SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને તામિલ દેશ ૧૨૭ ભગવાન) વાક્ય પણ જિનદેવનો જ નિર્દેશ કરે છે. એ તો માનવામાં આવેલી વાત છે કે તિરસ્ફરળમાં જ્યાં-જ્યાં ભગવાનનો ઉલ્લેખ કે વર્ણન આવ્યું છે, તે હિંદુ તથા જૈન બંને ધર્મો પર લાગુ પડે છે. આથી એમ સ્વીકારવું યોગ્ય ગણાશે કે તિરુવલ્લુવરે ઈશ્વરના સામાન્ય સ્વરૂપને જ વ્યક્ત કર્યું છે, જેની માન્યતા સમસ્ત સંપ્રદાય ધરાવનારાઓમાં છે. તિરુકુળનો ઉપદેશ “અરમ્ (ધર્મ) બધા ધર્મો અને મતોના સારભૂત તત્ત્વોનું સમન્વયસ્થળ તિરુકુરબ્ધ છે. સ્વચ્છ પ્રેમ જ જીવનતત્ત્વ છે, શુદ્ધ પ્રેમ અને શ્રદ્ધામયી ગૃહિણી તથા સંતાન જ જીવનાધાર છે તથા આતિથ્ય-સત્કારનો મહિમા, પ્રિય તથા હિતમિતવચન, કૃતજ્ઞતાની અનિવાર્યતા, સંયમની મહત્તા, સદાચરણની વિશુદ્ધતા, નિરામય ભોજનની વિશેષતા, તપસ્યાનો મહિમા, સત્ય, અસ્તેય, અહિંસા તથા શાંતિપ્રિયતાની ઉપાદેયતા ઈત્યાદિ કેટલાય લોકમંગલકારી સદુપદેશ તિરુક્કરળના પ્રથમ વિભાગમાં છે. પોતાના-પારકાની ભેદબુદ્ધિથી મુક્ત તપસ્વીની સ્થિતિનું સારું વર્ણન છે. જન્મમરણનું તત્ત્વવિવેચન, મોક્ષજ્ઞાન, અનાસક્તિ અને કર્મફળના અનુગમનનું વર્ણન આ બધું પ્રથમ “અરમ્” અધ્યાયમાં સુંદર રીતે વર્ણિત છે. બધા ધર્મોના નેત્રભૂત પ્રેમ, દયા અને તત્ત્વજ્ઞાનનું સમર્થન પ્રધાનપણે કરવામાં આવ્યું છે. તિરુવલ્લુવરે “પૉરેય મૈ” (સહિષ્ણુતા)નો જે આદર્શ સ્થાપિત કર્યો, તે સાચેજ અપૂર્વ તથા ઉચ્ચ કોટિનો છે. આ પ્રકરણનું પહેલું પદ્ય છે – “अकळ्वारैत् तांगुम् निलम्बोलत् तम्मै इकळ्वाप पोरुत्तल् तलै ।" અર્થાત્, જેમ ધરતી પોતાના પર પાવડા મારનારને પણ ઊભા રહેવાની જગ્યા આપે છે, તે જ રીતે મનુષ્ય પોતાના અપરાધીના દુષ્કર્મ સહીને તેને અપનાવવો જોઈએ. તે જ સાચી સહિષ્ણુતા છે, જે ઉત્તમ ધર્મ માનવામાં આવે છે. આગળ જતાં, સહિષ્ણુતાની જે પરાકાષ્ઠા તેમણે બતાવી, તે છે, પરકૃત અપરાધોને સહી લેવા તો સાધારણ ધર્મ છે, પરંતુ તેમનાં સ્વલ્પ સ્મરણ સુદ્ધાંને પોતાના મનમાં ઘર ન કરવા દેવું; અર્થાત્, તે જ ક્ષણે તેને ઉદારતા સાથે એકદમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001317
Book TitleKannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Original Sutra AuthorN/A
AuthorK Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy