________________
પુણ્યનો ઉદયકાળ સાંસારિક ભોગો માટે જેમ ખૂબ અનુકૂળ ગણાય છે તેમ આત્મકલ્યાણની આરાધનામાં પણ સહાયક બની શકે છે.
પુણ્યના ઉદયમાં જ સદ્ગુરુ, સારું આરોગ્ય વગેરે મળે ને ? તે મળે તો જ સુંદ૨ ધર્મધ્યાન થઈ શકે ને ? માટે પુણ્યોદયના સમયને સંસારના ભોગસુખો ખાતર વેડફી ન નાંખતાં ધર્મધ્યાનમાં
એકરસ બનીને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી લેવો જોઈએ.
જૈન મહાભારત ભાગ-૧