________________
રામાયણ અને મહાભારત
“મિથ (Myth) વિનાનો માનવી મૂળ વિનાના વૃક્ષ જેવો છે.” (જર્મનચિંતક નિત્યે) ભારતવર્ષના ઇતિહાસ અંગેના ગ્રન્થોમાં સૌથી વધુ પ્રચલિત ગ્રન્થો તે રામાયણ અને મહાભારત. બન્નેય ગ્રન્થો ઉ૫૨ અજૈન લેખકો જેટલું જ પ્રદાન જૈન લેખકોનું પણ છે. સહુ તે તે ચારિત્ર્ય-નાયકો રામ અને કૃષ્ણને પોતાના ધર્મના અનુયાયી માને છે. કેટલો બધો આદર હશે ઉભયમાન્ય આ મહામાનવો પ્રત્યે સહુને !
અજૈન રામાયણોના મૂલસ્ત્રોત વાલ્મીકિ છે તો જૈન રામાયણોના મૂલસ્ત્રોત (‘પઉમચરિયં’ના રચયિતા) વિમલસૂરિજી છે, તેમ અજૈન મહાભારતોનું મૂળ વ્યાસમુનિ છે તો જૈન મહાભારતનું મૂળ ગણધર ભગવંતો છે. (કેમકે ‘મહાભારત’ નામ મૂળ આગમોમાં જોવા મળે છે.)
આ બંને મહાકાય ગ્રંથોમાં કેટલીક આંખે ઊડીને વળગે તેવી વિશિષ્ટતાઓ જોવા મળે છે. બંનેનો રાગમાંથી જન્મ
3
બંને કથાઓનું મૂળ જીવાત્મામાં પડેલો રાગભાવ છે. રાવણના પરસ્ત્રી પ્રત્યેના કામરાગમાંથી રામાયણ રચાયું છે, તો દુર્યોધનના પોતાની જાત ઉપરના તીવ્ર રાગભાવ (અહંકારભાવ)માંથી મહાભારત પેદા થયું છે. સામાન્ય રીતે વિચારતાં આ જગતના બધા સંસારી જીવો દુર્યોધન છે. સહુ
ઓછાવત્તા અંશે પોતાને ચાહતા હોય છે. પ્રિયતમ ધન વગેરેને-શરીરના અંગને ય-ત્યાગીને પોતાને બચાવવાની કોશિશ કોણ કરતું નથી? અકબર-બિરબલની કથાઓમાં હોજમાં નંખાયેલી વાંદરી અને તેના બચ્ચાની કથામાં સ્વરાગની કેવી પરાકાષ્ટા દર્શાવાય છે કે જ્યાં સગી મા પોતાનો જાન બચાવવા માટે સંતાનનો જાન લેવા તૈયાર થઈ ગઈ છે!
બે ય માં પુત્રમોહની પ્રધાનતા રામાયણના મૂળમાં કૈકેયીનો પુત્ર ભરત પ્રત્યેનો કારમો મોહ કારણભૂત બન્યો છે તો મહાભારતમાં ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન પ્રત્યેનો કારમો મોહ કારણભૂત બન્યો છે. આ પુત્રમોહમાંથી જ બંને મહાયુદ્ધો જન્મ પામ્યા છે.
સંપ અને કુસંપને જણાવતા ગ્રન્થો જેણે મોક્ષ પામવો હોય તેણે ધર્મ કરવો જ રહ્યો. પણ તે ધર્મ તેને સિદ્ધ થાય જેની પાસે પાયામાં ચાર વસ્તુ હોય : (૧) ચિત્તમાં પ્રસન્નતા, (૨) શરીરે આરોગ્ય, (૩) જીવનમાં શાન્તિ, (૪) કુટુંબે સંપ.
રામાયણ અને મહાભારત ‘કુટુંબે સંપ’ એ પાયાને મજબૂત કરનારા ગ્રન્થો છે. કુટુંબમાં રામ, દશરથ, સીતા, ઊર્મિલા જેવા સભ્યો હોવા જોઈએ એવી હકારાત્મક પ્રેરણા આપવા દ્વારા રામાયણ આ પાયો પ્રબોધે છે. જ્યારે કુટુંબમાં ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, શકુનિ વગેરે જેવા પાત્રો નહિ હોવા જોઈએ એવી નકારાત્મક પ્રેરણા આપવા દ્વારા મહાભારત આ પાયો પ્રબોધે છે.
પહેલો ગ્રન્થ સંપનો મહિમા સમજાવે છે. બીજો ગ્રન્થ કુસંપના કટુ ફળો દર્શાવે છે.
બે ય બોધપ્રદ
બંને ગ્રન્થો જગતના જીવોને અદ્ભુત બોધ આપે છે. હા, બંનેયની બોધ આપવાની ગતિવિધિ સાવ જુદી, લગભગ વિરોધી છે. રામાયણમાં ગુણોના નિરૂપણને પ્રધાન બનાવાયું છે. આદર્શ પિતા,
જૈન મહાભારત ભાગ-૧