાના મત-સિદ્ધાંતની સ્થાપના અને પ્રભાવના માટે અન્ય મતો કે ધર્મોનું ખંડન વગેરે પણ આ ગ્રંથમાં છે. આમાં શિવને અહંતુ બતાવવામાં આવ્યા છે. એકાંતવાદનું ખંડન અન્ય જૈનાચાર્યોની જેમ આ ગ્રંથકર્તાએ પણ કર્યું છે. આ “અરબૅરિસારમ્' ગ્રંથ સંઘકાલીન પદ્યો, “પતિને કાબૂ કણ' ગ્રંથો તથા અન્ય કાવ્યગ્રંથોના સંકલનોમાં સ્થાન મેળવી ચૂક્યો છે. આથી તેનો રચનાકાળ તે જ માની શકાય છે નેમીનાથરૂ અને ભવગંદી (ભવણનન્દી)નો છે અર્થાત્ ઈ.ચૌદમી સદી. બીજો ગ્રંથ “અરેકલ ચેપ્પ' લગભગ સાતસો વર્ષ પૂર્વે રચવામાં આવ્યો, એવું માની શકાય છે. આ અઢાર લઘુ ગ્રંથોના પ્રભાવથી જે પ્રવૃત્તિ તામિલ સાહિત્યમાં વધવા લાગી, તેનું કિંચિત્ દિગ્દર્શન અહીં કરાવવામાં આવ્યું છે. શિલપ્પધિકારમ્, મણિમેખલે વગેરે મહાકાવ્યોનું અવતરણ આ જ પ્રવૃત્તિની નિષ્પત્તિ છે. તામિલ વેદ (તિરુક્ર)ની મહત્તા બતાવતી વખતે, તેના સહસંકલનો પર પણ પ્રકાશ નાખવો ઉચિત થશે. પતિનેંકળુ કણકુનાં લક્ષણો અમૅ ઉક્ત ગ્રંથ-સંગ્રહનું પારિભાષિક નામ છે “અમ્મ'. તેનો ઉલ્લેખ તોલકાપ્પિયરે પોતાના લક્ષણ ગ્રંથમાં કર્યો છે. “અમ્મ ગ્રંથોમાં શબ્દલાઘવ, અર્થગાંભીર્ય તથા માધુર્યની પ્રધાનતા હોય છે; ધર્મ, અર્થ અને કામ આ ત્રણે પુરુષાર્થોનું વિવેચન તથા ઉદ્ધોધક વ્યાખ્યા જ વર્ય વિષય હોય છે. “મંડૂકપ્નતિની શૈલીને કારણે વિષય વર્ણનની વિશૃંખલતા હોવા છતાં પણ, ઉદેશ્યપૂર્તિમાં શિથિલતા નથી આવતી. તેમનાં પદ્ય નાનાં, પરંતુ પ્રભાવશાળી અને કોમળ છંદનાં હોય છે. કણજ્જ નડું કણકું', “કણક્કાવનારૂ', “સમયફ કણકરૂ વગેરે તામિલ શબ્દોમાં “કણÉ શબ્દ ગ્રંથના અર્થમાં પ્રયુક્ત થયો છે. “દિવાકરમ્' નામક તામિલ નિઘંટુમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001317
Book TitleKannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Original Sutra AuthorN/A
AuthorK Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy