SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ચંપૂયુગ છે. એમ જણાય છે કે કમલભવને કવિકંજગર્ભ અને સૂક્તિસંદર્ભગર્ભની પદવીઓ મળી હતી. કમલભવે પૂર્વકવિઓમાં પંપ, પોન્ન, નાગચન્દ્ર, રત્ર, બંધુવર્મ તથા નેમિચન્દ્ર વગેરેનું સ્મરણ કર્યું છે. તેમણે પોતાની રચનામાં પોતાના ગુણ તથા કવિતા-ચાતુર્યની પ્રશંસા પણ સ્વયં કરી છે. કમલભવનું શાંતીશ્વરપુરાણ ૧૬ આશ્વાસોમાં વિભક્ત છે. ગ્રંથના પ્રારંભે કવિએ શાંતીશ્વર તથા સિદ્ધોની સ્તુતિ અનંતર પ્રાયઃ બધા પ્રસિદ્ધ આચાર્યો તથા કન્નડ કવિઓની સ્તુતિ કરી છે. આર. નરસિંહાચાર્યના મતે આ એક લાલિત્યપૂર્ણ કાવ્યરચના છે. આમાં કવિની કાવ્યધારા નિબંધ રૂપે પ્રવાહિત થઈ છે. તેમાં સંદેહ નથી કે કમલભવ એક પ્રતિભાશાળી કવિ છે. તેમનું શાંતીશ્વરપુરાણ મૈસૂર સરકાર તરફથી પ્રકાશિત થઈ ચૂક્યું છે. સંભવ છે કે કમલભવ દ્વારા અન્ય કોઈ ગ્રંથ પણ રચવામાં આવ્યો હોય. પરંતુ હજી સુધી માત્ર શાંતીશ્વરપુરાણ જ ઉપલબ્ધ થઈ શક્યું છે. મહાબલ તેમણે નેમિનાથપુરાણની રચના કરી છે. તેઓ ભારદ્વાજ ગોત્રના છે. તેમના પિતા રાયિદેવ, માતા રાજિય%, ગુરુ મેઘચન્દ્ર હતા. પ્રત્યેક આશ્વાસના અંતે ગદ્યમાં કવિએ “માધચન્દ્રઐવિદ્યચક્રવર્તિશ્રીપાદપ્રસાદાસાહિતસકલકલાકલાપ' એમ ઐવિદ્યચક્રવર્તી માધવચન્દ્રનું સાદર સ્મરણ કર્યું છે. સંભવતઃ માધવચન્દ્ર મહાબલના વિદ્યાગુરુ હતા. નેમિનાથપુરાણનો રચનાકાળ શક સંવત ૧૧૭૬ (ઈ.સ.૧૨૫૪) છે, તેનો ઉલ્લેખ કવિએ પોતે કર્યો છે. કેતયનાયક અથવા ક્ષેમંકરે મહાબલ દ્વારા નેમિનાથપુરાણની રચના કરાવી હતી. કેતયનાયક સ્વયં કવિ હતા. આ વાત ઉપર્યુક્ત પુરાણથી જ વિદિત થાય છે. કેતયની પત્ની શ્રીપતિની પુત્રી મરુદેવી હતી. મરુદેવીની એક પુત્રી હતી, જેનો વિવાહ કલિદેવ સાથે થયો હતો. કેતયનાયકે કોટિબાગે જિનાલયમાં વ્રત લીધું હતું. કવિ મહાબલ શ્રીપતિના પુત્ર લક્ષ્મના ગુરુ હતા. મહાબલે પોતાને “સચિવ' કહ્યા છે; સંભવતઃ તે કેતયનાયકના “સચિવ' રહ્યા હશે. કવિએ લખ્યું છે કે તેમણે પોતાનો ગ્રંથ નેમિનાથપુરાણ શ્રુતાચાર્ય વગેરેની ઉપસ્થિતિમાં સભામાં સંભળાવી પોતાના શિષ્ય (પૂર્વોક્ત) લક્ષ્મ પાસે લખાવ્યો છે. મહાબલને ‘સહજકવિમનોગેહમાણિક્યદીપ' અને વિશ્વવિદ્યાવિરંચિ' નામક પદવી પ્રાપ્ત હતી. તેમણે પોતાના પૂર્વવર્તી કવિઓનું સ્મરણ નથી કર્યું. મહાબલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001317
Book TitleKannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Original Sutra AuthorN/A
AuthorK Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy