SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ આવે છે. આ બધા જૈન-ધર્માવલંબી હતા. તેમની કૃતિઓ બે રૂપે મળે છે – સિદ્ધાન્તપ્રતિપાદક તથા તીર્થકરવૃત્તાત્મક. તત્કાલીન રચનાઓનાં અવલોકનથી નપતંગને તેમાં જે ત્રુટિઓ દેખાઈ, તેમને દૂર કરી પરવર્તી કવિઓનું માર્ગદર્શન કરવા માટે તેણે “કવિરાજમાર્ગ' નામક લક્ષણગ્રંથ રચ્યો હશે. પ્રત્યેક જૈન કવિનો સંક્ષિપ્ત પરિચય નીચે આપવામાં આવી રહ્યો છે – શ્રીવર્ધદેવ (લગભગ ૬૫૦ ઈ.સ.) નૃપતુંગે આનો ઉલ્લેખ નથી કર્યો. પરંતુ ઈ.સ.૧૧૨૯માં ઉત્કીર્ણ શ્રવણબેલગોળના ૬૭મા શિલાલેખમાં ઉલ્લેખ છે કે તેમણે ચૂડામણિકાવ્ય રચ્યું હતું અને દંડીએ તેમનું ગુણગાન કર્યું હતું. કવિ દંડી સાતમી સદીમાં થયા હતા. આથી તેઓ પણ તે સમયના હોય તેમ જણાય છે. ભટ્ટારક અકલેકે (૧૯૦૪ ઈ.સ.) કન્નડના મહિમાનું વર્ણન કરતાં આ ગ્રન્થ સંબંધે કહ્યું છે કે “ચૂડામણિ' તત્ત્વાર્થ મહાશાસ્ત્રની વ્યાખ્યા છે અને તેના રચયિતા ૯૬ હજાર ગ્રંથોના નિર્માતા છે. દેવચન્દ્ર (૧૮૩૦ ઈ.સ.) લખે છે કે તુંબલૂર નામક આચાર્ય ૨૪ હજર ગ્રંથોના રચયિતા છે અને તેમણે કન્નડમાં ચૂડામણિની વ્યાખ્યા પણ લખી છે. ચામુંડરાયે (૯૭૮ ઈ.સ.) તંબુલૂરાચાર્ય નામક ગુરુનું સ્તવન કર્યું છે. હા, એ વાતનું નિશ્ચિત પ્રમાણ નથી કે ચૂડામણિ-કાવ્ય અને ચૂડામણિ-વ્યાખ્યા એક જ ગ્રંથ છે કે અલગ-અલગ. દુર્વિનીત, શ્રીવિજય નૃપતુંગ અનુસાર વિમલોદય, નાગાર્જુન, જયબંધુ, દુર્વિનીત, શ્રીવિજય અને કવીશ્વર વગેરે કન્નડના કેટલાક કવિ થયા છે. આ બધા જૈન જ હોવાનું જણાય છે. અભિલેખોથી વિદિત થાય છે કે દુવિર્તીત ગંગરાજ હતા. દુર્વિનીત સાતમી સદીના આરંભે જીવિત હતા અને તેમના દરબારમાં કેટલાક સમય સુધી કવિ ભારવિ રહ્યા હતા. ભારવિ-રચિત કિરાતાર્જુનીયના ૧૫મા સર્ગની વ્યાખ્યા દુર્વિનીતે જ કરી છે. શ્રીવિજયનો ઉલ્લેખ કેશિરાજે પણ કર્યો છે. દુર્ગસિંહે (૧૧૪૫ ઈ.સ.) શ્રીવિજયની કવિતાને કવિઓ માટે દર્પણ તથા દીપક બતાવી છે. મંગરસ (૧૫૦૮ ઈ.સ.) અને દોગ્ય (૧૫૫૦ ઈ.સ.લગભગ) આ બંનેનું કહેવું છે કે શ્રીવિજયે ચન્દ્રપ્રભપુરાણ” ચંપૂશૈલીમાં લખ્યું છે. કેટલાક વિદ્વાનોનું એમ પણ અનુમાન છે. કે શ્રીવિજયે જ નૃપતુંગના ઉપનામથી કવિરાજમાર્ગનું પ્રણયન કર્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001317
Book TitleKannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Original Sutra AuthorN/A
AuthorK Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy