SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ચંપૂયુગ ૭૯ મલ્લિકાર્જુન તથા કેશિરાજ ૧૩મી શતાબ્દીના મધ્ય ભાગમાં થયેલ આ બંને પિતા-પુત્રનું કન્નડ સાહિત્યના ઈતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન છે. તેઓ બંને કવિ હતા. પરંતુ દુઃખની વાત એ છે કે હજી સુધી તેમનો કોઈ પણ સ્વરચિત કાવ્ય ગ્રંથ ઉપલબ્ધ નથી થયો. મલ્લિકાર્જુન મલ્લ અને મલ્લપ્પ નામે પણ પ્રસિદ્ધ છે. મલ્લિકાર્જુને પોતાની પૂર્વના કન્નડ સાહિત્યમાંથી “સૂક્તિસુધાર્ણવ' નામક એક પદ્ય સંકલન ચોક્કસ તૈયાર કર્યું છે. તેમાં ૧૯ આશ્વાસ છે. આ સંકલન ગ્રંથના પૂર્વપીઠિકા નામના પ્રથમ આશ્વાસમાં તેમના સ્વરચિત અનેક પદ્ય ઉપલબ્ધ થાય છે, માત્ર એટલું જ નહિ, આ આશ્વાસમાં તેમના દ્વારા રચિત ઘણા-બધા એવાં પદ્ય પણ મળે છે જે અભિલેખોમાં ઉત્કીર્ણ છે. કેશિરાજ તેમણે પોતાના ગ્રંથ શબ્દમણિદર્પણમાં ચોલપાલચરિત, સુભદ્રાહરણ, પ્રબોધચન્દ્ર અને કિરાત નામક પોતાની સ્વરચિત કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ હજી સુધી આમાંથી એક પણ ગ્રંથ પ્રાપ્ત થઈ શક્યો નથી. વિદ્વાનોના મતે પ્રબોધચન્દ્ર નાટક ગ્રંથ હશે. જો આ એક નાટક ગ્રંથ હોય તો કન્નડ સાહિત્યમાં તેનું ખૂબ મહત્ત્વ હશે, કેમકે પ્રાચીન કન્નડ સાહિત્યમાં નાટક ગ્રંથોનો સર્વથા અભાવ છે. તેમાં સંદેહ નથી કે કેશિરાજ એક શ્રેષ્ઠ કવિ છે. મલ્લિકાર્જુનના સૂક્તિસુધાર્ણવના પૂર્વપીઠિકા નામક પ્રથમ આશ્વાસ છોડી બાકીના ૧૮ આશ્વાસોમાં ૧૮ પ્રકારનાં વર્ણનો મળે છે. આ વર્ણનોનાં પદ્ય ખૂબ જ સરસ છે. આ સંકલનમાં કંદ અને વૃત્ત જ લખવામાં આવ્યા છે. સૂક્તિસુધાર્ણવ કન્નડ સાહિત્યના ઈતિહાસની દૃષ્ટિએ ખૂબ જ મૂલ્યવાન છે. હજી સુધી અનુપલબ્ધ તથા અપ્રાપ્ય અનેક કાવ્યરચનાઓના કેટલાક અંશ આ સંકલનમાં મળે છે. કવિઓના કાળનિર્ણય માટે પણ આ ગ્રંથ આધારભૂત છે. આ સંકલનમાં ઉદ્ભત પદ્યકાવ્યોના રચયિતા ઈ.સ. ૧૨૫૦ની પહેલાંના સાબિત થાય છે. જ્યારે આમાં અનુદ્ધત બધા કવિ પરવર્તી સાબિત થાય છે. સૂક્તિસુધાર્ણવના સંગ્રહકાર્યમાં પિતાની સાથે કેશિરાજનું પણ યોગદાન રહ્યું હશે. પૂર્વવર્તી બધા કાવ્ય ગ્રંથના અવલોકનથી કેશિરાજને પોતાના વ્યાકરણ ગ્રંથ શબ્દમણિદર્પણની રચનામાં પર્યાપ્ત સહાયતા મળી હશે. કેશિરાજે આ જ ગ્રંથોના આધારે વ્યાકરણ સંબંધી નિયમોનો સંગ્રહ કર્યો હશે. શબ્દમણિદર્પણ એક સુંદર વ્યાકરણ ગ્રંથ છે. તેનાં સૂત્ર કંદ પદ્યોમાં છે તથા વૃત્તિ ગદ્યમાં છે અને ઉદાહરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001317
Book TitleKannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Original Sutra AuthorN/A
AuthorK Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy