SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પંપયુગ - ૨૩ તે જાણીને આદેશ આપ્યો કે કૈલાસ પર્વત પર ભરત સમ્રાટે રત્નનિર્મિત પ્રતિમાઓ બનાવીને રાખી છે. તે લોકના માનવોની દૃષ્ટિમાં ન આવે, એવો કોઈ ઉપાય વિચારો. સગરને સચેત કરનાર તેનો મિત્ર ચેતન મણિકેતુ નામક દૃષ્ટિવિષસર્પનું રૂપ ધારણ કરીને આવ્યો અને ભગીરથને છોડી બાકી બધાને મારી નાખ્યા. પછી તે બ્રાહ્મણવેશમાં રાજમહેલની નજીક આવ્યો અને રડારોળ કરવા લાગ્યો. જ્યારે તેની રડારોળનું કારણ પૂછવામાં આવ્યું તો જવાબમાં તેણે કહ્યું કે કેટલીય માનતાઓ માનવાના ફળસ્વરૂપે પેદા થયેલો તેનો એકમાત્ર દીકરો યમલોક સિધાવી ગયો છે. આથી હું તમારા પગે પડવા આવ્યો છું. મારા માટે મૃત્યુ કે આશ્રય તમે જ પ્રદાન કરી શકો છો. સગર તે બ્રાહ્મણને સાંત્વના આપતાં બોલ્યો, ભાઈ ! તું એવા ઘરમાંથી તણખલું અને આગ લઈ આવ જ્યાં મૃત્યુની છાયા સુદ્ધાં ન પડી હોય. હું તારા દીકરાને બચાવી લઈશ.” કપટી બ્રાહ્મણ ગયો અને પાછો આવીને બોલ્યો કે એવું એક પણ ઘર ના મળ્યું. આના પર સગરે તે બ્રાહ્મણને મૃત્યુની અનિવાર્યતાની વાત આ રીતે સમજાવી, “યમરાજના પંજાથી કોણ બચ્યું છે? દેવતા, માનવ, રાક્ષસ, પશુ આ બધાનો સર્વનાથ તેનો ખેલ છે. શબયાત્રાના પ્રસંગે જે વાજું વાગે છે, તે યમનો વિજયઘોષ છે. ચિતાનો ધૂમાડો તેની વિજયપતાકા છે. પરિજનોનો વિલાપ તેની સફળતાનું પ્રતીક છે. યમની રાજસત્તાના આ જ સંકેતો છે.” આ બધી વાતો સાંભળ્યા પછી બ્રાહ્મણ બોલ્યો, “આ ધર્મચર્ચા માત્ર મારા માટે છે કે આપના જીવનમાં પણ આનું કોઈ મહત્ત્વ છે?” સગરે તરત ઉત્તર આપ્યો, “આનું આચરણ હું પહેલાં કરીશ.” તરત બ્રાહ્મણના મોંથી વાત નીકળી, “તમારા ૬૦ હજાર પુત્ર જીવિત નથી રહ્યા.” ભગીરથે પણ આ વાતની પુષ્ટિ કરી. આ શોકવાર્તા સાંભળીને પરિજનો અને રાણીવાસમાં રોકકળ મચી ગઈ. માતાઓએ પુત્રોની પ્રાણભિક્ષા માગી અને વધૂઓએ પતિભિક્ષા માગી. જોકે સગર શોકસાગરમાં ડૂબવા-તરવા લાગ્યા, પરંતુ સહેજ પણ વિચલિત ન થયા. તે જ ક્ષણે તેમણે સંસારથી વિરક્ત થઈને ભગીરથને રાજ્યના ઉત્તરાધિકારી બનાવ્યો અને તપસ્યા માટે ચાલી નીકળ્યા. નિર્વેદની ખૂબ જ ગંભીર વ્યંજના આની વિશેષતા છે. વિદ્વાનોનું કથન છે કે અજિતપુરાણમાં કાવ્યસૌંદર્યનો અભાવ નથી. છતાં પણ પંપરચિત આદિપુરાણની ભવ્યતા અહીં દષ્ટિગોચર નથી થતી. રન્નના લૌકિક કાવ્ય ગદાયુદ્ધ કે સાહસભીમવિજયને કન્નડનું અપૂર્વ “કૃતિરત્ન' માનવામાં આવ્યું છે. કવિએ આમાં આશ્રયદાતા સત્યાશ્રય નરેશનું ગુણગાન કર્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001317
Book TitleKannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Original Sutra AuthorN/A
AuthorK Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy