SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ કન્નડ સાહિત્યનો આરંભકાળ નૃપતંગે અનુષ્ટુપ્નું જે ઉદ્ધરણ આપ્યું છે તેમાં પ્રાસનો નિર્વાહ છે तारा जानकियं पोगि तारा तरळनेत्रेयं । ताराधिपतितेजस्वी તારલિવિનોલ્યા | ૨.૧૮ ॥ पेरनावं धराचक क्रेयं केळेयप्पवं । नेरेयारेणेयेंबनं कुरितब्ध बन्नमं ॥ (જાનકીને સાથે બોલાવી લઈ જાવ. ચંચલ નેત્રવાળીને સાથે લઈ જાવ. ચન્દ્રમા સમાન તેજસ્વી વિજયનો સંદેશ લાવો. ધરિત્રી માટે બીજું કોણ મોટું છે ? કોણ સાથી છે ? કોણ સહારો છે ? કોણ બરાબર છે ?.....) - પંપના સમય સુધી અનુષ્ટુપ્ જેવા વૃત્તો લુપ્તપ્રાય થઈ ગયા હતા. તે સમયે વૃત્ત અને કંદ બંનેને મુખ્ય માનવામાં આવતા હતા. ચંપૂકાવ્યોમાં આ છંદો યોજાયેલા મળે છે, પરંતુ ભાગ્યે જ. ગીત, આખેટ, નગરવર્ણન, સ્ત્રીવર્ણન, વિવાહ અને ગીત વગેરે માટે ત્રિપદી, અક્કર અને રગળેનો જ પ્રયોગ થતો રહ્યો. ચંપૂ અને ચરિત વગેરે કાવ્યોમાં લોકગીતોની ધુનોનો સમાવેશ થયો, જેમને સંસ્કૃતના લક્ષણ ગ્રંથોમાં કોઈ સ્થાન મળ્યું નથી. Jain Education International આ વિસ્તૃત વિવેચનનો એ જ આશય છે કે લગભગ ઈ.સ. છઠ્ઠી-સાતમી સદી સુધી કન્નડ પ્રદેશમાં સંસ્કૃતમાં વર્ણિત ધર્મ, સભ્યતા તથા સાહિત્યનો પ્રચાર હતો. આનાથી કન્નડ ભાષા પરિપુષ્ટ થવા લાગી તથા તેમાં કવિતા રચાવા લાગી. આરંભમાં સંસ્કૃતનો પ્રભાવ વ્યાપક હતો. તે સમયે પણ લોક ભાષામાં દેશી છંદોમાં રચનાઓ અવશ્ય થઈ હશે, પરંતુ તે આજે ઉપલબ્ધ નથી. બની શકે કે તે યુગના ગ્રંથોમાં તે લોકગીતો છાયા રૂપે રહીને વીરશૈવ સાહિત્યકારોની કૃપાથી પુનરુજ્જીવિત થયાં હોય. લગભગ સાતમી સદીથી દસમી સદીની વચ્ચે ઉપલબ્ધ ગ્રંથો પર શિલાલેખોના આધારે કન્નડ સાહિત્યની ઐતિહાસિક રૂપરેખા નીચે પ્રમાણે આપી કાય – શિલાલેખો તથા ભટ્ટાકલંક અને દેવચન્દ્ર અનુસાર, શ્રીવર્ધદેવ અને નૃપતંગ અનુસાર, દુર્વિનીત, શ્રીવિજય, કેશિરાજ, મલ્લિકાર્જુન અને વિદ્યાનંદ અનુસાર; શ્રીવિજય, અસગ, ગુણનંદિ અને ગુણવર્મને આ યુગના મુખ્ય કવિઓ માનવામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001317
Book TitleKannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Original Sutra AuthorN/A
AuthorK Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy