Book Title: Jain Mahabharat Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 153
________________ દુર્યોધને કહ્યું, “જો એમ જ હોય તો મામા ! આપણે પાંડવોને શા માટે યુદ્ધ કરીને જીતી ન લેવા જોઈએ ? ચાલો, આપણે યુદ્ધ કરીએ.” શકુનિએ કહ્યું, “ઓ દુર્યોધન ! શું આ તું સભાન અવસ્થામાં બોલી રહ્યો છે ? તું પાંડવોને જીતવાની વાત કરે છે ? અરે ! ઇન્દ્ર પણ તેમને જીતી શકે નહિ તેટલા તેઓ શક્તિશાળી છે. વળી કૃષ્ણ અને દ્રુપદ જેવા મહાપરાક્રમી રાજાઓ તેમના પક્ષે છે.” દુર્યોધને કહ્યું,“મામા ! જો તેઓ જિતાય તેમ ન હોય તો મારાથી હવે જિવાય તેમ પણ નથી જ. તમે પિતાજીને જણાવી દો કે હું ટૂંક સમયમાં પ્રાણત્યાગ કરીને જ રહીશ.” દુર્યોધનના આ વિચારવાયુને જોઈને શકુનિને એક વિચાર સૂઝ્યો. ગમે તેમ તો ય તે તેનો મામો થતો હતો. સગાવાદથી સદા અછૂત રહેનારા આ જગતમાં ખૂબ જ જૂજ હોય છે. શનિ જાણતો હતો કે દુર્યોધનનો ઈર્ષ્યાવર ખતરનાક છે છતાં મામા-ભાણેજના સગપણને કારણે તે ખરાબ કામની સલાહ દેવા માટે તૈયાર થઈ ગયો. માનવમનની આ નબળાઈ છે કે તે હંમેશ પોતાનું જ ખેંચે છે. સિંહ ઉપર સવાર થયેલા માણસનું ચિત્ર કોઈએ સિંહને બતાવ્યું. સિંહે કહ્યું, “આ ચિત્ર માણસે બનાવ્યું છે એટલે આવું જ બનાવાય. બાકી જો સિંહે બનાવ્યું હોત તો ચોક્કસ ચિત્રમાં માણસ ઉપર સિંહ દેખાડ્યો હોત !’’ તેણે દુર્યોધનને કહ્યું કે,“યુદ્ધના મેદાનમાં તો પાંડવોને જીતી શકાય તેવી સ્થિતિ જ નથી, પરન્તુ યુધિષ્ઠિરની એક નબળી કડી હું જાણું છું. જો તેનો આપણે બરોબર ઉપયોગ કરી લઈએ તો બીજી રીતે પાંડવોને આપણે જીતી શકીશું.” દુર્યોધન આ સાંભળીને ખૂબ જ આનંદમાં આવી ગયો. તેની બીજી રીત જાણવાની ઉત્સુકતા એકદમ વધી ગઈ. મિત્ર સદા સન્મિત્રને જ કરજો શકુનિ કેટલો દુષ્ટ માણસ હશે ? એ કેવો હિતશત્રુ હશે કે એણે દુર્યોધનને એવો શીશામાં ઉતારી નાંખ્યો જેમાંથી સમગ્ર કૌરવપક્ષનો સંહાર થઈ ગયો ! મિત્રો કરવા તો ખૂબ જ ચકાસીને કરવા. એમાં જરાય અધીરા થવું નહિ, કેમકે મિત્રોનો સંગ અને પુસ્તકોના વાંચન ઉપર જીવનના ઘડતરનો ઘણો મોટો મદાર હોય છે. જેવા મિત્રો અને પુસ્તકો તેવું જીવન. સારા મિત્રો ન જ મળે તો મિત્ર વિનાના રહેવું સારું, પરંતુ જેને તેને મિત્ર કરીને જીવન જીવવું નકામું. મિત્ર તેને જ કરી શકાય જે કમસેકમ સિનેમા ન જોતો હોય, ગંદુ સાહિત્ય વાંચતો ન હોય અને ધર્મપ્રેમી હોય. આવા મિત્રો હોય તો આપણને ય સારું જીવન જીવવાની પ્રેરણા કરે. ખોટા માર્ગે ચડ્યા હોય તો તમને તમાચો મારીને પણ પાછા ઠેકાણે લાવે. પેલા ચા-પાણીના, તમારા ખિસ્સાં ખાલી કરાવીને બધી મોજ માણતા તમારા ચમચા જેવા મિત્રોની શી કિંમત ? એવાઓથી તો સદા બાર ગાઉ છેટા રહેવું સારું. રજવાડાનો કોઈ રાજકુમાર તેના મિત્રની સાથે ફરવા નીકળ્યો હતો. રસ્તામાં સામેથી ચાલી જૈન મહાભારત ભાગ-૧

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192